Book Title: Mahavir Ane Shrenik
Author(s): Manilal Nyalchand
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 365
________________ જંજીરને ઝણકરે. ' (૩૫૯) માટે સ્થંભ હતા તે દૂર થઈ ગયે. અભયકુમારનું ગમન એ શ્રેણિકની પડતીનું પ્રથમ પગથીયું હતું. બીજુ પગથીયું કાશિકની બુદ્ધિમાં વિકાર થયે તે હતું. કરેલાં પાપ કાળે કરીને ઉદય આવે છે એ નિયમને અનુસરીને શ્રેણિકનાં પુણ્ય ખલાસ થયાં ને પાપના પડઘા એક પછી એક વાગવા લાગ્યા. કેણિકે પોતાના બંધુઓ સહિત ગુપ્ત મંત્રણા કરી, તેને બીજે જે દિવસે એકાંતમાં બેસી વિચાર–મશગુલ થયેલ મગધપતિની ખબર લઈ લીધી. મગધપતિ એને માથે રાજમુકુટ મૂકવાની તૈયારી કરી રહ્યો હતો. આજે એ વિચારે તે અમલમાં મૂકવાની તૈયારીમાં હતું. એ વિચારને અમલ કરવા માટે તેને કેણિકને બોલાવવાને પ્રતિહારીને હાંક મારી. એ હાકમાં કેણિકના સુભ કાઈ ખુલ્લી સમશેરની અણુ બતાવતા તે કેઈ ભાલાની અણું બતાવવા મગધપતિની ચારે કેર ફરી વન્યામગધપતિ તે આશ્ચર્યમુગ્ધ બની ગયા. “આ શું?” ભાલાની અને સમશેરની અણી પોતાની છાતી તરફ જોઈ શ્રેણિકનું વજી સમુ હૈયું કયું. અરે! આ બધું શું ? જાઓ કેણિકને બેલા.?” મગધપતિએ તેમને હુકમ કર્યો. પણ તેમને હુકમ કોઈ સાંભળે તેમ નહોતું. કોઈ ત્યાંથી ખર્યું નહિ. તે સર્વે મગધપતિને ડારતા ઉભા જ રહ્યા. ખસી જાઓ ને કેણિકને બોલાવે.” બીજી વાર મગધ. પતિએ ગર્જના કરતા કહ્યું; પણ કાંઈ વળ્યું નહિ. ન તે કાંઈ હાર્યું કે ન તો કઈ ત્યાંથી ખસ્યું. “નિમકહરામ ! મારા ગુલામ થઈ શું મારી ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380