________________
૧૨૨
પછીણજરામરણા” અર્થાત્ જેમને જન્મ વિગેરે બીજ જ નહિ હાવાથી, જરા (વૃદ્ધાવસ્થા) અને મરણ રૂપી અંકુર પણ એમના અત્યંત ક્ષીણ થઈ ગયા છે, કે જેથી એ જનમમરણ ફરી કરીએ જીવને સ્પર્શી શકે નહિ. એટલે, સદાને માટે અક્ષય સ્થિતિવાળા શ્રી સિધ્ધો બન્યા છે. અહો ! આ કેવી સુંદર અવસ્થા ! આ વિચિત્ર વિશ્વની રંગભૂમિ પર વિદૂષક (ભા)ની જેમ નવનવી ગતિના વેશમાં જન્મવું, પુલના લેવા લેવા. શરીરાદિના ઘાટ બનાવવા, એને પિષવાની કારમી કષ્ટમય મહેનત કરવી, પણ પાછા ઘસાતા જવું અને ઘરડા થઈ યા વહેલાં ય મરવું ! એટલે એ બધું લુપ્ત! ત્યા પૂર્વની બધી મહેનત અને એનું ફળ-સગવડ એળે ! અને એમાં બાંધેલા પાપ માથે ! આ બધી વિટંબણાને કાયમી અંત આવે તે પછી પીડા જ શી ? અરે! સંસારના બીજા ત્રાસ તો પછી, પણ માત્ર વારંવાર પરાધીનપણે જમવું પડે છે એ પણ વિવેકીને શરમાવનારું લાગે છે નાના બાળ રાજકુમાર
અઈમુત્તા જેવા પણ જ્યા મહાવીર પ્રભુ પાસેથી સમજી આવ્યા કે સંસારના પાપથી ફરી ફરી જન્મવા-મરવાનું આવે છે, ચારિત્રથી કર્મ ખપાવી સિદધ બન્યા પછી કદી જન્મ-મરણ નહિ” તો ઘરે આવી માતાને એ સમજાવી પિતે ચારિત્ર લીધું અને મોક્ષ પામ્યા, સિધ્ધ થયા.સિધ્ધ પ્રભુની અક્ષય સ્થિતિનો મીઠે ખ્યાલ જીવને પિતાના જન્મ-મરણાદિ પ્રત્યે ઘણા ઉપજાવે છે, અને મને ક્યારે એવી મનોરમ અક્ષય સ્થિતિ મળે એવો કોડ ઉત્પન્ન કરે છે. એમને જન્મ અટકવાનું કારણ એ છે કે
એ સિધ્ધ ભગવંતે “અવેઅ-કશ્મ–કલંક કર્મકલંકથી રહિત થયેલા છે. તેથી સ્ફટિકવત અત્યંત નિર્મલ થયેલા છે.