________________
બુદ્ધ અને તેમને ધર્મ
(૧૦૩) ભગવન્! એ સ્વતંત્ર વિચાર ધરાવતી રાજદુહિતાને બળાત્કારે ફરજ પાડી ધર્મ મનાવે, તે મને અણગમતી વાત છે. સર્વ સ્ત્રીઓમાં એ મારે પ્રાણથી પણ અધિક છે. એનું દિલ દુઃખવવું એ શું મને ઉચિત છે?” રાજાએ પિતાને વિચાર કો.
તે ત્યારે એને પ્રીતિથી સમજાવ! પણ કઈ બી રીતે એને આપણા ધર્મમાં લાવી બુદ્ધની શિષ્યા તે બનાવ!”
ઠીક છે ભગવન્! આપને જ્યારે આ આગ્રહ છે તે હું એ માટે અવશ્ય પ્રયત્ન કરીશ.” રાજાએ બુદ્ધના વચનને અનુમતિ આપી.
અસ્તુ ! તારો પ્રયત્ન સફલ થાવ!” બુદ્ધ આશિષ આપી.
છતાં આપ પણ અમારા મંદિરે ભેજન માટે પધારશો. પટ્ટરાણુને આપનાં દર્શન થશે, આપને ઉપદેશ કરવાની તક મળશે; એક સાથે બે કામ થશે.”
રાજન ! અમારું આગમન તે અશકય છે. તરતમાં જ અમારે અન્ય સ્થળે જવાનું હોવાથી અમે તે જાશું, પણ તમારા વચનને માન આપી મારે એક વિદ્વાન શિષ્ય બૌહાચાર્ય તમારે ત્યાં આવશે. તે ચેલણાને પ્રતિબોધ કરશે.” . એનાથી કાર્ય થવું એ શું શક્ય વાત છે?” રાજાએ શકા કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com