Book Title: Mahavir Ane Shrenik
Author(s): Manilal Nyalchand
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 338
________________ ( ૩૩૨ ) મહાવીર અને શ્રેણિક મગધપતિએ સમશેર ઉગામી, “ પ્રદ્યોત ! હાશીયાર ” અવંતીપતિ સંસારના લાલચુ અને જીવનની ઇચ્છાવાળા હતા તે છતાં જીવાને માટે પ્રાથૅના કરવી તે તેને યોગ્ય ન લાગ્યું, ગમે તેવા છતાં પોતાનાથી મગધપતિ અલ્પમળવાળા હતા. અક્ષયકુમારની બુદ્ધિને આધીન થઇ તે સપડાઈ ગયા હતા, નહિ કે શ્રેણિકની સમશેરથી ? પેાતાની દ્રષ્ટિ આગળ તુચ્છ ગણાતા મનુષ્યની પ્રાર્થના કરવા કરતાં સમયને ધિન થવુ તે જ પ્રઘાતને ઠીક લાગ્યું હતું. એણે આજ સુધીમાં ઘણા યુદ્ધો કર્યાં હતાં, કંઇક રાજાઓને યુદ્ધમાં પરાસ્ત કર્યા હતા—માર્યાં હતા, એમની સ્ત્રીઓને રડાવી હતી. એવા માની પુરૂષ શ્રેણિકની પ્રાથના કરે એ અસંભવિત હતુ. મગધપતિ જેવા પ્રદ્યાત ઉપર ઉપર ઘા કરવા જાય છે તેવા જ તેના સમશેર સહિત હાથ અભયકુમારે પકડી લીધે. ૮ દેવ ! રાજા, બાળક, સ્રીએ અવધ્ય ગણાય છે. અત્યારે એનું જીવન જો કે આપણે આધિન છે, તેથી એના જીવ લઈને ખુશી થવું એ ઠીક ના કહેવાય. ” “ત્યારે શું આવા કટ્ટર શત્રુને હાથમાં આવેલા જવા દેવા કે ? ” રાજાએ કહ્યું. “ શત્રુ ગમે તેવા હાય પણ જો તે શરણે આવેલા હાય તા અને છેડી મૂકવા જોઇએ. ગમે તેવા સમર્થ છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380