Book Title: Mahavir Ane Shrenik
Author(s): Manilal Nyalchand
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 352
________________ મહાવીર અને એણિક અનુસરીને હું મારો માનવભવ સફલ કરૂં” ઈત્યાદિક વિચાર કરીને તુરતજ અલયકુમારે કહ્યું. “પિતાજી! આપની ઈચ્છા વ્યાજબી છે, છતાં આપ થોડો સમય રાહ જુએ. પછી જે ગ્ય હશે તે કરશું. ભગવાનને પધારવા ઘો. તમને પણ સેવાને લાભ મળશે. સર્વે સારાં વાનાં થશે.” એ મગધ સામ્રાજ્યના મહાસ્થંભ ગણુતા અગ્રગણ્ય પુરૂષોની એ પ્રમાણે ખાનગીમાં વાતચીત થઈ. એને કંઈ ઝાઝો સમય પસાર થયે નહિ એટલામાં ભગવાન મહાવીર ત્યાં રાજગૃહી આવીને સમવસર્યા. ભગવાનનું આગમન સાંભળી મગધપતિ શ્રેણિક ભગવંતને વંદન કરવાને ધામધૂમથી પધાર્યા. વંદન કરી બેઠા પછી દેશના શ્રવણ કર્યા બાદ અલયકુમારે ભગવાનને પૂછયું. “ભગવાન આપના શાસનમાં રાજાઓ દીક્ષા ક્યાં સુધી ગ્રહણ કરશે?” અભયકુમારને પ્રશ્ન સાંભળી ભગવાન મહાવીર ઉદયન રાજર્ષિ તરફ અંગુલીનિર્દેશ કરીને બોલ્યા, “જો આ પુરૂષને ઓળખ્યા? એ પુરૂષ કોણ છે તે ?” “કોણ છે ભગવાન , આપ જ જરા સ્પષ્ટતાથી કહે.” અભયકુમારે ફરીને પૂછયું. શી, સૌરિ દેશના નરપતિ, વીરજયનગર (ભેરા) ના અધિપતિ ઉદયન રાજા એ પિતે, સિંધુ, સૌવીર વગેરે સેળ દેશનો એ સ્વામી, વીત્તભય આદિ ત્રણ સે ને ત્રેસઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380