________________
૭૩
અહીં સાવધાની બહુ રાખવાની છે; કેમકે જગતના સંગો અને કર્મના ઉદય એવા છે કે આરાધના ભુલાવી નાખે!
એટલે જ જે એવા બાધક સંયોગોથી દૂર રહેવાય, સાવધાન રહેવાય, અને કર્મના ક્ષેપશમ ટકાવી રખાય તો આરાધના અને આરાધકભાવ ચાલુ રહી શકે
જિનાજ્ઞાની આરાધના અને આરાધક ભાવ એ મેહનીય આદિ કર્મના આશિક નાશથી પ્રાપ્ત થાય છે. પરંતુ જે આ ક્ષપશમ સાનુબંધ હોય તો ઉત્તરોત્તર ક્ષોપશમ ચાલુ રહે છે. તેથી આરાધના અને આરાધક ભાવ બંને ટકે છે પણ જે નિરનુબંધ હોય તે ક્ષેપશમ ટકતો નથી, તેથી પાછો કર્મને ઉદય ચાલુ થઈ જાય છે! એથી એ ગુમાવી જીવ વિરાધના અને આગળ વધીને વિરાધકભાવમાં ચડી જાય છે. આને અર્થ એ કે ગુણ ટકાવવો હોય તો ક્ષયે પશમ ટકાવવું જોઈએ, અને એના માટે અનાયતનનાં સેવન આદિથી દૂર રહેવું જોઈએ
અનાયતન” એટલે આયતનથી વિરુદ્ધ, અર્થાત્ ગુણના શેષક સ્થળ કે નિમિત્ત એ અનાયતન દા ત બ્રહ્મચર્ય પાળવું હોય હોય તો વેશ્યાવાડાના રસ્તેથી ગમનાગમન કરવું, સ્ત્રી સંબંધી કથા કરવી, એ અનાયતન એમ સમ્યગ્રદર્શન માટે મિથ્યાદષ્ટિના પરિચય અને એમના ઉપદેશ-શ્રવણ એ અનાયતન છે. દાનની રૂચિ સામે કૃપણોના પરિચય એ અનાયતન; કેમકે એ વાતે એવી કરે છે કે જે સાંભળતાં સાંભળતાં દાનના પરિણામ મંદ પડી જાય. સાનુબંધ પશમના ઉપાયઃ
(૧) અનાયતનના ત્યાગની સાથે, (૨) વારંવાર પિતાની