________________
મૂર્ખતા અને મૂઢતાના પરિણામે નિષ્ફળ નીવડે તેમાં નવાઈ નહિ. કદાચ શરૂઆતમાં સફળતા દેખાય તે ય પરિણામે અવશ્ય નિષ્ફળ. અથવા “નિષ્ફળ' એટલે નિસાર, ભવાભિનંદી જીવ નિસાર
પ્રવૃત્તિને આચરનારો હોય છે. કહે કે એને નિષ્ફળ બને એવા | કાર્યો સહેજે કરવા મળે. જેના ઉદ્યમમાં બહુધા નિષ્ફળતા અને નિસ્સારતા હોય, તે જીવ ભવાભિનંદી છે. એકવારના નિષ્ફળ કાર્યના યોગે પાછા વળવાનું તે એને બાજુએ રહ્યું, ઉલટું એવા કાર્યોને એને દ્વિગુણે આગ્રહ વધે એ વધુ ને વધુ નિષ્ફળતા મેળવતો જાય, પણ સફળતાની ચાવી ન પામી શકે. એને લક્ષમી મળી હોય, તે ય સફળ નથી, કેમકે એને એથી આનંદ કે શાતિ મળતી નથી; હૈયામા હોળી સળગે છે; પાછળ નુકસાન અને પશ્ચાત્તાપનો પાર નથી. કાર્યમાં ભલીવાર નથી એના નિષ્ફળ પ્રયત્નો એનામા દેશે વધુ ખીલવે છે. નિસાર ઉદ્યમ જડતા વધારે છે.
ભવાભિનંદિતાના દેશોની સહજતા –ભવાભિનંદિતાના આ બધા દૂષણ ટાળવા માટે ખાસ કાળજી રાખવાની છે; પ્રતિક્ષણ જાગ્રતુ રહેવાનું છે. કારણ કે, દુર્ગુણોનો અભ્યાસ અનંત કાળને છે. એથી જીવનમાં દૂષણ સહજ જેવા થઈ ગયા છે, અને ગુણ જાણે તદ્દન અપરિચિત. મુદ્રતા સહેજે આવે, ઉદારતા સુશીબતથી લાવવી પડે. લેભ સહેજે થાય, સંતોષ રાખવું મુશ્કેલ ઘડી ઘડીમા દીનતા આવતાં વાર ન લાગે, અને ધીરજ અને નફરત રાખતાં નેવનાં પાણી મોભે ચડાવવા પડે–ઈર્ષ્યા બહુ સહેલી, કેઈનું પણ સારું જેઈ ઉગ ઝટ થાય, પણ પ્રેમ બળાત્કારે લાવવું પડે. મન ઉદ્વેગ કરાવે પણ દિલ જો પ્રેમ કરાવે, તેય