________________
જવા છતાં તને ક્યાંથી પામી શકત! સરળ માણસ દરેક પ્રસંગમાંથી સારી જ તારવણી કરે બન્ને જણ કૂવામાં નિરાધાર રહ્યા પાણીની બાજુના એક ટેકરા જેવા ભાગ પર બેઠા બેઠા કોઈ પ્રવાસી કૂવા પર આવવાની રાહ જુએ છે. એમાં દિવસે વીત્યા. છતાં ચન્દ્રકાન્ત કહે છે “જે પુણ્ય કેવું અદ્ભુત કામ કરે છે કે ધન જતાં તે મળી અને અહીં મારા હાથમાં રહેલ ભાડાથેલી આપણ બનેને જીવન ટકાવી રાખવા કામ લાગી છે! ખાવા તો ભાતું કામ આવે, હીરા માણેક નહિ !' ચન્દ્રકાનતાને પતિના આવા આવા તાત્ત્વિક બોલ પર શ્રદ્ધા વધી જાય છે. હવે ભાતું ખૂટવા આવ્યું અને જણ ચિંતા કરે છે કે “અરે! અમારે આવા ઉત્તમ ભવમાં શું ચારિત્ર પામ્યા વિના એમ જ મરવાનું ? ક્યારે આ ભવક્ષેપમાં કૂવાની કેદમાંથી છૂટવાનું ? સદ્દભાગ્યે એટલામાં એક સાર્થવાહ તે પ્રદેશમાં આવી લાગે છે. એના માણસે કૂવાપર પાણું લેવા આવતા ચન્દ્રકાન્ત બોલે છે, અરે? અમને બહાર કાઢે.” પિલાએ જઈને શેઠને વાત કરતાં શેઠે માંચાથી એમને બહાર કાઢવા કહ્યું. એ બંને એમ બહાર નીકળી સાર્થવાહને ભજનસત્કાર પામી ગામ તરફ પાછા વળે છે. રસ્તામાં એક બાજુ મડદું અને પિતાની જ ઘનશેલી જુએ છે ! ચન્દ્રકાન્ત તરત કલ્પના કરી કે કઈ શિકારી પશુથી મરાયેલ નોકરનું બિચારાનું આ મડદું લાગે છે. એથી વૈરાગ્ય વધુ દૃઢ કરી, જઈ તે બન્નેએ ચારિત્રમાર્ગ અપનાવ્યું સરળતાનાં મીઠાં ફળ; માયા કૂડી અને ભૂંડી !
(૭) સાતમે દુર્ગુણ અજ્ઞાનતા -અજ્ઞાનતા યાને અજ્ઞાનના બે ભેદ,-(૧) મૂર્ખતા, અને (ર) મૂઢતા. મૂર્ખતા છે એટલે