________________
પરોપકારને માટે.
(૪૯) “ અરે ભલા માણસ! તું વૃથા ખેદ કરે છે. હજી આ પુરૂષની તને ઓળખાણ નથી તેથી જ તું ખેદ કરે છે. એ તે ચક્રવતીઓના પણ ચકવતી છે. જગતમાં અદ્વિતીય પુરૂષ . તારૂં શાસ્ત્ર, એ લક્ષણે સર્વ સત્ય છે. વૃથા ખેદ કર નહીં. મારા જેવા સમૃદ્ધિવંત કંઈક પ્રાણીઓ એમના ચરણમાં પડી એમનું શરણ માગી રહ્યા છે. તું એક તુચ્છ લક્ષમીના મોહમાં આ નરેત્તમલોકોત્તર પુરૂષનું માહાતમ્ય કેમ ભૂલી જાય છે? એમના દર્શનથી ગમે તેવા દુષ્કર્મને નાશ થાય તે પછી લક્ષમી પામવાની તો વાત જ કયાં?” એમ કહીને પેલા સમૃદ્ધિવંત પુરૂષ પુષ્પસામુદ્રિકને એના મનગમતું દ્રવ્ય આપી સંતળે. તે પછી અલ્પ સમયમાં તે પુરૂષ પરિવાર સહિત સામુદ્રિકના જોતાંજોતાં અદશ્ય થઈ ગયે.
અરે એટલી વારમાં આ પુરૂષ કયાં ગયે? આવા સમર્થ પુરૂષે પણ જેમના ચરણમાં પડેલા છે એવા આ નરશ્રેષ્ઠ સર્વ લક્ષણયુક્ત હોવા છતાં મેં મિથ્યા ચિંતવ્યું તે માટે હેપુરૂષોત્તમ! હું તમને ખમાવું છું. અરે મારા જેવા કંઈક અજ્ઞાન જી આપની જાણતા કે અજાણતા આશાતના કરતા હશે ! છતાં એ સર્વ પ્રતિકૂળ બાબતે સહન કરી આપ પિતાનું લેકોત્તરપણું બતાવી રહ્યા છે. ખચીત આ કોઈ સમર્થ દેવ હશે કે જેમણે આ નરક ઉપરની પિતાની ભક્તિથી મને ઈચ્છિત આપ્યું” ઈત્યાદિક વિચાર કરતે તે પુષ્પ એ પુરૂત્તમ પુરૂષને નામી-ખમાવી પિતાને ઠેકાણે ચાલે ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com