________________
એમાં સદ્ગુરુઓનો ઉપદેશ વગેરે નિમિત્ત મળતાં આત્માને ભવની જંજાળમાંથી મુક્ત–શુદ્ધ સ્વરૂપ પર દષ્ટિ પડે છે. આ મોક્ષ તરફની દષ્ટિ છે. પહેલી ૪ ચગદષ્ટિ માર્ગનુસારિતા :
અલબત હજી તવની તેવી સમજ નથી એટલે એને તવરુચિ નથી. પરંતુ (૧) પૂર્વનો ચાલી આવતો તત્ત્વને દ્વેષ શાંત થાય છે. (૨) પછી તત્વની જિજ્ઞાસા જાગે છે, અને (૩) પછી તત્ત્વ સાભળવાની ઈચ્છારૂપ શુગૃષા જાગે છે. બાદ (૪) તત્વ–શ્રવણ કરે છે. આ પહેલી ચાર ગદષ્ટિમાં આરોહણરૂપ છે. એથી એને સંસારમાં જન્મ–જરા–મૃત્યુ, રોગ, શોક, ઇષ્ટવિયેગ, અનિષ્ટસંગ, ત્રાસ અપમાન વગેરે સંસારનું દુઃખદ સ્વરૂપ અને એથી સંસારની નિર્ગુણતા-અપકારકતાનો ખ્યાલ આવે છે. તેથી એનાં પ્રત્યે નફરત છૂટે છે. મનને એમ થાય છે કે “ક્યાં સુધી આ વિષાકમાં ભમ્યા કરવાનું? તાત્પર્ય, સંસારના આભાસરૂપ સુખે ઉપરથી આસ્થા બહુમાન ઊઠી જાય છે, એમ એ વૈરાગ્ય યાને ભવનિર્વેદ પામ્ય ગણાય. વળી એને સંસારના કારણભૂત પાપસેવન કરવામાં એવી હેશ નથી રહેતી આ બધી સ્થિતિમાં જીવને અપુનબંધકપણું પ્રાપ્ત થાય છે. અપુનબંધક એટલે દુઃખદ કર્મની ૭૦ સાગરોપમ કડાછેડી સ્થિતિ જેવી ઉત્કૃષ્ટ સ્થિતિ હવે ફરીથી ન બાંધે એવી દશા. એના ચોગે દયા, દાન, ત્યાગ, તપસ્યા, દેવગુરુસેવા, વ્રત-નિયમ વગેરેને અંશે પુરુષાર્થ કરે એ ધર્મપુરુષાર્થ છે,
ધર્મપુરૂષાર્થ જીવના અન્યાય અનીતિ, અનુચિત વ્યય, ઉદ્ભટવેશ, વગેરે દે અટકાવી દઈ માર્ગાનુસારી જીવનના.