Book Title: Mahavir Ane Shrenik
Author(s): Manilal Nyalchand
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 366
________________ (૩૦) મહાવીર અને શ્રેણિ. હાથ ચલાવે છે.?” શ્રેણિક પાસે પડેલી સમશેર લઈ ઉભે થયો ને જે તે પિલાઓ ઉપર ઘા કરવા જાય છે તેવામાં ખબરદાર!” બોલતા એક વીરનર ધસી આવી ભાલાની અણી તેના હાથમાં ઘુસાડી દીધી. શ્રેણિકે પાછા ફરીને જોયું. “કેણુ?” હું કણિક.” એ ધસી આવેલે વીરનર કેણિક હતા તે બોલ્યા. કેણિક! આ શું?” શ્રેણિકે પૂછયું. એણે તલવાર ફેંકી દીધી. “આ રાજ્યનીતિ ! આજથી મારી શકિતથી હું રાજા છું. તમે નહિ.” સુભટ તરફ ફરી હુકમ કર્યો. “ સુભટે ! કેદ કરે એમને. ” નિ:શસ્ત્ર શ્રેણિકને કેણિકના સુભટેએ તરતજ પકડી ચતુર્ભુજ કર્યો. પુણ્ય રહિત અને ભાવીને આધીન થયેલ મગધપતિ હવે મગધપતિ નહિ પણ સામાન્ય કેદી શ્રેણિક થયા. કેણિકના હુકમથી મજબુત જંજીરો શ્રેણિકને પહેરાવવામાં આવી. પછી સુભટોને કેણિકે હુકમ કર્યો. “ લઈ જાઓ, કારાગ્રહમાં ને બરાબર દેખરેખ રાખો. કઈ મળવા આવે તે મળવા દેશે નહિ, તે છતાં મારી આજ્ઞાને ભંગ કરશે તે યમપુરીના મેમાન થશે. ” કેણિકને હુકમ સાંભળી સુભટે જંજીર સહિત શ્રેણિકને રાજમહેલમાંથી કારાગ્રહમાં લઈ ગયા. બીજે દિવસે કેણિક મગધેશ્વર થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380