________________
૪૭
સંપત્તિ કરતાં કેટલી બધી ઊંચી કિંમતના દર્શન–જ્ઞાન–ચારિત્ર રત્ન તમને આપ્યા ? અને તમેય કેટલાય જન્મના ત્રાસ પછી અહીં એ પામી શક્યા ? હવે એને આ મારા મળમૂત્રાદિ ભરેલી દેહ ખાળમાં નાખતા શરમ નથી આવતી ?” મુનિ તરત બોધ પામી એને ઉપકાર માનીને ગુરુ પાસે જઈ ક્ષમા માગે છે.
થડી પણ ઈર્ષાવશ પીઠ અને મહાપીઠ જેવા અનુત્તર સ્વર્ગગામી મહામુનિઓને પછી બ્રાહી સુંદરી તરીકે સ્ત્રીપણે અવતરવું પડયું ! માટે ઈષ્ય ભૂંડી તે ભવસ્થિતિ પકવનાર એક મહાન આવશ્યક સાધન પરસુકૃતાનુમોદન–ગુણાનુરાગ એનો નાશ કરે છે; મેટી વિદ્વત્તાને પણ અવસરે આવરી દે છે અસહુ આવેશ –અભિનિવેશમાં ફસાવી જીવને એટલો બધો એ નીચે પટકે છે કે પછી જીવ કેઈને માનવા તૈયાર નહિ, શાસ્ત્રની પણ કંઈ અસર લે નહિ. એ ભવાભિનંદિતાને સારી રીતે પુષ્ટ રાખે છે.
પાંચ દગુણ ભય –દીનતામાં પિતાને ન મળ્યાનું દુખ છે; મત્સરમાં બીજાને મળ્યાનું દુઃખ છે, ને ભયમાં પિતાને મળેલું ખેવાય તો ? એ ચિંતાનું દુ ખ છે, ત્રણેય દુઃખ ભૂડા. એમા ભય વિલક્ષણ ! દુર્ગાનનું પ્રબળ કારણ ભય ભયથી ભવ નીપજે, ભયથી ભાવ વધે. “હાય, હાય, ચાલ્યું જશે ? નાશ પામશે ? દુખી થઈશ તો ?”—એ જ હાયવોય, વિધ્યક્ષાયની ઉપર અત્યંત અનહદ આસક્તિ, જરાપણ ઉણપ ન આવે, આપત્તિ ન આવે તેવી સતત ઈચ્છા ! કેમ જાણે, “ સર્વ સંપત્તિનો ઈજારદાર પોતે ! લેશ પણ આપત્તિને યોગ્ય નહિ! ” કર્મના સંજોગો વિચિત્ર છે. વારંવાર ભય રાખવા છતાં ક્યારે કર્મ ઠગી જાય, કષ્ટ ઊભા કરે, સુખ નષ્ટ કરે, તેનો નિયમ નહિ. તો પછી ભય