________________
સ્થાન(મેક્ષ)થી એને પરાડ્રમુખ રાખે છે. આ બે ડાકુ સાથે મેહ વળી ગજબનો લુંટારો છે. રાગ ભસ્યા વિના ફેંકી ચાટીને બચકું ભરે છે, દ્વેષ ભસીને બટકું ભરે છે,
જ્યારે મેહ અંધારામાં રાખીને કરડે છે. રાગદ્વેષમાં આ કુતરે છે એમ માલુમ પડે, મેહમાં તે કૂતરો છે એમ ખબર જ ના પડે એહ કૂતરાને બકરું દેખાડે, સાપને દોરડું માની હાથમાં પકડાવે. “દુનિયામાં જે કાંઈ કિંમતી છે તો તે જડ છે, શબ્દાદિ વિષયે, ધન, કુટુંબ, કાયા, ઘર દુકાન વગેરે જ મહત્ત્વનાં છે, તે જ શ્રેષ્ઠ છે, તે જ સર્વસ્વ છે, તે જ હિતકારી છે”—એવું એવું મેહ એને મનાવે છે. એને મન કિંમત જડની. એની આગળ આત્મા કઈ વસ્તુજ નહિ. એ જડથી જ જીવી જડથી જ મરે; આ બધા ચાળા મેહના છે “આત્માને માટે દેહ છે, એ વસ્તુ ભૂલી, “દેહ છે તેજ વસ્તુ છે, માટે એની જ કાળજી કરવી,” એમ માને, એમ વતે. “આત્મા માટે દેહને બદલે “દેહને ખાતર જ આત્મા સમજે.
જેટલો મોહ જીત મેં છે, મેહથી જીતાવું તેટલું જ સહેલું છે. મેહ ન હોત, ને એકલા રાગદ્વેષ હોત તો એ કરડી ખાનારા કૂતરાને ઓળખત. તે કુતરા ઉપર વિશ્વાસ ન રાખત. મેહ કૂતરાને બકરે દેખાડે છે, તેથી બચકું બીજાએ ભર્યું હશે એમ નિશ્ચિતપણે બળાત્કારે મનાવે છે. બકરું કરડે ? કૂતરાને બકરું દેખાડવું તે મેહનું કામ. એમ મોહ પ્રતિકૂળતાને અનુકૂળતારૂપે દેખાડે છે, અને અહિતને હિત તથા હિતને અહિતરૂપે સચોટ મનાવે છે. એ જગતના ભયંકર ત્રાસ, આયાસ અને વેદનાદાયી પણ આનંદદાયી મનાવે; જેમ, કેઈ દારૂ પીધેલાને તમાચો મારે તોય એ હસે છે. ગંધાતી ગટરને સુખને