Book Title: Sammatitarka Prakaranam Part 2
Author(s): Siddhasen Divakarsuri, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
Catalog link: https://jainqq.org/explore/002564/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणम् भाग-२ अर्वाचीनविभाग: ग्रन्थकर्तारः श्रुतकेवलि-महादार्शनिकशिरोमणिपूज्याचार्यश्रीसिद्धसेनदिवाकरसूरीश्वराः सम्पादकाः प्रवनचनप्रभावकपूज्यपादाचार्यश्रीमद्विजयकीर्तियशसूरीश्वराः S T ORapternatiovelamSXEP HORAECPetronau OR wiseriencapsicom Page #2 -------------------------------------------------------------------------- ________________ पू.आ.श्रीविजयरामचन्द्रसूरिस्मृति-संस्कृत-प्राकृतग्रन्थमाला - क्रमाङ्क-२६ संमतितर्कप्रकरणम् भाग-२ [ अर्वाचीनविभागः ] [ प्रार्श्वप्रभाटीका-छाया-अन्वयार्थ-गाथार्थ-तात्पर्यार्थराजितम् | -: ग्रन्थकर्तारः :श्रुतकेवलि-महादार्शनिकशिरोमणि-दुष्षमानिशादिवाकरकल्प पूज्याचार्यश्रीसिद्धसेनदिवाकरसूरीश्वराः -: पार्श्वप्रभाटीका-भावानुवादकाराः सम्पादकाश्च :तपागच्छाधिपतिपूज्यपादाचार्यश्रीमद्विजयरामचन्द्रसूरीश्वराणां पट्टप्रभावकवर्धमानतपोनिधिपूज्यपादाचार्यश्रीमद्विजयगुणयशसूरीश्वराणां चरणचञ्चरीकाः प्रवचनप्रभावकपूज्यपादाचार्यश्रीमद्विजयकीर्तियशसूरीश्वराः Sol Private & Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ V ग्रन्थनाम संमतितर्कप्रकरणम् ग्रन्थकर्तारः : श्रुतकेवलिपूज्याचार्यश्रीसिद्धसेनदिवाकरसूरीश्वराः मूलटीकाकाराः तर्कपञ्चाननपूज्याचार्यश्रीमदभयदेवसूरीश्वराः अन्ये टीकाकाराः : समर्थशास्त्रकारशिरोमणिपूज्याचार्यश्रीहरिभद्रसूरीश्वराः पूज्यमहामहोपाध्यायश्रीयशोविजयगणिवराः अन्यमहापुरुषाश्च पार्श्वप्रभाटीकाकाराः : पू.आ.श्रीमद्विजयकीर्तियशसूरीश्वराः गुर्जरभाषाभावानुवादकारा: : पू.आ.श्रीमद्विजयकीर्तियशसूरीश्वराः सम्पादकाः प्रकाशकम् आवृत्तिः : पू.आ. श्रीमद्विजयकीर्तियशसूरीश्वराः : सन्मार्गप्रकाशनम्, अहमदाबाद. : प्रथमा- वि.सं. २०६६, वि.सं. २५३६, ई.सं. २००९ प्रतयः : ७०० मूल्यम् : रूप्यकाणि १२५/ ISBN-978-81-87163-59-6 सूचनम् ज्ञाननिधिव्ययेन मुद्रितोऽयं ग्रन्थोऽतो सम्पूर्ण मूल्यं तत्क्षेत्रे दत्त्वैव गृहस्थैः स्वामित्वमस्य करणीयं सुयोग्यं वा शुल्कं (नकरो) दत्त्वैष पठनीयः । -सन्मार्गप्रकाशनम् । Jain Education Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈનશાસન શિરતાજ વ્યાખ્યાનવાયસ્પતિ દીક્ષાયુગપ્રવર્તક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ને મા International 2010 (92) Page #5 -------------------------------------------------------------------------- ________________ 2010_02 Page #6 -------------------------------------------------------------------------- ________________ - વર્ધમાનતપોનિધિ પૂ.આ.શ્રી વિજય ગુણથાકૂટીdીજી મહાશાજા / આ તેજસ્વી તવારીખો ? સંસારી નામ : ગગલદાસ વોહરા માતા-પિતા : સંજીબેન સ્વરૂપચંદ વોહરા વતના : શ્રી ભોરોલતીર્થ કર્મભૂમિઃ અમદાવાદ ધર્મપત્ની: અ.સૌ. જીવીબહેન આધબોધ I : પૂ.આ.શ્રી.વિજય સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજા ગુરુદેવ : પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા શિષ્ય-પ્રશિષ્યો : ૩૩, નિશ્રાવર્તી શ્રમણોઃ ૪૧ જન્મ વિ.સં. ૧૯૮૦ વૈશાખ વદ ૯ ભોરોલ તીર્થ વિ.સં. ૨૦૨૩ પોષ સુદ ૧૪ મુરબાડ તીર્થ વડી દીક્ષા વિ.સં. ૨૦૨૩ મહા વદ ૧૦ મુંબઈ-લાલબાગ ગણિ વિ.સં. ૨૦૫૦ કારતક સુદ ૧૧ સુરત પંન્યાસ વિ.સં. ૨૦૫ર. વૈશાખ સુદ ૯ ભોરોલ તીર્થ ઉપાધ્યાય વિ.સં. ૨૦૫૨ વૈશાખ સુદ ભોરોલ તીર્થ આચાર્ય વિ.સં. ૨૦૫ર વૈશાખ સુદ ૭ ભોરોલ તીર્થ કાળધર્મ વિ.સં. ૨૦૬૫ આસો વદ ૪ મુંબઈ-લાલબાગ અગ્નિસંસ્કાર વિ.સં. ૨૦૬૫ આસો વદ પ+વું મુંબઈ-વાલકેશ્વર દીક્ષા Education Interational 2010 02 www.jang Page #7 -------------------------------------------------------------------------- ________________ 2010_02 Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈનશાસન શિરતાજ, સંઘ સન્માર્ગદર્શક, તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આઠ-આઠ દાયકા સુધી પ્રવચન ગંગાનું વહેણ વહેવડાવી ભારતભરના ભવ્યોને જિનાજ્ઞા-મર્મનું મહાપ્રદાન કર્યું હતું. તેના મૂળમાં તેઓશ્રીમદે આજીવન કરેલી આગમાદિ શ્રુતની અપ્રમત્ત ઉપાસના હતી, તેઓશ્રીમદની કૃતસિદ્ધિ અને શ્રુતવિનિયોગની હાર્દિક અનુમોદનાના બીજરૂપ તેઓશ્રીમદુની પુણ્યસ્મૃતિને અવિસ્મરણીય બનાવવા કાજે અમોએ તેઓશ્રીમદ્ભા મંત્રતુલ્ય નામ સાથે સંકળાયેલ ‘પૂ. આ. શ્રી. વિજય રામચંદ્રસૂરિસ્મૃતિ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાળા' પ્રકાશિત કરવાનો શુભ નિર્ણય કર્યો હતો. તેઓશ્રીમના પટ્ટાલંકાર, આજીવનગુરુચરણસેવી, સુવિશાલ ગચ્છાધિરાજ પૂ.આ.શ્રી વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદથી આ શ્રેણીમાં અમો ઠીક-ઠીક આગળ વધી શક્યા હતા. વર્ધમાન તપોનિધિ પૂ.આ.શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજની છત્રછાયા અને તેઓશ્રીના શિષ્યપ્રવર પ્રવચન-પ્રભાવક પૂ.આ.શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના શાસ્ત્રીય માર્ગદર્શનને પામી વિવિધ શ્રુત-સેવી મુનિવરો આદિ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ વિષયના પ્રતાકાર તેમજ પુસ્તકાકાર અનેક ગ્રંથો છપાયા બાદ આ જ શ્રેણીના ૨૬માં પુષ્પ તરીકે “સંમતિતર્કપ્રકરણમ્ ભાગ-૨' ગ્રંથરત્નનું પ્રકાશન કરતાં અમને સવિશેષ આનંદની અનુભૂતિ થઈ રહી છે. આ પરમ યોગીશ્વરશ્રી અરિહંતપ્રભુ અને તેમના આજ્ઞાશાસનના વર્તતા પ્રત્યેક સૂરિ-વાચક-સાધુવંદના અનુગ્રહ તેમજ શાસનદેવોની શુભ સહાયથી સમ્યગ્દર્શનને નિર્મળ કરનારા આવા વધુને વધુ દાર્શનિક ગ્રંથોના પ્રકાશનમાં અમે નિમિત્તરૂપ બનીએ એવી ભાવના ભાવવા સાથે સહુ કોઈ અધિકારી બની વા શ્રુતરત્નોના અભ્યસન દ્વારા પરમાત્મા શ્રી અરિહંત દેવોના યોગસામ્રાજ્યના સ્વામી બની શાશ્વત સુખરૂપ મોક્ષને પામે એ જ શુભકામના. - જન્મા પ્રકાશન 201 Page #9 -------------------------------------------------------------------------- ________________ લાભાર્થી સભા પ્રકાશન, દ્વારા આયોજિત પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિ-સ્મૃતિ-સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાળાના || રાધા ૨૬માં પુષ્પરૂપે પ્રકાશિત થતાં પ્રવચનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા વિરચિત પાર્થપ્રભા ટીકા તથા ગુર્જરભાવાનુવાદથી વિભૂષિત શ્રુતકેવલિ પૂજ્યપાદ આચાર્ય શિરોમણિ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજા રચિત संमतितर्कप्रकरणम्-२ શેઠ શ્રી કસ્તુરચંદ મૂલાજી સહપરિવાર સ્થાપિત શ્રી મહાવીર સ્વામી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક દહેરાસર, (ખેતવાડી જૈન સંઘ), ૯મી ખેતવાડી, મુંબઈના Sાનનિધિના સદુપયોગ દ્વારા પ્રકાશિત થયો છે. પાણી જેની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ તેઓના હાથે ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ થતી રહે એવી શુભકામના કરીએ છીએ. સાક્ટ પ્રદાન avate & Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ જેઓના સાધના પૂત પુણ્ય પ્રભાવે આ ગ્રંથરત્નનું સર્જન-સંપાદન થયું તેઓના પરમ પવિત્ર કરકમળોમાં શ્રદ્ધાસભર હૃદયે સમર્પણમ ૮ મારી અતિ નાની વયથી જ જેઓશ્રીએ મને | શ્રી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરાવ્યું. કારણ * જરાક સમજણો થયો એટલે ‘સંસાર કેવો ? ખારો-ખારો' અને “મોક્ષ કેવો ? મીઠો-મીઠો' સમજાવ્યો. * ચાર વર્ષની ઉંમરે આયંબિલ કરતો કર્યો, પૂજા, પ્રતિક્રમણ, સામાયિક, પાઠશાળાનો વ્યસની બનાવ્યો. * વચનસિદ્ધ પૂ.આ.શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજાના ખોળામાં મારું સમર્પણ કર્યું. * ‘આપણે દીક્ષા જ લેવાની છે' તેવા સંસ્કાર દૃઢમૂળ કર્યા. * પૂ. બાપજી મહારાજાનો કાળધર્મ થતાં તેઓશ્રીમદ્ભા આદર્શોના સાચા વારસદાર વ્યાખ્યાવાચસ્પતિ પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો મને ભેટો કરાવી આપ્યો. જન્મથી અંતિમ સમય સુધી... મા કરતાં ય વધુ વાત્સલ્ય આપ્યું, બાપ તરીકે કડક અનુશાસન કર્યું, ગુરુ તરીકે ગુરુનાં કર્તવ્યો અદા કરવામાં ક્યારેય પાછી પાની ન કરી પોતાના સ્વાર્થોનું વિસર્જન કરી મને પરમ ગુરુદેવની સેવામાં જોડ્યો... ૮૬ વર્ષની જૈફ વયે પણ ટટ્ટાર બેસી, અનેક રોગોની સામે ઝીંક ઝીલી જપ-યોગ, સ્વાધ્યાય યોગ અને પરમ સમાધિમાં ઝીલતા રહી જેઓએ મારું અને મારા શિષ્યપ્રશિષ્યાદિ ગણનું અખંડ યોગક્ષેમ કર્યું છે, તે સ્વનામધન્ય, આજીવનગુરુચરણસેવી, નિઃસ્પૃહમૂર્તિ, વીશસ્થાનકતપપ્રભાવક, વર્ધમાનતપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાના પાવન કરકમળોમાં સંમતિતર્ક ભાગ-૨ ગ્રંથરત્નનું સમર્પણ કરી ધન્ય બનું છું. - વિજય કીર્તિયશસૂરિ KE Personal use only Page #11 -------------------------------------------------------------------------- ________________ ગુરુ આવા જગતમાં નહિ મળે રે ગૌરવવંતા ગુરુદેવ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજા! જૈન શાસન શિરતાજ, દીક્ષાયુગ પ્રવર્તક, તપાગચ્છાધિરાજ, ભાવાચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના તેઓશ્રીજી પરમવિનયી શિષ્યરત્ન હતા. વર્ધમાન તપોનિધિ એઓનું મુખ્ય બિરૂદ હતું, પરંતુ વર્ધમાન બિરૂદાવલીથી નવાજીએ તો પણ અલ્પોકિત થાય એવા વર્ધમાન ગુણગણોથી ભરપૂર એઓનું જીવન હતું, તે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજા હતા. ગુજરાતના વાયવ્ય ખૂણે થરાદની પાસે આવેલું ભોરોલ તીર્થ એમનું વતન હતું. વાવ, થરાદ, સાંચોર જેવી ઐતિહાસિક નગરીઓથી ઘેરાયેલું આ તીર્થ એક જમાનામાં પિપ્પલપુર પત્તન અગર પિપ્પલાનક નામે મહાનગર હતું. પાસેનું ઢીમા તીર્થ એનું ઉપનગર હતું. સેંકડો કોટિપતિ શ્રેષ્ઠિઓ અત્રે વસતા. અનેક જિનમંદિરોથી નગરી ભરી ભરી હતી. કાળની થપાટ વાગતાં બધું વેર-વિખેર થયું. અનેક પ્રતિમાજી ભૂમિમાં બિરાજી દેવગણથી પૂજાતા રહ્યા. વિ.સં. ૧૯૬૧માં ભોરોલ ભૂમિના ભાગ્યવિધાતા ભગવાન શ્રી નેમિનાથ પ્રભુ સ્વયંભૂ પ્રગટતાં ભૂમિનાં ભાગ્ય પલટાયાં. ક્રમસર ઉન્નતિ થવા લાગી. સંઘે સુંદર જિનાલય બનાવી પ્રભુને પધરાવતાં ભાવોની વૃદ્ધિ થતાં ઘર-ઘરમાં પ્રશસ્ત દ્રવ્યની પણ વૃદ્ધિ થવા લાગી. વિ.સં. ૧૯૮૦માં પાલીતાણાના શ્રી આદીશ્વરદાદાની પ્રતિષ્ઠાના શુભ દિને એટલે જ વૈ.વ. ૬ના સેજીબાઈની કૂખથી નાનકડા બાળકનો જન્મ થયો. પિતા સ્વરૂપચંદને વધામણા મળતાં આનંદ થયો. બાળકને નવકાર સંભળાવાયો. દાદા શ્રી નેમનાથના દર્શન-પૂજન કરાવાયાં. બે એક વર્ષ પિતાનું વાત્સલ્ય મેળવ્યા બાદ પિતા જ્યારે દેવલોકની વાટે સંચરી ગયા ત્યારે બાળક ગગલદાસ તે ઘટનાને સમજી પણ શકતું ન હતું. કાકાં ગમાનચંદે જાળવી મોટા કર્યા. ધર્મના સંસ્કાર આપ્યા. એ કાકા ચોમાસી પ્રતિક્રમણ કરીને આવ્યા બાદ કાળોતરા સર્ષે ડંખ મારતાં નમસ્કાર મહામંત્રના સ્મરણપૂર્વક સ્વર્ગવાસી બન્યા હતા. 2010_02 Page #12 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવનું જીવન ચરિત્ર ગગલદાસનું પ્રાથમિક શિક્ષણ ભોરોલ તીર્થમાં થયું. યુવાન થયા બાદ તેમણે અમદાવાદ આવવાનું નક્કી કર્યું. ભોરોલની ભૂમિ અને ભગવાન શ્રી નેમિનાથની ભક્તિ છોડવી ન હતી. પણ વ્યવહારિક જવાબદારીઓને પૂરી કરવા માટે બીજો ઈલાજ ન દેખાતાં ભગવાનને ભેટી પ્રયાણ કર્યું. રાજનગરમાં આવી ભાડાની જગ્યા લીધી. વ્યાય-નીતિથી ધંધો કર્યો. કાપડની ફેરી અને લારી કરી, આગળ જતાં પોતાની દુકાન પણ કરી. પ્રામાણિકતા અને દિલની ચોફખાઈથી વેપારીઓના તેમજ ગ્રાહકોના માનીતા બન્યા. આ ગાળામાં પરમાત્માના દર્શન-પૂજા, ગુરુવંદન-પૂજન-પ્રવચન શ્રવણ વગેરે આચારો જાળવી રાખ્યા. ઉપાશ્રય-ઉપાશ્રયે ફરે. દરેક સાધુ ભગવંતોનાં પ્રવચનો સાંભળે. ઘરે બોલાવી વહોરાવે. અંગત પરિચય કરી ભક્તિનો લાભ લે. પણ એમની પરીક્ષક દૃષ્ટિ સાધુ તત્વને ગોતતી રહે. રાજનગરના અનેક ઉપાશ્રયોમાં ફરી વળ્યા બાદ વિદ્યાશાળે બિરાજમાન પૂ.આ.શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજામાં એમનું મન ઠર્યું. આદર્શ સાધુતા અહીં દેખાણી. એમણે મનોમન સમર્પણ કરી દીધું. હવે પ્રત્યેક બાબતમાં તેઓ ગુર્વાજ્ઞા મેળવી પ્રવર્તવા લાગ્યા. આ અરસામાં રામપુરાના હકમચંદ કેવલચંદ વોહરાના શીલવતી-રૂપવતી કન્યા જીવીબેન જોડે એમનાં લગ્ન લેવાણાં. દાંપત્ય જીવન શરૂ થયું. ગગલભાઈનું મન સંસાર તરફ ઓછું અને સંયમ તરફ વધુ હતું. શ્રાવક જીવનને શોભાવે તેવા ઉપધાનાદિ તપો કર્યા. રાત્રિભોજન, અભક્ષ્યભક્ષણ જેવાં પાપોને તો ક્યારનો દેશવટો આપી દીધેલો. એકવાર નગરશેઠના વંડે પૂ.આ.શ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરિજી મહારાજાનું પ્રવચન સાંભળી માંહલ્યો જાગી ઊઠ્યો. જીવનની દિશા નક્કી કરી લીધી. વિ.સં. ૨૦૦૬માં પાલીતાણા ચાતુર્માસ કર્યું. રહ્યા હતા આગમમંદિરમાં પણ ત્યાંના મહાત્માની સંમતિથી પૂ.આ.શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરિજી મહારાજાનાં થતાં પ્રવચનો સાંભળવા રોજ નરશીનાથા ધર્મશાળાએ જતા. આ પ્રવચનોએ વૈરાગ્યને જ્વલંત બનાવી દીધો. મનોમન ઘણા નિર્ણયો લઈ લીધા. સવિશેષ તપ ધર્મમાં જોડાઈ ગયા. વિ.સં. ૨૦૦૮માં પુત્ર કાંતિલાલનો જન્મ થયો. જન્મ બાદ નવકારની ભેટ આપી. પુત્ર સમજણો થયો. ત્યારથી મા પુત્રમોહથી એનું અહિત ન કરી દે એની કાળજી રાખી, સાથે ને સાથે રાખતા, તપ કરાવતા. તપ પળાય એનું ધ્યાન રાખતા. પૂ.આ.શ્રી સિદ્ધિસૂરિજી (બાપજી) મહારાજા સાથે પુત્રનું પણ ભાવનાત્મક જોડાણ કરી આપ્યું. આદર્શ જીવન ઘડવૈયા બની પુત્રમાં ઉચ્ચત્તર વિદ્યાઓનું આધાર કર્યું. 2010_02 Page #13 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવનું જીવન ચરિત્ર મન હવે સંયમ માટે થનગનતું હતું. સ્વજન-પરિવારની રજા માંગી. સમજવા કોઈ તૈયાર ન હતું. ખૂબ વિરોધ ઊઠ્યો. ગગલભાઈએ પણ વિરોધને ખાળવા ઉગ્રતર તપ, ત્યાગ અને અભિગ્રહો કરવા માંડ્યો. ૧૨-૧૨ વર્ષ સુધી મૂળથી ઘીનો ત્યાગ કર્યો. વર્ધમાન તપની ઓળીનો પાયો નાંખ્યો. ઉપરા ઉપરી ઓળીઓ કરવા લાગ્યા. માત્ર એક-બે દ્રવ્યની ઓળીઓ કરી. પારણે છઠ્ઠું અને એના પારણે ભાત-પાણી કે રોટલી-પાણીના આયંબિલો. વર્ષો સુધી આ ક્રમ ચાલ્યો. છ વિગઈઓ સદંતર મૂળથી બંધ કરી. એને ય -૬ વર્ષો વીત્યાં. સ્વજનોએ દાદ ન આપી. હવે અંતિમ તૈયારી રૂપે પુત્રને સ્કૂલ છોડાવી. ગુરુદેવ પાસે વિહારમાં મૂક્યો. ધંધાની જવાબદારી પોતાના પિતરાઈ ભાઈ-ભત્રીજાને સોંપી અને વિ.સં. ૨૦૨૩ની સાલમાં પોષ મહિને એ અમદાવાદથી ભાગી નીકળ્યા. અનેક કલ્યાણ મિત્રોનો સાથ-સહકાર મળ્યો. મુંબઈ-મુરબાડ આવ્યા. પૂ. ગુરુદેવ વિહાર કરીને ત્યાં આવી ચૂક્યા હતા. પુત્ર કાંતિને તો પહેલેથી જ ત્યાં મોકલી આપ્યો હતો. પાંચ દિવસનો મંગલ મહોત્સવ થયો. કલ્યાણ મિત્ર પરિવારોએ સ્વજનોનો રોલ એવો ભજવ્યો કે પ્રાયઃ કોઈને ખ્યાલ ન આવ્યો કે આ ગુપ્ત દીક્ષા છે. પો.સુ. ૧૩ના પૂ. ગુરુદેવની દીક્ષાતિથિ ઉજવાઈ અને પો.સુ. ૧૪ના એ જ ગુરુદેવે પિતાપુત્રને દીક્ષાનાં દાન કર્યા. પોતાના શિષ્ય-પ્રશિષ્યરૂપે પૂ.મુ. શ્રી ગુણયશવિજયજી મહારાજ અને પૂ.મુ. શ્રી કીર્તિયશવિજયજી મહારાજ નામ રખાયાં. હિતશિક્ષા આપી. આપેલા નામોનો પરમાર્થ સમજાવ્યો. બંને પિતા-પુત્ર ગુરુ-શિષ્ય મુનિવરે ગુરુશીખને નખશીખ અવતારવાનો નિર્ણય કર્યો. હવે બંને પૂ. ગુરુદેવની સેવામાં જોડાઈ ગયા. પરિવારનો મોટો વિરોધ ગુરુ પ્રભાવે વિલાઈ ગયો. રાજીખુશીથી ભૂલેશ્વર લાલબાગ, મુંબઈ ખાતે વડીદીક્ષા થઈ. પિતામુનિ સવિશેષ તપમાં અને પુત્રમુનિ અધ્યયનમાં લાગી ગયાં. બંનેએ સ્વ-સ્વ ક્ષેત્રે કાઠું કાઢ્યું. પૂ.મુ. શ્રી ગુણયશવિજયજી મહારાજે જે રીતે પુત્ર મુનિનું બાળપણથી સંસ્કરણ કરેલું એ પૂ. ગુરુદેવથી છાનું ન હતું. તે કળા જોઈ એમણે પોતાની પાસે જાણવા-રહેવા આવતા મુમુક્ષુઓને તેમને સોંપવા માંડ્યા. માત્ર એક જ વર્ષના પર્યાયમાં આ જવાબદારી મળી, જે તેમણે સાંગોપાંગ નીભાવી ગુરુનો વિશ્વાસ સાર્થક કર્યો. પૂ. ગુરુદેવ ખૂબ સંતૃપ્ત થયા. આ જ રીતે પ્રારંભિક વર્ષોમાં પૂ. ગુરુદેવની અત્યંતર માંડલીમાં રહી એઓશ્રીની તમામ સેવા-વૈયાવચ્ચ આદિનો ભાર પિતામુનિશ્રીના વૃષભ સ્કંધો પર મૂકાયો. એ પણ એમણે સાંગોપાંગ પાર પાડ્યો. વૈયાવચ્ચ સહેલી નથી. એમાં ય આવા ટોચની કક્ષાના ગુરુદેવની વૈયાવચ્ચ કરવી હોય તો તન-મનની ઘણી સજ્જતા જોઈએ. પૂ. મુનિશ્રીએ એ સજ્જતા કેળવી અને પૂ. ગુરુદેવને તેમજ ગચ્છને અપાર સંતોષ આપ્યો. આ ગુણના કારણે એમનો ઝડપી આત્મવિકાસ થયો. તપ-જપમાં તો અગ્રિમ હતા. હવે આધ્યાત્મિક પરિણતિઓ, 2010_02 Page #14 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવનું જીવન ચરિત્ર સ્વરૂપાનુસંધાન, સંયમરતિ, મોક્ષની તાલાવેલી આદિમાં તેઓ અગ્રેસર બન્યા. આવી ગણાવલી તેઓમાં સહજ રીતે આત્મસ્થ બની. એમણે સંસ્કૃતનો ય અભ્યાસ કર્યો. અનેક મુમુક્ષુઓ અને મુનિવરોને ભણાવતાં-ભણાવતાં જાતે ય ભણવાનો પુરુષાર્થ કરતા. પરિણામે સંસ્કૃત બુકો થયા બાદ અઢળક ગ્રંથો તેમણે વાંચી લીધાં. પૂ. ગુરુદેવ જીવ્યા ત્યાં સુધી એમનો પડછાયો બનીને જીવ્યા. ૨૪ વર્ષ સુધી અખંડ ગુરુકુળવાસ સેવી અપાર નિર્જરા કરી. વિ.સં. ૨૦૪૭માં અષાઢ વદ ૧૪ના પૂ. ગુરુદેવના પરમસમાધિમય કાળધર્મથી તેઓ ભાંગી પડ્યા હતા. ગુણાનુવાદ સભામાં રડી પડ્યા હતા. ગુરુવિરહ ખમવો એમના માટે આસાન ન હતું. એમણે તપસ્વી સમ્રાટ પૂ.આ.શ્રી રાજતિલકસૂરિજી મહારાજ અને પોતાના વડીલ ગુરુબંધુ ગચ્છાધિપતિ પૂ.આ.શ્રી વિજય મહોદયસૂરિજી મહારાજાનું સાંનિધ્ય જાળવી મનને મનાવ્યું. પૂ. ગુરુદેવના વિરહમાં પૂ. ગુરુદેવના પ્રવચન પુસ્તકોનું આલંબન લઈ મનને વાળ્યું. અનેકવાર એકનું એક પુસ્તક વાંચ્યું. એમને જાણે પોતાના ખોવાયેલા ગુરુદેવ એ પુસ્તકોના પાને મળી ગયા. એમનો રોજનો ક્રમ બની ગયો. પ્રકાશનું પહેલું કિરણ આવે કે હાથમાં પ્રવચન પુસ્તકની સ્થાપના થતી અને સાંજના અંતિમ કિરણે એ પુસ્તક બાજુ પર મુકાતું. પૂ. ગુરુદેવને એમણે જેટલાં વાંચ્યા હશે તેટલાં શાયદ કોઈએ નહિ વાંચ્યા હોય ! પૂ. ગુરુદેવે શાસનના અનેકાનેક કાર્યોની જવાબદારી પુત્રમુનિ પર નાંખેલી. પૂ.મુ. શ્રી કીર્તિયશવિજયજી મહારાજ હવે રોજિદાં પ્રવચનો પણ કરતા; પૂ. ગુરુદેવની અત્યંતર પર્ષદામાં બિરાજી શાસનના કાયોમાં મસલત પણ કરતા, સંમેલનના વિરોધની સભાઓમાં પૂ. ગુરુદેવે હુકમના પત્તારૂપે એમને પ્રવચનો કરવાની જવાબદારી સોંપેલી. પૂ.મુ.શ્રી ગુણયશવિજયજી મહારાજ પુત્રમુનિનું રખોપું હતા. એમનું જતન કરતા. અવસરે એમના કામો પાર પાડીને પણ એમને શાસન સેવા માટે નિશ્ચિત રાખતા. પૂ. ગુરુદેવની કૃપા ગંગા બનીને આ બેય પિતા-પુત્ર મુનિવરો પર અવિરત વહેતી હતી. એમની યોગ્યતા જોઈ સુરતમાં વિ.સં. ૨૦૫૦ની સાલમાં સમુદાયના વડીલ તપસ્વીસમ્રાટુ પૂ.આ.શ્રી વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજા તથા ગચ્છાધિપતિ પૂ.આ.શ્રી વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાએ એમને ગણિપદથી અલંકૃત કર્યા. પૂ. બાપજી મહારાજાના ભાવવારસદાર બંને સાધકો પૂ. બાપજી મહારાજાની જેમ જ સુરતમાં ગણિપદે આરૂઢ થયા. ગુરુભક્તોએ ત્યારે જિનભક્તિનો મહામહોત્સવ કર્યો હતો. બંને પિતા-પુત્રના શાસ્ત્રીય માર્ગદર્શનથી એમના સાંસારિક વતન શ્રી ભોરોલતીર્થના શ્રીસંઘે પૂ. ગુરુદેવના આશિષ અને વાસક્ષેપ મેળવીને તીર્થના જિનાલયનો ભવ્યાતિભવ્ય ઉદ્ધાર કર્યો. ચોવીશ જિનાલય બન્યું. એની પ્રતિષ્ઠા પણ પૂ. ગુરુદેવે આપેલા સંકેતાનુસાર વિ.સં. ૨૦૫રમાં નક્કી થઈ. 2010_02 Page #15 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવનું જીવન ચરિત્ર આ મહોત્સવે વડીલોએ બંને ગણિવરોને પંન્યાસપદથી અલંકૃત કરવાનો નિર્ણય કરેલો. પરંતુ એમની પરમાત્મ ભક્તિ, ગુરુભક્તિ અને સમુદાય ભક્તિમાંથી સર્જાયેલ પુણ્ય અચાનક વાયરો પલટાતાં પંચાસપદ ઉપરાંત પાઠક અને સૂરિપદ લક્ષ્મીથી તેઓને અલંકૃત કરવાનો નિર્ણય કરાયો. વૈ.સ. ૬ના પંન્યાસ અને પાઠક પદવી થઈ અને શ્રી નેમનાથદાદા ગાદીએ બેઠા ત્યારે વૈ.સ. ૭ના સુમુહૂર્વે હજારોની મેદની અને લાખો રૂપિયાની ઉછામણીઓના માહોલમાં બંને પિતા-પુત્રો સૂરિપદથી શોભાયમાન બન્યા. વડીલોએ હિતશિક્ષા આપી કે પૂ. ગુરુદેવના સમુદાયના ગૌરવને વધારનારા બનજો ! ‘તહત્તિ' કહીને સ્વીકૃત કરાયેલાં એ હિતવચનોને જીવનભર આબાદ નીભાવ્યાં. આ જીવનમાં જીવી જાણ્યાં. વિ.સં. ૨૦૫૧ની સાલથી વર્ધમાન તપોનિધિ સૂરિદેવશ્રીજીની નિશ્રામાં પુત્રસૂરિજીના સ્વતંત્ર ચાતુર્માસો થવા લાગ્યાં. અમદાવાદ-સુરત-મુંબઈ અને પાલીતાણામાં ચાતુર્માસો થયાં. શેષકાળમાં છેક ગિરનારજીથી લઈ રાજસ્થાનના નાકોડાજી સુધી અને મહારાષ્ટ્રમાં પૂના-નાસિકના પટ્ટામાં ય વિચરણ કર્યું. છેલ્લી શક્તિ પહોંચી ત્યાં સુધી તેઓ ચાલતા રહ્યા. શરીરે સાથ આપવાનો બંધ કરતાં ડોલીનો સહારો લેવો પડ્યો. પણ એમનો તપ, ત્યાગ, સ્વાધ્યાય, જપ અને આવનાર હર કોઈને સંસાર ત્યાગ કરી સંયમી બની જવાની જ એકમાત્ર હિતશિક્ષાનું દાન આમાં કોઈ ફેર ન પડ્યો. વાત્સલ્યના તેઓ મહાસાગર હતા. અનુશાસનમાં તેઓ અવ્વલ હતા. કોઈની ય નાનકડી ય ભૂલ ચલાવતા નહિ. નાનકડા ય ગુણને બિરદાવ્યા વિના રહેતા નહિ. એમનામાં એમના પૂ. ગુરુદેવનો વારસો પ્રતિફળ બનીને અવતર્યો હતો. જયણા એમને વરેલી હતી. ઉપયોગ એમનો અત્યંત તાજો હતો. નજર છેલ્લા દિવસ સુધી સતેજ હતી. પાંચે ઈન્દ્રિયો અકબંધ અને પ્રશસ્ત બનેલી હતી. પ્રમાદ એમણે કર્યો નહિ અને પ્રમાદને એમણે ગાંડ્યો પણ નહિ. એમનું ધારેલું હિતકર કાર્ય એ કરીને જ રહેતા. માત્ર ૧૬ વર્ષ જેટલા જાહેર જીવનમાં એમના હાથે ૧૦૦ જેટલા પુણ્યાત્મા દીક્ષિત બન્યા. બીજા ૧૦૦ જેટલા એમની પ્રેરણાથી વૈરાગી બની અન્યત્ર દીક્ષિત બન્યા હશે ! ૭૦ જેટલા ગૃહમંદિરોની પાવન પ્રતિષ્ઠા એમણે કરી. એમના પરિવારમાંથી ૨૬ પુણ્યાત્માઓની દીક્ષા થઈ, ગામ-પથકમાંથી ૩૩ પુણ્યાત્માઓ સંસારને અલવિદા કરી ચાલી નીકળ્યા. દસ જેટલા તો છ-રી પાલક સંઘો નીકળ્યા, જેના દ્વારા અઢળક શાસન પ્રભાવના થઈ હતી. ૧૨ શિખરબદ્ધ જિનાલયોની તેઓશ્રીની વરદ હસ્તે અંજન-પ્રતિષ્ઠાઓ થઈ. સાતે ક્ષેત્રમાં એમના ઉપદેશથી કરોડોનું દ્રવ્ય વપરાયું. મોટી મોટી ઉછામણીઓમાં એમની પ્રધાન નિશ્રા રહેતી. શ્રી ભોરોલતીર્થ તેમજ સ્મૃતિમંદિર અંજન પ્રતિષ્ઠાની ઉછામણી, સમેતશિખરજી તલેટી તીર્થ, લાલબાગ ભૂલેશ્વર જિનાલય અંજન પ્રતિષ્ઠાના ચડાવા વગેરે એમાંનાં આંખે ઉડીને વળગે એવા કેટલાક દાખલા છે. 2010_02 Page #16 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવનું જીવન ચરિત્ર જીરાવલા તીર્થના નવતર પુનરુદ્ધારનો સંકેત તેઓશ્રીની તપ-જપથી પવિત્ર નિશ્રામાં જ પ્રાપ્ત થયેલો. નાકોડા તીર્થે દશકાઓમાં પહેલી વહેલી ચૈત્રી ઓળીમાં પણ તેઓશ્રીએ નિશ્રાદાન કરેલું. ભૂકંપ કે રેલના પ્રસંગે અનુકંપા-જીવદયામાં પણ કરોડો રૂપિયા તેઓ શ્રીમદ્ની પાવન નિશ્રામાં વપરાયા હતા. 11 એમના કલ્યાણ મિત્રોને એ રોજ યાદ કરતા. એમને માર્ગે લાવવા, સંયમપંથે ચડાવવા ખૂબ પ્રયત્નશીલ રહેતા. એ માટે પત્રો પણ લખતા. સંસારીઓને સંસાર કીચ્ચડમાંથી બહાર કાઢવા તેઓ સતત પુરુષાર્થરત હતા. પ્રત્યક્ષ પ્રેરણા, પત્ર દ્વારા હિતોપદેશ કરવામાં એ ન થાકતા. એમની નિશ્રામાં આઠ તો ઉપધાન થયાં. આશરે ૫૦૦૦ પુણ્યાત્માઓએ ઉપધાન આરાધ્યાં. કરોડોની પ્રત્યેક સ્થળે આવક થઈ. હસ્તગિરિ તીર્થ માટે તેઓશ્રીના ઉપદેશથી કરોડો રૂપિયા અપાયા હતા. ત્યાં બીજા ગઢે ચોવીશ જિન-ગણધર પગલાંની મહાકાય ચોવીશ દેરીઓના નિર્માણ-અંજનપ્રતિષ્ઠામાં પણ તેઓશ્રીની નિશ્રા-માર્ગદર્શન મળ્યાં હતાં. પોતાના પ્રાણપ્યારા પૂ. ગુરુદેવની ૧૭ જેટલી પ્રતિમાઓની એમણે પ્રતિષ્ઠા કરાવી હતી. એમનો પ્રભુપ્રેમ, ગુરુભક્તિનો ઉમળકો, જયણાનું લક્ષ્ય, જ્વલંત વૈરાગ્ય, નખશીખ ચારિત્રપાલન, નિર્મલતર શ્રદ્ધા અને કરણાભિલાષ, અંતિમ વયમાં પણ તપનો પ્રચંડ પુરુષાર્થ, સવિ જીવ કરું દીક્ષારસીની ઉત્કટ ભાવના અને તદનુસારી પ્રયત્ન વગેરે વગેરે ગુણોની યાદી એટલી મોટી છે કે એ એક એક ગુણને વર્ણવવા માટે ય પાનાનાં પાનાં ઓછાં પડે. જીવનમાં અનેકવાર સિદ્ધિતપ, શ્રેણિતપ અને વર્ષીતપ જેવા મહાતપો કર્યાં, અપ્રમત્તપણે માસક્ષમણ, વીશસ્થાનક જેવા તપો આરાઘ્યાં તો સોળ-દશ-અનેક અઠ્ઠાઈઓ, વિશિષ્ટ અભિગ્રહોપૂર્વક વર્ધમાન તપની ૧૦૦ + ૨૩ ઓળીઓ આરાધી અને તપાવલીમાં બતાવેલાં નાનામોટા અનેક તપોને કરીને એ સાચા અર્થમાં વર્ધમાન તપોનિધિ બન્યા હતા. છેલ્લું ચોમાસું તેઓશ્રીએ મુંબઈ-લાલબાગ (ભૂલેશ્વર)માં કરેલું. અહીં બાળદીક્ષા-સિદ્ધાંતની સુરક્ષા અને અત્રેના જિનાલયની પ્રતિષ્ઠા માટે એઓનું આગમન થયું હતું. બાળદીક્ષાની સુરક્ષાનું મહાન કાર્ય તેઓશ્રીના આલંબને ખૂબ જ શ્રેષ્ઠતમ રીતે સંપન્ન થયું હતું. પ્રતિષ્ઠા માટેની ઉછામણીઓ પણ આકાશને આંબનારી બની. હવે થોડો જ સમય બાકી હતો ત્યાં એમણે જીવનની બાજી સમેટવાનો પ્રારંભ કરી દીધો હતો. અંતિમ ચાતુર્માસ દરમ્યાન એમનું સ્વાસ્થ્ય કથળેલું હતું. છતાં ય એમણે એમનો નિત્ય આરાધના ક્રમ છોડ્યો ન હતો. અત્યંત ઉપયોગપૂર્વક બધી જ આરાધનામાં તેઓ ઓતપ્રોત રહ્યા. રોજ દેવવંદન, ઉપકારી ગુરુ ભગવંતની છબી આગળ બૃહદ્ ગુરુવંદન, નવસ્મરણાદિ સ્તોત્રોનું વાંચન, સૂરિમંત્ર, ગણિવિદ્યાની સમારાધના, ગુરુદત્ત અનેક મંત્રપદોનું પારાયણ-ધ્યાન, આશ્રિતોનું સતત યોગક્ષેમ, દર્શન કરવા આવતા શ્રાવક-શ્રાવિકા વર્ગને એક માત્ર ધર્મલાભના આશીર્વાદનું દાન, દીક્ષા લેવા માટે યોગ્ય 2010_02 Page #17 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવનું જીવન ચરિત્ર જણાયેલા શ્રાવક-શ્રાવિકાઓને હિતશિક્ષા અને પ્રેરણા કરતા પત્રોનું લેખન, પુત્ર સૂરિદેવ પર શાસનના કાર્યો અંગે વિધવિધ સૂચનો, પોતાની સમતા અને સમાધિ અકબંધ રહે એવું અદ્ભુત આયોજન, સમાધિ પ્રબળ સહાયક એવું પોતાના ગુરુદેવનાં પ્રવચનોનું નિયમિત કલાકો સુધીનું વાંચન, એના ઉપયોગી અંશોની નોંધ કરી પુત્ર સૂરિવરને પ્રકાશનાર્થે ભલામણ, તપસ્વી મુનિવરોની ઉપબૃહણા અને કાળજી, દૂર સુદૂર રહેલા સાધ્વી સંઘના યોગક્ષેમની ભલામણ જેવાં અઢળક આત્મા હિતકર કાર્યોમાં તેઓ કર્તવ્યનિષ્ઠ બન્યા રહ્યા. ચિકિત્સકો આવતા તો ચિકિત્સા કરવા દેતા. પરંતુ ચિકિત્સકને કહેતા કે, મારી સમાધિ માટે સહયોગ આપું છું, તમે મારી દ્રવ્ય ચિકિત્સા કરો છો, હું તમારી ભાવ ચિકિત્સા કરવા ઈચ્છું છું. તમે તમારી લાડ ક્યારે મારા હાથમાં આપો છો ? અહીં ક્યારે આવો છો ?” આ એમની કરુણા હતી. કરુણાની સરિતા વહેતી વહેતી હવે ખળખળ ગંગા બની હવે મહાસાગરમાં ભળવા અધીરી થઈ રહી હતી. અંતિમ દિવસ પણ આવી ગયો. આજે પણ સૂરિજીએ રાત્રે અઢી વાગ્યાથી પાંચ વાગ્યાનો નિત્ય જાપ પૂર્ણ કર્યો. પ્રભાતિક સ્મરણો ગણ્યાં. પ્રભુજી પધાર્યા તો ઊભા થઈ વિનય કર્યો. પ્રભુજીને પ્રદક્ષિણા આપી. ઊભાં ઊભાં દેવવંદન કર્યું. ખમાસમણાં પૂજીને પ્રમાર્જીને જ આપ્યાં. સમ્યગ્દર્શન પુસ્તકનો સ્વાધ્યાય કર્યો. વ્યાખ્યાનમાં જવાની ભાવના વ્યક્ત કરી. પુત્ર સૂરિજીને વ્યાખ્યાનમાં જતાં અને વ્યાખ્યાન કરીને આવ્યા બાદ બે હાથ માથે મૂકીને આશીર્વાદ આપ્યા. હિત વચનો લખી આપ્યાં. બાર, સાડી બાર સુધી “સમ્યગ્દર્શન' વાંચતા રહ્યા. પછી અચાનક સ્વાથ્ય વળાંક લીધો. પ્રેશર વધ્યું. પુત્રસૂરિદેવ તરત આવી ગયા. પરિસ્થિતિને જાણીને ઉપચાર કરાયા. ઉપચાર કારગત ન નીવડતાં સમાધિમાં સહાયક પદોનું શ્રવણ કરાવાયું. પોતાના પૂ. ગુરુદેવ જે અરિહંત પદ સાથે અનુસંધાન સાધી મુક્તિની દિશામાં પ્રયાણ કરી ગયા હતા. તે જ અરિહંત પદ સાથે અનુસંધાન સાધ્યું. ‘અરિહંતે સરણે પવજ્જામિ' ના નાદમાં એકતાન બન્યા. વચ્ચે વચ્ચે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ અને શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિકૃતિનાં દર્શન કરતાં પલકો નમાવી દર્શન-વંદન કર્યા. ‘ગુરુદેવ ! આપ જાગૃત છો ? જીવનભર કરેલી આરાધનાને સાર્થક કરવાનો હવે અવસર આવી ગયો છે' વગેરે પ્રશ્નો પૂછાતાં પોતાના હાથના આંગળાથી અજપાજપ ચાલુ હોવાનું સૂચન કર્યું. પાટીયાથી પવન નાંખવાનો પ્રયત્ન થતાં બે વાર સૂચના કરી વિરાધના થતી અટકાવી. ખૂબ જ સમતાભર્યા ચિત્તે, સહજ સમાધિમાં લીન થઈને બપોરે ૩-૨૦ના સમયે તેઓ કાળધર્મને પામ્યા. આસો વદ ૪ ગુરુવારનો એ દિવસ હતો. પુત્ર-શિષ્ય સૂરિજીનો એક હાથ એમના મસ્તક પર હતો અને બીજો હાથ ગુરુદેવના હાથમાં હતો. એઓશ્રીના કાળધર્મના સમાચારે સૌના હૃદયનો ધબકારા ચુકાયો. આઘાતનો પાર ન 2010_02 Page #18 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવનું જીવન ચરિત્ર રહ્યો. ચતુર્વિધ શ્રીસંઘ મોટી સંખ્યામાં નિર્ધામણા કરાવવા હાજર હતો. એ સૌએ અંતિમ આરાધના નજરોનજર નીહાળી હતી. ડૉ. શેખરભાઈના કહેવા મુજબ એમની ડૉક્ટરી લાઈફમાં આવું સહજ મૃત્યુ કોઈનું ય જોયું ન હતું. એઓના પુણ્યદેહને વાસક્ષેપાદિ અંતિમ વિધિ કરીને પુત્રસૂરિજીએ સંઘને સોંપ્યો. સ્નાનાદિ સંસ્કાર થયા. શ્રેષ્ઠ પૂજા-ઉપચાર કરાયા. સંઘના દર્શન-પૂજનાર્થે વ્યાખ્યાન હૉલમાં પધરાવાયા. સંઘે લાઈન બંધ આવીને પૂજા કરી. આસો વદ ૫+૬ શુક્રવારે અગ્નિ સંસ્કારના ચડાવા બોલાવાયા. મિનીટોમાં જ ત્રણ કરોડ જેટલી આવક થઈ. જીવનભર તદ્દન નિઃસ્પૃહ સૂરિવરના નિચ્ચેષ્ટ દેહના ચરણે ઉપકૃત લોકોએ ધનના ઢગલા કરી દીધા. દસ વાગે અંતિમ યાત્રા પ્રારંભાઈ. નવ શિખરી જરીયન પાલખીમાં બિરાજેલો દેહ બાણગંગા પહોંચ્યો. ધાનેરાના ચંપાબેન જયંતિલાલ અજબાણી તેમજ ભોરોલતીર્થના શાંતિલાલ હરિલાલ મહેતા પરિવારે અગ્નિ સંસ્કાર આપ્યો. પૂજ્યપાદનો પુણ્યદેહ પંચત્વમાં વિલીન થયો. પાછળ દેવવંદન અને ગુણાનુવાદ થયા. બીજા દિવસે લાલબાગ સંઘમાં ભવ્યતમ ગુણાનુવાદ સભા થઈ. એ પ્રસંગે અષ્ટાહ્નિકા મહોત્સવના લાભો મેળવવા ઉછામણીઓ બોલાઈ. દસેક મિનિટમાં જ આઠે દિવસો અપાઈ ગયા. પૂજ્યોની નિશ્રામાં કા.સુ. ૧૪ થી અષ્ટાહ્નિકા મહોત્સવ ઉજવાયો. રોજે રોજ પૂજ્યશ્રી અને અન્ય મુનિવરોએ ગુણાનુવાદ કર્યા. શ્રાવક સંઘના મોવડીઓએ પણ પૂજ્યશ્રીનો ઉપકાર વર્ણવ્યો. કલાકો સુધી ગુણાનુવાદ થવા છતાં કોઈ ઉઠતું ન હતું. સાંભળ્યા જ કરીએ તેમ સૌને થતું. પૂજ્યશ્રીના સદ્ભુત ગુણગણોની અનુમોદનાર્થે અનેક ગામો-શહેરોમાં ભવ્યાતિભવ્ય મહોત્સવો થયા; હજુ પણ નવનવા મહોત્સવોના આયોજનો સંઘજનો વિચારી રહ્યા છે. પૂજ્યશ્રીના જીવનને અંજલી આપવા માટેનો શુભ પ્રયત્ન સૌએ કરવા યોગ્ય છે અને એ પ્રયત્ન છે પોતાના હૈયામાં દીક્ષા જીવનની પ્રીતિ પ્રગટાવવી. પોતે દીક્ષા લેવા પ્રયત્નશીલ બનવું અને પોતાના પરિવારજનોને પણ એ પ્રીતિ-પ્રયત્નના પંથે ચલાવવું.” પૂજ્યપાદના પરમ પ્રેરક જીવનને ભાવભરી અંજલી, તેઓશ્રીમદ્ભા પરમગુરુદેવશ્રીજીના પગલેપગલે ચાલી તેઓશ્રીએ જીવન ઉજાળ્યું. જતાં પોતાનો ભવ્ય વારસો પોતાના પટ્ટાલંકાર પ્રવચન પ્રભાવક પૂ.આ.શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાને સોંપીને ગયા. હવે તેઓશ્રીના આલંબને આપણે સૌએ આરાધના કરવાની છે. 2010_02 Page #19 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય भदं मिच्छादसणसमूहमइयस्स अमयसारस्स । जिणवयणस्स भगवओ संविग्गसुहाहिगम्मस्स ।। કલ્યાણ થાઓ ! આવો આશીર્વાદ, આવી એક શુભભાવના સંમતિતર્કપ્રકરણ ગ્રંથના રચયિતા ભાવી રહ્યા છે. આ શુભભાવના કોના માટેની છે? જેને માટે આ કલ્યાણનાં વચનો દ્વારા આશીર્વચનો ઉચ્ચારી રહ્યા છે તેનું સ્વરૂપ શું છે ? તે વાત આપણે અહીં કરવી છે. શાસ્ત્રકાર ભગવંત અહીં શ્રી જિનવચનને ઉદ્દેશીને આશીર્વચનો ઉચ્ચારી રહ્યા છે. આ ગાથામાં તે જિનવચનના ચાર વિશેષણો મૂકેલાં છે. ૧-જિનવચન મિથ્યાદર્શનોના સમૂહમય છે, ૨-જિનવચન અમૃતતુલ્ય મોક્ષને પમાડે છે, ૩-જિનવચન અનેક પ્રકારની લબ્ધિને ઉત્પન્ન કરાવવા માટે ઐશ્વર્યાનું છે, અને ૪-જિનવચન સંવિગ્ન જીવો દ્વારા જ સુખે કરીને જાણી શકાય તેવું છે. આ ચારે પ્રકારના વિશેષણથી વિશિષ્ટ એવા જિનવચનનું કલ્યાણ થાઓ. આ પ્રકારનું આશીર્વચન શાસ્ત્રકાર પરમર્ષિને શા માટે કહેવું પડ્યું હશે ? તે જાણવા માટે આપણે જૈનશાસનના સંપૂર્ણ ભૂતકાળને આંખ સામે લાવવો પડશે. જૈન દર્શનની સર્વોપરિતા : આ અવસર્પિણીના ત્રીજા આરાના અંતે ભગવાન શ્રી ઋષભદેવ પરમાત્માના નિર્વાણગમન પછી લગભગ એક કોડાકોડી સાગરોપમ પ્રમાણ ચોથો આરો પૂરો થયો ત્યાં સુધીમાં ઘણી બધી ઘટનાઓ ઘટી હતી. જ્યારે ભગવાન શ્રી ઋષભદેવ પરમાત્માએ સર્વ જીવોને સંસાર સાગરમાં ડૂબતા બચાવવાની ભાવનાથી યથાવસ્થિત વસ્તુતત્ત્વની પ્રરૂપણા દ્વારા મોક્ષમાર્ગ સ્વરૂપ શ્રી જિનશાસનની સ્થાપના કરી હતી ત્યારે જયવંતા જૈનશાસન સિવાય કોઈપણ ધર્મ વિદ્યમાન ન હતો. રાજાઓ, રાજપુત્રો, મંત્રીઓ, સેનાપતિઓ, સામંત રાજાઓ, શ્રેષ્ઠીઓ, શ્રેષ્ઠીપુત્રો, સ્ત્રીઓ, બાળકો વગેરે અસંખ્ય સાધકો આ જૈનશાસનની અને તેમાં બતાવેલ તત્ત્વરૂપ જૈનદર્શનની આરાધના કરી મુક્તિપદને પામ્યા હતા. અન્ય દર્શનોની ઉત્પત્તિ : પરમાત્માએ સ્થાપેલા શાસનમાં મરીચિ નામે અણગાર થયા. જે પરમાત્માના પૌત્ર તથા ભરત ચક્રવર્તીના પુત્ર હતા. દીક્ષા લીધા બાદ કેટલાક કાળે સંયમજીવનના સંપૂર્ણ આચારો ન પાળી શકવાના કારણે અને દીક્ષા છોડીને ગૃહસ્થ ધર્મ અંગીકાર કરવામાં લજ્જા વગેરે બાધક બનવાને કારણે વચલા માર્ગ તરીકે તેમણે ત્રિદંડિક વેશને ધારણ કર્યો હતો. આ ત્રિદંડિક વેશને ધારણ કરવા છતાં તેઓ સમજવા આવનાર દરેકને પરમાત્માએ પ્રરૂપેલ યથાર્થ ધર્મ જ સમજાવતા અને પરમાત્માના ચરણોમાં જ દીક્ષા અપાવતા. પરંતુ એકવાર માંદગી આવી, અસંયમી હોવાથી કોઈ સાધુ પાણી વગેરે તેમને આપતા નથી, તેથી એક શિષ્યની ઈચ્છા ઉત્પન્ન થઈ. ત્યારે કપિલ નામનો અવિવેકી શિષ્ય મળ્યો અને તેના દ્વારા આ 2010_02 Page #20 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય 15 ત્રિદંડિક વેશની પરંપરા ચાલી કે જે સાંખ્યદર્શન તરીકે બહાર આવ્યું. ભરત મહારાજાએ બનાવેલ આર્ષ વેદો શ્રી સુવિધિનાથ પ્રભુ અને શ્રી શીતલનાથ પ્રભુના સમયગાળામાં નાશ પામ્યા, પણ તે પછી રસઋદ્ધિ-શાતા લોલુપી ગૃહસ્થ બ્રાહ્મણોએ પોતાની લાલસાને પોષવા માટે નવા વેદ બનાવ્યા. જેના આધારે વૈદિક, મીમાંસાદિ દર્શનોની ઉત્પત્તિ થઈ. જેમણે સમગ્ર ભરત ક્ષેત્રમાં પોતાના મતના ફેલાવા માટે ભરસક પ્રયત્નો કર્યા હતા. આ રીતે અનેકાનેક મતો, પાખંડો, ધર્મો, દર્શનો અને સંપ્રદાયો ફૂલ્યા ફાલ્યા. તીર્થકરોની સમવસરણ પર્ષદાનું વર્ણન સાંભળીએ ત્યારે ૩૯૩ પાખંડીઓ રોજ પરમાત્માના સમવસરણમાં આવીને બેસતા અને પોતાના મતને પુષ્ટ કરનારાં વચનો ગ્રહણ કરી પોતાના મતોનો ફેલાવો કરતા એવું જાણવા મળે છે. આ ઉપરાંત પ્રભુવીરના સમકાલીન ગૌતમબુદ્ધ થયા કે જેઓ શ્રી જિનવચનના ઋજુસૂત્ર નયના આધારે અન્ય નયોનો અપલોપ કરીને પોતાનું દર્શન ચલાવનાર બન્યા. એમનું દર્શન બૌદ્ધ ધર્મ તરીકે ખ્યાતિને પામ્યું. અદ્વૈતવાદી ઉત્તરમીમાંસા દર્શન માત્ર સંગ્રહનયને ગ્રહણ કરીને અન્યનયોનો અપલાપ કરી પોતાનું દર્શન ચલાવનાર થયું. આ રીતે નિયતિવાદ, સત્કાર્યવાદ, અસત્કાર્યવાદ, નિત્યવાદ, અનિત્યવાદ, જ્ઞાનવાદ, કર્મવાદ વગેરે સેંકડો મતો પ્રભુવીરની હાજરીમાં વિદ્યમાન હતા કે જે મતો શ્રી જિનશાસનના સકલન સાપેક્ષ પ્રમાણવચનના એક-એક અંશને એકાંતદૃષ્ટિથી પકડી અન્ય નયો અને વચનોનો અપલાપ કરીને પ્રવર્યા હતા. મિથ્યાદર્શનોના સમૂહરૂપ જૈનદર્શન કઈ રીd? સ્યાદ્વાદ એ જૈનશાસનનો મૌલિક સિદ્ધાંત છે. આ સ્વાવાદ સિદ્ધાંતને અનેકાંતવાદ-વિભજયવાદસાપેક્ષવાદ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. તે તથ્ય જણાવવા શાસ્ત્રકારે “મિચ્છાવિંસU/સમૂરફિક્સ = મિથ્યાદર્શનોના સમૂહમય શ્રી જિનવચન છે” – એમ કહ્યું છે. જેટલાં પણ દર્શન છે, તેમની પાસે પોતાની કોઈ મૌલિકતા નથી; જ્યારે શ્રી જિનવચન સર્વથા મૌલિક છે. આ જ શ્રી જિનવચનમાંથી એક એક નયનો આશ્રય લઈને તે તે દર્શનોની ઉત્પત્તિ થયેલી છે. “તે તે દર્શનો કોઈ એક જ નયને એકાંતે સ્વીકૃત કરે છે અને અન્ય સર્વ નયનો અપલાપ કરે છે માટે જ તે અન્ય દર્શનો ખોટાં છે. પણ જો તે દર્શનો અન્ય નયોનો અપલાપ ન કરે અને અન્ય-અન્ય નયોને પણ સાપેક્ષ ભાવે સ્વીકારે તો તે સાચાં પણ બની શકે છે” તેથી “જો તે જ દરેક નયોનો સમૂહ કરવામાં આવે અર્થાત્ દરેક નયોને પરસ્પર સાપેક્ષસુસંવાદી બનાવવામાં આવે તો તે પ્રમાણરૂપ એટલે સમ્યગ્દર્શનરૂપ બને છે. માટે જ “સ્યાદ્વાદ સ્વરૂપ શ્રી જિનવચન તે મિથ્યાદર્શનના સમૂહરૂપ બને છે. એવું અહીં આપેશિક રીતે શાસ્ત્રકારે વર્ણવ્યું છે. નયોની નિરપેક્ષતા તથા સાપેક્ષતાનું પરિણામ : પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ તે વાતને સિદ્ધ કરવા માટે ક્યાંય કસર છોડી નથી. દરેકે દરેક તર્કો અને પ્રમાણો દ્વારા ડંકાની ચોટે એક જ વાત સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે કે, જૈનશાસને પ્રરૂપેલા સ્યાદ્વાદ સિદ્ધાંતના એક અંશનો અપલાપ પણ મિથ્યાદર્શનમાં પરિણમે છે. જો મૂળ નયો પરસ્પર સાપેક્ષ બને તો 2010_02 Page #21 -------------------------------------------------------------------------- ________________ 16 સંપાદકીય જ તે નો સમ્યક્ત્વ રૂપ બની શકે છે. મૂળનયોની જેમ ઉત્તરનયોમાં પણ આ જ સ્થિતિ છે. જો તે નયોને પરસ્પર નિરપેક્ષ માનો તો સંસારસ્થિતિ-લોકસ્થિતિ પણ ઘટતી નથી કે સુખ-દુ:ખ પણ ઘટતાં નથી, સંસારના કારણભૂત કર્મો પણ ઘટતાં નથી કે તે કર્મોનો બંધ-સ્થિતિ-સ્વભાવ વગેરે પણ ઘટી શકતા નથી. માટે અનેકાંત સિદ્ધાંતથી સાપેક્ષપણે જ દરેક નયને સ્વીકારવામાં સમ્યકત્વ છે, અન્યથા મિથ્યાત્વ છે. આ જ વાતો પ્રત્યેક પદ્યમાં તાર્કિક શૈલીથી જણાવવામાં આવી છે, જે ગ્રંથનું અધ્યયન કરતાં જાણી શકાય તેમ છે. ગ્રંથકાર મહર્ષિ અને ગુણગરિમા : આવા મહાનું ગ્રંથરત્નના રચયિતા છે શ્રુતકેવલી, વાદિવૃષભ, મહાતાર્કિક, સ્તુતિકાર ભગવંત શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજા હા, સમર્થ શાસ્ત્રકાર શિરોમણિ સૂરિપુરંદર પૂ.આ.શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ તેઓ માટે “શ્રુતકેવલી' વિશેષણ વાપર્યું છે. તેઓશ્રીએ આ ગ્રન્થની રચના પ્રાકૃતપઘોમાં કરી છે. ભાષા અત્યંત મીઠી અને સરળ હોવા છતાં અર્થથી અત્યંત ગંભીર અને પ્રૌઢ છે. આ મહાપુરુષનું જીવન આલેખન અનેક ગ્રંથરત્નોમાં પૂર્વના મહાપુરુષોએ કરેલ છે. જેમાં મુખ્યત્વે પૂ.આ.શ્રી ભદ્રેશ્વરસૂરીશ્વરજી રચિત કથાવલી, પૂ.આ.શ્રી પ્રભાચંદ્રસૂરીશ્વરજી રચિત પ્રભાવકચરિત્ર, પૂ.આ.શ્રી મેરૂતુંગસૂરીશ્વરજી રચિત પ્રબંધચિંતામણિ, પૂ. શ્રી રાજશેખરસૂરીશ્વરજી કૃત ચતુર્વિશતિપ્રબંધ, પ્રબંધકોશ, પૂ.મુ.શ્રી શુભશીલગણિ રચિત વિક્રમચરિત્ર તથા પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરગણિ રચિત પટ્ટાવલી વગેરે ગ્રંથો પ્રખ્યાત છે અને તે તે ગ્રંથોને આધારે અને અન્ય માહિતી વડે વર્તમાનમાં પ્રકાશિત થતા અનેક ગ્રંથોમાં પણ સામાન્યથી, વિશેષથી, ઐતિહાસિક માહિતીપૂર્વક ગ્રંથકારશ્રીજીનું જીવન આલેખાયું છે. સંમતિતર્ક ગ્રંથની પણ જે જે આવૃત્તિઓ અત્યાર સુધી બહાર પડી છે તેમાં પણ પ્રસ્તાવનામાં પૂ.આ શ્રી દર્શનસૂરીશ્વરજી મ.સા., મુ. શ્રી જયસુંદર વિ.મ.સા. (હાલ આચાર્યશ્રી), પં. સુખલાલ, પં. ધીરૂભાઈ વગેરેએ પણ ગ્રંથકારશ્રીજીના જીવનપટને પ્રકાશિત કરવા સારી મહેનત કરી છે માટે આ પ્રકાશનમાં ગ્રંથકારશ્રીજીના જીવનકવનને ન આલેખતાં તે તે ગ્રંથો જોવાની જિજ્ઞાસુઓને સૂચના કરવામાં આવે છે. ગ્રંથકારશ્રી પ્રકાંડ પંડિત હતા તો સાથોસાથ અતિવિશિષ્ટ કવિત્વશક્તિને પણ ધરાવતા હતા. તેઓશ્રી તર્કસમ્રાટ હતા તો ભક્તહૃદય કવિ પણ હતા. તેઓશ્રી સર્વશાસ્ત્રોના પારગામી હતા તેમ સમર્થવાદી પણ હતા. ઈતિહાસવિદોના મતે તે વખતના આગમયુગમાં તર્કપ્રધાન વિવરણશૈલી દ્વારા ગ્રંથોની રચના કરનારા શ્વેતાંબર કે દિગંબર પરંપરામાં તેઓ પ્રથમ આચાર્ય હતા. તેમના ઘણા ગ્રંથો કદમાં નાના દેખાતા હોવા છતાં અર્થથી અતિગંભીર છે. ગ્રંથકારશ્રીજીની ગુણગરિમાનું ગાન કરતાં કેટલાયે મહાપુરુષોએ પોતાના ગ્રંથોમાં તેમના માટે જે વિશેષણો વાપર્યા છે, તે વાંચતાં પણ તે તે મહાપુરુષોના હૃદયમાં ગ્રંથકારશ્રીજીની જ્ઞાન ગરિમા પ્રત્યે કેવો અહોભાવ હતો તે જણાયા વિના રહેતું નથી. સમર્થશાસ્ત્રકાર શિરોમણિ પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પંચવસ્તુકગ્રંથમાં જણાવી રહ્યા છે કે, 2010_02 Page #22 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય "ण य णो सहावणाओ सुअकेवलिणा जओ भणियं ।।१०४७।। आयरियसिद्धसेणेण सम्मईए पइट्ठिअजसेणं । दूसमणिसादिवागरकप्पत्तणओ तदक्खेणं ।।१०४८।।" સ્યાદ્વાદરત્નાકરમાં પૂ.આચાર્ય શ્રી વાદિદેવસૂરિ મહારાજા ફરમાવી રહ્યા છે કે, "श्री सिद्धसेन-हरिभद्रप्रमुखाः प्रसिद्धाः, ते सूरयो मपि भवन्तु कृतप्रसादाः । येषां विमृश्य सततं विविधान् निबन्धान, शास्त्रं चिकीर्षति तनुप्रतिभोऽपि मादृक् ।।" સિદ્ધહેમશબ્દાનુશાસનમાં કલિકાલસર્વજ્ઞશ્રી જણાવી રહ્યા છે કે, “મનુ સિદ્ધસેન વય: ” તથા અન્યયોગવ્યવચ્છેદાવિંશિકામાં લખ્યું છે કે, "क्व सिद्धसेनस्तुतयो महार्था अशिक्षितालापकला क्व चैषा । तथापि यूथाधिपतेः पथस्थः स्खलद्गतिस्तस्य शिशुर्न शोच्यः ।।" પૂજ્ય આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજા ફરમાવે છે કે, “ત:સ્તોપં સત્ત શ્રસિદ્ધસેનરિવારઃ | યસ્યો સ્થિતં મૂર્વભૂરિ વાિિમઃ ” આગળ વધીને પૂ. ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ ગ્રંથકારશ્રીજીને ઉદ્દેશીને “મદાવાદી", “સમયપરમાર્થવેટિન ", “મવાન”, “પ્રવચનોપનિષદેવી", “વાહિકાનવેસરિ” જેવાં અનેક વિશેષણો પોતાના ભિન્ન ભિન્ન ગ્રંથોમાં ઉલ્લેખ્યાં છે. ગ્રંથકારશ્રીએ દેહનો ત્યાગ કર્યો છે એ એમ સૂચવતો “પુત્તિ વવિદ્યોત સામ્રd fક્ષUTIYથે ” આ અર્ધશ્લોક જ્યારે સંભળાવવામાં આવ્યો ત્યારે ગ્રંથકારશ્રીનાં સંસારી પક્ષે બહેન એવા પૂ. સાધ્વીજી શ્રી સિદ્ધશ્રીજીના મુખમાંથી બાકીનો અર્ધશ્લોક સહજ રીતે સરી પડ્યો કે, નૂનમર્તાિતો વાવી, સિદ્ધસેનો વિવાર: ” ગ્રંથકારશ્રીજીનું સાહિત્ય સર્જન : ગ્રંથકારશ્રીજીનું શ્રુત સર્જન જોઈએ તો તેઓશ્રીએ બત્રીસ-બત્રીસી નામે એક ગ્રંથ બનાવ્યો હતો. તેમાંથી એકવીશ બત્રીસીઓ આજે પણ ઉપલબ્ધ છે. જો પ્રભાવક ચરિત્રાનુસાર ન્યાયાવતાર ગ્રન્થને પણ તેની અંતર્ગત લઈએ તો બાવીશ બત્રીશીઓ આજે ઉપલબ્ધ થાય છે. આ એકવીશ બત્રીશી અને ન્યાયાવતાર સૂત્ર ઉપરાંત કલ્યાણ મંદિરસ્તોત્ર તથા સંમતિતર્ક ગ્રંથ મળી તેઓના બનાવેલા કુલ ચોવીશ ગ્રંથો વર્તમાનમાં ઉપલબ્ધ છે. 2010_02 Page #23 -------------------------------------------------------------------------- ________________ 18 સંપાદકીય એકવીશ બત્રીસીઓમાં મુખ્યત્વે પરમાત્માના ગુણો, અતિશયો, પરમાત્માનો ઉપદેશ, જૈન દર્શનનું સ્વરૂપ, અન્ય દર્શનોનું સ્વરૂપ, વાદ, કથા વગેરે વિષયોને સાંકળવામાં આવ્યા છે. ન્યાયાવતારસૂત્રમાં મુખ્યત્વે જૈનદર્શનના ન્યાયને તર્કવાદને જણાવવામાં આવ્યો છે. સાથોસાથ પ્રમાણોની ચર્ચા, પરાથનુમાનનું સ્વરૂપ વગેરેનું પણ વિશદ વર્ણન કરવામાં આવ્યું છે. કલ્યાણમંદિર સ્તોત્રથી તો સહુ કોઈ પરિચિત જ છે કે જે સ્તોત્રરૂપ સ્તવના દ્વારા ગ્રંથકારશ્રીજીએ અવંતિદેશમાં મહાદેવના લિંગમાંથી ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુના બિંબને પ્રગટ કર્યું હતું. જે અવંતિ પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધને પામ્યું. આ પ્રસંગ દ્વારા તેઓશ્રીએ સંવત્ પ્રવર્તક વિકમાદિત્ય રાજાને પ્રતિબોધ પમાડ્યો હતો. ક્યાંક આ કાર્ય બત્રીશીની સ્તવના દ્વારા સંપન્ન થયાનું પણ ઉલ્લેખાયું છે. આ ઉપરાંત સંમતિતર્ક ગ્રંથ કે જેની વિષયવસ્તુ આપણે આગળ વિસ્તારથી જોઈશું. આ દરેક ગ્રંથનું જો ઊંડાણથી અવલોકન કરવામાં આવે તો એ વાત સ્પષ્ટ થયા વગર નહિ રહે કે ગ્રંથકારશ્રીજીના ગ્રંથો સંસ્કૃતમાં હોય કે પ્રાકૃતમાં હોય, આગમિક હોય કે દાર્શનિક હોય એ દરેક શાખા ઉપર તેઓશ્રીજીની અસાધારણ પક્કડ હતી. ગ્રન્થરચના એવી પ્રવાહબદ્ધ ચાલે છે કે વાંચનારને ક્યાંય અટકવાનું મન ન થાય. જોકે એ ચોક્કસ છે કે તેઓશ્રીજીના ગ્રંથોનું વાંચન સામાન્ય અભ્યાસી માટે શક્ય નથી. કારણ કે, ભાષાના બોધથી સૂત્રનો પદાર્થ ખ્યાલ આવે, પણ વાક્યર્થમહાવાક્યાર્થ-ઔદંપર્યાર્થ સમજવો કઠીન બને છે. માટે જ ગ્રંથકારશ્રી તથા તેમના ગ્રંથોની લોકપ્રિયતા હોવા છતાં તેમના ગ્રંથોનું સાતત્યપૂર્ણ અભ્યસન અભ્યાસુવર્ગમાં જોવા મળતું નથી. આ રીતે અર્થની દુરુહતા, ગંભીરતા અને વિશાળતા હોવાને કારણે જ બે ગ્રંથોને છોડી દઈએ તો અન્ય એક પણ ગ્રંથ ઉપર ટીકાઓ રચાયેલી પણ જોવા મળતી નથી. આમ છતાં ગ્રંથકારશ્રીના જે ગ્રંથનો સૌથી વધુ ઉપયોગ થતો હોય, જે ગ્રંથ ઉપર સૌથી વધુ ટીકાઓ જોવા મળતી હોય તો તે એકમાત્ર ગ્રંથ છે; “સંમતિતર્કપ્રકરણ.” સંમતિતર્કપ્રકરણઃ ગ્રંથ મહત્તા : જયવંતા શ્રીજૈનશાસનની દ્વાદશાંગીને સાડા નવ પૂર્વના ધારક યુગપ્રધાન પૂ.આ.શ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજાએ ચાર અનુયોગમાં વિભાજન કરેલી છે. ૧-દ્રવ્યાનુયોગ, ૨-ગણિતાનુયોગ, ૩-કથાનુયોગ અને ૪-ચરણકરણાનુયોગ. આ ચારે અનુયોગમાં દ્રવ્યાનુયોગ પ્રધાનભાવને ભજનાર છે. ચરણકરણાનુયોગ પણ દ્રવ્યાનુયોગને આલંબને ટકે છે. ગીતાર્થતા, ભાવસમ્યકત્વ, પ્રરૂપણા માટેનું અધિકારીપણું વગેરે દ્રવ્યાનુયોગના જ્ઞાન વગર સંભવી શકતું નથી. આ દ્રવ્યાનુયોગના વિષય તરીકે નયપ્રમાણ-નિક્ષેપા-સપ્તભંગી-સ્વપરદર્શનનો બોધ-આત્મવાદ-કર્મવાદ-પદ્રવ્ય વગેરેને જણાવવામાં આવ્યા છે. દ્રવ્યાનુયોગના આ વિષયોનું વર્ણન કરતાં ગ્રન્થોમાં તથા દર્શન પ્રભાવક શાસ્ત્રોમાં પ્રધાન સ્થાનને પામનાર ગ્રન્થોનું વર્ણન કરતાં શ્રી આચારાંગસૂત્રની ટીકામાં ટીકાકાર પરમર્ષિ પૂ. આચાર્ય શ્રી શીલાંકસૂરિજી મહારાજે લખ્યું છે કે, “ટ્રવ્યાનુયોગ: પૂર્વાળિ સમાવિવશ !” “ર્શનમાવ સમ્મત્યવિમઃ ” 2010_02 Page #24 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય 19. દર્શન પ્રભાવક શાસ્ત્રોમાં સંમતિસૂત્રને મોખરાનું સ્થાન આપતાં ચૂર્ણિકાર મહર્ષિ પૂ.આ.શ્રી જિનદાસગણિજી મહત્તરે નિશીથસૂત્રની ચૂર્ણિના પ્રથમ ઉદ્દેશામાં જણાવ્યું છે કે, "दंसणणाणप्पभावगाणि सत्थाणि सिद्धिविणिच्छिय-संमतिमादि गेण्हंतो असंथरेमाणे जं अकप्पिअं पडिसेवति जयणातो, तत्थ सो सुही अपायच्छित्ती भवतीत्यर्थः ।" ભાવાર્થ : સિદ્ધિવિનિશ્ચય, સંમતિસૂત્ર વગેરે દર્શન-જ્ઞાન પ્રભાવક શાસ્ત્રોને ભણતો સાધુ કારણવશ જો યતનાથી અકલ્પિત વસ્તુનું સેવન કરે તો પણ તે શુદ્ધ જ છે, તેને પ્રાયશ્ચિત્ત લાગુ પડતું નથી. "दंसणप्पभावगाण सत्थाणं सम्मदियादिसुत्तणाणे य जो विसारदो णिस्संकियसुतत्थोत्ति वुत्तं भवति सो य उत्तिमट्ठपडिवन्नो, सो य जत्थ खित्ते ठिओ तत्थंतरा वा वेरज्जं मा तं सुत्तत्थं वोच्छिज्जंतु त्ति, अओ तग्गहणट्ठया पकप्पंति वेरज्जविरुद्धसंकमणं काउं ।" ભાવાર્થ : શ્રી સંમતિસૂત્ર વગેરે દર્શન પ્રભાવક શાસ્ત્રોરૂપ શ્રુતજ્ઞાનમાં જે વિશારદ હોય. નિ:શંક્તિપણે સૂત્ર અને અર્થને ધારણ કરનાર હોય અને જો તેવા સાધુએ અનશન સ્વીકારેલ હોય તો તે સાધુ જે ક્ષેત્રમાં રહ્યા હોય અથવા તે ક્ષેત્રમાં વિરોધી રાજ્ય હોય તો પણ સૂત્રનો અર્થ વિચ્છેદ થવો જોઈએ નહિ. તેથી તે સૂત્રાર્થના ગ્રહણ માટે વિરોધી રાજ્યમાં જવું પણ કહ્યું છે. ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ-મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા ગુજરાતી ભાષામાં સ્વરચિત દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસ”માં દ્રવ્યાનુયોગના પ્રધાન ગ્રંથ તરીકે સંમતિતર્ક ગ્રંથને જણાવતાં કહે છે કે, “સંમતિ-તત્ત્વારથ મુખ ગ્રંથ, મોટો જે પ્રવચન નિગ્રંથ” તથા દ્રવ્યાનુયોગમાં તન્મય સાધુને આધાકર્મ વગેરે દોષો પણ લાગતા નથી એવું જણાવતાં કહે છે કે, “એ યોગિ જો લાગઈ રંગ, આધાકર્માદિક નહિ ભંગ; પંચકલ્પ ભાષ્યઈ ઈમિ ભણિઉં, સદ્ગુરુ પાસ ઈસ્યું મેં સુણિઉ.” દર્શન પ્રભાવક શાસ્ત્રોના અધ્યયન માટેના અપવાદમાર્ગને જણાવતાં ભાષ્યકાર ભગવંત પૂજ્યપાદ શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમણ પંચકલ્પભાષ્ય નામના છેદગ્રંથમાં તથા તેની ચૂર્ણિ કરતાં ચૂર્ણિકાર ભગવંત જણાવે છે કે, "दसण पभावगातिं अहवा णाणं अहिज्जमाणं तु । अत्तट्ठपरट्ठा वा जहलंभ गेण्ह पणहाणी ।।११६५ ।। चूर्णि : दसणपभावगाणि वा सत्थाणि । अनुओगं वा दरिसणपभावकं । ते गिण्हमाणो जस्स वा पासे 2010_02 Page #25 -------------------------------------------------------------------------- ________________ 20 गिues, तेसिं वा अट्ठाए गच्छंतो, अद्धाणे उग्गमाइ जं पडिसेवइ आहाराइ असुद्धं नाणाहिगमे वा नाणमधिज्जतो नाणनिमित्तं वा गच्छंतो, वायणारिअस्स वा जहा सिक्खापयमि तो सुद्धो । तत्थ जं पडिसेवइ तं न सद्दहइ ।। " | '' સંપાદકીય સમર્થશાસ્ત્રકાર શિરોમણિ પૂજ્ય આ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, વાદિવેતાલ પૂજ્ય આચાર્ય શ્રીશાંતિસૂરીશ્વરજી મહારાજા, નવાંગી વૃત્તિકાર પૂજ્ય આચાર્ય શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજા, કલિકાલસર્વજ્ઞ પૂજ્ય આચાર્ય શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, તર્કપંચાનન પૂજ્ય આચાર્ય શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજા, ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ-પૂજ્યમહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજા જેવા અનેક મહાપુરુષો પોતાના વિશિષ્ટ ગ્રંથોમાં આ ગ્રંથગાથાઓને સન્માનભેર સ્થાન આપ્યું છે. એટલું જ નહિ, પણ ઘણા ખરા મહાપુરુષોએ પોતાના વિશિષ્ટ ક્ષયોપશમપૂર્વક તેના પદાર્થોની સ્પષ્ટતા-વિવેચના પણ કરી છે. અમને જે જે ગ્રંથોમાં સંમતિગાથાનો ઉલ્લેખ જોવા મળ્યો તે તે ગ્રંથોની નોંધ પરિશિષ્ટ-૧માં જણાવેલ છે. સંક્ષેપમાં કહીએ તો નય-પ્રમાણ-અનેકાંતવાદની સ્પષ્ટતા કરતા સૌથી પ્રાચીન અને સૌથી શ્રેષ્ઠ ગ્રંથ તરીકે આ ગ્રંથને ઓળખાવવો પડે. આ ઉપરાંત દિગંબર સાહિત્યમાં પણ ષખંડાગમની ધવલાટીકા, હરિવંશપુરાણ, પદ્મપુરાણ, પંચાસ્તિકાય વગેરે ગ્રંથોમાં સંમતિતર્ક ગ્રંથની ગાથાઓનું બહુમાનપૂર્વક ઉદ્વ૨ણ ક૨વામાં આવ્યું છે. જેના આધારે દિગંબર પરંપરામાં પણ આ ગ્રંથને કેવા આદર-સન્માનથી સ્વીકારાયો છે તેનો ખ્યાલ આવી શકે છે. સંમતિતર્ક પ્રકરણ : નામ : આ ગ્રંથના નામ માટે વિદ્વાનોમાં થોડો વિવાદ ઉત્પન્ન થયેલ છે. ગ્રંથનું નામ સમ્મતિ, સન્મતિ કે સમ્મતિત ? આ વિષયની સ્પષ્ટતા કરતાં વ્યાખ્યાનવાચસ્પતિ, કવિકુલકિરીટ - પરમપૂજ્ય જૈનાચાર્ય શ્રીમદ્વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ સ્વસંકલિત ‘સમ્મતિતત્ત્વસોપાન' ગ્રંથની પ્રસ્તાવનામાં લખ્યું છે કે, “ xxx इदमेव च तत्र तत्र ग्रन्थेषु सम्मतिरिति सम्मतितर्क इति च व्यवह्रियते, समीचीना मतिर्यस्मात् स सम्मतिः, सम्यङ् मन्यतेऽववृद्ध्यते प्रामाण्यसर्वज्ञत्वनयप्रमाणादिस्वरूपाणि यस्मात् स सम्मतिरिति वा, सम्यङ्मननं सम्मतिस्तत्पूवकस्तक हि यत्रेति सम्मतितर्क इति वा व्युत्पत्तिः, तर्को हि मिथ्यादृशां प्रामाण्यादिविषयो नयाभासमूलकः, तन्निरासोऽत्र प्रमाणमूलतकैः क्रियत इति सम्मतितर्क इत्यन्वर्थं नाम, इदमेव च नामास्य मूलस्य ग्रन्थकर्त्तुरभिप्रेतमिति मौलविषयानुरोधात् प्राचीनलिखितमूलपत्रानुरोधाद् व्यवहाराच्च विज्ञायते । 2010_02 Page #26 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય 21 एतेन मूलस्य सन्मतिगर्भितमेव नाम दिगम्बरपरम्परायां महावीरस्य वाचकत्वेन सन्मतिशब्ददर्शनात्तत्सिद्धान्तप्रतिपादकत्वेनास्य मूलस्य तेन सह सम्बन्धप्रदर्शनौचित्यात्, श्लेषेण श्रेष्ठमतिमत्त्वस्यापि प्रदर्शनौचित्यात्, सम्मतिशब्दव्यवहारस्तु सन्मतिशब्दस्य महावीरवाचकत्वेनाग्रहणाद् भ्रममूलक एवेति मतमपास्तम्, महावीरेणैव प्रतिपादितसिद्धान्तप्रतिपादकत्वेनाभ्युपेतत्वे भवजिनानां जिनानां शासनं सिद्ध प्रतिपाद्य तद्व्याख्यातृप्रतिपादितार्थावधारणसामर्थ्यसम्पादकत्वं निजप्रकरणस्याभिधाय तीर्थकरवचनसङ्ग्रहविशेषप्रतिपादकद्रव्यार्थिक-पर्यायार्थिकनयादिव्यावर्णनस्य भद्रं जिनवचनस्य भगवत इत्युपसंहरणस्य च मूलकारकृतस्य चारुताऽनिर्वाहात्, सामान्यतयोक्तेहेतुमन्तरेण महावीरविशेषार्थपर्यवसायित्वव्यावर्णनस्यानौचित्यात् । सत्सु बहुषु महावीरपर्यायशब्देषु परम्परान्तरप्रसिद्धशब्दोपादाने प्रयोजनमन्तरेण मूलकृदभिप्रायकल्पनाया निर्मूलत्वात्, सम्मइ इति प्राकृताभिधानस्य गार्वाणवाण्यां सन्मतीत्येव च्छाया न तु सम्मतीत्यत्र नियामकाभावात्, सम्मतिशब्दस्योक्तरीत्या सार्थकत्वे बाधकाभावाच्च।" આ કારણોમીમાંસા જોતાં પ્રસ્તુત ગ્રંથનું નામ સમ્મતિ (સંમતિ) કે સમ્પતિતર્ક (સંમતિતર્ક) માનવું એ જ ઉચિત જણાય છે, પણ સન્મતિ નામ ઉચિત જણાતું નથી. સંમતિતર્ક પ્રકરણ : ગ્રંથ પ્રમાણ : આ ગ્રંથને ત્રણ કાંડમાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ કાંડમાં ૫૪ ગાથા, બીજા કાંડમાં ૪૩ ગાથા તથા ત્રીજા કાંડમાં ૬૯ ગાથા છે. આ રીતે આર્યાછંદમાં બનેલ કુલ ૧૬૬ ગાથા પ્રમાણે આ ગ્રંથ છે. કેટલીક હસ્તલિખિત પ્રતોમાં ત્રીજા કાંડમાં નીચે જણાવેલી એક ગાથા વધુ મળે છે. જેમાં કહ્યું છે કે, जेण विणा लोगस्स ववहारो सव्वहा न णिब्बडइ । तस्स भुवणेक्कगुरुणो णमोऽणेगंतवायस्स ।। ભાવાર્થ : જે (અનેકાંતવાદ)ના અભાવમાં સર્વ પ્રકારે લોકો વ્યવહાર સંભવી શકતો નથી, તેવા ત્રણે ભુવનના અદ્વિતીય ગુરુ સમાન અનેકાંતવાદને નમસ્કાર થાઓ. જોકે આ ગાથા ઉપર એક પણ હસ્તલિખિત પ્રતમાં તર્કપંચાનનશ્રીજીની ટીકા ઉપલબ્ધ થઈ નથી, માટે આ ગાથાને પ્રક્ષિપ્ત ગાથા તરીકે સ્વીકારવામાં આવી છે. સંમતિતર્ક પ્રકરણ - ઉપલબ્ધ-અનુપલબ્ધ ટીકાઓ : આની સ્પષ્ટતા માટે વર્તમાનમાં છેલ્લા વર્ષોમાં સાલ મુજબ પ્રકાશિત સંમતિતર્ક ગ્રંથની આવૃત્તિઓની નોંધ અમે પરિશિષ્ટમાં આપી છે. તે ઉપરાંત “જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ” પુસ્તકના ત્રીજા ખંડમાં આ અંગેની જે વિગતો મળી છે તે નીચે મુજબ છે. 2010 02 Page #27 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય “સમ્મઈપવરણની ટીકાઓ : (૧) સ્વોપજ્ઞ વિવરણ – પૂ.આ.શ્રી સિદ્ધસેન દિવાક્રસૂરિજીએ ૧૬૬ પદ્યમાં સમ્મઈપયરણ રચ્યું છે. એ ત્રણ કાંડમાં વિભક્ત છે. આ પાઈઅ કૃતિનું મહત્ત્વ જોતાં એમ ભાસે છે કે તેઓ શ્રીમદે જાતે આના ઉપર સંસ્કૃતમાં વિવરણ રચ્યું હશે. આ પૂર્વે પ્રો. લોયમેને સ્વોપજ્ઞ વિવરણ હોવાની સંભાવના કરી છે. (૨) મલવાદી રચિત ટીકા - ‘વાદિમુખ્ય પૂ.આ.શ્રી મલ્લવાદીસૂરિજીએ સમઈપયરણ ઉપર સંસ્કૃતમાં ટીકા રચી હતી એમ પૂ.આ.શ્રી હરિભદ્રસૂરિજી કૃત અનેકાન્તજયપતાકાની સ્વોપજ્ઞ વ્યાખ્યા (ખંડ ૧, પૃ. ૫૮ ને ૧૧૬) જોતાં જણાય છે. પૂ.ઉપા. શ્રી યશોવિજયગણિએ અષ્ટસહસ્ત્રીની ટીકામાં પૂ.આ.શ્રી મલ્લવાદીસૂરિજીનો સમઈપયરણના ટીકાકાર તરીકે ઉલ્લેખ કર્યો છે. વિશેષમાં પૂ.આ. શ્રી મલવાદીસૂરિજીએ આ ટીકામાં કોટિશઃ ભંગો દર્શાવ્યા છે એમ પણ એમણે કહ્યું છે. બૂટિ માં આ ટીકાનું પરિમાણ ૭૯૦ શ્લોકનું નોંધાયું છે. આ ટીકાની હાથપોથી હજી સુધી તો કોઈ સ્થળેથી મળી આવી નથી એટલે વિશેષ તપાસ થવી ઘટે. એમ લાગે છે કે પૂ.ઉપાશ્રી યશોવિજયગણિએ તો આ ટીકા જોઈ હતી. એ જો લુપ્ત હોય તો સમ્મઈપયરણના અભ્યાસ માટેનું એક ઉત્તમ સાધન આપણે ગુમાવ્યું છે એમ કહેવાય. (૩) સુમતિકૃતટીકા - પૂ આ શ્રી હરિભદ્રસૂરિજીએ શાન્તરક્ષિતનો ઉલ્લેખ કર્યો છે. આ શાન્તરક્ષિત બૌદ્ધ ગ્રંથકાર છે. એમણે તત્ત્વસંગ્રહ રચ્યો છે. આમાં “સ્યાદ્વાદપરીક્ષા” (કારિકા ૧૨૬૨ ઈ.) અને “બહિરWપરીક્ષા” (કારિકા ૧૯૮૦ ઈ.)માં સુમતિનું ખંડન કર્યું છે. આ દિગંબર સુમતિએ સમઈપયરણ ઉપર ટીકા રચી છે એ વાત શ્રી વાદિરાજસૂરિકૃત પાર્શ્વનાથચરિત્રના પ્રારંભ ઉપરથી અને શ્રવણ બેલ્ગોલાની મલ્લિષણ પ્રશસ્તિ ઉપરથી જાણી શકાય છે. આ સુમતિનું બીજું નામ સન્મતિ પણ છે. એમણે રચેલી ટીકાની કોઈ હાથપોથી મળતી હોય એમ જણાતું નથી. (૪) તત્ત્વબોધવિધાયિની કિંવા વાદમહાર્ણવ - પૂ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીના શિષ્ય તર્કપંચાનન’ પૂ.આ.શ્રી અભયદેવસૂરિજીએ ૨૫૦૦૦ શ્લોક જેવડી અને પોતાના સમય સુધીની વિવિધ દાર્શનિક ચર્ચાઓને રજૂ કરનારી તત્ત્વબોધવિધાયિની નામની અને વાદમહાર્ણવ તરીકે પ્રખ્યાતિ પામેલી વિવૃતિ રચી છે. સમ્મઈપયરણના પ્રથમ કાંડની ૪૦મી ગાથાની વિવૃત્તિ (પૃ. ૪૪૭)માં એમણે કહ્યું છે કે એ આદ્ય બે ભંગોના ત્રણ ત્રણ પ્રકારો, તૃતીય અને ચતુર્થના દસ દસ અને પાંચમા વગેરેના ૧૩૦ પ્રકારો છે તે પૂ.આ.શ્રી મલ્લવાદીસૂરિજીએ દર્શાવ્યા છે. વળી એ પૂ.આશ્રી મલવાદીસૂરિજીએ કહ્યું છે કે એ ૧૪૨૬ પ્રકારો દ્ધિ. આદિ સંયોગની કલ્પના કરતાં કરોડ થાય છે. સમ્મઈપયરણના ત્રીજા કાંડની ઉપમી ગાથાની વિવૃત્તિમાં (પૃ. ૭૫૪માં) મૂર્તિને આભરણો વડે ભૂષિત કરવી કે નહિ એ બાબતની ચર્ચા કરે છે. આ મહાકાય વિવૃતિની પ્રશસ્તિમાં પૂ આ શ્રી અભયદેવસૂરિજીએ કહ્યું છે કે આ રીતે ક ૫. સુખલાલ સંપાદિત સંમનિતર્કપ્રકરણ ભાગ ૧ થી ૫ 2010_02 Page #28 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય (સમઈપયરણનાં) કેટલાંક સૂત્રોની વ્યાખ્યા વડે જે પુષ્કળ પુણ્ય મેં ઉપાર્જન કર્યું છે તેના વડે ભવ્ય જીવોનો સંસારનો ભય દૂર થઈ તેઓ જ્ઞાનગર્ભિત, નિર્મળ અને આનંદપૂર્ણ એવા અભયદેવ (?) અર્થાત્ મોક્ષને પામો. આમ જો કે અહીં કેટલાંક સૂત્રો” એમ કહ્યું છે. છતાં એમણે વ્યાખ્યા કરતી વેળા એકે પદ્યને કે એના મુખ્ય અંશને છોડી દીધેલ નથી. સમઈપયરણનો સાંગોપાગ અભ્યાસ કરનારે વાદમહાર્ણવનું પરિશીલન કરવું જોઈએ. પરંતુ આ મહાસાગરમાં પ્રવેશ કરવો એ કંઈ સાધારણ વાત નથી. આને લક્ષમાં રાખીને જૈનરત્ન, વ્યાખ્યાન વાચસ્પતિ, પૂજ્ય જૈનાચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરિજીએ સમ્મતિતત્ત્વસોપાનની યોજના કરી છે. (૫) ન્યાયાચાર્યકૃત ટીકા - ન્યાયાચાર્ય પૂ.મહો.શ્રી યશોવિજયગણિએ સમઈપવરણનું આકંઠ પાન કર્યું છે. એમણે પોતાની વિવિધ કૃતિઓને આ અમૂલ્ય કૃતિમાંથી અવતરણો આપી એનું મૂલ્ય વધાર્યું છે. વિશેષમાં એ અવતરણો ઉપર પોતે વિવરણ પણ રચ્યું છે. કેટલીક વાર તો એ સ્વતંત્ર છે કેમ કે એ વાદમહાર્ણવને અનુસરતું નથી. કઈ કઈ કૃતિમાં સમ્મઈપયરણની ગાથાઓ આવે છે એ બાબત ઉપર્યુક્ત સંસ્કરણમાં પાંચમા ભાગમાં ત્રીજા પરિશિષ્ટરૂપે રજૂ થઈ છે એટલે હવે તે તે સ્થળો તેમ જ ત્યાર પછી પ્રકાશિત કેટલીક કૃતિઓ જોઈ ફક્ત સંકલના જ કરવાની બાકી રહે છે. એ થતાં આપણને આ મહત્ત્વપૂર્ણ કૃતિ ઉપર પૂ.ઉપાશ્રી યશોવિજયગણિ જેવા પ્રતિભાશાળીને હાથે રચાયેલી લઘુ ટીકા મેળવવાનો લાભ થશે. () અજ્ઞાતકક ટીકા - સમ્મઈપયરણ ઉપર કોઈકની ટીકા હોવાનો ઉલ્લેખ જિ. ૨ કો. (વિ. ૧, પૃ. ૪૨૩)માં છે.” સંમતિતર્ક પ્રકરણ : વિષય : મહાવાદિ-શ્રુતકેવલિ પૂજ્ય આચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજા રચિત અનેક ગ્રંથોમાં શ્રેષ્ઠ ગ્રંથ તરીકે સંમતિતર્ક ગ્રંથને જ સ્થાન આપવું ઘટે. આ ગ્રંથમાં વિષયોની વ્યાપકતા, જૈન શાસનના મૂળભૂત પદાર્થોની સ્પષ્ટતા, અર્થની ગંભીરતા, અનેકાંતવાદની સુદઢ સ્થાપના, અનુભવના પરિપાકરૂપ વચનો વગેરે આ ગ્રંથમાં સવિશેષ જોવા મળે છે. પૂર્વે જણાવ્યા મુજબ પ્રસ્તુત ગ્રંથ ત્રણ કાંડમાં વિભક્ત છે. ત્રણે કાંડના સામાન્ય વિષયોને અનુસરીને તેની ઓળખ આપવી હોય તો પ્રથમ કાંડને નયકાંડ, દ્વિતીય કાંડને ઉપયોગકાંડ અથવા જ્ઞાનકાંડ તથા તૃતીય કાંડને યકાંડ તરીકે ઓળખાવી શકાય. ગ્રંથકારશ્રીએ પ્રથમ નયકાંડના પ્રારંભમાં જ જિનશાસનના અસાધારણ ગુણોની સ્તવના દ્વારા મંગલાચરણ કર્યા બાદ પ્રતિજ્ઞા કરી છે કે, “આગમના પદાર્થોને સમજવામાં મંદ બુદ્ધિવાળા જીવો શાસ્ત્રના પરમાર્થના વિસ્તારને પ્રકાશિત કરનારા મહાપુરુષોની સેવા કરવા પ્રેરાઈને આગમના હાર્દને પામી શકે તે રીતે અર્થને કહીશ.” દ્રવ્યાનુયોગના મહાન ગ્રંથરત્નના પ્રારંભમાં જ આ સ્વરૂપની પ્રતિજ્ઞા 2010_02 Page #29 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય દ્વારા “ગચ્છમાં જ રહેવું, ગુરુનિશ્રાએ વસવું, ગુરુ ભગવંતની સેવા-ભક્તિ-વિનય-વૈયાવચ્ચ કરવી, તેના દ્વારા જ્ઞાનને પાત્ર બની જ્ઞાન મેળવવું' વગેરે બાબતોનો અભુત દિશાનિર્દેશ કરવામાં આવ્યો છે. તે પછી દ્રવ્યાસ્તિકન અને પર્યાયાસ્તિકનયનું સ્વરૂપ વર્ણવી, તેના જ ભેદ સ્વરૂપ અન્ય સર્વે નયો છે તે વાતની સ્પષ્ટતા કરી છે. નૈગમનયનો, સંગ્રહનય અને વ્યવહારનયમાં સમાવેશ કરી સંગ્રહ વગેરે છ નયોને જ સ્વીકારનાર ગ્રંથકારશ્રી છએ નયોને દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયમાં વિભાજિત કર્યા છે. ત્યાર બાદ પરસ્પર નિરપેક્ષ એવા દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકન મિથ્થારૂપ છે, તેની સ્પષ્ટતા કરીને બંને નયોનો સાધારણ વિષય, વિવલાથી જ નયોનો ભેદ, એક નયને માન્ય વિષય બીજા નય માટે અમાન્ય, પરસ્પર નિરપેક્ષ બંને નન્યોને માન્ય વસ્તુનું ભિન્ન ભિન્ન સ્વરૂપ, પરસ્પર નિરપેક્ષ દ્રવ્ય અને પર્યાયનો અભાવ જણાવી દ્રવ્યનું લક્ષણ, બંને નયો સુનય સ્વરૂપ કે દુર્નય સ્વરૂપ થવાનું કારણ વગેરે બાબતો તર્કપ્રધાન શૈલીથી સ્પષ્ટ કરી છે. આટલું વર્ણન કર્યા બાદ મુખ્ય નયોના વિષયને જ અન્ય નયો સ્પષ્ટ કરતા હોવાથી જે રીતે નિરપેક્ષ મુખ્ય નયો દૂષિત બને છે તે જ રીતે અન્યનો પણ દૂષિત બને છે. આ રીતે મુખ્ય નયો હોય કે તેના આધાર પર રહેલા અન્ય નયો હોય, પણ જો તે નિરપેક્ષ હોય - અન્ય નયની માન્યતાનું ખંડન કરી પ્રવર્તતા હોય તો તે નયોમાં સંસારસ્થિતિ, સુખ-દુ:ખનો સંબંધ, કર્મબંધ, કર્મસ્થિતિ કે કર્મથી મોક્ષ વગેરે કાંઈપણ ઘટી શકતું નથી; તે વાત સચોટ રીતે જણાવવામાં આવી છે. આટલી સ્પષ્ટતા બાદ સર્વનયો મિથ્થારૂપ કે સમ્યકરૂપ ક્યારે બને? - તે વાત રત્નાવલીના દૃષ્ટાંતથી જણાવવામાં આવી છે. સાથોસાથે દષ્ટાંતનું શું મહત્ત્વ છે ? તેનાથી લાભ શું? તે જણાવી કાર્ય-કારણ અંગે નિરપેક્ષપણે પ્રવર્તતા સત્કાર્યવાદુ, અસત્કાર્યવાદ અને કાર્ય-કારણની અભિન્નતા માનનાર અદ્વૈતવાદની મિથ્યા માન્યતાઓનું ખંડન કરી સ્યાદ્વાદ-સાપેક્ષતા દ્વારા જ તેનો સમન્વય થઈ શકે છે તે વાત સ્પષ્ટ કરી છે. ત્યાર બાદ દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયના વિષયરૂપ ક્રમિક અભેદ અને ભેદનું વર્ણન કરી દ્રવ્યને એક કે અનેક કઈ અપેક્ષાએ કહેવાય તે માટે દ્રવ્યના વ્યંજન-પર્યાયો અને અર્થ-પર્યાયોનું દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટીકરણ કરી દ્રવ્યને એકાંતે એક કે અનેક માનવામાં આવતા દોષો જણાવ્યા છે. આટલું વર્ણન કર્યા બાદ સ્યાદ્વાદની પીઠિકા સ્વરૂપ સપ્તભંગીનું પ્રતિપાદન કરી, વ્યંજન-પર્યાય અને અર્થ-પર્યાયમાં કેટકેટલા ભંગ સંભવે છે, તેનું નિરૂપણ કર્યું છે. તે પછી માત્ર પર્યાયનયની કે માત્ર દ્રવ્યાસ્તિકનયની દેશનામાં અપૂર્ણતા જણાવી કેટલાંક દૃષ્ટાંતોનો સહારો લઈ દેશનાનું ઓત્સર્ગિક અને આપવાદિક સ્વરૂપ વર્ણવી ધર્મોપદેશકોને ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડીને પ્રથમ કાંડની પૂર્ણાહુતિ કરી છે. આ રીતે પ્રથમ કાંડમાં દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયની મુખ્ય ધરી ઉપર આરોહણ કરી વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને મુખ્ય નયો હોય કે તેના ભેદ સ્વરૂપ અન્ય નયો હોય, પણ જ્યાં સુધી તે નયોનું અનેકાંતવાદથી-સ્યાદ્વાદથી-સાપેક્ષવાદથી નિરૂપણ કરવામાં આવતું નથી ત્યાં સુધી તે નયો સમ્યકપણાને - સુનયપણાને પામી શકતા નથી, તે વાત અત્યંત સચોટ અને સ્પષ્ટપણે જણાવી છે. 2010_02 Page #30 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય a ઉપયોગ કાંડ કે જ્ઞાનકાંડ સ્વરૂપ દ્વિતીયકાંડનો પ્રારંભ કરતાં પ્રથમ ગાથામાં દ્રવ્યાસ્તિકનયના વિષયરૂપ દર્શનનું (સામાન્યબોધનું) તથા પર્યાયાસ્તિકનયના વિષયરૂપ જ્ઞાનનું વિશેષબોધનું) સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. આ દર્શન અને જ્ઞાન બંને પરસ્પર સાપેક્ષ છે, તેમ જણાવી ઉપયોગવાદની ચર્ચાનો પ્રારંભ કર્યો છે. મતભેદ વગરના છદ્મસ્થના ઉપયોગનું નિરૂપણ કરી, મતભેદવાળા કેવલીના ઉપયોગમાં પ્રચલિત ત્રણ વાદો જણાવ્યા છે. ૧-પૂ.આ.શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનો ક્રમવાદ, ર-પૂ.આ.શ્રી મલ્લવાદિસૂરિજી મહારાજાનો સહવાદ અને ૩-સ્વમાન્ય અભેદવાદ. તે પૈકી સૌ પ્રથમ ગાથા ૪ થી ૮ માં સહવાદિપક્ષ દ્વારા ક્રમવાદિપક્ષનું અનુમાન, આગમ અને તર્ક દ્વારા ખંડન કરવામાં આવ્યું છે ત્યાર બાદ ગાથા ૯ થી ૧૪માં ભિન્ન ભિન્ન તર્કો દ્વારા સહવાદનું ખંડન કરી અભેદોપયોગવાદનું સ્થાપન કરવામાં આવ્યું છે. ફરી ક્રમવાદિના પ્રશ્નને ઉપસ્થિત કરીને તેનો ઉત્તર આપી તર્કસિદ્ધ જે અર્થ છે તે મુજબ જ સૂત્રની વ્યાખ્યા કરવાથી આગમ વિરોધ પણ નહિ આવે તેમ સ્પષ્ટ રીતે જણાવ્યું છે. આ રીતે અભેદ ઉપયોગ સિદ્ધ થવા છતાં કેવલજ્ઞાનથી કેવલદર્શનના ભિન્ન ઉલ્લેખનું કારણ શું? તેનું સમાધાન આપીને અમેદવારને સિદ્ધ કર્યો છે. ત્યાર બાદ એકદેશી મત મુજબ દર્શન અને જ્ઞાનના સ્વરૂપમાં આવતા દોષો જણાવી ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન શબ્દનો અર્થ જણાવ્યો છે. આ રીતે કરેલ ‘દર્શન’ શબ્દની વ્યાખ્યા મુજબ મન:પર્યાયજ્ઞાનમાં દર્શન માનવાની આપત્તિનું નિરાકરણ, શ્રુતજ્ઞાનમાં “દર્શન’ શબ્દનો અસંભવ, અવધિજ્ઞાન તથા કેવલજ્ઞાનમાં “દર્શન’ શબ્દની ઘટમાનતા કરી નિષ્કર્ષ જણાવ્યો છે કે, “એક જ કેવલોપયોગ બંને સ્વરૂપે છે' આ જ સ્વસિદ્ધાંત છે અને અન્ય ‘ક્રમિક ઉત્પત્તિ” કે “સહવાદએ પરસિદ્ધાંત છે. આ રીતે કેવલીના ઉપયોગ અંગેના વાદની સ્પષ્ટતા કરી “શ્રદ્ધા અર્થમાં વપરાતા સમ્યગ્દર્શન શબ્દને પણ સ્પષ્ટ કરી તેને સમ્યજ્ઞાન સ્વરૂપે જ સ્વીકાર્યો છે. ત્યારબાદ “કેવલજ્ઞાન સાદિ-અનંત છે” આ સૂત્રનું સ્પષ્ટીકરણ કરી જીવ અને જ્ઞાનરૂપ જીવના પર્યાયો પરસ્પર ભિન્ન છે એવા એકાંતપક્ષનું દૃષ્ટાંતપૂર્વક ખંડન કરી “દ્રવ્ય એ પર્યાયોથી એકાંતે ભિન્ન નથી” આ વાતનું સ્પષ્ટીકરણ કર્યું છે અને છેલ્લે આત્મદ્રવ્યનું સ્વાભાવિક અને વૈભાવિક પર્યાયો વડે એકપણા - અનેકપણાનું વર્ણન કરી અનેકાંતવાદની સ્થાપના કરીને આ કાંડનું પણ સમાપન કરવામાં આવ્યું છે. શેયરૂપ ત્રીજા કાંડની શરૂઆતમાં જ સામાન્ય અને વિશેષ પરસ્પર સાપેક્ષ જ છે અને તે બંનેને નિરપેક્ષપણે રજૂ કરવાથી શું પ્રાપ્ત થાય તેની સ્પષ્ટતા કરી છે. ત્યારબાદ આપ્તવચનનું સ્વરૂપ રજૂ કરાયું છે. તે પછી કોઈપણ પર્યાયને એકાંતે માનવામાં આપત્તિ આવે છે માટે અનેકાંતથી જ કોઈપણ પર્યાયને સ્વીકાર કરવો જોઈએ તે જણાવી દ્રવ્ય અને ગુણ વચ્ચે એકાંતે ભેદ માનનાર પૂર્વપક્ષનું એકાંતે અભેદ માનનાર પક્ષ દ્વારા ખંડન કરાવી તેનું પણ ખંડન તર્કબદ્ધ રીતે કરવામાં આવ્યું છે. ત્યાર બાદ એકાંતે ભેદ તથા એકાંતે અભેદ માનવા સંબંધી પ્રસ્તુત ચર્ચાનો ઉપસંહાર કરતાં જણાવ્યું છે કે, જૈન 2010_02 Page #31 -------------------------------------------------------------------------- ________________ 26 સંપાદકીય શાસનમાં એકાંતે ભેદ કે એકાંતે અભેદ માન્ય જ નથી. માત્ર શિષ્યની બુદ્ધિના વિકાસ માટે જ આ વાત રજૂઆત કરવામાં આવી છે. ત્યાર બાદ પરમાત્માના વચનમાં અનેકાંત સિદ્ધાંતની વ્યાપકતા જણાવતાં કહ્યું છે કે, “ખરેખર, અનેકાંત સિદ્ધાંત પણ અનેકાંતથી જ સમજાય છે.” ત્યારબાદ ગતિયુક્ત દ્રવ્ય, ગુણનિષ્પન્ન નામો તથા કુંભ-જીવનાં દ્રષ્ટાંતો વડે અનેકાંત સિદ્ધાંતનું અત્યંત સરળ ભાષામાં સ્પષ્ટીકરણ કર્યું છે. તે પછી દ્રવ્યના ઉત્પાદ તથા નાશનું પેટા ભેદો દ્વારા સ્વરૂપ વર્ણન, ઉત્પાદ-નાશ અને સ્થિતિનો કાળભેદથી ભેદાભેદ, એક જ સમયમાં ઉત્પાદ વગેરે ત્રણનું દૃષ્ટાંત વડે સ્પષ્ટીકરણ, વિભાગથી ઉત્પન્ન થનારા ઉત્પાદને નહિ માનનાર વૈશેષિકમતનું ખંડન, વિભાગથી થનારા ઉત્પાદનું સ્વરૂપ, ઉત્પાદ-વિનાશ અને સ્થિતિની સમાનતા વગેરે પદાર્થો રજૂ કર્યા છે. ત્યારબાદ હેતુવાદ અને અહેતુવાદ (શ્રદ્ધાવાદ) રૂપ આગમવાદનું નિરૂપણ કર્યું છે. સિદ્ધાંતની પ્રરૂપણામાં કુશળતા ક્યારે પ્રગટે ?, પરિશુદ્ધ અને અપરિશુદ્ધ નયવાદનું સ્વરૂપ અને અન્ય દર્શનોનું પ્રમાણ વર્ણવી સાંખ્યદર્શન-બૌદ્ધદર્શન અને વૈશેષિક દર્શનની ઉત્પત્તિ યા નયને આભારી છે તેની સ્પષ્ટતા કરી તે કેમ ખોટા છે, તેના કારણ સ્વરૂપ નિરપેક્ષતાનું વર્ણન કર્યું છે. તે પછી કાળ વગેરે કારણો, નાતિ વગેરે છ મતો અને મતિ વગેરે છ મતો એકાંતદૃષ્ટિને કારણે કઈ રીતે મિથ્યા બને છે તેની સ્પષ્ટતા કરી તેમાં સમ્યપણું ક્યારે આવે તે માટે અનેકાંતની-સાપેક્ષતાની જ મહત્તા બતાવવામાં આવી છે. આગળ વધીને અનેકાંતવાદનું મહત્વ જણાવતાં કહ્યું કે, “જો વાદી વાદમાં અનેકાંતવાદનો સહારો ન લે તો તે ક્યારેય જીતી શકતો નથી અને જો તે અનેકાંતવાદને સહારો લે તો તેને જીતવો અશક્ય છે. આ રીતે વાદમાં પણ અનેકાંતવાદની જ મહત્તા દર્શાવી પ્રરૂપણામાં પણ તેની મહત્તા સૂચવી છે. પ્રરૂપણામાં વિવેકની, અનેકાંતસિદ્ધાંતના જ્ઞાનની અને સૂત્ર સાથે અર્થજ્ઞાનની મહત્તા જણાવી શાસ્ત્રપર્યાલોચન ઉપર અત્યંત ભાર મૂકયો છે. આગળ વધીને ચારિત્રના સારને પામવા માટે પણ સ્વ પર સિદ્ધાંતના પર્યાલોચનની કેટલી મહત્તા છે, તે વર્ણવી અંતે માત્ર જ્ઞાનથી કે માત્ર ક્રિયાથી મોક્ષ મળવો શક્ય નથી. પણ “જ્ઞાનષ્યિ મોક્ષઃ” જણાવી છેલ્લી ગાથામાં ચાર ચાર વિશેષણો વડે શ્રી જિનવચનની કલ્યાણ કામના કરવામાં આવી છે. આ રીતે અનેકાંતવાદની મહત્તા, ઉત્પાદ વિભાગનું સ્વરૂપ, ધર્મવાદનું સ્વરૂપ, અન્ય દર્શનોની ઉત્પત્તિમાં કારણભૂત નયો, એકાંતદૃષ્ટિનું મિથ્યાપણું, વાદમાં તથા પ્રરૂપણામાં અનેકાંતની આવશ્યકતા સવિશેષ વર્ણવી ત્રીજા કાંડની સમાપ્તિ કરવામાં આવી છે. આમ ત્રણે કાંડમાં મુખ્ય અનેકાંત સિદ્ધાંતની વ્યાપકતા જ સવિશેષ જોવા મળે છે. ટીકાકાર મહર્ષિ-તર્કપંચાનન પૂજ્ય આચાર્ય શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજા ટીકાકારશ્રી ચંદ્રકુલીય ચંદ્રગચ્છના પૂજ્ય આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજાના શિષ્ય હતા. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની પાઈય ટીકાના કર્તા વાદિવેતાલ પૂ આ શ્રી શાંતિસૂરિજી મહારાજા તર્કપંચાનનશ્રીજીને 2010 02 Page #32 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય પોતાના પ્રમાણ શાસ્ત્રના ગુરુરૂપે બહુમાનપૂર્વક જણાવે છે. તર્કપંચાનનશ્રીજીનું જીવનચરિત્ર અન્ય કોઈ ગ્રંથોમાં જોવા મળેલ નથી. માત્ર નીચે જણાવેલ ગ્રંથોની પ્રશસ્તિમાં તેઓશ્રીજીનું શ્રીસંમતિસૂત્રની ૨૫૦૦૦ શ્લોક પ્રમાણ વાદમહાર્ણવ ટીકાના કર્તા સ્વરૂપે બહુમાનપૂર્વક નામોચ્ચા૨ણ ક૨ાયું છે. * શ્રી સિદ્ધસેનસૂરિષ્કૃત પ્રવચનસારોદ્વા૨વૃત્તિ * શ્રી માણિકયચંદ્રસૂરિકૃત પાર્શ્વનાથચરિત્ર * શ્રી પ્રભાચંદ્રસૂરિકૃત પ્રભાવક ચરિત્ર * વાદિવેતાલ શ્રી શાંતિસૂરિકૃત ઉત્તરાધ્યયન સૂત્ર પાઈયટીકા 27 ટીકાકારશ્રીજીના અન્ય કોઈ ગ્રંથો હોવાનું વિશેષ જાણવા મળ્યું નથી. પ્રશસ્તિઓ વગેરે દ્વા૨ા ઈતિહાસને જોતાં તેમના વિદ્યાશિષ્યો અને દીક્ષિત શિષ્યોનો પરિવાર ઘણો મોટો અને વિશાળ ફલકમાં વહેંચાયેલો હશે, તેવું અનુમાન કરી શકાય છે. પ્રસ્તુત પ્રકાશનની આવશ્યકતા : જૈનદર્શનના મૂળભૂત અનેકાંતસિદ્ધાંતનું સચોટ રીતે સ્પષ્ટ નિરૂપણ કરતા અને જૈન દાર્શનિક ગ્રંથોમાં સર્વોચ્ચ કક્ષાના આ ગ્રંથનું અધ્યયન અને અધ્યાપન સકલ શ્રી જૈનસંઘમાં અતિ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. આ મહાન ગ્રંથરત્નના અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રથી શ્રી જૈન સંઘ અળગો રહે તે આપણી ખોટ ગણાય. આ ખોટનું મુખ્ય કારણ જોવા જઈએ તો દરેકના હૈયામાં શ્રી સંમતિતર્ક ગ્રંથની બહુ અઘરા દાર્શનિક ગ્રંથ તરીકેની જ છાપ જોવા મળે છે. ‘જેણે દર્શન શાસ્ત્રોનો અભ્યાસ કરવો હોય તેણે આ ગ્રંથ વાંચવો.' આવી જ વિચારણા સવિશેષ જોવા મળે છે. પણ આ ગ્રંથ મુખ્યતાએ અનેકાંત સિદ્ધાંતનું પ્રરૂપણ કરે છે તે વાત ખ્યાલ બહાર રહી જાય છે. વળી, આ ગ્રંથ ઉપરની પ્રાચીન તર્કપંચાનનશ્રીજીની ‘તત્ત્વબોધવિધાયિની’ અર્થાત્ ‘વાદમહાર્ણવ’ ટીકા ઉપલબ્ધ છે. પણ તેનું કદ, ભાષા, દાર્શનિક ચર્ચા વગેરેની કઠિનતાને કારણે મોટા ભાગના અભ્યાસુ આ ટીકા સામે આંખ ઉંચી કરી જોવાનું પણ વિચારી શકતા નથી. તે પછી પૂ.આ. શ્રી દર્શનસૂરિજી મ.સા. દ્વારા ‘સંમતિતર્કમહાર્ણવાવતારિકા' નામની ટીકા રચવામાં આવી હતી. જે ટીકામાં દાર્શનિક ચર્ચાઓને સારું એવું સ્થાન આપવામાં આવ્યું છે અને તે પછી વ્યાખ્યાનવાચસ્પતિ, કલિકુલકીરિટ પૂ.આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ સંમતિતત્ત્વસોપાન ગ્રંથનું સંપાદન કર્યું હતું. જેમાં તેમણે તર્કપંચાનનશ્રીજીની મુખ્ય ટીકાને જ નાના-નાના પ્રશ્નોત્તર પદ્ધતિમાં ઢાળી પૂર્વપક્ષ તથા ઉત્તરપક્ષ સમજવો સરળ પડે તેવી મહેનત કરી છે. પણ બંને ટીકામાં અનેકાંતસિદ્ધાંતની સ્પષ્ટતાની સાથોસાથ દાર્શનિક ચર્ચાઓને પણ પૂરતું સ્થાન આપેલું હોવાથી વર્તમાનકાળમાં દાર્શનિક બોધની રુચિ વિનાના જીવો તેનાથી દૂર જ રહેવાનું પસંદ કરે છે. આ બે ટીકા ઉપરાંત, પં. સુખલાલે ગુજરાતી ભાષામાં ગાથાર્થ અને . 2010_02 Page #33 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય સામાન્ય ભાવાર્થ સાથેના પુસ્તકનું સંપાદન કરેલ છે, પણ તે અર્થબોધ માટે એટલું પર્યાપ્ત ન જણાયું. તેથી વર્ષો પૂર્વે સંમતિતર્ક ગ્રંથનું વિશિષ્ટ સંપાદન કરવાની મેં ભાવેલી ભાવના પ્રબળ બની હતી. વર્ષો પૂર્વે આ અંગેનું જે કાંઈ સાહિત્ય અને સંશોધનાદિની સામગ્રી એકત્રિત કરી હતી પણ અન્ય કાર્યવ્યસ્તતા વશ કાર્ય થઈ શક્યું ન હતું. છેલ્લે વર્ષ પહેલાં પં. ધીરૂભાઈએ પણ સંમતિતર્ક ગ્રંથ વાંચવા અભ્યાસુઓ પ્રેરાય તે માટે શક્ય સરળ ભાષામાં - પોતાની શૈલીથી ગુજરાતી ભાષામાં વિવેચન તૈયાર કર્યું હતું, જે તેમણે મને જોવા માટે મોકલાવ્યું હતું અને તે વખતે ગાથાર્થ – પદાર્થમાં જરૂરી ફેરફારો તેમને સૂચવ્યા હતા. પ્રાયઃ તે મુજબ સુધારો કરવાનો તેમણે પ્રયત્ન પણ કર્યો હતો. તેમના દ્વારા કરાયેલું એ વિવેચન તપાસતી વખતે વર્ષો પૂર્વે સેવેલી ભાવના પ્રબળ બનતાં કાર્ય શરૂ કર્યું. જેમાં માત્ર મૂળભૂત ગાથાઓને સરળ-સંસ્કૃત ભાષામાં સમજાવે તેવી અક્ષરગમનિકા ટીકા બનાવીને મૂકવાનું પણ નક્કી કર્યું. જે સાધકોએ માત્ર મંડનાત્મક અનેકાંત સિદ્ધાંત સમજવો હોય, ન્યાયશૈલીથી જે અજાણ હોય, વિશિષ્ટ દાર્શનિક બોધની જેમની રુચિ ન હોય, સંક્ષેપમાં ગાથાર્થ-પદાર્થ જેણે જાણવા હોય - તેમના માટે આ નવતર પાર્થપ્રભા ટીકાગ્રંથ ઉપકારક બનશે તેવી આશા રાખું છું. ગ્રંથ સંપાદન પદ્ધતિ : પ્રસ્તુત પ્રકાશનમાં અમે ગ્રંથને બે ભાગમાં રજૂ કર્યો છે. પ્રથમ ભાગમાં તર્કપંચાનનશ્રીજીની ટીકાના મર્યાદિત ભાગનો સમાવેશ કર્યો છે. ૨૫૦૦૦ શ્લોક પ્રમાણ તર્ક પંચાનનશ્રીજીની ટીકામાં ગાથાના પ્રત્યેક પદોનો અર્થબોધ કરાવી, તદ્ વિષયક વાદ ઉસ્થિત કરવામાં આવ્યો છે અને તે વાદની સમાપ્તિ બાદ અન્ય પદોનો અર્થબોધ કરાવ્યો છે. જેથી માત્ર ગાથાના પદોનો અર્થબોધ કરવાની ભાવનાવાળાને દુરાન્વય થાય છે માટે તર્કપંચાનનશ્રીજીની ટીકામાંથી જ માત્ર મૂળગાથાના પદોના ભાવને સ્પષ્ટ કરતી પંક્તિઓનો સંગ્રહ કરી મૂળસ્પર્શી ટીકા જેવું સ્વરૂપ આ ભાગમાં તૈયાર કર્યું છે. આ સંકલનમાં એક પણ પદ-વાક્ય વગેરે પોતીકું ઉમેરવામાં આવ્યું નથી. તર્કપંચાનનશ્રીજીના શબ્દોનો જ સંપૂર્ણતયા ઉપયોગ કરાયો છે. આની સાથે જ અન્ય જે પણ ગ્રંથોમાં સંમતિતર્કગ્રંથની ગાથાઓનું ઉદ્ધરણ મળ્યું છે, તે સર્વે સ્થાનોનો અહીં સંગ્રહ કરાયો છે. તે તે ગ્રંથોમાં મુખ્યતયા સઘળે સ્થાને તે તે ગાથાના અર્થ અને પદાર્થને પણ સ્પષ્ટ કરેલ છે. તો ક્યાંક માત્ર દિશાનિર્દેશ તરીકે સાક્ષીપાઠ તરીકે પણ ઉપયોગ થયો છે. તે તે ગ્રંથકારશ્રીઓ જ્યાં જ્યાં સંમતિનો આધાર લઈ તે ગાથાના પદાર્થોને ખોલ્યા છે તે સર્વનો અહીં સંગ્રહ કર્યો છે. તેવા સંગ્રહમાં આગમની ટીકાઓ, સમર્થશાસ્ત્રકારશિરોમણિ પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના ગ્રંથો તથા ટીકાઓ, કલિકાલસર્વજ્ઞ પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની ટીકાઓ, વાદિવેતાલ પૂજ્ય આચાર્યશ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજાની ટીકાઓ, ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ પૂજ્ય મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાના ગ્રંથો તથા ટીકાઓ, દિગંબર સંપ્રદાયના ગ્રંથો વગેરેમાંથી ઉદ્ધરણ કરી અને તેનો સમાવેશ કરાયો છે. સવિશેષ જોવા જઈએ તો મહામહોપાધ્યાયશ્રીજીના ગ્રંથોમાં વિશેષ આ ગ્રંથ-ગાથાનો ઉપયોગ 2010_02 Page #34 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય થયેલો જોવા મળે છે. તેમાં જ્ઞાનબિંદુ જેવા કેટલાક ગ્રંથો તો આ ગ્રંથના આધારે જ રચેલા જોવા મળે છે. તો વળી, અનેકાંત વ્યવસ્થાપ્રકરણ, શાસ્ત્રવાર્તા-સમુચ્ચય ઉપરની સ્યાદ્વાદ કલ્પલતા ટીકા વગેરેમાં પણ આ ગ્રંથનો સવિશેષ આધાર લીધો હોય તેવું જોવા મળે છે. શક્ય તે સર્વેનો અત્રે સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ સંગ્રહ માટે અમે પં. સુખલાલ સંપાદિત સંમતિતર્ક ગ્રંથના પાંચમા ભાગમાં આપેલ પરિશિષ્ટનો તથા પૂ.આ.શ્રી દર્શનસૂરિજી મ. સંપાદિત સંમતિતક મહાર્ણવાવતારિકા ગ્રંથમાં આપેલી નોંધનો પણ ઉપયોગ કર્યો છે. તે ઉપરાંત અન્ય ઘણા સ્થાનોમાંથી આ ગ્રંથગાથાની ટીકા તથા ઉદ્ધરણો અમે મેળવ્યાં છે તે સર્વેની નોંધ કરી તેનો અમે પરિશિષ્ટ-૧ સ્વરૂપે પ્રથમ ભાગમાં ઉલ્લેખ કર્યો છે. આ સિવાય પણ જો કોઈને કોઈ ગ્રંથમાં આ ગ્રંથનું કોઈપણ ઉદ્ધરણ મળે તો અમને ચોક્કસપણે જણાવવા વિનંતી, જેથી પુનઃ પ્રકાશન વખતે તેનો ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત પ્રથમ ભાગમાં જે જે ગાથાઓના શબ્દોમાં અન્ય ગ્રંથોમાં આપેલ ઉદ્ધરણ સાથે ફેરફાર જણાયો છે તે તે ફેરફારનો પાઠાંતર સ્વરૂપે ટિપ્પણમાં ઉલ્લેખ કરેલ છે. આ રીતે માત્ર પૂર્વોચાર્યોના શબ્દો દ્વારા જ સંમતિતર્ક ગ્રંથની ગાથાઓનો અર્થબોધ કરાવતો હોવાથી અમોએ પ્રથમ ભાગની પ્રાચીન વિભાગ તરીકે ઓળખાણ આપી છે. બીજા ભાગમાં સંસ્કૃત પાર્શ્વપ્રભા ટીકા તથા ગુજરાતી ભાષાંતરનો સમાવેશ કર્યો છે. તે પૈકી પ્રથમ પાર્થપ્રભા ટીકા રજૂ કરવામાં આવી છે. જેમાં પ્રાચીન જે જે ટીકાઓ પ્રાપ્ત થઈ છે, તેને આધારે તથા શક્ય પ્રયત્ન તેના કરતાં પણ વધુ સરળ શબ્દો દ્વારા સરળતાથી અર્થબોધ થાય તેનું ખાસ ધ્યાન રાખ્યું છે અને ત્યાર બાદ રૂટું તાત્પર્ય વગેરે કહી ગાથાનો ભાવાર્થ સંસ્કૃત-સુગમ ભાષામાં રજૂ કર્યો છે. જેથી આગળ પાછળની ગાથાના અનુસંધાનપૂર્વક ગાથાનો શું ભાવ છે તે અલ્પ પ્રયત્ન સમજી શકાશે. ત્યાર બાદ બીજા નંબરે ગુજરાતી ભાષાંતર વગેરે છે. જેમાં ગાથાની છાયા-અન્વયાર્થ-ગાથાર્થ અને તાત્પર્યાર્થ આપવામાં આવેલ છે. ભાષાંતરમાં જે ગાથાઓ અનુસંધાનવાળી જણાઈ તેમાં પરસ્પર ગાથાના જોડાણપૂર્વક અર્થસંકલના કરવી યોગ્ય જણાવાથી તે ગાથાઓનો ગાથાર્થ તથા તાત્પર્યાર્થ એક સાથે આપવામાં આવેલ છે. આ ભાગમાં સંસ્કૃત પાર્થપ્રભા ટીકા તથા ભાષાંતર બંને એકસાથે આપવામાં આવેલ છે. જેથી જિજ્ઞાસુઓની બંને પ્રકારની જિજ્ઞાસા એક સાથે સંતોષી શકાશે. આ સર્વ વિભાગોને ખ્યાલમાં રાખી બીજા ભાગની અમોએ અર્વાચીનવિભાગ સ્વરૂપે ઓળખાણ આપી છે. આ ગ્રંથના પ્રુફ સંશોધનાદિમાં વિદ્વાન મુનિરાજ શ્રી વૈરાગ્યરતિ વિ. મ., વિદ્વાન મુનિરાજ શ્રી સંયમકીર્તિ વિ.મ., વિદુષી સા. શ્રી પ્રશમિતાશ્રીજી મ. વિદુષી સા. શ્રી ચંદનબાળાશ્રીજી મ. વગેરેએ કરેલ સહાય આ પ્રસંગે ભૂલાય તેમ નથી અને તેઓએ જણાવેલ સૂચનોનો શક્ય સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ મારા શિષ્ય વર્તુળ અને એમાંય મુનિરાજ શ્રી મંગળયશવિજયજીએ સવિશેષપણે જે રીતે આ ગ્રંથના સંકલન-સંપાદન કાર્યમાં - મુફો જોવા વગેરેમાં જે જહેમત કરી છે તે અત્યંત અનુમોદનીય છે. 2010 02 Page #35 -------------------------------------------------------------------------- ________________ 30 સંપાદકીય આજ રીતે પૂર્વાચાર્ય રચિત વિભિન્ન ગ્રંથોના સંશોધન-સંપાદન વગેરેમાં જીવનનો અમૂલ્ય સમય ફાળવી તે તે ગ્રંથોમાં જણાવેલ આચાર-વિચાર-પરિણતિ દ્વારા પોતાનો આત્મવિકાસ સાધે એ જ એક ભાવના ભાવું છું. મને પણ આ ગ્રંથના અધ્યયન, સંશોધન, સંપાદન અને નવતરરચનાની પુણ્યપળોમાં અપાર પ્રસન્નતાની જે અનુભૂતિઓ થઈ છે તેને શબ્દદેહ આપવો અસંભવ છે. આ પ્રસંગે સ્યાદ્વાદ સિદ્ધાંતના પ્રકાશકોમાં શિરોમણિ તીર્થંકર પરમાત્માઓ, શ્રી ગણધર ભગવંતો, ચૌદ આદિ પૂર્વધર ભગવંતો, વિશિષ્ટ કૃતધર સૂરિ-વાચક મુનિવરો, સંમતિતર્ક મહાગ્રન્થના રચયિતા શ્રુતકેવલી પૂ.આ.શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજા, વાદમહાર્ણવ ટીકાના રચયિતા તર્કપંચાનન પૂ. શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજા, સુવિહિત શિરોમણિ પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, સંમતિતર્ક ગ્રંથનું “અથ'થી ‘ઈતિ' સુધિ આચમન કરનારા મારા પરોક્ષ ગુરુદેવ ન્યાયાચાર્ય-ન્યાય વિશારદ-પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર આદિ મહાપુરુષોના ચરણોમાં કોટિ કોટિ વંદના સહ સ્મરણપથમાં સંસ્થાપિત કરું છું. તો વળી, મને સમ્યગ્દર્શનનો એકડો ઘૂંટાડી જગતના વાસ્તવિક સ્વરૂપનો યથાર્થબોધ કરાવનારા, સંઘ સન્માર્ગ દર્શક, અનેકાંતભાસ તિમિરતરણી, દીક્ષાયુગ પ્રવર્તક, પ્રવરગીતાર્થ, વ્યાખ્યાન વાચસ્પતિ, તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં પાવન ચરણોમાં શ્રદ્ધા સુમન સમર્પિત કરું છે. મારા જીવનના પ્રત્યેક સત્કાર્યોમાં તેઓશ્રીની અનુગ્રહધારા નિરંતર વરસી રહી છે, એવો અનુભવ મેં સતત કર્યો છે અને કરી રહ્યો છું. તેઓ શ્રીમની પરમકૃપાથી આ મહત્કાર્ય અલ્પાવધિમાં પૂર્ણ થયું છું. વિશસ્થાનકતપપ્રભાવક, વર્ધમાનતપોનિધિ, પ્રવર તપસ્વી, સતત તપ-જપ-સ્વાધ્યાયમગ્ન, આશ્રિત જન કલ્યાણકાંક્ષી, સૌને સુવિશુદ્ધ સંયમી બનાવી શિવસુખના સ્વામી બનાવું એવી ભવ્યભાવનામાં દિનરાત તલ્લીન એવા મારા પરમતારક ગુરુદેવ પૂજ્યપાદ આચાર્યદેવશ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાનું પાવન સ્મરણ મારા આત્માના પ્રત્યેક પ્રદેશોને પુલકીત કહે છે. કારણ કે, મારા સમગ્ર જીવનના ઘડતરની જેમ આ સંપાદન-નવીન રચનાનું કાર્ય પણ તેઓશ્રીજીના પ્રત્યક્ષ સાંનિધ્યમાં જ સંપન્ન થયું છે. આ મહાન ગ્રંથના ભાવોને જાણવા પ્રકાશવા એ અતિશય કઠીન હોવા છતાં અપેથાવિયતનીયમ્' એ ન્યાયે સ્વ-પરના કલ્યાણ માટે તથા ન્યાયશૈલીથી અજાણ, દાર્શનિક ચર્ચાની રુચિનો અભાવ હોય છતાં જૈન શાસનના મૌલિક અનેકાંત સિદ્ધાંત-નય-પ્રમાણ વગેરે પદાર્થો જાણાવાની તીવ્ર ઝંખનાવાળા સાધકો આ ગ્રંથના અભ્યાસ દ્વારા જીવનના પ્રત્યેક વ્યવહારોમાં અનેકાંત સિદ્ધાંતનો ઉપયોગ કરી જીવનને પરમાત્માની આજ્ઞામય બનાવે તેવા એકમાત્ર આશયથી આ ગ્રંથનું સંપાદન-રચના-કાર્ય કરવામાં આવ્યું છે. 2010_02 Page #36 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય નિર્મળભાવે શક્તિ અનુસારે કરાયેલ આ શુભ યત્નમાં જ્યાં ક્યાંય પણ વીતરાગ ૫રમાત્માના વચનથી કે ગ્રંથકાર, વૃત્તિકાર મહર્ષિના આશયથી વિપરીત આલેખાયું હોય તો તે અંગે નિર્મળ ભાવને વરેલા અધિકૃત વિદ્વાનો ધ્યાન દોરી ઉપકૃત કરે તેવી વિનંતી કરું છું. તેમના દ્વારા જો કોઈ તેવી ક્ષતિ બતાવાશે તો સાભાર તેનો સ્વીકાર કરી આગળની આવૃત્તિમાં અને શક્ય હોય ત્યાં સુધી ચાલુ આવૃત્તિમાં પણ ત્વરિત તેનો સુધારો કરવામાં આવશે. સંઘ સ્થવિર પૂ.આ.શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજાની ૫૦મી સ્વર્ગારોહણતિથિદિન, શેઠ શ્રી મોતીશા લાલબાગ જૈન સંઘ, ભૂલેશ્વર, મુંબઈ. વિ.સં. ૨૦૬૫, ભાદરવા વદ ૧૪ 2010_02 સંઘસન્માર્ગદર્શક, સમત્વયોગના સ્વામી, વ્યાખ્યાનવાચસ્પતિ, તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવેશ 31 શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યોત્તમ વિશસ્થાનક તપપ્રભાવક વર્ધમાનતપોનિધિ આજીવનગુરુચરણસેવી પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાનો ચરણસેવક આચાર્ય વિજય કીર્તિયશસૂરિ. Page #37 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणम् - भाग-२, अनुक्रमणिका કાંડ-૧ | ગાથા વિષય = = = ૧ જૈન શાસનની સ્તવનારૂપ મંગલાચરણ ૨ ગ્રંથ રચનાનો ઉદ્દેશ ૩ મુખ્ય બે નયો-દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય, બાકીના નયો તેના ભેદ સ્વરૂપ છે. ૪ દ્રવ્યાસ્તિકનયના ભેદો - સંગ્રહ અને વ્યવહાર ૫ પર્યાયાસ્તિકનયના ભેદો-ઋજુસૂત્ર વગેરે ચાર નવો ૬ નિક્ષેપાઓમાં નયોની વ્યાપકતા ૭ મુખ્ય નયો નિરપેક્ષ હોય તો મિથ્થારૂપ છે. ૮ બંને નયોનો સાધારણ વિષય અર્થાત્ જ્ઞાનની અનેકાંતતા ૯ વિવલાથી જ નયોનો ભેદ ૧૦ અન્ય નયનો વિષય અન્ય નય માટે અવિષયભૂત ૧૧ પરસ્પર નિરપેક્ષ બંને નયોને માન્ય વસ્તુનું ભિન્ન ભિન્ન સ્વરૂપ ૧૨ પરસ્પર નિરપેક્ષ દ્રવ્ય અને પર્યાયનો અભાવ જણાવવાપૂર્વક દ્રવ્યનું લક્ષણ ૧૩ ઉત્પાદ વગેરે ત્રણે લક્ષણ બને ક્યારે ? ૧૪ બંને નન્યો અનેકાંત સ્વરૂપ બનવામાં કારણ ૧૫ નિરપેક્ષ એવા સર્વનયો દુર્નય થવાનું કારણ ૧૬ મૂળનયોને દૂષિત કરવાથી અન્યનયો પણ દૂષિત થવાનું કારણ ૧૭ નિરપેક્ષ એવા કોઈપણ એક નયમાં સંસાર ન ઘટવાનું કારણ ૧૮ નિરપેક્ષ એવા કોઈપણ એક નયમાં સુખ દુઃખનો સંબંધ ન ઘટવાનું કારણ ૧૯ નિરપેક્ષ એવા કોઈપણ એક નયમાં કર્મબંધ-સ્થિતિ ન ઘટવાનું કારણ ૨૦ કર્મબંધના અભાવે સંસાર-મોક્ષ ન ઘટી શકે ૨૧ સર્વનય સમ્યકત્વના કારણે ક્યારે બને ? ૨૨ રત્નોના દૃષ્ટાંતથી નિરપેક્ષ નો સમ્યક્ બનતાં નથી તેનું કથન ૨૩ રત્નોના દૃષ્ટાંતથી નિરપેક્ષ નય સમ્યક બનતાં નથી તેનું કથન ૨૪ રત્નાવલીના દૃષ્ટાંતથી સાપેક્ષ નો સમ્યક્ બને છે તેનું કથન ૨૫ રત્નાવલીના દૃષ્ટાંતથી સાપેક્ષ નો સમ્યક્ બને છે તેનું કથન 2010_02 To E ૩૪ ३४ ૩૫ ૩૮ ૩૯ ૩૯ Page #38 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પત્ર ૪ર જે પર ૫૪ ૫૪ પ૭ પ૮ 9 > > 0 - ) ) - ગાથા વિષય (કાંડ-૧) ૨ફ દૃષ્ટાંતના ગુણો ૨૭ કાર્ય-કારણ અંગે પ્રચલિત અન્ય દર્શનની મિથ્યા માન્યતાઓનું ખંડન ૨૮ પોતાનાથી અન્ય નયનું ખંડન કરનારા નયો મિથ્થા સ્વરૂપ ૨૯ બંને મૂળ નયોની વિષયમર્યાદા ૩) પર્યાયાસ્તિક નયના વિષય સ્વરૂપ ભેદનું વિશેષ વર્ણન ૩૧ એક દ્રવ્ય અનેક થવાનું કારણ ૩૨ વ્યંજનપર્યાય અને અર્થપર્યાયનું દૃષ્ટાંત દ્રવ્યને એકાંતે એક અથવા અનેક માનવામાં આવતા દોષો વ્યંજનપર્યાય અને અર્થપર્યાયનો વિષય તથા ઉપસંહાર ૩પ અનેકાંત વસ્તુમાં એકાંતત્વનું કથન વકતાની અજ્ઞાનતાને સૂચવનાર ૩૬ સપ્તભંગીના પ્રથમ ૩ ભંગ ૩૭ સપ્તભંગીનો ચોથો ભંગ ૩૮ સપ્તભંગીનો પાંચમો ભંગ ૩૯ સપ્તભંગીનો છઠ્ઠો ભંગ ૪૦ સપ્તભંગીનો સાતમો ભંગ ૪૧ વ્યંજનપર્યાયમાં અને અર્થપર્યાયમાં સપ્તભંગીનું સ્વરૂપ ૪૨ માત્ર પર્યાયનયની દેશનામાં પૂર્ણતાનો અભાવ ૪૩ માત્ર દ્રવ્યાસ્તિકનયની દેશનાનું સ્વરૂપ ૪૪ નિરપેક્ષ દ્રવ્યાસ્તિકનયમાં પૂર્ણતાનો અભાવ ૪૫ પુરુષરૂપ દૃષ્ટાંતમાં ભેદભેદ સંબંધનું કથન ૪૬ દૃષ્ટાંત-દાષ્ટ્રતિકભાવ ૪૭ પાણી અને દૂધના દૃષ્ટાંતથી જીવ અને કર્મના અવિભાગનું કથન ૪૮ જીવન અને કર્મને આશ્રિત જ્ઞાનાદિ તથા રૂપાદિનું પણ અવિભાગનું કથન ૪૯ જીવ અને પુદ્ગલના એકમેકપણાથી થતા શાસ્ત્રીય વ્યવહારો ૫૦ જૈન શાસનમાં બાહ્ય અને અત્યંતરના વિભાગની સ્પષ્ટતા ૫૧ દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયની પ્રરૂપણા પર નિરપેક્ષ એવા દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયની પ્રરૂપણાનું ફળ પ૩ જૈન શાસનની ઔત્સર્ગિક પ્રરૂપણાનું સ્વરૂપ ૫૪ જૈન શાસનની અપવાદિક પ્રરૂપણાનું સ્વરૂપ 9 P ) V ) - V * ૭૪ ૭૫ ૭૮ ' - = 0) 2010 02 Page #39 -------------------------------------------------------------------------- ________________ 34 ગાથા ૧ ૨ ૩ ૪ ૬ 6 ૫૨-અનુમાનથી ખંડન ८ ૧૦ ૧૧ sis-2 દર્શન અને જ્ઞાનનું સ્વરૂપ દર્શનમાં વિશેષસાપેક્ષ સામાન્યબોધ અને જ્ઞાનમાં સામાન્યસાપેક્ષ વિશેષબોધ વિષય સહવાદ પક્ષનું સ્થાપન ઃ છદ્મસ્થના જ્ઞાન અને દર્શન ભિન્નકાલીન, કેવલીના જ્ઞાન અને દર્શન સમકાલીન ક્રમવાદિપક્ષ અને સહવાદીએ કરેલ તેનું ખંડન : ક્રમવાદ = કેવલીમાં જ્ઞાન અને દર્શન ક્રમિક સહવાદ = ૧-ક્રમવાદી તીર્થંકરની આશાતનાથી ડરતા નથી. આગમ સૂત્રનું અર્થઘટન, સમર્જ - તુલ્યમ્ કેવલજ્ઞાનાવરણીયના નાશથી કેવલજ્ઞાનની જેમ કેવલદર્શનાવરણીયના નાશથી તે જ કાળે કેવલદર્શનની ઉત્પત્તિ ૩ - અનુમાનથી ખંડન : મતિજ્ઞાનાવરણીય વગેરેના નાશથી મતિજ્ઞાન વગેરે જેમ ભિન્ન ન ઘટે તેમ કેવલદર્શનનો પણ ભિન્ન અસંભવ. ૪ - આગમથી ખંડન : કેવલજ્ઞાન સાદિ - અનંત છે. જ્ઞાન અને દર્શનને ક્રમિક માનતાં જ્ઞાનની હાજરીમાં દર્શન અને દર્શનની હાજરીમાં જ્ઞાન ન સંભવતાં બંને સાદિ-સાંત માનવા પડશે. ૫ - તર્કથી ખંડન : ક્રમિક માનશો તો બેમાંથી પહેલી ઉત્પત્તિ કોની ? સહવાદિ પક્ષનું અર્થઘટન તથા એકોપયોગવાદી ગ્રંથકાર દ્વારા તેનું ખંડન ૯ સહવાદિ = બંનેની ઉત્પત્તિ એક જ સમયે 2010_02 સિદ્ધાંતિ ૧-એક જ સમયે બે ઉપયોગનો અસંભવ ૨ - દરેક સમયે સર્વજ્ઞ - સર્વદર્શી માનવા પડે અથવા દરેક સમયે સર્વજ્ઞ-સર્વદર્શી નથી, એવું માનવું પડે. ૩ - જ્ઞાન વ્યક્ત છે અને દર્શન અવ્યક્ત છે, કેવલીને વ્યક્ત-અવ્યક્તનો ભેદ કઈ રીતે ઘટે ? અનુક્રમણિકા પત્ર ૯૧ ૯૪ ૯૬ ८८ ૧૦૨ ૧૦૨ ૧૦૩ ૧૦૮ ૧૦૭ ૧૦૮ ૧૦૯ Page #40 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ગાથા પત્ર ૧૦૯ ૧૧૦ ૧૧૦ ૧૧૫ ૧૧૭ ૧૧૮ ૧૨૦ વિષય (કાંડ-૨) ૧૨ ૪ - ક્રમવાદીમતે એક સમયે જ્ઞાતદષ્ટ બોલે છે તે ઘટતું નથી, સહવાદીમતે એક સમયે અદષ્ટજ્ઞાત બોલશે અથવા અજ્ઞાતદષ્ટ બોલશે તેવું માનવું પડશે. ૧૩ ૫ - અજ્ઞાતવસ્તુ દષ્ટ થઈ અને અષ્ટવસ્તુ જ્ઞાત થઈ. તો પછી સર્વજ્ઞપણું કઈ રીતે ઘટે ? ૧૪ ૬ – બંને અનંત હોવા છતાં જ્ઞાનથી દર્શન અલ્પ ઘટશે. ૧૫ ક્રમવાદિ = ઉપયોગ ક્રમિક હોવા છતાં શક્તિથી જેમ ચાર જ્ઞાની કહેવાય, તેમ કેવલજ્ઞાન-કેવલદર્શન ઘટે. સિદ્ધાંતિ = જેમ કેવલી પંચજ્ઞાની ન ઘટે, તેમ ભેદથી જ્ઞાનવાન દર્શનવાનું પણ ન ઘટે. ૧૬-૧૭ ચાર જ્ઞાનના દૃષ્ટાંતનું સ્પષ્ટીકરણ : ચારે જ્ઞાનનો વિષય પરિમિત હોવાથી તેમાં ક્રમિક ઉપયોગ ઘટે. પણ કેવલજ્ઞાન-દર્શનનો વિષય અપરિમિત હોવાથી ક્રમિક ઉપયોગ ન ઘટે. ૧૮ સિદ્ધાંતિ = અર્થ મુજબ જ સૂત્રની વ્યાખ્યા કરવાથી આગમવિરોધ નહિ ઘટે ૧૯ કેવલજ્ઞાનથી કેવલદર્શનના ભિન્ન ઉલ્લેખનું કારણ : ૧-મન:પર્યાયજ્ઞાનમાં માત્ર વિશેષનો બોધ છે. જ્યારે કેવલ ઉપયોગમાં સામાન્ય અને વિશેષ ઉભયનો બોધ છે. ૨૦ ૨- આગમમાં દર્શનના ચાર ભેદ કહ્યા છે. ૨૧-૨૨ એકદેશીમત મુજબ દર્શન-જ્ઞાનનું સ્વરૂપ : જેમ મતિજ્ઞાનમાં અવગ્રહ માત્રને દર્શન અને વિશેષિતબોધને જ્ઞાન કહેવાય, તેમ કેવલજ્ઞાન-દર્શનમાં તફાવત સમજવો. દર્શનપૂર્વક જ્ઞાન છે. પણ જ્ઞાનપૂર્વક દર્શન નથી, માટે બે વચ્ચે કથંચિત્ ભેદ છે. ૨૩-૨૪ એકદેશીમતમાં આવતા દોષો : શાસ્ત્રમાં જ્ઞાનના આઠ ભેદ છે. જ્યારે દર્શનના ચાર ભેદ છે. શાસ્ત્રમાં શ્રોત્રદર્શન - શ્રોતજ્ઞાન આવા ભેદની પ્રસિદ્ધિ નથી. ચક્ષુદર્શન અને ચાક્ષુષજ્ઞાન ભેદની શાસ્ત્રમાં પ્રસિદ્ધિ ૨૫ ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન શબ્દનો અર્થ : અસ્પષ્ટ – અવિષયભૂત પદાર્થનો બોધ તે દર્શન ૧૨૨ ૧૨૩ ૧૨૪ ૧૨૭ ૧૩૦ 2010_02 Page #41 -------------------------------------------------------------------------- ________________ 36 અનુક્રમણિકા ગાથા પત્ર ૧૩૨ ૧૩૩ ૧૩૫ ૧૩૬ ૧૩૭ ૧૩૯ ૧૪૧ ૧૪૧ વિષય (કાંડ-૨) ૨૦ પૂર્વપક્ષ = આ વ્યાખ્યા મુજબ મન:પર્યાયજ્ઞાનને પણ દર્શન કહેવાની આપત્તિ આવશે. સિદ્ધાંતિ = મનઃપર્યાય જ્ઞાનનો વિષય મનોદ્રવ્ય છે. ઘટ વગેરે દ્રવ્ય નથી. ૨૭ જ્ઞાન એ જ દર્શન સ્વરૂપે છે. ૨૮ શ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષબોધનો અભાવ હોવાથી ‘દર્શન' શબ્દ ન સંભવે. ૨૯ અવધિજ્ઞાનમાં પ્રત્યક્ષ બોધ હોવાથી ‘દર્શન' શબ્દ સંભવે. ૩) કેવલજ્ઞાનમાં પણ પ્રત્યક્ષ બોધ હોવાથી ‘દર્શન’ શબ્દ સંભવે. ૩૧ નિષ્કર્ષરૂપે સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતનું સ્પષ્ટીકરણ. સ્વસિદ્ધાંત = એક જ કેવલોપયોગ બંને સ્વરૂપે છે. પરસિદ્ધાંત = કેવલજ્ઞાન અને કેવલદર્શન ક્રમિક ઉત્પન્ન થાય છે. “સમ્યગદર્શન’ શબ્દનું સ્પષ્ટીકરણ ૩૨ શ્રદ્ધા અર્થમાં વપરાતો ‘સમ્યગ્દર્શન’ શબ્દ સમ્યજ્ઞાન સ્વરૂપ જ છે. ૩૩ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન બંને અર્થથી એકરૂપ જ ઘટે છે. “કેવલજ્ઞાન સાદિ-અનંત છે” આ સૂત્રનું સ્પષ્ટીકરણ : ૩૪ પૂર્વપક્ષ = કેવલજ્ઞાન આદિ-અનંત હોવાથી તેનો નાશ ઘટી શકે નહિ. ૩પ સિદ્ધાંતિ = ૧-સિદ્ધિ પામતાં સમયે કેવલી ભગવંતના સંઘયણ વગેરે નાશ પામતાં હોવાથી તેનાથી અભિન્ન કેવલપર્યાય પણ નાશ પામે છે. (કેવલજ્ઞાનનો નાશ) ૩૬ ૨-સિદ્ધપણાની ઉત્પત્તિ સાથે કેવલી પર્યાય પણ ઉત્પન્ન થાય છે. (કેવલજ્ઞાનની ઉત્પત્તિ) ૩ - સત્તારૂપે કેવલપર્યાય સાદિ-અનંત છે. (કેવલજ્ઞાનનું ધ્રુવપણું) જીવ અને તેના જ્ઞાનાદિ પર્યાયો ભિન્ન હોવાની શંકાનું સ્પષ્ટીકરણ ૩૭ પૂર્વપક્ષ = જીવ અનાદિ અનંત છે અને કેવલજ્ઞાન સાદિ અનંત છે, માટે જીવ કેવલજ્ઞાનરૂપ કઈ રીતે ઘટે ? ૩૮ પૂર્વપક્ષ = તેથી જીવ ભિન્ન છે અને તેના જ્ઞાનાદિ પર્યાયો પણ ભિન્ન છે. ૩૯ સિદ્ધાંતિ = એકાંતપક્ષનું ખંડનપૂર્વમાં થઈ ચૂક્યું છે. હવે દૃષ્ટાંત કહેવાશે. ૪૦-૪૧ દષ્ટાંત વડે પદાર્થનું સ્પષ્ટીકરણ ૪૨ દ્રવ્ય એ પર્યાયથી એકાંતે ભિન્ન નથી ૪૩ આત્મ દ્રવ્યનું સ્વાભાવિક અને વૈભાવિક પર્યાયો વડે એકપણા-અનકપણાનું વર્ણન ૧૪૪ ૧૪૪ ૧૪૮ ૧૪૮ ૧૪૮ ૧૪૮ ૧૪૯ ૧૫૦ ૧૫૪ 2010_02 Page #42 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ગાથા 5 ૧ ૨ ૩ આપ્તવચનનું સ્વરૂપ ૪ દ્રવ્ય જે સ્વરૂપે પરિણત થયું છે તેનું વર્ણન ૫ પદાર્થનું અસ્તિત્વ તથા નાસ્તિત્વમાં નિયામક તત્ત્વ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ વિષય પરસ્પર જોડાયેલા સામાન્ય અને વિશેષનું વર્ણન સામાન્ય અને વિશેષનું નિરપેક્ષપણે રજૂ ક૨વાનું ફળ ૭ એક પુરુષમાં ભેદાભેદની વ્યવસ્થા 9_n ૢ કાંડ-૩ એકાંતે વર્તમાનપર્યાય માનતાં આવતી આપત્તિનું નિરાકરણ દ્રવ્ય અને ગુણ વચ્ચે એકાંતે ભેદ માનનાર પૂર્વપક્ષનું ખંડન પૂર્વપક્ષ = દ્રવ્ય અને ગુણ વચ્ચે એકાંતે ભેદ છે ઉત્તરપક્ષ = ગુણ શબ્દના વિષયમાં પરીક્ષા ક૨વા યોગ્ય છે. ગુણાસ્તિક નયનું અકથન પર્યાયો ગુણથી જુદા નથી પર્યાય અને ગુણની વ્યાખ્યામાં સમાનતા પૂર્વપક્ષ=આગમમાં ગુણાર્થિક નય પણ ઉપદેશાયેલ છે. ઉત્તર૫ક્ષ=આગમમાં કરેલ ગુણ શબ્દનું સ્પષ્ટીકરણ દૃષ્ટાંત વડે ગુણ શબ્દનું સ્પષ્ટીકરણ દ્રવ્ય અને ગુણ વચ્ચે એકાંતે અભેદ માનનારા પક્ષનું ખંડન પૂર્વપક્ષ=દ્રવ્ય-ગુણનો એકાંતે અભેદ ૧૬ ૧૭ પૂર્વપક્ષ=દૃષ્ટાંતપૂર્વક એકાંત અભેદનું સ્પષ્ટીકરણ પૂર્વપક્ષ=દૃષ્ટાંત-દાષ્કૃતિકભાવ ૧૮ ૧૯ સિદ્ધાંતપક્ષ=સંબંધથી પિતા વગેરે વ્યવહાર ઘટે પણ નાના-મોટાનો વ્યવહાર કઈ રીતે ઘટે ? પૂર્વપક્ષ=વિશેષ સંબંધથી તે પણ ઘટશે. સિદ્ધાંતપક્ષ=વિશેષ સંબંધથી વિશેષ પરિણામની અઘટમાનતા દ્રવ્યમાં થતી વિષમતાનું કા૨ણ એકાંત ભેદવાદીએ રજૂ કરેલ દ્રવ્ય-ગુણનું બીજું લક્ષણ અને તેના ભેદવાદની સમાલોચના . 2010_02 37 પત્ર ૧૫૭ ૧૫૮ ૧૬૨ ૧૬૨ ૧૬૬ ૧૬૯ ૧૭૧ ૧૭૩ ૧૭૪ ૧૭૪ ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૭૬ ૧૭૭ ૧૮૩ ૧૮૩ ૧૮૩ ૧૮૫ ૧૮૭ ૧૮૮ ૧૮૯ ૧૯૨ Page #43 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૫ત્ર ૧૯૩ ૧૯૪ ૧૯૪ 0) ૧૯૭ ૨૯ ૧૯૮ ૨૦૧ ૨૦૨ ૨૦૨ ૨૦૬ 0 - 9 ૨૦૬ ) ૩૪ ગાથા વિષય (કાંડ-૩) ૨૪ એકાંત ભેદવાદીએ રજૂ કરેલ દ્રવ્ય-ગુણનું બીજું લક્ષણ અને તેના ભેદવાદની સમાલોચના ૨૫ એકાંત ભેદ તથા એકાંત અભેદ સંબંધી પ્રસ્તુત ચર્ચાનું પ્રયોજન . શ્રી જિનોપદેશમાં એકાંત ભેદવાદ તથા એકાંત અભેદવાદનો અભાવ અનેકાંત સિદ્ધાંત પણ અનેકાંતથી જ સમજાય ૨૮ અનેકાંતની વ્યાપકતા અનેકાંતને વ્યાપક જણાવનાર ગતિયુક્ત દ્રવ્યનું દૃષ્ટાંત ૩૦ અનેકાંતને વ્યાપક જણાવનારા ગુણનિષ્પન્ન નામોનું દૃષ્ટાંત ૩૧ અનેકાંતને વ્યાપક જણાવનાર કુંભ અને જીવનું દૃષ્ટાંત દ્રવ્યના ઉત્પાદનું સ્વરૂપ સ્વાભાવિક ઉત્પાદનું સ્વરૂપ દ્રવ્યના નાશનું સ્વરૂપ ૩પ ઉત્પાદ-નાશ-સ્થિતિનો કાળભેદથી ભેદભેદ ૩૬ એક જ સમયમાં ઉત્પાદ વગેરે ત્રણનું દૃષ્ટાંત વડે સ્પષ્ટીકરણ ૩૭ એક જ દ્રવ્ય ત્રણે કાળના વિષયથી વિશિષ્ટ ૩૮ વિભાગજ ઉત્પાદને નહિ માનનાર વૈશેષિકમતની રજૂઆત ૩૯ વિભાગથી થનારા ઉત્પાદનું સ્વરૂપ એક દ્રવ્યના વિભાગથી અનેક દ્રવ્યની ઉત્પત્તિ ૪૧ ઉત્પાદ-વિનાશ-સ્થિતિની સમાનતા ૪૨ દ્રવ્યના ઉત્પાદના પ્રકારો ૪૩ હેતુવાદ અને અહેતુવાદરૂપ ધર્માવાદ ૪૪ હેતુવાદરૂપ ધર્માવાદનું સ્વરૂપ ૪૫ સિદ્ધાંતની પ્રરૂપણામાં કુશળતા ક્યારે ? ૪૬ પરિશુદ્ધ અને અપરિશુદ્ધ નયવાદનું સ્વરૂપ ૪૭ જેટલાં વચનમાર્ગો તેટલાં પરદર્શનો ૪૮ સાંખ્યદર્શન અને બૌદ્ધદર્શનના આધારભૂત નયો ૪૯ વૈશેષિકમતના શાસ્ત્રો મિથ્યા હોવાના કારણો ૫૦ નિરપેક્ષ નયોને આશ્રિત મતોમાં મિથ્યાત્વનો અવિનાભાવ ૫૧ સાપેક્ષ તથા નિરપેક્ષનયોનું ફળ ૨૦૭ ૨૦૭ ૨૧ર ૨૧૩ ૨૧૭ ૨૧૭ ૨૧૮ ૨૧૮ ૪૦ એક જ ૨૧૯ ૨૨૪ ૨૨૪ ૨૨૫ ૨૨૯ ૨૩૦ ૨૩૨ ૨૩૩ ૨૩૫ ૨૩૬ 2010 02 Page #44 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પત્ર ગાથા વિષય (કાંડ-૩) પર ઘટ દષ્ટાંત વડે સ્પષ્ટીકરણ પ૩ કાળ વગેરે કારણોનું મિથ્યાપણું અને સમ્યપણું ૫૪ નાસ્તિ વગેરે છ મતોનું મિથ્યાપણું પપ ગતિ વગેરે છ મતોનું મિથ્યાપણું અનેકાંતદષ્ટિના અભાવે વાદમાં આવતા દોષો નયોમાં સાપેક્ષતા તથા નિરપેક્ષતાનું ફળ વાદમાં અનેકાંતવાદીને જીતવો અશક્ય પ૯ વાદમાં કુશળતાના કારણો SO સ્યાદ્વાદ પ્રરૂપણાનો માર્ગ ૬૧ વિવેક વગરનો આગમબોધ અજ્ઞતાનો સૂચક છે કર વિવેક વગરના આગમબોધનું ફળ ૯૩ સિદ્ધાંત પ્રરૂપણાના અધિકારીના લક્ષણો ૬૪ અર્થનું જ્ઞાન નયવાદથી જ થાય ૬૫ સૂત્રજ્ઞાતાએ અર્થપ્રાપ્તિમાં પ્રયત્ન કરવો શાસ્ત્રપર્યાલોચન વગરના બાહ્ય આડંબરમાં આવતા દોષો ક૭ સ્વ-પર સિદ્ધાંતની વિચારણા વગર ચારિત્રના સારની અપ્રાપ્તિ ૬૮ માત્ર જ્ઞાન કે માત્ર ક્રિયાથી મોક્ષનો અભાવ ૧૯ જિનવચનની કલ્યાણ કામના ૨૩૮ ૨૩૯ ૨૪૧ ૨૪૧ ૨૪૪ ૨૪૫ ૨૪૬ ૨૪૮ ૨૪૯ ૨૫) ૨૫૧ ૨૫૩ ૨૫૪ ૨૫૫ ૨૫૬ ૨૫૭ ૨૬૦ ૨૬૧ 2010_02 Page #45 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणम् भाग-२ [ अर्वाचीनविभागः ] [ प्रार्श्वप्रभाटीका - छाया - अन्वयार्थ गाथार्थ तात्पर्यार्थराजितम् ] 2010_02 सूचनम् मुद्रणव्यवस्थादोषेन 'श्च' स्थाने 'प्टा' अभवत् । तेन ग्रन्थमध्ये यत्र यत्र 'प्टा' दृश्यते तत्र तत्र 'श्च' पठनीयः । Page #46 -------------------------------------------------------------------------- ________________ दीक्षायुगप्रवर्तकभावाचार्यभगवदाचार्यदेवश्रीमद्विजयरामचन्द्रसूरीश्वराणामन्तेवासिनां वर्धमानादितपोलक्ष्मीगोविन्दाचार्यदेवश्रीमद्विजयगुणयशसूरीश्वराणां चरणाम्भोजालिबालदीक्षामार्गसंरक्षकप्रवचनप्रभावकाचार्यदेवविजयकीर्तियशसूरिप्रणीतपार्श्वप्रभाटीकासमेते तार्किकशिरोमणिदर्शनप्रभावकशास्त्रप्रणेतृश्रीसिद्धसेनदिवाकरसूरिप्रणीते संमतितर्कप्रकरणे प्रथमकाण्डः । [नयकाण्डः] युगादौ हि कृता येन, प्रमाण-नयवर्णना । अनेकान्तजनिः यस्मात्, नन्दतान्नाभिनन्दनः ।।१।। एकान्तदृग्समुत्पन्न-मग्नितापप्रशान्तकृत् । श्रीशान्तिस्तान्तिभिद् भूया-दनेकान्तपयोधिना ।।२।। श्रीशैवेयं जिनं स्तौमि, भीताः कृष्णादयो यथा । यस्य शङ्खप्रघोषेणा-नेकान्तेन हि दुर्नयाः ।।३।। चित्रमुद्भवदेकान्तं, नष्टीकर्तुमिव प्रभुः । अनेकान्तं समाश्रित्य, श्रीपार्थो बहुरूपभाक् ।।४।। नय-प्रमाण-निक्षेप-सप्तभङ्गीप्ररूपकः । अनेकान्तप्रणेता स, जयति ज्ञातनन्दनः ।।५।। सिद्धसेनाभयाचार्य-यशोविजयवाचकान् । रामचन्द्रगणाधीशं, नौमि गुणयशोगुरुम् ।।६।। येषां प्रत्यक्षया वाचा, परोक्षवचनेन च । प्रादुर्भूता विवेकश्रीः, तद्गुरुभ्यो नमो नमः ।।७।। यद्यपि बहव्यष्टीकाः, रचिताः पूर्वसूरिभिः । व्यष्टोका पता: वारा भाषा-दर्शनचर्चायाः, काठिन्येन न लक्षिताः ।।८।। 2010_02 Page #47 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-१ यैस्तेषां मन्दबुद्धीनां, सदुपकृतिहेतवे । वृत्तिः संमतितर्कस्य, कुर्वे पार्श्वप्रभाभिधा।।९।। इह हि शारीरमानसाधनेकदुःखसन्तप्तेनाष्टविधकर्मावबद्धेन जन्तुना तद्धानाकाक्षिणावश्यमेव जिनवचनमुपायत्वेनोपादेयम् । यतस्तदेव यथार्थावगमसंपादनद्वारेण तन्निर्मूलनायालम् । तस्य चावगतये चतुर्णामनुयोगद्वाराणामध्ययनमपेक्षितम् । अनुयोगं विना सूत्राणामविसंवादि ज्ञानं न सम्भवति । द्रव्य-गणित-चरण-कथारूपे च तस्मिन् द्रव्यानुयोग एव प्रधानः । स च दुर्ग्राह्यो मन्दमतीनामिति तद्व्युत्पादनार्थं श्री सिद्धसेनाचार्याः सन्मतितर्काख्यं प्रकरणं विरचयन्ति। तत्त्वार्थाधिगमे नयप्रमाणपरिज्ञानमुपयुज्यते, तदुक्तं भगवतोमास्वातिना 'प्रमाणनयैरधिगमः' [तत्त्वार्थ-१/४] तत्त्वानामिति भावः । द्रव्यानुयोगे प्रधानतया तत्त्वस्य प्रमाणेन नयैप्टााधिगमः क्रियते । ताभ्यां तत्त्वनिर्णयप्रकारो हि प्रकरणस्यास्य प्रतिपाद्यः । अत्र प्रथमे काण्डे नयस्वरूपम्, द्वितीय उपयोगस्वरूपं तृतीये च प्रमेयस्वरूपमुपवर्णितं श्रीमद्भिः । तत्र नयकाण्डमारभमाणो ग्रन्थकारोऽसाधारणगुणोत्कीर्तनरूपपारमार्थिकस्तवनया शासनस्य स्तवाभिधायिकां मङ्गलगाथामाह - सिद्धं सिद्धत्थाणं ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं सासणं जिणाणं भवजिणाणं ।।१।। अनुपमसुखं स्थानमुपगतानां भवजिनानां जिनानां शासनं सिद्धं सिद्धार्थानां प्रतिपादकं कुसमयविशासनं चेति अन्वयः । अवयवार्थस्तु स्थानम् तिष्ठन्ति सकलकर्मक्षयोत्पन्नानन्तज्ञानाद्यष्टगुणाः शुद्धात्मानोऽस्मिन्निति स्थानं लोकाग्रलक्षणम, स्थितिर्वा स्थानमात्मस्वरूपप्राप्तिरित्यर्थः । अनुपमसुखं न विद्यते उपमा यस्य तदनुपमम्, अनुपमं सुखमानन्दरूपं यस्मिंस्तदनुपमसुखं मोक्षसुखमित्यर्थः, स्वाभाविकत्वेनात्यन्तिकत्वेन सकलव्याबाधारहितत्वेन च मोक्षसुखस्य सर्वसुखातिशायित्वात् । तत् स्थानमुपगतानाम् 'उप' इति कालसामीप्येन गतानां प्राप्तानाम्, अघातिकर्मणां यावता कालेन क्षयस्स्यात्तावता कालेन व्यवधानं येषां तेषामित्यर्थः, यद्वा प्रकर्षेण गतानां यद्वा प्रकर्षेणापुनरावृत्त्या गतानामुपगतानाम् । सर्वोत्कृष्टसुखशालिमुक्तिलक्षणस्थानं स्वल्पकालेन 2010_02 Page #48 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड - १, गाथा - १ गन्तॄणां भवजिनानां भवन्त्यस्मिन् कर्मवशवर्त्तिनः प्राणिन इति भवः संसारः, तद्धेतुत्वाद् रागादयोऽपि भवशब्दवाच्याः, तं जितवन्त इति भवजिनास्तेषां भवजिनानाम् । जिनानाम् तीर्थकरपरमात्मनाम् शासनम्-शास्यन्ते-प्रकाश्यन्ते जीवादयः पदार्था यथावस्थितत्वेनानेनेति शासनं द्वादशाङ्गम् । सिद्धं प्रतिष्ठितम् - स्वमहिम्नैव निष्टितप्रामाण्यं स्वतः सिद्धं नातः प्रकरणात् प्रतिष्ठाप्यम् । तथा सिद्धार्थानाम् - सिद्धाः प्रमाणान्तरसंवादतो निष्टिता येऽर्थाः पदार्थास्तेषां प्रतिपादकम् इति शेषः, अर्हत्सर्वज्ञशासनम् । तथा कुसमयविशासनम् सम्यक् प्रमाणान्तराविसंवादित्वेनेयन्ते ज्ञायन्ते इति समया नष्ट - - मुष्टि-चिन्ता-लाभाऽलाभादयः पदार्थाः, तेषां विविधम्-अन्यपदार्थकारणत्वेन कार्यत्वेन चानेकप्रकारेण शासनं प्रतिपादकमिति समयविशासनम्, कुः पृथ्वी तस्याः प्रतिपादनमिव समयानां प्रतिपादकं जिनशासनमथवा कुत्सिता एकान्तप्रमाणबाधितार्थप्रतिपादकाः समयाः कपिलादिप्रणीतसिद्धान्ताः कुसमया जैनेतरदर्शनास्तेषां विशासनंविध्वंसकम्, दृष्टेष्टविषये विरोधाद्युद्भावकत्वेनेति कुसमय• विशासनं द्वादशाङ्गमेव जिनानां शासनम् । - अयम्भावः - अनेकान्तवादमूलं जैनशासनम् । ततोऽत्र ग्रन्थे ग्रन्थकारेण विविधैः प्रकारैः प्रपञ्चिता अनेकान्तवादस्य प्ररूपणा । तदनेकान्तवादस्य यथार्थप्ररूपकानां जिनेश्वराणां तत्शासनस्य च स्वरूपमस्यां गाथायां ग्रन्थकारमहर्षिणा दर्शयित्वा कृतं प्रारम्भमङ्गलम् । 'सिद्धं, सिद्धत्थाणं, कुसमयविसासणमिति त्रीणि विशेषणानि शासनस्य तथा 'ठाणमणोवमसुहमुवगयाणं, भवजिणाण 'मिति द्वे विशेषणे जिनेश्वराणाम् । प्रत्येकविशेषणेन खण्डितानि प्रमाणबाधितैकान्तमतानि । तत्प्रष्टुकामैस्तर्कपञ्चाननश्रीमदभयदेवसूरीश्वरकृता टीका द्रष्टव्या । 19 ।। 2010_02 ३ અવ. અનંત દુખમય સંસારથી છૂટવાનો અને અનંત સુખમય મોક્ષને પામવાનો અવંધ્ય ઉપાય હોય તો તે એક માત્ર રત્નત્રયીની આરાધના છે અને આ રત્નત્રયીને આત્મસાત્ કરવાનો ઉપાય જિનવચનની ઉપાસના છે. જિનવચનો સમુદ્ર જેવા ગંભીર છે. સૂક્ષ્મ અને પરિકર્મિત બુદ્ધિ વિના જિનવચનનો પરમાર્થ પામી શકાતો નથી. જિનવચનોને સહેલાઈથી સમજી શકાય તે માટે તેમને ચાર અનુયોગમાં વહેંચવામાં खाव्या छे. १ - द्रव्यानुयोग; २ - गणितानुयोग, उ- थरारणानुयोग अने ४- धर्मस्थानुयोग. अनुयोगने समष्ठवाना यार द्वार आगमोभां छे. १ - उपद्रुम, २- निक्षेप, उ- अनुगम अने ४- नय. तेमां नयोना ज्ञान Page #49 -------------------------------------------------------------------------- ________________ સંતિતપ્રકર, -૨, પથા-૨ છાયા : વિના અનુયોગનું પ્રવર્તન થતું નથી. નયો દ્વારા પદાર્થની વિચારણા દ્રવ્યાનુયોગમાં કરાય છે. આમ, દ્રવ્યાનુયોગ માટે નયોનું જ્ઞાન અનિવાર્ય છે. પ્રસ્તુત પ્રકરણમાં નવો દ્વારા વસ્તુના સ્વરૂપની વિચારણા કરવામાં આવી છે. દ્રવ્યાનુયોગના આ મહાન ગ્રંથની રચના કરતાં ગ્રંથકાર મહર્ષિ સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજા સૌ પ્રથમ પ્રારંભિક મંગલ કરવા માટે “ઈષ્ટદેવની સ્તુતિ કરવા રૂપ' શિષ્ટાચારનું પરિપાલન કરવા ઈચ્છે છે. ત્રણે ભુવનના ગુરુ સમાન તથા નિર્મળ કેવલજ્ઞાનને ધારણ કરનારા તીર્થંકર પરમાત્મા દેશના સમયે શાસનની સ્તુતિ કરતાં હોવાથી ઈષ્ટદેવ તરીકે શાસન જ અતિશય સ્તવનીય છે એ પ્રમાણે નિશ્ચય કરે છે અને આ પ્રણિધાનપૂર્વક અસાધારણ ગુણોના કથન સ્વરૂપ પારમાર્થિક સ્તવના વડે શાસનની સ્તુતિ કરતાં જણાવે છે કેगाथा : सिद्धं सिद्धत्थाणं ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं सासणं जिणाणं भवजिणाणं ।। १ ।। सिद्धं सिद्धार्थानां स्थानमनुपमसुखमुपगतानाम् । कुसमयविशासनं शासनं जिनानां भवजिनानाम् ।। १ ।। અન્યથાર્થ : ગોવસુદં = અનુપમસુખ જ્યાં વિદ્યમાન છે તેવા avi = સ્થાનને અર્થાત્ મુક્તિસ્વરૂપ સ્થાનને ૩વસાવાઈ = પ્રકર્ષે પામેલા મનિVIE = રાગાદિ સ્વરૂપ સંસારને જિતનારા નિVIDi = જિનેશ્વર પરમાત્માનું શાસfi = દ્વાદશાંગરૂપ શાસન સિદ્ધ = પ્રતિષ્ઠિત છે અર્થાતુ પોતાના મહિમા વડે સ્વત: સિદ્ધ છે, સિદ્ધસ્થા = સિદ્ધ એવા પદાર્થોને જણાવનાર છે અર્થાત અન્ય પ્રમાણોથી અબાધિત એવા પદાર્થોને જણાવનાર છે તથા સમવસીસ = (પૃથ્વીના પ્રતિપાદનની જેમ પદાર્થોને વિવિધ પ્રકારે જણાવનાર અથવા) કુત્સિત (એકાંત) એવા સિદ્ધાંતોનો નાશ કરનાર, ગાથાર્થ : અનુપમ સુખ જ્યાં વિદ્યમાન છે એવા મુક્તિસ્વરૂપ સ્થાનને પ્રકર્ષે કરીને પામેલા (અથવા જાણે કાલના સામીપ્યથી પામેલા હોય તેવા અર્થાત્ અલ્પકાળમાં મુક્તિ પામનારા અને ચાર ઘાતિકર્મોનો ક્ષય કરી ભવાપગ્રાહિ ચાર અઘાતિકર્મથી યુક્ત સંસારમાં વિચરતા એવા) તથા રાગ-દ્વેષરૂપી સંસારને જિતનારા જિનેશ્વર પરમાત્માનું દ્વાદશાંગરૂપ શાસન પોતાના મહિમા વડે સ્વત: સિદ્ધ છે-૧, અન્ય 2010 02 Page #50 -------------------------------------------------------------------------- ________________ સંમતિતર્જpક્કર, ઝાલ્ફ-૨, Tથા-૨ પ્રમાણોથી અબાધિત પદાર્થોને જણાવનાર છે-૨, પૃથ્વીને જણાવવાની જેમ અન્ય પ્રમાણોથી અવિસંવાદપણે જણાતા નષ્ટ, મુષ્ટિ, ચિંતા વગેરે પદાર્થોને વિવિધ પ્રકારે જણાવનાર છે અથવા પ્રમાણબાધિત – એકાંત એવા કપિલઋષિ વગેરેએ જણાવેલ કુત્સિત સિદ્ધાંતોનો નાશ કરનાર છે.-૩ (૧) તાત્પર્યાર્થ : વિવિધ પ્રકારે અનેકાંતવાદનું સ્થાપન કરી, અતિગંભીર એવા જિનવચનરૂપી મહાસમુદ્રમાં પ્રવેશ કરાવનારા આ મહાગ્રંથની સૌથી પ્રથમ ગાથામાં જિનેશ્વર પરમાત્માના શાસનના અસાધારણગુણો કહી પારમાર્થિકસ્તવનાસ્વરૂપ મંગલ કરવામાં આવ્યું છે. આ ગાથામાં જિનેશ્વર પરમાત્માનું સ્વરૂપ વર્ણવીને સાથોસાથ તેમના દ્વાદશાંગરૂપ શાસનના સ્વરૂપનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. અન્ય પ્રમાણોથી અબાધિત પદાર્થોની રજૂઆત સર્વજ્ઞ સિવાય કોઈ કરી શકે નહિ. આ સર્વજ્ઞ પરમાત્માનું સ્વરૂપ વર્ણવવા માટે બે વિશેષણો આપવામાં આવ્યા છે. (૧) સ્વાભાવિક, આત્યંતિક, સઘળીય વ્યાબાધાથી રહિત અને સર્વસુખથી શ્રેષ્ઠ એવા અનુપમસુખના સ્થાનભૂત મુક્તિરૂપ સ્થાનને પ્રકર્ષે પામેલા છે, અથવા ઘાતકર્મોનો ક્ષય થયા પછી પણ ભવોપગ્રાહી ચાર અઘાતિકર્મોથી યુક્ત હોવાથી વર્તમાનમાં દેહધારી એવા પણ પરમાત્મા અલ્પકાળમાં મુક્તિ પામવાના છે, (૨) સંસારના કારણભૂત રાગ-દ્વેષ અને મોહને જીતનારા છે. યથાવસ્થિતપણે જીવ વગેરે પદાર્થો જેના વડે કહેવાય છે તેને શાસન કહેવાય છે, જે દ્વાદશાંગ સ્વરૂપ છે. શ્રી જિનેશ્વર પરમાત્માના આ શાસનના ત્રણ ગુણો જણાવવામાં આવ્યા છે. (૧) પરમાત્માનું શાસન સ્વત: સિદ્ધ છે, તેને સિદ્ધ કરવા અન્ય કોઈ પ્રમાણોની કે કોઈ ગ્રંથોની જરૂર નથી પણ તે પોતાના મહિમાથી જ પ્રમાણભૂત છે, (૨) અન્ય પ્રમાણોથી અબાધિત એવા પદાર્થોને જણાવનાર છે, (૩) “પૃથ્વી કઠિન છે” આવી રજૂઆત આપણે જેમ યથાર્થ કરી શકીએ તેની જેમ નષ્ટ-મુષ્ટિ-ચિંતા-લાભાલાભ વગેરે પદાર્થોને વિવિધ પ્રકારે અર્થાત્ અન્ય પદાર્થના કારણરૂપે, કાર્યરૂપે વગેરે રૂપે યથાર્થપણે જણાવનાર છે અથવા કુત્સિત – પ્રમાણબાધિત - એકાંત માન્યતાસ્વરૂપ કપિલઋષિ વગેરેના સિદ્ધાંતોનો નાશ કરનાર છે અર્થાત્ તેમની ખોટી માન્યતાઓનું ખંડન કરનાર છે. ગ્રંથની શરૂઆતમાં જ આ પ્રથમ ગાથાની ટીકા લગભગ ૧કપ પાના જેટલી વિસ્તારથી રજૂ કરવામાં આવી છે. જેમાં ઉત્પત્તિમાં સ્વત: પ્રમાણ્ય માનનાર મત, કાર્યમાં સ્વત: પ્રામાણ્ય માનનાર મત, નિશ્ચયમાં સ્વત: પ્રામાણ્ય માનનાર મતનું (મીમાંસક) નિરસન કરવામાં આવ્યું છે. સાથોસાથ અભાવને સ્વતંત્ર પ્રમાણ માનનાર મતનું, શબ્દને નિત્ય માનનાર મતનું, સર્વજ્ઞની સત્તા નિષેધનાર મતનું (મીમાંસક), પરલોકને ન માનનાર મતનું (ચાર્વાક), જગતને ઈશ્વરકર્તક માનનાર મતનું, સમવાય, સત્તા અને સંયોગ પદાર્થનું, આત્માને વિભુ માનનાર મતનું, મુક્તિમાં જેઓ આત્યંતિક વિશેષ ગુણોનો નાશ માને છે તેવા મતનું (ન્યાય) વગેરે અનેક મતોનું તર્કબદ્ધ રજૂઆત કરી ખંડન કરવામાં આવ્યું છે. (૧) 2010_02 Page #51 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-२ अस्य प्रकरणस्य प्रयोजनमाह - समयपरमत्थवित्थरविहाडजणपज्जुवासणसयनो। आगममलारहियओ जह होइ तमत्थमुनेसुं ।।२।। आगममलारहृदयो मलमिव आरा प्राजनकविभागो यस्यासौ मलारो गौर्गली, आगमे मलारवत् कुण्ठं हृदयं यस्य स आगममलारहृदयः - आगमार्थप्रतिपत्त्यसमर्थबुद्धिर्मन्दबुद्धिः शिष्यः समयपरमार्थविस्तरविहाटजनपर्युपासनसकर्णः समय आगमस्तस्य परमार्थस्तात्पर्यार्थः समयपरमार्थस्तस्य विस्तरो रचनाविशेषः समयपरमार्थविस्तरस्तस्य विहाटो विशेषेण हाटयति-दीपयति श्रोतृबुद्धौ प्रकाशमानानर्थान् प्रकाशयतीत्यर्थः, विहाटष्टाासौ जनष्टा विहाटजनप्टातुर्दशपूर्वविदादिश्रुतस्थविरलोक इति समयपरमार्थविस्तरविहाटजनस्तस्य पर्युपासनं सेवा, कारणे कार्योपचारात् पर्युपासनया प्राप्तं यत्तेषां व्याख्यानं तदपि ‘पर्युपासना' शब्देन वाच्यम्, तत्र सकर्णः पटुबुद्धिः श्रुतस्थविरव्याख्यातार्थावधारणसमर्थो यथा येन प्रकारेण प्ररूपणेन भवति तं तथाभूतमर्थमनेन ग्रन्थेनाहमपि उन्नेष्ये लेशतो वक्ष्ये । इदं कथनीयम् - अनेकान्तवाद-नय-निक्षेपादिपदार्थाः सामान्यतो ज्ञातुं कठिनाः । तत्रापि ये मन्दबुद्धयस्तेषां का वार्ता ? प्रकरणकारस्तान् जीवानाश्रित्य इदं ग्रन्थं ग्रथ्नाति । 'विनयं विना विद्या न भवतीति कृत्वा यथा अल्पमतयः शिष्याः शास्त्रपरमार्थं प्रकाशयितॄणां गुरूणां पर्युपासनां कर्तुमुत्कण्ठिता भवेयुस्तत्पर्युपासनया च तत्प्रतिपादितार्थं ज्ञपरिज्ञा-प्रत्याख्यानपरिज्ञाभ्यां धर्तुं समर्था भवेयुस्तथाभूतमर्थमहं वक्ष्ये ।।२।। अव. ५४२५॥ २यनानुं प्रयो४नगाथा : समयपरमत्थवित्थरविहाडजणपज्जुवासणसयनो । आगममलारहियओ जह होइ तमत्थमुनेसुं ।। २ ।। समयपरमार्थविस्तरविहाटजनपर्युपासनसकर्णः । आगममलारहदयो यथा भवति तमर्थमुन्नेष्ये ।। २ ।। अन्वयार्थ : जह = 3 अरे (अर्थ ४९uaalथी), आगममलारहियओ = आराम सम४ामां गणीया ठेवी भंयुद्धिाण वो, समयपरम छाया : 2010_02 Page #52 -------------------------------------------------------------------------- ________________ સંમતિત®પ્રક્કર, વર્તુ-૧, નાથા-રૂ વિરવિદાઈનાન્ગવાસપાસન્ન = આગમના પરમાર્થના વિસ્તારને પ્રકાશિત કરનારા મહાપુરુષોની સેવામાં સમર્થ, દડુ = થાય છે, તમન્દુ = તે પ્રકારના અર્થને, = હું જણાવીશ. ગાથાર્થ : જે પ્રકારના અર્થનું પ્રતિપાદન કરવાથી આગમને સમજવામાં ગળિયા બળદ જેવા મંદબુદ્ધિવાળા જીવો, આગમના પરમાર્થને વિસ્તારથી પ્રકાશિત કરનારા ચૌદપૂર્વધર વગેરે મહાપુરુષોની સેવામાં સમર્થ અર્થાત્ સેવા દ્વારા પ્રાપ્ત થયેલ અર્થને સમજવામાં સમર્થ થાય, તે પ્રકારના અર્થનું હું લેશથી પ્રતિપાદન કરીશ. (૨) તાત્પર્ધાર્થ : ગ્રંથકારશ્રી ગ્રંથરચનાનો ઉદ્દેશ જણાવતાં કહે છે કે, કેટલાક શ્રોતાઓ આગમના અર્થને સમજવામાં અતિમંદ બુદ્ધિવાળા હોય છે. શાસ્ત્રોને સાંભળવા છતાં તેઓ શાસ્ત્રના અર્થને પામી શકતા નથી. તેથી જે રીતે અર્થનું પ્રતિપાદન કરવાથી તેવા મંદબુદ્ધિવાળા જીવો શાસ્ત્રનાં રહસ્યોને પ્રગટ કરનાર ચૌદપૂર્વધર આદિ ગુરુભગવંતોની સેવા કરવામાં તત્પર થાય, તેમની સેવાથી યોગ્યતા જોઈ ગુરૂભગવંત તેમને અર્થનું પ્રતિપાદન કરે અને તે મંદબુદ્ધિવાળા જીવો પણ પ્રતિપાદિત અર્થને ધારણ કરવામાં સમર્થ થાય તે રીતે હું આ પ્રકરણથી અર્થનું પ્રતિપાદન કરીશ. આ ગાથાની ટીકામાં તર્કપંચાનનશ્રીજીએ આદિવાક્યઉપન્યાસ નિરર્થક માનનાર મત, અપોહ એ જ શબ્દનો અર્થ છે તેવું માનનાર બૌદ્ધમત, વિધિ એ જ શબ્દનો અર્થ છે તેવું માનનાર વિધિવાદિમત, નૈયાયિકમત, વાત્સ્યાયન - વાડિ - પાણિની મત, અસ્તિઅર્થપદાર્થવાદિમત, સમુદાયપદાર્થવાદિમત, અસત્યસંબંધપદાર્થવાદિમત, અસત્યોપાધિસત્યપદાર્થવાદિમત, અભિજલ્પપદાર્થવાદિમત, બુદ્ધયારૂઢાકારપદાર્થવાદિમત, પ્રતિભા પદાર્થવાદિમત, વિવક્ષાપદાર્થવાદિમત, વૈભાષિકમત, વિકલ્પપ્રતિબંધપદાર્થવાદિમત, કુમારિલ ભટ્ટ, ઉદ્યોતકર, પ્રજ્ઞાકર વગેરેના મતોનું નિરસન કરવાપૂર્વક “સામાન્યવિશેષાત્મક જ શબ્દાર્થ' છે એ પ્રમાણેના પ્રતિપાદન દ્વારા વિસ્તાર સહિત સ્યાદ્વાદસિદ્ધાંતનો ઉપન્યાસ કરેલ છે. (૨) प्रकरणस्य मुख्याभिधेयमाह - तित्थयरवयणसंगह-विसेसपत्थारमूलवागरणी । दव्बढिओ य पज्जवणओ य सेसा वियप्पा सिं ।।३।। तीर्थकरवचनसङ्ग्रह-विशेषप्रस्तारमूलव्याकरणी तीर्थकराणां वचनमाचाराङ्गादिद्वादशाङ्गरूपं तस्य अभिधेयौ सङ्ग्रह-विशेषो वचनवाच्यौ द्रव्यपर्यायौ इत्यर्थः । तयोः प्रस्तारो 2010_02 Page #53 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-३ विस्तारः, तस्य तीर्थकरवचनद्रव्यपर्यायविस्तारस्य मूलव्याकरणी आद्यव्याख्याता, व्याख्यानञ्च ज्ञानं विना न इति आद्यज्ञाता वा । द्रव्यास्तिकप्टा द्रव्यं सत्ता, तत्र ‘अस्ति' इति मतिरस्येति द्रव्यास्तिकः-पर्यायान् गौणीकृत्य द्रव्यस्यैव ग्राहको नयो द्रव्यास्तिकनयः, पर्यवनयष्टा पर्यवपर्यायावेकार्थौ - पर्यायास्तिकनयः-क्रमभाविनः पर्यायाः, तत्र ‘अस्ति' इति मतिरस्येति पर्यायास्तिकः - द्रव्यमुपसर्जनीकृत्य पर्यायस्यैव ग्राहको नयः पर्यायास्तिकनयः । शेषास्तु नैगमादयो विकल्पा भेदा अनयोर्द्रव्यास्तिक-पर्यायास्तिकनययोः । अयं भावार्थः - गृहीत्वा संयमधर्मम्, जित्वा परीषहोपसर्गरिपून्, लब्ध्वा केवलज्ञानम्, स्थापयति चतुर्विधसङ्घरूपं प्रथमगणधररूपं वा तीर्थं परमात्मा तीर्थकरनामकर्मोदयात्तत्स्वाभाव्याद्वा । तेषां तीर्थकराणां वचनमाचाराङ्गादिद्वादशाङ्गरूपम, तच्छास्त्रवचनं द्विप्रकारकम्-सामान्यपदार्थबोधकं विशेषपदार्थबोधकञ्च । सामान्यरूपेण पदार्थान् बोधयित्री या अभेदगामी दृष्टिः सा द्रव्यास्तिकनयस्वरूपा तथा विशेषरूपेण पदार्थान् बोधयित्री या भेदगामी दृष्टिः सा पर्यायास्तिकनयस्वरूपा । इमौ द्रव्यास्तिकपर्यायास्तिकनयावेव समस्तविकल्पानां शास्त्रवाक्यानां चाधारभूतौ । नैगमादयः सर्वे नयास्तयोरेव भेदरूपाः । एतद्ग्रन्थकारमते सामान्यग्राहिणो नैगमस्य सङ्ग्रहनये, विशेषग्राहिणो च नैगमस्य व्यवहारनये समावेशात् सङ्ग्रहव्यवहाररूपौ द्वौ भेदौ द्रव्यास्तिकनयस्य तथा ऋजुसूत्र-शब्दसमभिरूढ़-वम्भूतस्वरूपाप्टात्वारो भेदाः पर्यायास्तिकनयस्य ।।३।। અવ. પ્રકરણમાં જણાવવા યોગ્ય મુખ્ય વિષયનો નિર્દેશगाथा : तित्थयरवयणसंगह-विसेसपत्थारमूलवागरणी । दव्यट्ठिओ य पजवणओ य सेसा वियप्पा सिं ।। ३ ।। तीर्थकरवचनसङ्ग्रह-विशेषप्रस्तारमूलव्याकरणी । द्रव्यास्तिकश्च पर्यवनयश्च शेषा विकल्पास्तयोः ।। ३ ।। अन्वयार्थ : तित्थयरवयणसंगह-विसेसपत्थारमूलवागरणी = तीर्थ ४२ પરમાત્માના વચનોના જે સામાન્ય અને વિશેષ વિસ્તારનો મુખ્ય પ્રતિપાદક दव्वढिओ य = द्रव्यातिनय पज्जवणओ य = अने पर्यायास्तिनय. सेसा = शेष (नयो) सिं = ते (नयो)॥ वियप्पा =(मेहो. छाया : 2010_02 Page #54 -------------------------------------------------------------------------- ________________ સંમતિતપ્રરણે, ૬-૨, Tથા-રૂ ગાથાર્થ : આચારાંગસૂત્ર વગેરે સ્વરૂપ તીર્થકરોના વચનોનો સંગ્રહનય અને વ્યવહારનય સ્વરૂપ સામાન્ય વિસ્તારનો મુખ્યપણે જ્ઞાતા અને પ્રતિપાદક દ્રવ્યાસ્તિકનય છે અને ઋજુસૂત્રનય, શબ્દનય વગેરે સ્વરૂપ વિશેષ વિસ્તારનો મુખ્યપણે જ્ઞાતા અને પ્રતિપાદક પર્યાયાસ્તિકનય છે, બાકીના નયો આ બે નયોના જ ભેદો છે. (૩) તાત્પર્યાર્થઃ અહીં ત્રણ બાબતો સૂચવવામાં આવી છે: ૧- ગ્રંથનો મુખ્ય વિષય; ૨- મુખ્ય નયોનું સ્વરૂપ, અને ૩- અન્ય નયોનો મુખ્ય નયોમાં સમાવેશ. સંપૂર્ણ ગ્રંથમાં છૂટા છૂટા અનેક વિષયો પ્રસંગવશાત્ ચર્ચેલા છે, પણ મુખ્ય પ્રતિપાદન તો જૈનદર્શનના “અનેકાંતસિદ્ધાંત'ની સિદ્ધિ કરવાનું જ છે. અનેકાંતસિદ્ધાંત અર્થાત્ અનંતધર્માત્મક વસ્તુમાં રહેલા સ્વ-પર અનંતા ધર્મોને ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી એક જ વસ્તુમાં રજૂ કરવા. આ અનેકાંત સિદ્ધાંતની પ્રાપ્તિ વડે જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, નિર્મળતા યાવતું મોક્ષમાર્ગની આરાધના થઈ શકે છે. તીર્થકરો તેવા પ્રકારના સ્વભાવથી અથવા તીર્થકર નામકર્મના ઉદયથી તીર્થની સ્થાપના કરે છે, જે અનેકાંતદષ્ટિ ઉપર આધારિત છે. તે અનેકાંતનું સ્પષ્ટીકરણ નયોના નિરૂપણથી જ થઈ શકે. નયો અનેક છે પણ એ બધાનો સમાવેશ ટૂંકમાં બે નયોમાં થઈ જાય છે. તે ૧. દ્રવ્યાસ્તિકનય; અને ૨. પર્યાયાસ્તિકનય છે. આ બે નયો જ મુખ્ય છે. દ્રવ્ય સત્તા, દ્રવ્યમાં જેની વસ્તિકમતિ છે તેને દ્રવ્યક્તિ કહેવાય છે, દ્રવ્ય જ જેનો અર્થ છે તેને દ્રવ્યર્થ કહેવાય છે અથવા દ્રવ્યમાં જે રહેલો હોય તેને દ્રવ્યથિત કહેવાય છે. આ ત્રણે વ્યુત્પત્તિ વડે દ્રવ્યને પ્રધાનપણે ગ્રહણ કરનાર અભેદગ્રાહિદૃષ્ટિસ્વરૂપ દ્રવ્યાસ્તિકનયને ગ્રહણ કરવામાં આવેલ છે. તે જ રીતે પર્યવ=વિશેષ - ચારેબાજુથી જે જાણવું, તે વિશેષમાં જ જેની મતિ છે તે પર્યાયાસ્તિક, વિશેષ જ જેનો અર્થ છે તે પર્યાર્થિવ અથવા વિશેષમાં જે રહેલ છે પર્યાયસ્થિત કહેવાય છે. આ ત્રણે વ્યુત્પત્તિ વડે પર્યાયને પ્રધાનપણે ગ્રહણ કરનાર ભેદગ્રાહિદૃષ્ટિસ્વરૂપ પર્યાયનયને ગ્રહણ કરવામાં આવેલ છે. મનુષ્ય કાંઈ પણ વિચારે છે કે બોલે છે, ત્યારે કાં તો અભેદ બાજુ ઢળીને અને કાં તો ભેદ બાજુ ઢળીને. અભેદ બાજુ ઢળી કરવામાં આવેલા વિચારો અને તે વડે પ્રતિપાદન કરેલી વસ્તુઓ સંગ્રહ – સામાન્ય કહેવાય છે, જ્યારે ભેદ બાજુ ઢળી કરવામાં આવેલા વિચારો અને તે વડે પ્રતિપાદન કરવામાં આવેલી વસ્તુઓ વિશેષ કહેવાય છે. અપેક્ષાભેદે સામાન્ય અને વિશેષના શુદ્ધિ અને અશુદ્ધિ વડે ચડતા ઊતરતા ગમે તેટલા વિભાગો પાડવામાં આવે, છતાં એ બધા વિભાગો ટૂંકમાં બે રાશિમાં સમાઈ જાય છે. તે જ બે રાશિ અનુક્રમે સંગ્રહપ્રસ્તાર અને વિશેષ પ્રસ્તાર છે. 2010_02 Page #55 -------------------------------------------------------------------------- ________________ સંપતિતપ્રકર, દુ-૨, આથા-૪ શાસ્ત્રનાં વચનો પણ મુખ્યપણે એ બે રાશિમાં આવી જાય છે, કેમ કે, કેટલાંક વચનો સામાન્યબોધક હોય છે અને કેટલાંક વચનો વિશેષબોધક હોય છે. તે વચનોની પાછળ જે જુદી જુદી દૃષ્ટિ છે તે બે નયસ્વરૂપ છેઃ ૧-સામાન્યબોધક વચનોની પ્રેરક જે અભેદગામી દૃષ્ટિ, તે દ્રવ્યાસ્તિકનય છે; અને ૨-વિશેષબોધક વચનોની પ્રેરક જે ભેદગામી દૃષ્ટિ, તે પર્યાયાસ્તિકનય. આ બે નયો જ સમગ્ર વિચાર અથવા વિચારજનિત સમગ્ર શાસ્ત્ર-વાક્યના આધારભૂત હોવાથી, તેમને શાસ્ત્રના મૂળ જ્ઞાતા અને પ્રતિપાદક કહેલ છે. એ બે નયોનું નિરૂપણ અને તેના સમન્વયમાં જ અનેકાંતવાદનું પર્યવસાન હોવાથી, અનેકાંતવાદના નિરૂપણ માટે પહેલાં આધારરૂપે એ બે નયોની જ ચર્ચા સૌ પ્રથમ આ ગ્રંથમાં કરવામાં આવી છે. આ ગાથાની ટીકામાં ટીકાકાર મહર્ષિએ (૧) સદદ્વૈતપ્રતિપાદક શુદ્ધદ્રવ્યાસ્તિકનય (દાંત), (૨) સાંખ્યમત પ્રતિપાદક અશુદ્ધદ્રવ્યાસ્તિકનય, (૩) સદસ્વૈતપ્રતિપક પર્યાયાસ્તિકનય, (૪) સાંખ્યમતપ્રતિક્ષેપક પર્યાયાસ્તિકનયનું વર્ણન કરી નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય, ઋજુસૂત્રનય, શબ્દનય, સમભિરૂઢનય, અને એવંભૂતનય સ્વરૂપ સાતે નયોનું વર્ણન સુંદર શબ્દોમાં રજૂ કરેલ છે. ગ્રંથકારમહર્ષિના મત મુજબ સામાન્યને ગ્રહણ કરનાર નૈગમ નયનો સમાવેશ સંગ્રહનયમાં તથા વિશેષને ગ્રહણ કરનાર નૈગમનયનો સમાવેશ વ્યવહારનયમાં થાય છે માટે દ્રવ્યાસ્તિકનયના બે ભેદ છે – સંગ્રહનય અને વ્યવહારનય તથા પર્યાયાસ્તિકનયના ચાર ભેદ છે – ઋજુસૂત્રનય, શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનય, જે હવે પછીની ગાથાઓમાં જણાવવામાં આવશે. (૩). द्रव्यास्तिकनयस्य भेदान् दर्शयति - दव्वट्ठियनयपयडी सुद्धा संगहपरूवणाविसओ । पडिरूवं पुण वयणत्थनिच्छओ तस्स ववहारो ।।४।। सङ्ग्रहप्ररूपणाविषयः सङ्ग्रहनयस्य प्ररूपणाया विषयः शुद्धा असङ्कीर्णा-विशेषानवगाहिनी द्रव्यास्तिकनयप्रकृतिर्द्रव्यास्तिकनयस्य स्वभावः । पुनः प्रतिरूपं प्रतिवस्तु, रूपशब्दोऽत्र वस्तुनि वर्तते, वचनार्थनिष्टायो वचनस्य व्यवहारक्षमोऽर्थस्तस्य निष्टायो वचनार्थनिष्टायः स तस्य द्रव्यास्तिकनयस्य व्यवहारो लोकप्रसिद्धव्यवहारप्रवर्त्तनपरो व्यवहारनयः, अर्थात् द्रव्यास्तिकनयस्याशुद्धा प्रकृतिरस्ति । अयम्भावः - द्रव्यास्तिकनयो द्विरूपः - शुद्धष्टाशुद्धष्टा । शुद्धद्रव्यास्तिकनयः सत्तामात्रं गृह्णाति न तु विशेषभेदम्, स च ‘सङ्ग्रह' इत्युच्यते । अशुद्धद्रव्यास्तिकनयस्तु विशेषेण 2010_02 Page #56 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-४ संयुक्तां सत्तां गृहणाति, स च 'व्यवहार' इत्युच्यते । सङ्ग्रहनयो वस्तुनः सत्तामेकरूपेण व्यवहारनयष्टानेकरूपेण व्यवस्थापयति ।।४।। છયા : અવ. દ્રવ્યાસ્તિકનયના ભેદો સંગ્રહનય અને વ્યવહારનય – गाथा : दव्वट्ठियनयपयडी सुद्धा संगहपरूवणाविसओ । पडिरूवं पुण वयणत्थनिच्छओ तस्स ववहारो ।। ४ ।। द्रव्यास्तिकनयप्रकृतिः शुद्धा सङ्ग्रहप्ररूपणाविषयः । प्रतिरूपं पुनः वचनार्थनिश्चयस्तस्य व्यवहारः ।। ४ ।। મન્વથાર્થ ઃ સંદિપરૂવ વિસગો = સંગ્રહનયની પ્રરૂપણાનો વિષય (એ) સુદ્ધા = શુદ્ધ વ્યયન પછી = દ્રવ્યાસ્તિકનયનો સ્વભાવ છે, અને વય સ્થિનિક = વચનાર્થના નિશ્ચય કરવારૂપ (જે) વવદારો = વ્યવહારનય છે (તે) તસ્ય = દ્રવ્યાસ્તિકનયનો દિવં પુન = વિશેષથી યુક્ત સત્તા સ્વરૂપ અશુદ્ધ સ્વભાવ છે. ગાથાર્થ સંગ્રહનયની પ્રરૂપણાનો વિષય એ શુદ્ધ દ્રવ્યાસ્તિકનયનો સ્વભાવ છે અને વ્યવહારમાં સમર્થ એવો વચનાર્થના નિશ્ચય કરવારૂપ જે વ્યવહારનય છે તે દ્રવાસ્તિકનયનો વિશેષથી યુક્ત સત્તા સ્વરૂપ અર્થાતુ અશુદ્ધ સ્વભાવ છે. (પુણ શબ્દથી સ્વભાવ ગ્રહણ કરવો.) અથવા અન્યથાર્થ ઃ સંદિપવUવિસગો = સંગ્રહાયની પ્રરૂપણાનો વિષય, સુદ્ધા = શુદ્ધ, વ્યવિનય વડી = દ્રવ્યાસ્તિકનયનો સ્વભાવ પુપ = વળી, પરિવં = પ્રત્યેક પદાર્થને આશ્રય, વયન્જિનિચ્છેગો = શબ્દાર્થનો નિશ્ચય કરવો એ ત = તેના (દ્રવ્યાસ્તિકનયના) વવદાર = વ્યવહારનયનો વિષય છે અર્થાત્ અશુદ્ધ દ્રવ્યાસ્તિકનય છે. ગાથાર્થ (દ્રવાસ્તિકનયના) સંગ્રહનયની પ્રરૂપણાનો વિષય શુદ્ધ એવો દ્રવ્યાસ્તિકનયનો સ્વભાવ છે. વળી, પ્રત્યેક પદાર્થને આશ્રયી થનાર ‘ઘટ:' ઈત્યાદિ વચનવ્યવહારમાં સમર્થ અર્થનો નિશ્ચય એ દ્રવ્યાસ્તિકનયના વ્યવહારનયનો વિષય છે અર્થાત્ અશુદ્ધ દ્રવ્યાસ્તિકનય છે. (૪) 2010_02 Page #57 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-४ તાત્પર્યાર્થ : અહીં બે વાતો કહેવામાં આવી છે : ૧-દ્રવ્યાસ્તિકનયના ભેદો; અને ૨તેમનો પરસ્પર સંબંધ. નૈગમનયને બાદ કરતાં બાકીના છ નયોમાંથી સંગ્રહનય અને વ્યવહારનય સ્વરૂપ પહેલા બે નય દ્રવાસ્તિકનયના ભેદો છે. જગતુ એ કાંઈ કોઈ પણ જાતના ઐક્ય વિનાનું માત્ર છૂટા છૂટા અંકોડાની પેઠે ભેદરૂપ નથી, તેમ જ જરા પણ ભેદનો સ્પર્શ ન હોય તેવું અખંડ અભેદરૂપ પણ નથી; પરંતુ એમાં ભેદ અને અભેદ બન્ને સ્વરૂપ અનુભવાય છે. તેમાં દૃષ્ટિ જ્યારે વસ્તુઓના પરસ્પર ભેદને મૂકી કેવળ તેમના અભેદને અવલંબી પ્રવર્તે છે, ત્યારે તેને બધુંયે કેવળ સત્રૂપ ભાસે છે. આવી દૃષ્ટિ દ્વારા વ્યવહાર થઈ શકતો નથી. તેથી લેવું, મૂકવું વગેરે લોકવ્યવહાર કરવા માટે જ્યારે દૃષ્ટિ કાંઈક ભેદ તરફ ઢળે છે; ત્યારે પ્રથમ ગ્રહણ કરેલ સતુરૂપ અખંડ તત્ત્વના પ્રયોજન પ્રમાણે જીવ, અજીવ આદિ ભેદોને અવલંબે છે. અહીં સર્વે પદાર્થોમાં સત્તારૂપ તત્ત્વને અખંડપણે ગ્રહણ કરનાર પ્રથમ દૃષ્ટિ તે સંગ્રહાય છે, જે શુદ્ધ દ્રવ્યાસ્તિકનાં સ્વરૂપ છે; કારણ કે તે સર્વ વસ્તુમાં અભેદને સ્વીકારે છે. જ્યારે સત્તારૂપ તત્ત્વને જીવ, અજીવ આદિરૂપે વિભાગીકરણ કરી, તે દ્વારા વ્યવહાર ચલાવવા મથતી બીજી દૃષ્ટિ એ વ્યવહારનય છે. જે અશુદ્ધ દ્રવ્યાસ્તિકાયસ્વરૂપ છે; કારણ કે તે પદાર્થોમાં મર્યાદિત અભેદને સ્વીકારે છે. ટૂંકમાં, અસ્તિત્વમાત્રનો નિશ્ચય કરવો એ સંગ્રહનયનો સ્વભાવ છે જ્યારે વ્યવહારના કારણભૂત દરેક વસ્તુ પ્રત્યે શબ્દાર્થનો નિશ્ચય કરવો એ વ્યવહારનયનો સ્વભાવ છે. દા.ત. સ્તિ કહેવાથી વસ્તુના અસ્તિત્વનો નિશ્ચય થાય છે. તે સંગ્રહનય સ્વરૂપ છે. જ્યારે ૩ક્તિ કહેવા છતાં પણ શ્રોતાને શંકા રહે છે કે મિતિ ? શું છે ?) તેના ઉત્તરરૂપે દ્રવ્યમ્ જવાબ મળવા છતાં પણ શંકા રહે છે કે તપ ઝિમ્ ? (તે પણ શું ?) તેના ઉત્તરરૂપે પૃથિવી એવો જવાબ મળવા છતાં પણ શંકા રહે છે કે સાપ છે ? (તે પૃથ્વી પણ કઈ ?) તેના જવાબરૂપે વૃક્ષ: ઉત્તર મળવા છતાં પણ શંકા રહે કે સોડપ : ? (તે પણ ક્યું ?) તેના જવાબરૂપે વૃત: = આંબો ઉત્તર મળવા છતાં પણ જ્યાં સુધી પોતાને અપેક્ષિત વ્યવહારની સિદ્ધિ ન થાય ત્યાં સુધી જે અર્થનો નિશ્ચય કરાય છે તે વ્યવહારનયનો વિષય છે. આ રીતે, સંગ્રહનય એકરૂપ વડે વસ્તુની સત્તાનું વ્યવસ્થાપન કરે છે અને વ્યવહારનય અનેકરૂપ વડે વસ્તુની સત્તાનું વ્યવસ્થાપન કરે છે. | નિષ્કર્ષરૂપે અમર્યાદિતપણે વસ્તુઓમાં અભેદને જોનાર સંગ્રહનય અને મર્યાદિતપણે વસ્તુઓમાં અભેદને જોનાર વ્યવહારનય દ્રવ્યાસ્તિકનયના જ શુદ્ધ-અશુદ્ધ ભેદરૂપ છે. જુદી રીતે કહીયે તો વ્યવહારનય સંગ્રહનયના જ અંશ સ્વરૂપ છે. (૪) 2010_02 Page #58 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-५ पर्यायास्तिकनयस्य भेदान् निरूपयति मूलणिमेणं पज्जवणयस्स उज्जसुयवयणविच्छेदो । तस्स उ सद्दाईआ साहपसाहा सुहुमभेया ।।५।। ऋजुसूत्रवचनविच्छेदः ऋजुसूत्रनयस्य वचनं पदं वाक्यं वा तस्य विच्छेदोऽन्तः सीमा अर्थाद् ऋजुसूत्रनयेण भवन् वचनव्यवहारः पर्यवनयस्य पर्यायास्तिकनयस्य मूलणिमेणं-मूलमादिः णिमेणं इति देश्यशब्दस्तस्यार्थः स्थानम् - आधारः । सूक्ष्मभेदाः सूक्ष्म भेदो विशेषो येषां ते तथा शब्दादिकाः शब्द- समभिरूढै - वम्भूतास्त्रयो नयास्तस्य ऋजुसूत्रनयस्य तुः एवकारार्थकः शाखाप्रशाखाः स्थूल-सूक्ष्म-सूक्ष्मतरदर्शित्वात् शाखादिरूपाः । अयं तत्त्वार्थः विशेषग्राहकः पर्यायास्तिकनयष्टातुर्भेदः, ऋजुसूत्र - शब्द-समभिरूढएवम्भूताख्यः । तत्रापि ऋजुसूत्रनयः पर्यायास्तिकनयस्य मूलाधारः, कालकृतभेदादारभ्य एव पर्यायनयस्य प्रारम्भात्, कालकृतभेदष्टार्जुसूत्रनय एव न तु व्यवहारनये । शेषाणां शब्दादिकानां क्रमिकसूक्ष्मरूपेण ऋजुसूत्रानुगामित्वात्तस्यैव भेदरूपाः । - देश-कालान्तरसम्बद्धस्वभावरहितं साम्प्रतिकमेकस्वभावं वस्तुतत्त्वस्य ग्राहक ऋजुसूत्रनयः वर्तमानकालीनमपि वस्तुतत्त्वं लिङ्गवचनादिभेदाद्भिन्नमिति मन्ता शब्दनयः । साम्प्रतिकं समानलिङ्गवचनादि वस्तुतत्त्वमपि संज्ञाभेदाद्भिन्नं भवतीति ग्राहकः समभिरूढनयः । यथा संज्ञाभेदाद्वस्तु भेदवत्तथा क्रियाभेदादपि, एवमेकपर्यायशब्दस्यैकार्थे सत्यपि क्रियाकाल एव वस्तुतत्त्वं न तु क्रियाशून्यकाल इति एवम्भूतनयो वस्तुतत्त्वं स्वीकरोति ।। ५ ।। અવ. પર્યાયાસ્તિકનયના ભેદો : ઋસૂત્રનય, શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનય – मूलणिमेणं पज्जवणयस्स उज्जुसुयवयणविच्छेदो । तस्स उ सद्दाईआ साहपसाहा सुहुमभेया ।। ५ ।। गाथा : छाया : 2010_02 १३ मूलनिमेणं पर्यवनयस्य ऋजुसूत्रवचनविच्छेदः । तस्य तु शब्दादिका शाखाप्रशाखाः सूक्ष्मभेदाः ।। ५ ।। Page #59 -------------------------------------------------------------------------- ________________ સંમતિતપ્રવરn, IC-૨, THથા-૬ સર્વેયર્થ : ૩નુસુયવયવિછેરો = ઋજુસૂત્રનયના વચનની સીમા પmar ય = પર્યાયાસ્તિકનયન મૂળનેvi = મૂળસ્થાન - મુખ્ય આધાર. (fણને એ દેશ્ય શબ્દ છે.) સુહુનમેયા = સૂક્ષ્મ ભેદવાળા સદાગ = શબ્દ વગેરે નયો તરસ = તેના (ઋજુસૂત્રનયના) ૩ = જ, સાઉપસાણા = શાખા-પ્રશાખારૂપ . ગાથાર્થ : ઋજુસૂત્રનયને અનુસરનાર વચનવ્યવહાર એ પર્યાયનયનો મૂળ આધાર છે; અને ઉત્તરોત્તર સૂક્ષ્મભેદવાળા શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનયો તો તે ઋજાસૂત્રનયના જ શાખા-પ્રશાખા સ્વરૂપ છે. (૫) તાત્પર્ધાર્થ : અહીં બે વાતો કહેવામાં આવી છે : ૧-પર્યાયાસ્તિકનયના ભેદો; અને ૨તેમનો પરસ્પર સંબંધ. સંગ્રહનય અને વ્યવહારનય પછીના ઋજાસૂત્રનય, શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનય એ ચાર નયોને પર્યાયાસ્તિકનયના ભેદો કહેવામાં આવ્યા છે. કાળકૃત વિભાગ કર્યા વગર લૌકિક વ્યવહાર માટે વસ્તુના જે સ્થૂલભેદો કરવામાં આવે છે તે દરેક ભેદોનો સમાવેશ વ્યવહારનયમાં થાય છે. પણ કાળકૃત ભેદને અવલંબી વસ્તુવિભાગ શરૂ થતાં જ ઋજાસૂત્રનય માનવામાં આવે છે, અને ત્યાંથી જ પર્યાયાસ્તિકનયનો પ્રારંભ મનાય છે. તેથી જ અહીં ઋજાસૂત્રનયને પર્યાયાસ્તિકનયનો મૂળ આધાર કહેવામાં આવ્યો છે. પછીના શબ્દ આદિ જે ત્રણ નયો છે, તે જો કે ઋજુસૂત્રનયને અવલંબીને ચાલતા હોવાથી તેના જ ભેદો છે, છતાં ઋજાસૂત્ર આદિ ચારે નયોને પર્યાયાસ્તિકનયના પ્રકારો પણ કહી શકાય. જે દૃષ્ટિ પદાર્થને માત્ર વર્તમાનકાળ પૂરતી સ્વીકારે છે અને તે પદાર્થના ભૂતભવિષ્યકાળને કાર્યના અસાધક માની તેમનો સ્વીકાર કરતી નથી, તે ક્ષણિકદૃષ્ટિ ઋજાસૂત્રનય કહેવાય છે. વર્તમાનકાલીન પદાર્થમાં પણ જે દૃષ્ટિ લિંગ, પુરુષ વગેરેના ભેદથી અર્થભેદ કરે છે, તે શબ્દનય કહેવાય છે. શબ્દનયે માનેલ સમાન લિંગ, વચન વગેરેવાળા અનેક શબ્દોમાં પણ જે દૃષ્ટિ વ્યુત્પત્તિભેદ – પર્યાયભેદે અર્થભેદ કહ્યું છે, તે સમભિરૂઢનય કહેવાય છે. સમભિરૂઢે સ્વીકારેલ એક શબ્દના અનેક પર્યાયો પૈકી એક પર્યાયમાં પણ જે દૃષ્ટિ ક્રિયાકાળ પૂરતું જ અર્થતત્ત્વ સ્વીકારે છે, ક્રિયાશુન્ય કાળમાં નહિ, તે એવંભૂતનય કહેવાય છે. 2010_02 Page #60 -------------------------------------------------------------------------- ________________ સંમતિતર્જાપ્રરળે, ાન્ડ-૧, ગાથા-૬ ચારે નયોની આ વ્યાખ્યા ઉપરથી સ્પષ્ટ થાય છે કે, શબ્દ આદિ ત્રણ નયો માત્ર વર્તમાનકાળસ્પર્શી ઋજુસૂત્રનયના આલંબને ઉત્તરોત્તર સૂક્ષ્મ વિશેષતાઓને લઈને ચાલે છે; તેથી શબ્દ વગેરે ત્રણે નયો ઋજુસૂત્રનયનો જ વિસ્તાર છે. ઋજુસૂત્રનય એક વૃક્ષ જેવો છે; જ્યારે શબ્દનય તેની શાખા ડાળ સમાન છે, સમભિરૂઢનય તેની પ્રશાખા-ડાળખી સમાન છે અને એવંભૂતનય એ તેની પ્રતિશાખા-ડાળખાં સમાન છે. કારણ કે ઋાસૂત્રનયની અપેક્ષાએ શબ્દ-સમભિરૂઢ-એવંભૂતનય ક્રમસર સ્થૂલસૂક્ષ્મ-સૂક્ષ્મતર તત્ત્વને સ્વીકારે છે. આ પ્રમાણે ઋજુસૂત્રનયની અપેક્ષાએ શબ્દ-સમભિરૂઢ અને એવંભૂતનય અશુદ્ધ-શુદ્ધ અને શુદ્ધતર એવા પર્યાયાસ્તિકનયનાં રૂપો છે. આ ગાથાની ટીકામાં તર્કપંચાનનશ્રીજી વડે ઋજુસૂત્રનયની ભિન્નભિન્ન વ્યાખ્યા મુજબ ક્ષણભંગવાદ, વિજ્ઞાનમાત્રવાદ અને શૂન્યવાદનું સ્થાપન, નિત્યવાદિએ કરેલ ક્ષણભંગનું ખંડન અને બૌદ્ધો વડે કરાયેલ ક્ષણભંગનું સ્થાપન, બાહ્યાર્થવાદિ સૌત્રાંતિક-વૈભાષિક વડે કરાયેલ વિજ્ઞાનમાત્રવાદનું ખંડન અને વિજ્ઞાનવાદિ યોગાચારો વડે કરાયેલ વિજ્ઞાનમાત્રવાદનું સ્થાપન, ત્યાર બાદ સૌત્રાંતિક, વૈભાષિક, યોગાચાર અને માધ્યમિકોનો તેઓની માન્યતા મુજબ ક્રમિક ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનયમાં સમવતાર ક૨વામાં આવ્યો છે. (૫) नयानुयोगद्वारवन्निक्षेपानुयोगद्वारेष्वपि द्रव्यार्थिक-पर्यायार्थिकयोर्व्यापकतां दर्शयन्नाह - नामं ठवणा दविए त्ति एस दव्वट्ठियस्स निक्खेवो । भावो उपज्जवअिस्स परूवणा एस परमत्थो || ६ || नाम-स्थापना द्रव्यमिति एष द्रव्यार्थिकस्य द्रव्यार्थिकनयस्य निक्षेपः प्ररूपणाया विषयः, भावस्तु भावनिक्षेपस्तु पर्यवास्तिकस्य पर्यायार्थिकनयस्य प्ररूपणा तस्या विषय इत्यर्थः, एष परमार्थः । १५ इदं कथनीयम् - निक्षेपष्टातुर्भेदः:-નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ પા: । તત્ર નામ-સ્થાપનાद्रव्यनिक्षेपा द्रव्यार्थिकनयस्य प्ररूपणाया विषयभूताः, नामादिनिक्षेपत्रये अभेदस्य प्रधानभूतत्वात् । भावनिक्षेपस्तु पर्यायास्तिकनयस्य प्ररूपणाया विषयः, भावनिक्षेपे भेदभावस्य મુખ્યત્વત્ ॥૬ || ', 2010_02 Page #61 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-६ અવ. નિક્ષેપોમાં પણ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયની વ્યાપકતાगाथा : नाम ठवणा दविए त्ति एस दवट्ठियस्स निक्खेवो । भावो उ पजवढिअस्स परूवणा एस परमत्थो ।। ६ ।। છયા : नाम स्थापना द्रव्यमित्येष द्रव्यार्थिकस्य निक्षेपः । भावस्तु पर्यवास्तिकस्य प्ररूपणा एष परमार्थः ।। ६ ।। અન્યથાર્થ : નામં = નામ વUT = સ્થાપના વિI = દ્રવ્ય ત્તિ = એ પ્રમાણે સ = આ સત્રદિવસ = દ્રવ્યાસ્તિકાયના નિષ્ણવો = નિક્ષેપા. માવો ૩ = વળી, ભાવનિક્ષેપો પનવકિસ = પર્યાયાસ્તિકનયની પરૂવUT = પ્રરૂપણા. પણ = આ પરમત્ય = પરમાર્થ. ગાથાર્થ : નામ, સ્થાપના અને દ્રવ્ય આ ત્રણ દ્રવ્યાસ્તિકનયના નિક્ષેપ છે અર્થાત્ દ્રવ્યાસ્તિકનયની પ્રરૂપણાનો વિષય છે; અને ભાવ નિક્ષેપો પર્યાયાસ્તિકનયની પ્રરૂપણાસ્વરૂપ છે અર્થાત્ પર્યાયાસ્તિકનયની પ્રરૂપણાનો વિષય છે, આ પરમાર્થ છે (ક) તાત્પર્યાર્થ: અહીં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ વગેરે અનેક નિક્ષેપા પૈકી તેના અવશ્ય સંભવતા પ્રકારો અને તેમાં નયનો વિભાગ એ બાબત જણાવી છે. નિપાના ઓછામાં ઓછા જે ચાર પ્રકારો સર્વત્ર સંભવે છે અને કરવામાં આવે છે, તે જ અહીં ગણાવવામાં આવ્યા છે. કોઈ પણ સાર્થક શબ્દનો અર્થ વિચારવો હોય અને એના દ્વારા પ્રતિપાદિત લક્ષ્યાર્થીને સ્પષ્ટ કરવો હોય ત્યારે તે ઓછામાં ઓછો ચાર પ્રકારનો મળી આવે છે. તે પ્રકારો, શબ્દવાઓ અર્થસામાન્યના નિક્ષેપા -વિભાગો કહેવાય છે. જે નામમાત્રથી રાજા હોય, તે નામરાજા; જે રાજાનું ચિત્ર કે બીજી કોઈ પ્રતિકૃતિ હોય, તે સ્થાપના રાજા; જે આગળ જતાં રાજા થનાર હોય અગર જે હમણાં નહિ પણ પહેલા રાજા હતો, તે દ્રવ્યરાજા; અને જે હમણાં રાજપદ અનુભવતો હોય, તે ભારરાજા. રાજા શબ્દાર્થના આ ચાર નિક્ષેપો થાય છે. તેમાં પહેલા ત્રણ નિક્ષેપોમાં કોઈ ને કોઈ જાતના અભેદની મુખ્યતા હોવાથી તે ત્રણે દ્રવ્યાસ્તિકનયનો વિષય માનવામાં આવે છે; અને ભાવનિક્ષેપમાં ભેદની મુખ્યતા હોવાથી તે પર્યાયાસ્તિકનયનો વિષય મનાય છે. જેનું નામ રાજા હોય, તે વ્યક્તિને જોઈ લોકો તેના નામ સાથે તેનો અભેદ કરી કહે છે કે, “આ રાજા છે'; તે જ રીતે ચિત્ર જોઈ તેની સાથે 2010_02 Page #62 -------------------------------------------------------------------------- ________________ સંમતિતપ્રકર, ૯-૨, સાથ-૭ અસલી રાજાનો અભેદ કરી લોકો ચિત્રને ઉદ્દેશી બોલે છે કે, “આ રાજા છે'; એ જ પ્રમાણે વર્તમાનમાં રાજા ન હોવા છતાં ભૂત અને ભાવિપર્યાયનો વર્તમાન સાથે અભેદ કરી લોકો ભૂતમાં થયેલા અને ભાવમાં થનાર રાજાને જોઈ કહે છે કે, “આ રાજા છે.” આ ત્રણે સ્થળે અભેદનો વિચાર પ્રધાન છે; જ્યારે ભાવનિપામાં ભેદવિચાર પ્રધાન છે. ભાવનિક્ષેપ તો વર્તમાનમાં રાજપદનો અનુભવ કરનાર વ્યક્તિને જ રાજા તરીકે સ્વીકારે છે અને અન્ય સર્વ પર્યાયોનો નિષેધ કરે છે. માટે તેમાં ભેદ જ મુખ્ય છે. આ પ્રમાણે ચાર નિપામાં દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિકનયોનો સમાવતાર કરવામાં આવ્યો છે. આ ગાથાની ટીકામાં ટીકાકાર મહર્ષિએ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારે નિપાનું વર્ણન કરેલ છે. વળી, દ્રવ્યાર્થિકનયને અનુસરનાર શબ્દબ્રહ્મવાદી - ભર્તુહરિના મતનું પર્યાયાસ્તિકનય વડે ખંડન કર્યું છે. શબ્દ અને અર્થનો નિત્ય સંબંધ માનનાર મીમાંસક મતનું શબ્દ અને અર્થનો અનિત્યસંબંધ માનનાર વાદિ વડે ખંડન કરી સિદ્ધાંત માન્ય શબ્દના નિત્યત્વ અને અનિત્યસ્વરૂપ બંને પક્ષ રજૂ કરી દ્રવ્યાર્થિકનિક્ષેપત્રની સ્થાપના કરેલ છે. ત્યાર બાદ સ્થાપનાની વ્યાખ્યા કરીને મુખ્ય અને પ્રતિનિધિરૂપ ભેદભેદપક્ષયમાં પણ સ્થાપનાનું દ્રવ્યાર્થિક નિક્ષેપવરૂપે સ્થાપન કરેલ છે. ત્યાર બાદ દ્રવ્યની વ્યાખ્યા કરીને દ્રવ્યમાં દ્રવ્યાર્થિક નિક્ષેપત્વની ભાવના કરેલ છે. પછી ભાવની વ્યાખ્યા કરીને ત્યાં પર્યાયાર્થિકત્વનું કથન કરેલ છે તથા ભાવનિક્ષેપસંમત ક્ષણભંગવાદનું દ્રવ્યાર્થિકનિક્ષેપા વડે વિસ્તારથી અનેક પ્રકારે નિરસન કરવામાં આવ્યું છે. આ રીતે અહીં નિક્ષેપા સંબંધી વિસ્તારથી રજૂઆત કરવામાં આવી છે. (૬) परस्परनिरपेक्षोभयनययोर्वचनमसदिति वर्णयन्नाह - पज्जवणिस्सामण्णं वयणं दवट्ठियस्स 'अत्थि'त्ति । ____अवसेसो वयणविही पजवभयणा सपडिवक्खो ।।७।। द्रव्यास्तिकस्य द्रव्यास्तिकनयस्य पर्यवनिःसामान्यं पर्यायान्निष्क्रान्तं - पर्यायविकलं. पर्यायेणाविवक्षितम् ‘अस्ति' इति वचनमसत् सर्वथा विशेषनिर्मुक्तस्वरूपस्य सामान्यस्याभावात् । अवशेषो वचनविधि उपयुक्तादन्यो वचनभेदः पर्यवभजनात् सत्तारहितेषु केवलपर्यायेषु सत्ताया आरोपणात् सप्रतिपक्षः सतः प्रतिपक्षोऽसद्-मिथ्या इत्यर्थः, सर्वथा सामान्यरहितस्य विशेषस्याभावात् । अयं सारः- वस्तुमात्रं द्रव्यपर्यायोभयरूपम्, न तु केवलं द्रव्यरूपं पर्यायरूपं वा । पर्यायरूपेण भासमानमपि वस्तु द्रव्यानुगतमेव, तथैव द्रव्यरूपेण प्रतिभासमानमपि वस्तु पर्याय 2010 02 Page #63 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-७ विशिष्टमेव । तेन पर्यायास्तिकनयनिरपेक्षं द्रव्यास्तिकनयस्य वचनं द्रव्यास्तिकनयनिरपेक्षं च पर्यायास्तिकनयवचनमसदेव, असद्भूतपदार्थवाचित्वाद्, पर्यायरहितानां द्रव्याणां द्रव्यरहितानां च पर्यायाणामसद्भावात् ।।७।। અવ. પરસ્પરનિરપેક્ષ એવા બંને નયોનું વચન અસ– गाथा : पज्जवणिस्सामण्णं वयणं दवट्ठियस्स 'अत्थि' त्ति । अवसेसो वयणविही पजवभयणा सपडिवक्खो ।। ७ ।। छाया : पर्यवनिःसामान्यं वचनं द्रव्यास्तिकस्य 'अस्ति' इति । अवशेषः वचनविधिः पर्यवभजनात् सप्रतिपक्षः ।। ७ ।। अन्वयार्थ : पज्जवणिस्सामण्णं = पायोथी २डित (निरपेक्ष) दव्वट्ठियस्स = द्रव्यास्तिनयन 'अत्थि'त्ति = मसि' मे वयणं = वयन सपडिवक्खो = सप्रतिपक्ष अर्थात् असत् छ, अवसेसो = शेष वयणविही = क्यनना प्रारो (द्रव्यनिरपेक्ष पर्यायाने ४५ut२ qयनl) पज्जवभयणा = पायोमi Au विद्यमान डोपाथी सपडिवक्खो = सप्रतिपक्ष अर्थात् असत् छ. ગાથાર્થઃ પર્યાયોથી નિરપેક્ષ “અણિ' એવું દ્રવ્યાસ્તિકનયનું જે વચન છે તે અસત્ છે તથા સામાન્યને જણાવનાર શેષ સર્વ પ્રકારનાં વચનો અર્થાત્ દ્રવ્ય નિરપેક્ષ માત્ર પર્યાયોનું પ્રતિપાદન કરનાર વચનો પણ પર્યાયોમાં સત્તા વિદ્યમાન હોવાથી અસત્ છે. અથવા अन्वयार्थ : पज्जवणिस्सामण्णं = पायोथी २डित. सामान्यने ४५॥॥२ 'अत्थि'त्ति = 'मास्ति' मे वयणं = वयन दव्वट्ठियस्स = द्रव्यातिनयने ४५॥१॥२ , अवसेसो = शेष वयणविही = क्यनना रो पज्जवभयणा = पर्यायाने स्वीdi atauथी सपडिवक्खो = विपरीत छ अर्थात् पयायास्ति नयने ४९॥4॥२ छ. 2010_02 Page #64 -------------------------------------------------------------------------- ________________ સંમતિતપ્રરળે, જાણ્ડ-૧, TTT-૭ ગાથાર્થ : પર્યાયોથી રહિત સામાન્યને જણાવનાર ‘અસ્તિ’ એવું જે વચન છે તે દ્રવ્યાસ્તિકનયને જણાવના૨ છે અને શેષ વચનના પ્રકારો પર્યાયોને સ્વીકારતાં હોવાથી, પર્યાયાસ્તિકનયને જણાવનાર છે. અથવા અન્વયાર્થ : પદ્મસ્સામળ = દ્રવ્યત્વ વગેરે પર્યાયો જ જેમાં સામાન્યરૂપે નિશ્ચિત કરાયા છે તેવું ‘અ‘િત્તિ = ‘અસ્તિ' એવું વયપ્ન = વચન નદિયસ્સ = અશુદ્ધદ્રવ્યાસ્તિકનયને જણાવનાર છે, અવસેશો = શેષ arrant = વચનના પ્રકારો પન્નવમયળા = પર્યાયોને સ્વીકારતાં હોવાથી સહિવવો = વિપરીત છે અર્થાત્ પર્યાયાસ્તિકનયને જણાવનાર છે. ગાથાર્થ : દ્રવ્યત્વાદિ પર્યાયો જ જેમાં સામાન્યરૂપે નિશ્ચિત કરાયા છે તેવું જણાવનાર ‘અષ્ટિ’ એવું જે વચન છે તે અશુદ્ધદ્રવ્યાર્થિકનયને જણાવના૨ છે અને શેષ વચનના પ્રકારો પર્યાયને સ્વીકારતા હોવાથી (ઇંદ્રવ્યત્વ વગેરે સામાન્ય જ પર્યાયરૂપે નિશ્ચિત કરાયા હોવાથી) પર્યાયાર્થિકનયને જણાવનાર છે. તાત્પર્યાર્થ : જગતમાં રહેલ સર્વ પદાર્થો દ્રવ્ય અને પર્યાય ઉભય સ્વરૂપ છે. કોઈપણ વસ્તુ માત્ર દ્રવ્યરૂપે પણ નથી કે માત્ર પર્યાયરૂપે પણ નથી. પર્યાયરૂપે દેખાતી સર્વવસ્તુઓમાં સત્તા અનુગત જ હોય છે અર્થાત્ દ્રવ્ય હોય જ છે અને સત્તારૂપે જણાતી વસ્તુઓ પણ પર્યાયથી વિશિષ્ટ જ હોય છે. આથી, સામાન્યને સ્વીકા૨ના૨ દ્રવ્યાસ્તિકનયનું વચન જો પર્યાયાસ્તિકનયથી નિરપેક્ષ હોય અર્થાત્ પર્યાયરહિત માત્ર દ્રવ્યને જ જણાવનાર હોય તો તે અસત્ છે. કારણ કે પર્યાય રહિત માત્ર દ્રવ્યરૂપે કોઈ વસ્તુ જ સંભવતી નથી. તે જ રીતે વિશેષને સ્વીકા૨ના૨ પર્યાયાસ્તિક નયનું વચન પણ જો દ્રવ્યનિરપેક્ષ માત્ર પર્યાયનું જ પ્રતિપાદન કરનાર હોય તો તે પણ નિર્વિષયક હોવાથી અસત્ છે. જેમાં કોઈ પણ જાતનો વિશેષ, પરિમિતતા, ખંડ કે વિભાગ નથી, એવું સત્તાસામાન્ય તે જ મહાવ્યાપક સામાન્ય છે. તેવા સામાન્ય અગર તેના વિચારનું પ્રતિપાદક જે ‘અસ્તિ’ કે તેના જેવાં ‘સત્' ઈત્યાદિ વચનો છે, બધાં શુદ્ધ દ્રવ્યાર્થિકનયનાં વચનો સમજવાં. એ સિવાયનાં જીવ, અજીવ, મુક્ત, સંસારી, પરમાણુ, સ્કંધ, ગુણ આદિ બીજાં જે વચનો છે, તે બધાં કોઈ ને કોઈ પ્રકારનાં મર્યાદિત સામાન્યનાં જ બોધક હોવાથી, તેના અર્થમાં વિશેષનો, વિભાગનો, ખંડનો કે ભેદનો સ્પર્શ હોવાથી તે વચનો પર્યાયાસ્તિકનયનું અવલંબન કરનાર છે. તેથી તે અશુદ્ધ દ્રવ્યાર્થિકનયના વચનો સમજવાં. શેષ વચનો અર્થાત્ સામાન્ય રહિત માત્ર વિશેષને કહેનારા વચનો તે પર્યાયાસ્તિકનયનાં વચનો જાણવાં. (૭) 2010_02 १९ Page #65 -------------------------------------------------------------------------- ________________ २० संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-८ उभयनययोः साधारणविषयमाह - पज्जवणयवोक्कंतं वत्थु दव्वट्ठियस्स वयणिज्जं । जाव दविओवओगो अपच्छिमवियप्प-निव्वयणो ।।८।। अपष्टिामविकल्पनिर्वचनो विकल्पनं विकल्पः, निष्टायकर्तृ वचनं निर्वचनम्, न विद्यते पष्टिामं-पष्टााद् यस्मिन् विकल्पनिर्वचने तदपष्टिामविकल्पनिर्वचनम् - तथाविधं तद् यस्यासावपष्टिामविकल्पनिर्वचनो द्रव्योपयोगः सामान्यबोधो यावत् प्रवर्त्तते तावद् वस्तु द्रव्यार्थिकनयस्य वचनीयं विषयभूतं तञ्च पर्यवनयव्युत्क्रान्तं पर्यायनयेनाप्याक्रान्तम् अर्थात् पर्यायनयस्यापि विषयरूपम ।। इदं वाच्यम् - यावत् वस्तुसम्बन्धि किञ्चिदपि प्रकारकं विकल्पं वचनव्यवहारं वा प्रवर्तते तावद्वस्तु द्रव्यास्तिकनयस्य विषयरूपम् । तच्च वस्तु पर्यायास्तिकनयस्यापि विषयभूतम् । यस्माद् यद् वस्तु द्रव्यास्तिकनयः सामान्येन जानाति तदेव वस्तु पर्यायास्तिकनयो विशेषेण जानाति । अतः सर्वमपि वस्तूभयनयसाधारणविषयम् ।।८।। અવ. દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય અનેકાંતની ભાવનાથી જ યથાર્થ છે, તે સિદ્ધ કરવા માટે જ્ઞાનની અનેકાંતતાનું પ્રતિપાદન કરતાં જણાવે છે કેगाथा : पजवणयवोक्तं वत्थु दव्वट्ठियस्स वयणिजं । जाव दविओवओगो अपच्छिमवियप्पनिव्वयणो ।। ८ ।। पर्यायनयव्युत्क्रान्तं वस्तु द्रव्यार्थिकस्य वचनीयम् । यावद् द्रव्योपयोगः अपश्चिमविकल्पनिर्वचनः ।। ८ ।। अन्वयार्थ : अपच्छिमवियप्पनिव्वयणो = लेना पछी विseuuन अने वयन व्यवडा२ नथी वो दविओवओगो = द्रव्य6पयोग-सामान्यसोध जाव = यावत्- या सुधी प्रवर्त छ, त्यो सुधानी वत्थु = वस्तु दव्वट्ठियस्स = द्रव्यास्तिनयनो वयणिज्जं = विषय (मने ते वस्तु) पज्जवणयवोक्कंतं = पर्यायनयथी मात - पर्यायनयनो (५५) विषय. छाया: 2010_02 Page #66 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-९ ગાથાર્થઃ જેના પછી વિકલ્પજ્ઞાન અને વચનવ્યવહાર નથી એવા વિષયવાળો અર્થાતુ છેલ્લામાં છેલ્લો દ્રવ્યઉપયોગ (સામાન્યબોધ) જ્યાં સુધી (સંગ્રહનય સુધી) પ્રવર્તે છે, ત્યાં સુધીની વસ્તુ દ્રવ્યાસ્તિનયનો વિષય છે; અને તે વસ્તુ પર્યાયાસ્તિકનયનો પણ વિષય છે. અથવા અન્વયાર્થ: જે =વલ્થ = વસ્તુ, પન્નવયવોવૉ = પર્યાયાસ્તિકનય વડે ગ્રહણ કરીને ત્યાગ કરાયેલ છે (તે), વસ્ત્રક્રિય = દ્રવ્યાસ્તિકનયન, વગિન્ન = વિષયવસ્તુ છે, (કારણ કે), સચ્છિવિયgનિત્રય = જેના પછી કોઈ વિકલ્પજ્ઞાન કે વચનવ્યવહાર નથી તેવો વિષય અર્થાત્ અંત્ય વિશેષ, નાવ = જ્યાં સુધી પ્રવર્તે છે ત્યાં સુધી), વિમોવો = દ્રવ્યાસ્તિકનયનો ઉપયોગ (પ્રવર્તે છે). ગાથાર્થઃ જે વસ્તુ સૂક્ષ્મતર-સૂક્ષ્મતમ વગેરે બુદ્ધિવાળા પર્યાયાસ્તિકનય વડે ગ્રહણ કરીને મૂકાયેલ છે તે વસ્તુ દ્રવ્યાસ્તિકનયનો વિષય છે, કારણ કે જેના પછી કોઈ વિકલ્પજ્ઞાન કે વચનવ્યવહાર નથી તેવા અંત્યવિશેષ સુધી દ્રવ્યાસ્તિકનયનો ઉપયોગ પ્રવર્તે છે. (૮) તાત્પર્યાર્થઃ સામાન્ય-વિશેષ ઉભયવરૂપ પદાર્થના વિશેષ અંશને ગૌણ કરી પ્રધાનપણે સામાન્ય અંશને ગ્રહણ કરનાર ઉપયોગ દ્રવ્યોપયોગ છે. જ્યાં સુધી કોઈપણ પ્રકારનો વિકલ્પ કે વચન વ્યવહાર પ્રવર્તે છે ત્યાં સુધીના દરેક પદાર્થો દ્રવ્યોપયોગના વિષય છે અને તેથી જ તે પદાર્થો સામાન્યગ્રાહી દ્રવ્યાસ્તિકનયના પણ વિષય છે. દ્રવ્યાસ્તિકનયના આ વિષયો પર્યાયોથી વ્યાપ્ત હોવાથી પર્યાયાસ્તિકનયને પણ ગ્રાહ્ય બને છે, કારણ કે, દ્રવ્યાસ્તિકનયે જે જે વસ્તુને સામાન્યરૂપે જાણી હોય તે જ વસ્તુને પર્યાયાસ્તિકનય વિશેષરૂપે જાણે છે. આ પ્રમાણે જેમ ગૌણ-મુખ્યભાવને આશ્રયીને જ્ઞાનોપયોગના સામાન્યોપયોગ અને વિશેષોપયોગ એમ બે ભેદ છે અર્થાત્ જ્ઞાનમાં અનેકાંત છે તે જ રીતે દ્રવાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયમાં પણ અનેકાંત છે. (૮) उभयनयपरस्परसापेक्षताविषयककथनोपसंहारपूर्वकं नयद्वयविषयस्य वक्तृविवक्षाधीनत्वं दर्शयन्नाह - दव्वढिओ त्ति तम्हा नत्थि णओ नियमसुद्धजाईओ । ण य पज्जवढिओ णाम कोइ भयणाय उ विसेसो ।।९।। 2010_02 Page #67 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-९ तस्मात् परस्पर निरपेक्षवृत्तिकद्रव्यपर्याययोरभासमानत्वाद् द्रव्यार्थिक इति नयो नियमशुद्धजातीयो नियमन-निष्टायेन विशेषविनिर्मुक्तो नास्ति । न च पर्यायार्थिकोऽपि नाम कष्टिान्नयो निष्टायेन सत्ताविरहितः, विषयाभावेन विषयिणोऽप्यभावात् । किन्तु भजनया विवक्षया एव विशेषः ‘इदं द्रव्यमयं पर्यायः' इत्ययं भेदः । इदं समीक्ष्यम् - कस्मिंचिदपि वस्तुनि पर्यायरहितं केवलं द्रव्यं द्रव्यरहितप्टा केवल: पर्यायः न संभवति । किन्तु वस्तुजातमपेक्षाविशेषेण सामान्यमपेक्षाविशेषेण च विशेषम् । ततो द्रव्यास्तिकनयस्य विषयः पर्यायास्तिकनयविषयस्पर्शेण पर्यायास्तिकनयस्य च विषयो द्रव्यास्तिकनयविषयस्पर्शेण रहितो नैव संभवति । तथापि तत्र यो नययोर्भेदः क्रियते तस्य कारणं वक्तृविवक्षैव । विशेषरूपमुपसर्जनीकृत्य प्रधानीकृतसामान्यरूपो द्रव्यास्तिकनयः कथ्यते, तथा सामान्यं गौणीकृत्य प्रधानीकृतो विशेषभावः पर्यायास्तिकनय उच्यते ।।९।। गाथा: छाया: અવ. વિવલાથી જ બંને નયોનો ભેદ – दव्वढिओ त्ति तम्हा नत्थि णओ नियमसुद्धजाईओ । ण य पज्जवढिओ णाम कोइ भयणाय उ विसेसो ।। ९ ।। द्रव्यार्थिकः इति तस्मात् नास्ति नयो नियमशुद्धजातीयः । न च पर्यायार्थिको नाम कश्चिद् भजनया तु विशेषः ।।९।। अन्वयार्थ : तम्हा = तेथी, नियमसुद्धजाईओ = निश्ययथा शुद्धातीय (पोतनाथी मिननयन विषयथी २डित) त्ति दवट्ठओ = मेवो द्रव्यास्ति णओ = नय नत्थि = नथी. य = भने सुद्धजाईओ = शुद्ध प्रानो पज्जवढिओ = पर्यायाति णाम = नमन (५५) कोइ = ई नय ण = नथी. भयणाय उ = विक्षuथी ४ विसेसो = विशेषता-ह. ગાથાર્થ તેથી, નિશ્ચયથી શુદ્ધજાતીય એવો દ્રવ્યાસ્તિકનય નથી અને પર્યાયાસ્તિક નામનો કોઈ નય પણ શુદ્ધજાતીય નથી. ખરેખર, વિવક્ષાથી જ ભેદ છે. (પોતાનાથી ઈતરનયના વિષયને નહિ સ્પર્શનાર नयने शुद्धतीयनय उपाय छे.) (८) ___ 2010_02 Page #68 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-१० २३ તાત્પર્યાર્થ : દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક એવા નયના બે ભાગો પાડવાથી અને તેમનો સામાન્ય તથા વિશેષરૂપે વિષયવિવેક કરવાથી એવી ભ્રાંતિ થવાનો સંભવ છે કે, દ્રવ્યાસ્તિકનયને વિશેષ સાથે કોઈ સંબંધ નથી અને પર્યાયાર્થિક નયને સામાન્ય સાથે કોઈ સંબંધ નથી. તે ભ્રાંતિ દૂર કરી વસ્તુસ્થિતિ અહીં સ્પષ્ટ કરી છે. વાસ્તવિક રીતે કોઈ સામાન્ય વિશેષ વિનાનું અને કોઈ વિશેષ સામાન્ય વિનાનું હોતુ જ નથી; પરંતુ એક જ વસ્તુ કોઈ અપેક્ષાએ સામાન્ય તો બીજી અપેક્ષાએ વિશેષરૂપ હોય છે. તેથી દ્રવ્યાસ્તિકનયનો વિષય પર્યાયાસ્તિકનયના વિષયસ્પર્શથી મુક્ત હોતો નથી, અને તે જ રીતે પર્યાયાસ્તિકનયનો વિષય પણ દ્રવ્યાસ્તિકનયના વિષયસ્પર્શથી મુક્ત હોતો નથી. આ વસ્તુસ્થિતિ હોવા છતાં “આ દ્રવ્ય છે, આ પર્યાય છે' આ પ્રમાણે જે ભેદ કરવામાં આવે છે, તેનું કારણ વિષયનો ગૌણ-પ્રધાન ભાવ જ છે. દૃષ્ટિ જ્યારે વિશેષરૂપને ગૌણ રાખી સામાન્યરૂપને મુખ્યપણે અવલંબીને પ્રવર્તે, ત્યારે તે દ્રવ્યાસ્તિકનય અને જ્યારે સામાન્યરૂપને ગૌણ કરી વિશેષરૂપને મુખ્યપણે ગ્રહણ કરીને પ્રવર્તે, ત્યારે તે પર્યાયાસ્તિકનય છે એમ સમજવું. આ રીતે બંને નયોમાં વિષયના ભેદથી ભેદ नथी, ५९। विवक्षाना मेथी मे छ. (४) एकनयमतेन अन्यनयविषयं किंस्वरूपमिति दर्शयन्नाह - दव्वट्ठियवत्तव्वं अवत्थु णियमेण पज्जवणयस्स । तह पज्जववत्थु अवत्थुमेव दव्वट्ठियनयस्स ।।१०।। द्रव्यास्तिकवक्तव्यं द्रव्यास्तिकनयेनाभिधेयं विषयवस्तु पर्यवनयस्य पर्यायास्तिकनयमतेन नियमेन अवश्यम् अवस्तु अकिञ्चिद्रूपम्, पर्यायार्थिकनयस्य भेदरूपापन्नत्वात् । तथा पर्यववस्तु पर्यायास्तिकनयेन वाच्यं वस्तु द्रव्यास्तिकनयस्य मतेन अवस्तु एव असद्रूपमेव, द्रव्यार्थिकनयस्य सत्तारूपापन्नत्वात् । इदं रहस्यम्-द्रव्यास्तिकनयो वस्तुमात्रं सामान्यरूपेण गृह्णाति, अभेदग्राहित्वात् तथा पर्यायास्तिकनयः समस्तवस्तु विशेषरूपेणैव, भेदग्राहित्वात् । अत एवैकनयेन वाच्यं वस्तु इतरनयेनावस्तुरूपम्, विवक्षात एव तयोर्भेदः । भजनामन्तरेणैकत्र भेदानामपरत्र च सत्ताया नष्टत्वाद् ‘इदं द्रव्यम् एते च पर्यायाः' इति नास्ति भेदः ।।१०।। 2010_02 Page #69 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-११ અવ. વિવક્ષાને કારણે બંને નયોના વિષયમાં ઉત્પન્ન થયેલ ભેદનું કથનगाथा : दव्वट्ठियवत्तव्वं अवत्थु णियमेण पजवणयस्स । तह पजववत्थु अवत्थुमेव दव्वट्ठियनयस्स ।। १० ।। छाया : . द्रव्यास्तिकवक्तव्यम् अवस्तु नियमेन पर्यवनयस्य । __ तथा पर्यववस्तु अवस्तु एव द्रव्यास्तिकनयस्य ।। १० ।। अन्वयार्थ : दव्वट्ठियवत्तव्वं = द्रव्यानियथी ४डेवा योज्य १२तु पज्जवण यस्स = पर्यायातिनयनी णियमेण = निश्ये अवत्थु = अवस्तु. तह = तथा पज्जववत्थु = पर्यायास्तियनी विषय वस्तु दव्वट्ठिय नयस्स = द्रव्यास्ति नयनी अवत्थुमेव = अस्तु ४. ગાથાર્થ : દ્રવ્યાસ્તિકનયથી કહેવા યોગ્ય પદાર્થ પર્યાયાસ્તિકનયની દૃષ્ટિમાં નિયમથી અપદાર્થસ્વરૂપ છે; તથા પર્યાયાસ્તિકનયથી કહેવા યોગ્ય પદાર્થ દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિમાં અપદાર્થસ્વરૂપ જ છે. (૧૦) તાત્પર્યાર્થઃ વિવલાથી બંને નયના વિષયનો જે ભેદ કહેવામાં આવ્યો છે, તેનું સ્પષ્ટીકરણ અહીં છે. દ્રવ્યાસ્તિકનય અભેદને સ્વીકારતો હોવાથી વસ્તુને માત્ર સામાન્યરૂપે જુએ છે; જ્યારે પર્યાયાસ્તિકનય ભેદને સ્વીકારતો હોવાથી એ જ વસ્તુને માત્ર વિશેષરૂપે જુએ છે. આથી એક નય દ્વારા કહેવાતી વસ્તુ બીજા નયની દૃષ્ટિમાં અવસ્તુ છે અર્થાત્ મિથ્યા છે. આ જ એક વિષયમાં પ્રવર્તમાન બંને નયોનો અને તેમના પ્રતિપાદ્ય અંશોનો ભેદ છે. આથી, ભજના-વિવેક્ષા વગર, પર્યાયાસ્તિકનયની માન્યતામાં સત્તાસામાન્ય નષ્ટ थवाथी तथा द्रव्यास्तिनयनी मान्यतामा मेहो नष्ट थवाथी में ४ पर्थमा 'इदं द्रव्यम्, एते च पर्यायाः' मा प्रमाणो मे २६ शतो नथी. (१०) प्रत्येकनयमान्यं विषयस्वरूपं विभज्य दर्शयन्नाह - उप्पज्जंति वियंति य भावा नियमेण पज्जवणयस्स । दवट्ठियस्स सव्वं सया अणुप्पन्नमविणटुं ।।११।। पर्यवनयस्य मते भावाः पदार्था नियमेन निष्टायेन उत्पद्यन्ते प्रागभूत्वा भवन्ति वियन्ति च स्वरूपत्यागान्नश्यन्ति च । द्रव्यास्तिकनयस्य मतेन सर्वं वस्तु सदा अनुत्पन्नमविनष्टं नित्यं शाश्वतमाकालस्थितिस्वभावमित्यर्थः । 2010_02 Page #70 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-११-१२ अयं भावार्थः - द्रव्यास्तिकनयः सर्वं वस्तु नित्यरूपेण गृह्णाति, पर्यायास्तिकनयष्टा सर्वम- . नित्यरूपेण गृह्णाति । नित्यानित्योभयात्मकस्य वस्तुनो नित्यस्वरूपग्राहको द्रव्यास्तिकनयः, अनित्यस्वरूपग्राहकप्टा पर्यायास्तिकनयः ।।११।। छाया: અવ. પરસ્પર નિરપેક્ષ એવા બંને નયોને માન્ય વસ્તુનું ભિન્ન ભિન્ન સ્વરૂપ - गाथा : उप्पजंति वियंति य भावा नियमेण पजवणयस्स । दव्वट्ठियस्स सव्वं सया अणुप्पन्नमविणटुं ।। ११ ।। उत्पद्यन्ते वियन्ति च भावा नियमेन पर्यवनयस्य ।। द्रव्यार्थिकस्य सर्वं सदा अनुत्पन्नमविनष्टम् ।। ११ ।। अन्वयार्थ : पज्जवणयस्स = पर्यायास्तिनयन भते भावा = ५हार्थो नियमेण = निश्ये उप्पज्जति = उत्पन्न. थाय छे वियंति य = अने ना मे छ. दवट्ठियस्स = द्रव्यास्तिनयना मते सव्वं = सर्व (पर्थो) सया = डंभेश। अणुप्पन्नमविणटुं = उत्पन्न नडि थना२ अने નાશ નહિ પામનાર અર્થાત્ શાશ્વત છે. ગાથાર્થ : પર્યાયાસ્તિકનયના મતે બધા પદાર્થો નિયમથી ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. જ્યારે દ્રવ્યાસ્તિકનયના મતે બધી વસ્તુ હંમેશને માટે ઉત્પત્તિ અને નાશ વિનાની શાશ્વતકાલીન જ છે. (૧૧) તાત્પર્યાર્થ: પર્યાયાસ્તિકનયના મતે સર્વ પદાર્થો સર્વકાળ પરિવર્તન પામે છે અર્થાત્ ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. જ્યારે દ્રવ્યાસ્તિકનયના મતે સર્વ પદાર્થો અપરિવર્તનશીલ છે અર્થાત્ ઉત્પત્તિ અને નાશને નહિ પામતાં શાશ્વત છે. આ રીતે, એક નય વસ્તુના દરેક અવસ્થામાં સ્થિર રહેતા સ્વરૂપનો ગ્રાહક છે, જ્યારે બીજો નય વસ્તુના તત્કાલીન આકારિત થયેલા ક્ષણિક સ્વરૂપનો ગ્રાહક છે. (૧૧) परस्पर निरपेक्षस्योभयनयसंमतस्य वस्तुन अप्रामाणिकत्वेनासंभवकथनपूर्वकं द्रव्यलक्षणं निरूपयन्नाह - दव्वं पज्जवविउयं दव्वविउत्ता य पज्जवा णत्थि । उप्पाय-ट्ठिइ-भंगा हंदि दवियलक्खणं एयं ।।१२।। ___ 2010_02 Page #71 -------------------------------------------------------------------------- ________________ २६ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-१२ द्रव्यं पर्यववियुक्तं पर्यायरहितं नास्ति द्रव्यवियुक्ताप्टा पर्यवा नास्ति । हन्दि इत्युपप्रदर्शने, उत्पाद-स्थिति-भङ्गास्समुदिता एतद् द्रव्यलक्षणं द्रव्यस्य लक्षणम् । इदं समूहयम्- किञ्चिदपि वस्तूत्पादविनाशरहितं केवलं स्थिरस्वरूपं न, तथा ध्रौव्यरहितं केवलमुत्पादविनाशरूपमपि न, किन्तु मूलरूपेण स्थिरमपि भूत्वा प्रतिसमयं परावर्तते । "उत्पादव्ययध्रौव्ययुक्तं सद्” [५/१] इति तत्त्वार्थसूत्रवचनमनुसृत्य परस्परानुविद्धा एव 'उत्पादस्थिति-भङ्गा' द्रव्यस्य लक्षणम्, न तु परस्पराननुविद्धाः, अन्यतमाभावे तदितरयोरप्यभावात् ।।१२।। छाया: અવ. પરસ્પર નિરપેક્ષ દ્રવ્ય અને પર્યાયનો અભાવ જણાવવાપૂર્વક દ્રવ્યનું લક્ષણगाथा : दव्वं पज्जवविउयं दव्वविउत्ता य पजवा णत्थि । उप्पाय-ट्ठिइ-भंगा हंदि दवियलक्खणं एयं ।। १२ ।। द्रव्यं पर्यववियुक्तं द्रव्यवियुक्ताश्च पर्यवा न सन्ति । उत्पाद-स्थिति-भङ्गा हन्दि द्रव्यलक्षणमेतद् ।। १२ ।। अन्वयार्थ : दव् = द्रव्य पज्जवविउयं = पायथी २डित य = अने पज्जवा = पायो दव्वविउत्ता = द्रव्यथा २ठित णत्थि = नथी. हंदि = १३५२, उप्पायट्टिइभंगा = Guls-स्थिति भने । एयं = ॥ दवियलक्खणं = द्रव्य, सक्ष. ગાથાર્થ દ્રવ્ય એ પર્યાય વિનાનું હોઈ શકતું નથી; અને પર્યાયો એ દ્રવ્ય વિનાના હોઈ શકતા નથી. ખરેખર, પરસ્પર જોડાયેલા ઉત્પાદ, સ્થિતિ અને નાશ એ ત્રણે દ્રવ્ય માત્રનું લક્ષણ છે. (૧૨) તાત્પર્યાર્થ : કોઈપણ દ્રવ્ય, પર્યાય વિના સંભવી શકતું નથી કે કોઈપણ પર્યાયો, દ્રવ્ય વિના સંભવી શકતા નથી. આથી, દ્રવ્યાર્થિકનયને માન્ય વસ્તુ પર્યાયાસ્તિકનયને પણ માન્ય છે અને પર્યાયાસ્તિકનયને માન્ય વસ્તુ દ્રવ્યાસ્તિકનયને પણ માન્ય છે અર્થાતુ બંને નયોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પરસ્પરની વિષયવસ્તુનો સ્વીકાર કરવો જ પડશે. કારણ કે, અન્યના વિષયનો અપલાપ કરવાથી સ્વનું અસ્તિત્વ જ ટકી શકતું નથી. પરસ્પર સાપેક્ષ એવા ઉત્પાદ-સ્થિતિ અને નાશ એ દ્રવ્યનું લક્ષણ છે', આ લક્ષણ દ્વારા દ્રવ્યનું યથાર્થ પૂર્ણરૂપે અહીં બતાવ્યું છે. કોઈપણ દ્રવ્ય, ઉત્પાદ અને વિનાશ વિના માત્ર 2010_02 Page #72 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-१३ २७ સ્થિરસ્વરૂપે હોતું નથી. તેમ જ કોઈપણ વસ્તુ, સ્થિરતા વિનાની માત્ર ઉત્પાદ-વિનાશવાળી નથી. કારણ કે વસ્તુનો સ્વભાવ જ એવો છે કે, તે મૂળરૂપે સ્થિર છતાં પ્રતિપળ જુદા જુદા રૂપે બદલાતી રહે છે અર્થાત્ તેના પૂર્વપૂર્વ પર્યાયો નાશ પામે છે અને ઉત્તર-ઉત્તર પર્યાયો ઉત્પન્ન થાય છે. તેથી એક જ વસ્તુમાં સ્થિરપણું અને અસ્થિરપણું હોવું એ વિરુદ્ધ નથી પણ વાસ્તવિક છે. અને આ રીતે એક જ વસ્તુમાં સ્થિરતા અને અસ્થિરતાસ્વરૂપ બંને રૂપો સ્વીકારવામાં આવે તો જ વસ્તુ પૂર્ણ બને છે. આ ગાથાની ટીકામાં ટીકાકાર મહર્ષિએ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય ત્રણે કઈ રીતે પરસ્પર જોડાયેલા છે તેનું યુક્તિઓ દ્વારા સુંદર શૈલીમાં વર્ણન કરેલ છે. (૧૨) उत्पादादयः परस्परसापेक्षा एव द्रव्यलक्षणं न स्वतन्त्रा इति कथयन्नाह - एए पुण संगहओ पाडिक्कमलक्खणं दुवेण्हं पि । तम्हा मिच्छद्दिट्ठी पत्तेयं दो वि मूलणया ।।१३।। एते उत्पादादयः पुनः सङ्ग्रहतो परस्परस्वरूपोपादानेनैव द्रव्यस्य लक्षणम् । प्रत्येकमेकका उत्पादादयः परस्परस्वरूपत्यागेन द्वयोरपि द्रव्यास्तिकपर्यायास्तिकनययोः अलक्षणम् । तस्मात् प्रत्येकं परस्परविविक्तौ द्वावपि द्रव्यार्थिकपर्यायार्थिकस्वरूपौ मूलनयौ समस्तनयराशिकारणभूतौ मिथ्यादृष्टी एव । इदं ज्ञेयम् - शिबिकोद्वाहकाः पुरुषा इव परस्परानुविद्धा एव उत्पादादयो द्रव्यस्य लक्षणम्, न तु परस्पराननुविद्धा, तथाभूतपदार्थाभावादुत्पादादीनां च परस्परविविक्तरूपाणामसम्भवाञ्च तद्ग्राहकयोरपि तथाभूतयोर्द्रव्यास्तिकपर्यायास्तिकनययोरभावः । तस्मानिरपेक्षौ द्रव्यार्थिकपर्यायार्थिकनयावपि मिथ्यादृष्टी एव ।।१३।। અવ. આ ઉત્પાદ વગેરે પરસ્પર જોડાયેલા હોય તો જ દ્રવ્યનું કે મૂલનયોનું લક્ષણ બને છે પણ સ્વતંત્ર હોય તો લક્ષણ બની શકતા નથી– गाथा : एए पुण संगहओ पाडिक्कमलक्खणं दुवेण्हं पि । तम्हा मिच्छद्दिट्ठी पत्तेयं दो वि मूलणया ।। १३ ।। एते पुनः सङ्ग्रहतः प्रत्येकमलक्षणं द्वयोरपि । तस्माद् मिथ्यादृष्टी प्रत्येकं द्वावपि मूलनयौ ।। १३ ।। छाया: 2010_02 Page #73 -------------------------------------------------------------------------- ________________ २८ સંમતિતપ્રારn, g-૨, થા-૨૪ સર્વથાર્થ : પુNT = વળી, પણ = આ ઉત્પાદ વગેરે) સ = સંગ્રહથી – અભિન્નપણાથી (લક્ષણ બને છે પણ) પડવેન્દ્ર = પ્રત્યેક (પરસ્પર ભિન્ન એવા ઉત્પાદ વગેરે) કુવે પિ = બંનેના પણ મલ્ટavi = લક્ષણ બનતાં નથી. ત = તેથી, પયં = પ્રત્યેક (પરસ્પર નિરપેક્ષ) રો વિ = બંને પણ મૂ૦થા = મૂલભૂત નયો મિચ્છિિદ = મિથ્યાષ્ટિ. ગાથાર્થ : વળી, આ ઉત્પાદ વગેરે સંગ્રહથી અર્થાતુ પરસ્પરના સ્વરૂપના ગ્રહણથી જ મૂળનયોનું લક્ષણ બને છે પણ પરસ્પરનો ત્યાગ કરનારા એવા આ ઉત્પાદ વગેરે દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયરૂપ બને મૂળનયોનું લક્ષણ બની શક્તાં નથી, તેથી પરસ્પર નિરપેક્ષ એવા બંને પણ દ્રવ્યાસ્તિકનય-પર્યાયાસ્તિકનય સ્વરૂપ મૂલનો મિથ્યાદષ્ટિ જ છે. (૧૩) તાત્પર્ધાર્થ ઃ ઉત્પાદ, નાશ અને સ્થિતિ ત્રણે દ્રવ્યના લક્ષણ તરીકે જણાવવામાં આવ્યા, પણ ક્યારે ? જોડાયેલા હોય તો અન્યથા નહિ. જેમ શિબિકાને વહન કરનારા પુરુષો બધા સાથે ઉપાડે તો શિબિકા ઉપડી શકે પણ જો એક-બે વ્યક્તિ પણ ન ઉપાડે તો શિબિકા વહન ન થઈ શકે. તેમ પરસ્પરનાં સ્વરૂપનો ત્યાગ ન કરે તો જ ઉત્પાદ-સ્થિતિ અને નાશ મૂળનયોના લક્ષણ બની શકે, પણ પરસ્પરના સ્વરૂપનો ત્યાગ કરનારા આ ઉત્પાદ વગેરે મૂલનયોના લક્ષણ બની શકે નહિ. તેથી સમસ્તનયોના સમૂહના કારણભૂત એવા આ દ્રવ્યાસ્તિકનય તથા પર્યાયાસ્તિકનય જો પરસ્પર નિરપેક્ષ હોય તો મિથ્યાષ્ટિ જ છે. (૧૩) उभयनयारब्धस्य तृतीयनयस्याभावं दर्शयित्वा द्वावपि नयौ कथं सम्यग् भवति तद् दर्शयन्नाह - ण य तइओ अत्थि ण ण य सम्मत्तं ण तेसु पडिपुण्णं । जेण दुवे एगन्ता विभज्जमाणा अणेगन्तो ।।१४।। परस्परसापेक्षत्वेनोभयग्राहको न च तृतीयो नयोऽस्ति । न च तयोर्द्रव्यास्तिकपर्यायास्तिकनययोः प्रतिपूर्णं सम्यक्त्वं न । येन यत एकान्तौ एकान्तरूपतया व्यवस्थितौ द्वावपि नयौ विभज्यमानौ परस्परात्यागरूपेण गृह्यमाणावनेकान्तो भवति सम्यक्त्वस्य कारणभूतौ ભવતિ | इदमुपनिषद् - नया नैकदा वस्तूनामनेकधर्मग्राहकाः, किन्तु प्रतिनियतैकधर्मग्राहका एव । तेन नया न सामान्य-विशेषोभयग्राहिणः, तथास्वरूपं तु प्रमाणस्यैव । तस्मात् सामान्य 2010 02 Page #74 -------------------------------------------------------------------------- ________________ સંમતિતપ્રકર, કાકુ-૧, રથા-૨૪ विशेषोभययोः परस्परसापेक्षत्वेन ग्राहकः कष्टिान्नयो न संभवति । तस्माद द्वयोरपि नययोः सम्यक्त्वं न संभवतीति न वाच्यम्, इतरनयविषयत्यागेन मिथ्यारूपयोरपि उभयनययोरितरनयविषयात्यागेन सम्यगरूपत्वात् । ततो द्वावपि नयावनेकान्तरूपौ भवतः ।।१४ ।। અવ. પરસ્પર સાપેક્ષપણે બંને નયોને ગ્રહણ કરનાર ત્રીજો નય નથી છતાં જે રીતે બને નય સમ્ય બને છે તેનું કથન કરતાં જણાવે છે કેVIથા : ण य तइओ अत्थि णओ ण य सम्मत्तं ण तेसु पडिपुण्णं । जेण दुवे एगन्ता विभजमाणा अणेगन्तो ।। १४ ।। છયા : न य तृतीयः अस्ति नयो न च सम्यक्त्वं न तयोः प्रतिपूर्णम् । વેન દ્વો પાન્તો વિમાન મનેજાત: || ૪ || કન્વથાર્થ : ૨ = અને તો = (બંને નયોને ગ્રહણ કરનાર) ત્રીજો પગ = નય જ સ્થિ = નથી. = અને તેનું પવિપુur = તે બે (નયો)માં પૂર્ણ સમત્ત = સમ્યકપણું ન = નથી એવું નથી. નેT = કારણ કે, પત્તા = એકાંત સ્વરૂપ તુવે = બંને નયો (પણ) વિમક્કમUT = સાપેક્ષ ગ્રહણ કરાતા સોજાન્તો = અનેકાંતસ્વરૂપ બને છે. ગાથાર્થ પરસ્પર સાપેક્ષપણે બંનેને ગ્રહણ કરનાર એવો ત્રીજો નય નથી તથા બંને નયોમાં પૂર્ણ સમ્યપણું નથી એવું પણ નથી. કારણ કે, એકાંતપણે વ્યવસ્થિત બંને નયો પણ જો સાપેક્ષ રીતે ગ્રહણ કરવામાં આવે તો અનેકાંતસ્વરૂપ બને છે. (૧૪) તાત્પર્યાર્થઃ કોઈપણ દ્રવ્ય એ સામાન્ય અને વિશેષ ઉભયસ્વરૂપ છે. તેથી વસ્તુના ઉભય સ્વરૂપને ગ્રહણ કરનારો નય જ સમ્યગુ હોઈ શકે; પણ ઉભય સ્વરૂપને ગ્રહણ કરતો હોય એવો તો નય સંભવતો જ નથી. કારણકે જે સંપૂર્ણ દ્રવ્યને ગ્રહણ કરે તેને પ્રમાણ કહેવાય છે, નય નહિ. ત્યારે પ્રસન્ન થાય છે કે, જો સામાન્ય-વિશેષ કે દ્રવ્ય-પર્યાયરૂપ ઉભયભાવોને સ્વીકારનાર ત્રીજો નય નથી જ અને માત્ર સામાન્ય ધર્મને કે માત્ર વિશેષ ધર્મને ગ્રહણ કરનાર બંને નયોને તમે મિથ્યાદૃષ્ટિ કહો છો, તો શું નયજ્ઞાન સમ્યગુરૂપ ન હોઈ શકે ? આનો ઉત્તર એ છે કે, હોઈ શકે; પણ તે કેવી રીતે ?” એ જ સમજવું જોઈએ. જે બે નયોને મિથ્યાદૃષ્ટિ કહેવામાં આવ્યા છે, તે જ બે નયોમાં સમ્યકપણું પણ છે જ. તો ફરી પ્રશ્ન થાય કે, મિથ્યાપણું અને સમ્યકુપણું એ બંને વિરુદ્ધ ધર્મો એક આશ્રયમાં કેવી રીતે સંભવે ? એનો ઉત્તર એ છે કે, જ્યારે એ બંને નયો એકબીજાથી નિરપેક્ષ થઈ માત્ર સ્વવિષયને જ સદૂરૂપે સમજવાનો-સમજાવવાનો આગ્રહ 2010_02 Page #75 -------------------------------------------------------------------------- ________________ ३० संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-१५ કરે, ત્યારે તે બંને નયો પોતપોતાના ગ્રાહ્ય એક અંશમાં સંપૂર્ણતા માનતા હોવાથી મિથ્યારૂપ છે; પણ જ્યારે એ જ બે નયો પરસ્પર સાપેક્ષપણે પ્રવર્તે, અર્થાત્ બીજા પ્રતિપક્ષી નયના વિષયનો ત્યાગ કર્યા સિવાય તેના વિષે માત્ર તટસ્થ રહી પોતાના વક્તવ્યનું પ્રતિપાદન કરે, ત્યારે બંનેમાં સમ્યપણું આવે છે. કારણ કે, એ બંને નયો એક એક અંશગ્રાહી હોવા છતાં એકબીજાનો અપલાપ કર્યા વિના પોતપોતાના પ્રદેશમાં પ્રવર્તતા હોવાથી સાપેક્ષ છે, અને તેથી તે બંને યથાર્થ છે. - અનેકાંતસ્વરૂપ બને છે અર્થાત્ સમ્યક્તના કારણસ્વરૂપ બને છે. (૧૪) मूलनयद्वयवन्निरपेक्षाः सर्वेऽपि नया दुर्नया एवेति विवर्णयन्नाह - जह एए तह अण्णे पत्तेयं दुण्णया गया सब्वे । हंदि हु मूलणयाणं पण्णवणे वावडा ते वि ।।१५।। यथा एतौ निरपेक्षग्राहिणौ मूलनयौ मिथ्यादृष्टी तथा प्रत्येकं स्वतन्त्रा अन्ये सर्वेऽपि नैगमादयो नया दुर्नया मिथ्यादृष्टयः । यतो हन्दि इत्येवं गृह्यतां हुशब्दो हेतौ, तेऽपि सर्वे नया मूलनययोः मूलनयविषययोरेव प्रज्ञापने प्ररूपणायां व्यापृताः प्रवृत्तिशीलाः । अयं सारांशः-नयानां निरपेक्षतया वर्त्तनमेव दुर्नयत्वस्य बीजम् । इदं यथा मूलनययोस्तथा यद्युत्तरनयेष्वपि भवेत्तर्हि ते सर्वेऽपि दुर्नया एव । यत इतरनया मूलनयद्वयपरिच्छिन्नवस्तुन्येव व्यापृताः मूलनयविषयव्यतिरिक्तविषयान्तराभावात् सर्वनयवादानां च सामान्यविशेषोभयैकान्तविषयत्वात् ।।१५।। અવ. મૂળ બે નયનો જેમ પરસ્પર નિરપેક્ષ એવા સર્વ પણ નયના મિથ્યાસ્વરૂપનું કથન - जह एए तह अण्णे पत्तेयं दुण्णया णया सब्वे । हंदि हु मूलणयाणं पण्णवणे वावडा ते वि ।। १५ ।। यथा एतौ तथा अन्ये प्रत्येकं दुर्नया नयाः सर्वे । हन्दि हु मूलनयानां प्रज्ञापने व्यापृतास्तेऽपि ।। १५ ।। अन्वयार्थ : जह एए = शत (नयो) तह अण्णे = ते शत अन्य पत्तेयं = प्रत्ये(-अन्य नयथी निरपेक्ष) णया सव्वे = सर्व नयो दुण्णया = हुनयो हंदि हु = ॥२९॥ 3, ते वि = ते (नयो) ५४॥ गाथा: छाया: 2010_02 Page #76 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-१६ मूलणयाणं = भूवनयोन विषयने पण्णवणे = ४५uqiwi वावडा = प्रवृत्तिशीस. ગાથાર્થ : જેવી રીતે આ બે મૂળ નયો પરસ્પર અન્યાયથી નિરપેક્ષ હોય તો મિથ્યાદૃષ્ટિ છે, તેવી રીતે બીજા બધા પણ નયો જો અન્ય નયોથી નિરપેક્ષ હોય તો દુર્નયો છે. કારણ કે, તે નયો પણ મૂલનયોના વિષયને જ જણાવવામાં પ્રવૃત્તિશીલ હોય છે. (૧૫) તાત્પર્યાર્થ : નિરપેક્ષપણે પ્રવૃત્તિ એ જ નયોના દુર્ભયપણાનું બીજ છે. એ બીજ જો સંગ્રહ વગેરે ઉત્તરનયોમાં હોય, તો તેઓ પણ બધા દુર્નય સમજવા. કારણકે, સંગ્રહ આદિ ઉત્તરનયોની પ્રતિપાદ્ય વસ્તુ કાંઈ જુદી નથી; તેઓ પણ મૂલનયોના પ્રતિપાદ્ય વિષયને જ કહેવા માટે પ્રવર્તે છે, તેથી જો તેઓ પણ વિરોધી નયના વિષયને અવગણી, પોતાના વિષયમાં જ પૂર્ણતા માને, તો મિથ્થારૂપ બને એ સ્વાભાવિક છે. મૂળભૂત એવા દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયનો જે વિષય છે તેનાથી ભિન્ન અન્ય વિષયનો અભાવ છે માટે અન્ય સર્વે નયો આ બે નયોના વિષયની જ પ્રરૂપણા કરે છે, એટલે કે સર્વે નયો સામાન્ય અથવા વિશેષસ્વરૂપ વિષયોનું જ નિરૂપણ કરે છે, માટે આ બે નયોના વિષયથી ભિન્ન વિષયનું નિરૂપણ કરનાર અન્ય કોઈ નય નથી. (૧૫) मूलनययोर्दूषितत्वादन्येऽपि नया दूषिता एवेति वर्णयन्नाह - सव्वणयसमूहम्मि वि णत्थि णओ उभयवायपण्णवओ । मूलणयाण उ आणं पत्तेयं विसेसियं बिंति ।।१६।। सर्वनयसमूहेऽपि सङ्ग्रहादिसमस्तनयराशिमध्येऽपि उभयवादप्रज्ञापकः सामान्यविशेषोभयवादप्ररूपको नयो नास्ति । यतो मूलनययोरेवाज्ञां मूलनयाभ्यामेव प्रतिज्ञातं विषयवस्तु प्रत्येकं सङ्ग्रहादय एकैकनया विशेषितं ब्रुवन्ति विशेषरूपेण-सूक्ष्मतया स्पष्टयन्ति । __ अयं सारोद्धारः- सर्वनयेषूभयवादप्ररूपकस्य नयस्याभावात् सर्वनयानां च मूलनयविषयविशेषप्ररूपकत्वान्मूलनययोर्दूषणदानेन समस्तनयेष्वपि दूषणं दत्तमेव । ततो निरपेक्षाः सर्वेऽपि नया मिथ्यारूपा एव न हि संभवन्ति वृक्षस्य मूलछेदानन्तरं शाखादयः । प्रमाण-नय-दुर्नयानां स्वरूपमग्रे सप्तभङ्गीनिरूपणावसरे स्फुटीभविष्यति । लेशतः किञ्चिदत्रोच्यते - प्रमाणं तावद् वस्तुन उभयात्मकं स्वरूपं परस्परापेक्षं मुख्यत्वेन गृह्णाति । 2010_02 Page #77 -------------------------------------------------------------------------- ________________ ३२ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-१६ છાયા : नयो वस्तुन एकं प्रकृतं स्वरूपं मुख्यत्वेन गृह्णातीतरं च गौणभावेन । दुर्नयः वस्तुन एकं स्वरूपं गृह्णातीतरं च प्रतिक्षिपति । अत्रायं विशेषः- नैगमनयः वस्तुन उभयं रूपं गौणमुख्यभावेन गृह्णातीति प्रमाणतस्तस्य विशेषः ।।१६।। અવ. મૂલનયોને દૂષિત કરવાથી જ અન્યાયો પણ દૂષિત થયેલા છે તે બતાવતાં કહે છે કે – गाथा : सव्वणयसमूहम्मि वि णत्थि णओ उभयवायपण्णवओ । मूलणयाण उ आणं पत्तेयं विसेसियं बिंति ।। १६ ।। सर्वनयसमूहेऽपि नास्ति नय उभयवादप्ररूपकः । मूलनययोस्तु आज्ञां प्रत्येकं विशेषितं ब्रुवन्ति ।। १६ ।। અન્વયાર્થઃ સત્રયસમૂદમિ વિ = સર્વનયોના સમૂહમાં પણ મકવાય પUUવો = ઉભયવાદને જણાવનાર Wિ T = નય નથી. (કારણ કે) પયં = પ્રત્યેક નયો મૂછાયા ૩ = મૂલનયના જ માઇi = વિષયને વિસયં = વિશેષરૂપે વિંતિ = કહે છે. ગાથાર્થ સંગ્રહ વગેરે સર્વ નયોના સમૂહમાં પણ વસ્તુના સામાન્ય અને વિશેષ ઉભયરૂપને જણાવનાર કોઈ નય નથી. કારણકે તે દરેક નય મૂલનય વડે ગ્રહણ કરાયેલ વિષયને જ વિશેષરૂપે કહે છે. (૧૬) તાત્પર્યાર્થ: દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકન સ્વરૂપ મૂલ બે નય ઉપરાંત ત્રીજો કોઈ ઉભયગ્રાહી મૂલનય તો નથી જ સંભવતો, પણ બે મૂલનયોના ઉત્તરભેદરૂપ જે સંગ્રહ આદિ છ નયો છે, તેમાં પણ કોઈ એવો નય નથી કે જે વસ્તુના સામાન્ય-વિશેષ ઉભયાત્મક સ્વરૂપનું પ્રતિપાદન કરે. આનું કારણ એ છે કે, દરેક ઉત્તરનય પોત-પોતાના મૂલનયના ગ્રાહ્ય વિષયને જ જુદી જુદી રીતે વર્ણવે છે. ઉત્તરાયોનું કાર્ય મૂલનયોના વિષયથી બહાર નથી, તેઓ તો ફક્ત પોતપોતાના મૂલનય વડે ગ્રહણ કરાયેલા અંશને જ કાંઈક વધારે વધારે ઝીણવટથી ચર્ચે છે. તેથી, તેઓમાં મૂલનયના વિષયથી ભિન્ન એવું ઉભયવાદનું જ્ઞાપકપણું ન જ હોઈ શકે. આ રીતે, અન્ય સર્વે નયો મૂલનયોને જ વિશેષિત કરતા હોવાથી જે રીતે નિરપેક્ષ એવા મૂલનયો મિથ્યાસ્વરૂપ છે તે જ રીતે નિરપેક્ષ એવા અન્ય સર્વે નયો પણ મિથ્યાસ્વરૂપ જ છે. ખરેખર, વૃક્ષના મૂળનો છેદ થયા પછી તેની શાખા વગેરે ટકી શકતા નથી. (૧૬) 2010_02 Page #78 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-१७-२१ ३३ एकान्ततया नित्यानित्यप्ररूपकपक्षद्वये संसारो न संभवतीति निरूपयन्नाह - ण य दव्वट्ठियपक्खे संसारो णेव पज्जवणयस्स । सासय-वियत्तिवायी जम्हा उच्छेअवाईआ ।।१७।। द्रव्यार्थिकपक्षे द्रव्यास्तिकनयाभिमते वस्तुनि संसारो न संभवति, यस्मात् शाश्वतव्यक्तिवादी नित्यवादी, आत्मादि सर्वं द्रव्यं नित्यमेव मनुते । एवकारोऽप्यर्थकः, स च भिन्नक्रमः । तथा पर्यवनयस्य पर्यायास्तिकनयस्य पक्षेऽपि संसारो न संभवति, यस्माद् उच्छेदवादिका अनित्यवादी, द्रव्यजातं क्षणिकमेव स्वीकरोति । इदं तात्पर्यम् - पदार्थमात्रस्य नित्यवादिनि द्रव्यार्थिकनयपक्षे संसारो न घटते, नित्यैकरूपे देव-तिर्यगाद्यवस्थालक्षणोत्तरपर्यायप्राप्तेरभावादौदयिकादीनां च भावानां मध्ये अनुभूतेतरभावप्राप्तिरूपपरिणामस्याऽप्यसंभवात् । तथा क्षणिकवादी पर्यायास्तिकनयपक्षेऽपि संसारो न घटते, उत्तरपर्यायप्राप्तिरूपगतेर्भावान्तरापत्तेर्वा कथञ्चिदन्वयिरूपं विनाऽयोगात् ।।१७।। नित्यानित्यैकान्तपक्षद्वयेऽपि सुख-दुःखसम्बन्धस्यानुपपत्तिदर्शनार्थमाह - सुह-दुक्खसम्पओगो ण जुज्जए णिञ्चवायपक्खम्मि । एगंतुच्छेयम्मि य सुह-दुक्खवियप्पणमजुत्तं ।।१८।। नित्यवादपक्षे द्रव्यास्तिकनयमते सुखदुःखसम्प्रयोगोऽनुकूलवेदनरूपेण सुखेन, प्रतिकूलवेदनरूपेण दुःखेन सम्बन्ध आत्मनो न युज्यते न घटते । एकान्तोच्छेदे च पर्यायास्तिकनयमतेऽपि सुःखदुःखसम्बन्धो न घटत इति सम्बन्धः । तथोभयपक्षेऽपि सुखदुःखविकल्पनं सुखार्थं दुःखवियोगार्थं च विशिष्टं यतनमयुक्तम् अघटमानकम् । इदं निरूपणीयम् - नित्यवादे पदार्थस्याविचलितरूपत्वात्, सुखस्वभावस्याभ्युपगमे सदा सुखरूपतैव दुःखस्वभावाभ्युपगमे च नित्यं दुःखरूपतैव संभवेन्न तु कस्मिंचित् काले सुखसम्बन्धः कस्मिंचिञ्च काले दुःखसम्बन्धः । तथाऽनित्यवादेऽपि अन्वयिरूपतत्त्वस्याभावात् सुख-दुःखसम्बन्धो न युज्यते । अनेन प्रकारेण पक्षद्वयेऽपि सुखप्राप्त्यर्थं दुःखवियोगार्थं च विशिष्टः प्रयत्नो न संभवति ।।१८।। ___ 2010_02 Page #79 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-१७-२१ एकान्तपक्षे आत्मनि कर्मबन्ध-स्थितिकारणानामप्यनुपपत्तिरिति प्ररूपयन्नाह - कम्मं जोगनिमित्तं बज्झइ बन्ध-ट्टिई कसायवसा । अपरिणउच्छिण्णेसु य बंधट्ठिइकारणं णत्थि ।।१९।। कर्म प्रकृतिबन्ध-प्रदेशबन्धात्मकं ज्ञानावरणीयादि योगनिमित्तं मनो-वाक्-कायव्यापारनिमित्तं बध्यते, बन्धस्थितिबंध्यत इति बन्धः कर्मैव, तस्य कर्मणः स्थिती रसबन्धस्थितिवन्धोभयं च कषायवशात् क्रोधादिसामर्थ्याप्टध्यते । अपरिणते उच्छिन्ने च एकान्तापरिणामिनि एकान्तक्षणिके च बन्धस्थितिकारणं नास्ति न संभवति । इदं प्रतिपत्तव्यम् - मनोवचनकाययोगानां व्यापारे सत्यात्मनि कर्म बध्यते, बद्धकर्मणां स्थितिष्टा क्रोधादिकषायसामर्थ्यवशात् । किन्त्वेकान्तनित्यपक्षस्य केनचित् परिणामेना-परिणामिनि तथैकान्तानित्यपक्षस्यानुसन्धानविकले चात्मनि कर्मबन्धस्थितिकारणानां योगकषायानामसम्भवादनेकान्तस्वरूपे नित्यानित्यपक्ष एव बन्धस्थितिकारणं युक्तिसङ्गतम् ।।१९।। एकान्तवादिनां संसारनिवृत्तिमोक्षसुखप्राप्त्यर्था प्रवृत्तिः असङ्गतेति प्रदर्शनार्थमाह - बंधम्मि अपूरन्ते संसारभओघदंसणं मोझं । बन्धं व विणा मोक्खसुहपत्थणा णत्थि मोक्खो य ।।२०।। बन्धेऽपूर्यमाणे कर्मबन्धेऽविद्यमाने सति संसारभयौघदर्शनं चतुर्गत्यादिरूपे तत्कारणे वा मिथ्यात्वाविरत्यादौ संसारे भीतिप्राचुर्यस्य पर्यालोचनं मौढ्यं मूढता मिथ्याज्ञानमिति यावत्, बन्धं च विना मोक्षसुखप्रार्थना संसारनिवृत्तिप्रभवस्य महानन्दरूपमोक्षसुखस्य प्रार्थना नास्ति न भवत्येव मोक्षप्टानुपपन्नः, निरपराधपुरुषवदबद्धस्य मोक्षासम्भवात् । इदं लभ्यम् - प्रकृति-स्थिति-अनुभाग-प्रदेशात्मकबन्धहेत्वोः योग-कषाययोरेकान्तनित्यानित्यपक्षे विरुद्धत्वात् कर्मबन्धस्यासम्भवः, तदसम्भवाञ्च “संसारम्मि असारे नत्थि सुहं वाहिवेअणापउरे” इत्यादि संसारे भय-दुःखप्राचुर्यस्य चिन्तनं मिथ्याज्ञानरूपमेवानुपपद्यमानसंसारदुःखौघविषयत्वात् । तथा कर्मबन्धं विना मोक्षो मोक्षसुखप्रार्थना च कुतः ? तस्मादेकान्तपक्षे संसारः, सुखदुःखसम्बन्धः, सुखप्राप्ति-दुःखनिवृत्यर्थं प्रयत्नम्, कर्मबन्धस्थिति ___JainEducation International 2010_02 Page #80 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-१७-२१ कारणम, संसारे भयौघदर्शनम, मोक्षसुखप्रार्थना, मोक्षप्टोत्यादि सर्वमनुपपन्नमेव । अतो नित्यानित्यस्वरूपानेकान्तपक्ष एव स्वीकरणीयः ।।२०।। एकान्ताः सर्वेऽपि मिथ्यादृष्टयो नयाः परस्परविषयापरित्यागवृत्तिना सम्यक्त्वं प्रतिपद्यन्त इत्युपसंहरन्नाह - तम्हा सब्वे हि णया मिच्छादिट्ठी सपक्खपडिबद्धा । अण्णोण्णणिस्सिआ उण हवंति सम्मत्तसब्भावा ।।२१।। तस्मात् स्वपक्षप्रतिबद्धा आत्मीयाभ्युपगमेन प्रतिबद्धाः सर्वेऽपि नया मिथ्यादृष्टय मिथ्यारूपा हस्तिनिदर्शनकारिषडन्धपुरुषवत् । पुनः त एव सर्वेऽपि नया अन्योन्यनिश्रिताः परस्परसापेक्षाः सम्यक्त्वसद्भावा यथावस्थितवस्तुप्रत्ययरूपसम्यक्त्वस्याऽवन्ध्यकारणानि भवन्ति ततो न बन्धाद्यनुपपत्तिः । इदं भणनीयम् - एकान्ताभ्युपगमे कर्मबन्धादिसमग्रव्यवहाराभावात् केवलं स्वपक्षेन प्रतिबद्धाः सर्वेऽपि नया मिथ्यारूपा एव । ततः परस्परविषयापरित्यागेन व्यवस्थिता एव सर्वे नया यथावस्थितवस्तुतत्त्वप्रतिबोधका भवन्ति । तेन च कर्मबन्धादिसर्वभावोपपत्तिभवत्येव ।।२१।। અવનિરપેક્ષપણે વર્તતા કોઈ પણ એક નયના પક્ષમાં સંસાર,સુખ-દુઃખસંબંધ, મોક્ષ આદિ ન જ ઘટી શકે એનું કથનगाथा : ण य दव्ववियपक्खे संसारो व पजवणयस्स । सासयवियत्तिवायी जम्हा उच्छेअवाईआ ।। १७ ।। छाया : न च द्रव्यास्तिकपक्षे संसारो नैव पर्यवनयस्य ।। शाश्वतव्यक्तिवादी यस्मादुच्छेदवादिकाः ।। १७ ।। अन्वयार्थ : दवट्ठियपक्खे = द्रव्यास्तिनयन पक्षमा संसारो = संसार ण = न घटे य = अने पज्जवणयस्स = पर्यायास्तिनयन पक्षमा संसारो = संसार णेव = न ४ घटे. जम्हा = ॥२५॥ है, 2010_02 Page #81 -------------------------------------------------------------------------- ________________ ३६ संमतितर्कग्रथे, कां-१, गा-१७-२१ गाथा: छाया: सासय-वियत्तिवायी = मे श्वतव्यतिपाही (नित्यवाही) अने उच्छेअवाईआ = wी क्षesही (मनित्यl). सुह-दुक्खसम्पओगो ण जुजए णिञ्चवायपक्खम्मि । एगंतुच्छेयम्मि य सुह-दुक्खवियप्पणमजुत्तं ।। १८ ।। सुख-दुःखसम्प्रयोगो न युज्यते नित्यवादपक्षे । एकान्तोच्छेदे च सुख-दुःखविकल्पनमयुक्तम् ।। १८ ।। अन्वयार्थ : णिञ्चवायपक्खम्मि = नित्यक्षम एगंतुच्छेयम्मि य = भने in alis६मi (अनित्यामi) सुह-दुक्खसम्पओगो = सु५हु:मनो संi ण जुज्जए = घटी शो नथी. सुह-दुक्खवियप्पणं = (આ રીતે બંને પક્ષમાં) સુખપ્રાપ્તિ માટે અને દુઃખથી બચવા માટેનો પ્રયત્ન अजुत्तं = अयोग्य छ - घटी तो नथी. गाथा: कम्मं जोगनिमित्तं बज्झइ बंध-ट्ठिई कसायवसा । अपरिणउच्छिण्णेसु य बंध-ट्ठिइकारणं णत्थि ।। १९ ।। कर्म योगनिमित्तं बध्यते बन्धस्थितिः कषायवशात् । अपरिणतोच्छिन्नयोश्च बन्धस्थितिकारणं नास्ति ।। १९ ।। अन्वयार्थ : जोगनिमित्तं = योगने ॥२४ो कम्मं = 3 बज्झइ = धाय छ, कसायवसा = षायने सीधे बन्ध-ट्टिई = भनी स्थिति. अपरिणउच्छिण्णेसु य = siत अपरिमिवामने क्ष मi(-नित्यवाह भने अनित्यामi) बंधट्ठिइकारणं = भां मने स्थितिनुं ॥२९॥ णत्थि = संभवी शतुं नथी. छाया: गाथा : बंधम्मि अपूरन्ते संसारभओघदसणं मोज्झं । बन्धं व विणा मोक्खसुहपत्थणा णत्थि मोक्खो य ।। २० ।। बन्धे अपूर्यमाणे संसारभयौधदर्शनं मौढ्यम् । बन्धं वा विना मोक्षसुखप्रार्थना नास्ति मोक्षश्च ।। २० ।। छाया: 2010_02 Page #82 -------------------------------------------------------------------------- ________________ સંતિતપ્રશર, હાઇકુ-૨, માથા-૨૭-૨૭ મન્વાર્થ : વંગ્નિ પૂરજો = બંધ થતો ન હોય તો સંસારમો વંસvi = સંસારમાં ભયપ્રાચુર્યનું દર્શન મોડ્યું = મૂઢતા. વચંa વિUT = અથવા બંધ વગર મોવસુદપસ્થિTI = મોક્ષસુખની પ્રાર્થના મોવો ય = અને મોક્ષ સ્થિ = સંભવી શકતો નથી. VIકથા : છેવી : तम्हा सव्वे वि णया मिच्छादिट्ठी सपक्खपडिबद्धा । अण्णोण्णणिस्सिआ उण हवंति सम्मत्तसब्भावा ।। २१ ।। तस्मात् सर्वेऽपि नयाः मिथ्यादृष्टयः स्वपक्षप्रतिबद्धाः । अन्योन्यनिश्रिताः पुनः भवन्ति सम्यक्त्वसद्भावाः ।। २१ ।। અન્વાર્થ : તા = તેથી, સાપ બંદ્ધા = પોતાની માન્યતાથી બંધાયેલા સર્વે વિ કા = સર્વે પણ નવો બિછવિઠ્ઠી = મિથ્યાષ્ટિમિથ્થારૂપ. ૩UT = વળી (જ્યારે) ૩Uોળિસિયા = પરસ્પર સાપેક્ષ સમત્તસમાવી = સમ્યક્તના સદ્ભાવરૂપ અર્થાત્ અવંધ્યકારણરૂપ વંતિ = થાય છે. ગાથાર્થ : જેમ દ્રવ્યાસ્તિકનયના પક્ષમાં સંસાર ન ઘટે; તેમ પર્યાયાસ્તિકનયના પક્ષમાં પણ સંસાર ન જ ઘટે. કારણ કે દ્રવ્યાસ્તિકનય શાશ્વત - નિત્યવ્યક્તિવાદી છે અને પર્યાયાસ્તિકનય ક્ષણિકવાદી છે અર્થાત્ પ્રતિક્ષણ નાશ માનનાર છે. (૧૭) જેમ દ્રવ્યાસ્તિકનયે સ્વીકારેલ નિત્યવાદપક્ષમાં સુખ-દુ:ખનો સંબંધ ઘટી શકતો નથી; તેમ પર્યાયાસ્તિકનયે સ્વીકારેલ ક્ષણિકવાદમાં પણ સુખ-દુઃખનો સંબંધ ઘટી શકતો નથી. આ રીતે બંને પક્ષમાં સુખ મેળવવા માટે અને દુઃખથી બચવા માટેનો પ્રયત્ન ઘટી શકતો નથી. (૧૮) મન-વચન અને કાયાના યોગને લીધે કર્મ બંધાય છે અને કષાયને લીધે બંધાયેલા કર્મમાં સ્થિતિ નિર્મિત થાય છે; પરંતુ) માત્ર નિત્ય અથવા ક્ષણિક એવો આત્મા સ્વીકારવાથી કર્મબંધ અને બંધાયેલા કર્મની સ્થિતિનું કારણ ઘટી શકતું નથી. (૧૯) જો કર્મબંધ થતો ન હોય તો સંસારમાં ભયપ્રાચર્યનું દર્શન એ મૂઢતામાત્ર છે અને કર્મબંધ વિના સંસારથી નિવૃત્તિસ્વરૂપ મોક્ષના સુખની અભિલાષા તેમજ મોક્ષ પણ ઘટી શકતો નથી. (૨૦) તેથી, માત્ર પોતાના પક્ષને માનનારા સર્વ પણ નયો મિથ્યાદૃષ્ટિ છે, પરંતુ એ જ બધા નયો જો પરસ્પરના અત્યાચસ્વરૂપ સાપેક્ષ બને તો સમ્યક્તના અવંધ્યકારણ બને છે. (૨૧). 2010_02 Page #83 -------------------------------------------------------------------------- ________________ સંમતિતપ્રકર, વાઈ-૨, THથા-૨૨ વિશેષાર્થ : અનેકાંતવ્યવસ્થા ગ્રંથમાં મહામહોપાધ્યાયશ્રીજીએ સમૂત્તસગાવા શબ્દનો જ્ઞાનાત્મકના પક્ષે “સખ્યત્ત્વના સ્વભાવરૂપ થાય છે' આ પ્રમાણે અર્થ જણાવેલ છે. તાત્પર્યાર્થ : નિરપેક્ષ એવા બન્ને નયોની માન્યતામાં બંધના હેતુનો અભાવ તથા આ લોકના-પરલોકના સર્વ વ્યવહારનો લોપ કેવી રીતે થાય છે, તે અહીં આત્માને લઈ બતાવવામાં આવ્યું છે. જો કેવલ દ્રવ્યાસ્તિકનયનો પક્ષ લઈએ, તો તેના મતે આત્મતત્ત્વ એકાંતનિત્ય હોવાથી અપરિવર્તનશીલ છે; આ પક્ષમાં સંસાર, સુખ અને દુઃખનો સંબંધ, સુખ મેળવવા માટે તથા દુઃખને દૂર કરવા માટેનો પ્રયત્ન, કર્મનો બંધ, બંધાયેલા કર્મની સ્થિતિ, પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશ સ્વરૂપ કર્મબંધના કારણભૂત યોગ અને કષાય, કર્મબંધના અભાવે સંસારમાં ભયની પ્રચુરતાનું દર્શન, મોક્ષનું સુખ મેળવવા માટેની પ્રાર્થના અને મોક્ષ—એ કશું જ ઘટી ન શકે. કારણકે, એકાંતનિત્યપક્ષમાં અવિચલિત સ્વભાવ હોવાને કારણે આત્મામાં કષાય-વિકાર કે લેપ સંભવ જ નથી; વળી જો આત્મામાં સુખસ્વભાવ જ માનવામાં આવે તો તે સ્વભાવ અવિચલિત હોવાથી આત્મામાં સુખ જ ઘટે. પણ દુઃખ ઘટી ન શકે, તે જ રીતે જો દુઃખ સ્વભાવ માનવામાં આવે તો આત્મામાં દુઃખ જ ઘટે પણ સુખ ઘટી ન શકે. વળી, જો કેવલ પર્યાયાસ્તિકનયનો પક્ષ લઈએ, તો તેના મતે તો આત્મતત્ત્વ ક્ષણભંગુર છે અને તે ક્ષણભંગુરતાને લીધે આત્મા દરેક ક્ષણે નાશ પામી નવો નવો ઉત્પન્ન થતો હોવાથી સંસાર. સખ-દુ:ખનો સંબંધ વગેરે ભાવો ઘટી શકતા નથી. તેમજ પ્રવત્વ (સ્થિરતા) સાથે બંધ બેસે એવા અનુસંધાન, ઈચ્છા, પ્રયત્ન આદિ કોઈ ભાવો પણ ઘટી શકતાં નથી. વળી, આ પક્ષમાં સર્વ ભાવોની સંગતિ કરવા માટે સંતતિની કલ્પના કરવામાં આવે છે, છતાં ત્યાં સંતતિના બીજભૂત ઉપાદાન-ઉપાદેયભાવ જ ઘટી શકતો ન હોવાથી એક સંતતિનિમિત્તક આ વ્યવહાર છે એવું પણ કહી શકાય નહિ. તેથી જ એ બન્ને નયો જો નિરપેક્ષપણે એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય સ્વરૂપ પોતપોતાના વિષયમાં પ્રવર્તે, તો તે મિથ્યાદૃષ્ટિ છે; અને પરસ્પર સાપેક્ષપણે પ્રવર્તે, તો તે જ નયો સમ્યગ્દષ્ટિ છે. (૧૭-૨૧) निरपेक्षत्वेन मिथ्यारूपेषु सत्सु सापेक्षत्वेन सम्यक्पा भवन्तीति दृष्टान्तद्वारेण થયન્નાદ – जहऽणेयलक्खणगुणा वेरुलियाई मणी विसंजुत्ता । रयणावलिववएसं न लहंति महग्घमुल्ला वि ।।२२।। यथा अनेकलक्षणगुणा लक्षणानि च गुणाष्टा इति लक्षणगुणाः अनेकप्रकारा लक्षणगुणा येषां ते इति अनेकलक्षणगुणाः । अत्र लक्षणानि विषविघातहेतुत्वादीनि गुणाष्टा नीलत्वादयो 2010_02 Page #84 -------------------------------------------------------------------------- ________________ 20 संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-२२-२५ बोध्याः । महार्घमूल्या अपि वैडूर्यादयो मणयो रत्नानि यदि विसंयुक्ताः पृथग्भूता भवेयुस्तर्हि । रत्नावलिव्यपदेशं रत्नावलि' इत्याख्यां न लभन्ते ।।२२ ।। तह णिययवायसुविणिच्छिया वि अण्णोण्णपक्खणिरवेक्खा । सम्मइंसणसदं सव्वे वि णया ण पावेंति ।।२३।। तथा निजकवादसुविनिष्टिाता अपि स्वपक्षप्ररूपणायां कुशला अपि सर्वेऽपि नया यदि अन्योन्यपक्षनिरपेक्षाः स्वेतरनयविषयापलापिनो भवेयुस्तर्हि सम्यग्दर्शनशब्दं ‘सुनयाः, प्रमाणम्' इत्येवंरूपं सम्बोधनं न प्राप्नुवन्ति ।।२३ ।। जह पुण ते चेव मणी जहा गुणविसेसभागपडिबद्धा । _ 'रयणावलि'त्ति भण्णइ जहंति पाडिक्कसण्णाउ ।।२४।। यदा पुनस्त एव मणयो रत्नानि यथा गुणविशेषभागप्रतिबद्धा गुणविशेषः सूत्रविशेषस्तस्य भाग एकदेशस्तेन प्रतिबद्धाः, एकसूत्रे गुणानुरूप्येण व्यवस्थिता 'रत्नावलि' इति भण्यते आख्यामासादयन्ति प्रत्येकसञ्ज्ञाष्टा स्वतन्त्रनामानि च परित्यजन्ति ।।२४ ।। तह सब्वे णयवाया जहाणुरूवविणिउत्तवत्तव्वा । सम्मइंसणसदं लहन्ति ण विसेससण्णाओ ।।२५।। तथा सर्वे नयवादा यथानुरूपविनियुक्तवक्तव्या यद् यदनुरूपं तत्र विनियुक्तं वक्तव्यमुपचारात्तद्वाचकः शब्दो येषां ते तथा अर्थात् सापेक्षतया स्वोचितस्थाने व्यवस्थिताः सम्यग्दर्शनशब्दं 'प्रमाणम्' इति नाम लभन्ते न विशेषसंज्ञाः पृथग्भूतस्वतन्त्रनामानि ।।२५ ।। इदं स्वीकरणीयम् - यथा पृथक् पृथक् स्थितानि रत्नानि 'रत्नावली' 'रत्नमाला' इत्यादि संज्ञां न लभन्ते, किन्तु वर्णसंस्थानादिक्रमेण गुणानुसारेण चैकेन दोरकेन ग्रथितानि 'रत्नावली' इति व्यपदेशं प्राप्नुवन्ति तथा सङ्ग्रहादयः सर्वे नया यदि परस्परनिरपेक्षास्तर्हि 'प्रमाणम्' संज्ञां न लभन्ते किन्तु स्वस्वोचितस्थाने सापेक्षतया व्यवस्थितेषु सत्स्वेव ‘प्रमाणम्' संज्ञां लभन्ते । अत्र नय-प्रमाणात्मकचैतन्यस्य प्रत्यक्षसिद्धत्वेप्यनेकान्तमनभ्युपगच्छन्तं प्रति व्यवहारसाधनाय दृष्टान्तोपादानं सार्थकं भवति ।।२२-२५।। 2010_02 Page #85 -------------------------------------------------------------------------- ________________ ४० संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-२२-२५ छाया: અવ. નિરપેક્ષનો મિથ્યાસ્વરૂપ હોવા છતાં સાપેક્ષ બનતાં સમ્યક બને છે તે વાતનું દ્રષ્ટાંત વડે કથનगाथा : जहऽणेयलक्खणगुणा वेरुलियाई मणी विसंजुत्ता । रयणावलिववएसं न लहंति महग्घमुल्ला वि ।। २२ ।। यथाऽनेकलक्षणगुणा वैडूर्यादयो मणयो विसंयुक्ताः । रत्नावलिव्यपदेशं न लभन्ते महार्घमूल्या अपि ।। २२ ।। अन्वयार्थ : जह = म अणेयलक्खणगुणा = अने। आरन वक्ष मने गुuari महग्घमुल्ला वि = अत्यंत मिती भे॥ ५४॥ वेरुलियाई = वेऽर्थ १३ मणी = २त्नी विसंजुत्ता = छूटा छूट खोय. तो रयणावलिववएसं = २नोनो डा२' सेवा नमने न लहंति = पामता नथी. तह णिययवायसुविणिच्छिया वि अण्णोण्णपक्खणिरवेक्खा । सम्मइंसणसदं सव्वे वि णया ण पावेंति ।। २३ ।। तथा निजकवादसुविनिश्चिता अपि अन्योन्यपक्षनिरपेक्षाः । सम्यग्दर्शनशब्दं सर्वेऽपि नया न प्राप्नुवन्ति ।।२३।। अन्वयार्थ : (प्रभा नि३५५मा अथवा त२नयसापेक्ष नयन नि३५मi) तह = तेम णिययवायसुविणिच्छिया वि = पोतानी मान्यतामा अत्यंत निश्यित । ५९। अण्णोण्णपक्खणिरवेक्खा = ५२२५२॥ पक्षथी निरपेक्ष सव्वे वि णया = सर्व ५४॥ नयो सम्मदंसणसदं = 'प्रभाए।' मेवी संuने ण पावेंति = पामता नथी. गाथा: छाया: અથવા अन्वयार्थ : (तरनय निरपेक्ष नयन नि३५९मi) तह = तम णिययवाय सुविणिच्छिया वि = पोनी मान्यतामा अत्यंत निश्यित वा ५५॥ सव्वे वि णया = सर्व ५५ नयो अण्णोण्णपक्खणिरवेक्खा = ५२२५२नपक्षी निरपेक्ष डोपाथी सम्मइंसणसदं = 'सुनयो' मेवी संशाने ण पावेंति = पामता नथी. 2010_02 Page #86 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-२२-२५ छाया : गाथा: गाथा : जह पुण ते चेव मणी जहा गुणविसेसभागपडिबद्धा । 'रयणावलि' त्ति भण्णइ जहंति पाडिक्कसण्णाउ ।। २४ ।। यथा पुनस्ते एव मणयो यथा गुणविशेषभागप्रतिबद्धाः । 'रत्नावलि' इति भण्यते त्यजन्ति प्रत्येकसंज्ञाः ।। २४ ।। अन्वयार्थ : जह पुण = प्यारे १४ी ते चेव मणी = ते. ४ २त्तो गुणविसेस भागपडिबद्धा = हो। 43 पोताने योग्य स्थानमा परोपायेमा जहा = d शते 'रयणावलि'त्ति = '२.नोनो २' तरी भण्णइ = उपाय छ अने पाडिक्कसण्णाउ - पोताना स्वतंत्र नामोने जहंति - छो छ. तह सव्वे णयवाया जहाणुरूवविणिउत्तवत्तव्वा । सम्मइंसणसदं लहन्ति ण विसेससण्णाओ ।। २५ ।। तथा सर्वे नयवादा यथानुरूपविनियुक्तवक्तव्याः । सम्यग्दर्शनशब्दं लभन्ते न विशेषसंज्ञाः ।। २५ ।। अन्वयार्थ : तह = ते शत जहाणुरूवविणिउत्तवत्तव्वा = पोतपोताने 6यित स्थाने गोठवायुंछ तव्य हेर्नु वा सव्वे णयवाया = सर्वे नयवाहो सम्मइंसणसदं = 'प्रभा' संघने लहन्ति = पामे छ (५४) ण विसेससण्णाओ = स्वतंत्र नामो पामता नथी. ગાથાર્થ ? જેવી રીતે અનેક પ્રકારનાં લક્ષણો અને અનેક પ્રકારનાં ગુણવાળાં વૈડૂર્ય વગેરે રત્નો બહુ કીંમતી હોવા છતાં પણ જો છૂટા છૂટાં પડેલાં હોય, તો તે “રત્નોનો હાર” એવું નામ પામી શકતાં नथी, (२२) (પ્રમાણ નિરૂપણમાં અથવા ઈતરનય સાપેક્ષનયના નિરૂપણમાં) તેવી રીતે, પોતાની માન્યતામાં અત્યંત નિશ્ચિત અને પરસ્પરના પક્ષથી નિરપેક્ષ એવા સર્વ પણ નયો “પ્રમાણ' સંજ્ઞાને પામતા નથી. छाया: અથવા (ઈતરનય નિરપેક્ષ નયના નિરૂપણમાં) તેવી રીતે, પોતપોતાના પક્ષમાં અત્યંત નિશ્ચિત એવા સંગ્રહ વગેરે સર્વ નયો પણ પરસ્પર એકબીજાની માન્યતાથી નિરપેક્ષ હોવાથી “સમ્યગ્દર્શન’ શબ્દને - આ નયો સુનય છે એવા પ્રકારના વ્યવહારને પામી શકતા નથી. (૨૩) ___ 2010_02 Page #87 -------------------------------------------------------------------------- ________________ ४२ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-२६ વળી, જ્યારે તે જ રત્નો દોરા વડે તેના ગુણવિશેષોને ખ્યાલમાં રાખી યોગ્ય સ્થાનમાં પરોવવામાં આવ્યાં હોય તો જે રીતે રત્નાવલી' એવા સુંદર નામને પામે છે, અને પોતાનાં જુદાં જુદાં (વડુર્યમણિ, સૂર્યકાંત મણિ, નીલમ, પન્ના, હીરા, માણેક વગેરે) સ્વતંત્ર નામોને છોડી દે છે. (૨૪) તેમ, પોતપોતાનું જે જે યોગ્ય સ્થાન છે ત્યાં વિશેષ પ્રકારે અર્થાત્ સાપેક્ષપણે ગોઠવાયેલા વક્તવ્યવાળા સર્વ પણ નયવાદો પ્રમાણભૂત બનવાના કારણે “પ્રમાણ'ના નામે ઓળખાય છે, પણ વિશેષસંજ્ઞા અર્થાત્ પોતપોતાના સ્વતંત્ર નામે ઓળખાતા નથી. (૨૫) તાત્પર્યાર્થ : રત્નો ગમે તેવાં પાણીદાર અને કીંમતી હોય, તો પણ જ્યાં સુધી બધાં છૂટાં છૂટાં હોય, ત્યાં સુધી તે હાર નથી કહેવાતાં અને હાર તરીકે કિંમત અંકાતી નથી. તે જ રત્નો જ્યારે યોગ્ય રીતે દોરામાં પરોવી ગોઠવી દેવામાં આવે છે, ત્યારે તેઓ પોતાનું સ્વતંત્ર નામ છોડીને “રત્નાવલિ' નામ ધારણ કરે છે અને તેની યોગ્ય કિંમત અંકાય છે. તે જ પ્રમાણે નયોમાં પણ સમજવું. દરેક નયવાદ પોતપોતાના પક્ષમાં ગમે તેટલો મજબૂત હોય; છતાં જ્યાં સુધી તે બીજા નયની વાતોની દરકાર ન કરે, ત્યાં સુધી પરસ્પર નિરપેક્ષ સર્વ નયો “સુનય' તરીકે ઓળખાતાં નથી; પણ જ્યારે તે બધાનો વિષય અંદરોઅંદર એકબીજા સાથે ગોઠવાઈ સાપેક્ષ બને છે, અને બધા જુદા જુદા વિષયના પ્રતિપાદક હોવા છતાં મુખ્યપણે એક જ વસ્તુનું પ્રતિપાદન કરવા માટે સાપેક્ષપણે પ્રવર્તતા હોય છે ત્યારે તે દરેક નય પોતાનું સ્વતંત્ર નામ છોડી “સમ્યગ્દર્શન' નામને અર્થાત્ “આ સુનય છે,’ ‘આ પ્રમાણવાક્ય છે એવી સંજ્ઞાને ધારણ કરે છે. રત્નોનું હારપણું પરોવણી અને ગોઠવણી ઉપર અવલંબે છે; તેમ નયવાદોનું સમ્યગ્દષ્ટિપણે તેમના એકબીજાના વિષયનો અપલાપ નહિ કરવા સ્વરૂપ પરસ્પરના સાપેક્ષપણા ઉપર અવલંબે છે. (૨૨-૨૫) दृष्टान्तगुणप्रतिपादनायाह - लोइयपरिच्छयसुहो निच्छयवयणपडिवत्तिमग्गो य । अह पण्णवणाविसउ त्ति तेण वीसत्थमुवणीओ ।।२६।। १-लौकिकपरीक्षकसुखो लौकिकानां परीक्षकानां च सुखः सुखप्रतिपत्त्युपायः, अत्र व्युत्पत्तिविकला लौकिकाः, व्युत्पत्तियुक्ताप्टा परीक्षकाः । २-निष्टायवचनप्रतिपत्तिमार्गष्टा एकानेकात्मकनैप्टायिकवचनावगमजनकः । अथ इत्यवधारणार्थः । ३-प्रज्ञापनाविषय इति प्ररूपणाविषयोऽनन्तधर्मात्मकवस्तुप्ररूपकवाक्यविषयभूतः रत्नावलीदृष्टान्तः । तेन कारणेन विश्वस्तं शङ्काव्यवच्छेदेनायं दृष्टान्तोऽस्मिन् ग्रन्थे नयवादप्ररूपणायामुपनीतः પ્રતિઃ | 2010_02 Page #88 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-२६ छाया: अयं भावार्थः - प्रकृतनयवादविषयस्य सरलीकर्तुं 'रत्नावलि'दृष्टान्त उपयुक्तः । अस्यां गाथायां त्रयो दृष्टान्तगुणा दर्शिताः । तद्यथा - १- दृष्टान्ताद् लौकिकान् परीक्षकान् चानायासेन दार्टान्तिकपदार्थप्रतिपत्तिर्भवेत् । २- निष्टायकारिबोधप्राप्तिर्भवेत्, ३- अनन्तधर्मात्मकं वस्तु संज्ञायते, ततो दार्टान्तिकसिद्धये समर्थस्स्यादिति ।।२६ ।। અવ. દષ્ટાંતની સાર્થકતા સાબિત કરવા તેના ગુણોનું કથન– गाथा : लोइयपरिच्छयसुहो निच्छयवयणपडिवत्तिमग्गो य । अह पण्णवणाविसउ त्ति तेण वीसत्थमुवणीओ ।। २६ ।। लौकिकपरीक्षकसुखो निश्चयवचनप्रतिपत्तिमार्गश्च । अथ प्रज्ञापनाविषय इति तेन विश्वस्तमुपनीतः ।। २६ ।। अन्वयार्थ : लोइयपरिच्छयसुहो = (दृष्टांत मे) all आने परीक्षा पाने साथी समान 604३५ य = अने निच्छयवयणपडिवत्तिमग्गो = निश्ययारी क्यनना पोधनो Guय अह = ४ पण्णवणाविसउ त्ति = Huyननो विषय, प्रमाणो - तेण = तथा वीसत्थं = विश्वास AqL माटे - २लितपो ५४ार्थ ४९uqqा भाटे उवणीओ = (दृष्टांत) २४ आयुं छे. ગાથાર્થઃ દૃષ્ટાંત એ જ લૌકિક - વ્યત્પત્તિવિકલને અને વ્યુત્પત્તિકુશળને સહેલાઈથી સમજાવવાનો ઉપાય છે, એક-અનેક વગેરે સ્વરૂપ નિશ્ચયકારી વચનના બોધનો ઉપાય છે અને પ્રજ્ઞાપનાનો અર્થાત્ અનંતધર્માત્મક વસ્તુને સમજાવવા માટેનો વિષય છે; તેથી નયવાદના પદાર્થમાં વિશ્વાસ ઉત્પન્ન કરાવવા भाटे दृष्टांत तवम माव्युं छे. (२७) તાત્પર્યાર્થઃ દૃષ્ટાંતમાં વ્યવહાર અને શાસ્ત્ર બંનેમાં કુશલજનોને સરળતાથી સમજાવવાનો ગુણ છે. તેનામાં સાધ્યનો નિશ્ચય કરવામાં ઉપયોગી થવાનું અર્થાત્ વ્યાપ્તિજ્ઞાન પ્રગટાવવાનું સામર્થ્ય છે અને તેના વિના પક્ષની સ્થાપના થતી નથી. તેથી જ નિઃસંકોચપણે અહીં રત્નાવલીનું દૃષ્ટાંત ગ્રંથકારે મૂકેલું છે. 2010_02 Page #89 -------------------------------------------------------------------------- ________________ ४४ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-२७ રત્નોનો હાર બને તે પૂર્વની અવસ્થામાં કે હાર તૂટે પછીની અવસ્થામાં રત્નો પૃથગૂ જોવા મળે છે. જ્યારે નયવાદમાં હંમેશાં પૃથક્ષણાનો અભાવ જોવા મળે છે. માટે દૃષ્ટાંતમાં વિષમતા છે, એવું ન કહેવું, કારણ કે રત્નોની હાર અવસ્થાને ખ્યાલમાં રાખીને જ દૃષ્ટાંત રજૂ કરાયું છે. અહીં, એક વાત ધ્યાનમાં રાખવી કે દૃષ્ટાંત એકદેશીય હોય છે અર્થાત્ કોઈપણ પદાર્થને સહેલાઈથી સમજાવવા માટે જે પણ દૃષ્ટાંતનો સહારો લેવામાં આવે છે તે દૃષ્ટાંત અને દાષ્ટ્રતિકનું સર્વથા સામ્ય ન હોવાથી એક ચોક્કસ અવસ્થા ખ્યાલમાં રાખી દૃષ્ટાંત રજૂ કરવામાં આવે છે. તેથી સર્વ અવસ્થા ખ્યાલમાં રાખી ઉદાહરણમાં વિષમતા છે તેવું ક્યારે પણ કહી શકાય નહિ. જેમ કે, ચંદ્ર અને મુખ બંનેમાં સૌમ્યતાની સામ્યતા છે. પણ બીજી વિષમતા જોઈ ઉદાહરણમાં વિષમતા છે તેવું કહી શકાય નહિ. (૨૩) कार्यकारणवाद एकान्तवादाभ्युपगमे मिथ्यात्वं दर्शयन्नाह - इहरा समूहसिद्धो परिणामकओ ब्व जो जहिं अत्थो । ते तं च ण तं तं चेव व त्ति नियमेण मिच्छत्तं ।।२७।। इतरथा उक्तप्रकारादन्यथा समूहसिद्धः समूहे निष्पन्नो रत्नादीनां समूहे रत्नमाला इव, परिणामकृतो वा यथा क्षीरादिषु दध्यादिः, योऽर्थो रत्नमाला दध्यादि कार्यं यत्र रत्नादिषु क्षीरादिषु वा कारणेषु ते तञ्च ते रत्नादयः क्षीरादिकं वा कारणं तदिति मालादिकं दध्यादिरूपं कार्यमेव, समूहसमूहिनोः परिणामपरिणामिनोप्टाभेदादिति सत्कार्यवादः । न तदिति न कारणमेव कार्यम्, किन्तु तद्भिन्नमसदेवोत्पद्यत इत्यसत्कार्यवादः । तदेव वा सर्वं न कार्यं न वा कारणम्, किन्तु द्रव्यमानं ब्रह्ममात्रं वा तत्त्वमित्यद्वैतवादः । इति नियमेन एकान्ताभ्युपगमे सति मिथ्यात्वम्, सर्व एते मिथ्यावादाः । अयं भावार्थः - कानिचित्कार्याणि परमाणूनां समूहात्मकानि कानिचित्तु वस्तुपरिणामात्मकानीति सर्वकार्याणां विभजनं लौकिकव्यवहारापेक्षया । वस्तुतस्तु कार्यमात्रस्य परमाणुसमूह-परिणामोभयकृतकत्वात् । कारणे कार्यं सदेवोत्पद्यते न त्वसत्, कार्यकारणयोरभेदात्, ततः सर्व एव भावास्सन्त एव कारकैः क्रियन्ते नासन्त इति सत्कार्यवादरूपं साङ्ख्यमतम् । न कारणमेव कार्यरूपं किन्तु तद्भिन्नम्, कारणेऽविद्यमानमेव कार्यं सामग्रीत उत्पद्यते, सर्वमपि कार्यमसदेवोत्पद्यते न तु सदित्यसत्कार्यवादरूपं नैयायिकवैशेषिकादिमतम् । 2010_02 Page #90 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-२७ ४५ सर्वे भावा न कार्यरूपं न वा कारणरूपं किन्तु केवलं द्रव्यरूपं ब्रह्मरूपं वेत्यद्वैतवादरूपं वेदान्तादीनां मतम् । सर्वे एते वादा एकान्ताभ्युपगमे सति मिथ्यारूपाः, व्यवहारलोपप्रसङ्गात् । गाथायां नियमेनेत्युक्तत्वात कथञ्चिदभ्युपगमे सम्यग्वादा एते इत्युक्तं भवति, यत उत्पाद-व्ययध्रौव्यात्मके वस्तुस्थितौ तद् वस्तु तत्तदपेक्षया कार्यमकार्यं च, कारणमकारणं च, कारणे कार्य पिण्डरूपेन सञ्च आकाररूपेण असञ्च, कारणं कार्यकाले विनाशवदविनाशवञ्च तथैव प्रतीतेरन्यथा चाऽप्रतीतेः ।।२७।। અવ. સાપેક્ષપણું હોય તો જ સમ્યગ્દર્શન છે અને જ્યાં સાપેક્ષતા નથી તે મિથ્યાદર્શન છે, એ વસ્તુનું કેટલાક પ્રસિદ્ધવાદો દ્વારા સ્પષ્ટીકરણगाथा : इहरा समूहसिद्धो परिणामकओ ब्व जो जहिं अत्थो । ते तं च ण तं तं चेव व त्ति नियमेण मिच्छतं ।। २७ ।। छाया : इतरथा समूहसिद्धः परिणामकृतो वा यो यत्र अर्थः । ते तच्च न तत्तदेव वा इति नियमेन मिथ्यात्वम्।। २७ ।। अन्वयार्थ : इहरा = अन्य शर्त समूहसिद्धो = समूथी उत्पन्न थये व्व = अथवा परिणामकओ = प२ि५॥म वडे ४२ये जो जहिं अत्थो = या हे आर्य ते तं च = ते १२९॥ आर्यस्व३५ छ-१, ण तं = ते ॥२४अर्थ २१३५ नथी-२, तं चेव व त्ति = अथवा ते ते २१३ ४ छ (अमिन छ)-3 सेम नियमेण = निश्ये मानते मिच्छत्तं = मिथ्यात्व. ગાથાર્થ: પ્રથમ કહ્યું તેથી વિરુદ્ધ રીતે માનીએ, એટલે કે અવયવોના સમૂહરૂપ અથવા પરિણામરૂપ अर्थ, ४ १२५मां थाय छ, (૧) તે કારણ જ કાર્યસ્વરૂપે છે અર્થાત્ સત્કાર્યવાદ, અથવા (૨) તે કારણ કાર્યસ્વરૂપે નથી પણ ભિન્ન છે અર્થાત્ અસત્કાર્યવાદ, અથવા (3) आर्य भने ॥२९॥ अभिन्न ४ छ अथात् अद्वैतवाद मेम ४ २.iतथी मानj, ते मिथ्यात्५. छ. (२७) 2010_02 Page #91 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-२७ વિશેષાર્થ : અનેકાંતવ્યવસ્થા ગ્રંથમાં મહામહોપાધ્યાયશ્રીજીએ જણાવેલ આ ગાથાનો અર્થ = પ્રથમ કહ્યું તેથી વિરુદ્ધ રીતે માનીએ તો અવયવોના સમૂહરૂપ અથવા પરિણામરૂપ જે કાર્ય જે કારણમાં થાય છે (૧) તે રત્ન વગેરે કારણો હાર વગેરે કાર્ય સ્વરૂપે જ છે અર્થાત્ સત્કાર્યવાદ, (૨) તે દહીં વગેરે કાર્ય દૂધ વગેરે કારણ સ્વરૂપ નથી અર્થાત્ અસત્કાર્યવાદ. આ રીતે જે એકાંતથી માનવું તે મિથ્યાત્વ છે. તાત્પર્યાર્થઃ જુદા જુદા નયવાદો જો સાપેક્ષ પ્રતિપાદન કરે, તો જ સમ્યગ્દષ્ટિ બને છે એમ રત્નાવલીના દૃષ્ટાંતથી કહેવામાં આવ્યું છે. એ જ કથનને દૃઢ કરવા કેટલાક પ્રચલિત વાદો લઈ અહીં વિચાર કરવામાં આવ્યો છે. કાર્યકારણભાવનો જે દાર્શનિક સિદ્ધાંત છે, તેમાં સાંખ્ય આદિ કેટલાક વાદીઓ સત્કાર્યવાદ માને છે. કારણ કે તેઓ પરિણામવાદી હોઈ કહે છે કે, “કારણ પોતે જ કાર્યરૂપે પરિણામ પામે છે.” અર્થાત્ કારણમાં અપ્રગટ એવું કાર્ય પ્રગટ થાય છે. વૈશેષિક આદિ કેટલાક વાદીઓ અસત્કાર્યવાદ માને છે. કારણ કે તેઓ આરંભવાદી હોવાથી અવયવો દ્વારા અવયવીરૂપ કાર્યનો આરંભ થાય છે એમ માને છે અર્થાત્ કારણથી ભિન્ન એવું કાર્ય પ્રગટ થાય છે. વળી, કેટલાક અદ્વૈતવાદીઓ માત્ર એક દ્રવ્ય સ્વીકારતા હોવાથી, કાર્ય અને કારણ જેવું કાંઈ જ નથી પણ બંને અભિન્ન સ્વરૂપે જ છે એમ માને છે. પરિણામવાદ પ્રમાણે દહીં એ દૂધનો પરિણામમાત્ર છે અને તેથી તે બન્નેમાં ભેદ જ નથી. અવયવીકાર્યવાદ પ્રમાણે કપડું એ તાંતણાઓના સમૂહથી બનેલું એક કાર્ય છે તેથી તે કારણથી ભિન્ન જ છે. અદ્વૈતવાદ પ્રમાણે કાર્ય કે કારણની કલ્પના ખોટી છે; બધું માત્ર દ્રવ્યરૂપ જ છે. આ ત્રણે વાદો લઈ ગ્રંથકારશ્રી કહે છે કે, એ ત્રણે વાદો પોતપોતાના પક્ષનું એકાંતપણે સમર્થન કરે છે અને બીજો પક્ષ મિથ્યા છે એમ નિરપેક્ષ પ્રતિપાદન કરે છે, તેથી એ વાદો મિથ્યા જ છે. પણ જો તે જ વાદો પોતાના પક્ષનું એવી રીતે પ્રતિપાદન કરે કે જેથી બીજા પક્ષની મર્યાદાનો ભંગ ન થાય અને પોતાના પક્ષની મર્યાદા પણ સચવાય તો તે જ વાદો સમ્યગુરૂપ બને છે. આ ગાથાની ટીકામાં અન્ય મતથી નિરપેક્ષ રીતે પોતાના મતને રજૂ કરનારા સાંખ્યમાન્ય સત્કાર્યવાદ, સાંખ્યવિશેષમાન્ય કારણાત્મકપરિણામવાદ, વૈશેષિકમાન્ય અસત્કાર્યઉત્પત્તિવાદ, બૌદ્ધમાન્ય કારણથી ભિન્ન કાર્ય ત્યાં અસતું છે એ પ્રમાણે વાદ, તત્ત્વાદ્વૈતવાદ, દ્રવ્યાદ્વૈતવાદ, પ્રધાનાદ્વૈતવાદ, શબ્દાદ્વૈતવાદ, બ્રહ્માદ્વૈતવાદ વગેરે વાદોનું જૈનદર્શનના સાપેક્ષવાદથી નિરસન કરવામાં આવ્યું છે. (૨૭) 2010_02 Page #92 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड -१, गाथा - २८ हेतुपूर्वकमनेकान्तसिद्धान्तज्ञातुर्मयादां दर्शयन्नाह - णिययवयणिज्जसचा सव्वनया परवियालणे मोहा । ते उण ण दिट्ठसमओ विभयइ सच्चे व अलिए वा ।। २८ ।। निजकवचनीयसत्याः स्वविषये ज्ञेये सम्यग्ज्ञानरूपाः सर्वनयाः सर्वे सङ्ग्रहादय नयाः परविचालने इतरनयविषयखण्डने मोहा मिथ्याज्ञानरूपाः । तस्माद् दृष्टसमयोऽनेकान्तात्मकवस्तुतत्त्वज्ञाता पुरुषस्तानेव नयान् पुनः शब्दोऽवधारणार्थकः, सत्यान् अलीकान् वा न विभजते “ एते नयाः सत्याः, एते च मिथ्याः” इति विभजनं न करोति । द्वादशारनयचक्रगुरुतत्त्वविनिष्टायगाथानुसारेण तु “ सर्वे नयाः स्वार्थप्रतिपादने सत्या अपि परविषयो - त्खनने मोघा निष्फला । तान् नयान् पुनरदृष्टसमयोऽज्ञातसिद्धान्तपरमार्थः सत्यान् अलीकान् वा इति एकान्तेन विभजते ।” इदं ग्राह्यम् - सर्वे नयाः स्वविषयप्रतिपादने सत्याः किन्तु त एव नया यदि परनयविषयोत्खनने प्रवृत्तास्तर्हि मिथ्याः, परनयविषयानामपि तदपेक्षया सत्यत्वात् । ततः प्रमाणतत्त्वज्ञाता नयेषु ‘एते नयाः सत्या एते च नया मिथ्या' इति विभजनं न करोति, किन्तु इतरनयसापेक्षमेव स्वाभिप्रेतनयं सत्यतयाऽवधारयति । ये च ' एते नयाः सत्या एते च नया असत्या' इति निष्टायेन विभजनं कुर्वन्ति ते न परमार्थतः सिद्धान्तज्ञातारः ।।२८।। અવ. અનેકાંત સિદ્ધાંતને જાણનારાની મર્યાદા गाथा : ४७ णिययवयणिज्जसा सव्वनया परवियाणलणे मोहा । ते उण ण दिट्ठसमओ विभयइ सच्चे व अलिए वा ।। २८ ।। निजकवचनीयसत्याः सर्वनयाः परविचालने मोहाः । ते पुण न दृष्टसमयो विभजते सत्यान् वा अलीकान् वा ।। २८ ।। अन्वयार्थ : णिययवयणिज्जसचा = पोताना विषयभां सत्य सेवा सव्वनया = सर्वे नयो परवियालणे = जीभ नयना निराङरामां मोहा = भिथ्या. दिट्ठसमओ = सिद्धांतनो भएर पुरुष ते = तेनयोनो सच्चे व छाया : 2010_02 Page #93 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-२९ અgિ a ૩] = “સાચા જ છે અથવા ખોટા જ છે એ મુજબ આ વિમય = વિભાગ કરતો નથી. ગાથાર્થ પોતપોતાના વક્તવ્ય અંશમાં સાચા એવા સર્વે નયો બીજાના વક્તવ્યનું નિરાકરણ કરવામાં મિથ્યાસ્વરૂપ છે; અનેકાંત સ્વરૂપ વસ્તુતત્ત્વનો જાણકાર પુરુષ તે નયો પૈકી “આ નયો સાચા છે અને આ નયો ખોટા છે' એવો વિભાગ કરતો નથી. (૨૮) વિશેષાર્થ : દ્વાદશાનિયચક્રવૃત્તિ તથા ગુરુતત્ત્વવિનિશ્ચય આ બે ગ્રંથોમાં આ ગાથાનો ઉત્તરાર્ધ “તે પુળ વિસનગો....” ખ્યાલમાં રાખી અર્થ કરવામાં આવ્યો છે. તે મુજબ“જેણે સિદ્ધાંતનો પરમાર્થ જાણ્યો નથી તેવો જ પુરુષ “આ નવો સાચા જ છે અથવા આ નયો ખોટા જ છે” આ સ્વરૂપે એકાંતે નિશ્ચય કરે છે. અર્થાત્ સિદ્ધાંતના પરમાર્થને જાણનાર આ રીતે કોઈપણ નો એકાંતે સાચા છે કે ખોટા છે એવો વિભાગ કરતો નથી” તાત્પર્ય જોતાં બંને પદો એક જ અર્થને જણાવનારાં જણાય છે. તાત્પર્યાર્થ: દરેક નાની મર્યાદા પોતપોતાના વિષયનું પ્રતિપાદન કરવા પૂરતી છે. એ મર્યાદામાં રહે ત્યાં સુધી તે બધા સાચા છે, એ મર્યાદાનો ભંગ કરી જ્યારે તે નયો પ્રતિપક્ષનયના વક્તવ્યનું નિરાકરણ કરવા લાગે, ત્યારે તે નયો મિથ્યા થઈ જાય છે. કારણકે પ્રતિપક્ષનયનો વિષય પણ સત્ય હોવાથી તેને ખોટો કહી શકાય નહિ અને જો પ્રતિપક્ષ નયના વિષયને ખોટો કહેવામાં આવે તો પોતાનો વિષય પણ ન સંભવવાથી તે નયનું અસ્તિત્વ પણ સંભવી શકતું નથી. આ કારણથી દરેક નયની મર્યાદા સમજનાર અને તેમનો સમન્વય કરનાર અનેકાંતસ્વરૂપ સિદ્ધાંતને જાણનાર પુરુષ બધા નયોનું વક્તવ્ય જાણવા છતાં આ એક નય સત્ય જ છે અને બીજો નય અસત્ય જ છે એવો વિભાગ કરતો નથી; ઊલટું તે તો કોઈ એક નયના વિષયને બીજા વિરોધી નયના વિષય સાથે સાંકળીને જ તે સત્ય છે એવું નિર્ધારણ કરે છે. આ રીતે અનેકાંત સિદ્ધાંતને જાણકાર પુરુષ કાર્યને કથંચિત્ જ સત્ યા અસતું કહે છે તેમ જ દ્રવ્યને અદ્વૈત કે વૈત પણ કથંચિત્ જ કહે છે. (૨૮) द्रव्यपर्यायोभयात्मकस्यैकस्यैव वस्तुनोऽभेदरूपेण द्रव्यार्थिकपरिच्छेद्यत्वं भेदरूपेण पुनः पर्यायार्थिकपरिछेद्यत्वमिति कथयन्नाह - दवट्ठियवत्तव्वं सव्वं सब्वेण णिञ्चमवियप्पं । आरद्धो य विभागो पज्जववत्तव्वमग्गो य ।।२९।। सर्वं द्रव्यमानं सर्वेण प्रकारेण नित्यं सर्वकालम् अविकल्पं भेदरहितमिति द्रव्यार्थिकवक्तव्यं सङ्ग्रहादिद्रव्यार्थिकनयस्य विषयम्, तेष्वेवाविभक्तेषु द्रव्येषु आरब्धष्टा विभागः प्रस्तुतष्टा भेदः पर्यायवक्तव्यमार्गष्टा पर्यायास्तिकनयस्य विषयरूपस्य विशेषस्य मार्गः । 2010_02 Page #94 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-२९-३० इदं रहस्यम् - सर्वे पदार्था द्रव्यार्थिकपर्यायार्थिकोभयनयविषयभूताः । किन्तु यावत्तत्र भेदविवक्षा न भवेत्तावत्ते द्रव्यार्थिकनयविषयरूपाः, तस्याभेदग्राहित्वात्, यतः प्रभृति च भेदविवक्षा प्रारब्धा तदा ते पर्यायार्थिकनयविषयात्मकाः, तस्य भेदग्राहित्वात् ।।२९ ।। અવ. બન્ને મૂલનયોની વિષયમર્યાદાगाथा : दवट्ठियवत्तव्वं सव् सव्वेण णिञ्चमवियप्पं । आरद्धो य विभागो पजववत्तव्यमग्गो य ।। २९ ।। छाया : द्रव्यास्तिकवक्तव्यं सर्वं सर्वेण नित्यमविकल्पम् । आरब्धश्च विभागः पर्यववक्तव्यमार्गश्च ।। २९ ।। अन्वयार्थ : सव्वं = सर्व पार्थो सव्वेण = सर्व प्रा णिचं = भेश अवियप्पं = (भे २डित (छ त) दवट्ठियवत्तव्वं = द्रव्यास्ति नयनो विषय आरद्धो य = अने मायेको विभागो = विमा-मेह पज्जववत्तव्वमग्गो य = पर्यायास्तिनयन विषयनो मार्ग. ગાથાર્થ સર્વે પદાર્થો સર્વપ્રકારે સર્વકાલે ભેદરહિત હોય છે તે સંગ્રહ વગેરે દ્રવ્યાસ્તિકનયોનું વક્તવ્ય છે; અને આરંભાયેલો વિભાગ અર્થાત્ સત્તારૂપ તે જ અવિભાગનું દ્રવ્ય વગેરે વડે ભેદનું કથન કરવું તે પર્યાયાસ્તિકનયના વિષયનો માર્ગ બને છે. (૨૯) તાત્પર્યાર્થ : જગતના સર્વપદાર્થો ભેદભેદ ઉભયરૂપ છે, પણ તેમાં જ્યારે વસ્તુ કોઈ પણ જાતના ભેદ વિના માત્ર સદૂરૂપ દેખાય, ત્યારે તે દ્રવ્યાસ્તિનયનો વિષય છે અર્થાત્ અભેદ સુધી જ દ્રવ્યાસ્તિકનયની મર્યાદા છે. વળી, જ્યારે તે જ સર્વે પદાર્થો દ્રવ્ય-ગુણ વગેરે ભેદો વડે અથવા ભૂત-વર્તમાન વગેરે કાલના ભેદો વડે જણાય ત્યારે પર્યાયાસ્તિકનયના વિષયનો માર્ગ શરૂ થાય છે અર્થાતુ ભેદથી જ પર્યાયાસ્તિકનયના વિષયની મર્યાદા શરૂ થાય છે. (૨૯) एवं भेदाभेदरूपं वस्तूपदर्श्व पर्यायार्थिकविषयस्य भेदस्य द्वैविध्यमाह - सो उण समासओ चिय वंजणणिअओ य अत्थणिअओ य । अत्थगओ य अभिण्णो भइयव्वो वंजणवियप्पो ।।३०।। स पुनर्विभागः समासतः संक्षेपतो द्विविध एव व्यञ्जननियतष्टा शब्दनयनिबन्धनोऽर्थ 2010_02 Page #95 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड - १, गाथा - ३० नियतष्टार्थनयनिबन्धनष्टा । तत्र अर्थगतस्तु विभागोऽभिन्न उत्तरभेदरहितः, व्यञ्जनविकल्पः शब्दगतविभागस्तु भाज्यो भिन्नाभिन्नः । ५० अयं वाच्यः - अर्थं गौणीकृत्य शब्दप्रधाना नयाः शब्दनयाः शब्द-समभिरूढ-एवम्भूताख्याः, तथा शब्दोपसर्जनतयाऽर्थप्रधाना नया अर्थनयाः सङ्ग्रह - व्यवहार - ऋजुसूत्राख्याः । पर्यायार्थिकनयविषयविशेषात्मकभेदोऽपि द्विभेदः- शब्दनयनिबन्धनोऽर्थनयनिबन्धनष्टा । तस्मिन्नर्थनयकृतविभागोऽभिन्नः, सङ्ग्रहनयविषयस्यासद्व्यवच्छिन्नाभिन्नार्थपर्यायरूपत्वात्, व्यवहारनयविषयस्य अद्रव्यव्यवच्छिन्नाभिन्नार्थपर्यायरूपत्वात्, ऋजुसूत्रनयस्य चातीतानागतव्यवच्छिन्नाभिन्नार्थपर्यायरूपत्वात् । तस्मादर्थनयविषयोऽर्थपर्याय एकविधः, न तत्र उत्तरभेदाः संभवन्ति । शब्दनयकृतविभागस्तु भिन्नाभिन्नः । शब्दनयानुसारेण एकस्यार्थस्यानेकशब्दा वाचका इत्यतो भिन्नः, समभिरूढनयानुसारेण एकस्य चार्थस्यैकशब्दो वाचक इत्यतोऽभिन्नस्तथैवम्भूतनयानुसारेण विवक्षितक्रियाकाल एव एकस्यार्थस्यैक एव शब्दो वाचकः, तस्मादभिन्नः । इत्येवं व्यञ्जनपर्यायो भिन्नाऽभिन्न इत्यर्थः । संक्षेपतोऽर्थपर्यायस्य भेदपरम्परायामन्तिमत्वात् स्वीयभेदानामभावाच्चाभिन्नस्तथा व्यञ्जनपर्यायस्य सदृशप्रवाहदृष्ट्या एकत्वेनाभिन्नत्वेऽपि स्वीयभेदानां संभवाद्भिन्नत्वाद्भिन्नाभिन्नः । व्यञ्जनार्थयोर्विशेषस्वरूपष्टाग्रे तृतीयकाण्डस्य पञ्चमीगाथायां व्यक्तीभविष्यति । । ३० ।। અવ. પર્યાયાર્થિકનયના વિષયસ્વરૂપ ભેદનું વિશેષ વર્ણન— गाथा : छाया : सो उण समासओ यि वंजणणिअओ य अत्थणिअओ य । अत्थगओ य अभिण्णो भइयव्वो वंजणवियप्पो ।। ३० ।। स पुनः समासत एव व्यञ्जननियतश्च अर्थनियतश्च । अर्थगतश्च अभिन्नो भक्तव्यो व्यञ्जनविकल्पः ।। ३० ।। = संक्षेपथी ४ अन्वयार्थ : सो उण = वणी, ते विभाग समासओ चिय वंजणणिअओ य = व्यं४ननियत अत्थणिअओ य = અને अर्थनियत. अत्थगओ य = अर्थनियतविभाग अभिण्णो = अभिन्न 2010_02 Page #96 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-३० અને વંનાવિયuો = વ્યંજનનિયતવિભાગ મળો = વિકલ્પનીય - ભિન્નભિન્ન. ગાથાર્થઃ વળી, તે વિભાગ સંક્ષેપમાં બે પ્રકારનો છે. ૧-વ્યંજનનિયત અર્થાત્ શબ્દનયસાપેક્ષ અને ૨-અર્થનિયત અર્થાત્ અર્થન સાપેક્ષ. તે બે પ્રકારના વિભાગ પૈકી અર્થન સાપેક્ષ વિભાગ અભિન્ન છે અર્થાત્ તેના ઉત્તરભેદો નથી; અને શબ્દનયસાપેક્ષવિભાગ વિકલ્પનીય છે અર્થાત્ ભેદ અને અભેદથી યુક્ત છે. (૩૦) તાત્પર્યાર્થ : દરેક પદાર્થ ભેદભેદરૂપ છે. તેમાં જે અભેદની પ્રતીતિ થાય છે તે દ્રવ્યાસ્તિકનયનો વિષય છે અને ભેદની પ્રતીતિ થાય છે તે પર્યાયાસ્તિકનયનો વિષય છે. પર્યાયાસ્તિકનયના વિષયરૂપ ભેદ બે પ્રકારનો છે. ૧-શબ્દનયસાપેક્ષ, ૨-અર્થન સાપેક્ષ. અર્થને ગૌણ કરી શબ્દને મુખ્ય માનનારા નયો શબ્દનયો કહેવાય છે, જે શબ્દસમભિરૂઢ અને એવંભૂતનય સ્વરૂપ છે. તથા શબ્દને ગૌણ કરી અર્થને પ્રધાન માનનારા નયો અર્થનયો કહેવાય છે, જે સંગ્રહ-વ્યવહાર અને ઋજુસૂત્રનયરૂપ છે. સંગ્રહનયનો વિષય અસત્ પદાર્થનો વ્યવછેદ કરી સરૂપ અભિન્ન-અર્થપર્યાયરૂપ હોવાથી, વ્યવહારનયનો વિષય અદ્રવ્યભૂત પદાર્થનો વ્યવચ્છેદ કરી દ્રવ્યરૂપ અભિન્નઅર્થપર્યાયરૂપ હોવાથી અને ઋજુસૂત્રનયનો વિષય ભૂતકાળ અને ભવિષ્યકાળના પદાર્થનો વ્યવચ્છેદ કરી વર્તમાનકાળરૂપ અભિન્ન-અર્થપર્યાયરૂપ હોવાથી અર્થનયસાપેક્ષ ભેદ અભિન્ન છે - એકરૂપ છે. માટે તેના ઉત્તરભેદો સંભવતાં નથી. જ્યારે શબ્દનય અનુસાર એક અર્થના વાચક અનેક શબ્દો હોવાથી ભેદ ભિન્ન છે તથા સમભિરૂઢનયના મતે એક અર્થનો વાચક એક શબ્દ હોવાથી ભેદ અભિન્ન છે અને એવંભૂતનયના મતે વિવક્ષિત ક્રિયાકાળે જ એક અર્થનો વાચક એક શબ્દ હોવાથી ભેદ અભિન્ન છે. આ રીતે શબ્દનયસાપેક્ષ ભેદ ભિન્નભિન્ન છે. આ વાતને બીજા શબ્દોમાં વિચારીએ તો, દરેક પદાર્થ ભેદભેદ ઉભયસ્વરૂપ છે. તેમાં જ્યારે અભેદ ઉપર સૂક્ષ્મ વિચારણાથી કાલ-દેશ વગેરે વડે ભેદોની કલ્પના કરવામાં આવે છે, ત્યારે તે ભેદો વિચારની સૂક્ષ્મતા પ્રમાણે ઉત્તરોત્તર વધતા જ જાય છે. અભિન્નસ્વરૂપ ઉપર કલ્પાયેલી એ અનંત ભેદોની પરંપરામાં સમાન પ્રતીતિનો વિષય અને એક શબ્દથી જણાવી શકાય તેવો જેટલો સદૃશપરિણામપ્રવાહ છે, તેટલો તે પ્રવાહ વ્યંજનપર્યાય કહેવાય છે; અને ઉક્ત ભેદોની પરંપરામાં જે ભેદ અંતિમ હોવાથી અવિભાજ્ય હોય અથવા જે ભેદ અવિભાજ્ય ન હોવા છતાં અવિભાજ્ય જેવો દેખાતો હોય તે અર્થપર્યાય કહેવાય છે. દા. ત. ચેતન પદાર્થનું જીવત્વ એ સામાન્યરૂપ છે; તેની કાલ, ધર્મ વગેરે ઉપાધિકૃત સંસારિત્વ, મનુષ્યત્વ, પુરુષત્વ, બાલત્વ વગેરે અનંત ભેદોવાળી નાની મોટી અનેક પરંપરાઓ છે. તેમાં ‘પુરુષ 2010_02 Page #97 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-३१ પુરુષ' એવી સમાન પ્રતીતિનો વિષય અને એક પુરુષ'શબ્દથી પ્રતિપાદ્ય એવો જે સદશપર્યાયપ્રવાહ છે, તે વ્યંજનપર્યાય કહેવાય છે અને એ પુરુષરૂપે સશપ્રવાહમાં બીજા બાલ્ય, યૌવન વગેરે અથવા તેનાથી પણ સૂક્ષ્મતમ ભેદો રહેલા છે, તે બધા અર્થપર્યાય કહેવાય છે. અર્થપર્યાયને અભિન્ન કહ્યો છે તેનો ભાવ એ છે કે, ભેદોની પરંપરામાં જે ભેદ અંતિમ હોવાથી અભેદ્ય હોય અથવા તે ભેદ પોતે બીજાનો અંશ હોવા છતાં પોતાના ભેદક અંશને ન ધરાવતો હોવાથી અભિન્ન કહેવાય છે અને જો તે પોતાના ભેદક અંશને ધરાવે તો તેને અર્થપર્યાય ન કહેતાં વ્યંજનપર્યાય કહેવાય છે જે ભિન્નભિન્ન સ્વરૂપ છે. વ્યંજનપર્યાયને ભિન્નભિન્ન કહ્યો છે તેનો ભાવ એ છે કે, પુરુષરૂપપર્યાયશબ્દવાપ્ય સદશપ્રવાહની દૃષ્ટિએ એક હોવાથી અભિન્ન છે છતાં તેમાં બીજા બાલ્ય. યૌવન આદિ અનેક નાના ભેદો જણાતા હોવાથી તે ભેદ્ય પણ છે. એ જ રીતે બાલરૂપપર્યાય શબ્દવા... સશપ્રવાહરૂપે એક હોવાથી અભિન્ન છતાં તેમાં તત્કાલજન્સ, સ્તiધયત્વ વગેરે બીજા ભેદોને લીધે તે ભેદ્ય હોવાથી ભિન્ન પણ છે. એ જ રીતે દરેક વ્યંજનપર્યાય અર્થાત્ દરેક વ્યવહાર કરવા યોગ્ય પર્યાયની બાબતમાં ઘટાવી લેવું. (૩૦). एकमेव द्रव्यं केन रूपेणानन्तप्रमाणम् ? तद् दर्शयन्नाह - एगदवियम्मि जे अत्थपज्जया वयणपज्जया वावि । तीयाणागयभूया तावइयं तं हवइ दव्वं ।।३१।। एकद्रव्ये एकस्मिन् जीवादिद्रव्ये ये अर्थपर्याया अर्थग्राहकसंग्रहादिनया अर्थग्राह्या वा अर्थभेदा अथवा वचनपर्याया अपि शब्दादिशब्दनयाः शब्दपरिच्छेद्या वस्त्वंशा वा अतीतानागतभूता अनन्तप्रमाणास्तावत्प्रमाणं तज्जीवादिद्रव्यं भवति । अयं भावार्थः - किञ्चिदपि जीवद्रव्यं मूलरूपेणैकं सत् त्रैकालिकेनानन्तैर्व्यञ्जनपर्यायार्थपर्यायैरनन्तं भवति । तथाहि - विवक्षितैकपर्याययुक्ताद् द्रव्याद् विवक्षितद्वितीयपर्यायसहितं द्रव्यं भिन्नम्, तस्मादपि विवक्षिततृतीयपर्यायसहितं द्रव्यं भिन्नम्, अनेन क्रमेणैकमपि द्रव्यमनन्तप्रमाणं भवति, पर्यायाणामनन्तत्वात् । एकं द्रव्यं द्रव्यत्वेन नित्यं तथा पर्यायत्वेनानित्यम् । परस्परसापेक्षतया नित्यानित्यरूपस्वीकरणेनैव द्रव्यमनन्तात्मकम् न तु एकान्तनित्यानित्यरूपत्वेन ।।३१ ।। 2010_02 Page #98 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-३१ અવ. એક જ દ્રવ્ય અનેક કેમ બને છે તેનો ખુલાસોIITથા : एगदवियम्मि जे अत्थपजया वयणपजया वा वि । तीयाणागयभूया तावइयं तं हवइ दव्वं ।। ३१ ।। છાયા : एकद्रव्ये ये अर्थपर्याया वचनपर्याया वाऽपि । अतीतानागतभूतास्तावत्कं तद् भवति द्रव्यम् ।। ३१ ।। અન્વયાર્થ : કવિમિ = એક દ્રવ્યમાં તીયાSTRાયમૂયા = ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાનકાળપણા વડે ને = જે-જેટલા સભ્યપળા = અર્થપર્યાયો વયજ્ઞથા વા વિ = અથવા વ્યંજનપર્યાયો તાવડું = તેટલું (તેટલી સંખ્યાવાળું) તં = તે વā – દ્રવ્ય દેવ = થાય છે. ગાથાર્થ જીવ વગેરે કોઈપણ એક દ્રવ્યમાં ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાનકાળ સંબંધી જેટલા અર્થપર્યાયો (=અર્થનો અથવા અર્થનયોથી ગ્રહણ કરવા યોગ્ય અર્થભેદો) તેમ જ વ્યંજનપર્યાયો (=શબ્દનો અથવા શબ્દનયોથી ગ્રહણ કરવા યોગ્ય વસ્તુના અંશો) હોય છે, તેટલા પ્રમાણવાળું તે દ્રવ્ય થાય છે. (૩૧) તાત્પર્યાર્થ: કોઈ પણ પરમાણુ-જીવ આદિ મૂળ દ્રવ્ય વસ્તુતઃ અખંડ હોવાથી દ્રવ્યરૂપે ભલે એક જ હોય, તેમ છતાં તેમાં ત્રણે કાળના શબ્દપર્યાય અને અર્થપર્યાય અનંત હોય છે; તેથી તે એક દ્રવ્ય પણ ભિન્ન ભિન્ન પર્યાયે જુદું જુદું ભાસમાન થવાથી અને જુદું જુદું મનાવાથી પર્યાયોની સંખ્યા પ્રમાણે અનંત થાય છે. અર્થાત્, એક જ દ્રવ્ય અમુક પર્યાય સહિત હોય તો જુદું પ્રતીત થાય છે અને બીજા પર્યાય સહિત હોય તો જુદું પ્રતીત થાય છે. આ રીતે વિશેષ્યભૂત દ્રવ્ય એક હોવા છતાં વિશેષણભૂત પર્યાયોના ભેદને લીધે જુદું જુદું મનાવાથી તે દ્રવ્ય પણ પર્યાય જેટલી સંખ્યાવાળું બને છે. આ રીતે એક દ્રવ્ય દરેક અવસ્થામાં દ્રવ્યસ્વરૂપે ધ્રુવ રહેવાથી નિત્ય છે તથા તેના પર્યાયો બદલાવાથી અનિત્ય છે, તેથી નિત્યાનિત્ય માનવાથી જ એક દ્રવ્ય અનંતપ્રમાણવાળું માની શકાય છે પણ એકાંતે અનિત્ય કે એકાંતે નિત્ય માનવાથી એક દ્રવ્ય અનંત પ્રમાણવાળું માની શકાતું નથી. (૩૧) 2010_02 Page #99 -------------------------------------------------------------------------- ________________ ५४ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-३२ अविकल्पत्वनिबन्धनं व्यञ्जनपर्यायं सविकल्पत्वनिबन्धनं चार्थपर्यायं पुरुषदृष्टा न्तद्वारेणाह - पुरिसम्मि पुरिससद्दो जम्माई मरणकालपज्जन्तो । तस्स उ बालाईया पज्जवजोया बहुवियप्पा ।। ३२ ।। अतीतानागतवर्त्तमानानन्तार्थ- व्यञ्जनपर्यायात्मके पुरुषे पुरुषवस्तुनि जन्मादिर्मरणकालपर्यन्तः पुरुषशब्दः 'पुरुषः' इति शब्दो व्यञ्जनपर्यायोऽभेदताद्योतकः । तस्यैव पुरुषस्य बालादिकाः पर्यवयोगाः तत्तत्परिणतिसम्बन्धा अर्थपर्याया बहुविकल्पा अनेकभेदाः । इदं समीक्ष्यम् - पुरुषरूपजीवो जन्मादिर्मरणपर्यन्तः 'अयं पुरुषः अयं पुरुषः' इति एकशब्देन व्यवह्रियते, समानप्रतीतिविषयष्टा भवति । ततस्तज्जीवस्य पुरुषरूपः सदृशपर्यायप्रवाहो व्यञ्जनपर्याय उच्यते । तस्मिन् पुरुषरूपे व्यञ्जनपर्याये बाल-कुमार-यौवन-प्रौढ-वृद्धादयोऽनेकप्रकाराः स्थूलपर्यायाः, तत्रापि बालादिस्थूलपर्याये नवजात - स्तनन्धयादयोऽनेकाः सूक्ष्मपर्यायाः, तत्रापि प्रतिसमयविवक्षया अनन्ताः सूक्ष्मपर्याया भासन्ते । ते सर्वे पुरुषात्मकव्यञ्जनपर्यायस्य अर्थपर्याया उच्यन्ते । एवं एकपुरुषपर्याये व्यञ्जनपर्यायेण 'स्याद् एकः' इति निर्विकल्पज्ञानं तथाऽर्थपर्यायैः ‘स्याद् अनेक’ इति सविकल्पज्ञानम् सिद्धम्, अर्थाज्जीवः पुरुषरूपव्यञ्जनपर्यायेण एकस्तथा बालाद्यर्थपर्यायेण अनेकः कथ्यते ।। ३२ ।। અવ. વસ્તુનું અનેકાંતસ્વરૂપ પ્રતિપાદન કરનારા વાકયો પણ અનેકાંતસ્વરૂપ છે તેનું વર્ણન અથવા અવિકલ્પત્વના કારણસ્વરૂપ વ્યંજનપર્યાય તથા સવિકલ્પત્વના કારણસ્વરૂપ અર્થપર્યાયનું દૃષ્ટાંત વડે वएर्शन - गाथा : छाया : 2010_02 पुरिसम्म पुरिससद्दो जम्माई मरणकालपज्जन्तो । तस्स उबालाईया पज्जवजोया बहुवियप्पा ।। ३२ ।। पुरुषे पुरुषशब्दो जन्मादिर्मरणकालपर्यन्तः । तस्य तु बालादिकाः पर्यवयोगा बहुविकल्पाः ।। ३२ ।। Page #100 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-३२ સન્વાર્થ : ના = જન્મથી પ્રારંભ કરી મરજીવા૫ર્નન્તો = મરણ સમય સુધી દરેક અવસ્થામાં પરિષ્યિ = પુરુષમાં પુરિસો = ‘પુરુષ' શબ્દ (વપરાય છે). તરસ ૩ = તે પુરુષના જ વસ્ત્રાર્ફા = બાલ વગેરે વવિયપ્પા = ઘણા ભેદવાળા પળવણોયા = પર્યાયસંબંધ - અર્થપર્યાયો. ગાથાર્થ : અનંત અર્થપર્યાય અને વ્યંજનપર્યાયસ્વરૂપ પુરુષ વસ્તુમાં જન્મથી માંડી મરણ સમય સુધી અભેદને સૂચવનાર પુરુષ' એવો શબ્દ વપરાય છે, અને તે પુરુષના જ બાલ વગેરે અર્થપર્યાયો અનેક પ્રકારના સંભવે છે. અથવા (બીજી અવતરણિકા જે કરવામાં આવી તે મુજબ ગાથાનો અર્થ આ મુજબ છે કે-) ‘પુરુષ' નામની વસ્તુમાં જે પુરુષધ્વનિ છે = પુરુષ” એ મુજબ જે વ્યવહારનો વિષય બને છે, તે વ્યંજનપર્યાય છે, શેષ ‘બાલ' વગેરે શબ્દોથી ભિન્ન ભિન્ન અવસ્થામાં અલગ-અલગ વ્યવહાર કરાય છે તે બાલાદિધર્મસમૂહ અર્થપર્યાય છે. (૩૨) તાત્પર્યાર્થઃ જે જીવે પુરુષરૂપે જન્મ લીધો ત્યારથી માંડી મરણ પર્યત તે જીવ પુરુષ પુરુષ” એવા સમાન શબ્દથી વ્યવહાર કરાય છે અને પુરુષ પુરુષ” એવી સમાન પ્રતીતિનો વિષય બને છે; પણ કોઈ તેનો સ્ત્રી-નપુંસક તરીકે વ્યવહાર કરતા નથી. તેથી, જીવનો એ પુરુષરૂપ સદૃશ-પર્યાયપ્રવાહ વ્યંજનપર્યાય છે. તેમાં જે બીજા બાલ્ય, કુમાર, યુવાન, પ્રૌઢ, વૃદ્ધ આદિ અનેક પ્રકારના સ્થૂલ પર્યાયો કે બાલ્યવયમાં પણ તાજું જન્મેલ, અનંધય, પગે ચાલતું બાળક વગેરે પર્યાયો કે તેમાં પણ સૂક્ષ્મ સૂક્ષ્મ પર્યાયો કે જે પ્રતિસમયની વિવક્ષાથી ભેદ પડે તેવા અનંત સૂક્ષ્મ પર્યાયો ભાસે છે, તે બધાયે પુરુષરૂપ વ્યંજનપર્યાયના અવાંતર પેટાપર્યાયો સ્વરૂપ અર્થપર્યાયો છે. અર્થાત્ કોઈ પણ એક વ્યંજનપર્યાય લઈએ, તો અવસ્થાભેદે તેના અનેક અર્થપર્યાયો સંભવે છે. આ રીતે, એક જ પુરુષપર્યાયમાં વ્યંજનપર્યાય વડે “ચાલ્ ?' સ્વરૂપ નિર્વિકલ્પજ્ઞાન (ભેદ રહિત બોધ) ઉત્પન્ન થાય છે તથા અર્થપર્યાય વડે ‘ચત્ અને:' સ્વરૂપ સવિકલ્પજ્ઞાન (ભેદ રહિત બોધ) ઉત્પન્ન થાય છે. અર્થાત્ પુરૂષ વ્યંજનપર્યાય વડે એક છે અને બાલ વગેરે અર્થપર્યાયો વડે અનેક છે. આ ગાથાની ટીકામાં ટીકાકાર મહર્ષિએ વૈયાકરણ, વૈશેષિક, મીમાંસક વગેરેને માન્ય શબ્દ અને તેના અર્થસંબંધનું નિરૂપણ કરી અંતે તેનું ખંડન કરવાપૂર્વક અનેકાંતદૃષ્ટિએ શબ્દ અને તેના અર્થસંબંધનું વર્ણન વિસ્તારથી કર્યું છે. (૩૨) 2010_02 Page #101 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-३३ कस्मिंप्टिादपि वस्तुनि एकान्तेन भिन्नेऽभिन्ने वा मन्यमाने सति यद्भवति तदाह - अत्थि ति णिब्बियप्पं पुरिसं जो भणइ पुरिसकालम्मि । सो बालाइवियप्पं न लहइ तुलं व पावेज्जा ।।३३।। यो वक्ता पुरुषं पुरुषरूपव्यञ्जनपर्यायं पुरुषकाले पुरुषोत्पत्त्यादिक्षणे निर्विकल्पं भेदरहितम् अस्ति इति भणति, सो बालादिविकल्पं बाल-यौवनादिभेदं न लभते । तुल्यं वा प्राप्नुयाद् बालादिविकल्पानामभाववत् पुरुषस्याप्यभावमाप्नुयात्, भेदाऽप्रतीतावभेदस्याप्यप्रतीतेः पुरुषस्याप्यभाव इति भावः । अथवा यो वक्ता पुरुषरूपव्यञ्जनपर्यायं पुरुषकाले निर्विकल्पं पुरुषरूपं निष्टिातभेदवद् अस्ति इति भणति, सो बालादिभेदं न लभते, तुल्यं वा अभेद-तुल्यतामेव प्राप्नुयादभेदाऽप्रतीतौ भेदस्याप्यप्रतीतेर्भेदस्याप्यभावं प्राप्नुयादिति भावः । अयं वाच्यार्थः - पुरुषरूपव्यञ्जनपर्याये एकान्तेनाभिन्ने मन्यमाने सति तस्य न भेदाः । तेषां चाभावे तत्समूहरूपं व्यञ्जनपर्यायमपि न स्यात्, भेदाऽप्रतीतावभेदस्यापि प्रतीतेरभावात् । तथैकान्तेन भिन्ने स्वीकृते सत्यभेदाऽप्रतीतौ भेदप्रतीतेरप्यभावान्निष्टिातभेदस्याप्यभावः प्रसज्येत । इति सर्वव्यवहारलोपप्रसङ्गापत्त्या सर्वमपि वस्तु नैकान्तेन भिन्नमभिन्नं वा किन्तु भिन्नाभिन्नमेव ।।३३।। छाया: અવ. કોઈ પણ વસ્તુ એકાંતે એક કે એકાંતે અનેક માનવામાં આવતા દોષો– गाथा : अत्थि त्ति णिब्बियप्पं पुरिसं जो भणइ पुरिसकालम्मि । सो बालाइवियप्पं न लहइ तुल्लं व पावेजा ।। ३३ ।। अस्ति इति निर्विकल्पं पुरुषं यो भणति पुरुषकाले । सो बालादिविकल्पं न लभते तुल्यं वा प्राप्नुयात् ।। ३३ ।। अन्वयार्थ : जो = 3 (astu) पुरिसं = पुरुषने पुरिसकालम्मि = पुरुषमा अत्थि त्ति = (॥ ५२५४)छ मे प्रमाण णिवियप्पं = निविs८५मेहडित भणइ = 83 छ सो = ते (astu) बालाइवियप्पं = पास १३ विधाने (महान.) न लहइ = पाभी. शsतो. नथी तुल्लं व = अथवा तुल्य (40 वन अमावनी समान)५५॥ने पावेज्जा = पामे. ___ 2010_02 Page #102 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-३४ ૬૭ ગાથાર્થ ઃ જે વક્તા પુરુષને પુરુષદશામાં આ પુરુષ જ છે એમ નિર્વિકલ્પ કહે છે અર્થાત્ અભિન્ન કહે છે તે વક્તા બાલ વગેરે વિકલ્પોને પામી શકતો નથી અથવા અભેદરૂપને બાલ વગેરેની તુલ્ય પામે છે. અર્થાત્ બાલ વગેરે વિકલ્પોનો જેમ અભાવ માને છે તેમ અભેદરૂપના પણ અભાવને પામે છે. અથવા જે વક્તા પુરૂષને પુરુષદશામાં નિશ્ચિતભેદવાળો છે નિશ્ચિત પર્યાયવાળો કહે છે, તે વક્તા બાલ વગેરે વિકલ્પોને ઇંપર્યાયોને પામી શકતો નથી અથવા બાલ વગેરે પર્યાયો દ્રવ્યની તુલ્યતાને જ પામે છે. અર્થાત્ દ્રવ્યરૂપ અભેદના અભાવની જેમ બાલ વગેરે ભેદનો પણ અભાવ પામે છે. (૩૩) તાત્પર્યાર્થ : જો પુરુષરૂપ વ્યંજનપર્યાયને એકાંતે અભિન્ન માનવામાં આવે, તો તેનો અર્થ એ જ થાય કે તે માત્ર પુરુષરૂપ જ છે પણ તેના અવાંતર પર્યાયો નથી; અને એમ માનવા જઈએ તો પરિણામે એ પુરુષરૂપ પર્યાય પણ સિદ્ધ ન થાય. કારણકે પુરુષત્વ એટલે અનેક અવાંતર પર્યાયોનો સમુદાય. હવે જો અવાંતર પર્યાયો જ ન હોય, તો સમુદાયરૂપ પુરુષપર્યાય ન જ હોઈ શકે; તેથી એકાંત અભિન્ન માનતાં અવાંતર પર્યાયોનો લોપ થવાને લીધે છેવટે વ્યંજનપર્યાય પણ અવાંતર પર્યાયની તુલ્ય કોટિમાં એટલે લોપ દશામાં મૂકાય છે. અથવા હવે, જો પુરુષરૂપ વ્યંજનપર્યાયને એકાંતે ભિન્ન માનવામાં આવે તો અભેદના અભાવમાં ભેદઅવસ્થાનો પણ અભાવ હોવાથી અભેદને ન માનીએ તો ભેદનો પણ અભાવ થઈ જશે. આ રીતે સર્વ વ્યવહારના નાશનો પ્રસંગ આવતો હોવાથી વસ્તુ એકાંતે ભિન્ન પણ નથી કે એકાંતે અભિન્ન પણ નથી પણ ભેદભેદસ્વરૂપ જ છે. (૩૩) अस्यैवोपसंहारार्थमाह - वंजणपज्जायस्स उ पुरिसो ‘पुरिसो' त्ति णिञ्चमवियप्पो । बालाइवियप्पं पुण पासइ से अत्थपज्जाओ ।।३४।। व्यञ्जनपर्यायस्य तु व्यञ्जनपर्यायग्राहकनयेन पुरुषः पुरुषवस्तु नित्यं 'पुरुष' इति अविकल्पं सदा भेदं न प्रतिपद्यते । पुनः अर्थपर्यायः अर्थपर्यायग्राहिनयस्तस्य पुरुषद्रव्यस्य बालादिविकल्पं बाल-कुमारादिभेदं पश्यति । अयं परमार्थः - व्यञ्जनपर्यायग्राहकनया वस्तुनो भेदं न स्वीकुर्वन्ते, अर्थपर्यायग्राहकनयास्तु वस्तुनो भेदं गृह्णन्ति । ततो व्यञ्जनपर्यायेण पुरुषवस्तु भेदरहितं तथा तद्व्यञ्जनपर्यायस्यैवार्थपर्यायैः पुरुषवस्तु सविकल्प इति सिद्ध्यति ।।३४ ।। 2010_02 Page #103 -------------------------------------------------------------------------- ________________ ५८ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-३५ छाया: અવ. વ્યંજનપર્યાય અને અર્થપર્યાયના પદાર્થનો ઉપસંહારगाथा : वंजणपज्जायस्स उ पुरिसो ‘पुरिसो' त्ति णिञ्चमवियप्पो । बालाइवियप्पं पुण पासई से अत्थपज्जाओ ।। ३४ ।। व्यञ्जनपर्यायस्य तु पुरुष: 'पुरुष' इति नित्यमविकल्पः । बालादिविकल्पं पुनः पश्यति तस्यार्थपर्यायः ।। ३४ ।। अन्वयार्थ : उ = वणी, वंजणपज्जायस्स = व्यं४नपर्याय । ४२॥२॥ मते पुरिसो = पुरुषवस्तु णिचं = डंभेश 'पुरिसोति = 'पुरुष' मे प्रमाणे अवियप्पो = As८५-मेह २लित पासइ = हुनेछ. पुण = वणी, अत्थ-पज्जाओ = अर्थपर्याय ॥ १२॥२ से = तना (व्यं४न-पर्याय३५ पुरुषन) बालाइवियप्पं = पास ३ विल्याने पासइ = हुवे छे. ગાથાર્થ વ્યંજનપર્યાય ગ્રહણ કરનારના મતે પુરુષવસ્તુ હંમેશાં ‘પુરુષ” એમ નિર્વિકલ્પ ભેદરહિત ભાસે છે. વળી, અર્થપર્યાય ગ્રહણ કરનાર તે પુરુષદ્રવ્યના બાલ વગેરે ભેદોને જુએ છે. (૩૪) તાત્પર્યાર્થઃ એક જ પુરુષવ્યક્તિમાં નિર્વિકલ્પ - અભિન્ન અને સવિકલ્પ - ભિન્ન એવી બુદ્ધિ થાય છે. “પુરુષ' એ પ્રકારની નિર્વિકલ્પ બુદ્ધિ થાય છે, ત્યારે તેનો વિષય પુરુષપર્યાય એ અભિન્ન વ્યંજનપર્યાય છે અને તે જ પુરુષ વ્યક્તિમાં પુરુષની પ્રતીતિ વખતે જે બાલ આદિ અનેક વિકલ્પો નજરે પડે છે, તે બધા પુરુષરૂપ વ્યંજનપર્યાયના અર્થપર્યાયો છે; અર્થાત્ એકાકાર બુદ્ધિથી ગ્રહણ કરાતા વ્યંજનપર્યાયમાં ભાસતા ભેદો તે વ્યંજનપર્યાયના અર્થપર્યાયો છે આ રીતે વ્યંજનપર્યાય વડે અવિકલ્પ એવો પુરુષ અર્થપર્યાય વડે સવિકલ્પ છે એમ સિદ્ધ थाय छे. (३४) वस्तुनोऽनेकान्तात्मकत्वेऽप्येकान्तरूपत्वं वदतोऽप्रमाणत्वख्यापनार्थमाह - सवियप्प-णिब्बियप्पं इय पुरिसं जो भणेज्ज अवियप्पं । सवियप्पमेव वा णिच्छएण ण स निच्छिओ समए ।।३५।। - सविकल्प-निर्विकल्पं स्यात्कारपदलाञ्छितं इति पुरुषं पुरुषद्रव्यं यः प्रतिपादकः अविकल्पमेवाभिन्नमेव सविकल्पमेव भिन्नमेव वा निष्टायेन एकान्तेन भणेत् प्ररूपयेत् स वक्ता समये यथार्थवस्तुतत्त्वपरिच्छेदने न निष्टिातः न परमार्थेन वस्तुतत्त्वस्य परिच्छेत्ता भवेत् । 2010_02 Page #104 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-३५ इदं प्रतिपाद्यम् - यथा प्रमाणपरिच्छिन्नं तथैवाविसंवादि वस्तु प्रतिपादयन् वक्ता वस्तुनः . प्रतिपादक इत्युच्यते । स च वक्ता स्यात्कारपदलाञ्छितं वस्तु स्यात्सविकल्पम्, स्यान्निविकल्पमिति ब्रूयान्न त्ववधारणेन । यष्टा वक्ता सविकल्पमेव निर्विकल्पमेव वेत्यवधारणेन वस्तुतत्त्वं प्रतिपादयेत् स न यथार्थवक्ता, न च परमार्थेन सिद्धान्तज्ञाता, दुर्नयाभिनिवेशाद् नयत्वाद् वा संपूर्णानेकान्तवस्तुस्वरूपापरिच्छेदात् ।।३५ ।। છાયા : અવ. અનેકાંતવસ્તુમાં એકાંતત્વનું કથન એ વક્તાની અજ્ઞાનતાને સૂચવે છે– गाथा : सवियप्प-णिब्बियप्पं इय पुरिसं जो भणेज अवियप्पं । सवियप्पमेव वा णिच्छएण ण स निच्छिओ समए ।। ३५ ।। सविकल्प-निर्विकल्पम् इति पुरुषं यो भणेद् अविकल्पम् । सविकल्पमेव वा निश्चयेन न स निश्चितः समये ।। ३५ ।। અન્યથાર્થ : રૂચ = આ પ્રમાણે સવિયg-ત્રિયખું = સવિકલ્પ અને નિર્વિકલ્પ (ભિન્નભિન્ન) એવા પુરિસં = પુરુષદ્રવ્યને નો = જે વક્તા ળિજીણા = નિશ્ચયથી – એકાંતથી વિખું = અવિકલ્પ (અભિન્ન) સવિયપ્રમેવ વા = અથવા સવિકલ્પ (ભિન્ન) જ મોન્ગ = કહે છે સ = તે (વક્તા) સમg = આગમમાં નિચ્છિમો = નિશ્ચિત = નથી. ગાથાર્થ આ પ્રમાણે સવિકલ્પ અને નિર્વિકલ્પ ઉભયરૂપ એવા પુરુષતત્ત્વને જે વક્તા એકાંતથી નિર્વિકલ્પ જ કહે અથવા સવિકલ્પ જ કહે, તે વક્તા ખરેખર, શાસ્ત્રમાં નિશ્ચિત નથી અર્થાતુ શાસ્ત્ર નિર્દિષ્ટ અનેકાંતમય વસ્તુતત્ત્વને જાણનાર નથી. (૩૫) તાત્પર્યાર્થ: કોઈપણ વસ્તુને પ્રમાણયુક્ત અને અવિસંવાદપણે રજૂ કરનાર વ્યક્તિ જ વાસ્તવિક પદાર્થનો પ્રતિપાદક કહેવાય છે. આવા પ્રકારનો પ્રતિપાદક જ્યારે વસ્તુની રજૂઆત કરે ત્યારે તે વસ્તુને સવિકલ્પ અને નિર્વિકલ્પ ઉભયરૂપ કહે અને તે માટે યાત્ પદથી પદાર્થની રજૂઆત કરે, પણ ક્યારેય નિશ્ચયપૂર્વક, “જ'કારપૂર્વક રજૂઆત ન કરે. પરંતુ જે વક્તા યથાવસ્થિત વસ્તુને રજૂ કરવાને સ્થાને “જ'કારનો ઉપયોગ કરે અર્થાત્ વસ્તુને એકાંત અભિન્નરૂપ કે એકાંત ભિન્નરૂપ જ માને કે કહે ત્યારે માનવું પડે કે તે વક્તા પરમાર્થથી વસ્તુતત્ત્વને જાણનાર નથી. (૩૫) 2010_02 Page #105 -------------------------------------------------------------------------- ________________ ६० संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-३६-४० अनेकान्तात्मकं वस्तुतत्त्वं परिज्ञातुं सप्तभङ्गी ज्ञातव्या, अतस्तत् प्रतिपादनाय तेषु प्रथम भङ्गत्रयं प्ररूपयन्नाह - अत्यंतरभूएहि य णियएहि य दोहि समयमाईहिं । वयणविसेसाईयं दव्वमवत्तव्वयं पडइ ।।३६।। अर्थान्तरभूतैप्टा परपर्यायैः, निजकैप्टा स्वपर्यायैः, स्वपरपर्यायैः प्रधानगुणभावेन स्तुनः स्यादस्ति, स्यान्नास्तीति दौ भनौ भवतः । आदिभ्यां द्वाभ्यां प्रागुक्ताभ्यां प्रकाराभ्यां समकं युगपद् विवक्षितं द्रव्यं तथाभूतस्य वस्तुनोऽभावात् वचनस्य वा तथाभूतस्याभावाद् वचनविशेषातीतं प्रतिपादकवचनातीतत्वे सति अवक्तव्यं पतति अवक्तव्यतामेति तृतीयभङ्गकविषय-मास्कन्दतीत्यर्थः । इदं विभाव्यम् - सप्तभङ्गीमध्ये प्रथमभङ्गः स्यादस्तिरूपः स च स्वपर्यायैः । द्वितीयभङ्गः स्यान्नास्तिरूपः स च परपर्यायैः । तृतीयभङ्गस्तु स्यादवक्तव्यरूपः, स चाद्यद्विप्रकारेण वस्तु यदा युगपदभिधातुमिष्टं भवति तदा स्यात्, तद्रूपवस्तुनो वागतिक्रान्तत्वात् । यथा - घटो घटत्वादिस्वपर्यायैः स्यादस्ति-१, पटत्वादिपरपर्यायैः स्यान्नास्ति-२, घटत्वादिस्वपर्यायैः स्यादस्ति, पटत्वादिपरपर्यायैः स्यान्नास्तीति युगपदभिधातुमशक्यत्वात् स्यादवक्तव्यम्-३ ।।३६ ।। चतुर्थभङ्गकं प्रतिपादयन्नाह - अह देसो सब्भावे देसोऽसब्भावपज्जवे णियओ । तं दवियमत्थि णस्थि य आएसविसेसियं जम्हा ।।७।। अथ इति यदा देशो वस्तुनोऽवयवो देशो धर्मो वा सद्भावेऽस्तित्वे नियतः ‘सन्नेवायम्' इति निष्टिातः, अपरप्टा देशोऽसद्भावपर्याये नास्तित्वे नियतः 'असन्नेवायम्' इति निप्टिातः । तदा तद् द्रव्यमस्ति नास्ति चेति भवति, यस्मादादेशविशेषितमस्तिनास्त्युभयप्रधानावयवविभागेन विशेषितम् । __इदं कल्यम् - सप्तभङ्गीमध्ये चतुर्थभङ्गः स्यादस्तिनास्तिस्वरूपः । यदा एकस्यैव घटादिवस्तुन एकावयवो घटत्वादिस्वपर्यायैर्नियतः, अपरप्टाावयवः पटत्वादिपरपर्यायैर्नियतस्तदायं चतुर्थो भङ्गो घटते-४ ।।३७।। 2010_02 Page #106 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड - १, गाथा - ३६-४० पञ्चमभङ्गं निरूपयन्नाह सब्भावे आइट्ठो देसी देसो य उभयहा जस्स । तं अस्थि अवत्तव्वं च होइ दविअं वियप्पवसा ।। ३८ ।। यस्य घटादेर्वस्तुनो देश एकावयवः सद्भावेऽवक्तव्यानुविद्धास्तित्वस्वभावे आदिष्टो विवक्षितः, अन्यथा तदसत्त्वात् । तस्यैव वस्तुनोऽपरदेशष्टा उभयथा अस्तित्वनास्तित्वप्रकाराभ्यामेकदैव विवक्षितः अस्तित्वानुविद्ध एवावक्तव्यस्वभावः, अन्यथा तदसत्त्वप्रसक्तेः । तद् घटादिद्रव्यं विकल्पवशात् तथाविवक्षावशादस्ति अवक्तव्यं च भवति । इदं विभाव्यम् - सप्तभङ्गीमध्ये पञ्चमभङ्गोऽस्ति - अवक्तव्यरूपः । यदा घटादेर्वस्तुनो एकदेशो ऽवक्तव्यानुविद्धस्वभावेऽस्तित्वे तथाऽपरदेशोऽस्तित्वानुविद्धेऽवक्तव्यस्वभावे विवक्षितस्तदा तद् द्रव्यमस्ति - अवक्तव्यरूपं पञ्चमं भङ्गमास्कन्दति । तथा विवक्षावशाद प्रथम-तृतीयकेवलभङ्गव्युदासेन पञ्चमभङ्गः प्रदर्शितः । तथापरिणतयोर्धर्मयोस्तथाव्यपदेशे धर्म्यपि तद्द्वारेण तथैव व्यपदिश्यते ।। ३८ ।। षष्ठभङ्गकं दर्शयन्नाह - आइट्ठोऽसब्भावे देसो देसो य उभयहा जस्स । तं णत्थि अवत्तव्वं च होइ दवियं वियप्पवसा ।। ३९ ।। ६१ यस्य वस्तुन एकदेशो 'असन्नेवायम्' इत्यवक्तव्यानुविद्धेऽसद्भावे नास्तित्वे आदिष्टः, इतरदेशष्टा उभयथा ‘सन्नसंष्टा' इत्यसदनुविद्धो युगपन्निष्टितस्तदा तद् द्रव्यं विकल्पवशाद् विवक्षावशान्नास्ति-अवक्तव्यं च भवति । इदं व्यपदेश्यम् - सप्तभङ्गीमध्ये षष्ठभङ्गो नास्ति - अवक्तव्यरूपः । यदा घटादेर्वस्तुनो एकदेशोऽवक्तव्यतानुविद्धनास्तित्वस्वभावे तथेतरदेशष्टा नास्तित्वानुविद्धावक्तव्यस्वभावे विवक्षितस्तदा तद् द्रव्यं नास्ति- अवक्तव्यरूपम् । तद्व्यपदेश्यावयववशाद् द्रव्यमपि तद्व्यपदेशमाप्नोति । ततः केवलद्वितीय-तृतीयभङ्गव्युदासेन षष्ठभङ्गो दर्शितः ।। ३९ ।। 2010_02 Page #107 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-३६-४० सप्तमभङ्गं कथयन्नाह - सब्भावाऽसब्भावे देसो देसो य उभयहा जस्स । तं अस्थि णत्थि अवत्तव्वयं च दवियं वियप्पवसा ।।४०।। यस्य घटादेर्वस्तुनो एको देशोऽवयवो देशो धर्मो वा सद्भावेऽस्तित्वे निष्टिातः, द्वितीयदेशष्टा असद्भावे नास्तित्वे निष्टिातः, तृतीयदेशस्तु उभयथा ‘सन्नसंप्टा' इत्येवं युगपन्निष्टिातः इत्येवं विकल्पवशाद् विवक्षावशादर्थाद् देशानां सदसदवक्तव्यव्यपदेशात् तद् द्रव्यमपि अस्ति-नास्ति-अवक्तव्यं च भवति । अयं परमार्थः - सप्तभङ्गीमध्ये सप्तमभङ्गोऽस्ति-नास्ति-अवक्तव्यरूपः । यदा घटादेर्वस्तुनो एकदेशोऽस्तित्वे, एकदेशो नास्तित्वे तथा तृतीयदेशोऽवक्तव्ये विवक्षितः, तदा तद् द्रव्यमस्ति-नास्ति-अवक्तव्यरूपं सप्तमभङ्गमाप्नोति । तथाविधविवक्षावशात् प्रथमद्वितीय-तृतीयभङ्गव्युदासो ज्ञेयः । एते च सप्तभङ्गा यदि स्यात्पदेनालाञ्छिता अवधारणार्थाप्टा भवन्ति तर्हि दुर्नयस्वरूपाः । धर्मान्तरोपादानैकान्तप्रतिषेधाकरणात स्वार्थमात्रप्रतिपादनप्रवणा एते सुनयस्वरूपा अथवा स्यात्पदलाञ्छनस्वेष्टविवक्षितैकधर्मावधारणवशात सुनयात्मकाः, तथा स्यात्पदलाञ्छितास्ते एव प्रमाणतां नयन्ति । एवम् ‘अस्त्येव' इत्यादि वाक्यं दुर्नयरूपम्, 'अस्ति स्यादस्त्येव वा' इत्यादि सुनयरूपम्, ‘स्यादस्ति' इत्यादि तु प्रमाणरूपं ज्ञेयम् । _आद्यास्त्रयो मूलभङ्गाः सकलादेशशब्देनोच्यन्ते तथा तेषामेव परस्परयोजनेन भवन्तः शेषाप्टात्वारो भङ्गा विकलादेशशब्देनोच्यन्ते । एते सप्तभङ्गाः परस्पररूपापेक्षया स्वार्थं प्रतिपादयन्तो यथार्था भवन्ति, नान्यथा । अनन्तधर्मात्मकवस्तुन प्रतिपादकानि वचनानि सप्त एव, निमित्ताभावेनाष्टमवचनपरिकल्पनाया असंभवाद् । तज्ज्ञातुकामेन च बृहद्वत्तिरवगाह्या ।।४०।। 2010_02 Page #108 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-३६-४० ६३ छाया: अप. सप्तमीनु २१३५गाथा : अत्यंतरभूएहि य णियएहि य दोहि समयमाईहि । वयणविसेसाईयं दब्बमवत्तव्वयं पडइ ।। ३६ ।। अर्थान्तरभूतैश्च निजकैश्च द्वाभ्यां समकमादिभ्याम् । वचनविशेषातीतं द्रव्यमवक्तव्यकं पतति ।। ३६ ।। अन्वयार्थ : १-दव्वं = द्रव्य अत्यंतरभूएहि य = ५२५यायो 43 (अस), २-णियएहि य = २१५यायो 43 (सत्), तथा 3-आईहि = २३॥ दोहि = ने प्रारी 43 समयं = साथे - युगप६ विवक्षित द्रव्य वयणविसेसाईयं = क्यनविशेषथी सतात. थवाथी अवत्तव्वयं = मतव्यताने पडइ = पामे छे. गाथा : अह देसो सब्भावे देसोऽसब्भावपजवे णियओ । तं दवियमस्थि णत्थि य आएसविसेसियं जम्हा ।। ३७ ।। अथ देशः सद्भावे देशोऽसद्भावपर्यवे नियतः । तद् द्रव्यमस्ति नास्ति च आदेशविशेषितं यस्मात् ।। ३७ ।। अन्वयार्थ : ४-अह = यारे देसो = द्रव्यनो में भासब्भावे = समामा देसो = द्रव्यनो बी मा असब्भावपज्जवे = असहभावपर्यायमा णियओ = नियत डोय, तं दवियं = ते द्रव्य अत्थि णत्थि य = मस्ति-स्ति३५ - जम्हा = ॥२७॥ , आएसविसेसियं = आदेश 43 વિશેષિત થયેલું गाथा: सब्भावे आइट्ठो देसो देसो य उभयहा जस्स । तं अत्थि अवत्तव्वं च होइ दविअं वियप्पवसा ।। ३८ ।। सद्भावे आदिष्टो देशो देशश्च उभयथा यस्य । तद् अस्ति अवक्तव्यं भवति द्रव्यं विकल्पवशात् ।। ३८ ।। छाया : छाया : 2010_02 Page #109 -------------------------------------------------------------------------- ________________ ६४ संमतितर्कप्रकरणे, काण्ड-१, गा-३६-४० अन्वयार्थ : ५-जस्स = द्रव्यनो देसो = मा सम्भावे = सइमामा देसो य = अने भी मा उभयहा = Gमय३५ आइट्ठो = विवक्षित डोय, तं = ते. दवि = द्रव्य वियप्पवसा = वियन वशथी - विक्षन पशथी अत्थि अवत्तव्वं च = अस्ति यतव्य होइ = थाय छे. गाथा: आइट्ठोऽसब्भावे देसो देसो य उभयहा जस्स । तं णत्थि अवत्तव्वं च होइ दवियं वियप्पवसा ।।३९।। आदिष्टोऽसद्भावे देशो देशश्च उभयथा यस्य । तद् नास्ति अवक्तव्यं च भवति द्रव्यं विकल्पवशात् ।।३९ ।। अन्वयार्थ : 5-जस्स = द्रव्यनो देसो = मे मा असब्भावे = असमामा देसो य = अने बी मा उभयहा = GH५३पे आइट्ठो = विवक्षित डोय, तं = ते दवियं = द्रव्य वियप्पवसा = विवान शथी णत्थि अवत्तव्वं च = नास्ति सवतव्य होइ = थाय छे. छाया: गाथा : सब्भावाऽसब्भावे देसो देसो य उभयहा जस्स । तं अस्थि णत्थि अवत्तव्वयं च दवियं वियप्पवसा ।। ४० ।। छाया : सद्भावाऽसद्भावयोः देशो देशश्च उभयथा यस्य । तद् अस्ति नास्ति अवक्तव्यं च द्रव्यं विकल्पवशात् ।। ४० ।। अन्वयार्थ : ७-जस्स = हे द्रव्यनो देसो = मा सब्भावाऽसब्भावे = समामi, श्री मा असहमामा देसो य = अनेत्री Hun उभयहा = 6मय३५ तं = ते दवियं = द्रव्य वियप्पवसा = विवक्षान पशथी अत्थि णत्थि अवत्तव्वयं च = अस्ति नास्ति अव्य. ગાથાર્થ અર્થાતરભૂત પરપર્યાય વડે વિવક્ષિત દ્રવ્ય અસતું બને છે. ભંગ-૧, સ્વપર્યાય વડે વિવક્ષિત દ્રવ્ય સતું બને છે. મંગ-૨, તથા સ્વપર્યાય અને પરપર્યાય એ બંને વડે યુગપદ્ વિવક્ષિત થયેલું દ્રવ્ય વચનવિશેષથી અતીત થવાથી અર્થાત્ વચનપ્રયોગનો વિષય બની શકતું ન હોવાથી અવક્તવ્ય બને છે. मंग-3 (35) 2010_02 Page #110 -------------------------------------------------------------------------- ________________ સંતિત છે, ક્રાહુ-૧, -રૂ૬-૪૦ જ્યારે વસ્તુનો એક દેશ અસ્તિત્વસ્વરૂપ સદ્ભાવપર્યાયમાં નિયત હોય અને એક દેશ નાસ્તિત્વસ્વરૂપ અસદ્ભાવપર્યાયમાં નિયત હોય, ત્યારે તે દ્રવ્ય અસ્તિ – નાસ્તિરૂપ બને છે. કારણ કે તે આદેશથી વિશેષિત થયેલું છે અર્થાત્ તેના એક ભાગમાં સદ્ભાવ પ્રધાનપણે વિવક્ષિત છે અને બીજા ભાગમાં અસદ્ભાવ પ્રધાનપણે વિવક્ષિત છે. ભંગ-૪ (૩૭). જે વસ્તુનો એક ભાગ અસ્તિત્વરૂપે અને એક ભાગ ઉભયરૂપે અર્થાતું અસ્તિત્વ-નાસ્તિત્વરૂપે યુગપપણે વિવક્ષિત છે, તે દ્રવ્ય વિવેક્ષાથી અસ્તિ-અવક્તવ્યરૂપ બને છે. મંગ-પ (૩૮). જેનો એક ભાગ નાસ્તિત્વરૂપે અને એક ભાગ ઉભયરૂપે અર્થાતું અસ્તિત્વ-નાસ્તિત્વરૂપે યુગપપણે વિવલિત છે, તે દ્રવ્ય વિવક્ષાથી નાસ્તિ-અવક્તવ્યરૂપ બને છે. ભંગ-(૩૯) જે દ્રવ્યનો એક ભાગ અસ્તિત્વરૂપે, બીજો ભાગ નાસ્તિત્વરૂપે અને ત્રીજો ભાગ ઉભયરૂપે અર્થાત્ અસ્તિત્વ-નાસ્તિત્વરૂપે યુગપલ્પણે વિવિક્ષિત છે, તે દ્રવ્ય વિવાથી અસ્તિ-નાસ્તિ-અવક્તવ્યરૂપ બને છે. મંગ-૭ (૪૦) તાત્પર્ધાર્થ : અહીં અવતરણિકામાં સપ્તભંગીનું ઉત્થાન જણાવતાં ટીકાકારશ્રીજીએ જણાવ્યું છે કે, દરેક વસ્તુ ભેદભેદ સ્વરૂપ છે. વસ્તુ કાંઈક અંશે સત્ છે તો કાંઈક અંશે અસતું છે, આ રીતે રજૂઆત કરનાર સમ્યગ્વાદી છે અને વસ્તુ એકાંતે સત્ય છે કે એકાંતે અસતું છે ઈત્યાદિ રજૂઆત કરનાર મિથ્યાવાદી છે. આવું જણાવીને હવે દરેક વસ્તુમાં એકાંતઅનેકાંતસ્વરૂપ અંશ રજૂ કરવાથી જે રીતે તે વચન સુનય, દુર્નય અને પ્રમાણરૂપ બને છે તે રીતે વિસ્તારથી રજૂ કરવા માટે સપ્તભંગીનું સ્વરૂપ આ ગાથાઓમાં જણાવે છે, અથવા વસ્તુ જે રીતે વ્યવસ્થિત છે, તે રીતે સાપેક્ષપણે રજૂઆત કરવાથી વક્તાનું વચન નિપુણતાને પામે છે, જ્યારે સાંખ્ય, બૌદ્ધ, વૈશેષિકની જેમ નિરપેક્ષરણે રજૂઆત કરનાર વક્તા જો અરિહંત પરમાત્માના મતને અનુસરનાર હોય તો પણ તેનું વચન યાત્ પદથી રહિત હોવાથી સર્વજ્ઞ નિર્દિષ્ટ સપ્તભંગીને ન પામવાથી અનિપુણતાને પામે છે. ખરેખર, વસ્તુનું યથાવસ્થિત સ્વરૂપ સપ્તભંગી સિવાય જાણી શકાતું નથી. માટે, તે સપ્તભંગી આ ગાથામાં જણાવતાં કહે છે કે, કોઈપણ વસ્તુના એક ધર્મને લઈ ભાવ કે અભાવરૂપે તે વસ્તુનું વાસ્તવિક કથન તે ભંગ. એવા ભંગો મૂળમાં ત્રણ છે; જેને સકલાદેશ કહેવાય છે અને એ ભંગરૂપ વાક્યોના અરસપરસ મિશ્રણથી અને સંચારણથી બીજા ચાર ભાંગા થાય છે, જેને વિકલાદેશ કહેવાય છે. આ જ પદાર્થને ઘટના દૃષ્ટાંતથી જોવામાં આવે તો . ચાતિ ઘટ , ૨. ચાત્રાતિ ઘટ: 2010_02 Page #111 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गा-३६-४० અને રૂ. ચાવવત્તવ્યો ધટ: I આ ત્રણે ભંગો સકલાદેશ સ્વરૂપ છે. જ્યારે ૩. ચાતિ વ નાસ્તિ च घटः, २. स्यादस्ति चावक्तव्यश्च घटः, ३. स्यान्नास्ति चावक्तव्यश्च घटः, ४. स्यादस्ति च नास्ति વિવક્તવ્ય ધટ: | આ ચાર ભંગો વિકલાદેશ સ્વરૂપ છે. આ રીતે વધારેમાં વધારે સાત વાક્યો બને છે. એ જ સાત પ્રકારની વાક્યરચનાને સપ્તભંગી કહેવાય છે. આ જ સાતે ભંગો ચા પદથી રહિત હોય અર્થાત્ “જ' કારના સ્વભાવવાળા હોય તો તેવા પ્રકારના વિષયના અભાવને કારણે તે ભંગો દુર્નય બને છે. વળી જો આ ભંગો અન્યધર્મોનો પ્રતિષેધ ન કરતાં હોય અને પોતાના અર્થનું પ્રતિપાદન કરવામાં કુશળ હોય તો તે જ ભંગો સુનયપણાને પામે છે અથવા થાત્ પદથી યુક્ત હોય અને વિવક્ષિત એક ધર્મમાં અવધારણના સ્વભાવવાળા હોય તો પણ સુનયપણાને પામે છે કારણ કે વ્યવહાર માટે જરૂરી દ્રવ્યના એક ધર્મની વિરક્ષા કરે છે અને તે જ દ્રવ્યના અન્ય ધર્મોનો નિષેધ કરતા નથી તથા સ્થા પદથી યુક્ત હોય તો પ્રમાણ સ્વરૂપ બને છે. આથી ગવ ઈત્યાદિ દુર્નયસ્વરૂપ છે, સ્તિ ઈત્યાદિ અથવા વચ્ચેવ સુનયસ્વરૂપ છે અને સ્થાતિ ઈત્યાદિ પ્રમાણ સ્વરૂપ છે. નિત્ય-અનિત્યધર્મની અપેક્ષાએ આત્માની સુનયની સપ્તભંગી આ મુજબ થાય છે. અપેક્ષા વિશેષે ૧-આત્મા નિત્ય જ છે. ૨-આત્મા અનિત્ય જ છે, ૩-આત્મા અવક્તવ્ય જ છે, ૪આત્મા નિત્ય જ છે તથા અનિત્ય જ છે, પ-આત્મા નિત્ય તથા અવક્તવ્ય જ છે, ક-આત્મા અનિત્ય તથા અવક્તવ્ય જ છે અને ૭-આત્મા નિત્ય-અનિત્ય તથા અવક્તવ્ય જ છે. ૧-આત્મા ગમે તેટલી જુદી જુદી દશાઓ અનુભવે છતાં દ્રવ્યરૂપે આત્મા ક્યારેય નવો ઉત્પન્ન થતો નથી અને તદ્દન નાશ પામતો નથી, તેથી એ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ નિત્ય જ છે. ૨-એ જ રીતે આત્મા દ્રવ્યરૂપે અનાદિ અનંત હોવા છતાં નિમિત્તાનુસાર જુદી જુદી દશાઓ અનુભવે છે, તેથી તે પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ અનિત્ય જ છે. ૩-એક એક દૃષ્ટિ લઈ તેનો વિચાર કરતાં તેને નિત્ય પણ કહી શકાય અને અનિત્ય પણ કહી શકાય. પણ એ બન્ને દૃષ્ટિએ એક જ સાથે તેનું નિરૂપણ કરવું હોય, તો શબ્દ દ્વારા કરવું શક્ય જ નથી; તેથી એ અપેક્ષાએ તેને અવક્તવ્ય જ કહી શકાય. ૪-બન્ને દૃષ્ટિ સાથે લાગુ પાડી ક્રમથી નિરૂપણ કરવું હોય, તો એક અપેક્ષાએ નિત્ય તથા એક અપેક્ષાએ અનિત્ય જ છે. એમ કહી શકાય. પ-એક દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ જુદી લઈને અને બન્ને દૃષ્ટિઓને અક્રમથી એક સાથે લઈને નિરૂપણ કરવું હોય તો નિત્ય તથા અવક્તવ્ય જ કહી શકાય. ૯-એ જ રીતે પર્યાયાર્થિકનયની દૃષ્ટિ જુદી લઈને અને બન્ને દૃષ્ટિઓને અક્રમથી એક સાથે લઈને વિચાર કરતાં અનિત્ય તથા અવક્તવ્ય જ કહી શકાય. ૭-અને દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિને અને પર્યાયાર્થિકનયની દૃષ્ટિને ક્રમથી સાથે લઈને તેમ જ બંને દૃષ્ટિઓ અક્રમથી સાથે લઈને વિચાર કરતાં નિત્ય-અનિત્ય તથા અવક્તવ્ય જ કહી શકાય. 2010_02 Page #112 -------------------------------------------------------------------------- ________________ સંતિતપ્રઝર, TD-૨, માથા-રૂદ્-૪૦ ઉપરના ભંગોમાં જોઈ શકાય છે કે નિત્ય, અનિત્ય અને અવક્તવ્ય એ ત્રણ મુખ્ય ભંગો છે; બાકીનાં ભંગો તો પરસ્પરના મિશ્રણથી થયેલાં છે. તેથી મૂળભૂત ત્રણ ભંગોનું સ્વરૂપ સમજાતાં બાકીના બધા અંગોનું સ્વરૂપ સમજાઈ જાય છે. પહેલો ભંગ આત્મા નિત્યરૂપે હોવાનું વિધાન કરે છે અને બીજોભંગ તેથી ઉલટું એટલે નિત્યરૂપે ન હોવાનું વિધાન કરે છે. આ બન્ને વિધાનો વાસ્તવિક તો જ કહી શકાય કે જો તે પરસ્પર બાધિત ન હોય. તત્ત્વરૂપે આત્માનું નિત્યપણું પૂર્વાપરના અનુસંધાનથી સિદ્ધ છે અને અવસ્થાભેદથી અનિત્યપણું પણ અનુભવસિદ્ધ છે; આ રીતે અપેક્ષાપૂર્વક વિધાન કરવામાં આવે તો આ બંને વિધાનો એકબીજાને બાધા પમાડતા નથી. પણ અપેક્ષાને બાજુએ મૂકીને આત્મા નિત્ય જ છે કે આત્મા અનિત્ય જ છે તેમ કહેવામાં આવે અર્થાત્ સર્વાશે નિત્ય કે અનિત્ય માનવામાં આવે તો તત્ત્વરૂપે અનિત્યપણું અને અવસ્થાભેદે નિત્યપણું માનવું પડે, જે અવાસ્તવિક છે. તેથી નક્કી થાય છે કે અપેક્ષાભેદે કરાયેલા ભંગો જ યથાર્થ છે. આ રીતે એક જ આત્માના વિષયમાં નિત્ય હોવા અને નિત્ય ન હોવાનાં બન્ને વિધાનો પરસ્પર વિરોધી હોવા છતાં અસંદિગ્ધ છે. આ ભાવનું સૂચન કરવા માટે જ દરેક ભંગ સાથે શરૂઆતમાં “અપેક્ષાવિશેષ' અને અંતમાં “જકારનો શબ્દ પ્રયોગ થયેલો છે. તેથી એકંદરે પહેલા ભંગની વાક્યરચના “આત્મા અપેક્ષાવિશેષે નિત્ય જ છે' એવી બને છે. એ જ પ્રમાણે આગળના ભંગોમાં પણ જોડવું. સંસ્કૃતમાં “કથંચિત્' શબ્દ અથવા “સ્માતું' શબ્દ વાપરી થેંચત્રિત્ય ' અથવા “ત્રત્ય વિ' એમ બોલવામાં આવે છે. જુદી જુદી અપેક્ષા વડે વિચાર કરતાં જે જે સ્વરૂપ સિદ્ધ થતું હોય તે સ્વરૂપ યોગ્ય શબ્દથી જણાવી શકાય; પણ એ બધી અપેક્ષાઓ વડે એક સાથે વિચાર કરી એક સાથે જ એક શબ્દ દ્વારા સ્વરૂપ જણાવવું હોય, તો તે માટે જોઈતો શબ્દ ન મળે અને તેથી તે દૃષ્ટિએ “અવક્તવ્ય જ છે' એમ કહેવું પ્રાપ્ત થાય છે. આ જ ત્રીજો ભંગ છે અને તે પોતાની દૃષ્ટિએ વાસ્તવિક જ છે. મનુષ્ય વિષે સુનયની સપ્તભંગી આ પ્રમાણે બને –– અપેક્ષાવિશેષે ૧-મનુષ્ય જ છે, ૨-અમનુષ્ય (દવ વગેરે) જ છે, ૩-અવક્તવ્ય જ છે, ૪-મનુષ્ય તથા અમનુષ્ય જ છે, પ-મનુષ્ય તથા અવક્તવ્ય જ છે, ૬-અમનુષ્ય તથા અવક્તવ્ય જ છે અને ૭-મનુષ્યઅમનુષ્ય તથા અવક્તવ્ય જ છે. મનુષ્યપણું એટલે અમુક ચોક્કસ આકાર અને ગુણધર્મનું હોવું અને બીજા આકાર તથા ગુણધર્મનું ન હોવું. તેથી ફલિત થાય છે કે મનુષ્ય એ સ્વરૂપથી મનુષ્ય છે, પરરૂપથી નહિ; તેમ જ સ્વરૂપ અને પરરૂપથી તેનું અક્રમે અર્થાત્ એક સાથે નિરૂપણ કરવું હોય, તો તેને અવક્તવ્ય જ કહેવો પડે. આ રીતે મનુષ્ય, અમનુષ્ય અને અવક્તવ્ય એ ત્રણ મૂળ ભેગો થતાં જ બાકીના પણ ભંગો બની જાય છે. આ રીતે ઘટ વગેરે દરેક વસ્તુઓમાં સ્વ-પરપર્યાયો વડે સપ્તભંગી બની શકે છે. 2010_02 Page #113 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-४१ આ ગાથાની ટીકામાં સ્વપર્યાય તેમજ પરપર્યાયનું વર્ણન ભિન્ન ભિન્ન ૧૧ પ્રકારે ४२वामां भव्युं छ.४ पै... १३न। ११ ५२म अस्ति, नास्ति भने अवक्तव्य मion घटे છે. જેથી સપ્તભંગી બની શકે છે. જ્યારે અંત્ય પાંચ પ્રકારમાં માત્ર અવક્તવ્ય ભંગ જ ઘટે છે. આ સાત ભંગ પૈકી પ્રથમ ભંગ ત્રણ પ્રકારે, બીજો ભંગ ત્રણ પ્રકારે, ત્રીજો ભંગ દશ પ્રકારે, ચોથો ભંગ દશ પ્રકારે, પાંચમા વગેરે ભંગો એકસો ત્રીશ (૧૩) પ્રકારે પૂ. આચાર્ય શ્રી મલ્લવાદિસૂરીશ્વરજી મહારાજાએ જણાવેલ છે. આ ભંગો બે વગેરે સંયોગોની કલ્પનાથી તો કરોડો થાય છે. વિસ્તારના ભયથી અત્રે જણાવેલ નથી. વિશેષ જિજ્ઞાસુઓએ બૃહદ્ઘત્તિ જોવા ભલામણ. અનંત ધર્માત્મક વસ્તુને જણાવનારા વચનોના સાત જ ભંગો સંભવતા હોવાથી અને તેનાથી અન્ય કલ્પનાનું કોઈ નિમિત્ત ન હોવાને કારણે આઠમા ભંગનો સંભવ નથી. આઠમા ભંગની કલ્પનાનું નિમિત્ત કેમ નથી તે વાત ટીકામાં સુંદર રીતે રજૂ કરવામાં આવી छ. (35-४०) द्रव्यास्तिकपर्यायास्तिकनयावेव सप्तभङ्गानां मूलाधाररूपाविति दर्शयन्नाह - एवं सत्तवियप्पो वयणपहो होइ अत्थपज्जाए । वंजणपज्जाए उण सवियप्पो णिब्बियप्पो य ।।४१।। एवं पूर्वोदितप्रकारेण सप्तविकल्पः सप्तभेदो वचनपथो वचनव्यवहारोऽर्थपर्याये सङ्ग्रहव्यवहार-ऋजुसूत्रलक्षणेऽर्थनये भवति । व्यञ्जनपर्याये पुनः शब्द-समभिरूढ-एवम्भूतलक्षणे शब्दनये सविकल्पः प्रथमभङ्गस्वरूपो निर्विकल्पष्टा द्वितीयभङ्गरूपो वचनव्यवहारः संभवति । अयं वाच्यार्थः-एवं सप्तप्रकारोऽपि वचनमार्गः सङ्ग्रह-व्यवहार-ऋजुसूत्रनयलक्षणेऽर्थनय एव संभवति न तु शब्दनये । शब्द-समभिरूढ-एवम्भूतस्वरूपे शब्दनये तु सविकल्पनिर्विकल्परूपौ प्रथम-द्वितीयौ भङ्गौ संभवतः तदुत्तरं भेदजिज्ञासारूपविकल्पविरहात् । अर्थनयेषु वचनप्रयोगस्याऽर्थवशेनोत्पत्तेः अर्थं च प्रधानतया व्यवस्थापकत्वात्, तत्प्रयोगस्य च परार्थत्वात् सप्तापि भङ्गाः संभवन्ति । शब्दनयेऽवक्तव्यभङ्गो न संभवति, यतः शब्दश्रवणोद्गतश्रोत्रभिप्रायो व्यञ्जननयः, स च शब्दश्रवणादर्थं प्रतिपद्यते न शब्दाश्रवणात्, अवक्तव्यं तुशब्दाभावविषयः । ततोऽवक्तव्यसम्बन्धिनोऽन्ये भङ्गा अपि न संभवन्ति ।।४१ ।। 2010_02 Page #114 -------------------------------------------------------------------------- ________________ સંમતિતરને, ૬-૨, અથા-૪? અવ. સપ્તભંગીનો મૂલાધાર દ્રવ્યાકિનય અને પર્યાયાસ્તિકનય જ છે તે જણાવતાં કહે છે – અથવા સંગ્રહ-વ્યવહાર અને ઋજુસૂત્રસ્વરૂપ અર્થનમાં જ સપ્તભંગી થાય છે તે જણાવતાં કહે છે – गाथा : एवं सत्तवियप्पो वयणपहो होइ अत्थपजाए । वंजणपज्जाए उण सवियप्पो णिवियप्पो य ।। ४१ ।। छाया : एवं सप्तविकल्पो वचनपथो भवति अर्थपर्याये । ___ व्यञ्जनपर्याये पुनः सविकल्पो निर्विकल्पश्च ।। ४१ ।। સર્વાર્થ : પર્વ = આ રીતે સત્તવિવMો = સાત પ્રકારનો વયાપદો = વચનમાર્ગ સ્થપાઈ = અર્થપર્યાયમાં-અર્થનયમાં હોવું = થાય છે. ૩ = વળી, વંન પણ = વ્યંજનપર્યાયમાં - શબ્દનયમાં સવિયuો = સવિકલ્પ ળિત્રિયપણે ય = અને અવિકલ્પરૂપ બે પ્રકારનો વચનમાર્ગ. ગાથાર્થ આ રીતે પૂર્વેની ગાથામાં કહેવાયેલો) સાતે પ્રકારનો વચનમાર્ગ સંગ્રહ, વ્યવહાર અને ઋજુ સૂત્રસ્વરૂપ અર્થનમાં થાય છે અને શબ્દનયમાં તો સવિકલ્પ તથા નિર્વિકલ્પ એમ બે પ્રકારનો વચનમાર્ગ થાય છે. (૪૧) તાત્પર્યાર્થઃ પર્યાય એટલે ભેદ અથવા વિશેષ. કોઈપણ ભેદ અમુક પ્રકારના દેશ, કાળ કે સ્વરૂપથી પરિમિત હોય છે અર્થાત્ તે ભેદ અમુક સ્વરૂપને ધારણ કરે છે અને બીજા સ્વરૂપોથી શૂન્ય હોય છે. એ રીતે ભેદમાં અમુક સ્વરૂપે અસ્તિત્વ અને બીજા સ્વરૂપે નાસ્તિત્વ સિદ્ધ થાય છે. એ જ અસ્તિત્વ અને નાસ્તિત્વને લીધે ક્યારેક તે અસ્તિ તો ક્યારેક તે નાસ્તિ શબ્દથી વ્યવહાર પામે છે; અને તેનું એ અસ્તિત્વ અને નાસ્તિત્વ અક્રમથી – એક સાથે ન કહી શકાવાને લીધે એ ભેદ અવક્તવ્ય પણ છે. તે રીતે અસ્તિ, નાસ્તિ અને અવક્તવ્ય એ ત્રણ ભંગ પર્યાયમાં સિદ્ધ થતાં, બાકીના ચાર ભંગ પણ સિદ્ધ થઈ જાય છે. આ સાતે ભાંગા અર્થપર્યાયોમાં અર્થાતુ અર્થનયોમાં સમજવા. સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્રસ્વરૂપ અર્થનમાં સાતે ભાંગા ઘટે છે. તે આ રીતેસામાન્યગ્રાહી સંગ્રહનયમાં પ્રથમ ભાંગો, વિશેષગ્રાહી વ્યવહારનયમાં બીજો ભાંગો, વર્તમાન પર્યાયગ્રાહી ઋજુસૂત્રનયમાં ત્રીજો ભાગો, સંગ્રહનય અને વ્યવહારનયમાં ચોથો ભાંગો, સંગ્રહનય અને ઋજુ સૂત્રનયમાં પાંચમો ભાંગો, વ્યવહારનય અને ઋજુસૂત્રનયમાં છઠ્ઠો ભાંગો તથા સંગ્રહન-વ્યવહારનય અને ઋજુસૂત્રનયમાં સાતમો ભાંગો ઘટે છે. 2010_02 Page #115 -------------------------------------------------------------------------- ________________ ૭૦ સંમતિપ્રર, ઇન્દુ-૨, કથા-૪૨ શબ્દનયસ્વરૂપ વ્યંજનપર્યાયમાં સવિકલ્પ વચનમાર્ગ છે. કેમ કે ભિન્ન ભિન્ન પર્યાયથી વાચ્ય વિકલ્પ હોવા છતાં પણ તેનો અર્થ એક છે તથા સમભિરૂઢ અને એવંભૂત સ્વરૂપ વ્યંજનપર્યાયમાં નિર્વિકલ્પ વચનમાર્ગ છે. કેમ કે સામાન્યસ્વરૂપ દ્રવ્યથી રહિત પર્યાયને કહેનાર છે. સમભિરૂઢનય પર્યાયભેદથી ભિન્ન અર્થને કહે છે અને એવંભૂતનય વિવક્ષિત ક્રિયા તેમાં વર્તતી હોય તો જ તે અર્થને સ્વીકારે છે, તેથી લિંગ, સંજ્ઞા અને ક્રિયાના ભેદથી ભિન્ન એવો અર્થ એક શબ્દથી અવાચ્ય છે. હવે તર્કપંચાનનશ્રીએ વૃત્તિમાં અથવાથી કહ્યું કે આગળ કહેલા સ્વરૂપવાળી સપ્તભંગી સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર સ્વરૂપ જ અર્થનમાં થાય છે તેનો તાત્પર્ય અર્થ જણાવે છે કે, અર્થનમાં જ સાત ભાંગા ઘટે છે. સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્રનય અર્થપ્રધાન છે, અર્થના કારણે તે નયોનું જ્ઞાન થાય છે. આ નયોના જ્ઞાનની ઉત્પત્તિમાં અર્થની મુખ્યતા હોવાથી શબ્દ ગૌણરૂપે છે. શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનય શબ્દપ્રધાન છે. શબ્દના કારણે તે નયોનું જ્ઞાન થાય છે. આ નયના જ્ઞાનની ઉત્પત્તિમાં અર્થ કારણભૂત ન હોવાથી ગૌણ છે. શબ્દ સાંભળવાથી શ્રોતાને બોધ થતો હોવાથી આ ત્રણે નયને શબ્દનય કહેવાય છે. ત્યાં વચનમાર્ગ બે પ્રકારના છે. (૧) સવિકલ્પ (૨) નિર્વિકલ્પ. સવિકલ્પ–સામાન્ય અને નિર્વિકલ્પ=પર્યાય. શબ્દનય સંજ્ઞાભેદ હોવા છતાં અનેક શબ્દોને અભિન્ન માને છે તથા સમભિરૂઢનય ક્રિયા ભેદ હોવા છતાં એક શબ્દને અભિન્ન માને છે. તેથી આ બંને નયના વચન સવિકલ્પ વચનમાર્ગરૂપ છે જે પ્રથમભંગ સ્વરૂપ છે. વળી, એવંભૂતનય ક્રિયાભેદથી એક જ શબ્દને પણ ભિન્ન કહે છે માટે તે નયનું વચન નિર્વિકલ્પવચનમાર્ગરૂપ છે જે દ્વિતીયભંગ સ્વરૂપ છે. અવક્તવ્યભંગ વ્યંજનનયમાં સંભવતો નથી કારણ કે, શ્રોતાના અભિપ્રાય-સ્વરૂપ વ્યંજનનય છે, જે શબ્દના શ્રવણથી અર્થ સ્વીકારે છે. શબ્દના શ્રવણ વગર નહિ. અવક્તવ્યભંગ શબ્દનો વિષય ન બનતો હોવાથી વ્યંજનપર્યાયમાં ત્રીજો ભંગ સંભવતો નથી તથા અવકતવ્ય સહિતના પાંચમા, છઠ્ઠા અને સાતમાં ભંગો પણ સંભવતા નથી. તપંચાનનશ્રીએ વૃત્તિમાં પ્રથમ અર્થ કર્યો તેનાથી વ્યંજનપર્યાયરૂપ શબ્દનયમાં સવિકલ્પરૂપ પ્રથમભાંગી ઘટે છે અને વ્યંજનપર્યાયરૂપ સમભિરૂઢ અને એવંભૂતનયમાં નિર્વિકલ્પરૂપ બીજો ભાંગો ઘટે છે. ‘અથવા' થી કહેલ કથનના તાત્પર્યમાં વ્યંજનપર્યાયરૂપ શબ્દનય અને સમભિરૂઢનયમાં સવિકલ્પરૂપ પ્રથમભાંગો ઘટે છે અને વ્યંજનપર્યાયરૂપ એવંભૂતનયમાં નિર્વિકલ્પરૂપ બીજો ભાંગો ઘટે છે. આ રીતે બંને અર્થ મુજબ વ્યંજનપર્યાયમાં સવિકલ્પ અને નિર્વિકલ્પરૂપ પ્રથમ અને બીજો ભાંગો ઘટે છે. (૪૧) 2010_02 Page #116 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-४२ केवलपर्यायार्थिकनयस्य प्ररूपणा न पूर्णेति प्ररूपयन्नाह - जह दवियमप्पियं तं तहेव अस्थि त्ति पज्जवणयस्स । ण य स समयपनवणा पज्जवणयमेत्तपडिपुण्णा ।।४२।। यथा येन प्रकारेण यद् द्रव्यमर्पितं प्रतिपादयितुमभीष्टं तद् द्रव्यं तथैवास्ति तत्प्रकारकमेव, नान्यथा इति पर्यवनयस्य पर्यायार्थिकनयस्याभिप्रायः । स च पर्यायार्थिकनयाभिप्रायः समयप्रज्ञापना समयोऽर्थस्तस्य प्ररूपणा पर्यायनयमात्रप्रतिपूर्णा द्रव्यनयनिरपेक्षे केवलपर्यायार्थिकनये पूर्णता न सम्पद्यते । इदमधिगम्यम् - द्रव्यास्तिक-पर्यायास्तिकनययोः प्ररूपणा यदि परस्परनिरपेक्षा तर्हि सा न प्रमाणतामेति । अस्यां गाथायां केवलपर्यायास्तिकनयस्य प्ररूपणां दर्शयन्नाह - 'यद् द्रव्यं वर्तमानक्षणसंबन्धित्वप्रकारेण कथयितुमभीष्टं तद् द्रव्यं वर्तमानक्षणसंबन्धित्वप्रकारेणैव सत्स्वरूपतां बिभर्ति न त्वतीतानागतक्षणसंबन्धित्वेन' । पर्यायास्तिकनयस्येयं प्ररूपणा द्रव्यनयनिरपेक्षात् पूर्णतां नाप्नोति ।।४२ ।। छाया: અવ. કેવલ પર્યાયાર્થિકનયની દેશના એ પૂર્ણ નથી એવું કથનगाथा : जह दवियमप्पियं तं तहेव अत्थि त्ति पज्जवणयस्स । ण य स समयपन्नवणा पजवणयमेत्तपडिपुण्णा ।। ४२ ।। यथा द्रव्यमर्पितं तत् तथैव अस्ति इति पर्यवनयस्य । न च स समयप्रज्ञापना पर्यवनयमात्रप्रतिपूर्णा ।। ४२ ।। अन्वयार्थ : जह = हे शत दवियं = द्रव्य अप्पियं = अर्पित अर्थात् ४ माटे 5ष्ट डोय, तं = ते (द्रव्य) तहेव = ते प्रा३ ४ अत्थि त्ति = छ में प्रायो पज्जवणयस्स = पायनयनी ५३५५u. य स = अने ते समयपनवणा = अर्थप्र३५९॥ ण पज्जवणयमेत्तपडिपुण्णा = मात्र પર્યાયવયમાં પૂર્ણતા પામી શકતી નથી. ગાથાર્થ જે દ્રવ્ય જે પ્રકારે જણાવવા માટે ઈષ્ટ હોય, તે દ્રવ્ય તેવું જ છે – એ પર્યાયાર્થિકનયની દેશના છે, પણ જો તે અર્થપ્રરૂપણા દ્રવ્યનયથી નિરપેક્ષ માત્ર પર્યાયનલમાં પૂર્ણતા પામી શકતી નથી. (૪૨) 2010_02 Page #117 -------------------------------------------------------------------------- ________________ ७२ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-४३ તાત્પર્યાર્થ : પરસ્પરના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર પ્રવૃત્ત થયેલા સંગ્રહ વગેરે નયો વાસ્તવિક અર્થને જણાવનારા છે. તે વાત જણાવ્યા બાદ હવે જો અન્યથા સ્વીકારવામાં આવે અર્થાત્ સંગ્રહ વગેરે નયો જો પરસ્પરના ત્યાગપૂર્વક પ્રવૃત્ત થાય તો પ્રત્યક્ષથી જ વિરોધ આવતો હોવાથી તે નયોનો અભાવ પ્રાપ્ત થાય છે. તે બતાવવા સૌ પ્રથમ આ ગાથામાં દ્રવ્યનયનિરપેક્ષ પર્યાયનયની દેશના બતાવીને તે દેશના સમ્યગુ પ્રકારે અર્થને જણાવવામાં સમર્થ બની શકતી નથી એ વાત જણાવી છે. પર્યાયાર્થિકનય ઇંદ્રિયગોચર પ્રત્યક્ષરૂપને જ સ્વીકારે છે. તેની દૃષ્ટિએ ત્રણે કાળમાં સ્થાયી એવું કોઈ તત્ત્વ નથી. એ ફક્ત વર્તમાનકાળમાં દેખાતાં સ્વરૂપને જ માનતો હોવાથી, તેની દૃષ્ટિમાં અતીત અને અનાગતના સંબંધ વિનાની ફક્ત વર્તમાન વસ્તુ સત્ય છે; તેને મતે દરેક ક્ષણે વસ્તુ જુદી જુદી છે. તેમાં કોઈ અન્વયી તત્ત્વ નથી. અવધારણપૂર્વક રજૂ કરાયેલ પર્યાયનય પ્રત્યક્ષથી બાધ પામતો હોવાથી માત્ર પર્યાયનયની પ્રરૂપણા એ સમ્યગુ અર્થની પ્રરૂપણાસ્વરૂપ નથી. (૪૨) केवलद्रव्यार्थिकनयस्य प्ररूपणाऽपि न पूर्णेति दर्शयितुं प्रथमं तस्याभिप्रायमाह - पडिपुण्णजोव्वणगुणो जह लज्जइ बालभावचरिएण । कुणइ य गुणपणिहाणं अणागयसुहोवहाणत्थं ।।४।। प्रतिपूर्णयौवनगुणः प्राप्तयौवनगुणः पुरुषो यथा बालभावचरितेन बाल्यकालेऽनुष्ठितायोग्याचरणस्मरणाद् लज्जते, ततो भूत-वर्तमानयोरेकत्वमवसीयते । करोति च यथा अनागतसुखोपधानार्थं भविष्यकालसम्बन्धिनः सुखस्य प्राप्त्यर्थं गुणप्रणिधानमुत्साहादिषु गुणेष्वैकाग्र्यं ततो भविष्य-वर्तमानयोरेकत्वं ज्ञायते । इदं प्ररूप्यम् - द्रव्यार्थिकनयस्त्रैकालिकध्रुवतत्त्वं स्वीकुर्वते, अभेदस्पर्शित्वात् । त्रिकालसम्बन्धिभेदानगृह्णन् तत्र यदभेदतत्त्वं तदेव गृह्णाति । यथा यौवनस्थः पुरुषो गतबालकालेन तथा आगमिष्यद्वार्द्धक्यकालेन सह स्वसम्बन्धं युनक्ति, न तु केवलं वर्तमानक्षणेन । यदि च स पूर्वस्मिन् भाविनि वा काले नैवाभविष्यत्तर्हि तस्य सम्बन्धः कथं घटेत् ? तस्मात् पुरुष . एव ध्रुवतत्त्वं स्वीकरणीयम् ।।४३ ।। 2010_02 Page #118 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-४३ છવિ : અવ. કેવલ દ્રવ્યાર્થિકનયની દેશનાનું જે વક્તવ્ય છે, તેનું યુક્તિ વડે કથનगाथा : पडिपुण्णजोब्बणगुणो जह लजइ बालभावचरिएण । कुणइ य गुणपणिहाणं अणागयसुहोवहाणत्थं ।। ४३ ।। प्रतिपूर्णयौवनगुणो यथा लज्जते बालभावचरितेन । करोति च गुणप्रणिधानमनागतसुखोपधानार्थम् ।। ४३ ।। અન્યથાર્થ : હિપુJUIનોવ્યાકુળ = પ્રાપ્ત થયેલા યોવન ગુણવાળો (પુરુષ) નદ = જેમ વામાવરિપUT = બાલપણાના આચરણ વડે રબ્બરૂ = શરમાય છે. ય = અને મ સુદ વડાપબ્લ્યુિ = ભવિષ્યના સુખ મેળવવા માટે ગુગળાઈ = ગુણોમાં પ્રણિધાન ૩v$ = કરે છે. ગાથાર્થ : જેમ યૌવન અવસ્થાને પ્રાપ્ત થયેલો પુરુષ બાલપણાની ચેષ્ટા વડે શરમાય છે (તેથી ભૂતકાળ અને વર્તમાનકાળમાં એકત્વ જણાય છે.), તેવી જ રીતે તે પુરુષ ભાવિ સુખ મેળવવા માટે ઉત્સાહ વગેરે ગુણોમાં પ્રણિધાન કરે છે. (તેથી ભવિષ્યકાળ અને વર્તમાનકાળમાં એકત્વ જણાય છે.) (૪૩) તાત્પર્યાર્થઃ દ્રવ્યાર્થિકનય ત્રણે કાળમાં સ્થાયી એવા એક ધ્રુવ તત્ત્વને જ જુએ છે, તેથી તેની દૃષ્ટિમાં સૈકાલિક ભેદો જેવી કાંઈ વસ્તુ જ નથી. આ સૈકાલિક સ્થાયી તત્ત્વને સિદ્ધ કરવા દ્રવ્યાર્થિકનય યુક્તિ આપીને કહે છે કે, જ્યારે કોઈ પુરુષ યુવાન થાય છે અને ગુણદોષની પરીક્ષા કરવા જેટલી બુદ્ધિ કેળવાય છે ત્યારે તેને પોતાની બાલ અવસ્થાની ભૂલો યાદ આવે છે અને તેથી તે શરમાય છે; એ જ રીતે તેનો વિવેક તેને ભાવિ સુખ મેળવવા માટે ગુણો કેળવવા પ્રેરે છે. આ રીતે યૌવનવયમાં ભૂતકાળના દોષસ્મરણથી થતી ગ્લાનિ અને ભાવિ સુખની આશામાંથી ઉત્પન્ન થતું ગુણપ્રાપ્તિનું પ્રણિધાન એ બન્ને યૌવનવયવર્તમાન પુરુષનો ભૂત અને ભવિષ્ય સાથે સંબંધ જોડે છે; કારણ કે જો તે પહેલાં ન હોય અને તેણે ભૂલ ન કરી હોત તો આજે શાને શરમાય ? અને જો તે ભાવિમાં રહેવાનો ન જ હોય તો કોના સુખ માટે અત્યારે તે સાધન મેળવવા ઈચ્છે ? તેથી પુરુષ એ ધ્રુવતત્ત્વ જ છે. એ રીતે પ્રથમ દેશના (ગાથા-૪૨માં બતાવેલ) ભેદસ્પર્શી હોવાથી માત્ર ભિન્ન ભિન્ન બાલ્ય, યૌવન વગેરે ભાવોને સત્ય માને છે, અને આ ગાથામાં જણાવેલ બીજી દેશના અભેદસ્પર્શી હોવાથી સૈકાલિક ધ્રુવ અંશને સત્ય માને છે. આ બન્ને દેશના પોતપોતાના સ્થાનમાં સમર્થ હોવા છતાં પરસ્પર નિરપેક્ષ હોય તો અધૂરી જ છે, તેથી તે તત્ત્વની પ્રરૂપણામાં સ્થાન પામી શકતી નથી. (૪૩) 2010_02 Page #119 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-४४-४६ अधुना केवलद्रव्यास्तिकनयस्य प्ररूपणाऽपि न सम्यगिति दर्शयन्नाह - ण य होइ जोव्वणत्थो बालो अण्णो वि लज्जइ ण तेण । ण वि य अणागयवयगुणपसाहणं जुज्जइ विभत्ते ।।४४।। न च भवति यौवनस्थः पुरुषो बालः किन्तु कथञ्चित्ततो भिन्न एव, बालावस्थात्यागं विना यौवनावस्थाया अभावात् । अन्योऽपि यदि तयोरेकान्तभेद एव स्यात्तर्हि न लज्जते बालचरितेन, तेन यौवनस्थः पुरुषः कथञ्चिष्टालादभिन्नोऽपि । विभक्ते अत्राऽकारप्रश्लेषादविभक्ते यौवनवृद्धावस्थयोरेकान्ताभेदे मन्यमाने सति नाऽपि च अनागतवयोगुणप्रसाधनमनागतवृद्धावस्थायां सुखप्राप्त्यर्थमुत्साहादिरपि युज्यते, अविचलितस्वरूपत्वात् । अयं तात्पर्यार्थः - द्रव्यास्तिकनयोऽभेदं गृह्णाति न तु भेदम् । पुरुषरूपेणैव तत्त्वं स्वीकरोति न तु बाल-यौवनादिरूपेण । तन्न सम्यग्, यतोऽभेदे 'अयमिदानीं युवा न बाल:, अयमिदानीं वृद्धो न युवा' इत्यादि कथञ्चिद्भेदव्यहारप्रतिभासस्य बाधितत्वात् । किञ्च पूर्वावस्थात्यागेनैवोत्तरावस्थायाः स्वीकारादभेदे मन्यमाने युवावस्थापरिग्रहोऽपि न घटते । तस्मान केवलं भेदरूपं तत्त्वं नापि केवलाभेदरूपम्, किन्तु भेदाभेदरूपम्, अन्यथा सकलव्यवहारोच्छेदप्रसङ्गः । कथञ्चिद् भेदाद् बाल-यौवनाद्यवस्थाः तथा कथञ्चिदभेदाद् बालचरितेन लज्जा अनागतसुखाय चोत्साहादयो घटन्ते ।।४४ ।। पुरुषवस्तुनि बाह्यप्रत्यक्षेणाऽपि भेदाभेदसंबन्धं कथयन्नाह - जाइ-कुल-रूव-लक्खण-सण्णा-संबंधओ अहिगयस्स । बालाइभावदिट्ठविगयस्स जह तस्स संबंधो ॥४५।। जातिकुलरूपलक्षणसंज्ञासम्बन्धतो जातिः पुरुषत्वादिका, कुलं पितृजन्यम्, रूपं चक्षुर्ग्राह्यत्वलक्षणम्, लक्षणं तिलकादि सुखादिसूचकम्, संज्ञा प्रतिनियतशब्दाभिधेयत्वम् सम्बन्धो जन्यजनकभावः एभिः अधिगतस्याभेदावभासविषयस्य बालादिभावदृष्टविगतस्य दृष्टैर्बालादिभावैरुत्पादविगमात्मकस्य तथाभेदप्रतीतेस्तस्य पुरुषस्य यथा सम्बन्ध उक्तप्रकारेण भेदाभेदरूपो बाह्यप्रत्यक्षेण घटते । 2010_02 Page #120 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड - १, गाथा- ४४-४६ इदं योज्यम् जन्मत आरभ्य मरणपर्यन्ताऽवस्थायिभिर्जाति-कुल-रूप-लक्षण-संज्ञासम्बन्धादिभिः पुरुषोऽभिन्नो ज्ञायते तथा बालयौवनादिपर्यायैरुत्पादविगमात्मकः पुरुषो भिन्नो ज्ञायते । तस्मात् पुरुषो भेदाभेदात्मकः । ।४५ ।। आध्यात्मिकाध्यक्षतोऽपि भेदाभेदप्रतीतेस्तद्वस्तु भेदाभेदरूपमिति दृष्टान्तदाष्टन्तिकयोजनां प्रतिपादयन्नाह - - तेहिं अतीताणागयदोसगुणदुगंछणऽब्भुवगमेहिं । तह बंध - मोक्ख - सुह - दुक्खपत्थणा होइ जीवस्स ||४६ || भूतकालसम्बन्धिनां ताभ्यामतीतानागतदोषगुणदुर्गञ्छनाऽभ्युपगमाभ्यां दोषाणां जुगुप्सया भविष्यकालसम्बन्धिनां च सुखानां स्वीकारेण यथा भेदाभेदात्मकस्य दृष्टान्तस्य पुरुषत्वस्य सिद्धिस्तथा बन्ध-मोक्ष- सुख-दुःखप्रार्थना कर्मबन्ध-कृत्स्नकर्मक्षयरूपमोक्ष-सुखप्राप्ति-दुःखत्यागप्रार्थनादयो जीवस्य भेदाभेदात्मकस्यैव जीवद्रव्यस्य भवति । इदं तात्पर्यम् - दृष्टान्तः पुरुषस्तथा दान्तिको जीवः । येन प्रकारेण बालभावदोषाणां जुगुप्सया तथा भाविकालसम्बन्धिसुखस्वीकारेण भिन्नाभिन्नरूपस्य पुरुषतत्त्वस्य सिद्धिर्दर्शित तेनैव प्रकारेण भिन्नाभिन्नस्वरूपस्यैव जीवस्य बन्ध-मोक्षादयो घटन्त इति गाथा सप्तदशतर्विंशतिमध्ये उक्तप्रायः । । ४६ ।। छाया : અવ. કેવલ દ્રવ્યાસ્તિકનયની પ્રરૂપણા પણ યથાવસ્થિતસ્વરૂપને જણાવી શકતી નથી. તે સિદ્ધ કરી વસ્તુ ભેદાભેદ સ્વરૂપ છે તે જણાવતાં કહે છે . गाथा : ७५ णय होइ जोव्वणत्थो बालो अण्णो वि लज्जइ ण तेण । ण वि य अणागयवयगुणपसाहणं जुज्जइ विभत्ते ।। ४४ ।। 2010_02 न च भवति यौवनस्थो बालोऽन्योऽपि लज्जते न तेन । नापि चानागतवयोगुणप्रसाधनं युज्यते विभक्ते ।। ४४ ।। अन्वयार्थ : य = अने जोव्वणत्थो = यौवनवयमां वर्ततो पुरुष बालो = जाण न होइ = नथी. (पए। जाजडथी भिन्न छे.) अण्णोऽवि = भिन्न ४ होय. तो लज्जइ ण = सभ्भ न पाये तेण = तेथी, अभिन्न छे. वि य = Page #121 -------------------------------------------------------------------------- ________________ ७६ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-४४-४६ छाया: अने वणी, विभत्ते = मेह भानवाथी अणागयवयगुणपसाहणं = भावि भ२मा सुन भेगा भाटे Grils ३ ण जुज्जइ = न घटे. गाथा : जाइ-कुल-रूव-लक्खण-सण्णा-संबंधओ अहिगयस्स । बालाइभावदिट्ठविगयस्स जह तस्स संबंधो ।। ४५ ।। जाति-कुल-रूप-लक्षण-संज्ञा-सम्बन्धतोऽधिगतस्य । बालादिभावदृष्टविगतस्य यथा तस्य सम्बन्धः ।। ४५ ।। अन्वयार्थ : जाइ-कुल-रूव-लक्खण-सण्णा-संबंधओ = ति, कुस, ३५, MR भने संuru संधथी अहिगयस्स = अभिन्नपuने पामेल (ता) बालाइ-भावदिट्ठविगयस्स = हेपायेद पाल को अवस्थामा 43 भेदभावने पार तस्स = ते पुरुषनो जह = से शत संबंधो = (महामे६२१३५) संग घटे छे. गाथा: तेहिं अतीताणागयदोसगुणदुगुंछणऽन्भुवगमेहिं । तह बंध-मोक्ख-सुह-दुक्खपत्थणा होइ जीवस्स ।। ४६ ।। ताभ्यामतीतानागतदोषगुणदुर्गञ्छनाऽभ्युपगमाभ्याम् । तथा बन्ध-मोक्ष-सुख-दुःखप्रार्थना भवति जीवस्य ।। ४६ ।। अन्वयार्थ : तेहिं = ते 3 अतीताणागयदोसगुणदुगुंछणऽब्भुवगमेहिं = ભૂતકાળના દોષની નિંદા અને ભાવિગુણના સ્વીકાર વડે (ભેદભેદ २१३५ पुरुषनी सिद्धि थाय छ), तह = ते शत. बंध-मोक्ख-सुहदुक्खपत्थणा = ध, मोक्ष, सु५ (प्राप्तिनी) भने दु:मभुजितनी प्रार्थन। जीवस्स = ( मे २१३५) वने होइ = घटे छ. ગાથાર્થ યૌવનવયમાં વર્તતો પુરુષ બાળક નથી પણ ભિન્ન છે અને માત્ર ભિન્ન જ હોય તો (બાલ્ય વયમાં થયેલી ભૂલો માટે) લજ્જા ન પામે તેથી અભિન્ન પણ છે. વળી, જો માત્ર ભિન્ન માનવામાં આવે તો ભવિષ્યની વૃદ્ધાવસ્થામાં સુખ મેળવવા માટે ઉત્સાહ, પ્રયત્ન વગેરે ઘટી શકે નહિ, માટે અભિન્ન છે. छाया: અથવા 2010_02 Page #122 -------------------------------------------------------------------------- ________________ સંમતિતńપ્રરત્ને, જાણ્ડ-૧, ગાથા-૪૪-૪૬ મૂળગાથામાં વિમત્તે ના સ્થાને વિમત્તે ક૨વાથી ઉત્તરાર્ધનો અર્થ આ મુજબ થાય કે, જો માત્ર અભિન્ન માનવામાં આવે તો અવિચલિતસ્વરૂપ હોવાથી ભવિષ્યની વૃદ્ધાવસ્થા માટે સુખ મેળવવાનો પ્રયત્ન ઘટી શકે નહિ, માટે ભિન્ન પણ છે. (૪૪) જાતિ-કુળ-રૂપ-લક્ષણ અને નામ વડે જે સંબંધ છે તેને આશ્રયીને અભેદભાવને પામેલ અને દેખાયેલી બાલ વગેરે અવસ્થાઓ વડે ઉત્પાદ અને નાશસ્વરૂપ ભેદભાવને પામેલ તે પુરુષનો જે રીતે (ઉપર કહ્યા મુજબ) ભેદાભેદસ્વરૂપ સંબંધ ઘટે છે; (૪૫) અને જે રીતે તે ભૂતકાળના દોષોની જુગુપ્સા અને ભવિષ્યકાળના સુખના સ્વીકાર વડે ભેદાભેદસ્વરૂપ પુરુષ સિદ્ધ થાય છે, તે રીતે બંધ, મોક્ષ, સુખપ્રાપ્તિની અને દુઃખપરિહારની પ્રાર્થના (પણ) ભેદાભેદસ્વરૂપ જીવદ્રવ્યને જ ઘટે છે. (૪૬) તાત્પર્યાર્થ : અહીં પુરુષમાં ભેદાભેદ સિદ્ધ ક૨વામાં આવ્યો છે. એમાં બાળક અને યુવક વચ્ચેનો તથા યુવક અને વૃદ્ધ વચ્ચેનો ભેદ સ્પષ્ટ છે. એ ભેદ હોવા છતાં જો ભૂતકાલીન બાલ્યાવસ્થા અને વર્તમાન યુવાવસ્થા વચ્ચે એક અન્વયી તત્ત્વ ન હોય, અથવા વર્તમાન યુવાવસ્થા અને ભાવિ વૃદ્ધાવસ્થા વચ્ચે એક તત્ત્વ ન હોય, તો ભૂતકાળના દોષસ્મરણથી યુવાનીમાં જે શ૨મ ઉત્પન્ન થાય તે, અને યુવાનીમાં ભાવિ સુખ માટે જે પ્રયત્ન દેખાય છે તે, કદી ન જ ઘટે; તેથી પુરુષ એ ભેદાભેદ ઉભયરૂપ છે, પણ જો જીવ તત્ત્વમાં ભેદાભેદ સ્વીકારવામાં ન આવે તો દરેક પ્રકારના વ્યવહારના ઉચ્છેદનો પ્રસંગ આવી જશે. જન્મ સમયે પુરુષના જે જાતિ, કુળ, રૂપ, લક્ષણ નામ, સંબંધ વગેરે હોય છે, તે મરણ સુધી અનુસરે છે. માટે તેના સંબંધથી પુરુષ પણ અભિન્નરૂપ સિદ્ધ થાય છે. તે જ રીતે બાહ્યયૌવન આદિ અવસ્થાઓ જે એક પછી એક આવી આવીને ચાલી જાય છે, તે પુરુષને ભિન્નરૂપે સિદ્ધ કરે છે. આ ભેદાભેદસ્વરૂપ પુરુષનો સંબંધ બાહ્ય ઈન્દ્રિયોથી ગ્રાહ્ય થઈ શકે છે. વળી તેમ આંતરિકભાવો પણ પુરુષના ભેદાભેદભાવને સિદ્ધ કરે છે. ભૂતકાળના દોષોની જુગુપ્સા તથા ભવિષ્યકાળના ગુણને માટે જે ઉત્સાહ, પ્રયત્ન વગેરે જોવા મળે છે તે પણ પુરુષને ભેદાભેદસ્વરૂપે સિદ્ધ કરે છે. પુરુષના દૃષ્ટાંત વડે દાાઁતિક એવા જીવમાં ભેદાભેદ દ્વારા જ બંધ-મોક્ષ વગેરેની સિદ્ધિ કરતાં કહે છે કે, જેમ પુરુષ ભિન્નાભિન્ન હોય તો જ તેના ઉક્ત બાહ્ય અને આંતરિક બધા ભાવોની સંગતિ થઈ શકે, તેવી રીતે જીવતત્ત્વને ભિન્નાભિન્ન માનવાથી જ તેનામાં બંધ અને મોક્ષ ઘટાવી શકાય; તેમ જ તેનામાં દેખાતી દુ:ખમુક્તિની અને સુખપ્રાપ્તિની ઈચ્છા તથા પ્રવૃત્તિ પણ ઘટાવી શકાય. તેથી, મનુષ્યની જેમ આત્મતત્ત્વને પણ એકાંતે ભિન્ન કે એકાંતે અભિન્ન ન કહેતાં ભિન્નાભિન્નરૂપે કહેવું યોગ્ય છે. આ ગાથાની ટીકામાં તર્કપંચાનશ્રીજીએ ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ જીવદ્રવ્ય અનાદિઅનંત છે', તે વાતને વિસ્તારપૂર્વક સિદ્ધ કરી છે. (૪૪-૪૬) ७७ . 2010_02 Page #123 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड - १, गाथा ४७-४८ दुग्ध-जलदृष्टान्तेन जीवकर्मणोरविभागकथनपूर्वकं जीवकर्मणोरपि परस्परप्रवेशपुरस्सरं भेदाभेदभावे येन प्रकारेण तयोरभेदत्वं तद् दर्शयन्नाह - अण्णोण्णाणुगयाणं 'इमं व तं व' त्ति विभयणमजुत्तं । जह दुद्ध - पाणियाणं जावंत विसेसपज्जाया ।। ४७ ।। ७८ यथा दुग्ध-पानीययोः परस्परप्रदेशानुप्रविष्टयोर्विभजनमयुक्तं तथा अन्योन्यानुगतयोः परस्परप्रदेशानुस्यूतयोर्जीव-कर्मणोः 'इदं वा तद् वा' इति 'इदं कर्म अयमात्मा' इति यद् विभजनं तदयुक्तं तदघटमानकं तयोः पृथक्कर्त्तुमशक्यत्वात् । ततो जीवकर्मणोरभिन्नत्वम् । अयं च जीवकर्मणोरविभागो यावन्तो विशेषपर्यायास्तावान् ज्ञेयः । इदं भाव्यम् - यथा दुग्धं जलं चैकाकीभावमाप्नोति तत्र च ' इदं दुग्धम् इदं जलमिति विभजनं कर्तुं न शक्यम्, तथा प्रतिप्रदेशं जीवकर्मणोरनुस्यूतत्वाद् 'अयं जीव इदं च कर्म' इति विभजनमघटमानकम् । अन्त्यविशेषपर्यन्ता यावन्तो विशेषपर्यायास्तेष्वयं विभागः कर्तुमशक्यं ज्ञेयम्, अर्थात्ते पर्याया उभयेषां ज्ञेयाः, न तु प्रतिनियतस्य ।। ४७ ।। जीवकर्मणोरन्योन्यानुप्रवेशे तदाश्रितज्ञानादि-रूपादीनामपि परस्परनुप्रवेशं वर्णयन्नाह रूआइपज्जवा जे देहे जीवदवियम्मि सुद्धम्मि । ते अण्णोण्णाणुगया पण्णवणिज्जा भवत्थम्मि ।।४८ ।। देहे देहाता ये रूपादिपर्याया रूप-रस- गन्ध-स्पर्शादयो पर्याया तथा शुद्धे जीवद्रव्ये निर्मलात्मनि ये ज्ञानादयः पर्यायास्तेऽन्योन्यानुगताः परस्परप्रविष्टा भवस्थे संसारिजीवे अकार लेषाद्वा अभवस्थे सिद्धात्मनि प्ररूपणीयाः । अयं गूढार्थ:- शुद्धात्मनि स्थितानि ज्ञानादीनि तथा देहाश्रितानि रूपादीनि । तदाश्रययोः परस्परानुप्रवेशात्तेषामपि परस्परानुप्रवेशः स्वीकरणीयः । ततः संसारिजीवे रूपादयस्तथा देहे ज्ञानादयः प्ररूपणीयाः । तेनैव प्रकारेण धियोऽपि प्रवर्तन्ते यथा श्यामोऽहं जानामि, मृदुस्पर्शो बाल इत्यादि । तथा संसारिजीवस्येव मुक्तजीवेऽपि देहशुद्धजीवयोः पर्याया अन्योन्यत्वेन प्ररूपणीयाः । तद्यथा - सिद्धात्मा स्वीयज्ञानपर्यायेण दर्शनपर्यायेण च जगद्वर्तीनि 2010_02 - Page #124 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-४७-४८ सर्वद्रव्याणि पश्यति । तज्ज्ञानादिपर्यायेषु च द्रव्याणां रूपादिगुणाः प्रतिफलन्ति । . अतस्तथापरिणतज्ञानदर्शनाभ्यां सिद्धात्मा अपि रूपादिगुणवानिति कथयितुं शक्यते । एवं जीव-पुद्गलपर्यायाणां परस्परानुप्रवेशात् आत्मा एकोऽपि कथ्यते अनेकोऽपि, मूर्तरूपोऽपि कथ्यतेऽमूर्तरूपोऽपि ।।४८ ।। અવ. પાણી અને દૂધના દષ્ટાંતથી જીવ અને કર્મના અવિભાગનું કથન તથા જીવ અને કર્મનો પરસ્પર પ્રવેશ થયે છતે તેના આશ્રિત રૂપ વગેરેનો પણ પરસ્પર અનુપ્રવેશगाथा : अण्णोण्णाणुगयाणं 'इमं व तं व' त्ति विभयणमजुत्तं । जह दुद्ध-पाणियाणं जावंत विसेसपजाया ।। ४७ ।। छाया : अन्योन्यानुगतयोः 'इदं वा तद् वा' इति विभजनमयुक्तम् । यथा दुग्ध-पानीययोः यावन्तो विशेषपर्यायाः ।। ४७ ।। अन्वयार्थ : जह = शत दुद्ध-पाणियाणं = दू५ अने. पाम ( शत) अण्णोण्णाणुगयाणं = ५२२५२ में थये। द्रव्योमा 'इमं व तं व' त्ति = "0 मने ते' में प्रमाणे विभयणं = विमा अजुत्तं = अयोग्य छ, जावंत = (अने त. भविमा) 24॥ विसेसपज्जाया = विशेषपर्यायो (heat nerat.). रूआइपजवा जे देहे जीवदवियम्मि सुद्धम्मि । ते अण्णोण्णाणुगया पण्णवणिज्जा भवत्थम्मि ।। ४८ ।। रूपादिपर्यवा ये देहे जीवद्रव्ये शुद्धे । तेऽन्योन्यानुगताः प्ररूपणीया भवस्थे ।। ४८ ।। अन्वयार्थ : देहे = शरीरमा जे = हे रूआइपज्जवा = ३५ वगेरे पायो सुद्धम्मि = शुद्ध जीवदवियम्मि = द्रव्यमा (d uन कोरे पायो छ) ते = ते (पर्यायौ) अण्णोण्णाणुगया = ५२२५२ seो भवत्थम्मि = संसारी मां पण्णवणिज्जा = ५३५४॥ કરવા યોગ્ય છે. गाथा: छाया : 2010_02 Page #125 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-४७-४८ ગાથાર્થ દૂધના પ્રદેશો અને પાણીના પ્રદેશો જેમ એકબીજામાં પ્રવેશ પામેલા હોય તેની જેમ પરસ્પર એકમેક થયેલા આત્મા અને કર્મમાં ‘આ’ અને ‘તે ઇંઆ કર્મ છે, આ આત્મા છે, એ પ્રમાણે વિભાગ કરવો યોગ્ય નથી અને જે આ જીવપ્રદેશ અને કર્મપ્રદેશનો અવિભાગ છે તે જીવ અને કર્મપ્રદેશના જેટલા વિશેષ પર્યાયો હોય તેટલો સમજવો. (૪૭) શરીરમાં જે રૂપ વગેરે પર્યાયો છે અને શુદ્ધ એવા જીવદ્રવ્યમાં જે જ્ઞાન વગેરે પર્યાયો છે, તે બંને દ્રવ્યના પર્યાયો અન્યોન્યાનુગતપણે (શરીરદ્રવ્યમાં જ્ઞાન વગેરે અને જીવદ્રવ્યમાં રૂપ વગેરે) સંસારી જીવમાં વર્ણવવા જોઈએ. અથવા અબ્રવતશ્વિ અર્થાત્ સિદ્ધાત્મામાં પણ વર્ણવવા જોઈએ. (૪૮) તાત્પર્યાર્થ : “આત્મદ્રવ્યમાં બંધ-મોક્ષનો અધિકાર અને સુખપ્રાપ્તિ તથા દુઃખત્યાગના પ્રયત્નની ઘટમાનતા કરવા માટે પુરુષના દાખલાથી ભેદભેદ, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સાધવામાં આવ્યા છે પણ એ દાખલો બરાબર નથી. કારણ કે દાર્ટીતિક એક જ આત્મદ્રવ્યમાં ભેદભેદ સિદ્ધ કરવાનો છે; તેથી દૃષ્ટાંત પણ ભેદભેદના નિશ્ચયવાળું કોઈ એક જ તત્ત્વ હોવું જોઈએ. ત્યારે અહીં ઊલટું છે. પુરુષ એટલે માત્ર શરીર કે માત્ર તદ્ગત જીવ એમ નહિ, પણ એ તો જીવ અને શરીર ઉભયરૂપ છે. પુરુષમાં ભેદ દર્શાવવા બાહ્ય, યૌવન, વૃદ્ધતા આદિ જુદી જુદી અવસ્થાઓ જે લેવામાં આવે છે, તે તો શરીરગત હોવાથી શરીરનો ભેદ દર્શાવી શકે; અને પુરુષમાં અભેદ દર્શાવવા ભૂતદોષોનું સ્મરણ અથવા ભાવિગુણની સ્પૃહા વગેરે જે ભાવો લેવામાં આવે છે, તે તો માત્ર જીવના ધર્મો હોવાથી તેનો જ અભેદ દર્શાવી શકે. એટલે પુરુષરૂપ દૃષ્ટાંતમાં જે ભેદ કહ્યો, તે તો તેના શરીરમાં છે; અને અભેદ કહ્યો, તે એ શરીરગત જીવમાં છે, પણ કોઈ પુરુષનામક એક તત્ત્વમાં ભેદભેદ નથી. તો પછી એ દૃષ્ટાંત લઈ આત્મદ્રવ્યમાં ભેદભેદ શી રીતે સાબિત કરી શકાય ?' એવી શંકાનો જવાબ આપવા ગ્રંથકાર કહે છે કે, જીવ અને શરીર દૂધ-પાણીની જેમ એકબીજામાં એવા ઓતપ્રોત છે અને એકબીજાના પ્રભાવથી એવા બદ્ધ છે કે, તે બન્નેને “આ દેહ અને પેલો જીવ' એવો દેશકૃત ભાગ કરવા દ્વારા છૂટા પાડી શકાય તેમ જ નથી, એટલું જ નહિ પણ જે બાલ્ય-યૌવન આદિ અવસ્થાઓ અને વર્ણ ગંધ આદિ ગણોને શરીરધર્મ તરીકે લેવામાં આવે છે, તે માત્ર શરીરના જ ધર્મ છે અને તે ધર્મો ઉપર જીવની કશી જ અસર નથી, એમ કહી ન શકાય. તે જ રીતે જે જ્ઞાન, સ્મરણ, સુખ, દુઃખ આદિ ભાવોને જીવના પર્યાય તરીકે લેવામાં આવે છે, તે પર્યાય માત્ર જીવના છે અને તેમાં શરીરની કશી જ અસર નથી એમ પણ કહી ન શકાય. ખરી રીતે સંસારી જીવમાં જે શરીરગત કે આત્મગત પર્યાયો અનુભવાય છે, તે બધા કર્મપુદ્ગલ અને જીવ ઉભયના સંયોગનું પરિણામ હોવાથી માત્ર એક-એકના ન માનતાં ઉભયના જ માનવા જોઈએ, તેથી કહેવાતા શરીરગત પર્યાયો પુદ્ગલ ઉપરાંત જીવના પણ છે; અને કહેવાતા જીવગત પર્યાયો જીવના હોવા ઉપરાંત શરીરના પણ છે. આમ હોવાથી, બાલ્ય યૌવન આદિ ભાવો શરીરની પેઠે તર્ગત જીવમાં પણ ભેદ દર્શાવે છે; અને ભૂતસ્મરણ આદિ ભાવો જીવ ઉપરાંત તેના 2010_02 Page #126 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-४९ આશ્રય શરીરમાં પણ અભેદ દર્શાવે છે, તેથી જીવ અને શરીર ઉભયરૂપ પુરુષમાં ભેદભેદ છે એમ માનવામાં કોઈ અડચણ નથી. જીવ અને તેના આશ્રય શરીરનો દેશકૃત વિભાગ શક્ય ન હોવા છતાં તાત્ત્વિક દૃષ્ટિએ બન્નેનાં લક્ષણો જુદાં હોવાથી બન્ને ભિન્ન તો છે જ. સંસારી અવસ્થાના બધા જીવપર્યાયો કર્માધીન હોવાથી અને બધા સ્કૂલ સૂક્ષ્મ કર્મપુદ્ગલકૃત પર્યાયો જીવાધીન હોવાથી જીવ અને કર્મશરીરના જેટલા પર્યાયો સંભવી શકે, તે બધા અભિન્નપણે જોડાયેલા જીવ અને કર્મ બન્નેના ગણાવા જોઈએ. भूण ॥थामा भवत्थम्मि शमां अकार नो प्रश्व५ ४२ पाथी अर्थात् अभवत्थम्मि श०६ માનવાથી, સંસારી જીવની જેમ મુક્તાવસ્થામાં પણ દેહ અને જીવદ્રવ્ય એ બંનેના પર્યાયો અન્યોન્યાનુગત વર્ણન કરવા યોગ્ય થાય છે. મુક્તાવસ્થામાં પણ દેહ વગેરે આશ્રિત રૂપાદિ ગુણોના ગ્રહણમાં પરિણત એવા જ્ઞાનપર્યાય અને દર્શનપર્યાયને લઈને આત્માનું સ્વરૂપ રૂપાદિ પણ હોવાથી તેવા પ્રકારની વિવક્ષા સંભવે છે. આત્મા તથા પુદ્ગલમાં રૂ૫ વગેરે તથા જ્ઞાન વગેરે ગુણોનો પરસ્પર પ્રવેશ હોવાથી અવ્યતિરેકપણે સિદ્ધાત્મા એક પણ કહી શકાય તથા અનેક પણ કહી શકાય તે જ રીતે મૂર્ત પણ કહી શકાય અને અમૂર્ત પણ કહી શકાય छ. (४७-४८) परस्परानुप्रवेशादात्म-पुद्गलयोः कथञ्चिदेकत्वानेकत्वादिव्यवहारं प्रदर्शयन्नाह - एवं “एगे आया एगे दंडे य होइ किरिया य" । करणविसेसेण य तिविहजोगसिद्धी वि अविरुद्धा ।।४९।। एवम् इत्यनन्तरोदितप्रकारेण “एगे आया” इति स्थानाङ्गसूत्रप्रतिपादितः सिद्ध एक आत्मा, एको दण्ड एका क्रिया मनो-वचन-कायरूपदण्डस्य तद्पायाप्टा क्रियाया आत्मन्यनुप्रवेशाद्भवति । करणविशेषेण च मनो-वाक्-कायरूपेण करणत्रयेण सह कथञ्चिदभिन्नत्वादात्मनोऽपि त्रिविधयोगरूपत्वात् त्रिविधयोगसिद्धिरप्यात्मनोऽविरुद्धैव । अयं भावार्थः - यस्मिन् येषां प्रवेशस्ते तदात्मका एवेति व्याप्तेर्मनो-वचन-कायद्रव्याणामात्मन्यनुप्रवेशात् मनःप्रभृतय आत्मस्वरूपा एव न तद्व्यतिरिक्ताः । तथा आत्मनो मनोवचन-कायेष्वनुप्रवेशादात्मा मनो-वचन-कायरूप एव न तद्व्यतिरिक्तः । तत एको मनो-वाक-कायदण्डः, एका मनो-वचन-कायक्रिया तथा आत्मनस्त्रिविधयोगसिद्धिरपि सिद्ध्यति । एवमात्मन एकस्य सतः करणत्रयेण सहाभिन्नत्वात्तस्य त्रिविधयोगात्मकत्वादनेकान्तरूपता व्यवस्थितैव ।।४९ ।। 2010_02 Page #127 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-४९ અવ. જીવ અને પુદ્ગલદ્રવ્યના પરસ્પર એકમેકપણાને લીધે કેવા કેવા શાસ્ત્રીય વ્યવહારો થાય છે તેનું કથન Tથા : एवं 'एगे आया एगे दंडे य होइ किरिया य' । करणविसेसेण य तिविहजोगसिद्धी वि अविरुद्धा ।। ४९ ।। છીયા : एवम् “एक आत्मा एको दण्डश्च भवति क्रिया च” । करणविशेषेण च त्रिविधयोगसिद्धिरपि अविरुद्धा ।। ४९ ।। અન્યથાર્થ : પર્વ = આ રીતે અને માંય = એક આત્મા ને વ = અને એક દંડ વિપરિક્ષા = અને એક ક્રિયા દોફ = થાય છે. રવિસે = અને કરણવિશેષ વડે તિવિદો સિદ્ધી વિ = ત્રણ પ્રકારના યોગની સિદ્ધિ પણ વિરુદ્ધ = અવિરુદ્ધ. ગાથાર્થ આ પ્રમાણે અર્થાત્ પૂર્વગાથાઓમાં કહેવાયેલા દૃષ્ટિકોણ મુજબ મન-વચન-કાયાનો પણ આત્મામાં પરસ્પર પ્રવેશ થતો હોવાથી “એક આત્મા, એક દંડ અને એક ક્રિયા” એવો વ્યવહાર સિદ્ધ થાય છે. તેમ જ મન, વચન અને કાયાસ્વરૂપ કરણવિશેષને લીધે આત્માના ત્રણ પ્રકારના યોગની સિદ્ધિ પણ અવિરુદ્ધ છે. (૪૯) તાત્પર્યાર્થઃ સ્થાનાંગ આદિ શાસ્ત્રોમાં “આત્મા એક છે, દંડ એક છે, ક્રિયા એક છે, એવો વ્યવહાર થયેલો છે; તેમ જ આત્મામાં યોગ ત્રણ પ્રકારનો છે એવું પણ શાસ્ત્રકથન છે. આ બધું જીવ અને પુદ્ગલ દ્રવ્યને પરસ્પર અત્યંત ભિન્ન માનવાથી ઘટી ન શકે. કારણ કે દિંડ એટલે મન, વચન અને કાયા, અને એ ત્રણ તો પુદ્ગલસ્કંધરૂપ હોવાથી વસ્તુતઃ અનેક પુદ્ગલ દ્રવ્યો છે. તેમ જ ક્રિયા પણ મન, વચન અને શરીરને આશ્રિત હોવાથી અનેક છે, એટલે એ અનેકને એક કેમ કહી શકાય ? એ જ રીતે યોગ એટલે સ્કુરાયમાન આત્મવીર્ય, તેને ત્રિવિધ કેમ કહી શકાય ? કાં તો એ વીર્ય આત્મરૂપે હોવાથી એક કહેવાય અને કાં તો શક્તિરૂપે અનંત કહેવાય; પણ ત્રિવિધ તો કેમ કહેવાય ? પરંતુ આત્મા અને પુદ્ગલ દ્રવ્યનો પરસ્પર અભેદ માનવાથી ઉપરના પ્રશ્નગત વિરોધનો અવકાશ રહેતો નથી. માનસિક, વાચિક અને કાયિકદ્રવ્યો અનેક હોવા છતાં અને તદાશ્રિત ક્રિયાઓ અનેક હોવા છતાં પણ એક આત્મતત્ત્વ સાથે સંબંધ હોવાથી તે દ્રવ્યો અને ક્રિયાને પણ એક દંડ અને એક ક્રિયા કહ્યાં છે, તે ઘટે જ છે. એ જ પ્રમાણે મન વચન અને શરીરરૂપ ત્રણ પ્રકારના પુદ્ગલાત્મક સાધનના સંબંધને લીધે આત્મવીર્યને પણ ત્રણ પ્રકારના યોગરૂપે કહેવામાં કશો બાધ નથી. આ રીતે, આત્મા એક હોવા છતાં અનેક તરીકે વિવક્ષા કરવાથી અને અનેક હોવા છતાં એક તરીકે વિવક્ષા કરવાથી આત્માની અનેકાંતરૂપતા ઘટી શકે છે.(૪૯) 2010_02 Page #128 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-५० वस्तुतः वाह्याभ्यन्तरविभागाभावेऽपि किंनिमित्तकोऽभ्यन्तरव्यपदेशः ? तद् दर्शयन्नाह - ण य बाहिरओ भावो अब्भंतरओ य अत्थि समयम्मि । णोइंदियं पुण पड्डुच्छ होइ अब्भंतरविसेसो ।।५०।। आत्म-पुद्गलयोः परस्परानुप्रवेशात् समये अर्हत्प्रणीतशासने न च बाह्यो भावः अभ्यन्तरो वा सकलवस्तुनो मूर्तामूर्तरूपादितयाऽनेकान्तात्मकत्वाद् अस्ति संभवति । अभ्यन्तरविशेषः पुनः अभ्यन्तर इति व्यपदेशस्तु नोइन्द्रियं मनः प्रतीत्य आश्रित्य भवति । एतद् वाच्यम् - पूर्वगाथोक्तप्रकारेण आत्म-पुद्गलयोरन्योन्यानुप्रवेशाच्चतुर्दशरज्ज्वात्मके समग्रलोके सर्ववस्तुनो मूर्त्तामूर्तरूपादितयाऽनेकान्तात्मकत्वात् सर्वं कथञ्चिन्मूर्तं कथञ्चिदमूर्त्तम्, तेन जैनशासने कोऽपि भाव एकान्तेन वाह्योऽभ्यन्तरो वा वक्तुं नोचितम् । तथापि आत्मपरिणतिरूपस्य मनसः पराप्रत्यक्षत्वाद् मन आश्रित्य वस्तु अभ्यन्तरमिति व्यपदिश्यते । तस्माद् मनोभिन्नेन्द्रियाग्राह्यं केवलमनोग्राह्य पदार्थमभ्यन्तरमुच्यते तथा स्पर्शेन्द्रियादिपञ्चेन्द्रियग्राह्यं पदार्थं बाह्यमुच्यते । एतद्व्याख्यानुसारेण यथा पुद्गलमप्यभ्यन्तरं तथा आत्माऽपि बाह्यमुच्यते । यतो बाह्यचेष्टाभिरमूर्तोऽप्यात्मा स्पर्शनेन्द्रियादिभिर्ग्राह्यत्वाद् बाह्यो वक्तुं शक्यते ।।५० ।। छाया: અવ. અમુક તત્ત્વ બાહ્ય છે અને અમુક અત્યંતર છે એવા વિભાગ વિષે ખુલાસોगाथा : ण य बाहिरओ भावो अब्भंतरओ य अत्थि समयम्मि । णोइंदियं पुण पडुछ होइ अब्भंतरविसेसो ।। ५० ।। न च बाह्यो भावः अभ्यन्तरश्च अस्ति समये ।। नोइन्द्रियं पुनः प्रतीत्य भवति अभ्यन्तरविशेषः ।। ५० ।। अन्वयार्थ : समयम्मि = uvi - हैनसनमा बाहिरओ = clu भावो = मा अब्भंतरओ य = भने भ्यंतर भावो = (uq ण य अस्थि = नथी. पुण = qणी, णोइंदियं = नोऽन्द्रिय - मनने पडुछ = आश्रयी अब्भंतरविसेसो = अभ्यंत२५९॥नी विवक्षा होइ = थाय छे. 2010_02 Page #129 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-५१ ગાથાર્થ આત્મા અને પુદ્ગલનો અન્યોન્ય પ્રવેશ હોવાથી અરિહંત પરમાત્માના શાસનમાં બાહ્યભાવ અને અત્યંતરભાવ એવા પ્રકારનો ભેદ સંભવતો નથી, પરંતુ નો ઈંદ્રિય-મનને આશ્રયીને અત્યંતરપણાની વિવેક્ષા છે. (૫૦). તાત્પર્યાર્થ: સુખ-દુઃખ આદિનો અનુભવ કરનાર તત્ત્વ આંતરિક કહેવાય છે; અને રૂપ આદિ ગુણ ધારણ કરનાર પુદ્ગલ બાહ્ય કહેવાય છે. હવે, જો પ્રથમ કહ્યા પ્રમાણે આત્મા અને પુદ્ગલનો પરસ્પર પ્રવેશ માનવામાં આવે તો, પુદ્ગલ દ્રવ્ય જીવમાં પ્રવેશ્ય હોવાથી અભ્યતર કહેવાવું જોઈએ અને જીવદ્રવ્યનો પુદ્ગલમાં પ્રવેશ થયેલો હોવાથી બાહ્ય કહેવાવું જોઈએ. અને જો એમ થાય, તો જે બાહ્યઅત્યંતરપણાની વ્યવસ્થા છે, તે જૈનશાસ્ત્રમાં શી રીતે ઘટશે, એવી શંકાનો ઉત્તર અહીં આપવામાં આવ્યો છે કે, જૈનશાસ્ત્રમાં અમુક પદાર્થો બાહ્ય જ છે અને અમુક નિયત પદાર્થો અત્યંતર જ છે, એવો સ્વાભાવિક વિભાગ નથી. પરંતુ જે માત્ર મનનો વિષય હોવાથી બાહ્ય ઇંદ્રિયોથી ગ્રહણ ન કરાય, તે પદાર્થ અત્યંતર; અને જે પદાર્થ બાહ્ય ઇંદ્રિયોથી ગ્રહણ કરી શકાય એવો હોય, તે બાહ્ય કહેવાય. આ વ્યાખ્યા પ્રમાણે પુદ્ગલને અત્યંતર પણ કહી શકાય અને જીવને બાહ્ય પણ કહી શકાય. જે કર્મ આદિ પુગલ બાહ્ય ઇંદ્રિયોના વિષય નથી, તે અત્યંતર છે; અને આત્મા સૂક્ષ્મ હોવા છતાં પુદ્ગલ દ્વારા થતી તેની ચેષ્ટાઓ બાહ્ય ઇંદ્રિયોથી ગ્રહણ થઈ શકતી હોવાથી દેહધારી રૂપે તે બાહ્ય પણ છે. (૫૦) परस्परसापेक्षयोर्द्रव्यास्तिक-पर्यायास्तिकयोः प्ररूपणा संभवेत्, किन्तु निरपेक्षयोस्तयोः प्ररूपणा कथं घटेदिति दर्शयन्नाह - दव्वट्ठियस्स आया बंधइ कम्मं फलं च वेएइ । बीयस्स भावमेत्तं ण कुणइ ण य कोइ वेएइ ।।५१।। द्रव्यास्तिकस्य इतरनयनिरपेक्षद्रव्यास्तिकनयस्येयं प्ररूपणा - आत्मा एको नित्य कर्म ज्ञानावरणीयादि बध्नाति फलं च बद्धकर्मणः कार्यरूपं विपाकं वेदयते भुङ्क्त आत्मैव । द्वितीयस्य स्वभिन्ननयनिरपेक्षपर्यायास्तिकनयस्येयं प्ररूपणा - नैवात्मा नित्यः किन्तु भावमात्रं विज्ञानमात्रमिति न करोति न च कष्टिाद् वेदयत उत्पत्तिक्षणानन्तरध्वंसिनः कर्तृत्वाऽनुभवितृत्वायोगात् । इदं कथनीयम् - द्रव्यास्तिकनयस्त्रिकालस्थायिनमात्मानं मनुते । य आत्मा कर्म बध्नाति सैव आत्मा तत्कर्मणो फलमनुभवति, नैवान्यः । अस्य मते कर्मकर्तुस्तत्फलभोक्तुष्टौक्यात् । 2010_02 Page #130 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-५१-५२ तथा पर्यायास्तिकनयः क्षणिकविज्ञानात्मकं आत्मानं स्वीकरोति । अस्य च मते प्रथमक्षणवर्तिन आत्मनो द्वितीयक्षणवर्ती आत्मा भिन्नः। तत उत्पत्तिक्षणानन्तरध्वंसिनो विज्ञानरूपस्यात्मनः कर्मकर्तृत्वतदनुभवितृत्वायोगः ।।५१ ।। निरपेक्षयोर्द्रव्यास्तिकपर्यायास्तिकनययोर्यद् घटते तदाह - दव्वट्ठियस्स जो चेव कुणइ सो चेव वेयए णियमा । अण्णो करेइ अण्णो परिभुंजइ पज्जवणयस्स ।।२।। द्रव्यास्तिकस्य केवलद्रव्यास्तिकनयस्यैतन्मतम्, य एव करोति स एव नियमेन वेदयते नित्यत्वात् । पर्यवनयस्य केवलपर्यायास्तिकनयस्यैतन्मतम्, अन्यः करोति अन्यष्टा परिभुङ्क्ते क्षणिकत्वात् । इदं प्रतिपादितम् - पूर्वगाथायामुक्तप्रायम् । तथापि अस्यां गाथायां पर्यायास्तिकनयपक्षे विशेषता दर्शिता, यद् - पूर्वगाथायां कर्मकर्तृ-तदनुभवित्रोरभावो दर्शितः, अत्र तूत्पत्तिक्षण एव कर्ता भोक्ता वा यदि मन्यते तथापि ‘अन्यः कर्त्ता भोक्ता चान्यः' इति भावदर्शितत्वान्न पुनरुक्तिः ।।५२ ।। અવ. અનેકાંત સિદ્ધાંત સ્વીકારવાથી જ મિથ્યાત્વાદિ કારણે થતો કર્મબંધ અને તેનાથી થતા સુખ-દુઃખ આદિના અનુભવ સ્વરૂપ ભોગ ઘટી શકે છે પણ એકાંત સ્વીકારતાં ઘટી શકતાં નથી તેનું કથન અથવા પરસ્પર સાપેક્ષ એવા જ દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયની પ્રરૂપણા સંભવી શકે. પણ, નિરપેક્ષ એવા તે નયોની પ્રરૂપણા કઈ રીતે સંભવે ? તેનું કથનगाथा : दवट्ठियस्स आया बंधइ कम्मं फलं च वेएइ । बीयस्स भावमेत्तं ण कुणइ ण य कोइ वेएइ ।। ५१ ।। द्रव्यास्तिकस्य आत्मा बध्नाति कर्म फलं च वेदयते । द्वितीयस्य भावमात्रं न करोति न च कश्चिद् वेदयते ।। ५१ ।। अन्वयार्थ : दव्वढियस्स = द्रव्यास्तिनयनी दृष्टि आया = आत्मा कम्मं = जर्भ बंधइ = viधे छ फलं च = अने ३१ वेएइ = अनुमवे छे. छाया: 2010_02 - Page #131 -------------------------------------------------------------------------- ________________ ८६ ગાથા : છાયા : સંમતિત પ્રજરને, જાણ્ડ-૧, ગાથા-૯-૨ વીયમ્સ = બીજા પર્યાયાસ્તિકનયની દષ્ટિએ માવમેત્ત = (આત્મા) જ્ઞાનમાત્ર છે ળ ળડ્ = કર્મબંધ કરતો નથી ા ય ોફ વેલ્ફ = અને કોઈ (ફળ) અનુભવતો નથી. दव्वट्ठियस्स जो चेव कुणइ सो चेव वेयए णियमा । अण्णो करेइ अण्णो परिभुंजइ पज्जवणयस्स ।। ५२ ।। द्रव्यास्तिकस्य यः एव करोति स एव वेदयते नियमात् । अन्यः करोत्यन्यः परिभुङ्क्ते पर्यवनयस्य ।। ५२ ।। દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિએ નો જે (આત્મા) કરે છે સો ચેવ - अन्वयार्थ : दव्वट्ठियस्स चेव = ४ कुणइ તે (આત્મા) જ નિયમા નિશ્ચે વેયક્ ભોગવે છે. પન્નવાયસ્સ = પર્યાયનયની દષ્ટિએ अण्णो = અન્ય (આત્મા) રેફ = કરે છે અનો = અન્ય (આત્મા) परिभुंजइ = ભોગવે છે. = = 2010_02 = ગાથાર્થ ઃ દ્રવ્યાસ્તિક નયની દૃષ્ટિએ આત્મા સ્થાયી છે, માટે તે કર્મ બાંધે છે અને બાંધેલા કર્મના ફલ અનુભવે છે. જ્યારે પર્યાયાસ્તિકનયની દૃષ્ટિએ આત્મા સ્થાયી નથી પરંતુ માત્ર જ્ઞાનસ્વરૂપે છે, તેથી કોઈપણ આત્મા કર્મ બંધ કરતો નથી અને ફલ ભોગવતો નથી. (૫૧) દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિએ જે આત્મા કર્મબંધ કરે છે તે જ આત્મા અવશ્ય ભોગવે છે. જ્યારે પર્યાયાસ્તિકનયની દષ્ટિએ આત્મા ક્ષણિક હોવાથી અન્ય કર્મબંધ કરે છે અને અન્ય ભોગવે છે. (૫૨) તાત્પર્યાર્થ : દ્રવ્યાસ્તિક્નય સ્થિરતત્ત્વ સ્વીકારે છે, તેથી તેની દેશના પ્રમાણે કર્મ બાંધનાર અને ભોગવનાર એક આશ્રય છે એમ કહેવા માટે તથા જે કર્મ બાંધે છે તે જ ફળ ભોગવે છે એમ કહેવા માટે અવકાશ છે, પરંતુ પર્યાયાસ્તિકનયની દેશના પ્રમાણે તો એટલુંયે કહેવાને અવકાશ નથી. કારણ કે તે ક્ષણિકવાદી હોવાથી તેના મતે વસ્તુ ઉત્પન્ન થઈ બીજી જ ક્ષણે નાશ પામે છે; એટલે કરનાર કોણ અને ભોગવનાર કોણ ? જો ઉત્પત્તિકાળમાં જ કર્તાપણું કે ભોક્તાપણું માનીએ, તોયે વધારામાં વધારે એટલું જ કહી શકાય કે કરનાર કોઈ એક છે અને ભોગવનાર કોઈ બીજો છે. પહેલી દ્રવ્યાસ્તિકનયની દેશનામાં આશ્રય સ્થિર હોવાથી એક જ આત્મામાં કર્તૃત્વભોક્તૃત્વની કલ્પનાને સ્થાન છે; છતાં એમાં ખામી એ રહે છે કે, આત્મા ઐકાંતિક નિત્ય હોય = For Private & Persorial Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-५३ અર્થાત્ એકરૂપે જ સ્થિર હોય તો તે અવસ્થાભેદ શી રીતે પ્રાપ્ત કરે ? અને અવસ્થાભેદ વિના કર્તુત્વ-ભોસ્તૃત્વ કેવી રીતે ઘટે ? તેથી એ ખામી દૂર કરવા એણે પર્યાયાસ્તિકનયની દેશનાનો અવસ્થાભેદવાદ સ્વીકારવો જોઈએ. પર્યાયાસ્તિકનયની દેશનામાં કોઈ એક એવો સ્થિર આશ્રય જ નથી કે જ્યાં ભિન્ન ભિન્ન સમયભાવી કર્તુત્વ-ભોક્નત્વ ઘટાવી શકાય. તેથી તેણે પણ સ્થિરતત્ત્વ સ્વીકારવા દ્રવ્યાસ્તિકનયની દેશનાનો આશ્રય લેવો જોઈએ. આ રીતે પરસ્પરનું સાપેક્ષપણું હોય તો જ જૈન શાસ્ત્રમાં આ બન્ને દેશનાઓને સ્થાન છે. (પ૧-૫૨) जिनशासनस्यौत्सर्गिकदेशनामाह - जे वयणिज्जवियप्पा संजुज्जतेसु होन्ति एएसु । सा ससमयपण्णवणा तित्थयराऽऽसायणा अण्णा ।।५३।। अनयोर्द्रव्यास्तिकनय-पर्यायास्तिकनययोः संयुज्यमानयोः सापेक्षतया परस्परसम्बद्धयोर्ये वचनीयविकल्पा अभिधेयप्रतिपादका वचनभेदा भवन्ति यथा - 'आत्मा कथञ्चिन्नित्यः, कथञ्चिदमूर्तः' इत्यादयः । सा एषा स्वसमयप्रज्ञापना तत्त्वभूतार्थस्य जैनशासनस्य वा प्ररूपणा, अन्या तु निरपेक्षयोर्द्रव्यास्तिक-पर्यायास्तिकनययोः प्ररूपणा तीर्थकरासादना तीर्थकरपरमात्मन आशातनारूपा भवति, तत्प्ररूपणोत्तीर्णत्वात् । इदं भाव्यम् - परस्परसापेक्षतया द्रव्यास्तिकनय-पर्यायास्तिकनययोः ‘कथञ्चित्, स्यात्' इत्यादिपदैर्युक्तानि सप्तभङ्गीरूपाणि यानि वचनानि तानि सर्वाणि जैनशासनस्य प्ररूपणारूपाणि । निरपेक्षयोस्तु द्रव्यास्तिकपर्यायास्तिकनययोर्देशनाया एकान्तरूपत्वेन जैनशासनबहिर्भूतत्वाद् तीर्थकराशातनारूपा ।।५३ ।। અવ. જૈનશાસનની પ્રરૂપણાનું સ્વરૂપगाथा : जे वयणिजवियप्पा संजुजंतेसु होन्ति एएसु । सा ससमयपण्णबणा तित्थयराऽऽसायणा अण्णा ।। ५३।। ये वचनीयविकल्पाः संयुज्यमानयोः भवन्ति अनयोः । सा स्वसमयप्रज्ञापना तीर्थकराऽऽसादना अन्या ।। ५३।। अन्वयार्थ : एएसु = ॥ ये नयो संजुज्जतेसु = ५२२५२ संयो। पामे छते जे = हे वयणिज्जवियप्पा = उपा योग्य वस्तुने ४५॥वना हो छाया: 2010_02 Page #133 -------------------------------------------------------------------------- ________________ સંમતિતપ્રજર), ૯-૨, થા-૧૪ દન્તિ = થાય છે. સા = તે (પ્રરૂપણા) સમયપાળવUT = સ્વ સિદ્ધાંતની પ્રરૂપણા - જૈન શાસનની પ્રરૂપણા, સUTI = અન્ય (પ્રરૂપણા) નિન્જયરાસાયU = તીર્થંકરની આશાતના (સ્વરૂ૫). ગાથાર્થ આ બન્ને નયો સાપેક્ષપણે જોડાયે છતે પ્રરૂપણા કરવા યોગ્ય વસ્તુને સમજાવવા માટે જે વચનના ભેદો થાય છે, તે સ્વસમયની અર્થાત્ જૈન શાસનની પ્રરૂપણા છે; અન્ય પ્રરૂપણા અર્થાત્ પરસ્પર નિરપેક્ષ એવા આ બે નયોની પ્રરૂપણા તીર્થકરની આશાતનાસ્વરૂપ છે. (૫૩) તાત્પર્યાર્થઃ નિરપેક્ષ એવા દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયની દેશના વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપે પ્રકાશિત કરવા અસમર્થ હોવાથી અધૂરી અને મિથ્યા છે. તેથી ઊલટું, પરસ્પરની મર્યાદા સ્વીકારી પ્રવર્તતી આ બન્ને નયોની સાપેક્ષદૃષ્ટિ વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ જણાવતી હોવાથી પૂર્ણ અને યથાર્થ છે. આવા પ્રકારની દૃષ્ટિના આધારે વસ્તુતત્ત્વને સમજાવવા માટે જે વચનોનો પ્રયોગ થાય છે તે જૈનશાસનની પ્રરૂપણા છે. જેમ કે, આત્માના નિયત્વની બાબતમાં અપેક્ષાવિશેષે આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે; મૂર્તત્વની બાબતમાં તે કથંચિત્ મૂર્ત છે અને કથંચિત્ અમૂર્ત છે; શુદ્ધત્વની બાબતમાં તે કથંચિત્ શુદ્ધ છે અને કથંચિત્ અશુદ્ધ છે; પરિમાણની બાબતમાં તે કથંચિત્ વ્યાપક છે અને કથંચિત્ અધ્યાપક છે; સંખ્યાની બાબતમાં તે કથંચિત્ એક છે અને કથંચિત્ અનેક છે, વગેરે અનેક મુદ્દાઓને આશ્રયીને વાક્યો અને વિચારો ફલિત થાય છે. આવા સમન્વયસૂચક વિચારો અને વાક્યો જો પ્રમાણમૂલક હોય, તો જ જૈનદેશનામાં સ્થાન પામે છે; પણ માત્ર ભિન્ન ભિન્ન મતોના સંગ્રહ કરનારા વાક્યો નહિ. જેમ કે, “આત્મા નિત્ય જ છે' એવો અગર “આત્મા અનિત્ય જ છે” એવો ઐકાંતિક વિચાર તેમ જ “આત્મા સ્વભાવે મૂર્ત છે અને પરભાવે અમૂર્ત છે; સ્વાભાવિક રીતે તે અશુદ્ધ છે, પરંતુ પાધિક રીતે તે શુદ્ધ પણ સંભવે છે' વગેરે ખોટી અપેક્ષાવાળા સમન્વયભાસી વિચારો જૈનશાસનની અનેકાંતદૃષ્ટિની આશાતના જ કરનારા છે. (૫૩) अथापवादिकदेशनामाह - पुरिसज्जायं तु पडुञ्च जाणओ पण्णवेज्ज अण्णयरं । परिकम्मणाणिमित्तं दाएही सो विसेसं पि ।।५४।। पुरुषजातं तु प्रतिपन्नद्रव्यनयपर्यायनयान्तरस्वरूपं श्रोतारं वा प्रतीत्याश्रित्य ज्ञकः स्याद्वादवित्तस्य श्रोतुः परिकर्मणानिमित्तं बुद्धिसंस्कारार्थम् अन्यतरद् द्रव्यं पर्यायं वा 2010_02 Page #134 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड - १, गाथा - ५४ प्रज्ञापयेत् कथयेत् । परिकर्मितमतये तु स स्याद्वादज्ञाता विशेषमपि द्रव्यास्तिकनयपर्यायास्तिकनययोः परस्पराविनिर्भागं दर्शयिष्यति प्ररूपयिष्यति । अयं तत्वार्थः - स्याद्वादवेत्ता मुख्यतया सर्वनयसमूहात्मिका प्रमाणदेशना ददाति । तथापि क्वचिदेकनयेनैव भावितः श्रोता, तत्र येन श्रोत्रा केवलं द्रव्यास्तिकनयोऽङ्गीकृतः । तमाश्रित्य पर्यायास्तिकनयस्य देशनां, येन च केवलं पर्यायास्तिकनयः स्वीकृतः, तं प्रति द्रव्यास्तिकनयस्य देशनां निरूपयति । तया च देशनया तत्श्रोतुः मतिः परिकर्मिता भवेत् । स चोभयनयज्ञाता भवेत् । परिकर्मितमतिश्रोतारमाश्रित्य तु द्रव्यं पर्यायसंयुक्तं तथा पर्यायाष्टा द्रव्यावियुक्ता विशेषेण द्रव्यास्तिक-पर्यायास्तिकनययोः परस्पराविनिर्भागमपि निरूपयति ।।५४।। इति महावादि-महातार्किकशिरोमणिश्रीसिद्धसेनदिवाकरसूरिप्रणीतस्य संमतितर्कप्रकरणस्य प्रथमकाण्डस्य व्याख्यानवाचस्पति-आगमाद्यनेकविधशास्त्रमर्मज्ञ-परिणतस्वपरदर्शनबोध पूज्यपादाचार्यदेवश्रीमद्-विजयरामचन्द्रसूरीश्वराणां शिष्यरत्नानां वर्धमानतपोनिधिगुरुचरणसमर्पितजीवनलक्ष्मी पूज्यपादाचार्यदेव श्रीमद् विजयगुणयशसूरीश्वराणां चरणभृङ्गायमान-आचार्यविजयकीर्तियशसूरिणा विरचिता पार्श्वप्रभा टीका समाप्तिमगमत् । અવ. પરસ્પર નિરપેક્ષ એવા આ બે નયોની પ્રરૂપણા કરવી એ તીર્થંકરની આશાતનારૂપ છે તેમાં જે અપવાદ છે તેને કહે છે गाथा : छाया : पुरिसज्जायं तु पडुन जाणओ पण्णवेज्ज अण्णयरं । परिकम्मणाणिमित्तं दाएही सो विसेसं पि ।। ५४ ।। 2010_02 पुरुषजातं तु प्रतीत्य ज्ञकः प्रज्ञापयेदन्यतरम् । परिकर्मणानिमित्तं दर्शयिष्यति स विशेषमपि ।। ५४ ।। अन्वयार्थ : तु ८९ = वणी जाणओ = ( स्याहू वाहनो) भएअर पुरिसज्जायं पुरुषविशेषने पडुच = आश्रयीने परिकम्मणाणिमित्तं = બુદ્ધિ परिर्मित मनाववा भाटे अण्णयरं = બે પૈકી કોઈપણ એક નયને पण्णवेज्ज = ४५॥वे. सो = ते (स्याद्दवाहनो भएाडार) विसेसं पि = विशेषने प| दाएही = ४ए॥वशे. = Page #135 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-५४ ભાવાર્થ : દ્રવ્યનય કે પર્યાયનય બેમાંથી કોઈપણ એક નયને જેણે સ્વીકાર્યો છે તેવા પુરુષવિશેષને ઉદ્દેશીને સ્વાવાર્ત જાણકાર મહાત્મા, શ્રોતાની બુદ્ધિને અન્ય નયથી પરિકર્ષિત કરવા શ્રોતા જે નય ન સ્વીકારતો હોય તેવા નયની દેશના પણ આપે. વળી, પરિકર્મિત શ્રોતાને આશ્રયીને તો તે મહાત્મા વિશેષ પણ જણાવે અર્થાત્ દ્રવ્ય અને પર્યાય પરસ્પર સાપેક્ષ છે તે પણ જણાવે. (૫૪). તાત્પર્યાર્થઃ જૈનદૃષ્ટિ પ્રમાણે અનેકાંતબોધક વાક્યો બોલવાં જોઈએ એ ખરું; છતાં ઘણી વાર શ્રોતાઓની યોગ્યતા-જિજ્ઞાસા વગેરે જોઈ એક નયાશ્રિત વાક્યો પણ ઉચ્ચારવામાં કશી અડચણ નથી. અનેકાંતમાં કુશલ એવા મહાત્મા જ્યારે એમ જુએ છે કે, ભિન્ન ભિન્ન સંસ્કારવાળા શ્રોતાઓ અનેક છે, અથવા અમુક શ્રોતા દ્રવ્યવાદથી ભાવિત છે અને અમુક શ્રોતા પર્યાયવાદથી ત્યારે તે મહાત્મા શ્રોતાની બુદ્ધિને પરિકર્ષિત કરવા તે જે નયનો સ્વીકાર ન કરતો હોય તે નયનું શ્રોતા સમક્ષ પ્રતિપાદન કરે છે. તેથી ક્યારેક તે દ્રવ્યવાદી શ્રોતા સમક્ષ માત્ર પર્યાયનું અને પર્યાયવાદી શ્રોતા સમક્ષ માત્ર દ્રવ્યનું સ્થાપન કરે છે. કારણ કે તે એમ સમજે છે કે, એમ કરવાથી શ્રોતાની એક દેશના તરફ ઢળેલી એકાંગી બુદ્ધિ બીજી બાજાના જ્ઞાનથી સંસ્કારિત થશે અને પરિણામે તે અનેકાંતષ્ટિને સ્પર્શશે. આવી સમજથી કરાયેલી એક નયની દેશનાને પણ જૈનશાસ્ત્રમાં સ્થાન છે જ . વળી, શ્રોતા જો પરિકર્મિત બુદ્ધિવાળો હોય અર્થાત્ કોઈ એક નયમાં પક્ષપાતવાળો ન હોય અને સ્યાદ્વાદના સિદ્ધાંતોને સમજવાની ક્ષમતા ધરાવતો હોય તો તેવા પ્રકારના શ્રોતા સમક્ષ વક્તા પરસ્પર સાપેક્ષ એવા બંને નયોની દેશના પણ આપે છે. - આ રીતે, જૈનશાસનમાં ઉત્સર્ગમાર્ગે અનેકાંતની દેશના જ આપવામાં આવે છે અને અપવાદમાર્ગે તે તે શ્રોતાને ખ્યાલમાં રાખી ક્યારેક માત્ર દ્રવ્યાસ્તિકનયને આશ્રયી દેશના અપાય છે તો ક્યારેક માત્ર પર્યાયાસ્તિકનયને આશ્રયીને પણ દેશના આપવામાં આવે છે. આ રીતે શ્રોતા વિશેષને આશ્રયી પરસ્પર નિરપેક્ષ દેશના આપવી એ તીર્થંકરની આશાતના સ્વરૂપ નથી પણ પરમાત્માની આજ્ઞાના આરાધન સ્વરૂપ જ છે. (૫૪) આ પ્રમાણે પ્રવચનને જાણકાર-મહાદાર્શનિક-શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજાએ રચેલ શ્રીસંમતિતર્ક પ્રકરણના પ્રથમ કાંડનું વ્યાખ્યાનવાચસ્પતિ, પરિણત એવી સ્વ-પરદર્શનની બુદ્ધિવાળા તપાગચ્છાધિપતિ, પૂજ્યપાદ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યત્વને શોભાવનારા વર્ધમાનતપ આદિ અનેક તપ પ્રભાવક, આજીવન ગુરુચરણ સેવી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય આચાર્ય વિજય કીર્તિયશસૂરિએ કરેલ ભાષાંતર સંપૂર્ણ થયું. 2010_02 Page #136 -------------------------------------------------------------------------- ________________ दीक्षायुगप्रवर्तकभावाचार्यभगवदाचार्यदेवश्रीमद्विजयरामचन्द्रसूरीश्वराणामन्तेवासिनां वर्धमानादितपोलक्ष्मीगोविन्दाचार्यदेवश्रीमद्विजयगुणयशसूरीश्वराणां चरणाम्भोजालिबालदीक्षामार्गसंरक्षकप्रवचनप्रभावकाचार्यदेवविजयकीर्तियशसूरिप्रणीतपार्श्वप्रभाटीकासमेते तार्किकशिरोमणिदर्शनप्रभावकशास्त्रप्रणेतृश्रीसिद्धसेनदिवाकरसूरिप्रणीते संमतितर्कप्रकरणे द्वितीयकाण्डः । [उपयोगकाण्डः] प्रथमचक्रिणस्तातः, स्वयं चक्री तथा प्रभुः । अर्द्धचक्रिगुरुभ्राता, मत्स्वामिभ्यो नमो नमः ।।१।। प्रभावाढ्यं प्रभुं पार्श्व, पार्श्वपद्मावतीयुतम् । भुक्ति-मुक्तिप्रदं वन्दे, शंखेश्वरावतंसकम् ।।२।। वीरस्य भवतात्क्षान्ति-वीरस्यास्तु तपो वरम् । वीरस्य वरवैराग्यं, वीरस्य शरणं मम ।।३।। केवलिन्युपयोगस्य, प्रविचारे त्रयो मताः । येभ्यः प्रचलिता लोके, तद्गुरुभ्यो नमो नमः ।।४।। नयानां ते विवेकेन, वाचकैर्दशिता मताः । वृत्तिं द्वितीयकाण्डस्य, कुर्वे पार्श्वस्य तेजसा ।।५।। ‘परस्परसापेक्षसामान्य-विशेषग्रहणप्रवृत्तदर्शन-ज्ञानस्वरूप उभयात्मकोपयोगः प्रमाणम्, न तु दर्शन-ज्ञानैकान्तरूपः इति दर्शयितुं प्रकरणमारभमाण आचार्यो द्रव्यार्थिकनयमान्यदर्शनस्वरूपस्य पर्यायार्थिकनयमान्यज्ञानस्वरूपस्य च निर्देशिकां गाथामाह - जं सामण्णग्गहणं दसणमेयं विसेसियं णाणं । दोण्ह वि णयाण एसो पाडेक्कं अत्थपज्जाओ ।।१।। यद् सामान्यग्रहणं वस्तुनः सामान्यस्वरूपं येन गृह्यते एतद् दर्शनमुच्यते, विशेषितं वस्तुनो 2010_02 Page #137 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-१ विशेषस्वरूपं येन गृह्यते तज्ज्ञानमुच्यते । द्वयोरपि नययोर्द्रव्यास्तिकपर्यायास्तिकनययोः एष दर्शनं ज्ञानं च प्रत्येकं विभिन्नः पृथक् पृथगिति यावद् अर्थपर्यायः अर्थं विषयं पर्येति - जानाति यः सोऽर्थपर्यायः । इदमत्रावधेयम् - द्रव्यास्तिकनयो वस्तुनो विशेषाकारमुपेक्ष्य सामान्यरूपं गृह्णाति, अतो दर्शनमुच्यते । तथा पर्यायास्तिकनयो वस्तुनः सामान्याकारं गौणीकृत्य विशेषरूपं गृह्णाति, अतो ज्ञानमुच्यते । पर्यायास्तिकनयो विशेषग्राहकः साकारोपयोगो ज्ञानमित्येते समानार्थकाः । द्रव्यास्तिकनयः सामान्यग्राहको निराकारोपयोगो दर्शनमित्येते अनर्थान्तराः ।।१।। અવ. વિશ્વના સર્વ પદાર્થો સામાન્ય અને વિશેષરૂપથી ઉભય સ્વરૂપ છે એવું જણાવી પ્રથમકાંડમાં પ્રતિપાદન કરવામાં આવ્યું કે, “પરસ્પર સંયોગ પામતાં અને સાપેક્ષ એવા દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયમાં જે વચનના પ્રકારો સંભવે છે તે સર્વેને રજૂ કરવા તે જૈનશાસનની દેશનાશૈલી છે પણ તે સર્વે વચનના પ્રકારોનું વર્ણન ન કરતાં માત્ર એકાદ વિકલ્પની પ્રરૂપણા કરવી એ તીર્થકરની આશાતના स्व३५ छे." હવે બીજા કાંડમાં આ જ વાતને વિશેષ વિસ્તારથી બતાવવા માટે તથા “સામાન્યને ગ્રહણ કરનાર દર્શનોપયોગ છે અને વિશેષને ગ્રહણ કરનાર જ્ઞાનોપયોગ છે. જો આ બે ઉપયોગ પરસ્પર સાપેક્ષ હોય તો જ પ્રમાણભૂત છે, પણ જો પરસ્પર નિરપેક્ષ હોય તો અપ્રમાણરૂપ છે.” આ પદાર્થને દર્શાવવા માટે ગ્રંથકારશ્રી સૌપ્રથમ દ્રવ્યાર્થિકનયને માન્ય દર્શનનું સ્વરૂપ અને પર્યાયાર્થિકનયને માન્ય જ્ઞાનનું સ્વરૂપ ४९॥ छ - गाथा : जं सामण्णग्गहणं दसणमेयं विसेसियं णाणं । दोण्ह वि णयाण एसो पाडेक्कं अत्थपज्जाओ ।।१।। छाया : यद् सामान्यग्रहणं दर्शनमेतद् विशेषितं ज्ञानम् । द्वयोरपि नययोरेष प्रत्येकमर्थपर्यायः ।।१।। अन्वयार्थ : जं = 3 (वस्तुनुं) सामण्णग्गहणं = सामान्य३५ ॥ एयं = ते दंसणं = हर्शन. विसेसियं = वस्तुनु विशेष३५ अडते णाणं = शान. दोण्ह वि = बने ५। णयाण = नयोनो एसो = 240 (uन भने शन) पाडेक्कं = प्रत्ये:-भिन्न भिन्न अत्थपज्जाओ = अर्थपर्याय छ અર્થાતું બંને નયો આવા પ્રકારના ભિન્ન ભિન્ન વિષયને ગ્રહણ કરનાર છે. 2010_02 Page #138 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-१ ગાથાર્થ (દ્રવ્યાસ્તિકનયની માન્યતા છે કે વસ્તુ સામાન્યસ્વરૂપ જ છે) જે (દ્રવ્યાસ્તિકનયને માન્ય એવા) સામાન્યનું ગ્રહણ તે દર્શન કહેવાય છે, (પર્યાયાસ્તિકનયની માન્યતા છે કે વસ્તુ વિશેષસ્વરૂપ જ છે તે) વિશેષનું ગ્રહણ જ્ઞાન કહેવાય છે. દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિક આ બંને નયોનો આ પ્રત્યેક અર્થપર્યાય છે અર્થાત્ આ બંને નયો આવા પ્રકારના ભિન્ન ભિન્ન વિષયને ગ્રહણ કરનારા છે. (૧) તાત્પર્યાર્થ : જૈનશાસનમાં “નાણું ચ દંસણું ચૈવ” ઈત્યાદિ નવતત્ત્વ પ્રકરણની ગાથા અનુસાર જીવના છ લક્ષણો પૈકી એક લક્ષણ તરીકે ઉપયોગ જણાવવામાં આવેલ છે. તેના બે ભેદ છે : એક નિરાકાર અને બીજો સાકાર. નિરાકારોપયોગ પદાર્થના સામાન્યસ્વરૂપને ગ્રહણ કરનાર છે જેને દર્શન કહેવાય છે અને સાકારોપયોગ પદાર્થના વિશેષસ્વરૂપને ગ્રહણ કરનાર છે જેને જ્ઞાન કહેવાય છે. આ બંને ઉપયોગો પરસ્પર ઈતર ઉપયોગને ગૌણ કરી પોતાના વિષયને જણાવે તો તે પ્રમાણભૂત કહેવાય છે, પણ જો પરસ્પર ઈતર ઉપયોગનો અપલાપ કરી પોતાના વિષયને જણાવે તો તેવા પ્રકારના વિષયનો જ અભાવ હોવાથી તે ઉપયોગ નિર્વિષયક બનવાથી તથા સામાન્ય-વિશેષ ઉભય સ્વરૂપાત્મક વસ્તુના એક સ્વરૂપનો ત્યાગ કરી એકાંતે એક સ્વરૂપને સ્વીકારનાર ઉપયોગનો જ અભાવ હોવાથી તે ઉપયોગ અપ્રમાણભૂત બને છે. ગ્રાહ્ય એવી વસ્તુનો આકાર-રૂપ જેમાં સ્પષ્ટ થયો ન હોય તેવા ઉપયોગને દર્શનનોપયોગ કહેવાય છે અને જેમાં ગ્રાહ્ય વસ્તુનાં આકારો-રૂપો સ્પષ્ટ થયાં હોય તેવા ઉપયોગને જ્ઞાનોપયોગ કહેવાય છે. દર્શનસ્વરૂપ નિરાકારોપયોગ વિષયવસ્તુનું દ્રવ્યાસ્તિકનયને માન્ય એવું સામાન્યસ્વરૂપ ગ્રહણ કરે છે. જ્યારે જ્ઞાનસ્વરૂપ સાકારોપયોગ વિષયવસ્તુનું પર્યાયાસ્તિકનયને માન્ય એવું વિશેષ સ્વરૂપ ગ્રહણ કરે છે. આ ગાથાની ટીકામાં પૂજ્ય અભયદેવસૂરિ મહારાજાએ સાકારોપયોગ અને નિરાકારોપયોગની વ્યાખ્યા સ્પષ્ટ કરી તે ક્યારે પ્રમાણભૂત બને છે અને ક્યારે અપ્રમાણભૂત બને છે તેની રજૂઆત કરી છે. તે પછી અન્ય અન્ય દર્શનકારો સંમત પ્રમાણ સામાન્યનું લક્ષણ રજૂ કરી તેમાં દૂષણો આપી સિદ્ધાંતમાન્ય પ્રમાણનું લક્ષણ સ્પષ્ટ કર્યું છે. ત્યાર બાદ પ્રમાણવિશેષનું નિરૂપણ કર્યું છે. તેમાં સૌ પ્રથમ તૈયાયિકમાન્ય પ્રત્યક્ષપ્રમાણનું લક્ષણ અને નૈયાયિકો વડે કરાયેલા બૌદ્ધ-વિંધ્યવાસીય-જૈમિનીય વગેરેને માન્ય પ્રત્યક્ષપ્રમાણના લક્ષણનું ખંડન રજૂ કર્યું છે. ત્યાર બાદ સિદ્ધાંતિએ તૈયાયિકમાન્ય પ્રત્યક્ષપ્રમાણનું લક્ષણ ખંડિત કર્યું છે, તે પછી પ્રાપ્યકારી અને અપ્રાપ્યકારી ઈન્દ્રિયોનું સ્વરૂપ ચચ્યું છે, અંધકાર ભાવસ્વરૂપ કે અભાવસ્વરૂપ તેનું નિરૂપણ કર્યું છે. પછી સિદ્ધાંતમાન્ય પ્રત્યક્ષપ્રમાણ અને તેના ભેદોનું નિરૂપણ કર્યું છે, તે પછી ચાર્વાકમાન્ય અનુમાનપ્રમાણના અભાવની રજૂઆત કરી બૌદ્ધમાન્ય અનુમાન પ્રમાણ વડે ચાર્વાકની વાતનું ખંડન કરી તૈયાયિકમાન્ય અનુમાનની અનેક વ્યાખ્યાઓ રજૂ કરવામાં આવી છે અને ત્યાર બાદ બૌદ્ધમાન્ય અનુમાનના 2010_02 Page #139 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-२ લક્ષણ વડે તૈયાયિકમાન્ય અનુમાનનું ખંડન તથા મીમાંસકમાન્ય અનુમાનનું લક્ષણ બૌદ્ધમતને અનુસરનાર છે તેનું વર્ણન કર્યું છે. આગળ વધતાં પ્રમાણની સંખ્યાનું નિરૂપણ કરતાં ટીકારારશ્રીએ બૌદ્ધમાન્ય “પ્રત્યક્ષ અને અનુમાન' આ બે પ્રમાણ છે તેનું વર્ણન, મીમાંસકમાન્ય “શબ્દ” પણ પ્રમાણ છે તેનું સ્થાપન, મીમાંસક વડે ‘ઉપમાનનું અન્ય પ્રમાણ તરીકે સ્થાપન, નૈયાયિકમાન્ય ઉપમાન'નું સ્વરૂપવર્ણન અને પ્રમાણાતર તરીકે સ્થાપન, મીમાંસકમાન્ય અર્થપત્તિ'નું અન્ય પ્રમાણ તરીકે સમર્થન, મીમાંસકે રજૂ કરેલ‘અભાવ'નું અન્ય પ્રમાણ તરીકે સમર્થન વગેરે પદાર્થોની ચર્ચા કરી છે. ત્યારબાદ પ્રત્યક્ષ અને અનુમાન એ બે પ્રમાણમાં જ અંતર્ભાવ પામતાં હોવાથી મીમાંસક વગેરેને માન્ય “ઉપમાન વગેરે અન્ય પ્રમાણો અપ્રમાણભૂત છે તેવું બૌદ્ધમતનું વર્ણન પરમાર્થથી નહિ પણ વિભાગીકરણના ઉદ્દેશથી સ્વસિદ્ધાંત મુજબ સ્વીકારી સિદ્ધાંતમાન્ય “પ્રત્યક્ષ અને પરોક્ષ બે જ પ્રમાણ છે તેનું વ્યવસ્થાપન ટીકાકારશ્રીજી વડે કરવામાં આવ્યું છે અને ત્યાર પછી મુખ્યવૃત્તિથી અને સંવ્યવહારથી પરોક્ષપ્રમાણનો સ્વરૂપ વિભાગ બતાવ્યો છે. (૧) दर्शनज्ञानस्वरूपौ द्रव्यास्तिकपर्यायास्तिकनयौ परस्परसापेक्षौ एव प्रमाणमिति दर्शयन्नाह - दवट्ठिओ वि होऊण दंसणे पज्जवट्ठिओ होइ । उवसमियाईभावं पडुच णाणे उ विवरीयं ।।२।। दर्शने सामान्यग्राहके विषयभूतः आत्मादिर्द्रव्यास्तिकोऽपि भूत्वा द्रव्यास्तिकनयग्राह्यः सामान्यरूपोऽपि सन् पर्यायास्तिकः पर्यायास्तिकनयग्राह्यो विशेषरूपोऽपि भवति । ज्ञाने विशेषग्राहके तु औपशमिकादिभावमौपशमिक-क्षायिक-क्षायोपशमिकादीन् भावान् प्रतीत्य आश्रित्य वैपरीत्यं विशेषरूपः सन् सामान्यरूपतां प्रतिपद्यते । - इदमंत्र हृदयम - सर्वेऽपि पदार्थाः सामान्यविशेषोभयरूपाः । किञ्चिदपि वस्तु विशेषविकलं सामान्यात्मकं तथा सामान्यविकलं विशेषात्मकं न संभवति । यद्दर्शनं वस्तुनः सामान्यस्वरूपं प्रधानरूपेण विशेषस्वरूपं च गौणरूपेण गृह्णाति तथा यज्ज्ञानं वस्तुनो विशेषरूपं प्रधानभावेन सामान्यरूपं च गौणरूपेण गृह्णाति ते एव दर्शनज्ञाने पारमार्थिके । यत्तु दर्शनं विशेषधर्मं परिहाय सामान्यात्मकं वस्तुस्वरूपमेव गृह्णाति तथा यज्ज्ञानं सामान्यधर्मं त्यक्त्वा विशेषधर्मात्मकं वस्तुस्वभावमेव स्वीकरोति तेऽप्रमाणीभूते एव ।।२।। 2010_02 Page #140 -------------------------------------------------------------------------- ________________ સંમતિતર્જાપ્રને, જાવુ-૨, ગાથા-૨ અવ. : પરસ્પર સાપેક્ષ એવા દર્શનોપયોગસ્વરૂપ અને જ્ઞાનોપયોગસ્વરૂપ દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય પ્રમાણભૂત છે એ જણાવતાં કહે છે ગાથા : છાયા : - दव्वट्ठिओ वि होऊण दंसणे पज्जवट्ठिओ होइ । उवसमियाईभावं पडु णाणे उ विवरीयं ॥ २ ॥ द्रव्यास्तिकोऽपि भूत्वा दर्शने पर्यायास्तिको भवति । औपशमिकादिभावं प्रतीत्य ज्ञाने तु विपरीतम् ।।२।। = અન્નયાર્થ : કંસને = દર્શનોપયોગમાં ટ્વિઞોઽવિ = દ્રવ્યાસ્તિક પણ-સામાન્યરૂપે પણ હોળ થઈને પદ્મવર્કિંગો = પર્યાયાસ્તિક-વિશેષરૂપે દોડ્ હોય છે. ૩ = વળી, બાળે = જ્ઞાનોપયોગમાં વમિયામાત્રં ઔપમિક વગેરે ભાવને પડુ = આશ્રયીને વિવરીય = વિપરીતપણું - વિશેષરૂપે પણ થઈને સામાન્યરૂપે હોય છે. તાત્પર્યાર્થ : વિશ્વમાં આત્મા વગેરે દરેક વિષયો સામાન્ય-વિશેષ ઉભયાત્મક છે; તેથી પ્રશ્ન થાય છે કે, જ્યારે જીવ એ વિષયને સામાન્યરૂપે ગ્રહણ કરે છે અને જ્યારે વિશેષરૂપે ગ્રહણ કરે છે, ત્યારે એ બે સ્થિતિ વચ્ચે એ વિષયમાં કાંઈ તફાવત હોય છે ખરો ? એનો ઉત્તર અહીં આપેલો છે. ગાથાર્થ : દર્શનોપયોગ સમયે આત્મા દ્રવ્યાસ્તિકરૂપે અર્થાત્ સામાન્યરૂપે જણાતો હોવા છતાં પર્યાયાસ્તિકરૂપે અર્થાત્ વિશેષરૂપે પણ હોય છે. જ્યારે જ્ઞાનોપયોગ વખતે તો ઔપશમિક આદિ ભાવોની અપેક્ષાએ તેથી ઊલટું છે અર્થાત્ વિશેષરૂપે જણાવવા છતાં તે દ્રવ્યાસ્તિકરૂપે અર્થાત્ સામાન્યરૂપે પણ હોય છે. (૨) દર્શનકાળમાં અને જ્ઞાનકાળમાં ગ્રાહ્ય વસ્તુમાં કાંઈ ફરક પડતો નથી; વસ્તુ તો ઉભયસ્વરૂપે જ હોય છે. ફરક પડતો હોય તો તે એટલો જ કે જ્યારે અમુક વિષય દર્શનકાળમાં સામાન્યરૂપે જણાય છે, ત્યારે તેનું વિશેષરૂપ કાયમ હોવા છતાં દર્શનોપયોગની મર્યાદા હોવાથી તે વખતે જણાતું નથી. એ જ રીતે અમુક વિષય જ્ઞાનકાળમાં વિશેષરૂપે જણાય છે ત્યારે તેનું સામાન્યરૂપ કાયમ હોવા છતાં તે વખતે જણાતું નથી. 2010_02 દા.ત. આત્મામાં ચૈતન્ય વગેરે સામાન્યધર્મો પણ રહેલા છે અને ઔપશમિક, ક્ષાયિક વગેરે ભાવોરૂપ વિશેષધર્મો પણ રહેલા છે. તે પૈકી આત્મા જ્યારે દર્શનોપયોગમાં ચૈતન્ય આદિ સામાન્યસ્વરૂપે જણાય છે, ત્યારે પણ તે ઔપશમિક, ક્ષાયિક આદિ ભિન્ન-ભિન્ન ભાવોરૂપ વિશેષોની અપેક્ષાએ વિશેષાત્મક હોય છે જ; માત્ર એ વિશેષો તે વખતે જણાતા નથી. તેથી ९५ = Page #141 -------------------------------------------------------------------------- ________________ ९६ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-३ ઊલટું, જ્યારે જ્ઞાનોપયોગમાં ઔપથમિક-ક્ષાયિક વગેરે ભિન્ન ભિન્ન ભાવરૂપ વિશેષસ્વરૂપે જણાય છે, ત્યારે પણ ચૈતન્ય આદિ સામાન્યસ્વરૂપ હોય છે જ, છતાં તે વખતે તેનું તે સ્વરૂપ જણાતું નથી. સારાંશ એ છે કે, દર્શનકાળમાં વિષયનો વિશેષ અંશ જણાતો ન હોવાથી ગૌણ છે, અને જ્ઞાનકાળમાં વિષયનો સામાન્ય અંશ જણાતો ન હોવાથી ગૌણ છે. (૨) सामान्यतः क्रमवाद-युगपदुपयोगद्वयवाद-एकोपयोगवादरूपास्त्रयो वादाः शास्त्रे प्रसिद्धाः । तत्र युगपदुपयोगद्वयवादं दर्शयन्नाह - मणपज्जवणाणतो णाणस्स य दरिसणस्स य विसेसो । केवलणाणं पुण दंसणं ति णाणं ति य समाणं ॥३॥ मनःपर्यायज्ञानान्तो मनःपर्यायज्ञानमन्तो यस्य स तथा ज्ञानस्य च दर्शनस्य च विलेषः पृथग्भावो भिन्नकालवर्त्तित्वमित्यर्थः, केवलज्ञानं पुनः केवलोपयोगः पुनदर्शनमिति दर्शनोपयोगस्वरूपः सन् ज्ञानमिति च ज्ञानोपयोगस्वरूपः सन् समानं समानकालं युगपदेवेति भावः । इदमत्र ज्ञेयम् - चक्षुरचक्षुरवधिज्ञानानि चक्षुरचक्षुरवधिदर्शनेभ्यः पृथक्कालानि, अदर्शनस्वभावे च श्रुतज्ञान-मनःपर्यायज्ञानेऽपि मत्यवधिज्ञानदर्शनोपयोगाद् भिन्नकालवर्तिनी, छद्मस्थोपयोगात्मकज्ञानत्वात् । छद्मस्थोपयोगस्वाभाव्यादेव कदाचिज्ज्ञानोपसर्जनो दर्शनोपयोगः प्रवर्तते, कदाचित्तु दर्शनोपसर्जनो ज्ञानोपयोगः इति क्रमेण दर्शनज्ञानोपयोगौ । केवलिगतज्ञानदर्शनोपयोगौ तु तथाभूताप्रतिहताविर्भूततत्स्वभावत्वात् समकालीनौ अर्थात् यदैव केवली जानाति तदैव पश्यतीत्यभिप्रायः ।।३।। અવ. સામાન્યથી શાસ્ત્રમાં ઉપયોગ અંગે ત્રણવાદ પ્રસિદ્ધ છે. ૧-ક્રમવાદ, ૨-સહવાદ અને ૩-એક ઉપયોગવાદ. તે પૈકી સૌ પ્રથમ “છઘસ્થના જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ ક્રમિક હોય છે, જ્યારે ક્ષાયિક જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ યુગપદ્ વર્તે છે આવા પ્રકારના સહવાદની માન્યતાને જણાવતાં આચાર્ય ભગવંત જણાવે છે કેगाथा : मणपज्जवणाणतो णाणस्स य दरिसणस्स य विसेसो । केवलणाणं पुण दंसणं ति णाणं ति य समाणं ।।३।। 2010_02 Page #142 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-३ છેTય : __ मनःपर्यायज्ञानान्तो ज्ञानस्य च दर्शनस्य च विश्लेषः । केवलज्ञानं पुनदर्शनमिति ज्ञानमिति च समानम् ।।३।। અન્યથાર્થ : માર્નિવUTiતો = મન:પર્યાયજ્ઞાન સુધી પU = જ્ઞાનનો ૨ = અને રિસારસ = દર્શનનો = અને વિસા = વિશ્લેષ છે અર્થાતુ બંને ભિન્નકાળમાં થનારા છે. પુપ = વળી, વUિITUi = કેવલ નામનો બોધ દંપતિ = દર્શનરૂપે હોય ચ = અને પતિ = જ્ઞાનરૂપે હોય (તે) સમાપ = ત્યારે સમકાલભાવી. ગાથાર્થ ઃ મન:પર્યાયજ્ઞાન સુધીના ચારે જ્ઞાનમાં જ્ઞાનોપયોગનો અને દર્શનોપયોગનો વિશ્લેષ છે અર્થાત્ બંને ઉપયોગ ભિન્નકાળે થાય છે. જ્યારે કેવળ નામનો બોધ દર્શન સ્વરૂપે હોય કે જ્ઞાનસ્વરૂપે હોય તે બંને સમાનકાલીન હોય છે. (૩) તાત્પર્યાર્થ : પ્રસ્તુત કાંડની પ્રથમ ગાથામાં દર્શનોપયોગની અને જ્ઞાનોપયોગની આપેલી પારિભાષિક વ્યાખ્યા જોતાં તેમ જ દર્શનોપયોગમાં વિશેષનો અને જ્ઞાનોપયોગમાં સામાન્યનો બોધ થતો નથી એ કથન જોતાં ત્રણ પ્રશ્નો થાય છે. - શું દર્શન અને જ્ઞાન એ બંને એક જ જીવના ભિન્ન ભિન્ન સમયભાવી વ્યાપારો છે ? કે - શું તે બંને એકસમયભાવી વ્યાપારો છે ? કે - શું તે એક જ જીવવ્યાપારના ગ્રાહ્ય એવા સામાન્ય-વિશેષરૂપ વિષયના ભેદની અપેક્ષાથી બે જુદાં જુદાં નામો છે ? એ પ્રશ્નોનો ઉત્તર આપવા ગ્રંથકારશ્રી આ ગાથામાં મતભેદ વિનાની સર્વમાન્ય બાબત પહેલાં મૂકે છે અને પછી મતભેદવાળી બાબત સંબંધી એક જ સમયમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન માનનારા સહવાદપક્ષની માન્યતાને રજૂ કરે છે. જૈન શાસ્ત્રમાં પાંચ પ્રકારના જ્ઞાન અને ચાર પ્રકારના દર્શન કહેવાયા છે. ૫ જ્ઞાન : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવલજ્ઞાન. ૪ દર્શન : ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શન. તેમાં પ્રથમ ૪ જ્ઞાન અને ૩ દર્શન છદ્મસ્થ જીવોને હોય છે. છાણ્યિક ઉપયોગનો તેવા પ્રકારનો સ્વભાવ છે કે એક જ સમયમાં શેય પદાર્થના સામાન્ય અને વિશેષ બન્ને સ્વરૂપને ગ્રહણ કરવા અસમર્થ છે. સામાન્યગ્રાહી દર્શનોપયોગના કાલમાં વસ્તુના વિશેષ સ્વરૂપનો બોધ થતો નથી અને વિશેષગ્રાહી જ્ઞાનોપયોગના કાલમાં વસ્તુનું સામાન્ય સ્વરૂપ જણાતું નથી. 2010_02 Page #143 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-४ આ જ વાતને તર્ક દ્વારા વધુ સ્પષ્ટ કરે છે. જેમ શ્રુતજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન વિશેષ વિષયવાળા છે અર્થાત્ વસ્તુને વિશેષ સ્વરૂપે જ ગ્રહણ કરનારા છે. શ્રુતજ્ઞાન વાક્યાર્થરૂપ વિશેષ વિષયવાળું છે અને મન:પર્યાયજ્ઞાન મનોવર્ગણાના પુગલરૂપ વિશેષ વિષયવાળું છે, તેમાં સામાન્યબોધ સ્વરૂપ દર્શનોપયોગ સંભવતો નથી. આથી બન્ને જ્ઞાન દર્શનોપયોગથી ભિન્ન કાલે થનારા છે, તેમ છદ્મસ્થના ઉપયોગનો તેવા પ્રકારનો સ્વભાવ હોવાને કારણે વિશેષબોધરૂપ ચક્ષજ્ઞાન, અક્ષજ્ઞાન (જે મતિજ્ઞાનના જ બે પ્રકારો છે) અને અવધિજ્ઞાન, સામાન્યબોધરૂપ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શનથી ભિન્ન કાલે થાય છે. તેથી જ છાધ્યસ્થિક જ્ઞાન અને દર્શન, બન્ને ભિન્નકાલવર્તી ઉપયોગો છે અને માટે જ ભિન્ન સિદ્ધ થાય છે. નિરાવરણ કેવલોપયોગની બાબતમાં ગ્રંથકારશ્રી ચાલુ બે પરંપરામાં સહવાદપક્ષને દર્શાવતાં કહે છે કે, કેવલોપયોગની બાબતમાં એમ નથી. એમાં તો જ્ઞાન કહો કે દર્શન કહો બંને સમાનકાળે જ છે. આ કથનનો ફલિત અર્થ એ છે કે, નિરાવરણ ચેતનાનો ઉપયોગ છાબસ્થિક ઉપયોગ કરતાં જુદા પ્રકારનો હોય છે, અર્થાત્ કેવલીમાં વસ્તુના સામાન્યધર્મને ગ્રહણ કરનાર દર્શન અને વિશેષધર્મને ગ્રહણ કરનાર જ્ઞાન સામાનકાળમાં જ હોય છે. જેમ, સૂર્યનો પ્રકાશ અને સૂર્યની ગરમી એક સાથે ઉત્પન્ન થાય છે, તેમ એક સાથે ઉત્પન્ન થવાના સ્વભાવને કારણે કેવલીભગવંતના જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ એકકાલીન થનારા છે. (૩) 'अयमभिप्राय आगमविरोधी'ति वक्तृणां क्रमवादीनां मतं दर्शयित्वा तद् दूषयन् सहवाद्याह केई भणंति "जइया जाणइ तइया ण पासइ जिणो"त्ति । सुत्तमवलंबमाणा तित्थयरासायणाऽभीरू ।।४।। “यदा जानाति तदा न पश्यति जिनः" इति सूत्रम् आगमपाठमवलम्बमानाः स्तम्भीकृताः केचित् पूज्यजिनभद्रगणिक्षमाश्रमणानुयायिनो भणन्ति प्रतिपादयन्ति, उत केवलज्ञानदर्शनयोः सहभावित्वमागमविरोधि, यतः सूत्रे तयोः क्रमभावस्य निरूपितत्वात्” । एते च व्याख्यातारः किल तीर्थकराशातनाऽभीरवस्तीर्थकरस्य आशातनातो न बिभ्यतीति । इदमत्र तात्पर्यार्थम-“यदा जानाति तदा न पश्यति" इत्यादि आगमसूत्रमवलम्बमानाः केचिद् आचार्या ब्रुवते, यत् केवलीगतज्ञानदर्शनोपयोगौ न समकालीनावपि तु क्रमिकावेव । क्रमवादिपक्षस्य तन्मतं निर्दिश्य सहवादी तं प्रत्याक्षिपन् वदति, यदुत - 2010_02 Page #144 -------------------------------------------------------------------------- ________________ સંમતિતÁપ્રરને, જાણ્ડ-૨, ગાથા-૪ ज्ञानदर्शनोपयोगौ क्रमिकाविति स्वीकरणेन सर्वज्ञो न किञ्चिज्जानाति इत्यर्थः प्रतिफलति, उभयात्मकवस्तुनि सति एकरूपग्रहणाभावे अन्यस्वरूपस्यापि ग्रहणाभावात् । तथा अन्यथा निबद्धस्य सूत्रस्यान्यथा व्याख्याकरणाद् मृषाभाषणमपि । तस्मादस्मिन् सूत्रे ...Ä સમય’ શબ્દસ્ય ‘...સ્મન્ સમયે' અર્થ ન રખીય: વિન્તુ ‘તુલ્યમ્’ અર્થ: રીય:, तेन सूत्रे न विसंवाददर्शनम् ।।४।। અવ. “કેવલજ્ઞાન અને કેવલદર્શન સમકાલભાવી છે” આ વચન આગમવિરોધી છે એવું કેટલાક માને છે તે ક્રમવાદીઓને આક્ષેપ આપતાં સહવાદીપક્ષના આચાર્યો જણાવે છે કે - ગાથા : છાયા : ई भांति 'जइया जाणइ तइया ण पासइ जिणो' त्ति । सुत्तमवलंबमाणा तित्थयरासायणाऽभीरू ||४॥ केचिद् भणन्ति यदा जानाति तदा न पश्यति जिन' इति । सूत्रमवलम्बमानास्तीर्थकराशातनाऽभीरवः ।।४।। અન્વયાર્થ : ‘નડ્યા ખાળફ તથા પણ પાસફ નિો' =‘કેવલી જ્યારે જાણે છે ત્યારે જોતા નથી’ ત્તિ = એ પ્રમાણે સુત્ત = સૂત્રનું અવ ંવમાળા = આલંબન લેનારા ડ્ = કેટલાક મતિ = કહે છે, (કે આ વચન આગવિરોધી છે. તેઓ ખરેખર તિત્ત્વવરાસાયડીરૂ = તીર્થંકરની આશાતનાથી ગભરાતા નથી. ९९ ગાથાર્થ : “કેવલી ભગવંત જ્યારે જાણે છે ત્યારે જોતાં નથી અર્થાત્ જ્યારે વસ્તુને વિશેષરૂપે ગ્રહણ કરે છે, ત્યારે સામાન્યરૂપે ગ્રહણ કરતા નથી.” આવા સૂત્રોનું આલંબન કરનારા કેટલાક આચાર્યો કહે છે કે, ‘કેવલજ્ઞાન અને કેવલદર્શન સમકાલભાવી છે' આ વચન આગમવિરોધી છે. તેઓ ખરેખર, તીર્થંકરની આશાતનાથી ડરનારા નથી. (૪) તાત્પર્યાર્થ : ગ્રંથકારશ્રી કેવલોપયોગની બાબતમાં પોતાની પહેલાં પ્રચલિત બે પક્ષો પૈકી સહવાદપક્ષનું ખંડન કરનાર ક્રમવાદપક્ષ શું માને છે તે જણાવે છે. 2010_02 પૂ.આ. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની ક્રમવાદ માન્યતાને અનુસરતા કેટલાક આચાર્યો કહે છે કે, વસ્તુ સ્થિતિ જ એવી છે કે જીવ વસ્તુના સામાન્યસ્વરૂપનું અને વિશેષસ્વરૂપનું ગ્રહણ એક સમયમાં કરી શકતો જ નથી, તેથી તે છાદ્મસ્થિક હોય કે નિરાવરણ, પણ તેના દર્શન અને જ્ઞાન એ બંને વ્યાપારો ક્રમવર્તી જ હોવાના. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સંમતિતપ્રn, ITદુ-૨, આથા-૪ આમ કહેવામાં ક્રમવાદીને ખાસ ટેકો સૂત્રપાઠનો છે. તેઓ સૂત્રના ઉપદેશક તીર્થકરોના મંતવ્યનો લોપ થવાથી ભૂલથી પણ તેમની આશાતના ન થાય એવા ભયથી સૂત્રનો પરંપરાગત શબ્દાર્થ ચાલ્યો આવે છે, તેના આધારે પોતાનો પક્ષ જણાવે છે. પોતાના પક્ષની પુષ્ટિમાં તેઓ કેટલાંક સૂત્રો દર્શાવે છે જેમ કે – "केवली णं भंते ! इमं रयणप्पभं पुढविं आगारेहिं हेतूहिं उवमाहिं दिलैतेहिं वण्णेहिं संठाणेहिं पमाणेहिं पडोयारेहिं जं समयं जाणति तं समयं पासइ ? जं समयं पासइ तं समयं जाणइ ?" “જો મા નો તિબક્કે સમર્ડે ” "से केणढेणं भंते ! एवं वुच्चति-केवली णं इमं रयणप्पभं पुढविं आगारेहिं जं समयं जाणति नो तं समयं पासति, जं समयं पासति नो तं समयं जाणति ? ।" "गोयमा ! सागारे से णाणे भवति, अणागारे से दंसणे भवति, से तेणढेणं जाव णो तं समयं जाणति एवं जाव अहे सत्तमं । एवं सोहम्मकप्पं जाव अच्चुयं गेविज्जगविमाणा अणुत्तरविमाणा ईसीपब्भारं पुढविं परमाणुपोग्गलं दुपदेसियं खंधं जाव अणंतपदेसियं વંધ” - પ્રશાપના રૂ૦, રૂ89, પૃષ્ઠ પરૂ . “પ્રશ્ન-હે ભગવન્! કેવલી આકાર, હેતુ, ઉપમા, દૃષ્ટાંત, વર્ણ, સંસ્થાન, પ્રમાણ અને પ્રત્યવતારો વડે આ રત્નપ્રભા પૃથ્વીને જે સમયે જાણે છે, તે સમયે જુએ છે ? અને જે સમયે જુએ છે, તે સમયે જાણે છે ?” “ઉત્તર-હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી.” “પ્રશ્ન-હે ભગવન્! કેવલી આકાર વગેરે વડે આ રત્નપ્રભા પૃથ્વીને જે સમયે જાણે છે, તે સમયે જોતા નથી; અને જે સમયે જુએ છે, તે સમયે જાણતા નથી, તેનું શું કારણ ?” “ઉત્તર-હે ગૌતમ ! તેમનું જ્ઞાન સાકાર છે અને તેમનું દર્શન અનાકાર છે, તેથી તેઓ જે સમયે જાણે છે, તે સમયે જોતા નથી; અને જે સમયે જુએ છે, તે સમયે જાણતા નથી. એ પ્રમાણે યાવતું અધઃ સાતમી પૃથ્વીથી માંડી સૌધર્મકલ્પથી યાવતું ઈષ~ાભારપૃથ્વી સુધીનું ક્ષેત્ર હોય કે એક પુદ્ગલ પરમાણુથી, દ્ધિપ્રદેશિકઢંધથી યાવતું અનંતપ્રદેશિકઢંધ સુધી જાણવાનો અને જોવાનો ક્રમ સમજી લેવો.” ભગવતી સૂત્રના ૧૪માં શતકના દશમા ઉદ્દેશમાં અને ૧૮માં શતકના આઠમા ઉદ્દેશમાં આ ભાવ જણાવનારાં અનેક સૂત્રો આવે છે. (૪) હવે, તીર્થકરની આશાતના ક્યા સ્વરૂપે છે તે સ્પષ્ટ કરતાં ટીકાકાર મહર્ષિ જણાવે છે કે, પૂ.આ.જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના અનુયાયી એવા આચાર્યોએ ઉપર મુજબ કરેલા અર્થથી એવો અર્થ નીકળે છે કે (૧) તીર્થંકર પરમાત્મા કાંઈપણ જાણતા નથી, અને 2010_02 Page #146 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-४ १०१ (૨) તીર્થંકર પરમાત્મા વડે અન્ય અર્થમાં કહેવાયેલી વાતને તે અર્થથી ભિન્ન અર્થમાં રજૂ કરવાથી ખોટો આક્ષેપ જ થાય છે. આ બે અર્થ પૈકી (૧) તીર્થંકર પરમાત્મા કાંઈ પણ જાણતા નથી, તે આ રીતે - જો વિષયભૂત પદાર્થો સામાન્ય અને વિશેષસ્વરૂપ ઉભયાત્મક છે ત્યારે વિષયિભૂત કેવલબોધ, માત્ર વિશેષસ્વરૂપ હોય કે માત્ર સામાન્યસ્વરૂપ હોય ? જો માત્ર વિશેષસ્વરૂપ છે તેવું માનવામાં આવે તો વિષયિ સામાન્ય રહિત માત્ર વિશેષને ગ્રહણ કરનાર છે, એમ માનવું પડે. પણ સામાન્યરહિત માત્ર વિશેષ હોય તેવા કોઈ વિષયો વિદ્યમાન નથી. તેથી, વિષયનો જ અભાવ હોવાથી જ્ઞાનનો જ અભાવ માનવો પડે. માટે, સર્વજ્ઞ અકિચિહ્ન=કાંઈપણ જાણતા નથી એવું માનવું પડે. વળી, જો વિષયભૂત કેવલબોધ માત્ર સામાન્ય સ્વરૂપ છે તેવું માનવામાં આવે તો વિશેષરહિત માત્ર સામાન્ય વિદ્યમાન હોય તેવા પણ વિષયોનો જ અભાવ હોવાથી નિર્વિષયક એવા દર્શનનો પણ અભાવ થવાથી કેવલીભગવંત કાંઈ જોતા નથી એવું માનવું પડે. હવે જો, કેવલીને જ્ઞાન અને દર્શન ક્રમિક માનવામાં આવે તો જ્યારે કેવલી જાણે છે ત્યારે જોતા નથી અને જુએ છે ત્યારે જાણતા નથી અર્થાત્ બેમાંથી એક ઉપયોગનો અભાવ હોવાથી અન્યતરનો પણ અભાવ જ હોય છે તેથી, કેવલી પૂર્વની જેમ અકિચિત્ત અને અકિંચિદુર્શી માનવા પડશે. અથવા જેમ સામાન્ય અને વિશેષ ઉભયસ્વરૂપ વસ્તુને માત્ર સામાન્ય તરીકે જ ગ્રહણ કરનાર સાંખ્યોનું જ્ઞાન વિપર્યસ્ત છે તેમ સામાન્યગ્રાહિ કેવલદર્શનને પણ વિપર્યસ્ત જ માનવું પડશે તથા જેમ ઊભયાત્મક વસ્તુને માત્ર વિશેષ તરીકે જ ગ્રહણ કરનાર બુદ્ધનું જ્ઞાન વિપર્યસ્ત છે તેમ વિશેષગ્રાહિ કેવલજ્ઞાનને પણ વિપર્યસ્ત જ માનવું પડશે. (૨) સૂત્રનો જે અર્થ હોય તેનાથી અન્યથા અર્થ કરવાથી ખોટા આક્ષેપો પણ ઘટે છે કે જેના વડે તીર્થકર ભગવંતની આશાતના થાય છે. આ પ્રજ્ઞાપના સૂત્રનો જે અર્થ પૂર્વમાં કરવામાં આવ્યો તે તેનો સાચો અર્થ નથી, પણ આ મુજબ છે. સમર્થ શબ્દનો “જે સમયે=જ્યારે’ અર્થ ન કરવો પણ સમ = “સાથે=તુલ્ય' અર્થ કરવો. “કેવલીભગવંત આ રત્નપ્રભા નામની પૃથ્વીને જે આકાર વગેરેથી તુલ્ય જાણે છે તે આકાર વગેરેથી તુલ્ય જોતા નથી. આવું શા માટે ? તેનું કારણ પૂછતાં જણાવ્યું કે, જ્ઞાન સાકાર હોય છે અને દર્શન નિરાકાર હોય છે.” અર્થાત્ જ્ઞાન અને દર્શન બંને બોધ ભિન્ન આલંબનવાળા છે. આ રીતે, તીર્થકરોની આશાતના થાય છે. 2010_02 Page #147 -------------------------------------------------------------------------- ________________ १०२ आगमेन केवलज्ञानदर्शनयोः यौगपद्यमभिधायानुमानेनापि तदभिधातुं सहवाद्याह केवलणाणावरणक्खयजायं केवलं जहा णाणं । तह दंसणं पि जुज्जइ णियआवरणक्खयस्संते ।। ५ ।। संमतितर्कप्रकरणे, काण्ड - २, गाथा-५-८ केवलज्ञानावरणक्षयजातं केवलज्ञानावरणीयकर्मणः क्षये सत्युत्पन्नं केवलं केवलावबोधं यथा ज्ञानं विशेषावबोधस्वभावं तथा तदैव निजावरणक्षयस्यान्ते केवलदर्शनावरणीयकर्मणः क्षये सति दर्शनमपि सामान्यावबोधस्वभावमपि युज्यते उत्पद्यताम् । इदमत्र कथनीयम् - द्वादशगुणस्थानकान्ते यथा केवलज्ञानावरणीयकर्म क्षयति तथा केवलदर्शनावरणीयकर्मापि । एकस्य क्षये उत्पन्नं केवलज्ञानं यथा स्वीक्रियते तथाऽपरस्य क्षये तदैवोत्पन्नं केवलदर्शनं किं नाङ्गीक्रियते ? अविकले कारणे विद्यमाने सति कार्यानुत्पत्तिर्न युक्ता । तस्मात् केवलज्ञानदर्शनयोर्न क्रमवर्तित्वम्, किन्तु यौगपद्यमेव ।।५ ।। पुनरपि सहवाद्यनुमानेन केवलज्ञानदर्शनयोर्योगपद्यं दर्शयन्नाह - भण्णइ खीणावरणे जह मइणाणं जिणे ण संभवइ । तह खीणावरणिज्जे विसेसओ दंसणं नत्थि ||६|| यथा क्षीणावरणे क्षीणं- नष्टम् आवरणं घातिकर्मचतुष्टयरूपं यस्य सः तस्मिन् तथा जिने केवलिनि मतिज्ञानमाभिनिबोधिकज्ञानमुपलक्षणात् श्रुताऽवधि - मनः पर्यायज्ञानानि न संभवति इति भण्यते निष्टिशत्योच्यते तथा क्षीणावरणीये तस्मिन्नेव केवलिनि विशेषतो वि लेषतः केवलज्ञानोपयोगाद्भिन्नकाले दर्शनं केवलदर्शनं नास्ति न संभवतीत्यप्यभ्युपगन्तव्यम् । - इदमत्र ध्येयम् - संपूर्णज्ञानावरणीयकर्मणि क्षये सति यथा केवलिनि केवलज्ञानाद्भिन्नानि मत्यादिज्ञानानि न संभवन्ति तथा तस्मिन्नेव केवलिनि दर्शनावरणीयकर्मणि क्षये सति केवलज्ञानाद्भिन्नकालभावि केवलदर्शनं कथं युज्यते ? यतः क्रमिकोपयोगो मत्यादिरूपो मत्यादीनां चाभावे केवलिनि क्रमिकोपयोगस्याप्यभावात् ।। ६ ।। 2010_02 Page #148 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-५-८ १०३ न केवलं क्रमवादिनोऽनुमानविरोधः, किन्त्वागमविरोधोऽपीत्याह - सुत्तम्मि चेव साई अपज्जवसियं ति केवलं वुत्तं । सुत्तासायणभीरूहि तं च दट्टब्वयं होइ ।।७।। “केवलं साद्यपर्यवसितं” केवलज्ञानदर्शने साद्यनन्ते इति सूत्रे एव आगमे एवोक्तं प्रतिपादितम् । सूत्राशातनाभीरूभिः सूत्रस्य आशातनेभ्यो बिभ्यद्भिः क्रमोपयोगवादिभिस्तञ्च तदपि सूत्रं द्रष्टव्यं पर्यालोचनीयं भवति, अत्र 'च'शब्दोऽप्यर्थको ज्ञेयः ।। इदमत्र समूह्यम् - केवलज्ञानदर्शने आगमे साद्यनन्तरूपे प्ररूपिते । द्वावपि उपयोगी यदि क्रमिकौ तर्हि केवलज्ञानोपयोगकाले केवलदर्शनस्य तथा केवलदर्शनोपयोगकाले केवल ज्ञानस्याभावात् सादिसान्तरूपेणैव तौ घटेते । तस्मादागमाविरोधद्वारेण केवलज्ञानदर्शनयोयोगपद्यमेव घटते न तु क्रमवर्त्तित्वम् ।।७।। तदेव स्पष्टयन्नाह - संतम्मि केवले दसणम्मि णाणस्स संभवो णत्थि । केवलणाणम्मि य दंसणस्स तम्हा सणिहणाई ।।८।। केवलज्ञानदर्शयोः क्रमोत्पादे स्वीकृते केवलदर्शने सति केवलदर्शनोपयोगकाले नास्ति ज्ञानस्य संभवः केवलज्ञानस्य उपयोगो न संभवति, केवलज्ञाने च केवलज्ञानोपयोगकाले च दर्शनस्य केवलदर्शनस्योपयोगोऽपि न संभवति । तस्मात सनिधने केवलज्ञानदर्शने सान्ते एव घटेते, तन्न युक्तम् । ततः केवलज्ञानदर्शनयोर्योगपद्यमेव स्वीकरणीयम् । ज्ञानबिन्दौ ‘तम्हा सनिहणाई' इति स्थाने 'तम्हा अनिहणाई' इति पाठः । तस्य चायमर्थः - तस्मात् केवलिनो द्वावपि उपयोगौ स्वरूपतोऽनिधनौ अनन्तावेव । अस्या गाथाया भावार्थस्तूक्तप्रायः ।।८।। 2010_02 Page #149 -------------------------------------------------------------------------- ________________ १०४ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-५-८ छाया: गाथा: અવ. આગમ વડે જ્ઞાન અને દર્શન સમકાલીન છે એમ જણાવીને અનુમાન વડે પણ જ્ઞાન અને દર્શન એક સમયે થનારા છે એમ જણાવતાં કહે છે કે – गाथा : केवलणाणावरणक्खयजायं केवलं जहा णाणं । तह दंसणं पि जुज्जइ णियआवरणक्खयस्संते ।।५।। केवलज्ञानावरणक्षयजातं केवलं यथा ज्ञानं । तथा दर्शनमपि युज्यते निजावरणक्षयस्यान्ते।।५।। अन्वयार्थ : केवलणाणावरणक्खयजायं = BRAN२९॥ ॥ क्षय 43 उत्पन्न थयेव केवलं = वो जहा = सेभ णाणं = न. २१३५ जुज्जइ = घटे छ. तह = तेम नियआवरणक्खयस्संते = पोताना ॥२९॥नो क्षय थये छत (Baawोध) दंसणं पि = शन३५ ५५५ जुज्जइ = 42वो . भण्णइ खीणावरणे जह मइणाणं जिणे ण संभवइ । तह खीणावरणिज्जे विसेसओ दंसणं नत्थि ।।६।। भण्यते क्षीणावरणे यथा मतिज्ञानं जिने न संभवति । तथा क्षीणावरणीये विश्लेषतो दर्शनं नास्ति ।।६।। अन्वयार्थ : जह = हेम, खीणावरणे = ॥१२॥ ॥२ थवाथी जिणे = ठेवलीमi मइणाणं = भतिन न संभवइ = संभवतुं नथी, मे भण्णइ = निश्ययपूर्व स्वी॥२॥य छ. तह = तम, खीणावरणिज्जे = ॥१२॥ नाथ थपथी विसेसओ = विश्वेषयी - नथी मनमा दंसणं = उक्साशन नत्थि = नथी. सुत्तम्मि चेव साई अपज्जवसियं ति केवलं वुत्तं । सुत्तासायणभीरूहि तं च दट्ठव्वयं होइ ।।७।। सूत्र एव साद्यपर्यवसितमिति केवलमुक्तम् । सूत्राशातनाभीरुभिस्तञ्च द्रष्टव्यं भवति ।।७।। छाया: गाथा: छाया: 2010_02 Page #150 -------------------------------------------------------------------------- ________________ સંમતિતńપ્રજળે, જાણ્ડ-૨, ગાથા-૬-૮ અન્નવાર્થ : વરું = કેવલજ્ઞાન અને કેવલદર્શન સારૂં અપન્નવસિય = સાદિ અનંત = આ પ્રમાણે સુત્તમ = સૂત્રમાં ચેવ – જ વ્રુત્ત = કહેવાયું છે. સુત્તાસાયળમીરુતિ = સૂત્રની આશાતનાથી ડરનારાઓ વડે તેં = = સૂત્ર પણ વધુળ્વયં હોર્ = જોવા યોગ્ય છે. તે ગાથા : છાયા : संतम्मि केवले दंसणम्मि णाणस्स संभवो णत्थि । केवलणाणम्मिय दंसणस्स तम्हा सणिहणाई | ८ || सति केवले दर्शने ज्ञानस्य संभवो नास्ति । केवलज्ञाने च दर्शनस्य तस्मात् सनिधने ॥ ८ ॥ અન્નવાર્થ : વહે વુંસમ = કેવલદર્શન સંમ્નિ = હોતે છતે બાળK = કેવલજ્ઞાનનો વહ ગામિ ય = અને કેવલજ્ઞાન હોતે છતે વંસળK : કેવલદર્શનનો સંભવો = સંભવ સ્થિ = નથી. તદ્દા = તેથી, સળિહળાટ્ટ્ = કેવલજ્ઞાન અને કેવલદર્શન સાંત ઘટે છે. १०५ = ગાથાર્થ : કેવલજ્ઞાનાવરણીયકર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ કેવલબોધ જેમ જ્ઞાનસ્વરૂપ ઘટે છે, તેમ પોતાના આવરણના ક્ષયથી અર્થાત્ દર્શનાવરણીયકર્મના ક્ષયથી કેવલબોધ દર્શનરૂપ પણ ઘટવો જોઈએ. (૫) મતિજ્ઞાનાવરણીયકર્મનો ક્ષય થતાં કેવલીભગવંતમાં જેમ મતિજ્ઞાન સંભવતું નથી એ પ્રમાણે સ્વીકારાય છે, તેમ દર્શનાવરણીયકર્મનો ક્ષય થતાં કેવલીભગવંતમાં જ્ઞાનોપયોગથી ભિન્નકાળમાં દર્શનોપયોગ સંભવતો નથી, એ પ્રમાણે સ્વીકારવું જોઈએ. (૬) 2010_02 “કેવલજ્ઞાન અને કેવલદર્શન એ સાદિ અનંત છે” આ પ્રમાણે સૂત્રમાં જ કહેવાયું છે. માટે, સૂત્રની આશાતનાથી ડરનારાઓ વડે આ સૂત્ર પણ વિચારવું જોઈએ. (૭) ક્રમિક માને છતે કેવલદર્શન હોય ત્યારે કેવલજ્ઞાનનો સંભવ નથી, તેમજ કેવલજ્ઞાન વખતે કેવલદર્શનનો પણ સંભવ નથી; તેથી એ બન્ને અંતવાળાં ઘટે છે. (૮) વિશેષાર્થ : જ્ઞાનબિંદુ ગ્રંથમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ ગાથા-૮ના છેલ્લા ચરણ તરીકે ‘તદ્દા અનિંદરૂં' ગ્રહણ કરી અર્થ કરેલ છે. અર્થાત્ ‘કેવલીના જ્ઞાન અને દર્શન બંને સ્વરૂપથી અનંત છે.' તાત્પર્યાર્થ : મુખ્યપણે યુક્તિબળનું આલંબન લેનારા સહવાદી પક્ષને જ ગ્રંથકાર અહીં Page #151 -------------------------------------------------------------------------- ________________ १०६ સંતિતર્દપ્રક્ટર, ઇ-૨, નાથા-૬-૮ ક્રમપક્ષની સામે સમાલોચક તરીકે મૂકી તેની પાસે ક્રમવાદનું ખંડન કરાવે છે. સહવાદી અહીં ક્રમવાદી સામે ત્રણ દલીલો મૂકે છે, તે આ પ્રમાણે ૧. યોગ્ય કારણ હોતે છતે કાર્ય ઉત્પન્ન ન થાય તેવું બનતું નથી. માટે, જેમ જ્ઞાનાવરણીયકર્મનો ક્ષય થતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે તેમ દર્શનાવરણીયકર્મનો ક્ષય થતાં કેવલદર્શન ઉત્પન્ન થાય છે અર્થાત્ જ્ઞાનકાળમાં દર્શન પણ સંભવે છે. જેમ વસ્તુ સ્વભાવને લીધે આવરણરહિત સૂર્ય એક સાથે તાપ અને પ્રકાશ પ્રકટાવે છે, તેમ નિરાવરણ ચેતનામાં એક જ સાથે જ્ઞાન-દર્શન પ્રવર્તે છે. વળી, જે રીતે ઘટ અને પટના સ્વસ્વકારણો એકસાથે ઉપસ્થિત થયે છતે ઘટ અને પટ યુગપદ્ ઉત્પન્ન થાય છે તેમ અહીં પણ સમજવું અને જો જ્ઞાનકાળે દર્શન માનવામાં ન આવે તો કેવલજ્ઞાન પણ ઘટી ન શકે. કારણ કે કર્મક્ષયરૂપ કારણ બંનેમાં સમાન રીતે વિદ્યમાન છે છતાં કેવળદર્શનનો નિષેધ થઈ શકે તો તે જ પ્રમાણે કેવળજ્ઞાનનો પણ નિષેધ થઈ જ જાય છે. પ્રશ્ન : જેમ શ્રુતજ્ઞાન વગેરેમાં આવરણનો ક્ષયોપશમરૂપ કારણ ઉપસ્થિત હોવા છતાં પણ ક્યારેક શ્રુત વગેરે ઉત્પન્ન થયેલાં દેખાતાં નથી તેમ કેવલજ્ઞાનમાં પણ સમજવું. ઉત્તર : એવું ન કહેવું, કારણ કે, શ્રુતાદિ જ્ઞાનો ક્ષયોપશમભાવના હોવાને કારણે ત્યાં ક્ષયોપશમ હોવા છતાં ઉત્પન્ન ન થાય તે સંભવી શકે પણ ક્ષાયિકભાવના જ્ઞાનમાં આવું સંભવી ન શકે. વળી, જેમ આવરણ ભિન્ન હોવાથી શ્રુતજ્ઞાન તથા અવધિજ્ઞાન એકાંતે એક નથી તે જ રીતે આવરણ ભિન્ન હોવાથી કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ એક નથી. ૨. સમગ્ર જ્ઞાનાવરણકર્મોનો ક્ષય કરેલ હોવા છતાં જેમ કેવલીમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન આદિ જ્ઞાનો કેવલજ્ઞાનથી જુદાં સંભવતાં નથી, તેમ દર્શનાવરણકર્મનો ક્ષય થયે છતે કેવલીમાં જ્ઞાનથી જુદા સમયમાં દર્શન હોવું ન જ ઘટે. કારણ કે, ક્રમિક ઉપયોગ મતિ વગેરે સ્વરૂપ છે અને તે મતિજ્ઞાન વગેરેનો અભાવ હોતે છતે ક્રમિક ઉપયોગનો પણ અભાવ થાય છે. ૩. ક્રમવાદીઓને જેમ અનુમાનથી વિરોધ આવે છે તેમ આગમથી પણ વિરોધ આવે છે તે જણાવતાં કહે છે કે, આગમમાં કેવલજ્ઞાન, કેવલદર્શન બન્નેને સાદિઅનંત કહ્યાં છે અને ક્રમવાદ પ્રમાણે તો તે સાદિસાત ઠરે છે; કેમ કે, ક્રમવાદમાં કેવલદર્શન વખતે કેવલજ્ઞાનનો અને કેવલજ્ઞાન વખતે કેવલદર્શનનો અભાવ જ હોય છે તેથી તેમને મતે એ આગમવિરોધ સ્પષ્ટ છે. એ આગમ આ પ્રમાણે છે “વ8VIળી નું પુચ્છ ” "गोयमा ! सातिए अपज्जवसिए”। प्रज्ञाप० प० १८, सू० २४१, पृ० ३८९ । પ્રશ્ન-હે ભગવન્! કેવલજ્ઞાની કેવલજ્ઞાની એ પ્રમાણે કાલથી ક્યાંથી ક્યાં સુધી કહેવાય ?” “ઉત્તર-હે ગૌતમ ! કેવલજ્ઞાની કાલથી સાદિ અને અપર્યવસિત અર્થાત્ અનંત છે અર્થાત્ સાદિઅનંતકાલ સુધી કહેવાય.” (પ-૮) 2010_02 Page #152 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड - २, गाथा- ९ अथ ग्रन्थकारो युगपदुपयोगद्वयवादिमुखेन क्रमोपयोगवादिनं निरस्य युगपदुपयोगद्वयवादिमतं निरसितुं स्वपक्षं दर्शयन्नाह - दंसणणाणावरणक्खए समाणम्मि कस्स पुव्वअरं । होज्ज 'समं उप्पाओ हंदि दुए णत्थि उवओगा ।।९।। दर्शनज्ञानावरणक्षये समाने दर्शनावरणीयकर्मणो ज्ञानावरणीयकर्मणष्टा क्षये तुल्ये प्राप्ते सति कस्य पूर्वतरं प्रथमतरमुत्पादो भवेत् ? अस्मिन् प्र ने समुपस्थिते क्रमवादी न किञ्चिद् वक्तुं समर्थः । तदा युगपदुपयोगवादिन आहुः - समम् एककालम्, द्वयोरपि उत्पादो युगपदेव, उभयकारणसद्भावात्। ग्रन्थकारस्तु आह- हन्दि द्वावुपयोगौ न स्तः एकदा इति शेषः, आगमविरोधात् । अयं भावार्थः कोपयोगवादी ग्रन्थकारः क्रमोपयोगवादिनं पृच्छति - द्वयोरपि आवारककर्मणोस्तुल्ये क्षये सति प्रथमतरं कस्योत्पत्तिः ? अन्यतरस्योत्पादे तदितरस्याप्युत्पादः कथं न ? अत्र क्रमवादी निरूत्तरो भवति । तदा युगपदुपयोगद्वयवादी आह - उभयस्य ज्ञानदर्शनोपयोगस्य युगपत् कारणे सद्भावे द्वावप्युपयोगौ संभवतः । अत्र एकोपयोगवादी ग्रन्थकारः प्राह- सहवादे उत्पत्तिक्रममाश्रित्य न दोषः । तथापि केवलोपयोगस्य सामान्यविशेषोभयपरिच्छेदात्मकत्वात् केवलिनि एक एवोपयोगः, द्वावप्युपयोगौ नैकदा संभवत आगमविरोधादिति ।।९।। - छाया : અવ, ક્રમિક બે ઉપયોગને માનનાર તથા એક સમયે બે ઉપયોગને માનનારા વાદીની માન્યતામાં દોષ બતાવી સ્વપક્ષને જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે गाथा : दंसणणाणावरणक्खए समाणम्मि कस्स पुव्वअरं । होज्ज समं उप्पाओ हंदि दुए णत्थि उवओगा ।। ९ ।। दर्शनज्ञानावरणक्षये समाने कस्य पूर्वतरम् । भवेत् सममुत्पादो हन्दि द्वौ न स्त उपयोगौ । । ९।। अन्वयार्थ : दंसणणाणावरणक्खए समाणम्मि 2010_02 १०७ = દર્શન અને જ્ઞાનના આવરણોનો ક્ષય = समान होते छते पुव्वअरं = पडेसां कस्स = डोनो Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-१० ૩૩ ઉત્પાદ દોન્ન = થાય ? સમં = સાથે ઉત્પાદ થાય દંતિ = ખેદ અર્થમાં = બે ડવગો = ઉપયોગો (એક સમયમાં) પસ્થિ = નથી. ગાથાર્થ દર્શન અને જ્ઞાનના આવરણનો સમાનપણે ક્ષય થયો છે, તો બેમાંથી પહેલાં કોની ઉત્પત્તિ થશે? (એમ પૂછતા ક્રમવાદી તો નિરુત્તર થાય છે. પણ સહવાદી ઉપયોગ માનનારાઓ જવાબ આપે કે,) બન્નેની સાથે ઉત્પત્તિ થશે તો તેઓને પણ સિદ્ધાન્તવાદી જણાવે છે કે,) બે ઉપયોગો એક સમયે સંભવતાં નથી. (૯) તાત્પર્યાર્થ : એકોપયોગવાદી સિદ્ધાંતી, સહવાદીની દલીલથી ક્રમવાદીને પરાસ્ત કરવા પ્રશ્ન કરે છે કે, જો કેવલજ્ઞાનાવરણ અને કેવલદર્શનાવરણ બન્નેનો ક્ષય એક જ સાથે થયેલો છે, તો પ્રતિબંધકનો અભાવ બન્ને માટે સમાન હોવા છતાં પહેલાં કોની ઉત્પત્તિ માનશો ? પહેલું કેવલજ્ઞાન અને પછી કેવલદર્શન થશે એમ કહેવાને કશું જ કારણ નથી; છતાં જો તમે એમ કહેશો જ, તો તમારો પ્રતિપક્ષી એમ કેમ નહિ કહે કે પહેલું કેવલદર્શન અને પછી કેવલજ્ઞાન પ્રગટશે ? વળી, કેવલજ્ઞાનોપયોગના સમયમાં દર્શનાવરણીયકર્મના ક્ષયરૂપ કારણ હોવા છતાં જેમ તમે કેવલદર્શનનો અભાવ માનો છો તેમ સમાનરૂપે કેવલજ્ઞાનનો અભાવ પણ સ્વીકારવાની આપત્તિ આવશે અને આ રીતે ઊભયનો અભાવ સિદ્ધ થશે. તેથી તમે આ પ્રશ્નનો ખુલાસો કરો કે, બન્ને ઉપયોગનું કારણ આવરણક્ષય એક જ વખતે હોવા છતાં ઉત્પત્તિમાં ક્રમ શાને લીધે છે ? આ પ્રશ્નમાં નિરુત્તર એવા ક્રમવાદની એ મુશ્કેલી સહવાદમાં નથી; કારણ કે, તે બન્ને ઉપયોગોની ઉત્પત્તિ એક જ ક્ષણમાં એકસાથે સ્વીકારે છે. છતાં, સહવાદ પણ યુક્તિસંગત નથી, એમ જણાવવા સિદ્ધાંતી તેને કહે છે કે, ભલે તારા પક્ષમાં ઉત્પત્તિક્રમનો દોષ ક્રમવાદની જેમ ન હોય, તો પણ તું જે ઉપયોગદ્વય માને છે, તે જ ખોટું છે. કારણ કે, એક સમયમાં બે ઉપયોગ સંભવી શકતાં નથી. તેથી, કેવલદશામાં એક જ ઉપયોગ છે. જે સામાન્ય અને વિશેષ ઉભયના બોધસ્વરૂપ છે. (૯) एकोपयोगवादे एव सर्वज्ञतासंभव इत्याह - जइ सव्वं सायारं जाणइ एक्कसमएण सव्वण्णू । जुज्जइ सयावि एवं अहवा सव्वं ण याणाइ ।।१०।। यदि सर्वज्ञः सर्वं सामान्यविशेषात्मकं जगद् एकसमयेन साकारं विशेषरूपं वस्तु जानाति ‘पश्यति च' इति शेषस्तर्हि तस्य सदापि सर्वकालम् एवं सर्वज्ञत्वं सर्वदर्शित्वं च युज्यते । 2010_02 Page #154 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-१०-१४ १०९ अथवा सर्वं सामान्यरूपं विशेषरूपं वा वस्तु न जानाति न पश्यति च, एकदेशोपयोगवृत्तित्वात् । अयं तात्पर्यः - यदि सर्वज्ञ एकसमयेन सर्वं द्रव्यजातं विशेषरूपं जानन् तदैव विशेषात्मकं सामान्यं पश्यति सामान्यरूपं वा पश्यन् तदैव सामान्यात्मकं विशेषं जानाति तदा तस्य सर्वज्ञत्वं सर्वदर्शित्वं च सर्वकालं युज्यते, प्रतिक्षणं ज्ञानदर्शनोभयात्मकैकोपयोगस्य विद्यमानत्वात् । अथवा एकसमये सामान्यं वस्तु पश्यति विशेषं च न जानाति विशेषं वा जानाति सामान्यं च न पश्यति तर्हि उपयोगस्य एकदेशवृत्तित्वात् केवली सर्वं न जानाति, मतिज्ञानवानिव । तस्मात् क्रमवादे सहवादे चोपयोगद्वयवादिमते सर्वज्ञता सर्वदर्शिता च न घटते इत्याशयः सूरेः ।।१०।। दर्शनमव्यक्तत्वादपि केवलिनि पृथग् न संभवतीत्याह - परिसुद्धं सायारं अवियत्तं दंसणं अणायारं । ण य खीणावरणिज्जे जुज्जइ सुवियत्तमवियत्तं ।।११।। साकारं ज्ञानोपयोगः परिशुद्धं व्यक्तस्वभावम्, अनाकारोपयोगरूपं दर्शनं पुनः अव्यक्तम् अव्यक्तस्वभावम्, क्षीणावरणीये च केवलिनि न युज्यते सुव्यक्तमव्यक्तम् न घटेते व्यक्तस्वभावाऽव्यक्तस्वभावौ । ततः सामान्यविशेषज्ञेयसंस्पर्शी उभयैकस्वभाव एवायं केवलिप्रत्ययः । अयं तात्पर्यार्थः-ज्ञानं व्यक्तस्वरूपं दर्शनं चाव्यक्तस्वरूपम् । केवलिनि व्यक्ताव्यक्तते न संभवतस्तस्मात् केवलिनो बोधः सामान्यविशेषज्ञेयसंस्पर्म्युभयैकस्वभावः । न च ग्राह्यद्वित्वाद् ग्राहकद्वित्वमिति वाच्यम्, केवलज्ञानस्य ग्राह्यानन्त्येनानन्ततापत्तेः ।।११।। क्रमवादे सहवादे च उपयोगद्वयस्य मान्यतायां भगवतो यदापद्यते तदाह - अद्दिटुं अण्णायं च केवली एव भासइ सया वि । एगसमयम्मि हंदी वयणवियप्पो न संभवइ ।।१२।। सहवादे उपयोगद्वयाभिमते केवली अर्हन् सदाऽपि सर्वकालमेव अदृष्टमेव ज्ञातमज्ञातमेव च दृष्टं भाषत इत्येतदापद्यते । क्रमवादे तु एकसमये हन्दि वचनविकल्पो ज्ञातं दृष्टं च भाषते इत्येवंप्रकारको वचनविशेषो न संभवति, बोधानुरूप्येण वाचः प्रवर्त्तनात् । 2010_02 Page #155 -------------------------------------------------------------------------- ________________ ११० संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-१०-१४ इदमत्र बोध्यम् - युगपदुपयोगद्वयमते, केवली कानिचिद्वस्तुनि जानाति कानिचिच्च पश्यति, न तु किञ्चिदपि वस्तु उभयरूपेण गृह्णाति । तस्मात् केवल्येकमपि वस्तु ज्ञातं दृष्टं भाषते तन्न घटते बोधस्यैकांशावलम्बित्वात् । तथा क्रमिकोपयोगद्वयमते, केवली ज्ञानकाले न पश्यति दर्शनकाले च न जानाति भिन्नसमयत्वाद्, ततो न घटते ‘ज्ञातदृष्टं भाषते' इति शास्त्र वचनविशेषः ।।१२।। उभयवादे तथाप्रकारकं सर्वज्ञत्वं न संभवतीत्याह - अण्णायं पासंतो अद्दिटुं च अरहा वियाणंतो । किं जाणइ किं पासइ कह सव्वण्णु त्ति वा होइ ।।१३।। अज्ञातं पश्यन्नदृष्टं च जानानोऽर्हन् केवली किं जानाति ? किं वा पश्यति ? न किञ्चिदपीति भावः । कथं सर्वज्ञ इति वा भवेत् ? कथं केवलिनः सर्वज्ञता संभवेदित्यर्थः । अस्या गाथायास्तात्पर्यमुक्तमेव ।।१३ ।। ज्ञानदर्शनयोर्विषयविधयापि समानसङ्ख्याशालित्वादेकत्वमित्याह - केवलणाणमणंतं जहेव तह दंसणं पि पण्णत्तं । सागारग्गहणा हि य णियमपरित्तं अणागारं ।।१४।। यथैव आगमे केवलज्ञानमनन्तं प्ररूपितं तथैव केवलदर्शनमपि अनन्तं प्रज्ञप्तं प्ररूपितम् । उभयवादे दर्शनस्य ज्ञानाद् भेदे स्वीकृते सति साकारग्रहणाद् ज्ञानादनाकारं दर्शनं नियमेन निष्टायेन परीतमल्पविषयकं भवति । इदमत्र ग्राह्यम् - क्रमिकोपयोद्वयवादे युगपदुपयोगद्वयवादे च केवलज्ञानात् केवलदर्शनं भिन्नमिति स्वीकृतम्, तत आगमविरोधः प्रसज्येत्, यत आगमे केवलज्ञानं केवलदर्शनं चानन्तमिति प्ररुपितम् । भिन्ने सत्यनन्तविशेषवर्तिकेवलज्ञानविषयात् सामान्यमात्रावलम्बिकेवलदर्शनविषयस्याल्पीभूतत्वाद् दर्शनमनन्तं कथं घटेत् ? तस्मादुभयावपि केवलज्ञानदर्शनोपयोगावभिन्नावेव न तु भिन्नौ ।।१४ ।। 2010_02 Page #156 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-१०-१४ छाया : અવ. જે જ્ઞાન છે તે જ દર્શન છે આવી માન્યતામાં જ સર્વજ્ઞતા ઘટી શકે છે તેનું સિદ્ધાંતી દ્વારા કથનगाथा : जइ सव्वं सायारं जाणइ एक्कसमएण सव्वण्णू । जुज्जइ सयावि एवं अहवा सव्वं ण याणाइ ।।१०।। यदि सर्वं साकारं जानात्येकसमयेन सर्वज्ञः । युज्यते सदाऽपि एवमथवा सर्वं न जानाति ।।१०।। अन्वयार्थ : जइ = हो सवण्णू = सर्वमत एक्कसमएण = ॐ समये सव्वं = सर्व सायारं = विशेष जाणइ = 1ो छ. सयावि = डंभेश ५। एवं = ॥ प्रमाण जुज्जइ = घ2gोई अहवा = अथवा सव्वं = सर्व ण याणाइ = त नथी. અવ. સાકારોપયોગ અને અનાકારોપયોગમાં એકાંતથી ભેદ નથી એ બતાવતાં કહે છે કે – गाथा : परिसुद्धं सायारं अवियत्तं दंसणं अणायारं । ण य खीणावरणिज्जे जुज्जइ सुवियत्तमवियत्तं ।।११।। परिशुद्धं साकारमव्यक्तं दर्शनमनाकारम् । न च क्षीणावरणीये युज्यते सुव्यक्तमव्यक्तम् ।।११।। अन्वयार्थ : सायारं = विशेष३५ धन परिसुद्धं = व्य. अणायारं = सामान्य स्व३५ दंसणं = हर्शन अवियत्तं = अव्यात, य = मने खीणावरणिज्जे = भन॥ ॥२५॥ पाभ्यां छ । Baelnavi सुवियत्तमवियत्तं = व्यdि-मव्यत५j ण जुज्जइ = घzतुं नथी. छाया: અવ. ક્રમિક કે અક્રમિક બે ઉપયોગ માનનારને આવતી આપત્તિ - गाथा : अद्दिटुं अण्णायं च केवली एव भासइ सया वि । एगसमयम्मि हंदी वयणवियप्पो न संभवइ ।।१२।। अदृष्टमज्ञातं च केवली एव भाषते सदाऽपि । एकसमये हन्दि वचनविकल्पो न संभवति ।।१२।। छाया: 2010_02 Page #157 -------------------------------------------------------------------------- ________________ ११२ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-१०-१४ अन्वयार्थ : केवली = Basीमत सया वि = भेश५९अद्दिष्टुं = नही होयेj च = अने, अण्णायं = नही रोj एव = ४ भासइ = मोदो छ. हंदी = : अर्थमा एगसमयम्मि = समयमा वयणवियप्पो = oneोj अने आयेयं बोले छे' आ4 प्रानुं वयन न संभवइ = संभवतुं नथी. छाया: અવ. તથા તેમાં સર્વજ્ઞતાનો અસંભવ - गाथा : अण्णायं पासंतो अद्दिटुं च अरहा वियाणंतो । किं जाणइ किं पासइ कह सवण्णु त्ति वा होइ ।।१३।। अज्ञातं पश्यन्नदृष्टं च अर्हन् जानानः । किं जानाति किं पश्यति कथं सर्वज्ञ इति वा भवेत् ।।१३।। अन्वयार्थ : अण्णायं = नहीं होताने पासंतो = होतां च = अने अद्दिष्टुं = नहीं ोयेबाने वियाणंतो = ता अरहा = अरिहंत ५२मात्मा किं जाणइ = शुंए छ ? किं पासइ = शुं शुओ छ ? वा = अथवा कह = 8 ते सव्वण्णुत्ति = सर्व प्रमाणो होइ = घटे ? અવ. વિષયની અપેક્ષાએ બંનેમાં સમાનતા હોવાથી જ્ઞાન અને દર્શનનું એકય - गाथा : केवलणाणमणंतं जहेव तह दंसणं पि पण्णत्तं । सागारग्गहणाहि य णियमपरित्तं अणागारं ।।१४।। केवलज्ञानमनन्तं यथैव तथा दर्शनमपि प्रज्ञप्तम् । साकारग्रहणाञ्च नियमपरीतमनाकारम् ।।१४।। अन्वयार्थ : जहेव = सेभ केवलणाणं = सशान अणंतं = अनंत (वायुं छ) तह = तम दंसणं पि = क्सशन ५५ अणंतं = अनंत पण्णत्तं = उपायुं छे. य = अने (नथी शन मिन्न भानमi आवे तो) सागारग्गहणाहि = विशेषने ५। ७२ ना२ आनथी अणागारं = हर्शन णियमपरित्तं = निश्ये समय (घटे). छाया: 2010_02 Page #158 -------------------------------------------------------------------------- ________________ સંમતિતર્થંકર, શાહુ-૨, માથા-૨૦-૨૪ ११३ ગાથાર્થઃ જો સર્વજ્ઞભગવંત એક સમયમાં સર્વ પદાર્થોને વિશેષ સ્વરૂપે (અને સામાન્યરૂપે) જાણે છે (અને જુએ છે), તો હંમેશાં સર્વજ્ઞપણું અને સર્વદર્શીપણું ઘટવું જોઈએ અથવા સર્વ જાણતા નથી (કે જોતાં નથી) એવું માનવું પડે. (૧૦) સાકાર એવો જ્ઞાનોપયોગ વ્યક્ત હોય છે અને અનાકાર એવો દર્શનોપયોગ અવ્યક્ત હોય છે. પણ આવરણોનો નાશ કરનારા એવા કેવલપરમાત્મામાં વ્યક્ત અને અવ્યક્ત એવો ભેદ ઘટી શકતો નથી. (૧૧) (એક સમયે બંને ઉપયોગ માનનારના પક્ષે) કેવલીભગવંત હંમેશાં જ અદૃષ્ટજ્ઞાત અને અજ્ઞાતદષ્ટ બોલે છે એવું માનવું પડે છે. (તથા ક્રમિક બંને ઉપયોગ માનનારના પક્ષે) “કેવલીભગવંત એક સમયમાં જ જાણેલું અને જોયેલું બોલે છે તેવા પ્રકારનું વચન સંભવતું નથી અર્થાત્ તેવું કહી શકાતું નથી. (૧૨) અજ્ઞાતને જોતા અને અદૃષ્ટને જાણતા કેવલીભગવંત ખરેખર, શું જાણે છે ? અથવા શું જુએ છે ? અર્થાત્ કાંઈપણ જોતા નથી કે જાણતા પણ નથી. અથવા તે કેવલી ભગવંતની સર્વજ્ઞતા કઈ રીતે સંભવે ? અર્થાત્ ન જ સંભવે. (૧૩) જેવી રીતે કેવલજ્ઞાન અનંત કહેવાયું છે તેવી રીતે કેવલદર્શન પણ અનંત કહેવાયું છે. (જો જ્ઞાનથી દર્શનનો ભેદ માનવામાં આવે તો) સાકારને અર્થાત્ વિશેષને ગ્રહણ કરનાર જ્ઞાનથી અનાકાર એવું દર્શન નિચ્ચે અલ્પ થાય છે. તેથી કેવલદર્શન અનંત છે એવું કઈ રીતે ઘટે ?) (૧૪) તાત્પર્યાર્થ : સિદ્ધાંતી ગ્રંથકાર પોતાનો એકોપયોગવાદ સિદ્ધ કરવા ક્રમવાદી અને સહવાદીરૂપ બન્ને પક્ષો ઉપર પાંચ દોષો એકસરખી રીતે મૂકે છે, તે આ પ્રમાણે : ૧. ક્રમવાદ હોય કે સહવાદ, બન્નેમાં ઉપયોગદ્વયની માન્યતા સમાન હોવાથી બન્નેને એટલું તો માનવું જ પડે કે, કેવલજ્ઞાનનો વિષય માત્ર વિશેષ અને કેવલદર્શનનો વિષય માત્ર સામાન્ય છે; અર્થાત્ એ બન્ને વાદમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપ બન્ને ઉપયોગ સર્વ વિષયમાંથી ફક્ત એક એક ભાગના ગ્રાહક છે. આટલું માન્યું એટલે તે બન્ને વાદોમાં કોઈપણ એક ઉપયોગ સર્વગ્રાહક ન હોવાથી તેમને મતે સર્વજ્ઞપણું અને સર્વદર્શીપણું શી રીતે ઘટી શકે ? હવે જો એ ઘટાડવા પ્રત્યેક સમયમાં સંપૂર્ણ જગતને સામાન્ય-વિશેષ ઉભયરૂપે દરેક ઉપયોગ ગ્રહણ કરે છે એમ માનવામાં આવે, તો હંમેશાં સર્વજ્ઞપણું અને સર્વદર્શીપણું ઘટાવવા માટે તે જ રીતે એક ઉપયોગ દ્વારા સર્વ વસ્તુનું ગ્રહણ માનવું જ પડશે; અને એમ માનતાં એકોપયોગવાદનો સ્વીકાર થઈ જશે. અથવા સામાન્યરહિત વિશેષનો કે વિશેષરહિત સામાન્યનો જ અભાવ હોવાથી કેવલીભગવંત સર્વ જાણતા નથી કે જોતાં નથી એમ માનવું પડશે. અથવા જેમ મતિજ્ઞાની સર્વ શેય પદાર્થમાંથી અમુક પદાર્થોને જાણતાં હોવાથી સર્વજ્ઞ કહેવાતાં નથી તેમ સહવાદ અને ક્રમવાદ બંનેને અભિમત કેવલીભગવંત પણ સામાન્ય-વિશેષાત્મક સકલ શેય પદાર્થોના એકદેશને જાણતાં હોવાથી સર્વ જાણતા નથી એવું માનવું પડશે. 2010_02 Page #159 -------------------------------------------------------------------------- ________________ ११४ સંતિતર્જર, ડું-૨, ગાથા-૨૦-૨૪ ૨. સાકારગ્રહણ અને નિરાકારગ્રહણમાં તફાવત એટલો જ હોય છે કે, પહેલું વ્યક્ત હોય છે અને બીજું અવ્યક્ત. હવે જો કેવલીમાં આવરણનો સર્વથા વિલય થયો છે, તો તેના ઉપયોગમાં વ્યક્તપણા અને અવ્યક્તપણાનો ભેદ શી રીતે હોઈ શકે ? કારણ કે, એ ભેદ તો આવરણકૃત છે. તેથી, કેવલીનો બોધ સામાન્ય અને વિશેષ ઉભય પ્રકારના શેયને સ્પર્શનારો છે, એમ માનવું જોઈએ. અહીં, ગ્રાહ્ય એવા વિષયો સામાન્ય અને વિશેષ ઉભય પ્રકારના હોવાથી ગ્રાહક એવા દર્શન અને જ્ઞાન એમ બે ઉપયોગ છે જો એવી કલ્પના કરવામાં આવે તો કેવલજ્ઞાન દ્વારા અનંતા પદાર્થો ગ્રાહ્ય હોવાથી ગ્રાહક પણ અનંતા માનવાની આપત્તિ આવશે. જેમ, એક જ વ્યક્તિમાં ભિન્ન સ્વભાવવાળી દર્શન-સ્પર્શન વગેરે શક્તિ ઘટી શકે છે તેમ બે સ્વભાવસ્વરૂપ એક બોધ કેવલીમાં હોય તેમાં કોઈ વિરોધ નથી. ૩. આગમમાં કહેવામાં આવ્યું છે કે કેવલીભગવંત પ્રત્યેક સમયે જ્ઞાત અને દુષ્ટ વસ્તુનું જ કથન કરે છે. આ આગમકથન ક્રમવાદ કે સહવાદ એકે પક્ષમાં સંગત થઈ શકતું નથી. કારણ કે ક્રમવાદમાં અમુક સમયે કેવલીભગવંતને જે જ્ઞાત છે, તે તે સમયમાં દષ્ટ નથી; અને બીજે સમયે જે દુષ્ટ છે, તે જ્ઞાત નથી. વળી, જે ભાષણ કેવલી કરશે તે પોતાના બોધ પ્રમાણે જ કરતા હોવાથી એમનું ભાષણ અમુક સમયે અજ્ઞાતભાષણ અને અમુકસમયે અષ્ટભાષણ માનવું પડશે. તથા સહવાદમાં બન્ને ઉપયોગો સાથે પ્રવર્તે છે, આમ છતાં બન્નેની વિષયમર્યાદા સામાન્યવિશેષરૂપે વહેંચાયેલી હોવાથી, જે અંશ જ્ઞાત હશે તે દૃષ્ટ નહિ હોય, અને જે દૃષ્ટ હશે તે જ્ઞાત નહિ હોય; એટલે તે વાદ પ્રમાણે પણ હંમેશાં કેવલી અદૃષ્ટભાષી અને અજ્ઞાતભાષી જ ઠરશે. ૪. બે ઉપયોગ માનવાથી ક્રમવાદ કે સહવાદમાં એમ માનવું પડશે કે, કેવલી અજ્ઞાત અંશને જુએ છે અને અદૃષ્ટ અંશને જાણે છે; આવું માનવાથી ફલિત થાય છે કે, એક એક ભાગ તો બન્ને ઉપયોગોનો વિષય થયા સિવાય રહી જ જાય છે. તો પછી સર્વને જાણવાથી સર્વજ્ઞપણું અને સર્વને જોવાથી સર્વદર્શીપણું જે માનવામાં આવે છે, તે કઈ રીતે ઘટે ? ઊલટું છિન્નપણું અને શિશપણું કેવલીમાં પ્રાપ્ત થશે. ૫. કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બંને ઉપયોગોને ક્રમવાદ અને સહવાદના મત પ્રમાણે જુદા જુદા માનવામાં આવે તો આગમમાં વિરોધ આવશે. કારણ કે, આગમમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનને અનંત કહેવામાં આવ્યા છે. બંનેને જુદા માનવામાં જ્ઞાન કરતાં દર્શનનો વિષય અલ્પ થવાથી દર્શન અનંત ઘટી શકે નહિ. કારણ કે, જ્ઞાન એ અનંત વિશેષને ગ્રહણ કરનાર હોવાથી સાકાર છે, જ્યારે દર્શન સામાન્ય માત્રને ગ્રહણ કરનાર હોવાથી નિરાકાર છે માટે દર્શનની અનંતતા ઘટી શકશે નહિ. 2010_02 Page #160 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-१५ આ રીતે, ક્રમવાદ કે સહવાદ બેમાંથી કોઈપણ મતમાં બે ઉપયોગ ભિન્ન માનવામાં આવે તો સર્વજ્ઞપણું-સર્વદર્શીપણું ઘટી શકતું નથી, માટે એક જ ઉપયોગ માનવો જોઈએ અને આ એકોપયોગપક્ષમાં એક જ ઉપયોગ સંપૂર્ણ જગતને સામાન્ય-વિશેષ ઉભયરૂપે દર ક્ષણે ગ્રહણ કરતો હોવાથી, તે જ કેવલજ્ઞાન અને તે જ કેવલદર્શન હોવાથી ઉપરનો એકે દોષ આવતો નથી. पू. निमद्राणिय क्षमाश्रम। बने उपयोगने अभिभाने छ भने ते भाटे "सव्वाओ लद्धीओ...” (विशेषा. u. 3०८८) ३ सिद्धांत क्यनो ४९॥ छ तथा पू. भलवासूिरी भा२। बने 6५योगने यु५६ भाने छ भने ते भाटे स्वमत संवा “सागारमणागारं लक्खणमेयं तु सिद्धाणं" (प्रशा. प. २, सू. ५४) वगेरे सिद्धांतवयनो ४५u छ. ग्रंथ.७।२ ५५५ સ્વમતસંમત આ વચનો તથા અન્ય વચનો પણ જણાવ્યા છે. આ રીતે, દરેક મહાપુરુષો પોતાની સ્વીકારેલી માન્યતા માટે આધારભૂત જે આગમવચનો જણાવે છે તેનો ઉલ્લેખ ટીકાકાર મહર્ષિએ જણાવેલ છે. (૧૦-૧૪) क्रमवादिपक्षेण कृतं समाधानं ग्रन्थकारेण च कृतं प्रतिसमाधानमाह - भण्णइ जह चउणाणी जुज्जइ णियमा तहेव एवं पि । भण्णइ ण पंचणाणी जहेव अरहा तहेयं पि ।।१५।। भण्यते आक्षिप्यते यथा क्रमोपयोगप्रवृत्तोऽपि चतुर्ज्ञानी मत्यादिचतुर्ज्ञानी तच्छक्तियुक्तत्वाद् ‘ज्ञातदृष्टभाषी' इत्यादि नियमाद् अवश्यमेव युज्यते, तथैवैतदपि तच्छक्तिसमन्वयाद् ‘अनन्तकेवलज्ञानी, ज्ञातदृष्टभाषी' इत्याद्यपि युज्यत एव । भण्यते अत्रोत्तरं दीयते यथैव अर्हन् केवली न पञ्चज्ञानी तथैतदपि भेदतो ज्ञानवान् दर्शनवानिति एतदपि न । अयं विशेषार्थः - क्रमवादे ज्ञानदर्शनयोरनन्तत्वं नोपपद्यते इति यदेकत्ववादिना प्रेरितं तत्र क्रमवादी आह - छद्मस्थकाले चतुर्णामपि ज्ञानानामुपयोगः क्रमिकः । तथापि तत्तच्छक्तिसमन्वयाद् ‘अयं महात्मा चतुर्ज्ञानी, व्यक्तबोधः, ज्ञातदृष्टभाषी' इत्यादि उच्यते तथा सार्वकालीनकेवलज्ञानदर्शनशक्तिसमन्वयाद् 'अनन्तकेवलज्ञानी, अनन्तकेवलदर्शी, ज्ञातदृष्टभाषी' इत्याद्यपि युज्यत एव । तत्प्रतिसमाधातुमेकोपयोगवादिना ग्रन्थकारेण भण्यते, यथा मत्याद्यावरणक्षयेऽपि मत्यादेरेकदेशग्राहित्वादर्हन् पञ्चज्ञानी न कथ्यते तथा दर्शनावरणक्षयेऽपि एकदेशग्राहिदर्शनस्य केवलिनि भेदेनानुपपत्तेः केवली भेदेन ज्ञानवान् दर्शनवानिति न घटते ।।१५।। _ 2010_02 Page #161 -------------------------------------------------------------------------- ________________ ११६ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-१५ છાયા : અવ. ક્રમવાદી પક્ષે કરેલો બચાવ અને તેનો સિદ્ધાંતીએ આપેલો ઉત્તરમાથા : भण्णइ जह चउणाणी जुज्जइ णियमा तहेव एवं पि । भण्णइ ण पंचणाणी जहेव अरहा तहेयं पि ।।१५।। भण्यते यथा चतुर्ज्ञानी युज्यते नियमात् तथैव एतदपि । भण्यते न पञ्चज्ञानी यथैव अर्हन् तथैतदपि ।।१५।। અન્યથાર્થ : માઇક્ = કહે છે, નદ = જેમ ઘડVIIળી = ચાર જ્ઞાની ગુન = ઘટી શકે છે તદેવ = તે રીતે જ પિ = આ પણ ળિયHT = નિચ્ચે ગુw = ઘટી શકે છે. મારૂ = કહે છે, નદેવ = જે રીતે જ ગરી = અરિહંત ભગવંત જ પંચUTI = પંચજ્ઞાની નથી તહેવું પિ = તે રીતે આ પણ ન = નથી. ગાથાર્થ ક્રમવાદી કહે છે કે, જે રીતે ક્રમિક ઉપયોગ હોવા છતાં ચતુર્કાની નિચ્ચે કહી શકાય છે, તે રીતે, આ પણ અર્થાત્ ક્રમિક ઉપયોગ સ્વીકારવા છતાં પણ કેવલીભગવંતમાં અનંતજ્ઞાન-અનંતદર્શન કહી શકાય છે. તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતી કહે છે કે, જેમ કેવલીભગવંત પંચજ્ઞાની ઘટી શકતા નથી, તે રીતે આ પણ અર્થાત્ કેવલીભગવંત, ભેદથી જ્ઞાનવાનુ-દર્શનવાનું છે એવું ઘટી શકતું નથી. તાત્પર્યાર્થ : ક્રમવાદી કહે છે કે, જેમ કોઈ ચાર જ્ઞાનવાળા છબસ્થ મહાત્મા ક્રમથી ઉપયોગમાં વર્તતા હોવા છતાં ચારે જ્ઞાનની શક્તિ સતત હોવાને લીધે સાદિઅપર્યવસિતજ્ઞાનવાળા, સદા જ્ઞાનોપલબ્ધિવાળા, વ્યક્તબોધવાળા, જ્ઞાતદષ્ટભાષી તેમજ જ્ઞાતા અને દૃષ્ટા કહેવાય છે, તેવી રીતે ઉપયોગનો ક્રમ હોવા છતાં કેવલી પણ શક્તિની અપેક્ષાએ અનંતજ્ઞાનદર્શનવાનું, સદા સર્વજ્ઞ-સર્વદર્શી, વ્યક્તબોધવાનું, જ્ઞાતદૃષ્ટભાષી, જ્ઞાતા અને દૃષ્ટા કહેવાશે. તો પછી કહેવાયેલા દોષો ક્રમપક્ષમાં કેવી રીતે લાગે ? ક્રમવાદીના આ બચાવનો ઉત્તર આપતાં સિદ્ધાંતી કહે છે કે, શક્તિની અપેક્ષા કેવલીમાં લેવી ન ઘટે; નહિ તો શક્તિ હોવા છતાં અરિહંત પંચજ્ઞાની કેમ નથી કહેવાતા ? તેથી એમ માનવું જોઈએ કે, સાદિ-અનંત જ્ઞાન, સર્વજ્ઞ, સર્વદર્શીપણું આદિ જે સર્વજ્ઞમાં વ્યવહારાય છે, તે લબ્ધિની અપેક્ષાએ નહિ, પણ ઉપયોગની અપેક્ષાએ જ ઘટાવવું. અહીં એ સમજવું કે, ક્રમિક ઉપયોગ હોવો એ ક્ષયોપશમભાવનું કાર્ય છે માટે, છબસ્થમાં ક્રમિક ઉપયોગ સંભવે છે, પણ કેવલીમાં ક્ષયોમસમભાવનો અભાવ હોવાથી તેના કાર્યસ્વરૂપ ક્રમિક ઉપયોગનો પણ અભાવ છે. જે રીતે, મતિજ્ઞાનાવરણીય વગેરે કર્મોનો ક્ષય થવા છતાં એકદેશને ગ્રહણ કરનારા હોવાથી મતિજ્ઞાન વગેરેની કેવલીમાં કેવલજ્ઞાનથી ભિન્નરૂપે વિવક્ષા 2010_02 Page #162 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-१६ ११७ કરવામાં આવતી નથી, તે જ રીતે દર્શનાવરણીયકર્મનો નાશ થવા છતાં પણ એક દેશને ગ્રહણ કરનાર હોવાથી કેવલદર્શનની કેવલીમાં ભેદથી વિવક્ષા કરવામાં આવતી નથી. આટલું વિશેષ જાણવું કે, કેવલજ્ઞાનમાં કેવલદર્શનસંજ્ઞા અભેદ વડે શાસ્ત્રસંમત છે પણ મતિજ્ઞાન વગેરે સંજ્ઞા શાસ્ત્રસંમત નથી. કારણ કે, “સામાન્યગ્રાહિ' એવો ‘દર્શન શબ્દનો વ્યુત્પત્તિઅર્થ કેવલજ્ઞાનમાં ઘટી શકે છે, પણ “મનન કરવું' એવો મતિજ્ઞાનનો વ્યુત્પત્તિઅર્થ કેવલજ્ઞાનમાં ઘટી શકતો નથી. આ ગાથામાં ટીકાકાર મહર્ષિએ દિગંબરમાન્ય કેવલીભગવંતો કવલાહાર ન કરે' આ સિદ્ધાંતનું પૂર્વપક્ષપણે સ્થાપન કરી તર્કબદ્ધ રીતે ખંડન કર્યું છે. (૧૫) क्रमेण युगपद्वा परस्परनिरपेक्षौ स्वविषयपर्यवसितौ ज्ञानदर्शनोपयोगी केवलिन्यसर्वार्थत्वान्मत्यादिज्ञानचतुष्टयवन्न स्त इति दृष्टान्तभावनापूर्वमाह - अथवा मत्यादिज्ञानसम्बन्धिपूर्वदृष्टान्तं स्पष्टीकुर्वन्नाह - पण्णवणिज्जा भावा समत्तसुयणाणदंसणाविसओ । ओहिमणपज्जवाण उ अण्णोण्णविलक्खणा विसओ ।।१६।। समस्तश्रुतज्ञानदर्शनाविषयः संपूर्णश्रुतज्ञानस्य द्वादशाङ्गवाक्यस्वरूपस्य दर्शनाया दर्शनकारणीभूतायास्तद्वाक्योपजाताया बुद्धेविषयः आलम्बनं प्रज्ञापनीया शब्दाभिलाप्या भावा द्रव्यादिपदार्थाः । अवधिमनःपर्यवयोस्तु अवधिज्ञान-मनःपर्यवज्ञानयोः पुनः अन्योन्यविलक्षणाः परस्परविशिष्टभावा विषयः आलम्बनम्, अवधेः रूपिद्रव्याणि मनःपर्यायज्ञानस्य तु द्रव्यमनस्त्वेन परिणतानि मनोद्रव्याणि। अयमत्र प्रकटार्थः-मतिश्रुतयोर्विषयस्याभिन्नार्थत्वे गाथायां श्रुतस्य विषयग्रहणाद् मतेरपि विषयो गृहीत एव । ततो मतिज्ञानश्रुतज्ञानयोः अभिलाप्या भावाः, अवधिज्ञानस्य रूपिद्रव्याणि, मनःपर्यायज्ञानस्य तु द्रव्यमनस्त्वेन परिणातानि रुपिद्रव्याणि विषय इति मत्यादिचतुर्ज्ञानानि असर्वविषयग्राहकाणि परस्परविशिष्टविषयाणि च । अत एव तानि भिन्नोपयोगरूपाणि । किन्तु केवलज्ञानं तादृशस्वरूपं नेति उत्तरगाथायां दर्शयिष्यते ।।१६।। 2010_02 Page #163 -------------------------------------------------------------------------- ________________ ११८ मत्यादिचतुर्ज्ञाने क्रमाक्रमविभागो युज्यते केवले तु न इति दर्शयन्नाह - तम्हा चउव्विभागो जुज्जइ ण उ णाणदंसणजिणाणं । सयलमणावरणमणंतमक्खयं केवलं जम्हा ।। १७ ।। तस्मात् चतुर्विभागो मत्यादिचतुर्ज्ञानानां क्रमाक्रमविभागो युज्यते घटते, न तु ज्ञानदर्शनजिनानां ज्ञानदर्शनप्रधानानां जिनानां केवलिनां ज्ञानदर्शनयोः अथवा ज्ञानबिन्दो 'ण उ णाणदंसण जिणाणं', अत्र 'नाणदंसण 'त्ति अविभक्तिको निर्देशः सूत्रत्वात्, तेन न तु ज्ञानदर्शनयोः जिनानामित्यर्थः कृतः यस्मात् केवलं केवलज्ञानं सकलं परिपूर्णम्, अनावरणम् आवरणरहितम्, अनन्तम् अनन्तविषयग्रहणप्रवृत्तम्, अक्षयं क्षयो हि विरोधिसजातीयेन गुणेन स्यात्, तदभावे चाक्षयत्वं तस्य । संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-१६-१७ इदमत्रावधार्यम् - मत्यादिचतुर्ज्ञानानामसर्वविषयग्राहकत्वात् तत्रैव क्रमाक्रमविभागो घटते । किन्तु केवलज्ञानस्य सकला - Sनावरणा-ऽनन्ता ऽक्षयत्वात् सर्वविषयग्राहकत्वम् । ततो युगपदुपयोगद्वयात्मकैकस्य केवलस्य क्रमाक्रमविभागो न युज्यते । । १७ ।। અવ. મતિજ્ઞાન વગેરે ચારે જ્ઞાનના દૃષ્ટાંતનું વિશદીકરણ અને ઉપસંહાર गाथा : पण्णवणिज्जा भावा समत्तसुयणाणदंसणाविसओ । ओहिमणपज्जवाण उ अण्णोण्णविलक्खणा विसओ ।। १६ ।। प्रज्ञापनीया भावाः समस्तश्रुतज्ञानदर्शनाविषयः । अवधिमनः पर्याययोस्तु अन्योन्यविलक्षणा विषयः ।। १६ ।। अन्वयार्थ : समत्तसुयणाणदंसणाविसओ સમસ્ત શ્રુતજ્ઞાનથી પરિકર્મિત बुद्धिनो विषय पण्णवणिज्जा = शब्दथी अभिलाप्य भावा = = पहार्थो. उ = वणी, ओहिमणपज्जवाण = अवधिज्ञान अने भनःपर्यायज्ञाननो विसओ = विषय अण्णोण्णविलक्खणा = परस्परविलक्षएा. छाया: गाथा : 2010_02 = तम्हा चउविभागो जुज्जइ ण उ णाणदंसणजिणाणं । सयलमणावरणमणंतमक्खयं केवलं जम्हा ।।१७।। Page #164 -------------------------------------------------------------------------- ________________ સંમતિતપ્રજળે, ગણ્ડ-૨, ગાથા-૧૬-૧૭ છાયા : तस्माच्चतुर्विभागो युज्यते न तु ज्ञानदर्शनजिनानाम् । सकलमनावरणमनन्तमक्षयं केवलं यस्मात् ।।१७।। અન્નયાર્થ : તદ્દા = તેથી, પવિમાનો = ચાર જ્ઞાનમાં ક્રમનો વિભાગ મુન્નરૂ = ઘટે છે. ૩ = પણ બાળવૃંસનિળાબં = જ્ઞાન-દર્શન જેનામાં પ્રધાનપણે છે તેવા કેવલીભગવંતોના જ્ઞાન-દર્શનમાં ક્રમનો વિભાગ ण जुज्जइ ઘટતો નથી. નમ્હા = કારણ કે, વરું = કેવલજ્ઞાન સવર્લ્ડ = સંપૂર્ણ, અળાવતાં अक्खयं = અક્ષય. = = આવરણ વગરનું, ગળત અનંત, = ગાથાર્થ ઃ દ્વાદશાંગીસ્વરૂપ સંપૂર્ણ શ્રુતજ્ઞાનથી પરિકર્મિત બુદ્ધિનો વિષય શબ્દથી અભિલાપ્ય એવા ભાવો છે અને અવધિજ્ઞાનનો તથા મન:પર્યાયજ્ઞાનનો વિષય પરસ્પર વિલક્ષણ એવા પદાર્થો છે. અર્થાત્ અવધિજ્ઞાનનો વિષય રૂપીદ્રવ્યો અને મન:પર્યાયજ્ઞાનનો વિષય દ્રવ્યમનરૂપે પરિણામ પામેલા મનોવર્ગણાનાં પુદ્ગલદ્રવ્યો છે. (૧૬) તેથી, મતિજ્ઞાન વગેરે ચાર જ્ઞાનોમાં ક્રમનો વિભાગ ઘટી શકે છે, પણ જ્ઞાન અને દર્શન જેમનામાં પ્રધાન છે અર્થાત્ ઘાતિકર્મોનો જેમણે નાશ કર્યો છે એવા કેવલીભગવંતોમાં ક્રમ અને અક્રમનો વિભાગ ઘટી શકતો નથી. કારણ કે, કેવલજ્ઞાન એ સંપૂર્ણ છે, આવ૨ણ રહિત છે, અનંત છે અને અક્ષય છે. (૧૭) વિશેષાર્થ : બાળવુંસનળાનું આ શબ્દનો અર્થ કરતાં જ્ઞાનબિંદુ ગ્રંથમાં પૂ. મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ જણાવ્યું છે કે, “નવંસજ્જ નિળાખ્ખું પ્રયોગમાં બાળવંસળ શબ્દ આર્ષપ્રયોગને કારણે વિભક્તિ વગરનો પ્રયોગ કરવામાં આવ્યો છે,” જ્યારે તર્કપંચાનનશ્રીજીની ટીકામાં “જ્ઞાનવર્શનપ્રધાનાનાં ખિનાનાં”. આ પ્રમાણે સમાસ કરવામાં આવ્યો છે. તાત્પર્યાર્થ : છઠ્ઠી ગાથામાં કહેવામાં આવ્યું છે કે, જો કેવલજ્ઞાન અને કેવલદર્શનને મતિજ્ઞાન વગેરેની જેમ ક્રમવર્તી માનવામાં આવે, તો તે અનુક્રમે માત્ર વિશેષગ્રાહી અને માત્ર સામાન્યગ્રાહી હોવાથી અસર્વવિષયક ઠરે; અને જે ઉપયોગ અસર્વવિષયક હોય તે તો કેવલીભગવંતમાં મતિજ્ઞાન વગેરે જ્ઞાનના અસંભવની જેમ સંભવી જ ન શકે. 2010_02 ११९ આ કથનમાં મતિજ્ઞાન વગેરે જ્ઞાનના દૃષ્ટાંતથી ક્રમવર્તી કેવલોપયોગના અસર્વાર્થપણાની આપત્તિ સર્વજ્ઞમાં આપવામાં આવી છે. તેથી એ દૃષ્ટાંતમાં અસર્વાર્થપણું કેવી રીતે આવે છે એ જણાવતાં ગ્રંથકાર કહે છે કે, Page #165 -------------------------------------------------------------------------- ________________ १२० સંમતિતÁપ્રરખે, જાણ્ડ-૨, ગાથા-૧૮ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષય ફક્ત અભિલાપ્ય પદાર્થો છે; કારણ કે આ બન્ને જ્ઞાન પરિમિતપર્યાય સહિત જ સર્વ દ્રવ્યોને જાણી શકે છે અને તે પણ સમસ્ત દ્વાદશાંગીથી પરિકર્મિત બુદ્ધિનો વિષય બને તેટલા જ. એ જ રીતે અવધિજ્ઞાનનો વિષય પુદ્ગલ સ્વરૂપ માત્ર રૂપીદ્રવ્યો અને મન:પર્યાયજ્ઞાનનો વિષય માત્ર અઢીદ્વીપમાં રહેલા સંશીજીવોએ ઉપયોગમાં લીધેલ મનોવર્ગણાના પુદ્ગલો છે, બધાં દ્રવ્યો નહિ. તેથી મતિજ્ઞાન વગેરે ચારે ક્રમવર્તી જ્ઞાનોનું પરિમિતવિષયગ્રાહીપણું અને પરસ્પર ભિન્ન વિષયગ્રાહિપણું સ્પષ્ટ છે, આથી જ ચારે જ્ઞાનોનો ઉપયોગ ભિન્ન ભિન્ન હોય છે. આ રીતે અસર્વાર્થપણાને કારણે તથા ક્ષયોપશમ આદિ કારણભેદને કારણે મતિ આદિ ચારે જ્ઞાનોમાં પરસ્પર ભેદ ઘટી શકે છે, પણ સર્વગ્રાહિ તથા ક્ષાયિકભાવના કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં ક્રમ સહિત કે ક્રમ રહિત કોઈપણ જાતનો પરસ્પર ભેદ ઘટી શકતો નથી, તેથી સામાન્ય-વિશેષ ઉભયગ્રાહી એક જ કેવલબોધ માનવો જોઈએ. કેવલોપયોગનું સ્વરૂપ વર્ણવતાં જણાવ્યું છે કે, તે કેવલોપયોગ સર્વવિષયને ગ્રહણ કરનાર છે, કોઈપણ પ્રકારના આવરણથી રહિત છે, અનંત એવા સર્વ દ્રવ્યો અને તેના સર્વ પર્યાયોને ગ્રહણ કરનાર હોવાથી અનંત છે, કોઈપણ ગુણ વિરોધી સજાતીય એવા ગુણ વડે નાશ પામતો હોય છે, જ્યારે આ ઉપયોગના વિરોધી સજાતીય ગુણનો અભાવ હોવાથી અક્ષય છે. (૧૬-૧૭) कोपयोगवादी ग्रन्थकारः स्वपक्षे आगमविरोधं परिहरन्नाह परवत्तव्वयपक्खा अविसिट्ठा तेसु तेसु सुत्तेसु । अत्थगईअ उ तेसिं वियंजणं जाणओ कुइ ।। १८ ।। परवक्तव्यपक्षाविशिष्टाः परैः वैशेषिकाद्यन्यदर्शनिभिर्वक्तव्यानि प्रतिपाद्यानि तेषां पक्षा अभ्युपगमास्तैरविशिष्टा अभिन्ना - एकार्थप्रतिपादका अभ्युपगमास्तेषु तेषु सूत्रेषु “जं समयं पासइ णो तं समयं जाणइ” इत्यादि सूत्रेषु प्रतिभासन्ते । ज्ञकः सिद्धान्तज्ञाता तेषां सूत्राणां व्यञ्जनं व्याख्यामर्थगत्या तु सामर्थ्येनैव द्वादशाङ्गाविरोधेनैव करोति । ज्ञानबिन्दुग्रन्थानुसारेण प्रथमौ द्वौ पादौ “ परवत्तव्वयपक्खा अविसुद्धा तेसु तेसु अत्थेसु” । तस्य च अर्थ:- तेषु तेष्वर्थेषु सूत्रेषु तत्तन्नयपरिकर्मणादिहेतोः परेषां वैशेषिकादीनां यानि वक्तव्यानि तेषां पक्षा अविशुद्धा ज्ञायन्ते । शेषं पूर्ववत् । एतदत्र दृश्यम् - पूर्वयुक्तिसामर्थ्येन केवलज्ञानदर्शनोपयोगावभिन्नरूपौ सिध्येते न तु भिन्नरूपौ । किन्तु “ जं समयं पासइ...” इत्यादि सूत्रेषु प्रतिफलदुपयोगद्वयेनागमविरोधः 2010_02 Page #166 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-१८ १२१ स्पष्टः । तत्परिहरन् एकोपयोगवादी आह - तत्तत्सूत्रेषु ये अभ्युगमा दृश्यन्ते ते तत्तन्नयपरिकर्मणादिहेतोः परदर्शनपक्षसमा ग्रथिताः । तस्मात् तत्सूत्राणामर्थः आगमविद् द्वादशाङ्गाविरोधेन करोति । 'जं समयं' इति सूत्रे केवलिशब्देन श्रुतकेवली, अवधिकेवली मनःपर्यायकेवली च ग्राह्यः, न तु त्रयोदशगुणस्थानकवी केवली, तेन नागमविरोधः ।।१८।। અવ. એકઉપયોગવાદરૂપ સ્વપક્ષમાં આગમવિરોધનો પરિહારगाथा : परवत्तव्वयपक्खाअविसिट्ठा तेसु तेसु सुत्तेसु । । अत्थगईअ उ तेसिं वियंजणं जाणओ कुणइ ।।१८।। છયા : परवक्तव्यपक्षाविशिष्टास्तेषु तेषु सूत्रेषु । अर्थगत्या तु तेषां व्यञ्जनं ज्ञकः करोति ।।१८।। અન્વથાર્થ : પરવત્ત વ્યવસ્થા વિસા = પરદર્શનો વડે પ્રતિપાદ્ય માન્યતાઓ વડે સમાન માન્યતાઓ તેલુ તેનું સુવું = તે તે સૂત્રોમાં. તેસિં = તે સૂત્રોની, વિચંગU = વ્યાખ્યા ના = જાણકાર અસ્થિ = અર્થસંગતિ મુજબ જ પારૂ = કરે છે. ગાથાર્થઃ પરદર્શનો વડે જણાવાયેલી માન્યતાઓ સમાન જ માન્યતાઓ તે તે સૂત્રોમાં જણાય છે. તેથી સ્યાદ્વાદને જાણકાર પુરુષ અર્થની સંગતિ પ્રમાણે જ તે સૂત્રોની વ્યાખ્યા કરે છે. (૧૮) વિશેષાર્થ : “જ્ઞાનબિંદુ' ગ્રંથમાં આ ગાથાના પ્રથમ બે ચરણ આ મુજબ જણાવેલ છે, “પરવક્તવ્યપર્વ વિસુદ્ધા તેણુ તેનુ અર્થે; ' = તે તે અર્થોમાં અર્થાત્ સૂત્રોમાં અવિશુદ્ધ એવી પરદર્શનની માન્યતા છે. સ્યાદ્વાદને જાણકાર અર્થસંગતિ મુજબ જ તે અર્થોને પ્રગટ કરે છે. તાત્પર્યાર્થ : પૂર્વની ગાથાઓમાં જણાવેલ યુક્તિઓથી કેવલજ્ઞાન અને કેવલદર્શનનો અભેદ સિદ્ધ થાય છે ખરો, પણ સૂત્રના પાઠો સાથે વિરોધ આવે તેનું શું કરવું ? કારણ કે, કેવલીમાં ઉપયોગભેદ જણાવનાર સૂત્રો સ્પષ્ટ છે. એ શંકાનું નિવારણ કરવા ગ્રંથકાર કહે છે જો એકવાર વસ્તુ પ્રમાણથી અમુક ચોક્કસરૂપે સિદ્ધ થતી હોય અને પછી કાંઈ શાસ્ત્ર વિરોધ દેખાય, તો તેને સ્થળે અન્ય પ્રમાણો સાથે વિરોધ ન આવે તેવી જ રીતે શાસ્ત્રની વ્યાખ્યા કરવી જોઈએ. પ્રસ્તુતમાં અનેક યુક્તિ પ્રમાણોથી અભેદ સિદ્ધ થાય છે. માટે, જ્ઞાનદર્શનના ભેદપ્રતિપાદક વાક્યોની વ્યાખ્યા કુશળ પુરુષે અનેકાંતસ્વરૂપ કેવલબોધથી ઉત્પન્ન 2010_02 Page #167 -------------------------------------------------------------------------- ________________ १२२ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-१९ થયેલ દ્વાદશાંગીને બાધ ન આવે તેવી રીતે કરવી જોઈએ. તેથી જે જે સૂત્રોમાં જ્ઞાન-દર્શનના ભેદબોધક વચનો છે તે બધાં સર્વજ્ઞમાં જ્ઞાનોનું અયુગપતુપણું માનનારાં એવા વૈશેષિક વગેરે અન્ય દર્શનનાં મંતવ્યો જેવાં છે. तथा “जं समयं पासइ णो तं समयं जाणइ" ॥ सूत्रमा दीपनी मर्थ सर्वशन २५ो, કારણ કે, તે અર્થ કરતાં કેવલીની અસર્વજ્ઞતા સિદ્ધ થાય, પણ શ્રુતકેવલી, અવધિ કેવલી અને મન:પર્યાયકેવલી એ ત્રિવિધ કેવલી અર્થ કરવો. એ અર્થ લેતાં કહેવાયેલાં સૂત્રનો ભાવ એમ ફલિત થાય છે કે, શ્રુતકેવલી વગેરે ત્રણે કેવલી જે સમયે દર્શન કરે છે, તે સમયે જ્ઞાન નથી કરતાં; અને જે સમયે જ્ઞાન કરે છે, તે સમયે દર્શન કરતાં નથી. (૧૮) यदि युगपदुपयोगद्वयात्मकमेकं केवलम्, तर्हि मनःपर्यायज्ञानवज्ज्ञानत्वेनैव निर्देशनीयम्, न तु ज्ञान-दर्शनत्वेनेत्याशङ्कायामाह - जेण मणोविसयगयाण सणं णत्थि दव्वजायाण । तो मणपज्जवणाणं णियमा णाणं तु णिद्दिटुं ।।१९।। येन यतो मनोविषयगतानां मनःपर्यायज्ञानविषयप्राप्तानां द्रव्यजातानां मनोद्रव्याणां दर्शनं सामान्यरूपं नास्ति ततो मनःपर्यवज्ञानं नियमाद् ज्ञानं तु ज्ञानमेवाऽऽगमे निर्दिष्टं प्ररुपितम् । इदमत्र प्रमेयम् - द्रव्यमनस्त्वेन परिणतानि मनोद्रव्याणि मनःपर्यायज्ञाने विशेषरूपेणैव ज्ञायते न तु सामान्यरूपेण । तत आगमे मनःपर्यायज्ञानमुक्तम्, न तु मनःपर्यायदर्शनम् । केवलज्ञानं तु सर्वार्थविषयकम्, केवलज्ञानेन सामान्यविशेषरूपाणि सर्वाणि द्रव्यपर्यायाणि ज्ञायते, तेन एकरूपमपि केवलं केवलज्ञानं केवलदर्शनमिति विभिन्नं निर्दिष्टम् ।।१९।। અવ. સ્વપક્ષમાં આવતી શંકાનું સિદ્ધાંતી દ્વારા સમાધાનगाथा : जेण मणोविसयगयाणं दंसणं णत्थि दव्वजायाण । तो मणपज्जवणाणं णियमा णाणं तु णिद्दिठं ।।१९।। येन मनोविषयगतानां दर्शनं नास्ति द्रव्यजातानाम् । ततो मनःपर्यवज्ञानं नियमाद् ज्ञानं तु निर्दिष्टम् ।।१९।। छाया: 2010_02 Page #168 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-२० १२३ અન્યથાર્થ : નેT = જેથી મrોવિષયવાળું = મન:પર્યવજ્ઞાનના વિષયભૂત રત્રનાયા = દ્રવ્યોનું વંvi = દર્શન (સામાન્ય બોધ) Oિ = નથી. તો = તેથી મUITMવIri = મન:પર્યવજ્ઞાન વિમા = નિચ્ચે vi = જ્ઞાન તુ = જforદિ = કહેવાયું છે. ગાથાર્થ : જે કારણથી મન:પર્યાયજ્ઞાનના વિષયભૂત એવા દ્રવ્યસમૂહોનું દર્શન-સામાન્યબોધ નથી, તે કારણથી મન:પર્યાય નામના ઉપયોગને નિયમે જ્ઞાન જ કહ્યું છે પણ દર્શન કહ્યું નથી. (૧૯) તાત્પર્યાર્થઃ જો યુગપદ્ ઉપયોગદ્વયાત્મક એક જ કેવલોપયોગ હોય તો મન:પર્યાયજ્ઞાનની જેમ માત્ર જ્ઞાનસ્વરૂપે જ નિર્દેશ શા માટે ન કર્યો ? જ્યારે, શાસ્ત્રોમાં “કેવલજ્ઞાન અને કેવલદર્શન' એમ ભિન્ન નિર્દેશ કરેલ છે. તેથી ક્રમથી કે યુગપદ્ ભિન્નઉપયોગદ્વય સ્વીકારવા જ યોગ્ય છે. એ શંકાનો ઉતર આ ગાથામાં સિદ્ધાંતી આપે છે - મન:પર્યાયોપયોગનો વિષય મનમાં ઉપયોગી થતા મનોવર્ગણાના સ્કંધો છે. તે ઉપયોગ પોતાના ગ્રાહ્ય સ્કંધોને વિશેષરૂપે જ જાણે છે, સામાન્યરૂપે નહિ. મન:પર્યાયજ્ઞાન દ્વારા ઉક્ત દ્રવ્યોનું સામાન્યરૂપે ભાન થતું ન હોવાથી એને શાસ્ત્રમાં જ્ઞાન જ કહેલ છે, દર્શન કહેલ નથી. જ્યારે કેવલોપયોગની બાબતમાં આનાથી ઊલટું છે; તે એક હોવા છતાં શેય પદાર્થોને સામાન્ય અને વિશેષ ઉભયરૂપે ગ્રહણ કરે છે, તેથી તેમાં દર્શન અને જ્ઞાન બન્ને શબ્દનો વ્યવહાર સંગત છે. (૧૯) सूत्रे केवलमुभयरूपत्वेन परिपठितत्वादप्युभयरूपमिति दर्शयन्नाह - चक्खुअचक्खुअवहिकेवलाण समयम्मि दंसणविअप्पा । परिपढिया केवलणाणदंसणा तेण ते अण्णा ।।२०।। समये स्वसिद्धान्ते चक्षुरचक्षुरवधिकेवलानां दर्शनविकल्पा भेदाः परिपठिता निरूपितास्तेन तस्मात् ते केवलज्ञानदर्शने अन्ये भिन्ने । इदमत्र विचार्यम् - शास्त्रे दर्शनस्य चत्वारो विकल्पा दर्शिताः । चक्षुर्दर्शनम्, अचक्षुर्दर्शनम्, अवधिदर्शनं केवलदर्शनं च । तेन केवलं ज्ञानमध्ये पाठाज्ज्ञानं दर्शनमध्ये पाठाद् दर्शनमपीति । परिभाषामात्रमेतदिति ग्रन्थकारस्य तात्पर्यम् । न चात्यन्तं तयोर्भेद एव, વેવશ્રીન્તક્તત્વેન તયોરમેવાતુ ર૦ || 2010_02 Page #169 -------------------------------------------------------------------------- ________________ १२४ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-२१ અવ. એક ઉપયોગ હોવા છતાં બે કહેવાનું બીજું કારણगाथा : चक्खुअचक्खुअवहिकेवलाण समयम्मि दंसणविअप्पा । परिपढिया केवलणाणदंसणा तेण ते अण्णा ।।२०।। છાયા : चक्षुरचक्षुरवधिकेवलानां समये दर्शनविकल्पाः । परिपठिताः केवलज्ञानदर्शने तेन ते अन्ये ।।२०।। કન્વયર્થ : સમર્થમિ = શાસ્ત્રમાં વરઘુવડ્ડમર્વદિવાન = ચક્ષુ-અચક્ષુ અવધિ અને કેવલના વંસ વિગપ્પા = દર્શન ભેદો પરિપઢિયા = કહેવાયા છે. તે = તેથી, તે = તે બે વUTUવંસUT = કેવલજ્ઞાન અને કેવલદર્શન સUTI = ભિન્ન. ગાથાર્થ ઃ શાસ્ત્રમાં દર્શનના ભેદો ચાર કહેવાયા છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શન. તેથી પણ તે કેવલજ્ઞાન અને કેવલદર્શન ભિન્ન છે. (૨૦) તાત્પર્યાર્થ : યુક્તિથી કેવલોપયોગ એક જ છે એમ સિદ્ધ થયેલું હોવા છતાં, કેવલજ્ઞાન અને કેવલદર્શન બન્ને ભિન્ન છે એવી માન્યતા રૂઢ થવાનું કારણ ફક્ત શાસ્ત્રવ્યવહાર છે. જૈન શાસ્ત્રમાં દર્શનના ચાર ભેદોમાં (ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શન) કેવલદર્શન જુદું ગણાવેલું છે. જો વાસ્તવિક રીતે ભેદ ન હોય તો શાસ્ત્રકારોએ જ કેવલજ્ઞાન અને કેવલદર્શન જુદાં કેમ કહ્યાં ? એ પ્રશ્ન ઉભવે ખરો. પણ તેનું સમાધાન પહેલાં અપાઈ ગયું છે અને તે એ કે સામાન્ય અને વિશેષ એ બે ગ્રાહ્ય એવા વિષય અંશોની ભિન્નતાની અપેક્ષાએ એક જ ગ્રાહક એવા કેવલોપયોગમાં દર્શન અને જ્ઞાન શબ્દનો ભિન્ન ભિન્ન વ્યવહાર શાસ્ત્રકારોએ કરેલો છે. નહિ કે ગ્રાહક એવા જ્ઞાનના ભેદની અપેક્ષાએ. આ રીતે કેવલોપયોગ એક જ સ્વરૂપ હોવા છતાં વિવક્ષાથી બે રૂપે કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપે કહેવામાં વાંધો નથી. (૨૦) एकदेशिमतं दर्शयन्नाह - दसणमोग्गहमेत्तं 'घडो' त्ति णिव्वण्णणा हवइ णाणं । जह एत्थ केवलाण वि विसेसणं एत्तियं चेव ।।२१।। मतिरूपे बोधे अवग्रहमात्रमस्पष्टबोधस्वरूपं दर्शनम्, 'घटः' इति निवर्णना निष्टायात्मकं वर्णनं ज्ञानं मतिज्ञानं भवति । यथात्र यथा मतिज्ञानदर्शनयोर्भेदः एतावदेव एतावान्मात्रं केवलयोरपि केवलज्ञानदर्शनयोरपि विशेषणं भेदः । 2010_02 Page #170 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-२१-२२ १२५ इदमत्र वेदनीयम् - मतिज्ञानस्य मूलभूताप्टात्वारो भेदाः, तद्यथा - अवग्रह-ईहा-ऽपायधारणाः । तत्र 'इदं तद्' इति व्यपदेष्टुमशक्यबोधोऽवग्रह उच्यते, स एव च दर्शनं तथा निष्टायात्मकवर्णनमपायस्वरूपम् ‘अयं घटः' इत्यादि ज्ञानमुच्यते । यथा मतिज्ञाने तथैव केवलबोधे सामान्यांशं दर्शनं विशेषाशं च ज्ञानमुच्यते ।।२१।। एकदेश्येव क्रमिकभेदपक्षं दूषयति - दसणपुव्वं णाणं णाणणिमित्तं तु दंसणं णत्थि । तेण सुविणिच्छियामो दंसणणाणाण अण्णत्तं ।।२२।। दर्शनपूर्वं ज्ञानमिति छद्मस्थोपयोगदशायां प्रसिद्धम् । ज्ञाननिमित्तं तु दर्शनं नास्ति कुत्रापि, तथाऽप्रसिद्धेः । तेन तस्मात् सुविनिष्टिानुमो दर्शनज्ञानयोरन्यत्वं भिन्नत्वम् । ज्ञानबिन्दौ तु तेन सुविनिष्टिानुमो दर्शनज्ञाने नाऽन्यत्वम् न क्रमप्राप्तभेदं केवलिनि भजत इति शेषः । इदमत्र वेदितव्यम् - सामान्य ज्ञात्वा पष्टााद् विशेषं ज्ञायते नाऽन्यथा, तेन दर्शनपूर्वं ज्ञानं भवतीति छद्मस्थावस्थायां प्रसिद्धम् । अयं च क्रमः क्षयोपशमनिबन्धनः, केवलिनि च क्षयोपशमभावाभावात् क्रमिकभावो नैव युज्यते । अन्यथा सर्वासां लब्धीनां साकारोपयोगप्राप्यत्वेन पूर्व ज्ञानस्य पष्टााद् दर्शनस्योत्पत्तिर्वाच्या, तथा च ज्ञानहेतुकं दर्शनमिति केवलिन्यापतति, तञ्चात्यन्तमनुचितम् । तस्मात् केवलिनो दर्शनज्ञाने न भिन्ने, न च तयोः क्रमप्राप्तभेदं संभवति ।।२२ ।। १. मेशी'मतनुं वनिगाथा : सणमोग्गहमेत्तं 'घडो' त्ति णिव्वण्णणा हवइ णाणं । जह एत्थ केवलाण वि विसेसणं एत्तियं चेव ।।२१।। दर्शनमवग्रहमानं 'घटः' इति निर्वर्णना भवति ज्ञानम् । यथा अत्र केवलयोरपि विशेषणम् एतावद् एव ।।२१।। अन्वयार्थ : ओग्गहमेत्तं = अ मात्र दसणं = शन, 'घडो'त्ति = 'घ2' में प्रमाणो णिव्वण्णणा = मिश्ययपूर्वनु पर्शन णाणं = धन छाया: 2010_02 Page #171 -------------------------------------------------------------------------- ________________ १२६ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-२१-२२ છેTયા : દવ = કહેવાય છે. નર = જેમ લ્થ = અહીં (જેટલો તફાવત), ત્તિર્થ વેવ = આટલો જ વિલેસ = વિશેષ તફાવત વેવસ્ટાઈન વિ = કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં પણ. Vાથા : दसणपुव्वं णाणं णाणणिमित्तं तु दंसणं णत्थि । तेण सुविणिच्छियामो सणणाणाण अण्णत्तं ।।२२।। दर्शनपूर्वं ज्ञानं ज्ञाननिमित्तं तु दर्शनं नास्ति । तेन सुविनिश्चिनुमो दर्शनज्ञानयोरन्यत्वम् ।।२२।। અન્યથાર્થ : હંસાપુä = દર્શનપૂર્વક = જ્ઞાન થાય છે તુ = પણ, પાન મિત્ત = જ્ઞાનમૂલક રંસ = દર્શન Oિ = થતું નથી. તે = તેથી, વિઝિયામી = અમે સારી રીતે નિશ્ચય કરીએ છીએ કે, રંગ MITUTI = દર્શન અને જ્ઞાનમાં અપUત્ત = ભેદ છે. ગાથાર્થ : મતિઉપયોગમાં અવગ્રહ માત્ર એ દર્શન છે, અને “આ ઘટ છે' એવો નિશ્ચયાત્મક બોધ મતિજ્ઞાન છે; અહીં મતિઉપયોગમાં જેટલો તફાવત છે, તેટલો જ તફાવત કેવલજ્ઞાન અને કેવલદર્શનની બાબતમાં પણ છે. અર્થાત્ એક કેવલ ઉપયોગ જ સામાન્ય અંશમાં દર્શન છે અને વિશેષ અંશમાં જ્ઞાન છે. જ્ઞાન એ દર્શનપૂર્વક થાય છે, પરંતુ દર્શન જ્ઞાનપૂર્વક થતું નથી; તેથી અમે યથાર્થપણે નિશ્ચય કરીએ છીએ કે, દર્શન અને જ્ઞાનમાં કથંચિત્ ભિન્નતા છે. (૨૧-૨૨) વિશેષાર્થ: “જ્ઞાનબિંદુ' ગ્રંથમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ ‘વંસMOTIVIL ' પદને રંગના જ ૩UUત્તિ આ રીતે વિવક્ષા કરી અર્થ કર્યો છે કે “કેવલીના દર્શન અને જ્ઞાન ભિન્ન નથી. અર્થાત્ કેવલીના દર્શન અને જ્ઞાન ક્રમ પ્રાપ્તભેદને પામતા નથી.” તાત્પર્યાર્થ : કોઈ બીજો વાદી કેવલજ્ઞાન અને કેવલદર્શનનો અભેદ માને છે; પણ તેણે અભેદ સિદ્ધ કરવા માટે જે ઉદાહરણ આપેલ છે, તે સિદ્ધાંતીને માન્ય નથી; તેથી તેનું નિરાકરણ કરવા અહીં એકદેશીના મતની રજૂઆત સિદ્ધાંતી કરે છે.' એકદેશી કહે છે કે, જેમ મતિરૂપ ઉપયોગ એક હોવા છતાં તેનો પૂર્વવર્તી અવગ્રહરૂપ નિર્વિકલ્પભાગ અસ્પષ્ટ હોવાથી દર્શનસ્વરૂપ છે અને ઉત્તરવર્તી સવિકલ્પભાગ સ્પષ્ટ હોવાથી જ્ઞાનસ્વરૂ૫ છે, તે જ રીતે સામાન્ય-વિશેષ ઉભયગ્રાહી એવો કેવલોપયોગ એક હોવા છતાં પણ ભિન્ન-ભિન્ન ગ્રાહ્યની અપેક્ષાએ તેના કેવલજ્ઞાન અને કેવલદર્શન એમ બે જુદા નામો પ્રસિદ્ધ છે, અર્થાત્ એક એવો પણ કેવલોપયોગ અપેક્ષાભેદે કથંચિત્ ભિન્ન છે. 2010_02 Page #172 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-२३-२४ १२७ છદ્મસ્થઅવસ્થામાં જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમને કારણે કોઈપણ પદાર્થનો સામાન્યબોધ થયા બાદ વિશેષબોધ થાય છે, પણ વિશેષબોધ થયા બાદ સામાન્યબોધ થતો નથી અર્થાત્ જ્ઞાન થતાં પૂર્વે દર્શન અવશ્ય થાય છે પણ દર્શન થતાં પૂર્વે જ્ઞાન થતું નથી. આ રીતે કાર્યકારણભાવનો ક્રમ છે, જ્યારે કેવલીમાં પ્રથમ જ્ઞાન થાય છે પછી દર્શન થાય છે. કારણ કે, દરેક લબ્ધિની શરૂઆત સાકારોપયોગથી થાય છે, અને ક્ષયોપશમભાવને કારણે થતો ક્રમ પણ કેવલીમાં નથી. આ રીતે કેવલીના જ્ઞાન અને દર્શનમાં કથંચિત્ ભિન્નતા છે. વળી, જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમને કારણે જે ક્રમ સંભવે છે તે કેવલીમાં નથી. છતાં છબસ્થઅવસ્થામાં જોવા મળતાં ક્રમિક જ્ઞાન અને દર્શનના સમાનજાતીય હોવાથી કેવલીના જ્ઞાન અને દર્શનમાં ભિન્નતા છે. આવું જે ટીકાકાર મહર્ષિએ વર્ણન કર્યું તે વિચારણીય છે કારણ કે, સ્વભાવભેદથી વિચારણા કરતાં આ વસ્તુ ઘટી શકે છે, પણ કેવલી અવસ્થામાં દર્શન એ જ્ઞાનનિમિત્તક નથી એવું જણાવીને જ્ઞાન અને દર્શનનો ભેદ છે તેવું જણાવવામાં પ્રયોજન જણાતું ન હોવાથી કઈ રીતે શોભે ? આ રીતે “જ્ઞાનબિંદુ'ગ્રંથમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ અસ્વરસ જણાવીને ગાથાનો જુદી રીતે અર્થ કરેલ છે. ટીકામાં તેઓશ્રીજીએ જણાવ્યું કે, છદ્મસ્થ અવસ્થામાં દર્શનપૂર્વક જ જ્ઞાન થાય છે, તે વાત પ્રસિદ્ધ છે. કારણ કે, સામાન્યબોધ થયા બાદ જ વિશેષબોધ થાય છે, પણ વિશેષબોધ થયા બાદ સામાન્ય બોધ થાય છે તેવી પ્રસિદ્ધિ નથી અર્થાત્ જ્ઞાનપૂર્વક દર્શન થાય એ વાતની અપ્રસિદ્ધિ છે. આ રીતે દર્શનપૂર્વક જ્ઞાનનો ક્રમ જણાવવામાં આવેલ છે. તેથી અમે નિશ્ચય કરીએ છીએ કે, કેવલીમાં દર્શન અને જ્ઞાન ભિન્ન નથી અર્થાત્ કેવલીમાં ક્રમથી પ્રાપ્ત ભેદ હોતો નથી. કારણ કે, જો ક્રમ સ્વીકારવામાં આવે તો કેવલીમાં નિયમથી જ્ઞાન પછી દર્શન કહેવું જોઈએ. કારણ કે, જેમ દરેક લબ્ધિની પ્રાપ્તિ સાકારોપયોગમાં થાય છે તેમ કેવલલબ્ધિ પણ સાકારોપયોગમાં થાય છે તેથી, કેવલીમાં જ્ઞાનપૂર્વક દર્શન કહેવું જોઈએ અને જો તે કહેવામાં આવે તો અત્યંત અનુચિત જણાય છે. કારણ કે, વિશેષબોધના કારણે સામાન્યબોધ ઉત્પન્ન થાય છે તેવું ક્યાંય પણ માનવામાં આવ્યું નથી. માટે, કેવલીમાં દર્શન અને જ્ઞાનમાં ક્રમથી પ્રાપ્ત ભેદ માનવામાં આવતો નથી. (૨૧-૨૨) एकदेशिना यदुक्तम्- “अवग्रहमानं मतिज्ञानमेव दर्शनम्” इत्यादि तद् गाथाद्वयेन दूषयन्नाह जइ ओग्गहमेत्तं दंसणं ति मण्णसि विसेसि णाणं । मइणाणमेव दंसणमेवं सइ होइ निप्फण्णं ।।२३।। एवं सेसिंदियदंसणम्मि नियमेण होइ ण य जुत्तं । अह तत्थ णाणमेत्तं घेप्पइ चक्खुम्मि वि तहेव ।।२४।। 2010_02 Page #173 -------------------------------------------------------------------------- ________________ १२८ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-२३-२४ यदि मत्यवबोधे अवग्रहमानं दर्शनं विशेषितं च ज्ञानं मतिज्ञानमिति मन्यसे, एवं सति मतिज्ञानमेव दर्शनं निष्पन्नं प्राप्तं भवति । न चैतद् युक्तम्, सूत्रविरोधात् । एवं सत्यवग्रह एव दर्शनमित्यभ्युपगमेन शेषेन्द्रियदर्शने चक्षुर्भिन्नेन्द्रियदर्शने नियमेन निष्टायेन मतिज्ञानमेव तद्भवति, न च तद् युक्तम्, पूर्वोक्तदोषप्रसङ्गात् । अथ तत्र चक्षुर्भिन्नश्रोत्रादिष्विन्द्रियेषु ज्ञानमात्रं दर्शनमपि सत् तज्ज्ञानमेव, मात्रशब्दस्य दर्शनव्यवच्छेदकत्वाद् गृह्यते तथैव तेनैव प्रकारेण चक्षुष्यपि चक्षुरिन्द्रियेऽपि गृह्यताम्, 'चक्षुर्ज्ञानम्' न तु 'चक्षुर्दर्शनम्' इति । इदमूह्यम् - अवग्रहरूपा मतिरेव दर्शनमपायात्मिका च ज्ञानमित्येकदेशीयमते स्वीकृते सति ज्ञानमेवं दर्शनं प्राप्तम्, न चैतद् युक्तम्, तत्वार्थसूत्रे द्वितीयेऽध्याये ज्ञानोपयोगस्याष्टभेदानां दर्शनोपयोगस्य च चतुर्भेदानां पृथक्कथितत्वान्मतिज्ञानस्याष्टाविंशतिभेदोक्तिविरोधाच्च । अत एव शेषेन्द्रियदर्शनेऽप्यवग्रह एव दर्शनं विशेषितं च ज्ञानमिति न युक्तम् । किञ्च यथा आगमे 'श्रोत्रज्ञानं घ्राणज्ञानम्' इत्यादिव्यपदेश उपलभ्यते तथा श्रोत्रदर्शनम् घ्राणदर्शनम्' इत्यादिव्यपदेश नोपलभ्यते, ततष्टाक्षुर्भिन्नेषु श्रोत्रादीन्द्रियेषु दर्शनमपि सज्ज्ञानमेव यदि स्वीक्रियते तर्हि चक्षुष्यपि तथैव ‘चक्षुर्ज्ञानमेव गृह्यताम्, न तु ‘चक्षुर्दर्शनम्' । अथ चक्षुरिन्द्रिये दर्शनं गृह्यते तर्हि श्रोत्रादीन्द्रियेष्वपि कथं न ? युक्तेस्तुल्यत्वात् ।।२३-२४ ।। छाया: અવ. એકદેશીમતે આપેલ દષ્ટાંતની સમાલોચનાगाथा : जइ ओग्गहमेत्तं दंसणं ति मण्णसि विसेसिअं णाणं । मइणाणमेव दंसणमेवं सइ होइ निप्फण्णं ।।२३।। यदि अवग्रहमानं दर्शनम् इति मन्यसे विशेषितं ज्ञानम् । मतिज्ञानमेव दर्शनमेवं सति भवति निष्पन्नम् ।।२३।। अन्वयार्थ : जइ = ओ ओग्गहमेत्तं = AqU3मात्र दंसणं = ६शन अने विसेसि = विशेष णाणं = Lन ति = मे प्रमाणो मण्णसि = तुं माने छ, एवं सइ = 20 प्रमोडीत छते मइणाणमेव = भतिश ४ दंसणं = शन निप्फण्णं = प्राप्त होइ = थाय छे. 2010_02 Page #174 -------------------------------------------------------------------------- ________________ સંતિતરને, g-૨, આથા-૨૩-૨૪ १२९ गाथा : एवं सेसिंदियदंसणम्मि नियमेण होइ ण य जुत्तं । अह तत्थ णाणमेत्तं घेप्पइ चक्खुम्मि वि तहेव ।।२४।। छाया : एवं शेषेन्द्रियदर्शने नियमेन भवति न च युक्तम् । अथ तत्र ज्ञानमात्रं गृह्यते चक्षुष्यपि तथैव ।।२४ ।। અન્યથાર્થ : પર્વ = આ પ્રમાણે (હોતે છતે) સિરિયર્વસ ગ્નિ = શેષ ઈન્દ્રિયોના દર્શનમાં નિમેળ = નિચ્ચે (તે જ જ્ઞાન છે એવું ફલિત) દો = થાય છે. ૨ ગુd = અને તે યુક્ત નથી. સર = હવે જો તત્થ = તે અન્ય ઈન્દ્રિયોના વિષયમાં નામેd = જ્ઞાનમાત્ર પૂરૂ = ગ્રહણ કરવામાં આવે તો વરઘુમિ વિ = નેત્રમાં પણ તદેવ = તે જ રીતે માનવું જોઈએ. ગાથાર્થઃ મતિના અવબોધમાં અવગ્રહ માત્ર એ દર્શન અને વિશેષગ્રહણ એ જ્ઞાન છે એમ જો તું માને, તો તેનાથી એ ફલિત થાય છે કે મતિજ્ઞાન જ દર્શન છે, પણ આ વાત યોગ્ય નથી. (૨૩) અવગ્રહ એ દર્શન છે અને અપાયાદિ વિશેષગ્રહણ તે જ્ઞાન છે” આવુ માનવાથી શેષ ઇંદ્રિયોના દર્શનમાં પણ નિયમથી જ જ્ઞાન છે” એવું ફલિત થશે, પરંતુ તે ઘટતું નથી. હવે જો તે અન્ય ઇંદ્રિયોના વિષયમાં દર્શન હોતે છતે તે જ્ઞાન જ છે એવું માનવામાં આવે, તો ચક્ષુના વિષયમાં પણ તેમ જ માનવું ઘટે અર્થાત્ ચક્ષુજ્ઞાન માનવું જોઈએ પણ ચક્ષુદર્શન માનવું જોઈએ નહિ. (૨૪) તાત્પર્યાર્થઃ એકદેશી સંમત અભેદ તો સિદ્ધાંતીને પણ માન્ય છે; પરંતુ તેણે આપેલ દૃષ્ટાંત સિદ્ધાંતીને ગ્રાહ્ય નથી, તેથી એ પોતાની અરુચિ જણાવવા તે દૃષ્ટાંત માનતાં શું શું અનિષ્ટ પ્રાપ્ત થાય છે એ સમાલોચના દ્વારા જણાવે છે. સિદ્ધાંતી એકદેશીને કહે છે કે, જો તું એમ માનશે કે અવગ્રહાત્મક મતિ એ દર્શન છે અને વિશેષ ગ્રહણ એ જ્ઞાન છે, તો મતિજ્ઞાનને જ દર્શન માનવું પડશે અર્થાત્ મતિજ્ઞાન અને દર્શન એક જ છે તેમ સ્વીકારવું પડશે. પણ આ રીતે સ્વીકારતાં સૂત્ર સાથે વિરોધ આવે છે. કારણ કે, સૂત્રમાં તો જ્ઞાનના આઠ ભેદ તથા દર્શનના ચાર ભેદ માનવામાં આવ્યા છે તથા મતિજ્ઞાનના જે અાવીશ ભેદોનો ઉલ્લેખ મળે છે, તે પણ સૂચવે છે કે જ્ઞાન અને દર્શન ભિન્ન છે. વળી તમારા વડે દૃષ્ટાંતમાં જેમ ચક્ષુઈન્દ્રિયવિષયક અવગ્રહાત્મક બોધને દર્શન કહી, જ્ઞાન અને દર્શનનો અભેદ સિદ્ધ કર્યો હતો, તેમ શેષ ઈન્દ્રિયોમાં પણ અવગ્રહને દર્શન માનવું પડશે. તેથી ત્યાં પણ દર્શન મતિજ્ઞાનરૂપે જ થઈ જશે. પરંતુ આ વાત અયુક્ત છે. કારણ કે ઉપર કહ્યું તેમ અહીં પણ સૂત્રનો વિરોધ આવે છે. 2010_02 Page #175 -------------------------------------------------------------------------- ________________ १३० संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-२५ આ આપત્તિનો પ્રતિકાર કરતાં એકદેશી કહે છે કે શ્રોત્રાદિ ઈન્દ્રિયસ્થળમાં અવગ્રહ એ દર્શનરૂપ હોવા છતાં પણ તેને અમે જ્ઞાનરૂપે જ સ્વીકારીએ છીએ. કારણ કે, શ્રોત્રજ્ઞાન, ધ્રાણજ્ઞાન વિગેરે વ્યવહારો શાસ્ત્રોમાં જોવા મળે છે. પણ શ્રોત્રદર્શન, પ્રાણદર્શન આ વિવક્ષા શાસ્ત્રોમાં ક્યાંય પ્રસિદ્ધ નથી. આની સામે આક્ષેપપૂર્વક ગ્રંથકારશ્રી કહે છે કે તો શેષ ઈન્દ્રિયોની જેમ ચક્ષુ ઈન્દ્રિયમાં પણ તે રીતે જ ગ્રહણ કરવું જોઈએ, અર્થાત્ ચક્ષુદર્શન ન માનતાં માત્ર ચક્ષુજ્ઞાન જ માનવું જોઈએ. જ્યારે શાસ્ત્રોમાં શ્રોત્ર વગેરે અન્ય ઈન્દ્રિયોમાં માત્ર જ્ઞાન જ માનવામાં આવ્યું છે અને ચક્ષુઈન્દ્રિયમાં જ્ઞાન અને દર્શન બંને માનવામાં આવ્યા છે. અહીં ચક્ષુદર્શનથી શું ગ્રહણ કરવું તે હવે પછીની ગાથામાં જણાવવામાં આવશે. (૨૩-૨૪) तर्हि चक्षुर्दर्शनाचक्षुदर्शनशब्दयोः कोऽर्थः ? तत्कथयन्नाह - णाणं अपुढे अविसए य अत्थम्मि दंसणं होइ । मोत्तूण लिंगओ जं अणागयाईयविसएसु ॥२५॥ अस्पृष्टेऽर्थे चक्षुषा य उदेति प्रत्ययः स ज्ञानमेव सञ्चक्षुर्दर्शनं भवत्युच्यत इत्यर्थः, इन्द्रियाणामविषये चार्थे परमाण्वादौ मनसा य उदेति प्रत्ययः स ज्ञानमेव सदचक्षुर्दर्शनमुच्यते । अनागतातीतविषयेषु भविष्यद्भूतकालविषयेषु लिङ्गतोऽनुमानादिहेतोलिङ्गिविषयं यज्ज्ञानमनुमित्यादि उदेति तन्मुक्त्वेदं व्याख्येयम् । इदं निरीक्ष्यम् - अनुमित्यादिरूपं मनोजन्यज्ञानं मुक्त्वाऽप्राप्यकारिणा चक्षुषा यज्ज्ञानं भवति तच्चक्षुर्दर्शनम्, तथाऽप्राप्यकारिणा मनसा यज्ज्ञानं भवति तदचक्षुर्दर्शनमुच्यते । अचक्षुदर्शने मनोजन्यज्ञानमेव ग्राह्यम्, न तु शेषेन्द्रियजन्यज्ञानम् । एतदनुसारेण प्राप्यकारीष्विन्द्रियेषु भवन् प्रत्ययो ज्ञानोपयोगरूप एव, न तत्र दर्शनोपयोग इति फलितम् । लतादौ कामिन्यादिज्ञानरूपं भावनाज्ञानं ज्ञेयम्, तत्र दर्शनशब्दस्य व्यवहारो भवति । ततोऽत्र गाथायां लिङ्गलिङ्गिज्ञानवर्जनाद्भावनाजन्यज्ञानव्यतिरिक्तपरोक्षज्ञानमात्रं वर्जनीयम्, तस्याऽस्पृष्टाविषयार्थस्याऽपि दर्शनत्वेनाऽव्यवहारात् । तस्माद् यत्र व्यञ्जनावग्रहस्तत्र न दर्शनोपयोग इति ।।२५ ।। 2010_02 Page #176 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-२५ १३१ અવ. અવગ્રહ એ મતિનો ભેદ છે અને મતિ એ જ્ઞાનરૂપ છે માટે, અવગ્રહ એ જ્ઞાનરૂપ છે અર્થાત અવગ્રહ એ દર્શનસ્વરૂપ નથી. તો પછી શાસ્ત્રમાં ચક્ષુદર્શન વગેરે ભેદોનો ઉલ્લેખ શા માટે છે ? આ શંકાનું સમાધાન આપતાં જણાવે છે કે, गाथा : णाणं अप्पुढे अविसए य अत्थम्मि दंसणं होइ । मोत्तूण लिंगओ जं अणागयाईयविसएसु ।।२५।। છાયા : ज्ञानम् अस्पृष्टे अविषये च अर्थे दर्शनं भवति । मुक्त्वा लिङ्गतो यद् अनागतातीतविषयेषु ।।२५।। અન્યથાર્થ : UTયાર્ફવિસલ્લુ = ભવિષ્યકાળ-ભૂતકાળના વિષયમાં નિકો = અનુમાનથી નં = જે જ્ઞાન થાય છે તે મોજૂUT = છોડીને પુદ્દે = અસ્પષ્ટ ૨ = અને વિસર = અવિષયભૂત સ્થગ્નિ = પદાર્થમાં પ = જ્ઞાન રંસ હોવું = દર્શન થાય છે. ગાથાર્થ ભવિષ્યકાળ અને ભૂતકાળના વિષયોમાં અનુમાનથી જે જ્ઞાન થાય છે તે સિવાય અસ્પષ્ટવિષયમાં (નેત્ર વડે) જે બોધ થાય છે તે જ્ઞાન હોવા છતાં ચક્ષુદર્શન કહેવાય છે તથા ઈન્દ્રિયોના અવિષયભૂત એવા પરમાણુ વગેરે વિષયોમાં મન વડે જે બોધ થાય છે તે જ્ઞાન હોવા છતાં અચક્ષુદર્શન કહેવાય છે. (૨૫) તાત્પર્યાર્થઃ જો જ્ઞાન અને દર્શન ઉપયોગને પરસ્પર ભિન્ન ન માનવામાં આવે, તેમજ મતિના અવગ્રહ માત્ર અંશને પણ દર્શન કહેવામાં ન આવે, તો પછી શાસ્ત્રમાં જે ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એવાં બે નામો ખાસ જુદા જુદા ઉપયોગ અર્થમાં વપરાતાં દેખાય છે, તેમની સિદ્ધિ તમે શી રીતે કરશો ? એ પ્રશ્નનો ઉત્તર આપવા સિદ્ધાંતી પોતાનો મત જણાવતાં કહે છે કે, અનુમાનરૂપ જ્ઞાનને છોડી અપ્રાપ્યકારી ચક્ષુ અને મન દ્વારા જે જ્ઞાન થાય છે, તે જ અનુક્રમે ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન કહેવાય છે.” આ વ્યાખ્યા પ્રમાણે “સ્પર્યા વિના જ સૂર્ય, ચંદ્ર વગેરે દૂર રહેલા પદાર્થોમાં ચક્ષુ વડે જે બોધ થાય છે, તે ચક્ષુદર્શન કહેવાય છે; અને કોઈપણ બાહ્ય ઇંદ્રિયના વિષય ન બની શકે તેવા પરમાણુ વગેરે સૂક્ષ્મ તથા વ્યવધાનવાળા પદાર્થોમાં મન દ્વારા જે ચિંતનાત્મક બોધ થાય છે, તે અચક્ષુદર્શન કહેવાય છે.' અચક્ષુદર્શનમાં માત્ર મનોજન્ય જ્ઞાન લેવામાં આવે છે; બીજી કોઈ ઇંદ્રિયથી જન્ય જ્ઞાન લેવામાં આવતું નથી. તેથી, વસ્તુત: ફલિત એમ થાય છે કે, અપ્રાપ્યકારી ઇંદ્રિયો બે છે : ચક્ષુ અને મન અને તે બે ઇંદ્રિયો દ્વારા થનાર જ્ઞાન જ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન શબ્દથી વાચ્ય છે. આમાં આટલું વિશેષ સમજવું કે, જેમ અપ્રાપ્તપદાર્થવિષયક ચક્ષુજન્ય બધું જ જ્ઞાન ચક્ષુદર્શન કહેવાય છે તેમ ઇંદ્રિયગ્રાહ્યપદાર્થવિષયક બધું મનોજન્ય જ્ઞાન અચક્ષુદર્શન કહેવાતું 2010_02 Page #177 -------------------------------------------------------------------------- ________________ १३२ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-२६ નથી. તેથી જ “અનુમાન છોડીને' એમ કહ્યું છે. તાત્પર્ય એ છે કે, હેતુ દ્વારા જે ભૂતકાળ, વર્તમાનકાળ કે ભવિષ્યકાળ સંબંધી વિવિધ અનુમાનો થાય છે. દા.ત. વરસાદ ન હોવા છતાં નદીનું નવું પૂર જોઈ ઉપરવાસ વરસાદ થયાનું કે ખાસ વાદળાં ચડેલ જોઈ તત્કાળમાં વરસાદ થવાનું અનુમાન વગેરે. તે બધાં ઇંદ્રિયગ્રાહ્યપદાર્થવિષયક મનોજન્ય જ્ઞાન હોવા છતાં અચક્ષુદર્શન કહેવાતાં નથી. સારાંશ એ છે કે, “અચક્ષુદર્શન' શબ્દથી ભાવનાજન્ય જ્ઞાન સિવાયના મનોજન્ય પરોક્ષજ્ઞાનો ગ્રહણ કરવા. તે ઈંદ્રિયગ્રાહ્યપદાર્થવિષયક હોવા છતાં ‘દર્શન’ શબ્દથી વ્યવહાર ન પામતાં હોવાથી ગ્રહણ ન કરવાં. ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનનો આ રીતે અર્થ કરવાથી બન્ને શબ્દપ્રયોગોની સાર્થકતા પણ સિદ્ધ થાય છે અને યુક્તિથી સિદ્ધ થયેલ દર્શન અને જ્ઞાનનો અભિન્ન ઉપયોગ માનવામાં પણ sts पाच भावतो नथी. (२५) यद्यस्पृष्टाऽविषयार्थज्ञानं दर्शनमभिधीयते तर्हि मनःपर्यायज्ञानेऽतिव्याप्तिरित्याशक्य समाधत्ते - मणपज्जवणाणं दंसणं ति तेणेह होइ ण य जुत्तं । भण्णइ णाणं णोइंदियम्मि ण घडादओ जम्हा ।।२६।। तेनेह उक्तेन लक्षणेनात्र मनःपर्यायज्ञानमपि दर्शनमिति सिद्धं भवति, अस्पृष्टेऽविषये च घटादावर्थे तस्य भावात् । न चैतद् युक्तम्, आगमे मनःपर्यायबोधस्य दर्शनत्वेनापाठात् । भण्यते अत्रोत्तरं दीयते, नोइन्द्रिये मनोवर्गणाख्ये मनोविशेषे प्रवर्त्तमानं मनःपर्यायबोधरूपं ज्ञानमेव न तु दर्शनम्, यस्मादस्पृष्टा घटादयो नाऽस्य विषयाः, लिङ्गानुमेयत्वात् तेषाम् । इदमत्र निरूप्यम् - मनःपर्यायज्ञानेन मनःपर्यायज्ञानी संज्ञिपञ्चेन्द्रियजीवैप्टिान्त्यमानानि मनोद्रव्यविशेषाणि साक्षात् पश्यति न तु तेषां मनोद्रव्याणामालम्ब्यमाना घटादयो विषयाः, ते तु अनुमानाज्जानाति । तस्मान्मनःपर्यायबोधं ज्ञानमेव न दर्शनम् ।।२६।। અવ. “જો અસ્પષ્ટ અને અવિષયભૂત પદાર્થનું જ્ઞાન એ દર્શન કહેવાતું હોય તો મન:પર્યાયજ્ઞાનને પણ દર્શન માનવું પડશે' એવી શંકાનું સમાધાન કરતાં જણાવે છે કે, गाथा : मणपज्जवणाणं दंसणं ति तेणेह होइ ण य जुत्तं । भण्णइ णाणं णोइंदियम्मि ण घडादयो जम्हा ।।२६।। 2010_02 Page #178 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-२७ १३३ છયા : मनःपर्यवज्ञानं दर्शनमिति तेन इह भवति न च युक्तम् । भण्यते ज्ञानं नोइन्द्रिये न घटादयो यस्मात् ।।२६।। અન્યથાર્થ : તેur = તેથી, રૂદ = અહીં મ ળવાઇi = મન:પર્યવજ્ઞાન સંસVi તિ = દર્શન દોફ = થાય છે અને નુત્ત = અને તે યુક્ત નથી. મUT = કહે છે કે, = મન:પર્યાયજ્ઞાન નોદિગ્નિ = મનોદ્રવ્ય વિષયક, ના = કારણ કે, ઘમિ = ઘટ વગેરે વિષય ન = નથી. ગાથાર્થ : ઉપર જણાવેલ વ્યાખ્યા પ્રમાણે મન:પર્યાયજ્ઞાન એ દર્શન છે એમ માનવું પડશે; પણ એમ માનવું યોગ્ય નથી.ઉત્તરમાં સિદ્ધાંતકાર જણાવે છે કે, મન:પર્યાયજ્ઞાન એ મનોવર્ગણાસ્વરૂપમનવિશેષમાં પ્રવર્તમાન જ્ઞાન જ છે દર્શન નથી, કારણ કે અસ્કૃષ્ટ એવા ઘટ વગેરે પદાર્થો આ જ્ઞાનના વિષય નથી. (૨૩) તાત્પર્યર્થ : ઇંદ્રિય વડે અસ્કૃષ્ટ કે અગ્રાહ્ય વિષયનું જ્ઞાન જ દર્શન છે” જો આ મુજબ વ્યાખ્યા કરશો તો મન:પર્યાયજ્ઞાનને પણ દર્શન કહેવાની આપત્તિ આવશે. કારણ કે, અન્ય વ્યક્તિએ મન દ્વારા વિચારેલાં ઘટ આદિ પદાર્થો કે જે આ જ્ઞાનના વિષય છે. તે ત્યાં અવિદ્યમાન હોવાથી ગ્રહણ કરનાર આત્મા માટે અસ્પષ્ટ પણ છે અને ઈન્દ્રિયગ્રાહ્ય પણ છે. તેથી મન:પર્યાયજ્ઞાન દર્શનરૂપે થશે. પરંતુ આ સ્વીકારવા યોગ્ય નથી. કારણ કે, શાસ્ત્રમાં મન:પર્યાય સાથે “દર્શન’ શબ્દનો વ્યવહાર ક્યાંય દેખાતો નથી, તો પછી આ વ્યાખ્યા પ્રમાણે વ્યવસ્થા શી રીતે થશે ? એ શંકાનું નિવારણ કરવા સિદ્ધાંતી કહે છે કે, શંકા જ અસ્થાને છે, કારણ કે, જે એમ કહેવામાં આવ્યું કે મન:પર્યાય એ અસ્પષ્ટ ઘટાદિ પદાર્થોમાં પ્રવર્તે છે, તે જ ખોટું છે. કારણ કે, મન:પર્યાયનો વિષય પરકીય મન દ્વારા ચિંતિત થતા પદાર્થો નથી, પણ એ પદાર્થોની ચિંતામાં લાગેલ પરકીય મનોદ્રવ્ય જ છે. મનપર્યાયજ્ઞાની પર દ્વારા ચિંતિત થતા બાહ્ય પદાર્થોનું જ્ઞાન કરે છે ખરો, પણ તે મન:પર્યાયજ્ઞાન દ્વારા નહિ, પરંતુ પ્રત્યક્ષ દેખાતા મનોવર્ગણાના પુદ્ગલો વડે જે અનુમાન કરે છે તેના વડે. પ્રથમ તો એ પરકીય મનોદ્રવ્યને સાક્ષાતું જાણે છે અને પછી તે ઉપરથી તે ચિંતિત થતા બાહ્ય પદાર્થોનું અનુમાન કરે છે; એટલે ચિંતિત પદાર્થો મન:પર્યાયજ્ઞાનનો વિષય જ નથી; અને જે વિષય છે તે પરકીય મનોદ્રવ્યો તો તદ્દન અસ્પષ્ટ તો નથી જ; કારણ કે, તે દ્રવ્યો ગ્રાહક આત્મા વડે સ્પર્શાવેલ મનોવર્ગણાનાં સજાતીય હોવાથી સ્પષ્ટ જેવાં છે. તેથી, મન:પર્યાયમાં દર્શનનો પ્રસંગ જ નથી. (૨) अस्पृष्टाविषयावगाहि ज्ञानमेव दर्शनम् न ततः पृथगिति स्पष्टयन्नाह - मइसुयणाणणिमित्तो छउमत्थे होइ अत्थउवलंभो । एगयरम्मि वि तेसिं ण दंसणं दंसणं कत्तो ? ।।२७।। 2010_02 Page #179 -------------------------------------------------------------------------- ________________ १३४ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-२७ मतिश्रुतज्ञाननिमित्तस्छद्मस्थानामर्थोपलम्भो विषयबोधो भवतीति प्रोक्तमागमे । तयोमतिश्रुतज्ञानयोरेकतरस्मिन्नपि न दर्शनं संभवति, अवग्रहस्यापि ज्ञानात्मकत्वात् ततः कुतो दर्शनम् ? ज्ञानाद्भिन्नं दर्शनं नास्तीत्यर्थः । इदमत्र वाच्यम् - छद्मस्थावस्थायामर्थप्रतीतिर्मतिश्रुतज्ञानद्वारेति प्रोक्तम् । यदि तयोरेकतरस्मिन्नपि दर्शनशब्दस्यार्थमर्यादा न गृह्यते तर्हि व्यवहारः कथं सङ्गच्छते ? ततोऽस्पृष्टानामिन्द्रियाविषयभूतानां च पदार्थानां ज्ञानमेव दर्शनम्, न तु ज्ञानाद्भिन्नं दर्शनम् ।।२७।। અવ. કરેલ વ્યવસ્થા માટે વિશેષ ખુલાસોगाथा : मइसुयणाणणिमित्तो छउमत्थे होइ अत्थउवलंभो । एगयरम्मि वि तेसिं ण दंसणं दंसणं कत्तो ? ।।२७।। छाया : मतिश्रुतज्ञाननिमित्तश्छद्मस्थे भवति अर्थोपलम्भः । एकतरस्मिन्नपि तयोर्न दर्शनं दर्शनं कुतः ।।२७ ।। अन्वयार्थ : छउमत्थे = ७५स्थोनो अत्थउवलंभो = अर्थबोध मइसुयणा णणिमित्तो = भतिन अने श्रुतमानिमित्त होइ = लोय छे. तेसिं = ते माथी एगयरम्मि वि = ओ६५९ मा ५५ ण दंसणं = ६शन नथी तो दंसणं कत्तो = हशन ज्यांथी ? ગાથાર્થ છપ્રસ્થમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને કારણે વિષયનો બોધ થાય છે, તે બેમાંથી એકપણ જ્ઞાનમાં દર્શનનો અંતર્ભાવ ન સંભવે તો દર્શન ક્યાંથી ઘટે ? અર્થાતુ ન ઘટે. (તેથી અસ્પષ્ટ અને અવિષયभूत सेवा पांथन शान मे ४ ‘शन' छ, तेनाथी अन्य ‘शन' जो पार्थ नथी.) (२७) તાત્પર્યાર્થઃ એક બાજુ યુક્તિથી દર્શન અને જ્ઞાન એ બન્ને ભિન્ન છે એમ સિદ્ધ થાય છે. કારણ કે, માત્ર અવગ્રહરૂપ જ્ઞાન એ જ દર્શન છે એવી વ્યવસ્થા ઘટી શકતી નથી. જે વાત પૂર્વે જણાવવામાં આવી છે અને બીજી બાજુ છદ્મસ્થમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને કારણે જ અર્થપ્રતીતિ માનવામાં આવે છે. હવે, જો મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બેમાંથી એકે ઉપયોગમાં ‘દર્શન’ શબ્દના અર્થની મર્યાદા આંકવામાં ન આવે, તો વ્યવહાર જ કેવી રીતે સંગત થાય ? તેથી, પાછળ જે “દર્શન શબ્દની વ્યાખ્યા આપી તેના અર્થની મર્યાદા બાંધવામાં આવી છે. તે માનવી જ જોઈએ અર્થાત્, અસ્પષ્ટ અને ઇન્દ્રિયોના અવિષયભૂત એવા પદાર્થવિષયક થતું જ્ઞાન એ જ દર્શન છે, તેનાથી અન્ય કોઈ દર્શન નથી. (૨૭) 2010_02 Page #180 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड - २, गाथा - २८ अस्पृष्टार्थविषयकं श्रुतज्ञानं कथं दर्शनं न भवेत् ? इत्याह - जं पञ्चक्खग्गहणं ण इन्ति सुयणाणसम्मिया अथा । तम्हा दंसणसो ण होइ सयले वि सुयणाणे ।। २८ ।। यद् यस्माच्छ्रुतज्ञानसम्मिताः श्रुतज्ञानेन संज्ञाता अर्थाः पदार्थाः प्रत्यक्षग्रहणं न यान्ति प्रत्यक्षेण न गृह्यन्ते तस्मात् सकलेऽपि श्रुतज्ञाने न तु एकदेशे दर्शनशब्दो न भवति-दर्शनशब्दो नोपयुज्यते श्रुतज्ञानं दर्शनरूपं न भवतीति भावः । इदमत्र रूच्यम् - इन्द्रियजस्यैव ज्ञानस्य व्यवहारतः प्रत्यक्षत्वात् श्रुतज्ञानेन प्रमिता अर्था नैव प्रत्यक्षेण गृह्यन्तेऽपि तु परोक्षेण । ततः परोक्षज्ञाने स्पृष्टार्थकविषयकज्ञाने च दर्शनशब्दं न युज्यते । तथा च व्यञ्जनावग्रहाविषयार्थप्रत्यक्षत्वमेव दर्शनत्वमिति पर्यवसन्नमित्यादि ज्ञानबिन्दुग्रन्थादवसेयम् ।। २८ ।। अव अस्पृष्टार्थविषय श्रुतज्ञान से 'दर्शन' डेभ न टुडेवाय ? से शंानो उत्तरजं पच्चक्खग्गहणं ण इन्ति सुयणाणसम्मिया अत्था । तम्हा दंसणसद्दो ण होइ सयले वि सुयणाणे । । २८ । । गाथा : छाया : यत् प्रत्यक्षग्रहणं न यान्ति श्रुतज्ञानसम्मिता अर्थाः । तस्माद् दर्शनशब्दो न भवति सकलेऽपि श्रुतज्ञाने ।। २८ ।। अन्वयार्थ : जं = डारो सुयणाणसम्मिया = श्रुतज्ञानथी ४ए॥तां अत्था = पार्थो पञ्चक्खग्गहणं = प्रत्यक्षग्रहण ण इन्ति = थतां नथी. तम्हा = तेथी, सयले वि सुयणाणे = संपूर्ण श्रुतज्ञानभां । दंसणसद्दो 'हर्शन' शब्द ण होइ = घटतो नथी. १३५ તાત્પર્યાર્થ : ઇંદ્રિયો વડે અસ્પૃષ્ટ અને અગ્રાહ્ય વિષયોનું અનુમાનથી જુદું જે જ્ઞાન તે દર્શન છે' એવી વ્યાખ્યા પ્રમાણે તો શ્રુતજ્ઞાન પણ દર્શન ઠરે છે. કારણ કે, તેના વિષયો કાંઈ બધા જ સૃષ્ટ કે ઇંદ્રિયગ્રાહ્ય હોતા નથી; તો પછી શ્રુતજ્ઞાનમાં ‘દર્શન’ શબ્દ નહિ ઘટે એમ તો શી રીતે કહી શકાય ? એ શંકાનો જવાબ આપતાં ગ્રંથકાર કહે છે કે, 2010_02 ગાથાર્થ : જે કા૨ણે શ્રુતજ્ઞાન દ્વારા જણાતાં પદાર્થો પ્રત્યક્ષ ગ્રહણને યોગ્ય થઈ શકતા નથી, તેથી સઘળાય શ્રુતજ્ઞાનમાં ‘દર્શન’ શબ્દ લાગુ પડી શકતો નથી. (૨૮) = Page #181 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-२९ શ્રુતજ્ઞાન અસ્કૃષ્ટ વિષયોને ગ્રહણ કરે છે ખરું, પણ પ્રત્યક્ષરૂપે નહિ પરંતુ પરોક્ષરૂપે; અને ‘દર્શન’ શબ્દની ઉક્ત વ્યાખ્યામાં તો પ્રત્યક્ષ ગ્રહણ લેવાનું છે. તેથી, સઘળુંય શ્રુતજ્ઞાન એ દર્શન’ શબ્દની અર્થમર્યાદા બહાર રહે છે. આ રીતે, “દર્શન' શબ્દ જેમ પૃષ્ટાર્થવિષયક જ્ઞાન માટે પણ વપરાતો નથી તેમ પરોક્ષજ્ઞાન માટે પણ વપરાતો નથી. શ્રી જ્ઞાનબિંદુગ્રંથમાં “અચક્ષુદર્શન' શબ્દનો એંદપર્યાર્થ રજૂ કરતાં મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ જણાવ્યું કે, ‘નાવગ્રહવિષયાર્થપ્રત્યક્ષત્વમેવ નમ્' અર્થાત્ ‘યંજનાવગ્રહના અવિષયભૂત એવા પદાર્થનું પ્રત્યક્ષપણું જ ‘દર્શન શબ્દથી વાચ્ય છે.” આ વ્યાખ્યામાં પ્રત્યક્ષપદ મૂકવાથી જ પરોક્ષજ્ઞાન હોવાને કારણે જેમ શ્રુતજ્ઞાનનો નિષેધ થાય છે. તેમ અનુમિતિજ્ઞાનનો પણ નિષેધ થઈ જાય છે માટે પરોક્ષમ સતિ પદ કે “મુર્UT સ્ટિાગો' : પદ મૂકવાની જરૂર નથી અને વ્યંજનાવગ્રહનો વિષય ન બને તેવા પદાર્થને ગ્રહણ કરનાર ચહ્યું અને મન એ બે ઈન્દ્રિયો જ હોવાથી અહીં તે બે ઈન્દ્રિય વડે થતું પ્રત્યક્ષ જ ગ્રહણ થશે અને મરક્યુર્વર્શનમાં જે અવશ્ય શબ્દ છે ત્યાં નમ્ અવ્યય પર્યદાસનયના અર્થમાં હોવાથી તત્સદશનું ગ્રહણ થાય અને અપ્રાપ્યકારિપણા વડે ચક્ષુ સદશ મન ઈન્દ્રિય જ છે, માટે અચક્ષુદર્શન શબ્દથી માનસદર્શન ગ્રહણ થશે પણ ચક્ષુદર્શન, પ્રાણદર્શન વગેરે ગ્રહણ થઈ શકશે નહિ. આ રીતે મસુર્શન શબ્દથી વ્યંજનાવગ્રહને વિષય ન બને તેવા પદાર્થનું મન દ્વારા જે પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તે ગ્રહણ કરવાનું છે. (૨૮) नन्वेवमवधिदर्शनस्याप्यभावः स्यादित्याह - जं अप्पुट्ठा भावा ओहिण्णाणस्स होंति पञ्चक्खा । तम्हा ओहिण्णाणे दंसणसद्दो वि उवउत्तो ।।२९।। यद् यस्मादिन्द्रियैरस्पृष्टा भावाः परमाण्वादयोऽवधिज्ञानस्य प्रत्यक्षा भवन्ति चक्षुर्दर्शनस्येव तस्मादवधिज्ञाने अवधिबोधे अवधिज्ञानवद् दर्शनशब्दोऽपि उपयुक्तः । इदमत्र लक्ष्यम् - अवधिज्ञानस्यास्पृष्टाविषयार्थग्राहित्वेऽपि व्यवहारतः प्रत्यक्षत्वाभावात् कथमवधिदर्शनं घटेत् ? इत्याशङ्कां परिहरन् ग्रन्थकारः प्राह - अत्र प्रत्यक्षशब्देन व्यावहारिकप्रत्यक्षनैप्टायिकप्रत्यक्ष उभेऽपि ग्राह्ये । अवधिज्ञानेनेन्द्रियैरस्पृष्टा अपि भावा आत्मप्रत्यक्षा भवन्ति । ततोऽत्र दर्शनशब्दोऽपि घटते ।।२९ ।। 2010_02 Page #182 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड- २, गाथा- ३० અવ. અવધિદર્શનની વ્યવસ્થા गाथा : छाया : जं अप्पुट्ठा भावा ओहिण्णाणस्स होंति पच्चक्खा । तम्हा ओहिण्णाणे दंसणसद्दो वि उवउत्तो ।। २९ ।। यदस्पृष्टा भावा अवधिज्ञानस्य भवन्ति प्रत्यक्षाः । तस्मादवधिज्ञाने दर्शनशब्दोऽपि उपयुक्तः ।।२९।। अन्वयार्थ : जं = ४थी अप्पुट्ठा = नहीं स्पर्शेला भावा = पहार्थो ओहिणाणस्स अवधिज्ञानथी पचक्खा = प्रत्यक्ष होंति = थाय छे, तम्हा = तेथी ओहिण्णाणे = अवधिषोधभां (ज्ञाननी भ) दंसणसद्दो वि = 'दर्शन' शब्द पा उवउत्तो = वपरायो छे. = ગાથાર્થ : જે કા૨ણે અસ્પૃષ્ટ એવા પણ પદાર્થો અવધિજ્ઞાન વડે પ્રત્યક્ષ ગ્રાહ્ય છે, તેથી અધિબોધમાં अवधिज्ञाननी ঔभ 'अवधिदर्शन' शब्द पए। वपरायेलो छे. (२८) તાત્પર્યાર્થ : અવધિજ્ઞાન એ વ્યંજનાવગ્રહના અવિષયીભૂત એવા પદાર્થોને ગ્રહણ કરનાર છે અને પ્રત્યક્ષરૂપ પણ છે. પણ વ્યાવહારિકપ્રત્યક્ષસ્વરૂપ ન હોવાથી તેમાં ‘અવધિદર્શન’શબ્દ કઈ રીતે ઘટે ? તેના ઉત્તરમાં સિદ્ધાંતકાર જણાવે છે કે, 2010_02 ઉક્ત વ્યાખ્યા પ્રમાણે ‘અવધિદર્શન‘શબ્દનો શાસ્ત્રીય વ્યવહાર કરવામાં કશી જ અડચણ આવતી નથી. કારણ કે, ઇંદ્રિય વડે અસ્પૃષ્ટ અને અગ્રાહ્ય એવા પરમાણુ આદિ પદાર્થોને અવધિજ્ઞાન વ્યાવહારિકપ્રત્યક્ષપણે ગ્રહણ ન કરવા છતાં પારમાર્થિકપ્રત્યક્ષપણે ગ્રહણ કરે છે; તેથી, ‘દર્શન'શબ્દની ઉક્ત વ્યાખ્યામાં પણ અવધિજ્ઞાન આવી જાય છે. કારણ કે, પ્રત્યક્ષ તરીકે વ્યાવહારિકપ્રત્યક્ષ તથા પારમાર્થિકપ્રત્યક્ષ; એમ બંને ગ્રહણ કરવાના છે. આ રીતે, अवधिज्ञानमां 'दर्शन' शब्दनो उपयोग योग्य ४ छे. (२८) केवलज्ञानेऽपीदं लक्षणमव्याबाधमेवेति प्ररूपयन्नाह - जं अप्पुट्ठे भावे जाणइ पासइ य केवली णियमा । तम्हा तं णाणं दंसणं च अविसेसओ सिद्धं ||३०|| १३७ यद् यतः केवली जिनोऽस्पृष्टान् भावान् पदार्थान् नियमेनावश्यंतया चक्षुष्मानिव पुरःस्थितं जानाति पश्यति च ज्ञानदर्शनोभयप्राधान्येन । तस्मात् तत् केवलावबोधरूपं ज्ञानमपि दर्शनमप्यविशेषत उभयाभिधाननिमित्तस्याविशेषात् सिद्धम् । Page #183 -------------------------------------------------------------------------- ________________ १३८ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-३० इदमत्र भाव्यम् - केवली संपूर्ण पञ्चास्तिकायमयं विश्वं विशेषसामान्योभयरूपेण युगपत् प्रत्यक्षेन गृह्णाति । तच्च ग्रहणमस्पृष्टविषयकम् । अस्मिन् ग्रहणे विशेषग्राहितया ज्ञानशब्दः सामान्यग्राहितया च दर्शनशब्दः विवक्ष्यते । तच्च ग्रहणमेकं सदपेक्षाविशेषेन ज्ञानरूपं दर्शनरूपं च । तस्मात् केवलोपयोगो न ज्ञानमात्रमेव, नापि दर्शनमात्रम्, नाप्युभयाक्रमरूपं परस्परविभिन्नम्, न क्रमस्वभावमपि, किन्तु ज्ञानदर्शनात्मकमेकमेव । अस्या गाथायाष्टीकायां ग्रन्थकाराभिप्रायेण ज्ञानपञ्चक-दर्शनचतुष्कयोः स्वरूपं वृत्तिकारेण पूज्याचार्याभयदेवसूरिणा दर्शितम् ।।३०।। અવ. જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ સ્વરૂપ કેવલબોધ એ જ્ઞાન હોવા છતાં દર્શન પણ કહેવાય જ છે તે વાત જણાવતાં ગ્રંથકાર કહે છે કે- “. અથવા छाया: કેવલજ્ઞાનમાં પણ ‘દર્શન’ શબ્દનું આ લક્ષણ ઘટે જ છે તે જણાવતાં ગ્રંથકાર કહે છે કે - गाथा : जं अप्पुढे भावे जाणइ पासइ य केवली णियमा । तम्हा तं णाणं दंसणं च अविसेसओ सिद्धं ।।३०।। यद् अस्पृष्टान् भावान् जानाति पश्यति च केवली नियमा । तस्मात् तज्ज्ञानं दर्शनं च अविशेषतः सिद्धम् ।।३० ।। अन्वयार्थ : जं = Dथी केवली = Basland अप्पुढे भावे = अस्पृष्ट मावाने णियमा = निश्ये जाणइ = एो छ पासइ य = अने मेछ, तम्हा = तथा तं = ते वक्षोपयोग अविसेसओ = समानपणो णाणं दंसणं च = Uन अनेशन३५ सिद्धं = सिद्ध थाय छे. ગાથાર્થ ? જે કારણથી કેવલીભગવંતો નિચ્ચે અસ્પૃષ્ટ પદાર્થોને જાણે છે અને જુએ છે, તેથી તે કેવલાવબોધસ્વરૂપ ઉપયોગ અવિશેષ અર્થાત્ સમાનપણે કેવલજ્ઞાન અને કેવલદર્શન તરીકે सिद्ध थाय छे.(30) તાત્પર્યાર્થઃ ચક્ષુવાળી વ્યક્તિ પોતાની સમક્ષ રહેલા પદાર્થોને જેમ ચક્ષુ વડે જુએ છે તેમ કેવલી ભગવંત લોકાલોકમાં રહેલા સર્વ અસ્પૃષ્ટભાવોને પ્રત્યક્ષપણે જુએ છે અને જાણે છે. વળી, તે પદાર્થોને સામાન્ય અને વિશેષ ઉભયરૂપે ગ્રહણ કરતાં હોવાથી તેમનો એક ___Jain Education international 2010_02 Page #184 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-३१ १३९ જ ઉપયોગ સમાનપણે કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉભયરૂપે સિદ્ધ થાય છે. અર્થાત્ તે ઉપયોગમાં વિશેષગ્રાહિતાને લીધે જ્ઞાનશબ્દ અને સામાન્યગ્રાહિતાને લીધે દર્શનશબ્દ વપરાય છે, એટલે બન્નેનો પ્રતિપાદ્ય ઉપયોગ એક છે, માત્ર એ બન્ને શબ્દના પ્રવૃત્તિનિમિત્તક ધર્મો જુદા જુદા છે. તેથી, કેવલાવબોધરૂપ ઉપયોગ એ માત્ર જ્ઞાનસ્વરૂપે નથી, કે માત્ર દર્શનસ્વરૂપે નથી કે પરસ્પર ભિન્ન અને યુગપ૬ થનારા એવા જ્ઞાન અને દર્શનસ્વરૂપે નથી કે પરસ્પર ભિન્ન અને ક્રમિક થનારા એવા જ્ઞાન અને દર્શનસ્વરૂપે પણ નથી. પણ, પરસ્પર અભિન્ન એવા જ્ઞાન અને દર્શનસ્વરૂપ એક જ ઉપયોગ સ્વરૂપે છે, માત્ર અપેક્ષાવિશેષે ભેદ થાય છે માટે એકોપયોગવાદમાં કાંઈપણ ન ઘટે તેવું નથી. આ ગાથાની ટીકામાં ટીકાકાર મહર્ષિએ ગ્રંથકારશ્રીજીની માન્યતા મુજબનું પાંચ જ્ઞાન તથા यारे शननु स्व३५ टूमा ५९l स्पष्ट शोमा ४॥वेल छ. (30) तस्माद् द्वयात्मक एक एव केवलावबोध इति फलितं स्वमतं दर्शयन्नाह - साई अपज्जवसियं ति दो वि ते ससमयओ हवइ एवं । परतित्थियवत्तव्वं च एगसमयंतरुप्पाओ ।।३१।। एवं पूर्वोक्तप्रकारेण द्वेऽपि ते ज्ञानदर्शने यदि युगपदभिन्ने तदा स्वसमयो जैनसिद्धान्तः 'साद्यपर्यवसिते केवलज्ञानदर्शने' इति भवति घटते यष्टा केवलज्ञानदर्शनयोरेकसमयान्तरोत्पादः क्रमिकोत्पत्तिः - ‘यदा जानाति तदा न पश्यति' इत्येवमभिधीयते स परतीर्थिकवक्तव्यं जैनेतरमतशास्त्रं नार्हद्वचनम्, नयाभिप्रायेण प्रवृत्तत्वादिति भावः । ज्ञानबिन्दुग्रन्थानुसारेण तु, साद्यपर्यवसितं केवलमिति हेतोः केवलं ज्ञानमिति दर्शनमित्युभयशब्दवाच्यम्, अयं च स्वसिद्धान्तः, शेषं पूर्ववत् । अयं गूढार्थः - पूर्वोक्तयुक्तिभिः केवलज्ञानं केवलदर्शनं च युगपदभिन्नरूपं घटते । तथापि शास्त्रीयकथनेषु तयोः क्रमिकभावो ज्ञायते, तेन सह विरोधः प्रतिभाति, तत्र किं कार्यम् ? तत्प्रत्युत्तरयन्नाह - शास्त्रे प्रतिपाद्यानि सर्वाणि न स्वसिद्धान्तरूपाणि, कानिचित्तु स्वसिद्धान्तामान्यानि दर्शनान्तरमान्यानि । ततो विवेकेन शास्त्रतात्पर्यमार्गणे युक्तेः सार्थकता । तस्मात् 'केवलज्ञानदर्शने युगपदभिन्नैकोपयोगरूपम्', अयमेव स्वसिद्धान्तः, अन्यत्सर्वं नार्हद्वचनमपि तु परतीर्थिकमन्तव्यरूपमेव, नयाभिप्रायेण प्रवृत्तत्वात् ।।३१ ।। 2010_02 Page #185 -------------------------------------------------------------------------- ________________ १४० संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-३१ છાયા : અવ. એક જ કેવલોપયોગ ઉભયરૂપ છે તે જણાવતાં ગ્રંથકાર જણાવે છે કે – गाथा : साई अपज्जवसियं ति दो वि ते ससमयओ हवइ एवं । परतित्थियवत्तव्वं च एगसमयंतरुप्पाओ।।३१।। साद्यपर्यवसितमिति द्वे अपि ते स्वसमयो भवति एवम् । परतीर्थिकवक्तव्यं च एकसमयान्तरोत्पादः ।।३१।। અન્યથાર્થ : á = આ પ્રમાણે રો વિ તે = બન્ને પણ તે જ્ઞાન અને દર્શન સારું ૩પન્નવસિર્વ તિ = સાદિ અનંત છે એ સમયગો = સ્વસિદ્ધાંત દેવ = ઘટે છે. ૨ = અને સમયંતરુપ્પા = એક સમયના અંતરે ઉત્પાદ એ પ્રતિવિધ્વં = પરદર્શનીનું મંતવ્ય જાણવું. ગાથાર્થઃ જો જ્ઞાન અને દર્શન ઉભય એક જ સમયે અને અભિન્ન માનવામાં આવે તો જ, જે સ્વસિદ્ધાંત છે કે “તે બે જ્ઞાન અને દર્શન સાદિ-અનંત છે' તે ઘટી શકે છે. જે વળી એક સમયના અંતરે ઉત્પાદ કહ્યો છે અર્થાતુ જ્યારે જાણે છે ત્યારે જોતા નથી, તે પરદર્શનીનું મંતવ્ય સમજવું. (૩૧) વિશેષાર્થ : જ્ઞાનબિંદુ ગ્રંથમાં આ ગાથાનો અર્થ કરતાં મહોપાધ્યાયજી મહારાજાએ જણાવ્યું છે કે, સાદિ-અનંત હોવાથી તે કેવલરૂપબોધ જ્ઞાન-દર્શન ઉભયરૂપ છે, આ સ્વસિદ્ધાંત છે અને એક સમયના અંતરે ઉત્પાદ કહ્યો તે પરદર્શનનું મંતવ્ય સમજવું. તાત્પર્યાર્થઃ પૂર્વમાં કહ્યું તેમ જો જ્ઞાન અને દર્શન ઉભયરૂપ એક કેવલોપયોગ સ્વીકારશો તો શાસ્ત્રમાં કહેલ જ્ઞાન અને દર્શનનું સાદિ-અનંતપણું ઘટી શકશે. આ રીતે યુક્તિથી અભેદ જ સિદ્ધ થાય છે. છતાં પણ શાસ્ત્રવિરોધ તો રહે જ છે; કારણ કે, જ્યારે કેવલી જાણે છે ત્યારે જોતા નથી અને જુએ છે ત્યારે જાણતા નથી, એવું સમયાંતરથી જ્ઞાન અને દર્શનની ઉત્પત્તિવાળું કથન તો શાસ્ત્રમાં છે જ. એટલે એ વિરોધનું શું કરવું ? એ પ્રશ્નનો ઉત્તર આપતાં સિદ્ધાંતી કહે છે કે, યુક્તિથી જે જ્ઞાન અને દર્શન બન્ને શબ્દથી વાચ્ય એક જ ઉપયોગરૂપ અર્થ સિદ્ધ થાય છે, તે જ સ્વસિદ્ધાંત છે; અને જો એકવાર સ્વસિદ્ધાંત નક્કી થયો, તો પછી બીજું જે કાંઈ પણ વર્ણન શાસ્ત્રમાં વિરોધવાળું જણાતું હોય તે વર્ણન ચોક્કસ નયને આશ્રયીને પ્રવર્તે છે. એમ જ માનવું જોઈએ. તેથી જે કેવલજ્ઞાન-દર્શનની ક્રમે ઉત્પત્તિ જૈન શાસ્ત્રોમાં નજરે પડે છે, તે દર્શનાંતરનાં મંતવ્યો છે એમ માનવું. શાસ્ત્રમાં બધાં વર્ણનો કાંઈ સ્વસિદ્ધાંત જ નથી હોતાં. એમાં ઘણી બાબતો દર્શનાંતરને માન્ય એવી પણ હોય છે. તેનો વિવેક કરી શાસ્ત્રનું તાત્પર્ય શોધવામાં જ યુક્તિની સાર્થકતા છે. (૩૧) 2010_02 Page #186 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-३२-३३ अधुना तत्त्वश्रद्धानरूपस्य सम्यग्दर्शनस्य सम्यग्ज्ञानरूपत्वमेव इति कथयन्नाह - एवं जिणपण्णत्ते सद्दहमाणस्स भावओ भावे । पुरिसस्साभिणिबोहे दंसणसद्दो हवइ जुत्तो ।।३२।। एवमनन्तरोक्तविधिना जिनप्रज्ञप्तान भावान् पदार्थान् भावतः श्रद्दधानस्य पुरुषस्य जीवस्याभिनिबोधिके मतिज्ञाने दर्शनशब्दः सम्यग्दर्शनशब्दो युक्तो भवति । अयं हार्दः-जैनशास्त्रे 'दर्शन'शब्दः पारिभाषिकः । तस्य द्वावर्थों - एकः साकाराद्भिन्नः - निराकारोपयोगरूपोऽपरप्टा तत्त्वार्थश्रद्धानरूपः । निराकारोपयोगरूपस्य दर्शनस्य स्वरूपं व्याख्याय अधुना द्वितीयोऽर्थः स्पष्टीक्रियते । सामान्यतो मोक्षोपायेषु सम्यग्ज्ञानात् सम्यग्दर्शनं भिन्नं मन्यते, किन्तु तत्त्वतः तन्न । सम्यग्ज्ञानमेव सम्यग्दर्शनम्, विशिष्टावबोधरूपाया रूचेः सम्यग्दर्शनशब्दवाच्यत्वादिति भावः ।।३२ ।। ननु सम्यग्ज्ञाने सम्यग्दर्शननियमवद्दर्शनेऽपि सम्यग्ज्ञाननियमः कथं न स्यात्, इत्यत्राह - सम्मण्णाणे णियमेण दंसणं दंसणे उ भयणिज्जं । सम्मण्णाणं च इमं ति अत्थओ होइ उववण्णं ।।३३।। सम्यग्ज्ञाने सम्यग्वस्त्ववबोधस्वरूपे नियमेन दर्शनं सम्यग्दर्शनम्, दर्शने एकान्तानेकान्तरूचिस्वरूपे तु सम्यग्ज्ञानं भजनीयं विकल्पनीयम् । अतः सम्यग्ज्ञानं चेदमिति विशिष्टरूचिस्वभावावबोधरूपं सम्यग्दर्शनं च अर्थतः तत्त्वत एकरूपमुपपन्नं भवति । इदमत्र रहस्यम् - सम्यग्ज्ञाने सम्यग्दर्शनं नियमेन भवति । किन्तु एकान्तरुचौ दर्शने सम्यग्ज्ञानस्यासत्वादनेकान्तरुचौ च दर्शने सम्यग्ज्ञानस्य सत्त्वाद् दर्शने ज्ञानं भजनीयम् । ततो जिनोदिततत्त्वे यथार्थश्रद्धारूपस्य सम्यग्दर्शनस्यानेकान्तरुचिरूपत्वात, तद् सम्यग्ज्ञानरूपमेव न तु तद्भिन्नम् । अतो द्वेऽपि सम्यग्ज्ञानदर्शने परमार्थतः सम्यग्ज्ञानरूपमेकमेवेति भावः । न्यायाचार्यश्रीयशोविजयोपाध्यायैर्ज्ञानबिन्दौ अस्य ग्रन्थस्य द्वितीयकाण्डस्य गा. ३ तः गाथा ३३ यावत् त्रिंशद्गाथाः स्वोपज्ञटीकापूर्वकं निरुपिताः । तदन्ते च कथितम् - त्रयो वादाः सन्ति, एकः क्रमवादः तत्पुरस्कर्तारष्टा श्रीमज्जिनभद्रगणिक्षमाश्रमणाः, ते पूज्याः 2010_02 Page #187 -------------------------------------------------------------------------- ________________ १४२ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-३२-३३ शुद्धर्जुसूत्रनयमवलम्बन्ते, क्षणभेदादपि ज्ञानदर्शनयोर्भेदमिति मत्वा क्रमिकवाद निरूपयन्ति । द्वितीयः सहवादः तत्पुरस्कर्तारष्टा श्रीमद्मल्लवादिसूरीश्वराः, ते पूज्याः भेदग्राहिव्यवहारनयं स्वीकृत्य ज्ञानदर्शनयोः क्षणभेदाद् न भेदः किन्तु स्वरूपेण तयोर्द्वयोर्भेद इति मत्वा ज्ञानदर्शने युगपद्विभिन्ने इति सहवादं निरूपयन्ति । तृतीयष्टा एकोपयोगवादस्तदाविष्कर्तारप्टा श्रीमत्सिद्धसेनदिवाकरसूरीधराः, ते पूज्याः संग्रहनयमाश्रीयन्ते, अतः क्षणभेदस्वरूपभेदौ निराकृत्य दर्शनं ज्ञानादभिन्नमितिकृत्वकोपयोगवादं प्ररूपयन्ति । एते त्रयाणामप्याचार्याणां पक्षे परस्परविरोधाभासे भासमाने सति नयसापेक्षनिरूपणस्य विद्यमानत्वान्न वैषम्यं नापि विरोध इति माननीयम् ।।३३ ।। અવ. નિરાકારોપયોગ અર્થમાં વપરાતાં ‘દર્શન’ શબ્દનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું. હવે શ્રદ્ધા અર્થમાં વપરાતા “દર્શન’ શબ્દનું સ્પષ્ટીકરણ કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે – गाथा : एवं जिणपण्णत्ते सद्दहमाणस्स भावओ भावे । पुरिसस्साभिणिबोहे सणसद्दो हवइ जुत्तो।।३२।। छाया : एवं जिनप्रज्ञप्तान् श्रद्दधानस्य भावतो भावान् । पुरुषस्याभिनिबोधे दर्शनशब्दो भवति युक्तः ।।३२।। अन्वयार्थ : एवं = ॥ प्रमाणे जिणपण्णत्तो = (नेश्व२मरावते ४॥ भावे = पहान भावओ = माथी सद्दहमाणस्स = श्रद्धा २i पुरिसस्स = पुरुषना आभिणिबोहे = भतिानमा दंसणसद्दो = "शन' श०६ हवइ जुत्तो = युत छे. गाथा: सम्मण्णाणे णियमेण दंसणं दंसणे उ भयणिज्जं । सम्मण्णाणं च इमं ति अत्थओ होइ उववण्णं ।।३३।। सम्यग्ज्ञाने नियमेन दर्शनं दर्शने तु भजनीयम् । सम्यग्ज्ञानं चेदमिति अर्थतो भवति उपपन्नम् ।।३३।। अन्वयार्थ : सम्मण्णाणे = सभ्य होते ते णियमेण = निश्ये दंसणं = शन. सणे उ = qणी, शन डोते छते (धन) भयणिज्जं = विse५ छाया: 2010_02 Page #188 -------------------------------------------------------------------------- ________________ સંમતિતપ્રકર, TD-૨, આથા-રૂ૨-૩૩ १४३ નિય છે. સમાપ તિ = સમ્યજ્ઞાન અને આ (સમ્યગ્દર્શન) = સામર્થ્યથી (એકરૂ૫) દોફ ૩વવાdi = ઘટે છે. ગાથાર્થ આ પ્રમાણે, જિનેશ્વર પરમાત્મા વડે કહેવાયેલા ભાવો વિષે ભાવથી શ્રદ્ધા કરતા પુરુષનું જે આભિનિબોધરૂપ મતિજ્ઞાન છે તેમાં જ ‘દર્શન શબ્દનો પ્રયોગ કરવો યોગ્ય છે. (૩૨) સમ્યજ્ઞાન હોય ત્યારે સમ્યગ્દર્શન અવશ્ય હોય છે, પરંતુ દર્શન હોય ત્યારે સમ્યજ્ઞાન હોય પણ ખરું અને ન પણ હોય. આથી, સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન તાત્પર્યથી એકરૂપે જ ઘટે છે. (૩૩) તાત્પર્યાર્થ : જૈનશાસ્ત્રમાં ‘દર્શન’ શબ્દ ખાસ પારિભાષિક છે. એની પરિભાષા પ્રમાણે તે શબ્દના બે અર્થ મુખ્ય ગ્રહણ કરાય છે. (૧) સાકારોપયોગથી ભિન્ન એવો નિરાકારોપયોગ; અને (૨) શ્રદ્ધા. પહેલા અર્થ વિષે ગ્રંથકારે પોતાનો મતભેદ બતાવી તેને સ્થાને જણાવ્યું કે, ‘દર્શન’ શબ્દનો અર્થ “જ્ઞાન” શબ્દના અર્થભૂત સાકારોપયોગ કરતાં ભિન્ન એવો નિરાકારોપયોગ નથી, પણ “જ્ઞાન' શબ્દથી વાચ્ય ઉપયોગ જ અપેક્ષાવિશેષે “દર્શન’ શબ્દનો વાચ્ય બને છે. એ જ પ્રમાણે બીજા અર્થના વિષયમાં પોતાનો મતભેદ બતાવતાં ગ્રંથકાર અહીં પોતાનું વક્તવ્ય સ્પષ્ટ કરતાં કહે છે કે, મોક્ષના ત્રણ ઉપાયો પૈકી પ્રથમ ઉપાયભૂત સમ્યગ્દર્શન જે સમ્યજ્ઞાનથી જુદું મનાય છે, તે ખરી રીતે જુદું નથી; સમ્યજ્ઞાન એ જ સમ્યગ્દર્શન છે. અલબત્ત કર્યું સમ્યજ્ઞાન સમ્યગ્દર્શન માનવું એ પ્રશ્ન થશે; પણ તેનો ઉત્તર એ છે કે, જિનકથિત તત્ત્વો વિષે જે અપાયસ્વરૂપ નિશ્ચય હોય તે જ સમ્યગ્દર્શન કહેવાય છે. સમ્યગ્દર્શન એ વિશિષ્ટ રુચિરૂપ છે, અને રુચિ એ કાંઈ જ્ઞાનથી જુદી વસ્તુ નથી. “તે જ સાચું અને શંકાવગરનું છે જે જિનેશ્વર પરમાત્માએ કહ્યું છે” આવા પ્રકારની શ્રદ્ધાપૂર્વકનું મતિજ્ઞાન એ જ સમ્યગ્દર્શન છે; તેથી કર્મપ્રકૃતિઓમાં દર્શનાવરણીયકર્મ અને દર્શનમોહનીયકર્મ એ બન્ને સ્થળે દર્શનના અર્થો જ્ઞાનથી ભિન્ન નથી, એમ સમજવું જોઈએ. એ તો ખરું જ કે જ્યારે સમ્યજ્ઞાન છે, ત્યારે સમ્યગ્દર્શન છે જ; પણ બધાં દર્શનોમાં કાંઈ સમ્યજ્ઞાન નથી. કારણ કે, જે દર્શન એકાંતવિષયક રુચિરૂપ હોય, તે મિથ્યાજ્ઞાન હોવાથી સમ્યજ્ઞાન હોતું નથી; માત્ર અનેકાંતવિષયક રુચિરૂપ દર્શન જ સમ્યજ્ઞાન હોય છે. તેથી છેવટે ફલિત એ થાય છે કે, જિનેશ્વર પરમાત્માએ કહેલ તત્ત્વવિષયક યથાર્થ દર્શન અનેકાંતરુચિરૂપ હોવાથી સમ્યજ્ઞાનરૂપ જ છે, નહિ કે સમ્યજ્ઞાનથી જુદું. માટે સમ્યગ્દર્શનના અર્થીએ અનેકાંતતત્ત્વના અવધારણ માટે જ પ્રયત્ન કરવો જોઈએ. (૩૨-૩૩) 2010_02 Page #189 -------------------------------------------------------------------------- ________________ १४४ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-३४-३५ 'केवलं साद्यपर्यवसितम्' इति सूत्रस्य मर्मानभिज्ञानां केषाञ्चिदुत्पन्नाया भ्रान्तेर्वर्णनम् - केवलणाणं साई अपज्जवसियं ति दाइयं सुत्ते । तेत्तियमित्तोत्तूणा केइ विसेसं ण इच्छंति ।।३४।। केवलज्ञानं साद्यपर्यवसितमिति साद्यनन्तमिति सूत्रे दर्शितं प्ररूपितम्, तावन्मात्रेण दृप्ता गर्विताः केचन विशेषं पर्यायं पर्यवसितत्वस्वभावं विद्यमानमपि नेच्छन्ति न मन्यन्ते, ते च न सम्यग्वादिनः । इदमवधेयम् - ज्ञानावरणीय-दर्शनावरणीयकर्मणोः क्षये सत्युत्पन्ने केवलज्ञानदर्शने साद्यनन्ते । न पुनः कदापि तयोर्द्वयोः विनाशोत्पादौ आवारककर्मणोरुत्पादविनाशाभावात् । अतः केवलमनुत्पादव्ययात्मकमिति केचित् साद्यपर्यवसितशब्दस्यार्थं मन्यन्ते, ते च आचार्याः केवलज्ञानदर्शने ध्रुवत्वरूपेणैवेच्छन्ति न तूत्पादव्ययपर्यायेण । अयमभ्युपगमो न सम्यग्वादस्वरूपः, सूत्रमर्मबोधरहितत्वात् ।।३४ । । यतः - जे संघयणाईया भवत्थकेवलिविसेसपज्जाया । ते सिज्झमाणसमये ण होति विगयं तओ होइ ।।३५।। ये संहननादयो वज्रऋषभनाराचसंहननपरिमाणादयो देहगता भवस्थकेवलिनस्त्रयोदशगुणस्थानकवर्तिनः केवलिनो विशेषपर्यायास्ते सिध्यमानसमये सिद्धिगमनसमये न भवन्ति अपगच्छन्ति ततः तत्तत्पर्यायाव्यतिरिक्तस्य केवलज्ञानस्याप्यात्मद्रव्यद्वारेण विगमात् केवलं विगतं भवति विगच्छतीत्यभिप्रायः ।। इदमत्र विज्ञेयम् - भवस्थस्य जीवस्य देहात्मप्रदेशयोर्लोहाग्निन्यायेनान्योन्यानुविद्धत्वात् परस्पराव्यतिरिक्तत्वमुच्यते । तेन संहननादिदेहधर्मेभ्यः क्षायिकस्वरूपं केवलज्ञानमव्यतिरिक्तमुच्यते । सिद्धिगमनसमये देहगता विशेषधर्माः संहननादयो नश्यन्ति, तैः सह केवलरूप आत्माऽपि नश्यति, तयोर्मध्ये क्षीरनीरतुल्यसम्बन्धत्वात् । ततस्तद्रूपेण केवलोऽपि विगतं भवतीति भावः ।।३५ ।। 2010_02 Page #190 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-३४-३६ केवलस्योत्पादत्वध्रुवत्वयोर्घटमानतां दर्शयन्नाह - सिद्धत्तणेण य पुणो उप्पण्णो एस अत्थपज्जाओ । केवलभावं तु पडुञ्च केवलं दाइयं सुत्ते ।।३६।। सिद्धत्वेन च कृत्स्नकर्मक्षयस्वरूपेण पुनः पूर्ववदुत्पन्न एष केवलज्ञानाख्योऽर्थपर्यायो यत् तु पुनः केवलमपर्यवसितमिति सूत्रे दर्शितं तत् केवलभावं सत्तामात्रं प्रतीत्याश्रित्य । इदमत्रानुप्रेक्ष्यम् - आत्मनः केवलरूपत्वादात्मपर्यायनाशात् केवलज्ञानस्यापि नाशस्तथा आत्मपर्यायोत्पत्तेः केवलज्ञानस्याप्युत्पादः । कृत्स्नकर्मक्षयादात्मनः सिद्धपर्यायोत्पत्तिः, सिद्धत्वेन च केवलज्ञानस्योत्पत्तिर्भवति । तस्मादात्मनो भवपर्यायनाशात् पूर्वकेवल ज्ञानदर्शनपर्यायनाशस्तथा सिद्धत्वपर्यायोत्पादान्नवीनकेवलज्ञानदर्शनपर्यायोत्पत्तिः सिद्ध्यति । तेन यथा केवलं सादि तथा सान्तमपि । यत्तु सूत्रे केवलमनन्तं निरूपितं तत्तु तस्य सत्तामाश्रित्य, प्रतिक्षणं केवलज्ञानदर्शनयोः उत्पत्तिनाशशालित्वेऽपि सत्तारूपेण ध्रुवत्वात् । वस्तुतः पदार्थमात्रं यदि उत्पाद-व्यय-ध्रौव्यात्मकं भवेत् तद्येव सत् कथ्यते, अन्यथा न । ततः केवलस्योत्पादव्ययध्रोव्यात्मकत्वं यदि घटेत तद्येव तत्सदन्यथा न, तेन केवले उत्पादविनाशयोरभावो न वाच्यः, किन्तु पूर्वोक्तप्रकारेणोत्पादविनाशौ भावनीयौ ।।३६ ।। અવ. સાદિ-અપર્યવસિત શબ્દમાં થયેલી કોઈની ભ્રાંતિનો ઉલ્લેખ અને તેનું નિવારણगाथा : केवलणाणं साई अपज्जवसियं ति दाइयं सुत्ते । तेत्तियमित्तोत्तूणा केइ विसेसं ण इच्छंति ।।३४ ।। केवलज्ञानं साद्यपर्यवसितमिति दर्शितं सूत्रे । तावन्मात्रदृप्ताः केचिद् विशेषं न इच्छन्ति ।।३४ ।। अन्वयार्थ : केवलणाणं = वसन. साई अपज्जवसियं ति = 'सule-अनंत' में प्रमाणो सुत्ते = सूत्रमा दाइयं = वायुं छे. तेत्तियमित्तोत्तूणा = 2020 माथी गावित थये। केइ = 2415 आयार्या विसेसं = विशेषने ण इच्छंति = ६२७ नथी. छाया: 2010_02 Page #191 -------------------------------------------------------------------------- ________________ १४६ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-३४-३६ छाया: गाथा : जे संघयणाईया भवत्थकेवलिविसेसपज्जाया । ते सिज्झमाणसमये ण होंति विगयं तओ होइ ।।३५ ।। ये संघयणादिका भवस्थकेवलिविशेषपर्यायाः । ते सिध्यमानसमये न भवन्ति विगतं ततो भवति ।।३५ ।। अन्वयार्थ : जे = ४ संघयणाईया = संघय। ३ भवत्थकेवलिविसेस पज्जाया = (म१२५ क्लीन विशेष पर्यायो, ते = ते सिज्झमाणसमये = सिद्ध थतi समये ण होंति = sोत नथी, तओ = तथा विगयं = (BRANन) नाश भेलु होइ = थाय छे. सिद्धत्तणेण य पुणो उप्पण्णो एस अत्थपज्जाओ । केवलभावं तु पडुच्च केवलं दाइयं सुत्ते ।।३६।। सिद्धत्वेन च पुनः उत्पन्नः एषः अर्थपर्यायः । केवलभावं तु प्रतीत्य केवलं दर्शितं सूत्रे ।।३६।। अन्वयार्थ : य पुणो = अने. वणी एस = 0 अत्थपज्जाओ = (BRANनस्१३५) अर्थपर्याय सिद्धत्तणेण = सिद्ध५॥ 43 उप्पण्णो = उत्पन्न थयो. तु =qणी, केवलं = क्श न सुत्ते = सूत्रमा केवलभावं = (सत्त॥३५) समाने पडुच = माश्रयीने (अनंत) दाइयं = वायुं छे. गाथा: छाया: ગાથાર્થ સૂત્રમાં કેવલજ્ઞાન “સાદિઅપર્યવસિત (સાદિઅનંત)' બતાવેલું છે તેટલા માત્રથી ગર્વિષ્ઠ થયેલા કેટલાક આચાર્યો વિશેષને અર્થાત્ વિદ્યમાન એવા પણ નાશરૂપ પર્યાયને માનતા નથી, તે યોગ્ય नथी.) (३४) કારણ કે, ભવસ્થ કેવલીના સંઘયણ વગેરે જે વિશેષ પર્યાયો હોય છે, તે સિદ્ધ થતાં સમયે નાશ પામે छ, तेथी (विशेष ५[याथा अभिन्न अj) सशान नष्ट थाय छ, मे मनाय छे. (34) અને આ કેવલજ્ઞાનસ્વરૂપ અર્થપર્યાય સિદ્ધપણારૂપે પૂર્વની જેમ ઉત્પન્ન થાય છે. વળી, સૂત્રમાં કેવલજ્ઞાનને જે અનંત કહેવામાં આવ્યું છે તે સત્તાસ્વરૂપ કેવલભાવને આશ્રયીને કહેવામાં આવ્યું છે. (૩૬) 2010_02 Page #192 -------------------------------------------------------------------------- ________________ સંમતિતર્રપ્રઝર, શાહુ-૨, Tથા-૨૪-૩૬ १४७ તાત્પર્યાર્થ: સાદિ એટલે આદિવાળું અર્થાત્ ઉત્પન્ન થનાર અને અપર્યવસિત એટલે અંત વિનાનું અર્થાત્ નાશ ન પામનાર=અનંત. આ પ્રમાણે સાદિ અને અપર્યવસિત શબ્દનો અર્થ છે, અને સૂત્રમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન બન્નેને સાદિ-અપર્યવસિત અર્થાત્ સાદિઅનંતકાળ રહેનારાં કહેલાં છે. એ જોઈ કેટલાંક આચાર્ય ભગવંતો કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં સાદિ અપર્યવસિતપણું ઘટાવવા એમ માને છે કે, કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બન્ને આવરણના ક્ષય પછી ઉત્પન્ન થતાં હોવાથી સાદિ છે; પણ ફરી કેવલજ્ઞાનાવરણીય અને કેવલદર્શનાવરણીય સ્વરૂપ આવરણ આવતું ન હોવાથી કેવલજ્ઞાન અને કેવલદર્શન એકવાર ઉત્પન્ન થયા પછી કદી નાશ પામતાં જ નથી. એ રીતે જ તેમનું સાદિ અપર્યવસિતપણું છે. આવો અર્થ ઘટાવનારને સિદ્ધાંતી કહે છે કે, તમે તો સાદિ અપર્યવસિત શબ્દાર્થના મોહમાં વસ્તુતત્ત્વ જ ભૂલી જાઓ છો અને અન્યથા કલ્પના કરો છો. તો પછી વસ્તુતત્ત્વ શું છે ? અને સાદિ અપર્યવસિતપણું ઘટાવવા માટે ખરી કલ્પના શી છે ? એ સાહજિક પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રંથકાર મહર્ષિ જણાવી રહ્યા છે કે, જૈનમત પ્રમાણે જે પદાર્થ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મક ન હોય, તે સત્ જ નથી. કેવલપર્યાય સતુરૂપ હોવાથી તે પણ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મક હોવો જ જોઈએ, એ વસ્તુસ્થિતિ થઈ. કેવલીમાં દેહાવસ્થા વખતે જે સંઘયણ, પરિમાણ આદિ દેહગત વિશેષો હોય છે, તે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત થતાં જ દેહ સાથે નાશ પામે છે. દેહાવસ્થામાં દેહના દેખાતા વિશેષ આત્માના પણ છે, કારણ કે, દેહ અને આત્મપ્રદેશો વચ્ચે ક્ષીરનીર જેવો સંબંધ હોવાથી એકના પર્યાયો તે બીજાના છે જ. આમ હોવાથી એ પર્યાયો નષ્ટ થયા એટલે તે રૂપે આત્મા પણ ન રહ્યો અર્થાત્ તે રૂપે નાશ પામ્યો, અને આત્મા કેવલરૂપ હોવાથી કેવલ પણ નાશ જ પામ્યું. વળી તે જ આત્મા સિદ્ધ થયો એટલે સિદ્ધપર્યાય તેમાં ઉત્પન્ન થયો, તેથી તે કેવલ પણ ઉત્પન્ન થયું. આ રીતે ભવપર્યાયનો નાશ અને સિદ્ધત્વપર્યાયના ઉત્પાદની દૃષ્ટિએ આત્માના પૂર્વ કેવલજ્ઞાનદર્શનપર્યાયનો નાશ અને નવીનકેવલજ્ઞાન-દર્શનપર્યાયનો ઉત્પાદ સિદ્ધ થાય છે. એટલે કે કેવલજ્ઞાન અને કેવલદર્શન માત્ર સાદિ નથી, પરંતુ તે સપર્યવસિત પણ છે. એમ હોય તો શાસ્ત્રમાં તેમને અપર્યવસિત કેમ કહ્યાં છે ? એ પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ છે કે, દર ક્ષણે જ્ઞાનદર્શનપર્યાય ઉત્પત્તિ અને નાશ પામવા છતાં કેવલરૂપે-સત્તારૂપે ધ્રુવ છે. તેથી, તે અનંત છે અર્થાત્ કેવલબોધ એકવાર અપૂર્વ ઉત્પન્ન થવાને લીધે સાદિ છે અને પછી પર્યાયરૂપે ઉત્પાદ અને નાશવાન હોવા છતાં સત્તારૂપે ધ્રુવ હોવાથી અપર્યવસિત છે. (૩૪-૩૦) 2010_02 Page #193 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-३७-४२ जीवकेवलयोरेकत्वमाश्रित्य जीवस्योत्पादविनाशाभ्यां केवलस्य तौ भवतः, किन्तु स्वरूपलक्षणाभ्यां जीव-केवलयोर्भेदे सत्यपि कथं तर्योरेकत्वमित्याशङ्कां द्वाभ्यां गाथाभ्यां निरूपयन्नाह - १४८ जीवो अणाइणिहणो केवलणाणं तु साइयमणंतं । इअ थोरम्मि विसेसे कह जीवो केवलं होइ ।। ३७ ।। तम्हा अण्णो जीवो अण्णे णाणाइपज्जवा तस्स । उवसमियाईलक्खणविसेसओ केइ इच्छन्ति ।। ३८ ।। जीव आत्मा अनादिनिधनोऽनाद्यनन्तः केवलज्ञानं तु सादिकमनन्तमिति स्थूरे विशेषे विरुद्धधर्मयुक्तलक्षणे छायाऽऽतपवदत्यन्तभेदे सति कथं जीवः केवलं केवलज्ञानरूपं भवेत् ? तस्माद् विरुद्धधर्माध्यासतोऽन्यो जीवो ज्ञानादिपर्यायेभ्यो जीवो भिन्नोऽन्ये च तस्य ज्ञानादिपर्याया जीवाज्ज्ञानादिपर्याया भिन्नाः । औपशमिकादिलक्षणविशेषतथीपशमिकक्षायिकादिलक्षणभेदतोऽपि ज्ञानादिपर्यायेभ्यो जीवो भिन्न इति केचिद् व्याख्यातारइच्छन्ति । इदमत्र निदिध्यास्यम्-अस्मिन् ग्रन्थे विभिन्नप्रकारेण द्रव्यपर्यायौ भिन्नाभिन्नौ दर्शयित्वा कृता ग्रन्थकारेण स्याद्वादस्य सिद्धिः । अधुना केचिदाचार्याः मन्यन्ते, “आत्मा न केवलरूपम्, द्रव्यात् तत्पर्याया भिन्नाः, गुणगुणिनोष्टा भिन्नत्वं नाभिन्नत्वम्”, जीवकेवलयोः स्वरूपलक्षणाभ्यां स्थूरभेदस्य विद्यमानत्वात् । अत्र स्वरूपभेदः जीवोऽनाद्यनन्तः केवलं च साद्यनन्तमिति परस्परविरुद्धधर्मयुक्तत्वात्, जीवो द्रव्यस्वरूपः केवलं च पर्यायस्वरूपमित्येको द्रव्यस्वरूपोऽ परष्टा पर्यायस्वरूपः । तथा लक्षणभेदः - ज्ञानदर्शनयोः क्षायिकः क्षायोपशमिको भावो लक्षणं जीवस्य तु पारिणामिकादिर्भावो लक्षणमित्यादि तयोर्मध्ये बृहद्भेदस्य विद्यमानत्वात् तयोरेकत्वं न घटत इति ।। ३७-३८ ।। पूर्वोक्तैकान्तभेदवादनिरासाय गाथात्रिकमाह - अह पुण पुव्वपयुत्त अत्थो एगंतपक्खपडिसेहे । तह वि उदाहरणमिणं ति हेउपडिजोअणं वोच्छं ।। ३९ ।। 2010_02 Page #194 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा - ३७-४२ जह कोइ सट्ठिवरिसो तीसइवरिसो णराहिवो जाओ । उभयत्थ जायसद्दो वरिसविभागं विसेसेइ ||४०|| एवं जीवद्दव्वं अणाइणिहणमविसेसियं जम्हा । रायसरिसो उ केवलिपज्जाओ तस्स स विसेसो ।।४१।। अथ पुनः यद्यपि एकान्तपक्षप्रतिषेधे द्रव्यपर्यायैकान्तभेदाभेदवादस्य प्रतिषेधे अयमर्थः पूर्वप्रयुक्तः पूर्वमेव “दव्वं पज्जवविउयं...” (का-१, गा - १२ ) इत्यादिना अनेकान्तव्यवस्थापनाद् योजितस्तथापि हेतुप्रतियोजनं केवलज्ञाने कथञ्चिद्भेदाभेदप्रसाधकस्य हेतोः साध्येन सह व्याप्तिप्रदर्शकविषयमिदमुदाहरणमिति दृष्टान्तं वक्ष्ये । तद्यथा १४९ यथा कष्टिान्मनुष्यः षष्टिवर्षः सर्वायुष्कमाश्रित्य त्रिंशद्वर्षः सन्नराधिपो राजा जातः । उभयत्र मनुष्ये राज्ञि च जातशब्दः 'अयं मनुष्य जातः, अयं च राजा जातः' इत्येवं प्रयुक्तो जातशब्दो वर्षविभागमेव विशेषयति दर्शयति । दार्ष्टान्तिकयोजनायाह एवं पूर्वोक्तदृष्टान्तवदविशेषितं विशेषविवक्षारहितं जीवद्रव्यमनादिनिधनमनाद्यनन्तम् । यतो यस्माद् राजसदृशस्तु राजत्वपर्यायसदृशः स केवलपर्यायः केवलीपर्यायस्तस्य तथाभूतजीवद्रव्यस्य विशेष: पर्यायोऽस्ति । तेन च रूपेण जीवद्रव्यसामान्यस्यापि कथंचिदुत्पत्तेः सामान्यमप्युत्पन्नं, प्राक्तनरूपस्य विगमात् सामान्यमपि तदभिन्नं कथंचिद् विगतं, जीवरूपतया चानादिनिधनत्वान्नित्यं द्रव्यं स्वीकरणीयम् । अयमत्र भावार्थ:- एकान्त भेदवादस्य एकान्ताभेदवादस्य च प्रतिषेधः प्रथमकाण्ड उक्तः एव । तथापि जीवकेवलयोरेकान्तभेदाभेदवादस्य खण्डनमपि करणीयमिति तन्निरूपणाय दृष्टान्तद्वारेण हेतोः साध्येन सह व्याप्तिं दर्शयितुमुदाहरणं कथयति । यथा, 'कष्टिान्मनुष्यः त्रिंशद् वर्षस्सन् राजा जातः । अत्र विवक्षितजीवः पूर्वकाले मनुष्य आसीत्, अधुनाऽपि स मनुष्योऽस्त्येव किन्तु तस्य अराजपर्यायो गतो राजपर्यायष्टाऽऽगतः, तस्माद् मनुष्यरूपेणाभिन्नः सन् पर्यायरूपेण भिन्नः । तथा 'जीवः केवली जातः ' अत्र जीवोऽनादिस्सन् केवीरूपेण जात इति विवक्ष्यते । जीवद्रव्यरूपेणाभिन्नः सन्नकेवलिकेवलिपर्यायाभ्यां भिन्नः । अतो द्रव्यपर्याययोः कथञ्चिद्भिन्नत्वं कथञ्चिदभिन्नत्वं च ज्ञायते । ।३९-४०-४१ ।। 2010_02 Page #195 -------------------------------------------------------------------------- ________________ १५० संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-३७-४२ न द्रव्यं पर्यायेभ्यो भिन्नमेवेत्याह - जीवो अणाइनिहणो 'जीव' त्ति य णियमओ ण वत्तव्यो । जं पुरिसाउयजीवो देवाउयजीवियविसिट्ठो ।।४२।। अनादिनिधनो जीवो 'जीव' एव विशेषरहित इति च नियमतो एकान्ततो न वक्तव्यः । यद् यस्माद् पुरुषाष्युष्कजीवो मनुष्यत्वेनोत्पन्नजीवो देवायुष्कजीवितविशिष्टो देवत्वेनोत्पन्नजीवाद् विशिष्टो एव इति व्यवहारः । इदमत्र विभाव्यम् - जीवोऽनाद्यनन्तः । स एव जीवः स्वकर्मानुसारेणानेकासु गतिषु भ्रमति । कदाचिद् देवत्वेनोत्पद्यते, कदाचिद् मनुष्यत्वेन, कदाचित् तिर्यक्त्वेन कदाचिञ्च नारकरुपेण । तदैकां गतिमाश्रित्यापरगतौ विभिन्नो व्यवह्रियते । स च भेदव्यवहारः प्रामाणिक एव । अतोऽयं ‘जीव एव' इति पर्यायविकलो जीवद्रव्यरूप एवास्ति इति न वाच्यम् । तस्माद् द्रव्यो द्रव्यरूपेण अभिन्नोऽपि सन् पर्यायरूपेण भिन्नः सिद्ध्यति ।।४२ ।। અવ. કેવલજ્ઞાન એ આત્મસ્વરૂપ હોય તો આત્માના ઉત્પાદ અને વિનાશ વડે કેવલજ્ઞાનના પણ ઉત્પાદ અને વિનાશ થાય છે, પણ આત્મા એ કેવલજ્ઞાન સ્વરૂપ છે જ નહિ તો આ કઈ રીતે ઘટે? આવી આશંકાનું દષ્ટાંતપૂર્વક નિરસન - गाथा : जीवो अणाइणिहणो केवलणाणं तु साइयमणंतं । इअ थोरम्मि विसेसे कह जीवो केवलं होइ ।।३७।। छाया : जीवोऽनादिनिधनः केवलज्ञानं तु सादिकमनन्तम् । इति स्थूरे विशेषे कथं जीवः केवलं भवेत् ।।३७ । । अन्वयार्थ : जीवो = ® अणाइनिहणो = अनाहि-त. तु = qil, केवलणाणं = ur साइयमणंतं = साहि-अनंत. इअ = ॥ प्रमाणे थोरम्मि विसेसे = भोटो मे होते ते जीवो = ® केवलं = वर स्व३५ कह = 9शत होइ = थाय ? गाथा : तम्हा अण्णो जीवो अण्णे णाणाइपज्जवा तस्स । उवसमियाईलक्खणविसेसओ केइ इच्छन्ति ।।३८।। 2010_02 Page #196 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-३७-४२ १५१ गाथा: छाया: छाया : तस्माद् अन्यो जीवोऽन्ये ज्ञानादिपर्यवास्तस्य । औपशमिकादिलक्षणविशेषतः केचिद् इच्छन्ति ।।३८ ।। अन्वयार्थ : तम्हा = तेथी, उवसमियाईलक्खणविसेसओ = (अने) भोपामि १३ पक्षविशेषथी केइ = 32 इच्छन्ति = भाने छ , अण्णो जीवो = 4 मिन्नत तस्स = (अने) तेना णाणाइपज्जवा = नाहिपर्यायो अण्णे = मिन्न. अह पुण पुव्वपयुत्तो अत्थो एगंतपक्खपडिसेहे । तह वि उयाहरणमिणं ति हेउपडिजोअणं वोच्छं ।।३९।। अथ पुनः पूर्वप्रयुक्तः अर्थ एकान्तपक्षप्रतिषेधे ।। तथापि उदाहरणमिदमिति हेतुप्रतियोजनं वक्ष्ये ।।३९।। अन्वयार्थ : अह = ७वे. पुण = qणी एगंतपक्खपडिसेहे = situal निषेधस्व३५ अत्थो = अर्थ पुव्वपयुत्तो = पूर्वमा वायो छ, तह वि = तो ५९ हेउपडिजोअणं = हेतुन॥ ४॥३५ उयाहरणमिणं = 0 618२९ति = में प्रभारी वोच्छं = 5डीश. जह कोइ सट्ठिवरिसो तीसइवरिसो णराहिवो जाओ । उभयत्थ जायसद्दो वरिसविभागं विसेसेइ ।।४०।। यथा कश्चित् षष्टिवर्षस्त्रिंशद्वर्षो नराधिपो जातः । उभयत्र जातशब्दो वर्षविभागं विशेषयति ।।४।। अन्वयार्थ : जह = सेभ, कोइ = iss सट्ठिवरिसो = साह वर्धनो पुरुष तीसइवरिसो = बीस वर्ष णराहिवो = २ जाओ = थयो. उभयत्थ = बने स्थाने जायसद्दो = "64न' श६ वरिसविभागं = वर्ष मेहने विसेसेइ = ४॥ छ. गाथा: एवं जीवद्दव्वं अणाइणिहणमविसेसियं जम्हा । रायसरिसो उ केवलिपज्जाओ तस्स स विसेसो ।।४१।। गाथा: छाया: ___ 2010_02 Page #197 -------------------------------------------------------------------------- ________________ १५२ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-३७-४२ * થા : छाया : एवं जीवद्रव्यमनादिनिधनमविशेषितं यस्मात् । राजसदृशो तु केवलिपर्यायस्तस्य स विशेषः ।।४१।। વાર્થ : અ = આ પ્રમાણે વિસયં = સામાન્યથી નીવડ્યું = જીવદ્રવ્ય VIળavi = અનાદિ અનંત. ૩ = વળી, નફા = કારણ કે રાયસરિસો = રાજા સમાન સ = તે ત્રિ- પન્નામો = કેવલિપર્યાય તરસ = તેનો વિસા = વિશેષપર્યાય. जीवो अणाइनिहणो 'जीव' त्ति य णियमओ ण वत्तव्यो । जं पुरिसाउयजीवो देवाउजीवियविसिट्ठो ।।४२।। जीवोऽनादिनिधनो 'जीव' इति च नियमतो न वक्तव्यः । यत् पुरुषायुष्कजीवो देवायुष्कजीवितविशिष्ट: ।।४२।। મનવા : ૩ = અને પIઊંનિદાન = અનાદિ અનંત એવો નીલા = જીવ નીવ' ત્તિ = “આ જીવ જ છે એ પ્રમાણે નિયમો = એકાંતે - વત્તવ્યો = કહેવા યોગ્ય નથી. = = કારણ કે, પુરિસ૩યનીવો = મનુષ્ય આયુષ્યવાળો જીવ લેવાયનીવિવિદ્ય = દેવ આયુષ્યવાળા જીવથી ભિન્ન છે. છયા : ગાથાર્થઃ જીવ એ અનાદિ અનંત છે અને કેવલજ્ઞાન તો સાદિ અનંત છે; એ પ્રકારનો મોટો ભેદ હોવાથી જીવ એ કેવલજ્ઞાનરૂપ કેવી રીતે હોઈ શકે ? (૩૭) તેથી અર્થાત્ વિરુદ્ધ ધર્મ હોવા સ્વરૂપ મોટો ભેદ હોવાથી તથા પશમિક આદિ લક્ષણભેદ હોવાથી જીવ એ જ્ઞાન વગેરે પર્યાયથી ભિન્ન છે, અને તેના જ્ઞાન વગેરે પર્યાયો જીવથી ભિન્ન છે, એમ કેટલાક વ્યાખ્યાતાઓ માને છે. (૩૮) જો કે પૂર્વમાં એકાંત ભેદભેદપક્ષના પ્રતિષેધસ્વરૂપ આ અર્થ કહેવાઈ ગયો છે; છતાં હેતુનું સાધ્ય સાથે સંબંધ દર્શાવતું આ ઉદાહરણ તો કહીશ. (૩૯) જેમ કોઈ સાંઠ (૬૦) વર્ષનો પુરુષ ત્રીશ (૩૦) વર્ષે રાજા થયો. એમ કહેવામાં ઉભયમાં અર્થાત્ મનુષ્ય અને રાજામાં વપરાયેલો ‘ઉત્પન્ન” શબ્દ વર્ષનો વિભાગ બતાવે છે. (૪૦) 2010_02 Page #198 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-३७-४२ १५३ એ પ્રમાણે, સામાન્યથી (કોઈપણ પ્રકારના વિશેષ વિનાનું) જીવદ્રવ્ય અનાદિ અનંત છે; કારણ કે, જે રાજાસમાન કેવલપર્યાય છે તે જીવદ્રવ્યનો વિશેષપર્યાય છે. (૪૧) અનાદિ અનંત એવો જીવ “આ જીવ જ છે' અર્થાત્ માત્ર સામાન્યરૂપ જ છે, એમ એકાંતથી કહી ન શકાય; કારણ કે, મનુષ્યઆયુષ્યવાળો જીવ દેવાયુષ્યવાળા જીવથી ભિન્ન વ્યવહાર કરાય છે. (૪૨) તાત્પર્યાર્થ : જીવ કેવલરૂપ છે એ અભેદકથનને અસંગત બતાવવા કોઈ કહે છે કે, જીવ એ દ્રવ્યરૂપ હોવાથી અનાદિ અનંત છે, અને કેવલ એ પર્યાયરૂપ હોવાથી સાદિ અનંત છે. બન્ને વચ્ચે આટલો મોટો તફાવત છે તો પછી જીવને કેવલરૂપ કેમ કહી શકાય ? અર્થાત્ દ્રવ્ય અને પર્યાયનો અભેદ કેમ માની શકાય ? આ સિવાય બન્ને વચ્ચે લક્ષણભેદ પણ છે. કેવલ વગેરે જ્ઞાનના પર્યાયો ક્ષાયિક, લાયોપથમિક વગેરે ભાવવાળા હોય છે; જ્યારે જીવ પારિણામિકભાવવાળો છે. તેથી જીવ અને તેના જ્ઞાન આદિ પર્યાયો પરસ્પર ભિન્ન જ છે, એમ માનવું જોઈએ. આ પ્રકારના એકાંતભેદવાદનો નિષેધ કરતાં ગ્રંથકાર કહે છે કે, પૂર્વમાં કાંડ-૧, ગા૧૨માં દ્રવ્યનું લક્ષણ બતાવવા વડે અનેકાંતના વ્યવસ્થાપનપૂર્વક દ્રવ્ય અને પર્યાયના એકાંત ભેદવિષયક તથા એકાંત અભેદવિષયક માન્યતાઓનું ખંડન કરવામાં આવ્યું હતું. છતાં વિશેષ સ્પષ્ટતા ખાતર દૃષ્ટાંત આપી હેતુની સાધ્ય સાથે વ્યાપ્તિ અહીં બતાવવામાં આવે છે. જેમ સાંઠ વર્ષના સંપૂર્ણ આયુષ્યવાળો કોઈ પુરુષ ત્રીસ વર્ષે રાજા બને, ત્યારે એમ કહેવાય છે કે, “આ મનુષ્ય રાજા થયો' તેમ દ્રવ્યરૂપે ભવ્યજીવ અનાદિ હોવા છતાં જ્યારે કેવલજ્ઞાન પ્રગટે છે, ત્યારે એમ કહેવાય છે કે, “આ જીવ કેવલી થયો'. દૃષ્ટાંતમાં વિવક્ષિત વ્યક્તિ પ્રથમથી જ મનુષ્યરૂપે હતી અને પછી પણ છે; તેમાં માત્ર અરાજપર્યાય ગયો છે અને રાજપર્યાય આવ્યો છે; દાષ્ટ્રતિકમાં જીવદ્રવ્ય પ્રથમથી પણ હતું અને પછી પણ છે; માત્ર અકેવલપર્યાય ગયો અને કેવલપર્યાય થયો. આ બન્ને સ્થળ પર્યાય અને દ્રવ્યનો પરસ્પર અભેદ હોવાથી જ પર્યાયના ઉત્પાદ અને નાશને દ્રવ્યના ઉત્પાદ અને નાશ માની નિબંધ વ્યવહાર થાય છે કે, “આ માણસ અરાજા મટી રાજા થયો” અને “આ જીવ છદ્મસ્થ મટી કેવલી થયો'. અર્થાત્ દ્રવ્ય એ ધ્રુવ છતાં પૂર્વપર્યાયરૂપે નષ્ટ અને ઉત્તરપર્યાયરૂપે ઉત્પન્ન થયું કહેવાય છે; તે જ દ્રવ્ય અને પર્યાયનો અભેદ સાબિત કરે છે. માટે દ્રવ્ય એ માત્ર દ્રવ્યરૂપ જ છે એમ ન કહી શકાય. જો દ્રવ્ય માત્ર દ્રવ્યરૂપ જ હોય તો અનાદિઅનંત જીવદ્રવ્ય જીવરૂપે માત્ર એક જ છે એમ માનવું પડે; અને તેમ માનતાં આ વર્તમાન પુરુષદેહધારી જીવ પૂર્વ દેવદેહધારી જીવથી ભિન્ન છે એવો વ્યવહાર કદી પ્રામાણિક ન ઠરે. કારણ કે, બન્ને અવસ્થામાં જીવ તો એક જ છે; 2010_02 Page #199 -------------------------------------------------------------------------- ________________ १५४ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-४३ એટલે તે ભેદવ્યવહાર શી રીતે પામી શકે ? અને ભેદવ્યવહાર તો પ્રામાણિક છે જ; તેથી માનવું જોઈએ કે, દ્રવ્ય અને પર્યાય પરસ્પર અભિન્ન છે. આમ માનવાથી જીવરૂપે એક હોવા છતાં પુરુષપર્યાય અને દેવપર્યાય પરસ્પર ભિન્ન હોવાથી અભિન્ન એવો જીવ પણ પુરુષરૂપે અને દેવરૂપે ભિન્નપણાનો વ્યવહાર નિબંધપણે પામે છે. આ ઉપરથી ફલિત એમ થયું કે સત્ હોવાને કારણે પર્યાય એ દ્રવ્યથી અને દ્રવ્ય એ પર્યાયથી અભિન્ન છે. જેમ કે મનુષ્ય અને તેના અરાજત્વ આદિ પર્યાયો. તે રીતે સત્ હોવાના કારણે કેવલજ્ઞાનપર્યાય અને જીવદ્રવ્ય એ બન્ને પરસ્પર અભિન્ન હોવાથી કેવલરૂપ જીવ એમ કહેવું અસંગત નથી. અહીં જીવમાં કેવલનો અભેદ સિદ્ધ કરી શકાય એવું - સામાન્યને વિશેષથી અભિન્ન સિદ્ધ કરનાર અનુમાન આ પ્રમાણે રજૂ કરી શકાય કે, સામાન્ય એ વિશેષોથી અભિન્ન છે; કારણ કે, તેમાં વિશેષોને લીધે ભેદવ્યવહાર પ્રામાણિકપણે થાય છે; જેમ એક જ મનુષ્ય ક્યારેક અરાજા અને ક્યારેક રાજારૂપે વ્યવહાર પામે છે તેમ એક જ જીવ ક્યારેક અકેવલીરૂપે અને ક્યારેક કેવલીરૂપે વ્યવહારાય છે. માટે તે જીવદ્રવ્ય અકેવલ અને કેવલપર્યાયથી અભિન્ન છે. જો જીવદ્રવ્ય પર્યાયોથી માત્ર ભિન્ન જ છે એમ સ્વીકારીએ, તો પર્યાયોનો ભેદ પર્યાયોમાં જ રહે અને જીવમાં વ્યવહાર ન જ પામે. (૩૭-૪૨) आत्मद्रव्यस्य स्वाभाविकैर्वैभाविकैप्टा पर्यायैः कथंचिदेकानेकत्वं वर्णयन्नाह - संखेज्जमसंखेज्जं अणंतकप्पं च केवलं णाणं । तह रागदोसमोहा अण्णे वि य जीवपज्जाया ।।४३।। यथा केवलज्ञानं सङ्ख्येयं केवलाव्यतिरिक्तस्य आत्मन एकत्वात् केवलमेकरूपं केवलस्य वा ज्ञानदर्शनरूपतया द्विरूपत्वात् तदव्यतिरिक्त आत्माऽपि द्विरूप इत्यादि, असङ्ख्येयम् तदव्यतिरिक्तस्यात्मनोऽसङ्ख्येयप्रदेशात्मकत्वात्, अनन्तार्थविषयतया केवलस्यानन्तकल्पत्वादात्माऽप्यनन्तः । तथा अनेन प्रकारेण रागद्वेषमोहरूपपर्याया अन्येऽपि च जीवपर्याया सङ्ख्येयाऽसङ्ख्येयानन्तप्रकारा विज्ञेयाः । इयमत्र विराज्यम् - केवलज्ञानस्य कथञ्चिदात्माऽव्यतिरेकादात्मनो वा केवलज्ञानाव्यतिरेकाद् द्वयोः इतरेतरापेक्षयाऽपि सङ्ख्येयाऽसङ्ख्येयाऽनन्तप्रकारत्वं ज्ञेयम् । अनेन रीत्या अन्येऽपि ये जीवस्य स्वाभाविकवैभाविकपर्यायास्ते सर्वेऽपि आत्माव्यतिरिक्तत्वात् सङ्ख्येयाऽसङ्ख्येयाऽनन्तप्रकारा ज्ञेयाः ।।४३ ।। 2010_02 Page #200 -------------------------------------------------------------------------- ________________ સંમતિત પ્ર”, ાણ્ડ-૨, ગાથા-૪૨ इति महावादि-महातार्किकशिरोमणिश्रीसिद्धसेनदिवाकरसूरिप्रणीतस्य संमतितर्कप्रकरणस्य प्रथमकाण्डस्य व्याख्यानवाचस्पति-आगमाद्यनेकविधशास्त्रमर्मज्ञ-परिणतस्वपरदर्शनबोधपूज्यपादाचार्यदेवश्रीमद्-विजयरामचन्द्रसूरीश्वराणां शिष्यरत्नानां वर्धमानतपोनिधिगुरुचरणसमर्पितजीवनलक्ष्मी पूज्यपादाचार्यदेव श्रीमद्-विजयगुणयशसूरीश्वराणां चरणभृङ्गायमान-आचार्यविजयकीर्तियशसूरिणा विरचिता पार्श्वप्रभा टीका समाप्तिमगमत् । અવ. આત્મદ્રવ્યનું સ્વાભાવિક અને વૈભાવિક પર્યાયો વડે એક, અનેકપણે વર્ણન - संखेज्जमसंखेज्जं अणंतकप्पं च केवलं णाणं । ગાથા : तह रागदोसमोहा अण्णे वि य जीवपज्जाया ||४३|| છાયા : सङ्ख्येयमसङ्ख्येयमनन्तकल्पं च केवलं ज्ञानम् । तथा रागद्वेषमोहा अन्येऽपि च जीवपर्यायाः || ४३ || સંખ્યાત અસંવેખ્ખ અન્યયાર્થ : (જેમ) વર્લ્ડ ગાળું = કેવલજ્ઞાન સંઘેખં અસંખ્યાત ચ અને અનંતપ્પ समोहा રાગ-દ્વેષ અને મોહરૂપ અને વિ ય = અને અન્ય પણ નીવપન્નાયા = જીવના પર્યાયો તદ્દ = તેવા પ્રકારના જાણવા. અનંત પ્રકારનું છે તેમ રાખવો = 2010_02 = = તાત્પર્યાર્થ : આત્મા એક હોવાથી તેનાથી અભિન્ન એવું કેવલજ્ઞાન પણ એકસ્વરૂપ છે. કેવલબોધ એ જ્ઞાન-દર્શનસ્વરૂપ ઉભયરૂપે હોવાથી તેનાથી અભિન્ન આત્મા પણ બેરૂપે છે. આત્મા અસંખ્યાતા પ્રદેશસ્વરૂપ હોવાથી તેનાથી અભિન્ન કેવલજ્ઞાન પણ અસંખ્યાત પ્રકારે છે. કેવલજ્ઞાનનો વિષય અનંત હોવાથી તેનાથી અભિન્ન આત્મા પણ અનંતસ્વરૂપે છે. આ રીતે શાસ્ત્રમાં સ્વભાવિકપર્યાયરૂપ કેવલજ્ઞાનને સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રકા૨નું કહ્યું છે; તે જ પ્રમાણે છદ્મસ્થ અવસ્થામાં થનારા રાગ, દ્વેષ અને મોહરૂપ વૈભાવિકપર્યાયોને પણ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રકારના કહ્યા છે. પ્રત્યેક પર્યાયમાં જે આ સંખ્યાભેદનું શાસ્ત્રીય કથન છે, તે સૂચવે છે કે દ્રવ્ય અને પર્યાયનો માત્ર ભેદ નથી, અભેદ પણ છે. ભેદ १५५ ગાથાર્થ : જેમ કેવલજ્ઞાન એ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રકા૨નું છે; તેવી રીતે રાગ, દ્વેષ અને મોહરૂપ જીવના પર્યાયો તથા અન્ય પણ જીવપર્યાયો તેવા પ્રકારના અર્થાત્ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રકારે જાણવા. (૪૩) = Page #201 -------------------------------------------------------------------------- ________________ १५६ સંમતિતóપ્રરળે, જાવુ-૨, ગાથા-૪૨ વિના સંખ્યાનું વૈવિધ્ય સંભવી ન શકે. તેથી દ્રવ્ય અને પર્યાયની વચ્ચે ભેદની જેમ અભેદ પણ માનવો જોઈએ, એટલે કે બન્ને કથંચિત્ ભિન્ન પણ છે અને કથંચિત્ અભિન્ન પણ છે. (૪૩) આ પ્રમાણે પ્રવચનને જાણકાર-મહાદાર્શનિક-શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજાએ રચેલ શ્રીસંમતિતર્ક પ્રકરણના પ્રથમ કાંડનું વ્યાખ્યાનવાચસ્પતિ, પરિણત એવી સ્વ-૫૨દર્શનની બુદ્ધિવાળા તપાગચ્છાધિપતિ, પૂજ્યપાદ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યત્વને શોભાવનારા વર્ધમાનતપ આદિ અનેક તપ પ્રભાવક, આજીવન ગુરુચરણ સેવી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય આચાર્ય વિજય કીર્તિયશસૂરિએ કરેલ ભાષાંતર સંપૂર્ણ થયું. . 2010_02 Page #202 -------------------------------------------------------------------------- ________________ दीक्षायुगप्रवर्त्तकभावाचार्यभगवदाचार्यदेव श्रीमद्विजयरामचन्द्र सूरीश्वराणामन्तेवासिनां वर्धमानादितपोलक्ष्मीगोविन्दाचार्यदेव श्रीमद्विजयगुणयशसूरीश्वराणां चरणाम्भोजालिबालदीक्षामार्गसंरक्षकप्रवचनप्रभावकाचार्यदेवविजयकीर्तियशसूरिप्रणीतपार्श्वप्रभाटीकासमे तार्किकशिरोमणिदर्शनप्रभावकशास्त्रप्रणेतृश्रीसिद्धसेनदिवाकरसूरिप्रणीते संमतितर्कप्रकरणे तृतीयकाण्डः । [प्रमेयकाण्डः ] आदिमं पृथिवीनाथं, पञ्चमं चक्रवर्त्तिनम् । चरमहरिभर्त्तारं, नमाम्यहं दिने दिने । । १ । । सर्ववाञ्छितदातारं, मोक्षफलप्रदायकम् । शंखेश्वरपुराधीशं पार्श्वनाथं जिनं स्तुवे || २ || 1 केवलेन यथा दृष्टाः, सद्द्रव्य-गुण- पर्यवाः । तथैव वर्णिता येन, तद्वीराय नमो नमः ।।३।। जयन्तु वादिनः सर्वे, वीरतत्त्वप्रसाधकाः । गामुका वीरमार्गस्य, वीरपट्टप्रद्योतकाः ।।४।। तन्मार्गगन्तुकामोऽह-मतत्त्वाद्भयभीतधीः । वृत्तिं तृतीयकाण्डस्य कुर्वे पार्श्वप्रसादतः ॥ ५ ॥ द्वितीयकाण्डे परस्परसापेक्षयोः प्रमेयग्राहकप्रमाणरूपयोर्दर्शनज्ञानयोः स्वरूपं प्रतिपाद्याधुना परस्परानुस्यूतयोः प्रमेयभूतयोः सामान्य-विशेषयोः स्वरूपं दर्शयन्नाह - सामण्णम्मि विसेसो विसेसपक्खे य वयणविणिवेसो | दव्वपरिणाममण्णं दाएइ तयं च णियमेइ ।। १ ।। सामान्ये ‘अस्ति’ इत्यादि सत्तादिसामान्ये विशेषो 'द्रव्यम्, घटः' इत्यादिविशेषस्य 2010_02 Page #203 -------------------------------------------------------------------------- ________________ १५८ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-१-२ वचनविनिवेशो वचनप्रयोगो द्रव्यपरिणामं द्रव्यपरिणतिरूपं विशेषमन्यं द्रव्यादभिन्नं दर्शयति सामान्यं विशेषात्मकमिति ज्ञापयति । तथा विशेषपक्षे च 'घटः, पटः' इत्यादिविशेषे 'अस्ति' इत्यादिसत्तासामान्यस्य वचनविनिवेशो वचनप्रयोगस्तकं च विशेषं सामान्ये नियमयति विशेषः सामान्यात्मक एवेति दर्शयति । इदं वाच्यम्- प्रतिद्रव्यं सामान्यविशेषधर्मो प्रत्यक्षेण ज्ञायते । तौ चोभौ परस्परानुस्यूतौ । एकस्य सद्भावेऽपरस्यापि सद्भावस्तथैकस्यासद्भावेऽपरस्याप्यसद्भावः । यथा घटादिपर्यायाभावे मृद्रव्यं न संभवति तथा विशेषाभावे सामान्यमपि न, तेन सामान्यं विशेषात्मकमेव । यथा च मृद्रव्याभावे घटादिपर्याया न सम्भवन्ति तथा सामान्याभावे विशेषा अपि न, तेन विशेषं सामान्यात्मकमेव ।।।१।। एकान्तेन विशेषव्यतिरिक्तं सामान्यं सामान्यरहिता वा विशेषा न संभवति, प्रत्यक्षादिप्रमाणविरोधादिति दर्शयन्नाह - एगंतणिव्विसेसं एयंतविसेसियं च वयमाणो । दव्वस्स पज्जवे, पज्जवाहि दवियं णियत्तेइ ।।२।। एकान्तनिर्विशेषमेकान्तेन निर्गता विशेषा यस्मात् तदेकान्तनिर्विशेषं विशेषविरहितं सामान्यमित्यर्थः, एवं वदन वक्ताऽङ्गुल्यादिद्रव्यस्य ऋजुत्वादिपर्यायान् द्रव्यान्निवर्त्तयति, एकान्तविशेषितं च सामान्यरहितं विशेष वदन वक्ता पर्यायेभ्यो ऋजुत्वादिपर्यायेभ्यो द्रव्यमङ्गुल्यादि निवर्त्तयति । एतद् वाच्यम् - विशेषरहितं सामान्यमिति वदन वक्ता द्रव्यस्य पर्यायान् द्रव्याद् दूरीकरोति, तेन पर्यायात्मकस्य द्रव्यस्याप्यभावप्रसङ्गः। तेनैव प्रकारेण सामान्यरहितं विशेषमिति वदन वक्ता पर्यायेभ्यो द्रव्यं निवर्त्तयति, तेन द्रव्याभिन्नानां पर्यायाणामपि निवृत्तिप्रसक्तिः । यथा मृद्रव्यं पिण्ड-स्थास-कोशादिपर्यायात्मकं ते च पर्याया मृद्रव्यात्मकाः । मृत्पिण्डादिपर्यायैर्विनेदं मृद्रव्यमेवेति वदन वक्ता पिण्डादिपर्यायान्मृद्रव्याद् दूरीकरोति, तेन तत्पर्यायाविनाभाविनो द्रव्यस्याप्यभावप्रसङ्गः । तथा मृद्रव्यं विना तत्पर्यायानामेव स्वीकरणेन 2010_02 Page #204 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-१-२ १५९ छाया: मृत्पिण्डादिपर्यायेभ्यो मृद्रव्यं दूरीभवति ततप्टा द्रव्याभिन्नानां पर्यायाणामपि निवृत्तिप्रसक्तिः। तस्मात् सामान्यविशेषावविनिर्भागरूपावेव । ननु एतत्काण्डं नारब्धव्यम्, कथनीयस्यानेकान्तसिद्धान्तस्य पूर्वमुक्तप्रायःत्वादिति चेत्, सत्यम्, तथापि प्रथमकाण्डे प्रमेयप्रधानत्वेन तद्ग्राहकस्य प्रमाणस्य निरूपणं कृतमधुना त्वविद्यमानप्रमेयस्य प्रमाणस्य प्रमाणत्वासम्भवात् प्रमाणनिरूपणद्वारेण प्रमेयनिरूपणं करिष्यत इति प्ररूपणाशैलिभेदेन न दोषः । यद्वाऽनेकान्तमत उक्तदोषानामनेकधा निरसनीयत्वान्न दोषः ।।२।। અવ. પરસ્પર જોડાયેલા એવા સામાન્યધર્મ અને વિશેષ ધર્મના સ્વરૂપનું વર્ણન કરતાં કહે છે – गाथा : सामण्णम्मि विसेसो विसेसपक्खे य वयणविणिवेसो । दव्वपरिणाममण्णं दाएइ तयं च णियमेइ ।।१।। सामान्ये विशेषो विशेषपक्षे च वचनविनिवेशः । द्रव्यपरिणाममन्यं दर्शयति तकं च नियमयति ।।१।। अन्वयार्थ : सामण्णम्मि = अस्ति त्या सामान्यमा विसेसो = द्रव्यम् त्या: विशेषनो वयणविणिवेसो = qयनप्रयोग दव्वपरिणामं = द्रव्य परि॥भने (विशेषन) अण्णं = अन्य३५ (द्रव्यथा समिति) दाएइ = ४९॥ छ. य = भने विसेसपक्खे = विशेषमा (मान्यनl) वयणविणिवेसो = qयनप्रयोग तयं च = अने तने (विशेषन) णियमेइ = (मान्यमi) नियत ४३ छ. गाथा : एगंतणिव्विसेसं एयंतविसेसियं च वयमाणो । दव्वस्स पज्जवे पज्जवाहि दवियं णियत्तेइ ।।२।। एकान्तनिर्विशेषमेकान्तविशेषितं च वदन् । द्रव्यस्य पर्यायान्, पर्यायेभ्यो द्रव्यं निवर्त्तयति ।।२।। अन्वयार्थ : एगंतणिव्विसेसं = त विशेषोथी २डित सामान्यने वय माणो = प्रतिपान २ना२ दबस्स = द्रव्यमा पज्जवे = पर्यायाने छाया: 2010_02 Page #205 -------------------------------------------------------------------------- ________________ १६० સંમતિતર્જર, ઝાડુ-૩, 'થા-૨-૨ fખાય = (દ્રવ્યથી) દૂર કરે છે. ય = અને યંત-વિજેસિઘં = એકાંતે (સામાન્યથી રહિત) વિશેષને વયમા = પ્રતિપાદન કરનાર પન્નવાદિ = પર્યાયોથી રવિર્ય = દ્રવ્યને ળિયક્ = દૂર કરે છે. ગાથાર્થ : મતિ એ પ્રમાણે સામાન્યમાં દ્રવ્યમ્ એ પ્રમાણે વિશેષનો જે વચનપ્રયોગ કરાય છે તે દ્રવ્યના પરિણામરૂપ વિશેષને અન્યરૂપેકદ્રવ્યથી અભિન્ન અર્થાત્ સામાન્ય વિશેષાત્મક છે એમ જણાવે છે તથા ઘર વિશેષમાં પ્તિ એ પ્રમાણે સામાન્યનો જે વચનપ્રયોગ કરાય છે તે, વિશેષને સામાન્યમાં નિયત કરે છે અર્થાત્ વિશેષ સામાન્ય સ્વરૂપે જ છે એમ જણાવે છે. (૧) એકાંતે વિશેષથી રહિત એવા સામાન્યનું પ્રતિપાદન કરનાર વ્યક્તિ દ્રવ્યના પર્યાયોને દ્રવ્યથી દૂર કરે છે, તથા એકાંતે સામાન્યથી રહિત એવા વિશેષનું પ્રતિપાદન કરનાર વ્યક્તિ પર્યાયોથી દ્રવ્યને દૂર કરે છે. (૨) તાત્પર્યાર્થ: આ કાંડમાં પ્રમેય પદાર્થોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રમેય પદાર્થો પૈકી સૌ પ્રથમ દ્રવ્યમાં રહેલા સામાન્યધર્મ અને વિશેષધર્મનું સ્વરૂપ જણાવવામાં આવે છે. સત્, દ્રવ્ય આદિ કોઈપણ પર-અપરસામાન્ય વ્યવહારમાં તો વિશેષરૂપે જ આવે છે, અને પૃથ્વી-ઘટ આદિ કોઈપણ વિશેષ સામાન્યરૂપે વ્યવહારાય છે જ. વળી આ વ્યવહાર બાધિત પણ નથી, તેથી એમ માની શકાય છે કે, દ્રવ્યમાં સામાન્ય ઉપરાંત વિશેષ પરિણામ પણ છે અને તેમ છતાં તે વિશેષ સામાન્યસ્વરૂપથી સર્વથા જુદો નથી. અર્થાત્ સામાન્ય એ વિશેષમાં અનુસૂત છે અને વિશેષ એ અભિન્ન એવા સામાન્યની ભૂમિકા ઉપર જ રહેલો છે. તેથી વસ્તુમાત્ર પરસ્પર જોડાયેલા એવા સામાન્ય-વિશેષસ્વરૂપ ઉભયધર્મરૂપે સિદ્ધ થાય છે. જે વસ્તુ જે સ્વરૂપે હોય તે સ્વરૂપનો અભાવ થતાં તે વસ્તુ પણ હોઈ શકતી નથી. જેમ, સુવર્ણનો હાર સુવર્ણાત્મક છે અને જો તેમાં સુવર્ણનો અભાવ માનવામાં આવે તો સુવર્ણનો હાર હોઈ શકતો નથી. તે જ રીતે સુવર્ણ પણ હાર, બંગડી, કડું, લગડી આદિ કોઈક પર્યાયરૂપે જ હોય છે અને જો હાર વગેરે પર્યાયનો અભાવ માનવામાં આવે તો સુવર્ણ પણ સંભવી શકતું નથી. તેમ સામાન્ય એ વિશેષસ્વરૂપે છે અને જો સામાન્યમાં વિશેષનો જ અભાવ માનવામાં આવે તો સામાન્ય સંભવી શકતું નથી. તથા વિશેષ એ સામાન્યસ્વરૂપે છે અને જો વિશેષમાં સામાન્યનો અભાવ માનવામાં આવે તો વિશેષનો પણ સંભવ થઈ શકતો નથી. આ રીતે, સામાન્ય અને વિશેષ પરસ્પર સંકળાયેલા છે. એકના અભાવમાં બીજાનો સદ્દભાવ સંભવી શકતો નથી. હવે, જો વિશેષ વિના કેવળ સામાન્ય હોય, તો માત્ર સામાન્યવિષયક પ્રતીતિને આધારે વ્યવહાર કરનારને વિશેષો છોડી જ દેવા પડે; એટલે વ્યવહારસિદ્ધ હાર, કડું, કુંડલ આદિ અનેક આકારોને વિચાર અને વાણીમાંથી ફેંકી દઈ, માત્ર સોનું છે એટલો જ સામાન્યનો વ્યવહાર કરવાની આપત્તિ આવશે. 2010_02 Page #206 -------------------------------------------------------------------------- ________________ સંમતિતર્જર, છાડુ-૩, થા-૨-૨ તે જ રીતે ઋજુ, વક્ર, નાની, મોટી વગેરે પર્યાયોથી યુક્ત એવી આંગળી જે પ્રત્યક્ષથી જણાય છે તે પર્યાયોમાં વાણી અને વ્યવહાર નહિ પ્રવર્તે પણ માત્ર આંગળી દ્રવ્યમાં જ પ્રવર્તશે એવું માનવું પડે. તથા સામાન્ય વિનાના કેવળ વિશેષોને સ્વીકારનારે વિચાર અને વાણીમાંથી સુવર્ણરૂપ સામાન્ય દૂર કરી માત્ર કડું, કુંડલ આદિ આકારો જ વિચાર પ્રદેશોમાં લાવવા પડશે, અને તેમને જ વાણીમાં મૂકવા પડશે. એ જ રીતે અંગુલિદ્રવ્યથી અભિન્ન એવા જે તેના ઋજુ, વક્ર વગેરે પર્યાયો છે તે પર્યાયોમાં જ વિચાર અને વાણી પ્રવર્તશે, પણ અંગુલિદ્રવ્યમાં નહિ પ્રવર્તે, એવું માનવું પડશે, પરંતુ અનુભવ તો એવો છે કે, કોઈપણ વિચાર અથવા વાણી માત્ર સામાન્ય કે માત્ર વિશેષને અવલંબી પ્રવર્તતાં નથી, પણ સામાન્ય અને વિશેષ ઉભયને અવલંબીને પ્રવર્તે છે. તેથી એ બન્ને ભિન્ન હોવા છતાં પણ પરસ્પર અભિન્ન છે એમ ' સિદ્ધ થાય છે. આ ત્રીજા કાંડની રચના અંગે ટીકામાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો કે, આ કાંડની રચના કરવી યોગ્ય નથી. કારણ કે આ કાંડ વડે વસ્તુનું જે અનેકાંત સ્વરૂપે રજૂ કરવું છે તે પ્રથમકાંડની “હરા સમૂસદ્ધ..” (T. ર૭), “વિ”િ (T. રૂ8) વગેરે ગાથાઓ વડે જણાવાયેલું જ છે. તથા “રૂપાય-ફિફ-બંધ ઢં...” (ા. ૨૨) માં જે દ્રવ્યનું લક્ષણ કરવામાં આવ્યું છે તેના વડે સર્વ સત્ વસ્તુઓનું અનેકાંતસ્વરૂપ રજૂ કરાયેલું જ છે. માટે ફરી અનેકાંતસ્વરૂપે રજૂ કરવું જરૂરી જણાતું નથી. વળી જો એમ કહેવામાં આવે કે, પ્રમાણના વિષયભૂત પ્રમેયવાક્યોના નિરૂપણ માટે આ કાંડની રચના કરવામાં આવી છે તો તે પણ ઉચિત જણાતી નથી. કારણ કે પ્રથમકાંડની “વિયL-બ્રિયપ્પ..” (TI. રૂ૫) વડે પ્રમાણના વિષયને જણાવનાર વાક્ય કેવું હોવું જોઈએ તે વાતનું પણ નિરૂપણ કરવામાં આવ્યું જ છે અને પ્રમેયવાક્ય એ વસ્તુ સ્વરૂપ હોવાથી વસ્તુના નિરૂપણમાં પ્રમેયવાક્યનું નિરૂપણ આવી જ જાય છે. માટે આ કાંડની રચના કરવી એ પુનરુક્તસ્વરૂપ જણાય છે. આ પૂર્વપક્ષના ઉત્તરમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે, તમારી રજૂઆત યોગ્ય છે, છતાં રજૂઆતની શૈલીમાં ફરક છે. પ્રથમ કાંડમાં પ્રમેયની મુખ્યતા ખ્યાલમાં રાખી, પ્રમેયને ગ્રહણ કરનાર હોવાથી પ્રમાણનું નિરૂપણ કરવામાં આવ્યું. જ્યારે અહીં પ્રમાણની મુખ્યતાથી પ્રમેયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કારણ કે, “જે પ્રમાણથી જણાવવા યોગ્ય પ્રમેય ન હોય તે પ્રમાણને પ્રમાણ ન કહેવાય.” આ રીતે રજૂઆતની શૈલીમાં ફરક હોવાથી કોઈ દોષ નથી. અથવા અનેકાંતમતમાં અન્ય મતો દ્વારા કહેવાયેલા દોષો દૂર કરવાની શૈલી અનેક પ્રકારની છે. તેથી અનેક રીતે રજૂઆત થઈ શકતી હોવાથી અનેકાંત સિદ્ધાંતની વ્યવસ્થા કરવા માટે ત્રીજા કાંડની રચના કરવામાં કોઈ દોષ નથી. આ રીતે ગાથા-૨ની ટીકામાં ત્રીજા કાંડની રચનાનો મુખ્ય હેતુ જણાવવામાં આવ્યો છે. 2010_02 Page #207 -------------------------------------------------------------------------- ________________ १६२ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-३-४ पूर्वोक्तवचनमनाप्तस्य नैव भवति, तर्हि तत्कस्य भवति किं च स्वरूपमिति प्रतिपादयन्नाह पञ्चप्पन्नं भावं विगय-भविस्सेहिं जं समण्णेइ । एयं पडुअवयणं दब्वंतरणिस्सियं जं च ।।३।। यद् वचनं वस्तुनः प्रत्युत्पन्नं भावं वर्तमानपर्यायं तस्यैव वस्तुनो विगत-भविष्यद्भ्यां भूत-भाविपर्यायाभ्यां समन्वेत्यभेदतया प्रतिपादयति, यञ्च वचनं द्रव्यान्तरनिसृतं द्रव्यं द्रव्यान्तरेण संबद्धमिति प्रतिपादयति, एतद् वचनं प्रतीत्यवचनमाप्तवचनं - सर्वज्ञवचनमित्यर्थः अन्यञ्च सर्वमनाप्तवचनमित्यर्थः । इदं कथनीयम - द्रव्यमानं नित्यानित्यम् । द्रव्यत्वेन नित्यत्वे सति पर्यायत्वेनानित्यम् । अत्र क्रमभाविनः पर्यायाः परिवर्तनशीलास्तथापि अन्वयिद्रव्यं तु तदेव । एवं यद् वचनं वस्तुनः प्रत्यक्षगोचरीभूतं वर्तमानपर्यायं तस्यैव वस्तुनोऽतीतानागतकालपर्यायैः सह द्रव्यत्वेनाभेदतया प्रतिपादयति, तद्वचनमाप्तवचनम्, तञ्च वस्तुनोऽनेकान्तस्वरूपं दर्शयति । तथा यद् वचनं द्रव्यं द्रव्यान्तरसम्बद्धमिति प्रतिपादयति तदप्याप्तवचनरूपम् । अत्र द्रव्यान्तरं त्रिप्रकारेण विवेच्यते । १-कारणद्रव्यमपेक्ष्य कार्यद्रव्यं द्रव्यान्तरं भिन्नकालवर्त्तित्वाद्, यथा परमाणुमपेक्ष्य व्यणुकादिः, इयं च व्याख्या वैशेषिकमतानुसारिणी, तथापि जैनशासनमान्या एव । २-यद्वा द्रव्यं द्रव्यत्वेन समाने सति पर्यायत्वेन भिन्नं तदपि द्रव्यान्तरं यथा स्वर्णहारात् स्वर्णमेखला । ३-यद्वा द्रव्यं पर्यायत्वेन समाने सति द्रव्यत्वेन भिन्नं तदपि द्रव्यान्तरं यथा मृद्धटात् सुवर्णघट: ।।३।। वर्तमानपर्यायस्यातीतानागतपर्यायैर्न सर्वथैकत्वमिति दर्शयन्नाह - दव्वं जहा परिणयं तहेव अस्थि त्ति तम्मि समयम्मि । विगय-भविस्सेहि उ पज्जएहिं भयणा विभयणा वा ।।४।। यस्मिन् समये द्रव्यं यथा परिणतं चेतनद्रव्यं षट्कायरूपतयाऽचेतनद्रव्यं च घटादिरूपतया परिणतं तस्मिन् समये द्रव्यं तथैव तेनैव रूपेणास्तीति । विगत-भविष्यद्भिः पर्यायैस्तु वर्त्तमानपर्यायस्य कथंचित् भजनाऽभेदत्वम्, कथंचिद् विभजना भेदत्वम्, वाशब्दस्य कथंचिदर्थत्वात् । 2010_02 Page #208 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-३-४ १६३ अयं भावार्थः - वर्तमानपर्यायाणां भूत-भविष्यत्पर्यायैरेकान्ताभेदे सति तयोर्वर्त्तमानकालापत्तेस्त्रिकालता न संभवेत् । ततो वर्तमानसमये तेनैव रूपेण सत्यपि भूतभाविपर्यायेभ्यो द्रव्यं कथंचिद्भिन्नं कथंचिञ्चाभिन्नम् । एवं च भिन्नाऽभिन्नस्य द्रव्यस्य प्ररूपकं वचनं प्रतीत्यवचनमेव न त्वप्रतीत्यवचनम् ।।४।। અવ. જે વચન અનેકાંતરૂપ વસ્તુને જણાવનાર છે તે વચન આપ્તપુરુષનું છે, અને જે વચન એકાંતરૂપ વસ્તુને જણાવે છે તે વચન અનાખ પુરુષોનું હોય છે. તે જણાવતાં કહે છે - गाथा : पच्चुप्पन्नं भावं विगयभविस्सेहिं जं समण्णेइ । एयं पडुच्चवयणं दव्तरणिस्सियं जं च ।।३।। छाया : प्रत्युत्पन्नं भावं विगत-भविष्यद्भ्यां यत् समन्वेति । एतत्प्रतीत्यवचनं द्रव्यान्तरनिःसृतं यच्च ।।३।। अन्वयार्थ : जं = (वयन) पञ्चप्पन्नं भावं = वर्तमानपर्यायनो विगय भविस्सेहिं = (भूत अने भविष्यमा पर्यायो साथे समण्णेइ = समन्वय ४३ जे. जं = (अने) वयन दव्वंतरणिस्सियं = (भेड द्रव्य) अन्य द्रव्य साथे संबंधित (छे अj ४५u छ) एयं = ॥ (वयन) पडुचवयणं = प्रतीत्यवयन अर्थात् सर्वशयन. गाथा: दव्वं जहा परिणयं तहेव अत्थि त्ति तम्मि समयम्मि । विगयभविस्सेहि उ पज्जएहिं भयणा विभयणा वा ।।४।। द्रव्यं यथा परिणतं तथैव अस्ति इति तस्मिन् समये । विगत-भविष्यद्भिस्तु पर्यायैर्भजना विभजना वा ।।४।। अन्वयार्थ : दव्वं = द्रव्य जहा = हे ३५ परिणयं = पश्मि पाभ्युं खोय तम्मि समयम्मि = ते समयमा तहेव = ते २१३ ४ अत्थि त्ति = डोय छे. उ = १४ी, विगयभविस्सेहि = (भूत अने भविष्यमा पज्जएहिं = पर्यायानी साथे (द्रव्यनी) भयणा = इथंथित अमेह होय वा = अथवा विभयणा = अथित् मे होय. छाया: 2010_02 Page #209 -------------------------------------------------------------------------- ________________ १६४ સંમતિતપ્રજ્જર, ડુ-૩, ૪થા-રૂ-૪ ગાથાર્થ જે વચન દ્રવ્યના વર્તમાનપર્યાયનો ભૂતકાળના અને ભવિષ્યકાળના પર્યાય સાથે સમન્વય કરે છે, તે વચન પ્રતીત્યવચન અર્થાત્ સર્વજ્ઞવચન કહેવાય છે અને જે વચન એક દ્રવ્ય અન્ય દ્રવ્ય સાથે સંબંધિત છે એવું જણાવે છે તે વચનને પણ પ્રતીત્યવચન અર્થાત્ સર્વજ્ઞવચન કહેવાય છે. (૩) જે સમયે દ્રવ્ય જે રૂપે પરિણામ પામ્યું હોય તે સમયમાં તે દ્રવ્ય તે સ્વરૂપે જ હોય છે. જ્યારે ભૂતકાળ તથા ભવિષ્યકાળના પર્યાયોની સાથે તે દ્રવ્યનો કથંચિત્ અભેદ પણ હોય કે કથંચિત્ ભેદ પણ હોય છે. (૪) તાત્પર્યાર્થ જે વચન પ્રતીતિપૂર્વક અર્થાત્ વસ્તુના વાસ્તવિક બોધપૂર્વક બોલવામાં આવે છે, તે વચનને પ્રતીત્યવચન કહેવાય છે, તે જ વચનને આપ્તવચન કહેવાય છે. સર્વજ્ઞના વચન સિવાય અન્ય કોઈના પણ વચન આવા પ્રકારના સંભવી શકતા નથી. તેથી તે સર્વવચનો અનાપ્ત-વચનસ્વરૂપ છે. પૂર્વમાં જેમ સામાન્ય વિશેષ ઉભયાત્મક પદાર્થને જણાવનાર વચનને આપ્તપુરુષના વચનરૂપે સિદ્ધ કર્યું, તેમ ત્રણે કાળના પર્યાયો દ્રવ્યની અપેક્ષાએ પરસ્પર સંબંધિત છે આવું જણાવનાર વચનને પણ આ ગાથામાં આપ્તવચનરૂપે સાબિત કરે છે કડું ભાંગી કુંડલ બનાવેલું હોય અને તેમાંથી આગળ હાર બનવાનો હોય, ત્યારે દેખીતી રીતે વર્તમાન કુંડલનો આકાર એ ભૂતકાલીન કડાના આકાર અને ભવિષ્યના હારના આકાર કરતાં જુદો તો છે જ; છતાંયે એકરૂપ પણ છે. કારણ કે એ ત્રણેનું મૂળભૂત સુવર્ણદ્રવ્ય જુદું નથી. ત્રણે આકારમાં એનું એ જ સુવર્ણ હોવાથી એ ત્રણે આકારોને એકબીજાથી તદ્દન ભિન્ન કેમ કહી શકાય ? એ જ ન્યાયે કોઈપણ એક દ્રવ્યના ભિન્ન ભિન્ન કાળે દેખાતા અનેક પર્યાયો પર્યાયરૂપે પરસ્પર ભિન્ન હોવા છતાં પર્યાયોનું પરિણમન એક જ દ્રવ્યમાં થયું હોવાથી પર્યાયો એકસ્વરૂપ જ છે એમ માનવું જોઈએ. આમ હોવાથી જ વર્તમાનપર્યાયનો ભૂતકાળના તથા ભવિષ્યકાળના પર્યાયો સાથે અને ભૂતકાળના તથા ભવિષ્યકાળના પર્યાયોનો વર્તમાનકાળના પર્યાય સાથે સમન્વય દર્શાવનાર વાક્યને અર્થાતુ અનુગત એવા એક દ્રવ્ય વડે કોઈપણ વસ્તુના ત્રણે કાળના પર્યાયો પરસ્પર સંબંધિત છે આવું જણાવનાર વચનને પ્રતીત્યવચન કહેવાય છે. ગાથાના ઉત્તરાર્ધમાં જણાવવામાં આવ્યું કે, દ્રવ્યાંતર સંબંધી એવા વચનને પણ પ્રતીત્યવચન કહેવાય છે. અહીં દ્રવ્યાંતર કોને કહેવાય તેની સ્પષ્ટતા કરતાં ટીકામાં જણાવવામાં આવ્યું કે, વૈશેષિક મતની માન્યતા મુજબ કારણરૂપદ્રવ્યની અપેક્ષાએ કાર્યરૂપદ્રવ્ય દ્રવ્યાંતર કહેવાય છે. જેમ પરમાણુદ્રવ્યની અપેક્ષાએ યમુક, ચણુક વગેરે દ્રવ્યાંતર કહેવાય છે. બીજી રીતે જણાવવામાં આવ્યું કે, બે દ્રવ્યો પરસ્પર સમાન હોવા છતાં પોતાના ધર્મની અપેક્ષાએ ભિન્ન હોય તો તે પણ પરસ્પર દ્રવ્યાંતર કહેવાય છે. જેમ, અંગુલી તરીકે સમાન હોવા છતાં દીર્ઘ અને હ્રસ્વ એવા પોતાના ધર્મની અપેક્ષાએ મધ્યમિકા અંગુલી અને અંગુષ્ઠ ભિન્ન હોવાથી દ્રવ્યાંતર કહેવાય છે. તે જ રીતે, સુવર્ણરૂપે એક સમાન હોવા છતાં કર્યું અને કુંડલ ભિન્ન હોવાથી પરસ્પર દ્રવ્યાંતર કહેવાય છે. 2010_02 Page #210 -------------------------------------------------------------------------- ________________ સંતિતર્જર, 3-૩, THથા-રૂ-૪ १६५ ત્રીજી રીતે જણાવવામાં આવ્યું કે, પર્યાયની અપેક્ષાએ સમાન હોવા છતાં ભિન્ન દ્રવ્ય હોવાથી પણ પરસ્પર દ્રવ્યાંતર કહેવાય છે. દા.ત. ઘટપર્યાયની અપેક્ષાએ સમાન હોવા છતાં માટીનો ઘટ, સુવર્ણનો ઘટ, લાકડાનો ઘટ પરસ્પર ભિન્ન છે. કારણ કે મૂળભૂતદ્રવ્ય ભિન્ન છે, માટે તે પરસ્પર દ્રવ્યાંતર કહેવાય છે. આવા પ્રકારનું દ્રવ્યાંતર બીજા દ્રવ્ય સાથે અમુક અપેક્ષાએ સમાન છે અને તેથી જ તેઓના પરસ્પર સંબંધને જણાવનાર વચનને પ્રતીત્ય વચન કહેવાય છે. ગાથા-૩ માં વર્તમાનકાળના પર્યાયોનો ભૂતકાળ તથા ભવિષ્યકાળના પર્યાયો સાથે અભેદ જણાવવામાં આવ્યો. તેનાથી પ્રશ્ન ઉઠે કે વર્તમાનકાળના પર્યાયોનો જો આ રીતે અભેદ માનવામાં આવશે તો ભૂતકાળના તથા ભવિષ્યકાળના પર્યાયો વર્તમાનકાળના પર્યાયરૂપ બની જશે તો પર્યાયોમાં ત્રિકાળતા ઘટી શકશે નહિ માટે વર્તમાનકાળના પર્યાયોનો ભૂતકાળ તથા ભવિષ્યકાળના પર્યાયો સાથે અભેદ જણાવનાર વચન પ્રતીત્યવચન કઈ રીતે કહી શકાય ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં ગાથા-૪માં જણાવ્યું કે, દ્રવ્ય જીવસ્વરૂપ હોય અથવા જડસ્વરૂપ હોય. જીવસ્વરૂપ હોય તો જે સમયે ચોક્કસ ગ્રહણ કરી શકાય તેવા મનુષ્ય-તિર્યંચ વગેરે આકારમાં પરિણામ પામેલું હોય અને જડ દ્રવ્ય જે સમયે ઘટ વગેરે સ્વરૂપે પરિણામ પામ્યું હોય તે સમયે તે દ્રવ્ય તેવા પ્રકારનું જ હોય છે પણ ભૂતકાળ કે ભવિષ્યકાળના પર્યાયની અપેક્ષાએ વિચારીએ તો તે દ્રવ્ય કથંચિત્ અભિન્ન હોય છે અને કથંચિત્ ભિન્ન પણ હોય છે. અર્થાત્ વર્તમાનકાળના પર્યાયો તથા ભૂતકાળ-ભવિષ્યકાળના પર્યાયોમાં મૂળભૂતદ્રવ્ય એક હોવાથી કથંચિત્ અભેદ છે અને જો કાળની અપેક્ષાએ વિચારીએ તો કથંચિત્ ભિન્નતા પણ ઘટશે. આ રીતે, અપેક્ષાવિશેષથી ભિન્નતા-અભિન્નતા દર્શાવનાર વચનને પણ અપ્રતીત્યવચન નહિ કહેવાય પણ પ્રતીત્યવચન જ કહેવાશે. આ પદાર્થ જણાવવા માટે શાસ્ત્રીય પરિભાષામાં બે શબ્દો વપરાય છે. (૧) ઊર્ધ્વતાસામાન્ય અને (૨) તિર્યસામાન્ય. દ્રવ્ય એકનું એક હોય અને તેમાં પર્યાયો બદલાતા રહે. આ રીતે દરેક પર્યાયોમાં મૂળભૂત દ્રવ્યથી અભેદની પ્રતીતિ વડે જે વ્યવહાર કરવામાં આવે તે ઊર્ધ્વતાસામાન્ય કહેવાય છે. દા.ત. હાર, બંગડી, કુંડલ વગેરે પર્યાયો બદલાતાં હોવા છતાં મૂળભૂત સુવર્ણ વડે જે બોધ થાય તે ઉર્ધ્વતાસામાન્ય કહેવાય છે. અને દ્રવ્ય ભિન્ન ભિન્ન હોવા છતાં દરેકમાં પર્યાયોની સમાનતા વડે જે સમન્વયાત્મક વ્યવહાર કરવામાં આવે તે તિર્યસામાન્ય કહેવાય છે. દા.ત. સુવર્ણનો ઘટ, માટીનો ઘટ, લાકડાનો ઘટ વગેરે. આ દરેકમાં મૂળભૂત દ્રવ્ય ભિન્ન ભિન્ન હોવા છતાં પર્યાયની અપેક્ષાએ સમાનતાનો જે વ્યવહાર કરાય તે તિર્યસામાન્ય કહેવાય છે. (૩-૪) 2010_02 Page #211 -------------------------------------------------------------------------- ________________ १६६ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-५ ननु घटादेः पदार्थस्य कैः पर्यायैरस्तित्वं नास्तित्वं वा ? इति कथयन्नाह - परपज्जवेहिं असरिसगमेहिं णियमेण णिञ्चमवि नत्थि । सरिसेहिं पि वंजणओ अत्थि ण पुणऽत्थपज्जाए ।।५।। घटादिद्रव्यं विसदृशगमैर्विलक्षणबुद्धिजनकज्ञानग्राद्यैः परपर्यायैः वर्तमानव्यतिरिक्तभूतभविष्यत्पर्यायैर्नियमेन नित्यमपि नास्ति । सदृशैरपि समानबुद्धिजनकज्ञानग्राद्यैः पर्यायैः व्यञ्जनतः कालत्रयानुगतैर्व्यञ्जनपर्यायैः सद्-द्रव्यत्व-पृथिवीत्वादिसामान्यधर्मात्मकैः शब्दप्रतिपाद्यविशेषधर्मात्मकैप्टास्ति, न पुनरर्थपर्यायेर्नैव ऋजुसूत्रनयानुमतार्थपर्यायैः । अथवा अन्यद्रव्यगतपर्यायाः परपर्यायाः, ते च सदृशासदृशतया द्विप्रकाराः । विसदृशैः परपर्यायः विवक्षितघटादिद्रव्यं नियमेन नित्यमपि नास्ति, तथा सदृशेष्वपि परपर्यायेषु सामान्यधर्मविशेषधर्मात्मकव्यञ्जनपर्यायैरस्ति, पुनरर्थपर्यायैर्नास्ति । इदं ज्ञेयम् - विवक्षितद्रव्यमाश्रित्य वर्तमानभिन्नभूत-भाविपर्यायाः परपर्यायाः । ते च सदृशासदृशतया द्विप्रकाराः । तत्रासदृशपर्यायैर्विवक्षितघटादिद्रव्यं नित्यं नास्ति, अन्यथा तयोरैक्यप्रसङ्गः । सदृशपर्यायेष्वपि त्रिकालानुगतैर्व्यञ्जनपर्यायैर्घटादिद्रव्यमस्ति, तेषां शब्दवाच्यत्वात् । तद्व्यञ्जनपर्याया अपि सामान्यधर्मात्मका विशेषधर्मात्मकाष्टा । तत्र सामान्यधर्माः सद्-द्रव्यपृथिवीत्वादिरूपास्तथा विशेषधर्मा घटत्वादिरूपाः शब्दप्रतिपाद्या ज्ञेयाः । किन्त्वर्थपर्यायैविवक्षितघटादिद्रव्यं नास्त्येव, परस्परव्यावृत्तवस्तुस्वलक्षणग्राहकर्जुसूत्रनयाभिमतार्थपर्यायाणां प्रतिक्षणभिन्नरूपाणां शब्दाऽवाच्यत्वात् । अस्य चार्थस्य पूर्वगाथायामुक्तप्रायत्वादेवंप्रकारेणार्थः करणीयः - विवक्षितद्रव्याद्भिन्नद्रव्याणां पर्यायाः परपर्याया उच्यते । तेषु ये विसदृशपर्यायास्तैर्विवक्षितघटादि द्रव्यं नित्यं नास्ति तथा ये सदृशपर्यायास्तेभ्यो ये व्यञ्जनपर्यायास्तैरस्ति ये चार्थपर्यायास्तैर्नास्तीति भावः इत्युक्तं तर्कपञ्चाननटीकायाम् ।।५।। 2010_02 Page #212 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-५ १६७ છયા : અવ. કયા પર્યાયોથી ઘટ વગેરે પદાર્થનું અસ્તિત્વ છે અને કયા પર્યાયોથી ઘટ વગેરે પદાર્થનું નાસ્તિત્વ છે તેનું વર્ણન કરતાં જણાવે છે – કથા : परपज्जवेहिं असरिसगमेहिं णियमेण णिच्चमवि नत्थि । सरिसेहिं पि वंजणओ अस्थि ण पुणऽत्थपज्जाए ।।५।। परपर्यायैरसदृशगमैनियमेन नित्यमपि नास्ति । सदृशैरपि व्यञ्जनतोऽस्ति न पुनरर्थपर्यायैः ।।५।। અન્યથાર્થ : રિસાર્દિ = (વસ્તુ) વિજાતીયજ્ઞાનથી ગ્રાહ્ય એવા પરપન્ન વેદિં = પરપર્યાયો વડે ઉખાય = નિચ્ચે ક્રિમવિ = હંમેશાં પણ ન0િ = નથી. સરિસેટિં પિ = સદશ એવા પર્યાયો વડે પણ વિંગUTગ = વ્યંજનપર્યાયથી ત્નિ = તે વસ્તુ છે, પુન = પણ ન સ્થપના = અર્થપર્યાયથી નથી. ગાથાર્થ : કોઈપણ વસ્તુ અસદુશ અર્થાત્ વિજાતીય જ્ઞાનથી ગ્રાહ્ય એવા પરપર્યાયો વડે નિયમથી હંમેશાં પણ નથી. તથા સદશ અર્થાત્ સજાતીય એવા પર્યાયોમાં પણ વ્યંજનપર્યાયથી તે વસ્તુ છે, પણ અર્થપર્યાયથી નથી જ. (૫) તાત્પર્યાર્થ: કોઈપણ વસ્તુ વ્યવહારનો વિષય બને છે, તે તેના પ્રતિનિયત સ્વરૂપને લીધે જ. પ્રતિનિયત સ્વરૂપ એટલે ચોક્કસ સ્વરૂપ અર્થાત્ વસ્તુ અમુક સ્વરૂપે છે અને અમુક સ્વરૂપે નથી. કોઈપણ વસ્તુ પરપર્યાયરૂપે અવશ્ય નથી અને સ્વપર્યાયરૂપે છે. જે પર્યાયો વિજાતીય હોય અર્થાત્ વિલક્ષણબુદ્ધિ ઉત્પન્ન કરનાર હોય, તે પરપર્યાય જ છે; અને જે સજાતીય અર્થાત્ સદશબુદ્ધિ ઉત્પન્ન કરનાર હોય તે સ્વપર્યાયરૂપે છે, તેમાં વ્યંજનપર્યાય અને અર્થપર્યાય એ બેનો સમાવેશ થાય છે. પદાર્થમાં સમાનતાની બુદ્ધિને ઉત્પન્ન કરનારા, લાંબા કાળ સુધી રહેનારા અને શબ્દોથી બોલી શકાય તેવા પર્યાયને વ્યંજનપર્યાય કહેવાય છે અને પદાર્થમાં શબ્દોથી ન કહી શકાય તેવો એક સમય માત્ર વર્તતો એવો જે પર્યાય તે અર્થપર્યાય કહેવાય છે. તેમાંથી વ્યંજનપર્યાયરૂપે વસ્તુ છે અને અર્થપર્યાયરૂપે વસ્તુ નથી. આ વ્યવસ્થા એક દાખલા દ્વારા સ્પષ્ટ કરીએ. કુંડલ નામની વસ્તુ એ પૂર્વવર્તી કડા અને ઉત્તરવર્તી હારસ્વરૂપ પરપર્યાયરૂપે નથી, તેમ જ ઘટ પટ આદિ સમકાલીન પરપર્યાયરૂપે પણ નથી જ; અર્થાત્ તે બધા વિજાતીય પર્યાયોથી કંડલનો આકાર ભિન્ન જ છે. 2010_02 Page #213 -------------------------------------------------------------------------- ________________ १६८ સંતિતપ્રકર, કાકુ-૩, Tથા-૧ કુંડલઆકારમાં પરિણત સુવર્ણ સતુ, દ્રવ્ય, સોનું, કુંડલ આદિ અનેક શબ્દોથી વ્યવહાર કરાય છે. આ શબ્દોની રજૂઆતની મર્યાદામાં જે જે અર્થ સમાય છે તે વ્યંજનપર્યાય છે. એટલે વ્યંજનપર્યાયમાં તે તે શબ્દના પ્રતિપાદ્ય બધા અર્થો આવી જતા હોવાથી, તે સશપર્યાય છે. તેથી કુંડલ વ્યંજનપર્યાયરૂપે છે એનો અર્થ એ થયો કે કુંડલ કહેવાતાં અને કુંડલરૂપે પ્રતીત થતાં બધાં જ કુંડલો કુંડલ નામે એકરૂપ હોવાથી ભિન્ન નથી, અને એક કુંડલ વસ્તુ પણ જ્યાં સુધી તે રૂપે રહેશે ત્યાં સુધી કુંડલ નામે એક જ છે. કુંડલ એવા એક શબ્દથી પ્રતિપાદિત થવાને લીધે અને “આ કુંડલી છે એવી એક પ્રકારની બુદ્ધિના વિષય થવાને કારણે બધાં કુંડલો અથવા તો ઉત્પત્તિથી નાશ સુધીના કાળનું એક જ કુંડલ એકરૂપ છે. આ રીતે સમાન પર્યાયો વડે વ્યંજનપર્યાયથી વસ્તુ અસ્તિરૂપે છે અર્થાત્ એકરૂપે હોય છે, ભિન્ન નહિ, જ્યારે વ્યંજનપર્યાયની મર્યાદા છોડીને અર્થપર્યાયની અપેક્ષાએ અર્થાત્ પ્રતિક્ષણ વર્તતા પર્યાયની અપેક્ષાએ વસ્તુનું સ્વરૂપ વિચારીએ તો તે વસ્તુ નાસ્તિરૂપે હોય છે અર્થાત્ ભિન્ન હોય છે. કારણ કે દરેક વસ્તુ પ્રતિક્ષણ બદલાય છે. તેથી વર્તમાન સમયવર્તી એક જ કુંડલ પણ પોતાના પૂર્વ અને ઉત્તરવર્તી સમયના પર્યાયથી ભિન્ન છે. આ રીતે પ્રતિ સમય વસ્તુ પરિણામ પામતી હોવાથી પૂર્વ અને ઉત્તરવર્તી સમયના પરિણામરૂપ અર્થ પર્યાય કરતા વર્તમાન સમયગત અર્થપર્યાય ભિન્ન જ છે. તે જ કારણથી એક શબ્દથી વાચ્ય એવા એક કુંડલનો પણ વર્તમાન પર્યાય, તેના પૂર્વ અને ઉત્તરવર્તી પર્યાય કરતાં સામાન્યથી જુદા ન દેખાવા છતાં તેના વચ્ચે ભેદ છે. તેમ જ એક સમયવર્તી બે કુંડલ વચ્ચે પણ ભેદ છે. આ રીતે વસ્તુ સમાન અર્થપર્યાય વડે નાસ્તિરૂપે હોય છે. અર્થાત્ ભિન્ન હોય છે. તેથી એક શબ્દ પ્રતિપાદ્યત્વની દૃષ્ટિએ કુંડલ કુંડલ વચ્ચે અને એક જ કુંડલ આકારનાં પૂર્વ ઉત્તર તેમ જ વર્તમાન પરિણામો વચ્ચે ભેદ ન જણાવા છતાં અર્થગત તાત્ત્વિક દૃષ્ટિએ એ બધામાં ભેદ જણાય જ છે અને એ જ સદશ અર્થપર્યાયરૂપે નાસ્તિત્વ છે. આ રીતે વિવક્ષિત એવું કોઈપણ એક દ્રવ્ય વિજાતીય એવા પરપર્યાયોથી સદાકાળ માટે નાસિરૂપે છે. પણ સજાતીય એવા પરપર્યાયોમાં, વ્યંજનપર્યાયની અપેક્ષાએ અસ્તિરૂપે છે અને અર્થપર્યાયોની અપેક્ષાએ નાસ્તિરૂપે છે. ભૂતકાળના અને ભવિષ્યકાળના પરપર્યાયોની અપેક્ષાએ વિચારણા પૂર્વની ગાથાઓમાં થયેલી હોવાથી અહીં આ મુજબ અર્થ કરવો – અન્ય દ્રવ્યમાં રહેલા પર્યાયો બે પ્રકારના છે - સદેશ અને વિસદશ. તે પૈકી વિસદશ પર્યાયો વડે વિવક્ષિત ઘટ વગેરે દ્રવ્ય નાસિરૂપે છે. તથા કેટલાક સદશ પર્યાયો વડે અસ્તિરૂપે છે અને કેટલાક સદશ પર્યાયો વડે નાસ્તિરૂપે છે. આ પ્રમાણે તર્કપંચાનનશ્રીજીની ટીકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. (૫) 2010_02 Page #214 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-६ वर्तमानपर्यायरूपस्वपर्यायेण पदार्थस्यास्तित्वनियमे एकान्तवादापत्तिं निरसन्नाह पझुप्पणम्मि विपज्जयम्मि भयणागई पडइ दव्वं । जं एगगुणाईया अणंतकप्पा गुणविसेसा ।।६।। प्रत्युत्पन्नेऽपि पर्याये वर्तमानपर्यायेऽपि घटादिद्रव्यं भजनागतिमस्ति - नास्त्युभयरूपां विकल्पपद्धतिं पतति आसादयति, यद् यत एकगुणादिका एकगुणकृष्णत्व-द्विगुणकृष्णत्वादयोऽनन्तकल्पा अनन्ताः प्रकाराः सन्ति येषां तेऽनन्तप्रकारा गुणविशेषा गुणस्वरूपाः सन्ति, तेषां च गुणविशेषाणां मध्ये केनचिद्गुणविशेषेण युक्तं तद् द्रव्यं भवति । इदं विचार्यम् - वर्त्तमानपर्यायेऽपि विवक्षितद्रव्यं स्वरूपेणास्ति पररूपेण च नास्ति तथा यदाऽधोरूपेणास्ति तदा मध्योर्ध्वादिरूपेण नास्ति । एवंप्रकारेण किञ्चिदपि द्रव्यं वर्त्तमानसमयेऽप्यस्ति-नास्त्युभयात्मकमनेकान्तरूपं भवति । १६९ तथाहि - यथा पूर्वोत्तरकालीनकुण्डलपरिणामरूपार्थपर्यायाभ्यां वर्त्तमानकालीनकुण्डलपरिणामरूपार्थपर्यायं भिन्नं, समयभेदे परिणामभेदात्, तथा समकालीनौऽपि द्वौ सुवर्णकुण्डलपर्यायौ भिन्नौ, गुणविशेषानामनन्तत्वात् । एकद्रव्ये यद्गुणोऽस्ति सोऽपि द्रव्यान्तरमपेक्ष्य हीनं वाधिकं भवेत्, हीनाधिकत्वं च संख्येयादिभागगुणवृद्धि - हानिभ्यां षट्स्थानरूपम् । ततो गुणविशेषद्वारेण वर्त्तमानपर्याययुक्तं द्रव्यमस्तिनास्त्युभयरूपं भवति । किञ्च यथा पुद्गलद्रव्यस्य तादृग्भूतापरपुद्गलद्रव्यापेक्षया अनेकान्तरूपता युक्ता तथैव द्रव्य-कषाय-योगोपयोग-ज्ञान-दर्शन- चारित्र-वीर्यप्रभेदात्मकस्यात्मपर्यायस्यापि तत्तद्ग्राह्यार्थापेक्षयाऽनेकान्तरूपता घटते । तथा च ज्ञानादिप्रभेदात्मकत्वादात्मनः पुद्गलवदनेकान्तरूपता । भगवतीसूत्रादौ प्रतिपादितैव ।। ६ ।। અવ. વર્તમાનકાળમાં દ્રવ્યમાં વર્તમાનપર્યાયનું જ એકાંતથી અસ્તિત્વ માનતાં આવતી એકાંતવાદની આપત્તિનું નિરાકરણ કરતાં જણાવે છે गाथा : 2010_02 पच्चुप्पण्णम्मि वि पज्जयम्मि भयणागइं पडइ दव्वं । कप्पा गुणविसेसा ॥ ६॥ गगुणाईया Page #215 -------------------------------------------------------------------------- ________________ १७० છાયા : प्रत्युत्पन्नेऽपि पर्याये भजनागतिं पतति द्रव्यम् । यद् एकगुणादिका अनन्तकल्पा गुणविशेषाः । । ६।। अन्वयार्थ : पच्चुप्पण्णम्मि संमतितर्कप्रकरणे, काण्ड - ३, = વર્તમાન પદ્મમિ વિ પર્યાયમાં પણ दव्वं = દ્રવ્ય મયા ડું = ભજનાગતિને અર્થાત્ વિકલ્પને પડફ = પામે છે. નં = કારણ કે મુળાવા = એકગુણ વગેરે અનંતપ્પા = અનંત પ્રકા૨ના મુળવિસેસા = ગુણના વિશેષો છે. . 2010_02 गाथा-६ = ગાથાર્થ : વર્તમાન પર્યાયમાં પણ દ્રવ્ય ભજનાગતિ એટલે વિકલ્પને સ્પર્શે છે. કારણ કે, એકગુણ વગેરે અનંત પ્રકારના ગુણના વિશેષો હોય છે. (૬) તાત્પર્યાર્થ : દ્રવ્યના વર્તમાનપરિણામમાં પણ સ્વરૂપથી અસ્તિત્વના અને પરરૂપથી નાસ્તિત્વના વિકલ્પો સંભવે છે, તથા અધોભાગ-મધ્યભાગ-ઉર્ધ્વભાગથી પણ ભેદ અને અભેદના વિકલ્પો સંભવતા હોવાથી વર્તમાનપરિણામમાં નિયમ બતાવવા છતાં એકાંતવાદની પ્રાપ્તિનો અવકાશ નથી. સમયભેદે પરિણામભેદ હોવાથી પૂર્વકાલીન અને ઉત્તરકાલીન કુંડલપરિણામરૂપ અર્થપર્યાય કરતાં વર્તમાન કુંડલપરિણામરૂપ અર્થપર્યાય ભિન્ન છે એટલું જ નહિ, પરંતુ એક સમયવર્તી બે કુંડલ વસ્તુમાં અમુક વિક્ષિત કુંડલપરિણામરૂપ અર્થપર્યાય એ બીજા કુંડલપરિણામરૂપ અર્થપર્યાયથી ભિન્ન જ છે. કારણ કે એ બંને કુંડલ વ્યક્તિઓ સુવર્ણરૂપ સમાન દ્રવ્ય, કુંડલરૂપ સમાન આકાર તેમજ પીતવર્ણ મૃદુસ્પર્શ આદિ સમાન ગુણધર્મોને લીધે તુલ્ય હોવા છતાં તત્ત્વત: ભિન્ન જ છે. કારણ કે બન્નેનું દ્રવ્ય જુદું હોવાથી આકાર પણ ભિન્ન જ છે અને પીળાશ કે મૃદુતા તુલ્ય જણાવા છતાં વસ્તુતઃ એમાં અંતર અવશ્ય હોય છે. એક જેવો જણાતો પીતવર્ણ કે મૃદુસ્પર્શ અનેક વસ્તુઓમાં તરતમતાભાવે રહેલો હોય છે. એકની પીળાશ કરતાં બીજાની પીળાશ અને બીજા કરતાં ત્રીજાની પીળાશમાં સંખ્યાત-અસંખ્યાતઅનંતગુણ કે સંખ્યાત-અસંખ્યાત-અનંતભાગ પ્રમાણ હીનતા-અધિકતા હોય છે. જે રીતે, ૫૨પુદ્ગલની અપેક્ષાપૂર્વક પુદ્ગલદ્રવ્યમાં અનેકાંતવાદની સ્થાપના થઈ શકે છે, તે જ રીતે દ્રવ્ય, કષાય, યોગ, ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય વગેરે સ્વરૂપ હોવાથી આત્મદ્રવ્યમાં પણ અનેકાંતવાદની સ્થાપના થઈ શકે છે. શ્રી ભગવતી સૂત્રનો પાઠ આપી આ વાત ટીકામાં વિશેષ રીતે સ્પષ્ટ કરવામાં આવી છે. (૬) Page #216 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड - ३, गाथा- ७ प्रकारान्तरेणाप्यात्मनोऽनेकान्तरूपतां दर्शयन्नाह - कोवं उप्पायंतो पुरिसो जीवस्स कारओ होइ । ततो विभवो परम्मि सयमेव भइयव्वो ।।७।। कोपमुपनयन् क्रोधं कुर्वन् पुरुषो मनुष्यो जीवस्य स्वात्मनः परभवसर्जने कारकः कर्ता भवति । अतः क्रोधकर्ता पुरुषस्ततः परभवजीवाद् विभजनीयो भिन्नो व्यवस्थापनीयः, कार्य-कारणयोः कथंचिद्भेदात् । न चासौ ततो भिन्न एव यतः परस्मिन् भवे स्वयमेव पुरुषो भजनीय आत्मरूपतया अभेदेन व्यवस्थाप्य इति भावः । यद्वा अन्यजीवे क्रोधमुत्पादयन् पुरुषोऽन्यजीवस्य कोपस्य कारको भवति । ततोऽसौ कोपकारकत्वेन विभजनीयः, कोपपरिणतियोग्ये जीवे कारकः, अन्यत्राकारक इति । अयं वाच्यार्थ :- मृत्पिण्डाद् घटो भवति, ततो मृत्पिण्डः कारणं घटष्टा कार्यः । कार्यकारणयोः कथंचिद्भेदाद् यथा मृत्पिण्डाद् घटो भिन्नः तथैव क्रोधं कुर्वन् पूर्वभवजीव आत्मनः परभवकर्ता भवति, ततो पूर्वभवजीवः कारणं परभवजीवष्टा कार्यः । ततो द्वावपि भिन्नौ, अन्यथा कार्य-कारणभावाभावप्रसङ्गः । न चासौ ततो भिन्न एव किन्त्वभिन्नरूपोऽपि, यतो घटाद्याकारपरिणतमृद्द्रव्यवद् य आत्मा पूर्वभवेऽस्ति सैव आत्मा परभवेऽस्ति । अतो भिन्नाभिन्नरूप आत्माऽनेकान्तरूपः । अथवा अन्यजीवे क्रोधमुत्पादयन् पुरुषोऽन्यजीवानां कोपस्य कर्त्ता भवति । अन्यजीवाष्टा द्विविधा: - क्रोधपरिणतियोग्याः क्रोधपरिणत्ययोग्याष्टा । क्रोधपरिणतियोग्यानाश्रित्य कोपकारकत्वेनायं पुरुषः कारकः, अन्यत्राकारक इति विभजनीयः ।।७।। १७१ અવ. જેમ વસ્તુના ત્રૈકાલિક પર્યાયોમાં પરસ્પર ભેદાભેદ છે તેમ એક જ પુરુષમાં પણ ભેદાભેદની વ્યવસ્થા જણાવે છે - गाथा : छाया : 2010_02 कोवं उप्पायंतो पुरिसो जीवस्स कारओ होइ । तत्तो विभयव्वो परम्मि सयमेव भइयव्वो ।।७।। कोपम् उत्पादयन् पुरुषो जीवस्य कारको भवति । ततो विभजनीयः परस्मिन् स्वयमेव भजनीयः ।।७।। Page #217 -------------------------------------------------------------------------- ________________ १७२ સંમતિતપ્રકર, વુિં-રૂ, મથા-૭ અન્નવાર્થ : સોવં = ક્રોધને ૩Mાચંતો = ઉત્પન્ન કરતો પુરસી = પુરુષ નીવર્સ = જીવના વારો = (પરભવનો) કર્તા દોડ઼ = થાય છે. (તેથી) તો = તેનાથી અર્થાત્ પરભવના જીવથી (ક્રોધ કરતો જીવ) વિમડ્યિો = ભિન્ન કહેવા યોગ્ય છે અને પરબ્ધિ = પરભવમાં સંયમેવ = સ્વયં જ હોવાથી મિત્રો = અભેદપણાથી કહેવા યોગ્ય છે. ગાથાર્થ ક્રોધ ઉત્પન્ન કરતો પુરુષ પોતાના પરભવનો કર્યા છે, તેથી તે પરલોકના જીવથી ક્રોધ કરતો જીવ ભિન્નપણાથી કહેવા યોગ્ય છે અને અન્યભવમાં જીવ સ્વયં વિદ્યમાન હોવાથી અભેદપણાથી (પણ) કહેવા યોગ્ય છે. અથવા અન્ય જીવમાં ક્રોધ ઉત્પન્ન કરાવનાર પુરુષ તે જીવના ક્રોધનો કર્તા છે, આથી તે ક્રોધ કરાવનારપણાથી ભજના કરવા યોગ્ય છે. કષાયાધીન જીવને આશ્રયી કર્તા છે, જ્યારે કષાયવિજેતા જીવ માટે અકર્તા છે. (૭) તાત્પર્યાર્થ : નિશ્ચયનયથી વિચારવામાં આવે તો સંસારી જીવ ક્રોધ વગેરે ભાવો વડે પોતાની ભાવિદશાનું પોતે જ સર્જન કરે છે. તે ભાવી સર્જન કરાતી દશારૂપ કાર્ય કરતાં કારણરૂપ વર્તમાનની સર્જક અવસ્થા ભિન્ન છે એમ માનવું જોઈએ. કારણ કે કાર્યકારણભાવ ભેદગર્ભિત જ હોય છે, તેમ છતાં વર્તમાનની સર્જક અવસ્થાવાળો આત્મા જ ભાવી સર્જન કરાતી અવસ્થામાં વર્તમાન હોય છે, બીજો કોઈ નહિ; તેથી અવસ્થાભેદે ભેદ હોવા છતાં બન્ને દશામાં મૂળ તત્ત્વ એક જ હોવાથી કર્તા એ કાર્યથી અભિન્ન પણ છે. જેમ, માટી પિડરૂપે ઘટરૂપ કાર્યનું કારણ હોવાથી તે બન્ને ભિન્ન છે, છતાં પિંડ અને ઘટ બન્ને દશામાં એક જ માટી અનુગત હોવાથી માટીરૂપે ઘટ અને પિંડ અભિન્ન પણ છે. તે જ રીતે જ્યારે કોઈ આત્મા પ્રસન્નતા-ક્રોધ આદિ શુભ-અશુભરૂપે પરિણમે છે, ત્યારે તે પરિણામાનુસાર પોતાની ભાવી સ્થિતિ ઘડે છે. આ રીતે તે પોતાની ભાવી સ્થિતિનો કર્તા હોવાથી, ભાવી અવસ્થાથી ભિન્ન હોવા છતાં વાસ્તવિક રીતે બન્ને અવસ્થામાં અનુગત આત્મા પોતે જ હોવાથી અભિન્ન પણ છે. વ્યવહારનયથી વિચારવામાં આવે તો કોઈપણ પુરુષને ક્રોધ ઉત્પન્ન કરાવવામાં અન્ય પુરુષ કારણભૂત છે. અહીં ક્રોધ ઉત્પન્ન કરાવનાર પુરુષ કષાયાધીન પુરુષને ક્રોધ ઉત્પન્ન કરાવી શકે છે. પણ કષાયવિજેતા પુરુષને ક્રોધ ઉત્પન્ન કરાવી શકતો નથી માટે અન્યને ક્રોધ કરાવવાપણાથી ભજન કરવા યોગ્ય છે. (૭) 2010_02 Page #218 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-८ १७३ अथ द्रव्यगुणानां भेदाऽभेदानेकान्तमजानतां मतं प्रदर्शयन्नाह - रूव-रस-गंध-फासा असमाणग्गहण-लक्खणा जम्हा । तम्हा दव्वाणुगया गुण त्ति ते केइ इच्छंति ।।८।। यस्माद् येन कारणेन रूप-रस-गन्ध-स्पर्शा असमानग्रहण-लक्षणा द्रव्येभ्यो भिन्नप्रमाणलक्षणैाह्याः, तस्मात् ते गुणा द्रव्यानुगता द्रव्याश्रिता द्रव्याद्भिन्ना इति भावः, इति केचन वैशेषिकाद्याः स्वयूथ्या वा सिद्धान्तानभिज्ञा इच्छन्ति अभ्युपगच्छन्ति । अयं पूर्वपक्षः- यस्माद् द्रव्यग्राहकप्रमाणेभ्यो गुणग्राहकप्रमाणा भिन्नास्तथा द्रव्यलक्षणेभ्यो गुणलक्षणानि भिन्नानि तस्माद्गुणा द्रव्याद्भिन्ना एव न त्वभिन्नाः । अत्र द्रव्याणां चक्षु-स्पर्शद्वीन्द्रियग्राह्यत्वाद् गुणानां च प्रतिनियतेन्द्रियग्राह्यत्वाद्भिन्नप्रमाणग्राह्यत्वं प्रत्यक्षसिद्धम् तथा विभिन्नलक्षणत्वमपि-“क्रियावद् गुणवत् समवायिकारणं द्रव्यम्” [वैशे. दर्श. १-१-१५] “द्रव्याश्रय्यगुणवान् संयोगविभागेष्वकारणमनपेक्षः” [वैशे. दर्श. १-१-१६] इति वचनात् सिद्धमित्यनेकान्त-सिद्धान्तानभिज्ञाः केचन स्वयूथ्याः परयूथ्या वा प्रतिपादयन्ति ।।८।। અવ. દ્રવ્ય અને ગુણ વચ્ચે એકાંતે ભેદ માનનારા પૂર્વપક્ષ જણાવતાં કહે છે – गाथा : रूव-रस-गंध-फासा असमाणग्गहण-लक्खणा जम्हा । तम्हा दव्वाणुगया गुण त्ति ते केइ इच्छंति ।।८।। छाया : रूप-रस-गन्ध-स्पर्शा असमानग्रहण-लक्षणा यस्मात् । तस्माद् द्रव्यानुगता गुणा इति ते केचन इच्छन्ति ।।८।। अन्वयार्थ : जम्हा = से आराथी रूव-रस-गंध-फासा = ३५-२स-गंध मने स्पर्श असमाणग्गहण-लक्खणा = मिन प्रभारी अने पक्षu. तम्हा = तेथी ते = ते गुण = गुणो दव्वाणुगया = द्रव्यना आश्रये २॥२॥ छ. त्ति = थे प्रमाणे केइ = 240 इच्छंति = भाने छ. ગાથાર્થઃ જે કારણે રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ દ્રવ્યથી ભિન્ન પ્રમાણથી ગ્રાહ્ય અને ભિન્ન લક્ષણવાળા દેખાય છે, તેથી તે ગુણો દ્રવ્યના આશ્રયે રહેનારા અર્થાત્ દ્રવ્યથી ભિન્ન છે એમ કેટલાક માને છે. (૮) _ 2010_02 Page #219 -------------------------------------------------------------------------- ________________ १७४ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-९-१५ તાત્પર્યાર્થ : વૈશેષિકાદિ અન્ય મતોને અનુસરનારા અને સિદ્ધાંતના પરમાર્થને નહિ જાણનારા એવા કેટલાક જૈનદર્શનને માનનારા વિદ્વાનો પણ માને છે કે, જે ભિન્ન ભિન્ન પ્રમાણથી ગ્રાહ્ય હોય અથવા જેનાં લક્ષણો ભિન્ન હોય તેના વચ્ચે ભેદ જ હોય છે, જેમ થાંભલા અને ઘડા વચ્ચે પ્રમાણભેદ અને લક્ષણભેદ હોવાથી બંનેમાં ભેદ છે, તે જ પ્રમાણે દ્રવ્યના ગ્રાહક પ્રમાણ કરતાં રૂપ વગેરે ગુણોનું ગ્રાહક પ્રમાણ ભિન્ન છે. કારણ કે ઘટ આદિ દ્રવ્ય નેત્ર અને સ્પર્શન એ બે ઇંદ્રિયથી ગ્રાહ્ય બને છે, જ્યારે રૂ૫, સ્પર્શ વગેરે ગુણો ફક્ત એકએક ઇંદ્રિયગ્રાહ્ય છે. એ જ રીતે બન્નેનાં લક્ષણો પણ જુદાં છે. દ્રવ્ય એ ગુણો અને ક્રિયાનું આશ્રય સ્થાન છે તથા કાર્યનું સમવાયિકારણ બને છે, જ્યારે ગુણો એ દ્રવ્યમાં રહેનારા છે, પણ ગુણોમાં કોઈ ગુણ કે ક્રિયા રહેતી નથી. આ રીતે દ્રવ્ય અને ગુણ બંનેના પ્રમાણ અને લક્ષણોમાં ભેદ હોવાથી દ્રવ્યને આશ્રયે રહેલા ગુણો એ તેનાથી ભિન્ન છે એમ જ માનવું યોગ્ય છે. (૮) एतन्मतं निराकर्तुं प्रथमं 'गुण'शब्दं स्पष्टयन्नाह - दूरे ता अण्णत्तं गुणसद्दे चेव ताव पारिच्छं । किं पज्जवाहिओ होज्ज पज्जवे चेव गुणसण्णा ।।९।। दूरे तावदन्यत्वं द्रव्य-गुणयोरेकान्तेन भिन्नत्वम्, असंभव एवेति वक्ष्यते । ततो 'गुण'शब्दे एव तावत्पारीक्ष्यं गुणशब्दस्य कोऽर्थः ? इति प्रथमं परीक्षणीयम् । किं पर्यायादधिकं गुणसंज्ञा प्रवर्तते किं वा पर्याय एव गुणसंज्ञा भवेत् ? इदं प्रमेयम् - द्रव्य-गुणयोरेकान्तेन भिन्नत्वमस्ति न वेति पष्टाद्विचारणीयम् । आदौ तु 'गुण'शब्दस्य कोऽर्थः ? तदेव विचार्यम् । किं ‘पर्याय'शब्दार्थादधिकार्थे 'गुण'शब्दः प्रवर्तते ? किं वा ‘पर्याय'शब्दस्यैवाऽर्थे 'गुण'शब्दो वर्त्तते ? पर्यायादधिके 'गुण'शब्दवृत्तेरभावान्न पर्यायादन्यो गुणः । पर्यायस्य च कथंचिद् द्रव्यात्मकत्वेन न द्रव्यगुणयोरेकान्तेन भिन्नत्वं संभावनीयम् ।।९।। यदि गुणः पर्यायादन्यः स्यात्तर्हि तृतीयो गुणार्थिकनयोऽपि वचनीयः स्यादिति दर्शयन्नाह दो उण णया भगवया दव्वट्ठिय-पज्जवट्ठिया नियया । एत्तो य गुणविसेसे गुणट्ठियणओ वि जुज्जंतो ।।१०।। 2010_02 Page #220 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-९-१५ पुनर्भगवता द्रव्यार्थिक-पर्यायार्थिको द्वावेव नयौ मूलनयौ नियतौ नियमितौ । एतस्माच्च पर्यायादधिके गुणविशेषे ग्राह्ये सति गुणास्तिकनयोऽपि तद्ग्राहकगुणार्थियो युज्यमानको घटेत् । इदं भाव्यम्-शास्त्रेषु परमात्मना द्रव्यार्थिक- पर्यायार्थिको द्वावेव मूलनयौ निष्टिताविति ज्ञायते, द्रव्यपर्यायरूपग्राह्यद्वित्वात् । यदि गुणविशेषरूपं तृतीयं ग्राह्यं स्यात्तर्हि तद्ग्राहक - भगवता कथितः स्यात् । किञ्च यदि गुणरूपो ग्राह्यो भवेत्तद्ग्राहकनयस्य चाभावः स्यात्तर्हि नयानामव्यापकत्वं भवेदर्हतो वा तदपरिज्ञानं प्रसज्येत । तेन पर्यायाद्भिन्नो गुणो न संभवेत् ।। १० ।। किन " भगवता तृतीयगुणार्थिकनयो नोक्त इति दर्शयन्नाह जं च पुण अरिहया तेसु तेसु सुत्तेसु गोयमाईणं । पज्जवसण्णा णियया वागरिया तेण पज्जाया । । ११ ।। यच्च यस्माच्च पुनरर्हता भगवता तेषु तेषु सूत्रेषु “वण्णपज्जेहिं, गंधपज्जेहिं...' भगवत्यादिसूत्रकथनैर्वर्ण- गन्धादिषु पर्यायसंज्ञा नियता नियमिताः, गौतमादिभ्यो गणधरेभ्यो व्याकृताः कथितास्तेन तस्माद् वर्णादयः पर्याया एव न गुणा इत्यभिप्रायः । १७५ ܕܕ अयं तात्पर्यः - गुणरूपेण प्रसिद्धानामपि वर्ण- गन्धादीनां पर्यायसंज्ञा भगवता भगवतीसूत्राद्यागमग्रन्थेषु निष्टिता गौतमादिभ्यष्टा गणधरेभ्यः कथिताः । तस्माद्वर्णस्पर्शादयो पर्याया एव न गुणा इति तात्पर्यः ।।११।। -रस-गन्ध अथ तत्र पर्यायशब्देन गुण एवोक्तः किं न स्यादित्यादिशङ्कायामाह - परिगमणं पज्जाओ अणेगकरणं गुण त्ति तुलत्था I तह वि ण 'गुण'त्ति भण्णइ पज्जवणयदेसणा जम्हा ।।१२।। 2010_02 परि समन्तात् सहभाविभिः क्रमभाविभिष्टा भेदैः परिणतस्य वस्तुनो गमनं बोधः, 'ये गत्यर्थास्ते ज्ञानार्था' इति वचनाद् स पर्यायो विषयविषयिणोरभेदात्, अनेकरूपतया वस्तुनः करणं ‘करोतेर्ज्ञानार्थत्वाद्' ज्ञानं विषयविषयिणोरभेदादेव गुणः, इति व्युत्पत्तिनिमित्तमपेक्ष्य Page #221 -------------------------------------------------------------------------- ________________ १७६ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-९-१५ गुणपर्यायशब्दौ तुल्यार्थो । तथापि तुल्यार्थत्वेऽपि पर्याया गुणा इति न भण्यन्ते, यस्मात् पर्यायनयदेशना पर्यायनयद्वारेणैव भगवता देशना कृता, न तु गुणार्थिकनयद्वारेण । इदं नेयम् - व्युत्पत्तिनिमित्तमाश्रित्य गुण-पर्यायशब्दौ समानार्थौ । तथापि गुणशब्दः पर्यायविशेषवाचको न तु पर्यायसामान्यवाचकः । न च गुणशब्देन पर्यायसामान्यमेव ग्राह्यम्, यतो भगवता पर्यायनयद्वारैव देशना कृता, न तु गुणार्थिकनयद्वारा । अतो व्युत्पत्तिनिमित्तसमानत्वेऽपि गुणपर्यायशब्दयोः सामान्यविशेषभावापन्नप्रवृत्तिनिमित्तभेदान्न पर्यायत्वमिति भावः ।।१२।। भगवतो देशनायामर्थाद् गुणार्थिकनयोऽपि दृश्यते, ततो कथं गुणाभाव इति शङ्कां निरूपयन्नाह - जंपन्ति अत्थि समये एगगुणो दसगुणो अणंतगुणो । रूवाई परिणामो भण्णइ तम्हा गुणविसेसो ।।१३।। द्रव्य-गुणभिन्नत्ववादिनो जल्पन्ति प्ररूपयन्ति - समये सिद्धान्ते ‘एगगुणकालए दुगुणकालए' इत्यादिवचनाद् रूपादिमाश्रित्य एगगुणो दसगुणोऽनन्तगुण इत्यादि व्यपदेशः अस्ति उपलभ्यते, तस्माद् रूपादिः परिणामो गुणविशेष इति भण्यते । अतो गुणार्थिकनयोऽपि भगवतोपदिष्टः, ततः कथं गुणाभाव उच्यते ? इदं पूर्वपक्षकथनम् - अत्र पूर्वपक्षी आह - भगवता द्वाभ्यां नयाभ्यामेव देशना दत्तेति न, शास्त्रेषु गुणार्थिकनयं मनसिकृत्य ‘एगगुणकालए दुगुणकालए' इत्यादिनामपि वचनानां समुपलम्भात् । ततो भगवता गुणार्थिकनयोऽपि प्ररूपितस्तस्माद् रूपादिपरिणामो गुणविशेष एव, तर्हि कथं गुणाभाव उच्यते ? ।।१३ ।। अत्र सिद्धान्तवादी प्राह - गुणसद्दमंतरेणावि तं तु पज्जवविसेससंखाणं । सिज्झइ णवरं संखाणसत्थधम्मो 'तइगुणो'त्ति ।।१४।। तत्तु ‘एकगुणकालः' इत्यादिकं प्रागुक्तं वचनं गुणशब्दमन्तरेणापि रूपाद्यभिधायक 2010_02 Page #222 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-९-१५ १७७ गुणशब्दं विनापि पर्यायविशेषसंख्यानं पर्यायविशेषसंख्यावाचकं सिध्यति, न तु गुणास्तिकनयप्रतिपादकत्वेन । यतः तावद्गुण इति नवरं संख्यानशास्त्रधर्मो गुणशब्दस्यैतावताऽधिको न्यूनो वा भाव इति केवलं गणितशास्त्रधर्मवाचकः । अयं भावार्थः - गुणशब्दो व्यर्थको ज्ञायते, रूप-रसादिवाचकः पर्यायविशेषसंख्यावाचकप्टा । एकगुणकालः, द्विगुणकाल इत्यादिषु यो गुणशब्दः प्रयुक्तः सो न रूपादिवाचकत्वेन गुणास्तिकनयप्रतिपादकः किन्तु द्रव्यगतपर्यायविशेषसंख्यावाचकत्वेनैव सिद्ध्यति, यतस्तस्य गणितशास्त्रधर्मवचनत्वात् ।।१४।। अमुमेवार्थं दृष्टान्तद्वारेण दृढीकर्तुमाह - जह दससु दसगुणम्मि य एगम्मि दसत्तणं समं चेव । अहियम्मि वि गुणसद्दे तहेव एयं पि दट्ठव्वं ।।१५।। यथा दशसु द्रव्येसु, दशगुणे दशगुणिते एकस्मिन् च द्रव्ये गुणशब्देऽधिकेऽपि गुणशब्दातिरेकेऽपि दशत्वं सममेव तथैव एतदपि न भिद्यते परमाणुरेकगुणकृष्णादिरिति, एकादिशब्दाधिकगुणशब्देनापि तदधिकार्थाप्रतिपादनादिति द्रष्टव्यम् । तथा च तेनापि नातिरिक्तगुणसिद्धिर्भवति । इदं वाच्यम् - यथा दशसु द्रव्येषु, दशगुणिते वा एकद्रव्ये गुणशब्दातिरेकेऽपि दशत्वं समानमेव, यत एकत्र धर्मिगतदशत्वसंख्या ज्ञायत अन्यत्र च धर्मिणः परिमाणस्य तारतम्यं दर्शयितुं 'गुण'शब्देन सह 'दश'शब्दः प्रयुक्तः । तथैव एकगुणकालो द्विगुणकाल इत्यादिष्वपि गुणशब्दस्य भिन्नत्वेऽपि द्रव्यधर्मरूपात् पर्यायशब्दाद् न भिन्नोऽर्थस्तस्य । ततो जैनशास्त्रेषु द्रव्यगताः सर्वधर्माः पर्यायशब्देनोक्ताः । ते पर्याया एव गुणशब्दस्यापि प्रतिपाद्याः । तस्माद् गुणाः पर्याया एव, पर्यायाप्टा द्रव्यरूपा एव भवति । ततो गुणानां द्रव्यरूपत्वेन द्रव्यगुणयोर्न भिन्नत्वं किन्त्वभिन्नत्वमेवेति प्रस्तुतचर्चया सिद्धम् ।।१५।। 2010_02 Page #223 -------------------------------------------------------------------------- ________________ १७८ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-९-१५ छाया : गाथा: અવ. “વ્ય અને ગુણ પરસ્પર એકાંતે ભિન્ન છે” આ પ્રકારના પૂર્વપક્ષના ખંડન માટે જણાવે છે કે गाथा : दूरे ता अण्णत्तं गणसद्दे चेव ताव पारिच्छं । किं पज्जवाहिओ होज्ज पज्जवे चेव गुणसण्णा ।।९।। दूरे तावद् अन्यत्वं गुणशब्दे एव तावत् पारीक्ष्यम् । किं पर्यायादधिके भवेत् पर्याये एव गुणसंज्ञा ।।९।। अन्वयार्थ : अण्णत्तं = द्रव्य साने गुरानो मे दूरे ता = दू२ २४ी, गुणसद्दे चेव = शुशमा ४ ताव = प्रथम पारिच्छं = परीक्षा ४२॥ योग्य छ. किं = शुं गुणसण्णा = असंपज्जवाहिओ = पर्यायशथी अधिभा होज्ज = प्रवत्त छ ? पज्जवे चेव = 3 पर्यायशन अर्थमा होज्ज = प्रवत छ ? दो उण णया भगवया दव्वट्ठिय-पज्जवट्ठिया नियया । एत्तो य गुणविसेसे गुणट्ठियणओ वि जुज्जतो ।।१०।। द्वौ पुर्नयौ भगवता द्रव्यार्थिक-पर्यायार्थिको नियतौ । एतस्माच्च गुणविशेषे गुणास्तिकनयोऽपि युज्यमानकः ।।१०।। अन्वयार्थ : उण = qvil, भगवया = ५२मात्मा 43 दवठिय-पज्जवट्ठिया = द्रव्यास्तिनय अने पायास्तिनय में दो णया = थे. नय नियया = नकी राय छ. एत्तो य = अने सनाथी-पर्यायथी. अधिक गुणविसेसे = गुणविशेष प्रा डोते. छते. गुणट्ठियणओ वि = गुतिsनय ५९। जुज्जंतो = घ2वो (नी २वो) ओईओ. जं च पुण अरिहया तेसु तेसु सुत्तेसु गोयमाईणं । पज्जवसण्णा णियया वागरिया तेण पज्जाया ।।११।। यञ्च पुनरर्हता तेषु तेषु सूत्रेषु गौतमादिभ्यः । पर्यायसंज्ञा नियता व्याकृतास्तेन पर्याया ।।११।। छाया: गाथा: छाया: 2010_02 Page #224 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-९-१५ ९७९ गाथा: छाया: अन्वयार्थ : जं च = अने. ४ २५॥थी पुण = qणी अरिहया = अक्षित ५२मात्मा 43 तेसु तेसु सुत्तेसु = ते ते सूत्रोमा णियया = ३५ वगेरेमा नही रायली पज्जवसण्णा = पर्यायसं॥ गोयमाईणं = गौतमस्वामी ३ने वागरिया = ४५uus. तेण = तेथी, पज्जाया = (३५ वणे३) पायो ४ ७. परिगमणं पज्जाओ अणेगकरणं गुण त्ति तुल्लत्था । तह वि ण 'गुण' त्ति भण्णइ पज्जवणयदेसणा जम्हा ।।१२।। परिगमनं पर्यायोऽनेककरणं गुण इति तुल्यार्थी । तथापि न गुणा इति भण्यन्ते पर्यायनयदेशना यस्मात् ।।१२।। अन्वयार्थ : परिगमणं = समावि अने ममावि हो 43 परियात वस्तुनो लोध में पज्जाओ = पर्याय (अने) अणेगकरणं = अने ३५ ५3 वस्तुनु न ते गुण = गु.. त्ति = 20 प्रभाडो तुल्लत्था = (पर्याय मने गु॥२०६) समान अर्थवा, तह वि = तो ५५ 'गुण' त्ति = (पायो) 'गु' को प्रभाए ण भण्णइ = वाया नथी. जम्हा = ॥२९३ पज्जवणयदेसणा = पर्यायनय 43 देशना (अपायेदा छ.) जंपन्ति अत्थि समये एगगुणो दसगुणो अणंतगुणो । रूवाई परिणामो भण्णइ तम्हा गुणविसेसो ।।१३।। जल्पन्ति अस्ति समये एकगुणो दशगुणोऽअनन्तगुणः । रूपादिः परिणामो भण्यते तस्माद् गुणविशेषः ।।१३।। अन्वयार्थ : जंपन्ति = (द्रव्य अने पुराने भिन्न भानन।२५) ४४ छ , समये = सिridvi (३५ वगैरेने आश्रयीन) एगगुणो = ॥ दसगुणो = शगुए। अणंतगुणो = अनंत - 20 प्रमाणे अत्थि = ४५॥वायेर छ. तम्हा = तेथी, रूवाई परिणामो = ३५ वगैरे परि९॥म गुण-विसेसो = विशेष ४. गाथा: छाया : 2010_02 Page #225 -------------------------------------------------------------------------- ________________ .१८० संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-९-१५ छाया: गाथा: गाथा : गुणसद्दमंतरेणावि तं तु पज्जवविसेससंखाणं । सिज्झइ णवरं संखाणसत्थधम्मो 'तइगुणो' त्ति ।।१४।। गुणशब्दमन्तरेणापि तत्तु पर्यायविशेषसंख्यानाम् । सिध्यति नवरं संख्यानशास्त्रधर्मः ‘तावद्गुणः' इति ।।१४ ।। अन्वयार्थ : गुणसद्दमंतरेणावि = ३५ ३ने ४९॥वन॥२ गुए। विन॥ ५५॥ तं तु = मेरो वगेरे ते पूर्व ४९॥वेद क्यन पज्जवविसेससंखाणं = पायात विशेषोनी संध्याने ४९॥4॥२ सिज्झइ = सिद्ध थाय छे. ॥२५॥ ३ 'तइगुणो'त्ति = 0 240 गु' छे थे प्रमाणोनुं 3थन में णवरं = १९ संखाणसत्थधम्मो = गतिस्त्र प्रसिद्ध સંખ્યાધર્મ સૂચવે છે. जह दससु दसगुणम्मि य एगम्मि दसत्तणं समं चेव । अहियम्मि वि गुणसद्दे तहेव एवं पि दट्ठव्वं ।।१५।। यथा दशसु दशगुणिते च एकस्मिन् दशत्वं सममेव । अधिकेऽपि गुणशब्दे तथैव एतदपि द्रष्टव्यम् ।।१५।। अन्वयार्थ : जह = हे शत. दससु = श द्रव्योम य = अने दसगुणम्मि = शगुए। एगम्मि = में द्रव्यमा गुणसद्दे = गुश०६ अहियम्मि वि = अपि डोn छतi 41, दसत्तणं = ६१५j समं चेव = समान ४ छे तहेव = ते ४ शत एवं पि = ॥ ५४॥ दट्ठवं = one योग्य छे. ગાથાર્થ દ્રવ્ય અને ગુણોના ભેદની વાત દૂર રહો, પહેલાં ‘ગુણ શબ્દના વિષયમાં જ પરીક્ષા કરવા યોગ્ય છે કે, શું “ગુણ'શબ્દ પર્યાયથી અધિકમાં અર્થાત્ ભિન્ન અર્થમાં વપરાય છે, કે “પર્યાય શબ્દના અર્થમાં ४ १५२॥ छ ? (८) વળી, પરમાત્મા વડે દ્રવાસ્તિક અને પર્યાયાસ્તિક એ બે જ નય પ્રરૂપાયા છે. જો એનાથી અર્થાતુ પર્યાયથી અધિક ગુણવિશેષ ગ્રાહ્ય હોત, તો ગુણાસ્તિકનય પણ પરમાત્માએ નક્કી કર્યો डोत. (१०) छाया: _ 2010_02 Page #226 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-९-१५ १८१ વળી, જે કારણે અરિહંત પરમાત્માએ તે તે સૂત્રોમાં રૂપ વગેરેમાં નક્કી કરાયેલી પર્યાયસંજ્ઞા ગૌતમસ્વામી વગેરે ગણધરભગવંતોને જણાવી. તેથી રૂપ વગેરે પર્યાયો જ છે. અર્થાત્ પર્યાયો ગુણથી જુદા નથી. (૧૧) સહભાવી અને ક્રમભાવી ભેદો વડે બદલાતા એવા દ્રવ્યોનો બોધ તે પર્યાય અને અનેક રૂપ વડે દ્રવ્યનું જ્ઞાન તે ગુણ. આ રીતે, પર્યાય અને ગુણ શબ્દો સમાન અર્થવાળા છે. તો પણ પર્યાયો એ ગુણો કહેવાયા નથી. કારણ કે પરમાત્મા વડે પર્યાયનય વડે જ દેશના અપાયેલી છે. કોઈ કહે છે કે, આગમમાં રૂપ વગેરેને આશ્રયીને એકગુણ, દશગુણ, અનંતગુણ ઇત્યાદિ પ્રકારે વિવક્ષા જોવા મળે છે. તેથી, રૂપ વગેરે પરિણામો ગુણવિશેષ જ છે અર્થાત્ પરમાત્મા વડે ગુણાર્થિકનયનો પણ ઉપદેશ કરાયેલો છે. (૧૩) રૂપાદિના બોધક “ગુણ' શબ્દ સિવાય પણ જે એકગુણકાલક, દશગુણકાલક વગેરે વચન છે, તે પર્યાયગત વિશેષોની સંખ્યાનું બોધક સિદ્ધ થાય છે, નહિ કે ગુણાસ્તિકનયનું બોધક. કારણ કે કે, આ તેટલા ગુણ છે એટલા કથનમાત્રથી તો ગણિતશાસ્ત્ર પ્રસિદ્ધ સંખ્યાધર્મ જ સૂચવાય છે. (૧૪) જેવી રીતે દશ દ્રવ્યોમાં અને દશગુણ એક દ્રવ્યમાં ‘ગુણ” શબ્દ અધિક હોવા છતાં પણ દશપણું સમાન જ છે, તેવી જ રીતે આ પણ જાણવું અર્થાત્ એકગુણ કાળો, દ્વિગુણ કાળો વગેરેમાં પણ સમાનપણું જાણવા યોગ્ય છે. (૧૫) તાત્પર્યાર્થ: દ્રવ્ય અને ગુણ એ બે વચ્ચે ભેદ માનવો કે નહિ તેનો નિર્ણય કરતાં પહેલાં એ નક્કી કરવું જોઈએ કે, શાસ્ત્રમાં વપરાયેલ “ગુણશબ્દ માત્ર પર્યાય અર્થને જણાવનાર છે? કે તે પર્યાયથી ભિન્ન એવા કોઈ અર્થને જણાવનાર છે ? આ બે વિકલ્પમાં સિદ્ધાંત એવો ફલિત થાય છે કે, “ગુણ'શબ્દ પર્યાયથી ભિન્ન એવા દ્રવ્યગત ધર્મનો બોધક નથી. કારણ કે ભગવાને શાસ્ત્રમાં જે ન દેશના કરી છે, તેની શબ્દમર્યાદા જોતાં એમ લાગે છે કે, તેમની દૃષ્ટિમાં દ્રવ્યના ધર્મ તરીકે ગુણ અને પર્યાય વચ્ચે કશો જ ભેદ નથી અર્થાત્ બન્ને એક જ છે. કારણ કે, તેમણે દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક એવા બે ન વિભાગ કર્યા છે. જો તેમની દૃષ્ટિમાં “ગુણ'શબ્દનો અર્થ પર્યાયથી ભિન્ન એવો કોઈ દ્રવ્યગત ધર્મ હોત, તો તેઓએ પર્યાયાસ્તિકની પેઠે ત્રીજો ગુણાસ્તિકનય પણ કહ્યો હોત. વળી, આગમગત સૂત્રોમાં ગૌતમ આદિ ગણધર ભગવંતો સમક્ષ ભગવાને તો વર્ણપર્યાય, ગંધપર્યાય વગેરે શબ્દો વાપરી તેમાં વર્ણ આદિ સાથે “પર્યાય' શબ્દ જ લગાડેલો છે અને તે શબ્દનું નિર્વચન કરેલું છે; ક્યાંયે વર્ણગુણ, ગંધગુણ આદિ કહી વર્ણ આદિ સાથે ગુણ શબ્દનો ઉપયોગ કર્યો નથી, તેથી એ સ્પષ્ટ છે કે, ભગવાનની દૃષ્ટિમાં “ગુણ'શબ્દથી જણાવવા યોગ્ય અર્થ, તે વર્ણ વગેરે પર્યાયો જ છે, તેથી ભિન્ન કોઈ દ્રવ્યધર્મ નથી. 2010_02 Page #227 -------------------------------------------------------------------------- ________________ १८२ સંપતિતપ્રક્કર, TD-રૂ, TNT-૬-૨, કોઈપણ દ્રવ્યનું સહભાવી કે ક્રમભાવી ભેદોમાં બદલાતા રહેવું તે પર્યાય અને કોઈપણ દ્રવ્યનું અનેક રૂપમાં મુકાતા રહેવું તે ગુણ; આ રીતે “ગુણ’ અને ‘પર્યાય’ શબ્દની નિયુક્તિ જોઈએ તો પણ બન્નેનો અર્થ સરખો જ નીકળે છે, જે તાત્ત્વિક રીતે ભિન્ન નથી, છતાં ભગવાને તો પર્યાયનયની દેશના કરી છે અર્થાત્ વર્ણ, ગંધ, રસ આદિ બધા દ્રવ્યના ધર્મોને પર્યાય'શબ્દથી જ વર્ણવ્યા છે, અને “ગુણ'શબ્દથી ક્યાંયે વર્ણવ્યા નથી, તેથી પર્યાયથી ભિન્ન એવા ગુણ નથી એટલું ફલિત થાય છે. અહીં ગુણ અને પર્યાય વચ્ચે ભેદ માનનાર શંકા કરતાં એમ કહી શકે કે આગમમાં રૂપના વિષયમાં એકગુણ કાળું, દ્વિગુણ કાળું, અનંતગુણ કાળું વગેરે જે વ્યવહાર છે, તેમાં ગુણ શબ્દ વપરાયેલો છે, તેથી એ માનવું જોઈએ કે “ગુણ'શબ્દની દેશના પણ ભગવાને કરી છે અને તેનો અર્થ પર્યાયથી ભિન્ન છે. એનો ઉત્તર એ છે કે, તે તે સ્થાનમાં રૂપ આદિ બોધક ગુણ 'શબ્દ વિના જ અર્થાત્ વર્ણગુણ, ગંધગુણ, રસગુણ વગેરે સિવાયના જે એકગુણ કાળું, દ્વિગુણ કાળું, અનંતગુણ કાળું આદિ વચનોમાં “ગુણ'શબ્દ વપરાયેલો છે, તે વર્ણાદિ પર્યાયોના પરસ્પર તરતમભાવરૂપ વિશેષોની સંખ્યાનો બોધક સિદ્ધ થાય છે અર્થાત્ એક વર્ણપર્યાય કરતાં બીજા સજાતીય વર્ણપર્યાયમાં જે વૈષમ્યનું પરિમાણ છે, તેનો બોધક સિદ્ધ થાય છે અને વૈષમ્યનું સંખ્યાત્મક પરિમાણ એ તો ગણિતની વસ્તુ છે. “આ પદાર્થ બીજા અમુક પદાર્થ કરતાં આટલા ગુણો શ્યામ કે રક્ત છે એમ કહેવાથી એ પદાર્થ બીજા પદાર્થ કરતાં કોઈ બાબતમાં એટલા ગુણ હીન અને બીજો પદાર્થ પહેલા પદાર્થ કરતાં એટલા ગુણ અધિક છે અર્થાત્ એ બે પદાર્થના અમુક રૂપરસ આદિ સજાતીય ધર્મો વચ્ચે કેટલું હીન-અધિકતાપણું છે તે જ સૂચવાય છે; એથી કાંઈ પર્યાયથી ભિન્ન એવો કોઈ દ્રવ્યનો ધર્મ ગુણરૂપે સિદ્ધ થતો નથી. જુદી જુદી પડેલી દશ વસ્તુઓમાં આ દશ ચીજો છે એવો વ્યવહાર થાય છે અને કોઈ એક જ વસ્તુ, પરિમાણમાં બીજી વસ્તુ કરતાં દશગુણી હોય, ત્યારે તેમાં આ દશગુણ છે એવો વ્યવહાર થાય છે. આ બન્ને વ્યવહારમાં પહેલા કરતાં બીજામાં “ગુણ'શબ્દ વધારે છે, છતાં દશપણાની સંખ્યા તો બન્નેમાં સમાન જ છે અર્થાત્ પહેલા સ્થળમાં ધર્મીગત દશત્વ સંખ્યા માટે દશ' શબ્દ વપરાયેલો છે; અને બીજા સ્થળમાં ધર્મ એક જ હોવા છતાં તેના પરિમાણનું તારતમ્ય બતાવવા ગુણ' શબ્દ સાથે “દશ' શબ્દ વપરાયેલો છે. તે જ પ્રમાણે પરમાણુ એકગુણ કાળો, દશગુણ કાળો, અનંતગુણ કાળો વગેરે પ્રયોગ સ્થળોમાં પણ “ગુણ' શબ્દ જુદો વપરાયા છતાં દ્રવ્યના ધર્મસ્વરૂપ પર્યાય' શબ્દના અર્થ કરતાં તેનો કોઈ જુદો અર્થ નથી. ત્યાં જુદા જુદા સજાતીય પર્યાયો વચ્ચે જે વૈષમ્ય-પ્રકર્ષાપકર્ષનું પરિણામ છે, તેનો જ માત્ર બોધક “ગુણ” શબ્દ છે. એટલે ફલિત એ થાય છે કે, “પર્યાય' શબ્દથી જણાવવા યોગ્ય અર્થથી ભિન્ન એવો કોઈ દ્રવ્યના ધર્મરૂપ અર્થ “ગુણ' શબ્દથી જણાવવા યોગ્ય નથી. 2010_02 Page #228 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-१६-२२ १८३ ઉપરના વિચારથી જો એમ સિદ્ધ થયું કે દ્રવ્યગત બધા જ ધર્મોને જૈનશાસ્ત્રમાં પર્યાય કહેલ છે, અને એ પર્યાયો જ “ગુણ' શબ્દના પણ પ્રતિપાદ્ય છે, તો હવે દ્રવ્ય અને ગુણનો ભેદ માનવો કે અભેદ, એ બાબતમાં નિર્ણય એવો થાય છે કે, ગુણ એ દ્રવ્યથી ભિન્ન નથી, પણ અભિન્ન છે, કારણ કે ગુણ એટલે પર્યાય જ અને પર્યાય તો દ્રવ્યરૂપ જ છે, તેમ જ દ્રવ્ય એ પર્યાયરૂપ જ છે. આત્મા જ્ઞાનરૂપ જ છે, દર્શનસ્વરૂપ જ છે વગેરે વ્યવહારોમાં અને ઘડો લાલ છે, પીળો છે વગેરે વ્યવહારોમાં તે તે દ્રવ્ય તે તે પર્યાયરૂપે વ્યવહારતું હોવાથી દ્રવ્ય અને પર્યાયનો અભેદ સિદ્ધ જ છે; અને જો પર્યાયનો અભેદ સિદ્ધ હોય, તો ગુણ તેથી જુદા ન હોવાને કારણે તેનો પણ દ્રવ્ય સાથે અભેદ આપોઆપ સિદ્ધ થાય છે. (૯-૧૫) एवं द्रव्य-पर्याययोर्भेदैकान्तप्रतिषेधे सत्यभेदसिद्धावपि तदृढीकर्तुं सोपनय-मुदाहरणमभेदैकान्तवादी प्राह - एयंतपक्खवाओ जो उण दब्ब-गुण-जाइभेयम्मि । अह पुवपडिक्कुट्ठो उआहरणमित्तमेयं तु ।।१६।। अथ द्रव्य-गुण-जातिभेदे द्रव्यजाति-गुणजातिभेदे यः पुनरेकान्तपक्षवाद एकान्तभेदवादः स यद्यपि पूर्वप्रतिकृष्टः पूर्वं प्रतिक्षिप्तः भेदैकान्तग्राहकप्रमाणाभावादभेदग्राहकस्य च प्रमाणस्य पूर्वप्रदर्शितत्वात्, तथापि एकान्ताभेदवाददृढीकरणार्थमुदाहरणमात्रमेतत्तु दृष्टान्तमात्रमेतदभिधीयते ।।१६।। पिउ-पुत्त-णत्तु-भव्बय-भाऊणं एगपुरिससंबंधो । - ण य सो एगस्स पिय त्ति सेसयाणं पिता होइ ।।१७।। पुरुषत्वस्य सदृशत्वेऽपि पितृ-पुत्र-नप्त-भाग्नेय-भ्रातृभिर्य एकस्य पुरुषस्य सम्बन्धस्तेनासावेक एव पुरुषः पुत्रादिव्यपदेशमासादयति । न चासावेकस्य पिता पुत्रसम्बन्धत इति शेषाणामपि पिता भवति, पितृत्वविशेषरूपधर्मस्य तत्राभावात् । अत्र ‘भव्वो भागिनेयः' इति देशीनाममालावचनाद् ‘भव्वय'शब्देन स्वसापुत्रो ज्ञेयः ।।१७।। जह संबन्धविसिट्ठो सो पुरिसो पुरिसभावणिरइसओ । तह दव्वमिंदियगयं रूवाइविसेसणं लहइ ।।१८।। पुरुषभावनिरतिशयोऽपि पुरुषरूपतयाऽविशेषोऽपि सन् स पुरुषो यथा सम्बन्ध 2010_02 Page #229 -------------------------------------------------------------------------- ________________ १८४ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-१६-२२ गाथा: विशिष्टः पितृ-पुत्रादिसम्बन्धमाश्रित्य पुत्र-पित्रादिव्यपदेशमाप्नोति तथा द्रव्यत्वेनाभिन्नमपि द्रव्यमिन्द्रियगतं चक्षू-रसनादीन्द्रियसम्बन्धमवाप्य रूपादिविशेषणं रूपरसाद्याख्यां लभते प्राप्नोति, न हि शक्रेन्द्र-पुरन्दरादिशब्दभेदाद् देवेन्द्रस्येव रूपादिशब्दभेदाद् वस्तुभेदो युक्तः ।।१८।।] _अयं सारः - पूर्वोक्तगाथाष्वेकान्तभेदवादनिराकरणं कृतम्, तथाप्येकान्ताभेदवादं दृढीकर्तुमेकान्ताभेदवादी दृष्टान्तं ज्ञापयति, तथाहि-पुरुषे सामान्यरूपं पुरुषत्वमेकमेव, तथापि पुत्र-भ्रातृ-पित्रादिना व्यक्तीनां सम्बन्धमाश्रित्य पितृ-भ्रातृ-पुत्रादिव्यपदेशमाप्नोति । तेनैव प्रकारेण द्रव्यत्वरूपेणैकमेव द्रव्यं चक्षुरादीन्द्रियसम्बन्धं प्राप्य रूपादिव्यपदेशं प्राप्नोति, न तु परमार्थतो द्रव्यगुणयोर्भेद इति भावः ।।१६-१७-१८।। અવ. દ્રવ્ય અને ગુણના એકાંત ભેદવાદનું ખંડન કરનાર એકાંત અમેદવાદની માન્યતાનું પૂર્વપક્ષરૂપે કથન કરતાં જણાવે છે – एयंतपक्खवाओ जो उण दव्व-गुण-जाइभेयम्मि । अह पुवपडिक्कुट्ठो उआहरणमित्तमेयं तु।।१६।। छाया : एकान्तपक्षवादो यः पुनर्द्रव्य-गुण-जातिभेदे । अथ पूर्वप्रतिकृष्टः उदाहरणमात्रमेतत्तु ।।१६।। अन्वयार्थ : उण = वणी, जो = से दव्व-गुणजाइभेयम्मि = द्रव्याति भने गुतिय भेटमा एयंतपक्खवाओ = situane (छे त) पुलपडिक्कुट्ठो = पूर्व दूषित यो छे. अह = ४वे, तु = qणी उआहरणमित्तमेयं = ॥ दृष्टांत मात्र (33वाय छे) पिउ-पुत्त-णत्तु-भव्वय-भाऊणं एगपुरिससंबंधो । ण य सो एगस्स पिय त्ति सेसयाणं पिया होइ ।।१७।। पितृ-पुत्र-नप्तृ-भाग्नेय-भ्रातृभिरेकपुरुषसम्बन्धः । ना चासौ एकस्य पिता इति शेषकाणां पिता भवति ।।१७।। अन्वयार्थ : पिउ-पुत्त-णत्तु-भव्वय-भाऊणं = पिता-पुत्र-पौत्र-u\४-05 साथे एगपुरिससंबंधो = अ पुरुषनो सं०i (नयो रोई, १२९॥ ) गाथा: छाया: 2010_02 Page #230 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-१६-२२ गाथा: छाया: य = अने सो = ॥ पुरुष एगस्स = नो पियत्ति = पितustan मात्रथी सेसयाणं = अन्य सर्वनो पिता = पिता न होइ = थतो नथी. जह संबंधविसिट्ठो सो पुरिसो पुरिसभावणिरइसओ । तह दव्वमिंदियगयं रूवाइविसेसणं लहइ ।।१८।। यथा सम्बन्धविशिष्टः असौ पुरुषः पुरुषभावनिरतिशयतः । तथा द्रव्यमिन्द्रियगतं रूपादिविशेषणं लभते ।।१८।। अन्वयार्थ : जह = हे शत पुरिसभावणिरइसओ = पुरुष३५ समान अवो सो पुरिसो = ॥ पुरुष संबन्धविसिट्ठो = संबंध 43 विशिष्ट, तह = ते शत इंदियगयं = इन्द्रियना संधने आश्रयीने दव्वं = द्रव्य रूवाइविसेसणं = ३५ वो३ व्यपहेशने लहइ = पामे छे. ગાથાર્થ વળી જે દ્રવ્યજાતિ અને ગુણજાતિના ભેદ વિષે એકાંત પક્ષપાત છે, એ પહેલાં જ દૂષિત કર્યો છે. હવે જે કહેવાનું છે એ તો ફક્ત અભેદસાધક ઉદાહરણ માત્ર છે અર્થાત્ હવે માત્ર અભેદસાધક ઉદાહરણ દ્વારા પૂર્વોક્ત એકાંતને દૂષિત સિદ્ધ કરવાનો છે. (૧૬) પિતા, પુત્ર, પૌત્ર, ભાણેજ અને ભાઈની સાથે એક જ પુરુષનો જુદો જુદો સંબંધ માનવો જોઈએ. કારણ કે તે એકનો પિતા છે તેથી શેષ સર્વનો પિતા થતો નથી. (૧૭). જેવી રીતે પુરુષરૂપે સમાન હોવા છતાં જુદા જુદા સંબંધને લીધે આ પુરુષ વિશિષ્ટ બને છે, તેવી રીતે એક જ દ્રવ્ય ઇંદ્રિયોના સંબંધને આશ્રયી રૂપ વગેરે ભેદોને પામે છે અર્થાત્ રૂ૫ રસ વગેરે અનેક विशेष३५ व्यवहाय छे. (१८) अथ भेदैकान्तपक्षोच्छेतुः अभेदैकान्तपक्षस्य निराकरणाय सिद्धान्तवादी आह - होज्जाहि दुगुणमहुरं अणंतगुणकालयं तु जं दव्वं । ण उ डहरओ महल्लो वा होइ संबंधओ पुरिसो ।।१९।। यदि नामाऽऽम्रादिद्रव्यमेव रसनसंबन्धाद् ‘रसः' इति व्यपदेशमात्रमासादयेत्तथापि तद् रसतो द्विगुणमधुरं कुतो भवेत् ? तथैव यद् द्रव्यं नेत्रसंबन्धाद् यदि नाम 'कृष्णम्' इति भवेत् तथापि तद्वर्णतोऽनन्तगुणकृष्णं तु कथं स्याद्, वैषम्यभेदज्ञानस्य रसनादिसंबन्धमात्रा 2010_02 Page #231 -------------------------------------------------------------------------- ________________ १८६ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-१६-२२ दसंभवात् । तेनैव प्रकारेण संबंधतः पुत्रादिसम्बन्धेन पुरुषः पित्रादिरेव भवेन्न त्वल्पो महान् वा, विशेषस्यास्वीकारे सामान्यस्याप्यसम्भवात् । इदं विज्ञेयम् - 'द्रव्यमेव तत्त्वम्, रूपादिगुणास्तु इन्द्रियसम्बन्धादुपचर्यन्ते' इत्याकारके विशेषविकलकेवलसामान्यस्वीकरणरूप एकान्ताभेदपक्षे नयनादीन्द्रियसम्बन्धाद् रूपादिव्यपदेशे स्वीकृते सत्यपि तद् द्रव्यमनन्तगुणकृष्णं, द्विगुणमधुरमित्यादि कुतो भवेत् ? यत इन्द्रियसम्बन्धमात्राद् रूपादिवैषम्यज्ञानं न भवति । तथैव पुत्रादिनां सम्बन्धद्वारेण पित्रादिभावे घटमाने सत्यपि स एव पुरुषोऽल्पो, महानित्यादि कुतो घटेत् ? न घटेत्, यतः सामान्यविशेषोभयात्मकद्रव्ये विशेषाणामस्वीकारे सामान्यस्याप्यभाव एव प्राप्नुयात् । तस्माद् द्रव्याद् गुणाः कथंचिद्भिन्ना एव ।।१९।। सय. सिril xu छ - गाथा : होज्जाहि दुगुणमहुरं अणंतगुणकालयं तु जं दव्वं । ण उ डहरओ महल्लो वा होइ संबंधओ पुरिसो ।।१९।। भवेद् द्विगुणमधुरमनन्तगुणकृष्णं तु यद्रव्यं । न तु अल्पो महान् वा भवेत् संबन्धतः पुरुषः ।।१९।। अन्वयार्थ : तु = quी जं दव्वं = हे द्रव्य दुगुणमहुरं = द्विगुमधुर अणंतगुणकालयं = ridgustणु होज्जाहि = (3 शत) थाय ? उ = qणी, (तशत) पुरिसो = पुरुष संबंधओ = संciuथी (पिता वगैरे वय ५५) डहरओ = नानो वा = अथवा महल्लो = भोटो ण होइ = नाय. ગાથાર્થ વળી, જે કોઈ દ્રવ્ય (જિહ્વાના સંબંધથી રસ એવા વ્યવહારને પામે કે આંખના સંબંધથી કાળું એવા વ્યવહારને પામે પણ) દ્વિગુણ મધુર કે અનંતગુણ કાળું' તેવા વ્યવહારને કઈ રીતે પામે ? અર્થાતુ ન પામે. તે જ રીતે કોઈ પુરુષ સંબંધથી (પિતા વગેરે વ્યવહારને પામે પણ) નાનો-મોટો એ व्यवहा२ने पाभी तो नथी. (१८) छाया: 2010_02 Page #232 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड - ३, गाथा - १६-२२ अत्राभेदैकान्तवादी प्रतिप्रश्नयन्नाह भइ संबंधवा जइ संबंधित्तणं अणुमयं ते । संबंधविसे संबंधिविसेसणं सिद्धं ।।२०।। भण्यते उच्यते, यदि संबन्धवशात् संबन्धसामान्यवशात् संबन्धित्वं संबन्धित्वसामान्यं तवानुमतम्, ननु संबंधविशेषे संबन्धविशेषद्वारेण संबन्धिविशेषणमपि सिद्धं किं नाभ्युपगम्यते ? इदं वाच्यम् - अत्रैकान्ताभेदवादी कथयति - यदि पुरुषत्वादिरूपसामान्यस्य सम्बन्धेन सामान्यसम्बन्धित्वं स्वीक्रियते तर्हि दण्डादिरूपविशेषस्य सम्बन्धेन दण्डित्वादिरूपविशेषसम्बन्धित्वं कथं नाभ्युपगम्यते ? अपि तु अभ्युगम्यत एव तथैव नेत्रादीन्द्रियसामान्यसम्बन्धेन रूपादि घटते तथा तेषामेवेन्द्रियाणां विशेषसम्बन्धेन रूपादीनां वैषम्यभेदज्ञानमपि संगच्छत एव ।। २० ।। અવ. એકાંત અભેદવાદી બચાવ કરતાં જણાવે છે गाथा : छाया : अन्वयार्थ : भइ संबंधवसा जइ संबंधित्तणं अणुमयं ते । संबंधविसेसे संबंधिविसेसणं सिद्धं ।। २० ।। 2010_02 भण्यते सम्बन्धवशाद् यदि सम्बन्धित्वमनुमतं तव । ननु सम्बन्धविशेषे सम्बन्धिविशेषणं सिद्धम् ।।२०।। १८७ भण्णइ = मुंडे छे डे, जइ = भे संबंधवसा = संबंध सामान्यने द्वारो संबंधित्तणं = सामान्य संबंधिय ते = तभने अणुमयं = मान्य होय तो, णणु वितर्ड अर्थभां संबंधविसेसे = સંબંધ વિશેષને કારણે संबंधिविसेसणं = विशेष संबंधीय सिद्धं = सिद्ध थशे. = ગાથાર્થ : કહે છે કે, જો સંબંધ સામાન્યને લીધે સામાન્ય સંબંધીપણું તમને માન્ય હોય, તો એ જ ન્યાયે સંબંધ વિશેષને લીધે વિશેષ સંબંધીપણું સિદ્ધ થશે. (૨૦) Page #233 -------------------------------------------------------------------------- ________________ १८८ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-१६-२२ तदुत्तरयन् सिद्धान्तवाद्याह - जुज्जइ संबंधवसा संबंधिविसेसणं ण उण एयं । णयणाइविसेसगओ रूवाइविसेसपरिणामो ।।२१।। सम्बन्धवशात् सम्बन्धविशेषवशात् सम्बन्धिविशेषणं युज्यते घटते, पुनर्द्रव्याद्वैतवादिनस्तु नैतन्न सम्बन्धिविशेषः नापि सम्बन्धविशेषः संगच्छत इति नयनादिविशेषगतो नेत्रादिविशेषसम्बन्धजनितो रूपादिविशेषपरिणामो रूपादिषु वैषम्यभावः कुतो घटते ? । इदं गम्यम् - भेदाभेदोभयवादी सिद्धान्तकारः कथयति - एक एव मनुष्यो येन कारणेन दण्डसम्बन्धाद् दण्डी, धेनुसम्बन्धाद् धेनुमानित्यादि उच्यते, तेन कारणेन सम्बन्धसम्बन्धिविशेषो युज्यत एव । किन्त्वभेदैकान्तवादिमते सम्बन्धविशेष-सम्बन्धिविशेषादयो न संगच्छन्ते, तस्मात श्याम-श्यामतर-श्यामतमादिद्रव्यैः सह नयनस्य समानसम्बन्धत्वे सत्यपि वैषम्यज्ञानं कुतो भवेत ? नैव । अतो विशेषव्यङ्ग्यत्वे व्यञ्जकाधीनत्वे सत्यपि विशेषानामस्तित्वं स्वतःसिद्धमेव । विशेषा एव गुणरूपाः, पर्यायरूपाः, परिणामरूपा वा । तस्मान्न द्रव्यगुणयोरेकान्तभेदोऽभेदो वा, किन्तु कथंचिद्भेदः कथंचिदभेदो वा ।।२१ ।। १. सिद्धांती 53 छगाथा : जुज्जइ संबंधवसा संबंधिविसेसणं ण उण एयं । णयणाइविसेसगओ रूवाइविसेसपरिणामो ।।२१।। छाया : युज्यते सम्बन्धवशात् सम्बन्धिविशेषणं न पुनरेतद् । नयनादिविशेषगतो रूपादिविशेषपरिणामः ।।२१।। अन्वयार्थ : संबंधवसा = संबंध विशेषथी संबंधिविसेसणं = विशेष संधी५j जुज्जइ = घटे छ, उण = परंतु णयणाइविसेसगओ = wire वगेरेना विशेष संबंधथी थयेर एयं = 0 रूवाइविसेसपरिणामो = ३५ ३ विशेष प२ि९॥म ण = ५zतो नथी. ગાથાર્થ સંબંધ વિશેષને લીધે વિશેષ સંબંધીપણું ઘટે, પરંતુ ચક્ષુ વગેરેના વિશેષ સંબંધથી થયેલ રૂપ वगैरे विशेष परिए॥म घटती नथी. (२१) 2010_02 Page #234 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-१६-२२ अनेकान्तवादेऽपि रूपरसादेर्द्विगुणानन्तगुणादिवैषम्यपरिणतिः कथं घटत इति ज्ञापयन्नाह भण्णइ विसमपरिणयं कह एवं होहिइ त्ति उवणीयं । तं होइ परणिमित्तं ण व त्ति एत्थऽत्थि एगंतो ।।२२।। आम्रफलादावेतद् विषमपरिणतमसमानपरिणतिः कथं भवति ? इति परेण प्रेरिते भण्यते यदुत - उपनीतमाप्तैः प्रदर्शितं तद्वैषम्यं परनिमित्तं परेषां द्रव्य-क्षेत्र-काल-भावानां सहकारिणां निमित्ताद्वैचित्र्याद्भवति, वा अथवा परनिमित्तमेवेति अत्र एकान्तो नास्ति, स्वरूपस्यापि कथंचिन्निमित्तत्वात् । ततो न द्रव्याद्वैतैकान्तः सम्भवी ।।२२।। इदं सम्भाव्यम् - पूर्वोक्तगाथाभिर्द्रव्यगुणयोः कथंचिद्भेदाभेदौ साधितौ । अत्र तु अनेकान्तवादेन द्रव्ये भवतीं वैषम्यपरिणतिं घटयन्नाह - आम्रफलादिद्रव्ये गुणवैषम्यस्य द्वे कारणे-एकं द्रव्यादेवैचित्र्यमपरं स्वरूपम् । क्वचित् प्रधानतया द्रव्य-क्षेत्र-काल-भावानां सहकारिकारणानां वैचित्र्याद् द्रव्यो विषमरूपतया परिणमति, क्वचित्तु मुख्यतया द्रव्यस्य स्वस्वरूपमेव, गौणतया च स्वेतरकारणमपि भवत्येव ।।२२।। અવ. એકાંત અમેદવાદીનો પ્રશ્ન અને સિદ્ધાંતીએ કરેલ નિરાકરણ જણાવતાં કહે છે– गाथा : भण्णइ विसमपरिणयं कह एयं होहिए त्ति उवणीयं । तं होइ परणिमित्तं ण व त्ति एत्थऽत्थि एगंतो ।।२२।। छाया : भण्यते विषमपरिणतं कथमेतद् भवतीति उपनीतम् । तद् भवति परनिमित्तं न वा इति अत्रास्ति एकान्तः ।।२२।। अन्वयार्थ : एयं = . पार्थ विसमपरिणयं = विषम परि॥माणो कह = ४६ शत होहिइ = थाय छ ? त्ति = ॥ प्रमाण (५२ 43 पूछ।ये छते) भण्णइ = छ, उवणीयं = (आप्त पुरुष ५) वायु छ , तं = से (असमान परिति) परणिमित्तं = अन्य निमित्ताने ॥२॥ होइ = थाय छे. व = अथवा त्ति एत्थ = प्रमाणे निमित्तथी ४ थाय छ' या विषयमा एगंतो = त णऽस्थि = नथी. 2010_02 Page #235 -------------------------------------------------------------------------- ________________ १९० સંમતિતÉપ્રક્ટર, -૩, થા-૨૬-૨૨ ગાથાર્થ એક જ દ્રવ્યમાં વિષમ પરિણતિઓ કેવી રીતે થાય છે? આ પ્રમાણે એકાંતવાદી પ્રશ્ન કરતાં અનેકાંતવાદી આપ્ત પુરુષો વડે કહેવાયું છે કે તે દ્રવ્યની વિચિત્રતા પરનિમિત્તોથી થાય છે અથવા આ વિષયમાં અર્થાત્ વિષમ પરિણતિ પરનિમિત્તથી જ થાય છે તે વિષયમાં એકાંત નથી. પોતાનું સ્વરૂપ પણ ક્યારેક નિમિત્તરૂપ બને છે.) (૨૨) તાત્પર્યાર્થ: પાછળની ચર્ચાથી પર્યાય અને ગુણ એ બન્ને શબ્દ એકાર્થક સિદ્ધ થયા, પણ મુખ્ય પ્રશ્ન તો હજી ઊભો જ છે અને તે એ છે કે, દ્રવ્ય અને ગુણનો એકાંતભેદ જે કોઈના મત તરીકે મૂકવામાં આવ્યો છે તે સ્વીકારવો કે નહિ. આનો ઉત્તર સિદ્ધાંતી આપે તે પહેલાં જ એકાંત-અભેદવાદી આપતાં જણાવે છે કે, દ્રવ્યની જાતિ અને ગુણની જાતિ વચ્ચે એકાંતે ભેદ માનવાના પક્ષને તો પ્રથમ જ (કાંડ-૩, ગા. ૧, ૨) એટલે સામાન્ય-વિશેષનો અભેદ દર્શાવતી વખતે દૂષિત કરવામાં આવ્યો છે, તેથી બન્ને વચ્ચે અભેદ જ આપોઆપ ફલિત થાય છે. અહીં તો અમારે એ અભેદ વિષયક માન્યતાનું વિશેષ સ્પષ્ટીકરણ જ કરવું બાકી રહે છે, જે નીચેના ઉદાહરણથી થઈ જાય છે. જેવી રીતે કોઈ એક જ પુરુષ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ સાથેના જુદા જુદા સંબંધને લીધે પિતા, પુત્ર, પૌત્ર, ભાણેજ, મામા, ભાઈ આદિ અનેકરૂપે વ્યવહાર પામે છે; આ વ્યવહાર વખતે પણ તે કોઈ એક વ્યક્તિનો પિતા છે તેથી કાંઈ બધાનો પિતા બનતો નથી; એકનો મામા છે, તેથી બધાનો મામા બનતો નથી; તે પુરુષરૂપે સૌના પ્રત્યે સમાન જ છે, માત્ર તે તે વ્યક્તિ સાથેના જુદા જુદા સંબંધને લીધે તે જુદા જુદા વ્યવહારો પામે છે; તે જ રીતે કોઈપણ દ્રવ્ય એ તત્ત્વત: એક સામાન્ય વસ્તુ જ છે, તેમાં સ્વાભાવિક રીતે કોઈ વિશેષો નથી; તેમ છતાં જ્યારે તે જ દ્રવ્ય ઇંદ્રિયોના સંબંધમાં આવી નેત્રગ્રાહ્ય બને છે ત્યારે રૂપ કહેવાય છે અને જ્યારે ધ્રાણ કે રસન આદિ ઇંદ્રિયોનો વિષય બને છે ત્યારે ગંધ કે રસાદિ સ્વરૂપે વ્યવહાર પામે છે અર્થાત્ બધાં દ્રવ્યો માત્ર સામાન્યરૂપ હોવાથી તેમાં સહજ વિશેષ કોઈ નથી. જે વિશેષો કહેવાય છે તે ભિન્ન ભિન્ન ઇંદ્રિયોના સંબંધોથી થતા ભિન્ન ભિન્ન ભાસોને આભારી છે, માટે ગુણ કે જેને જૈન આગમમાં પર્યાય કહેલો છે, તે તત્ત્વત: દ્રવ્યથી ભિન્ન નથી; એટલે દ્રવ્યજાતિ અને ગુણજાતિનો ભેદ વાસ્તવિક નથી, પણ એક દ્રવ્યજાતિ જ છે, જેને દ્રવ્યાદ્વૈત પણ કહી શકાય. અભેદવાદી દ્વારા એકાંતભેદનું નિરસન કરાવી હવે તેની માન્યતાના અભેદમાં પણ એકાંતપણાનો દોષ ન આવે તે માટે અનેકાંતવાદી સિદ્ધાંતી એકાંતઅભેદ સામે કહે છે કે, જો એકાંત દ્રવ્ય એટલે સામાન્ય જ માનવામાં આવે, અને તેમાંથી વાસ્તવિક વિશેષો દૂર કરી માત્ર બાહ્ય ઉપાધિઓ વડે જ વિશેષ વ્યવહારો ઘટાવવામાં આવે, તો બે ફળનો રસનેંદ્રિય સાથે સંબંધ સમાન હોવા છતાં એક કરતાં બીજું ફળ બમણું મધુર છે અને બીજા કરતાં પહેલું ફળ અડધું મધુર છે તેવો અનુભવસિદ્ધ ભેદ શી રીતે ઘટશે ? કારણ કે મધુર એ રસ છે અને તે તો રસનેંદ્રિયના સંબંધજનિત વિશેષસ્વરૂપ છે તે સિવાય બીજું કશું જ નથી, અને સંબંધ તો 2010_02 Page #236 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-१६-२२ બન્ને ફળો સાથે સરખો જ છે. એ જ પ્રમાણે જો નેત્રના સંબંધજનિત વિશેષ ઉપરાંત રૂપ જેવું કોઈ તત્ત્વ દ્રવ્યમાં વાસ્તવિક ન હોય તો નેત્રની સાથે સરખો સંબંધ ધરાવનારા અનેક પદાર્થોમાં એક અનંતગુણ કાળો અને બીજો તેથી ઓછી ઓછી કાળાશવાળો દેખાય છે, તે કેવી રીતે ઘટશે ? એટલું જ નહિ પણ દૃષ્ટાંત તરીકે લેવામાં આવેલ પુરુષની બાબતમાં પણ પૂછી શકાય કે, જો પુરુષ એ સાહજિક વિશેષ વિનાની માત્ર સામાન્યાત્મક જ વસ્તુ હોય અને ભિન્ન ભિન્ન વ્યક્તિઓ સાથેના સંબંધને લીધે જ તે પિતા-પુત્ર વગેરે વિશેષરૂપે જણાતી હોય, તો પછી પુરુષ નાનો કે મોટો કહેવાય છે તે એવા સંબંધને લીધે કેમ ઘટશે ? અર્થાત્ એક પુરુષ ઊંચાઈમાં બીજાથી નાનો અને ત્રીજાથી મોટો દેખાતો અને કહેવાતો હોય, તેવે સ્થળે એનું લધુત્વ અને મહત્ત્વ એ વાસ્તવિક ન હોવાથી જો પરસાપેક્ષ જ ભાસમાત્ર હોય, તો તે જ પુરુષ ક્યારેક વળી પ્રથમના બીજા પુરુષ કરતાં મોટો અને પ્રથમના ત્રીજા પુરુષ કરતાં નાનો દેખાય છે અને કહેવાય છે, તે શી રીતે ઘટશે ? કારણ કે, જે બીજા પુરુષના સંબંધને લીધે જ લઘુત્વ માનવામાં આવતું, તે જ પુરુષનો સંબંધ હવે મહત્ત્વનો સાધક કેમ બની શકશે ? અને જેનો સંબંધ પ્રથમ મહત્ત્વસાધક હતો, તેનો જ સંબંધ હવે લઘુત્વસાધક કેમ બનશે ? તેથી, દૃષ્ટાંતભૂત પુરુષમાં કે ફળ આદિ વસ્તુઓમાં માત્ર સામાન્યતત્ત્વ ન સ્વીકારતાં, વિશેષો પણ વાસ્તવિકપણે તેમાં છે એવું સ્વીકારવું જોઈએ. અન્ય વસ્તુઓના સંબંધો તે તે વિશેષોના માત્ર વ્યંજક બને તે ઉપરથી કાંઈ વ્યંજક સંબંધોને સ્વીકારી, વ્યંગ્ય વિશેષો ઉડાડી શકાય નહિ. કારણ કે, જો વિશેષ એ પોતે જ ભ્રાંત હશે, તો દરેકે દરેક વિશેષો ખોટા ઠરતાં છેવટે સામાન્ય પણ ખોટું જ ઠરશે. કારણ કે, સામાન્ય એટલે સમાન અથવા એક; અને જો ભેદ ન હોય, તો કોનું સમાન અને કોનું એક કહી શકાય ? તેથી વિશેષ - ગુણ અને સામાન્યદ્રવ્ય બન્ને વાસ્તવિક હોવાથી ભિન્ન છતાં અભિન્ન છે એમ માનવું જોઈએ, એટલે અભેદનો એકાંત પણ બાધિત હોવાથી સ્વીકારવો યોગ્ય નથી. અહીં એકાંત અમેદવાદી સિદ્ધાંતીને પોતાના પક્ષના બચાવ માટે એમ કહે છે કે, સામાન્ય સંબંધને કારણે સામાન્ય સંબંધીપણું તમને જો માન્ય હોય, તો તે જ રીતે સંબંધના વૈવિધ્યને લીધે સંબંધી વસ્તુમાં વૈવિધ્ય શા માટે સિદ્ધ ન થાય ? આનો ઉત્તર સિદ્ધાંતી એમ આપે છે કે, જો કે વિશેષ વિશેષ પ્રકારના સંબંધને લીધે એક જ વસ્તુ વિશેષ વિશેષ પ્રકારે વ્યવહારાય છે; જેમ એક જ માણસ લાકડીના સંબંધથી લાકડીવાળો અને ચોપડીના સંબંધથી ચોપડીવાળો કહેવાય છે. પરંતુ અમે જે અનેક વસ્તુઓની કાળાશમાં વૈષમ્ય બતાવ્યું છે, તે ઇંદ્રિયના સંબંધમાત્રથી કઈ રીતે ઘટશે ? કારણ કે ઓછી વધતી કાળાશવાળી એ બધી વસ્તુઓ એક જ વખતે એક જ પુરુષની આંખ સાથે એકસરખો સંબંધ ધરાવે છે. એ રીતે એક જ પુરુષની રસનેંદ્રિયનો વિષય બનતાં બે ફળોમાંના મધુરરસના વૈષમ્યનો બોધ રસનના સંબંધમાત્રથી શી રીતે થશે ? માટે વિશેષોનું વ્યંગ્યપણું 2010_02 Page #237 -------------------------------------------------------------------------- ________________ १९२ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-२३ ભલે વ્યંજકાધીન હોય, છતાં તેઓનું અસ્તિત્વ તો સ્વત: સિદ્ધ છે એમ ફલિત થાય છે. વિશેષો એ જ ગુણ, પર્યાયો અગર પરિણામો છે. તેથી દ્રવ્ય અને તેમના વચ્ચે એકાંતઅભેદ કે એકાંતભેદ ન માનતાં કથંચિત્ ભેદાભેદ જ માનવો જોઈએ. અહીં સિદ્ધાંતી સામે એક પ્રશ્ન ઊભો થાય છે કે, એક જ દ્રવ્યમાં પર્યાયોનું વૈષમ્ય કેવી રીતે ઘટી શકે ? કારણ કે, જેમ કોઈ એક વસ્તુમાં ઠંડક અને ગરમી બન્નેનો સંભવ વિરુદ્ધ જ છે, તેમ એક જ ફળ આદિ વસ્તુમાં માધુર્ય કે ખટાશનું વૈષમ્ય પણ વિરુદ્ધ જ છે. આનો ઉત્તર આપતાં સિદ્ધાંતી કહે છે કે, કોઈપણ વસ્તુમાં અમુક ગુણોનું જે વૈષમ્ય હોય છે તેનો આધાર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરે આજુબાજુના બાહ્ય સંયોગો ઉપર છે; વળી એ વૈષમ્ય બાહ્ય સંયોગોને જ આભારી છે એમ પણ - ', કારણ કે એમાં એ વસ્તુ પોતે પણ નિમિત્ત છે જ, તેથી કોઈપણ વૈષમ્ય પરિણામને માત્ર બાહ્યનિમિત્તજન્ય કે માત્ર સ્વાશ્રયભૂત વસ્તુજન્ય ન માનતાં उभय४न्य ४ भानको मे. (१७-२२.) प्रागुक्तलक्षणबाधाद् भेदैकान्तवादिना प्रदर्शितयोः द्रव्यगुणलक्षणान्तरस्याप्यनुपपत्तिं दर्शयन्नाह - दव्वस्स ठिई जम्म-विगमा य गुणलक्खणं ति वत्तव्वं । एवं सइ केवलिणो जुज्जइ तं णो उ दवियस्स ।।२३।। भेदवादिनः प्राहुः - द्रव्यस्य लक्षणं स्थितिष्टा तथा गुणलक्षणं गुणस्य लक्षणं जन्मविगमावुत्पादविनाशाविति वक्तव्यम् । तदा सिद्धान्तवादी प्राह - एवं सति उक्तप्रकारके लक्षणे कृते सति केवलिनो एतल्लक्षणं युज्यते, न तु द्रव्यस्याण्वादेः तल्लक्षणं युज्यते । अयं वाच्यार्थः - केचिदेकान्तभेदवादिनो द्रव्यस्य लक्षणं स्थितिस्तथा गुणस्य लक्षणमुत्पादविगमाविति वदन्ति । एवमभ्युपगमे सति एवंप्रकारकं लक्षणं केवलिनि युज्यते न तु परमाण्वादिद्रव्येषु, यतः केवलिनि समुत्पन्नं केवलज्ञानं न क्षयतीति तदभिन्नत्वात्तद्रूपेण केवलिनो ध्रोव्यत्वं तथा प्रतिक्षणं चेतनाचेतनात्मकज्ञेयपरिणतिपरावृत्त्या केवलज्ञानमपि परावर्त्तत इत्युत्पादविगमस्वभाववत् केवलज्ञानं तदभिन्नत्वाञ्च केवलिनोऽप्युत्पादविगमरूपत्वम् । न हि अणौ रूपादयो जायन्ते अत्यन्तभिन्नत्वाद् गव्यश्वादिवत् । अथवा सकलज्ञेयग्राहिणः केवलिनोऽपि नैतल्लक्षणं युज्यते, न चापि द्रव्यस्याचेतनस्य, गुणगुणिनोरत्यन्तभेदे सत्युत्पादव्ययध्रौव्यात्मकलक्षणं सत्त्वं यद्भवतोऽनुमतं तन्न द्रव्ये, ध्रौव्यस्यैवैकस्य तत्र भावात्, नापि गुणे, तत्रोत्पादव्ययोरेव सद्भावात् ।।२३ ।। 2010_02 Page #238 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-२३-२४ १९३ अत्र सिद्धान्तकार उत्तरयन्नाह - दव्वत्थंतरभूया मुत्ताऽमुत्ता य ते गुणा होज्ज । जइ मुत्ता परमाणू णत्थि अमुत्तेसु अग्गहणं ।।२४।। द्रव्यार्थान्तरभूता द्रव्यभिन्नास्ते पूर्वोक्तलक्षणलक्षिता गुणा मूर्ता इन्द्रियग्राह्या अमूर्त्ताप्टोन्द्रियाग्राह्या वा भवेयुः । यदि गुणा मूर्त्ता भवेयुस्तर्हि परमाणवो न सन्ति न भवन्ति, मूर्त्तिमद्रूपाद्याधारत्वादनेकप्रादेशिकस्कन्धद्रव्यवत् । अमूर्तेष्वग्रहणमथ ते गुणा अमूर्त्तास्तर्हि तेषामग्रहणम्, अमूर्तत्वादाकाशवत् । ततो द्रव्यगुणयोः कथंचिद्भेदाभेदावभ्युपगमनीयौ । एतद्गम्यम् - सिद्धान्तकारः प्राह- यदि गुणा द्रव्यभिन्ना भवेयुस्तर्हि ते किंस्वरूपाः ? इन्द्रियग्राह्या इन्द्रियाग्राह्या वा ? यदि इन्द्रियग्राह्यास्तर्हि परमाणवो न संभवन्ति, परमाणुषु विद्यमानानां गुणानामिन्द्रियाग्राह्यत्वात् । तेन च परमाणवः स्वस्य परमाणुत्वम्, सूक्ष्मत्वम्, अतीन्द्रियत्वं च परित्यज्य स्थूलरूपा भविष्यन्ति । यदि च गुणा इन्द्रियाग्राह्यास्तर्हि तेषामाकाशवदग्रहणं भविष्यति, तत्र च प्रतीतिविरोधः । तस्माद् द्रव्यगुणयोः कथञ्चिद्भेदाभेदावभ्युपगमनीयौ ।।२४ ।। અવ. એકાંત ભેદવાદીએ રજૂ કરેલ દ્રવ્ય અને ગુણના બીજા લક્ષણની તથા તેના ભેદવાદની સમાલોચના કરતાં જણાવે છેगाथा : दव्वस्स ठिई जम्म-विगमा य गुणलक्खणं ति वत्तव्वं । एवं सइ केवलिणो जुज्जइ तं णो उ दवियस्स ।।२३।। द्रव्यस्य स्थितिर्जन्म-विगमौ च गुणलक्षणमिति वक्तव्यम् । एवं सति केवलिनो युज्यते तद् न तु द्रव्यस्य ।।२३।। अन्वयार्थ : दव्वस्स = (मेह छ ४) द्रव्यनु सक्ष ठिई = स्थिति य = अने गुणलक्खणं = गुआन लक्ष जम्म-विगमा = उत्पत्ति-विन॥२॥ त्ति वत्तव्वं = में प्रमाणोडे लो. एवं सइ = (सिद्धांत के छ 3), २॥ प्रभाडोत छते तं = ते (AAI) केवलिणो = वतीने घशे उ = ५॥ दवियस्स = द्रव्यमा णो = नलि घटे. छाया: ___ 2010_02 Page #239 -------------------------------------------------------------------------- ________________ १९४ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-२३-२४ જાથા : दव्वत्थंतरभूया मुत्ताऽमुत्ता य ते गुणा होज्ज । जइ मुत्ता परमाणू णत्थि अमुत्तेसु अग्गहणं ।।२४ ।। છાયા : द्रव्यार्थान्तरभूता मूर्ताऽमूर्ताश्च ते गुणा भवेयुः ।। यदि मूर्ताः परमाणवो न सन्ति अमूर्तेषु अग्रहणम् ।।२४ । । અન્વષાર્થ : સુબ્રત્યંતરમૂવી = દ્રવ્યથી ભિન્ન એવા તે = તે TUIT = ગુણો મુત્તાઈ મુત્તા ર = મૂર્તિ અથવા અમૂર્ત દોન્ન = હોય. નડ્ડ = જો મુત્તા = મૂર્ત હોય તો પરમાણૂ = પરમાણુ સ્થિ = ન ઘટે, અમુકુ = અને અમૂર્ત હોતે છતે માટvi = (તેનું) ગ્રહણ થઈ શકે નહિ. ગાથાર્થ ભેદવાદી કહે છે કે, દ્રવ્યનું લક્ષણ ‘સ્થિતિ અને ગુણનું લક્ષણ ‘ઉત્પત્તિ તથા વિનાશ' એમ કહેવું જોઈએ. સિદ્ધાંતી કહે છે કે, આ પ્રમાણે હોતે છતે તે લક્ષણ કેવલીમાં ઘટશે, પરંતુ પરમાણુ વગેરે દ્રવ્યમાં નહિ ઘટે. (૨૩) દ્રવ્યથી ભિન્ન એવા તે ગુણો મૂર્ત હોય અથવા અમૂર્ત હોય. જો તે મૂર્ત હોય તો કોઈપણ દ્રવ્ય પરમાણુસ્વરૂપ ન ઘટે અને અમૂર્ત હોય તો તેનું ગ્રહણ થઈ શકે નહિ. (૨૪) તાત્પર્યાર્થઃ કોઈ ભેદવાદી દ્રવ્યનું લક્ષણ સ્થિરતા અને ગુણનું લક્ષણ ઉત્પત્તિ-વિનાશ કહે છે, તેની સામે ગ્રંથકાર કહે છે કે, આ બંને લક્ષણ દ્રવ્ય અને ગુણના એકાંતભેદ ઉપર આધારિત છે, તેથી આ લક્ષણ માત્ર કેવલજ્ઞાનીમાં ઘટશે, પણ પરમાણુ વગેરે દ્રવ્યમાં નહિ ઘટે. કારણ કે, કેવલીભગવંતમાં ઉત્પન્ન થયેલ કેવલજ્ઞાન નાશ પામતું નથી અને તે કેવલજ્ઞા અભિન્ન હોવાથી તે રૂપે કેવલીમાં ધ્રુવપણું ઘટશે તથા પ્રતિક્ષણ જડ-ચેતનરૂપ શેય પદાર્થોનો બોધ પરાવર્તન પામતો હોવાથી કેવલજ્ઞાન પણ પરાવર્તન પામે છે. આ રીતે ઉત્પાદ-વિરામ સ્વભાવવાળા કેવલજ્ઞાનથી અભિન્ન હોવાથી કેવલી પણ ઉત્પાદ-વિગમ રૂપ કહેવાય છે. પણ પરમાણુ વગેરે દ્રવ્યમાં નહિ ઘટે. કારણ કે, જેમ ગાયના ગર્ભમાં અશ્વની ઉત્પત્તિ ન થાય તેમ પરમાણુ અને રૂ૫ અત્યંત ભિન્ન હોવાથી પરમાણમાં રૂ૫ વગેરે ઉત્પન્ન થઈ શકતા નથી અથવા અન્ય રીતે વિચારણા કરવામાં આવે તો કેવલીભગવંતોમાં પણ આ લક્ષણ ઘટી નહિ શકે. કારણ કે ગુણ અને ગુણી બંને વચ્ચે એકાંતે ભેદ માનવાથી ગુણ વિના ગુણી કે ગુણી વિના એકલા ગુણોનો સંભવ ન હોવાથી આકાશપુષ્પની જેમ લક્ષણ સંભવી શકતું જ નથી. માટે કેવલીમાં કે જડ એવા પુદ્ગલમાં ક્યાંય પણ આ લક્ષણ ઘટી શકશે નહિ. એકાંત ભેદદષ્ટિને દોષિત બતાવવા એકાંત ભેદ ઉપર રચાયેલાં લક્ષણોમાં અવ્યાપ્તિદોષ બતાવવા ઉપરાંત ગ્રંથકાર બીજી રીતે પણ દોષદર્શન કરાવે છે. તે ભેદવાદીને પૂછે છે કે, દ્રવ્યથી ભિન્ન માનેલા ગુણોને તમે મૂર્ત-ઇંદ્રિયગ્રાહ્ય માનો છો કે અમૂર્ત-ઇંદ્રિય અગ્રાહ્ય ? જો મૂર્ત 2010_02 Page #240 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-२५-२६ १९५ કહેશો તે પરમાણુ અતીન્દ્રિય મનાય છે તે જ માની શકાશે નહિ. કારણ કે, જે દ્રવ્ય અનેકપ્રદેશિકઢંધ સ્વરૂપ હોય છે તે જ મૂર્તિ બને છે. તેથી મૂર્ત-ઇંદ્રિયગ્રાહ્ય ગુણના આધાર હોવાથી પરમાણુ પોતે પણ ઇંદ્રિયગ્રાહ્ય બનશે; અને તેમ થાય તો અતીન્દ્રિયત્ન જવાને લીધે તેનું પરમાણુત્વ ક્યાં રહ્યું ? અને જો ગુણોને અમૂર્ત કહેશો, તો તે કદી ઇંદ્રિયજ્ઞાનના વિષય ન જ બનવા જોઈએ; પણ ઘટ-પટાદિ ઈન્દ્રિયજ્ઞાનના વિષય બને છે. તેથી એકાંત ભેદપક્ષમાં ગુણોને કેવળ મૂર્તિ કે કેવળ અમૂર્ત સ્વીકારવામાં કહેવાયેલા દોષો આવતા હોવાથી દ્રવ્ય અને ગુણમાં ભેદાભેદ જ સ્વીકારવો જોઈએ. તે આ મુજબ-દ્રવ્ય અને ગુણ વચ્ચે કથંચિત્ ભેદ છે, કારણ કે, દ્રવ્ય એક સ્વરૂપે અને ગુણ અનેક સ્વરૂપે જણાય છે તથા કથંચિ અભેદ છે, કારણ કે રૂપાદિ ગુણો વડે દ્રવ્યનો અને દ્રવ્યપણે રૂપાદિ ગુણોનો બોધ થાય છે. અન્યથા બોધ थई शzतो नथी. (२३-२४) प्रस्तुतचर्चायाः प्रयोजनं कथयन्नाह - सीसमईविष्फारणमेत्तत्थोऽयं कओ समुल्लावो । इहरा कहामुहं चेव णत्थि एवं ससमयम्मि ।।२५।। शिष्यबुद्धिविस्फारणमात्रार्थः केवलं शिप्यप्रज्ञाविकाशनार्थमयं समुल्लापः प्रवन्धः कृतो विस्तारितः । अन्यथा स्वसमये अनेकान्तवादमयजैनशासने एवं 'किमेते गुणा द्रव्याद्भिन्ना अभिन्ना वा ?' इत्येवं प्रकारकं कथामुखं कथाया आरम्भो नास्ति एव नैव संभवति । इदं सारम् - सकलवस्तुनोऽनेकधर्मात्मकत्वात् सर्वं कथंचिन्नित्यं कथंचिदनित्यम्, कथंचिद्भिन्नं कथंचिदभिन्नम्, कथंचिदेकं कथंचिदनेकमित्यादि । अयं चानेकान्तवादो जैनशासने सिद्ध एव । ततो ‘गुणा द्रव्येभ्यो किं भिन्ना अभिन्ना वा ?' इत्यादिचर्चाया जैनशासन अवकाशोऽशक्य एव, तथापि शिष्यमतिविकाशनार्थमेवायं विस्तारः कृतः, येन परोद्भावितशङ्कानिरसनेन शिष्या अनेकान्तवादमये जैनशासने स्थिरा भवेयुः ।।२५।। एवं भेदाभेदात्मके वस्तुतत्त्वे सिद्धे सत्येकान्तेन भिन्नमभिन्नं वेति प्रतिपादयन्तो मिथ्यावादिनो भवन्तीत्याह - ण वि अस्थि अण्णवादो ण वि तव्याओ जिणोवएसम्मि । तं चेव य मण्णंता अवमण्णंता ण याणंति ।।२६।। जिनोपदेशे द्वादशाङ्गे प्रवचने सर्वत्र कथंचिदित्याश्रयणान्नैव अस्ति अन्यवादो द्रव्याद्गुणा 2010_02 Page #241 -------------------------------------------------------------------------- ________________ १९६ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-२५-२६ भिन्ना इति, नापि तद्वादो द्रव्याद्गुणा अभिन्ना इति । तदेव च द्रव्यगुणयोरभिन्नवादमेव चकाराद्भिन्नवादमेवेति वा मन्यमाना मननीयमेवावमन्यमाना वादिनोऽभ्युपगतविषयावज्ञाविधायित्वात् परमार्थं न जानन्ति । तस्मादनेकान्तवाद एव व्यवस्थितः ।। इदं ज्ञेयम् - पूर्वोक्तप्रकारेण सर्वं वस्तु भेदाभेदरूपम्, न त्वेकान्तेन भेदरूपमभेदरूपं वा । तथापि ये वस्तुस्वरूपमेकान्तेन भिन्नरूपमभिन्नरूपं वा मन्यन्ते, ते वस्तुनो वास्तविकस्वरूपमजानानः परमार्थेनाज्ञानिन एव । ततो द्वादशाङ्गरूपे जिनोपदेशे वस्तुनः स्वरूपं भिन्नाभिनात्मकमेव दर्शितम् । न्याय-वैशेषिकादिदर्शनानि द्रव्य-गुणयोर्भेदं मन्यन्ते, साङ्ख्यादिदर्शनानि चाभेदं मन्यन्ते ।।२६ ।। અવ. પ્રસ્તુત ચર્ચાનું પ્રયોજન જણાવતાં કહે છે – गाथा : सीसमईविप्फारणमेत्तत्थोऽयं कओ समुल्लावो । इहरा कहामुहं चेव णत्थि एवं ससमयम्मि ।।२५।। छाया : शिष्यमतिविस्फारणमात्रार्थोऽयं कृतः समुल्लापः । इतरथा कथामुखमेव नास्ति एवं स्वसमये ।।२५।। अन्वयार्थ : सीसमईविष्फारणमेत्तत्थोऽयं = शिष्योनी बुद्धि विस भाटे ४ ॥ समुल्लावो = प्रबंध कओ = ४२वामां आव्यो छे. इहरा = अन्यथा, ससमयम्मि = २१र्शनमi-हैनशनमा एवं = ॥ प्रमाणे कहामुहं = ॐथननो साम चेव णत्थि = शस्य ४ नथी. ण वि अत्थि अण्णवादो ण वि तव्वाओ जिणोवएसम्मि । तं चेव य मण्णंता अवमण्णंता ण याणंति ।।२६।। नापि अस्ति अन्यवादो नापि तद्वादो जिनोपदेशे । तदेव च मन्यमाना अवमन्यमाना न जानन्ति ।।२६।। अन्वयार्थ : जिणोवएसम्मि = ५२मात्मा में डेरा सिद्धांतम ण वि अत्थि = नथी ४ अण्णवादो = (गु!-गुहीनो मेsiत) मेवा६ 3 ण वि अस्थि = नथी. ४ तव्वाओ = (१-४ीनो मेsid) अमेह. गाथा: छाया: 2010_02 Page #242 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-२७ १९७ = અને તં યેવ = (એકાંતે) તે જ અર્થાત્ અભેદ (કે ભેદીને મuvid = માનનારાઓ નવમviતા = (વાસ્તવિકતાની) અવજ્ઞા કરતા હોવાથી યાતિ = (પરમાર્થ) જાણતા નથી. ગાથાર્થ : શિષ્યોની બુદ્ધિના માત્ર વિકાસ માટે આ વિસ્તાર કરવામાં આવ્યો છે. અન્યથા અનેકાંતસ્વરૂપ જૈનદર્શનમાં “ગુણો ગુણીથી ભિન્ન છે કે અભિન્ન' આ કથાના આરંભનો જ અવકાશ નથી. (૨૫) કારણ કે પરમાત્માએ કહેલ ઉપદેશમાં નથી એકાંતે ભેદવાદ કે નથી એકાંતે અભેદવાદ. છતાં ગુણ અને ગુણી વચ્ચે એકાંતે ભેદ છે કે એકાંતે અભેદ છે એવું માનનારાઓ વાસ્તવિકતાની અવજ્ઞા કરતા હોવાથી પરમાર્થ જાણતા નથી. (૨૬) તાત્પર્યાર્થઃ દ્રવ્ય અને ગુણના ભેદ તથા અભેદ ઉપર આટલી બધી લાંબી ચર્ચા કર્યા પછી ગ્રંથકાર પોતે જ તેના પ્રયોજન વિષે કહે છે કે, ખરી રીતે આવી ચર્ચાને જૈનસિદ્ધાંતમાં સ્થાન જ નથી. કારણ કે જૈનદર્શન અનેકાંતવાદસ્વરૂપ છે. આ દર્શનમાં સર્વે વસ્તુઓ અનેકાંતરૂપેભેદભેદરૂપે માનવામાં આવેલ છે. એમાં ક્યાંયે ગુણ-ગુણીનો માત્ર ભેદ કે માત્ર અભેદ માનવામાં જ નથી આવ્યો. જેઓ ગુણને ગુણીથી ભિન્ન જ અથવા ગુણને ગુણીસ્વરૂપ જ માને છે, તેઓ તો વસ્તુની યથાર્થતાનો લોપ કરતા હોવાથી ખરી રીતે અજ્ઞાની જ છે. એટલે જૈનશાસ્ત્રમાં એકાંતવાદને સ્થાન જ નથી. તેમ છતાં અહીં જે એકાંતવાદના પૂર્વપક્ષની ભૂમિકા ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે, તેનું પ્રયોજન ફક્ત જિજ્ઞાસુ શિષ્યોની વિચારશક્તિ વિકસાવવી એટલું જ છે. એટલે તેઓએ ખાસ ખ્યાલમાં રાખવું કે આ પૂર્વપક્ષો જૈનમતાશ્રિત નથી પણ અન્ય મતાશ્રિત છે. ભેદભાવ એ વૈશેષિક, ન્યાય આદિ દર્શનોની છાયા છે અને અમેદવાદ એ સાંખ્ય આદિ દર્શનોની છાયા છે. એ બન્ને વાદની માન્યતાઓના અનેકાંતદષ્ટિથી સમુચિત સમન્વયમાં જ જૈન અનેકાંતદૃષ્ટિ રહેલી છે. (૨૫-૨૬) તેનેઝન્તસ્ય વ્યક્તિ તમને જોગધ્યનેકાન્ત વયનાદ - भयणा वि हु भइयव्वा जह भयणा भयइ सव्वदव्वाइं । एवं भयणा णियमो वि होइ समयाविरोहेण ।।२७।। यथा भजनाऽनेकान्तसिद्धान्तः सर्वद्रव्याणि जीवाजीवादिसर्ववस्तूनि भजते भिन्नाभिन्ननित्यानित्येत्यादितदतत्स्वभावात्मकतया ज्ञापयति तथा हु खलु भजनाऽप्यनेकान्तसिद्धान्तोऽपि भजनीया नयापेक्षया स्यादेकान्तः प्रमाणापेक्षया च स्यादनेकान्त इति 2010_02 Page #243 -------------------------------------------------------------------------- ________________ १९८ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-२७-२८ ज्ञापनीयः । एवंप्रकारेण भजनाऽनेकान्तः, नियमोऽपि अपिः समुच्चयार्थः - ततः नियमष्टा एकान्तष्टा समयाविरोधेनानेकान्तैकान्तप्रतिपादकसिद्धान्ताविरोधेन भवति संभवति । इदं संभाव्यम् - कस्यचिदपि वस्तुनो यथार्थस्वरूपं ज्ञातुं यथाऽनेकान्तसिद्धान्त उपयुज्यते, तेन च वस्तुमात्रं भिन्नाभिन्नम्, नित्यानित्यमित्यादि ज्ञायते । तथैवानेकान्तस्यापि स्वरूपमनेकान्तेनैव यथार्थं ज्ञायते, ततोऽनेकान्तो नयापेक्षयैकान्तरूपः प्रमाणापेक्षया चानेकान्तरूपो ज्ञायते । एवमेकान्तोऽनेकान्तप्टा सिद्धान्तस्याविरोधेन संभवति ।।२७।। साम्प्रतं ‘षड् जीवनिकायाः' इत्यत्राप्यनेकान्तस्य व्यापकत्वं व्यवस्थापयन्नाह - णियमेण सद्दहंतो छक्काए भावओ न सद्दहइ । हंदी अपज्जेसु वि सद्दहणा होइ अविभत्ता ।।२८।। षटकायान् नियमेनावधारणेन श्रद्दधानः ‘पडेवैते जीवाः कायाप्टो'त्येवं श्रद्धां कुर्वन् पुरुषो भावतः परमार्थतो न श्रद्धते, जीवराश्यपेक्षया तेपामेकत्वस्य कायानामपि पुद्गलतयैकत्वस्याऽश्रद्धानात् । हन्दि यतोऽपर्यायेष्वेकादिप्रकाररहितेषु पट्सु कायेपु श्रद्धाऽप्यविभक्ताऽसंपूर्णा भवति द्रव्यश्रद्धापर्यवसन्ना भवतीति यावत् । इदं वाच्यम् - विविधदृष्टिभिर्जीवस्वरूपस्य निरूपणेनैव स्याद्वादसिद्धान्तः संगच्छते । तेन “एगविह-दुविह-तिविहा...” इत्यादिप्ररूपणयैव श्रद्धा भावरूपा भवति । तदस्वीकृत्य किञ्चिदेकप्रकारेणैव जीवस्वरूपस्य श्रद्धां यः कोऽपि करोति स न भावसम्यग्दृष्टिरपि तु द्रव्यसम्यग्दृष्टिरेव स्यात्, यतो यथा पटकायानाश्रित्य जीवाः पड्विधास्तथैव चेतनामाश्रित्य एकविधः, बस-स्थावरानाश्रित्य द्विविध इत्याद्यपि घटते, अन्यथा जीवस्य यथार्थस्वरूपश्रद्धाया अभावात् ।।२८ ।। અવ. અનેકાંતની વ્યાપકતા જણાવતાં કહે છે – गाथा : भयणा वि हु भइयव्वा जइ भयणा भयइ सव्वदव्वाइं । एवं भयणा णियमो वि होइ समयाविरोहेण ।।२७।। छाया : भजनाऽपि हु भजनीया यथा भजना भजते सर्वद्रव्याणि । एवं भजना नियमोऽपि भवति समयाविरोधेन ।।२७।। 2010_02 Page #244 -------------------------------------------------------------------------- ________________ સંમતિતÁપ્રર્ળે, ાન્ડ-૩, ગાથા-૨૭-૨૮ अन्वयार्थ : ગાથા : છાયા : अन्वयार्थ : નહ્ન = જેમ, ભયા = અનેકાંતસિદ્ધાંત સત્ત્વવાદું = સર્વ દ્રવ્યોને भयइ = વિકલ્પનીય કરે છે, हु અનેકાંત- સિદ્ધાંત પણ મફ્યવા વિકલ્પનીય કરવા યોગ્ય છે. एवं = આ પ્રમાણે મયા = અનેકાંતસિદ્ધાંત નિયમો વિ એકાંતસિદ્ધાંત સમયાવિરોદેન સિદ્ધાંતના અવિરોધ વડે દોડ્ = અને સંભવે છે. 2010_02 = = णियमेण सद्दहंतो छक्काए भावओ न सद्दहइ । हंदी अपज्जवेसु वि सद्दहणा होइ अविभत्ता ।। २८ ।। - नियमेन श्रद्दधानः षट्कायान् भावतो न श्रद्धत्ते । हन्दि अपर्यवेषु अपि श्रद्धा भवति अविभक्ता ।। २८ ।। = (તેમ) ખરેખર, મયળા વિ १९९ એકાંતથી સદહતો = = શ્રદ્ધા ભાવથી ન સદ્દર = શ્રદ્ધા કરતો નથી. छक्काए ષટ્ જીવનિકાયને વિમેન કરતો પુરુષ ભાવો = અવિદ્યમાન પર્યાયવાળા દ્રવ્યમાં પણ हंदी = તેથી અપન્નવેસુ વિ અવિમત્તા સદ્દદળા = અવિભક્ત એવી જે શ્રદ્ધા (થાય છે તે પણ ભાવથી જ) દોફ = થાય છે. = વિશેષાર્થ : અષ્ટસહસ્રીતાત્પર્યવિતરણ તથા અનેકાંતવ્યવસ્થા ગ્રંથમાં ગાથા-૨૮નો અર્થ કરતાં મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ જણાવ્યું કે, અપર્યાયમાં અર્થાત્ એક વગેરે પ્રકારથી રહિત માત્ર છકાય રૂપ ચોક્કસ એક પ્રકારમાં પણ શ્રદ્ધા અવિભક્ત અર્થાત્ અપૂર્ણ થાય છે. કારણ કે, સર્વ પ્રકારમાં શ્રદ્ધા હોય તો જ શ્રદ્ધા વાસ્તવિક બને છે. = ગાથાર્થ : જેમ અનેકાંતસિદ્ધાંત સર્વ વસ્તુઓને વિકલ્પનીય કરે છે, તેમ અનેકાંતસિદ્ધાંતને પણ વિકલ્પનો વિષય કરવા યોગ્ય છે. આ પ્રમાણે સિદ્ધાંતનો વિરોધ ન આવે તે રીતે અનેકાંતસિદ્ધાંત અને એકાંતસિદ્ધાંત સંભવે છે. (૨૭) ષટ્જવનિકાયોને એકાંતથી શ્રદ્ધા કરતો પુરુષ ભાવથી શ્રદ્ધા કરતો નથી. તેથી અપર્યાયમાં અર્થાત્ અવિદ્યમાનપર્યાયવાળા પુદ્ગલમાં પણ અવિભક્ત એવી જે શ્રદ્ધા થાય છે, તે શ્રદ્ધા પણ ભાવથી જ થાય છે. (૨૮) Page #245 -------------------------------------------------------------------------- ________________ २०० સંતિતર્જર, ઝાડુ-રૂ, થા-૨૭-૨૮ તાત્પર્યાર્થઃ અનેકાંતદષ્ટિ તે એક પ્રકારની પ્રમાણપદ્ધતિ છે. તે એવી વ્યાપક છે કે, જેમ એ અન્ય બધા પ્રમેયોમાં લાગુ પડી તેનું સ્વરૂપ નક્કી કરે છે, તેમ તે પોતાના વિષયમાં પણ લાગુ પડે છે અને પોતાનું સ્વરૂપ વિશેષે સ્પષ્ટ કરે છે. પ્રમેયોમાં લાગુ પડવાનો અર્થ એ છે કે, તેમના વિષયમાં જે સ્વરૂપને આશ્રયી જુદી જુદી દૃષ્ટિઓ બંધાયેલી હોય અગર બંધાવાનો સંભવ હોય, તે બધી દૃષ્ટિઓનો યોગ્ય રીતે સમન્વય કરી અર્થાત્ તે દરેક દૃષ્ટિનું સ્થાન નક્કી કરી, પ્રમેયનું વાસ્તવિક સ્વરૂપ કેવું હોવું જોઈએ તે સ્થિર કરવું. જેમ કે, જગતના મૂળ તત્ત્વ જડ અને ચેતનના વિષયમાં અનેક દૃષ્ટિઓ પ્રવર્તે છે. કોઈ એમને માત્ર અભિન્ન કહ્યું છે તો કોઈ માત્ર ભિન્ન, કોઈ એમને માત્ર નિત્યરૂપ માને છે તો કોઈ માત્ર અનિત્યરૂપ, વળી કોઈ એમને એક માને છે તો કોઈ અનેક કહે છે. આ અને આના જેવા બીજા અનેક વિકલ્પોનું સ્વરૂપ, તારતમ્ય અને અવિરોધીપણું વિચારી સમન્વય કરવો કે એ તત્ત્વો સામાન્યદૃષ્ટિએ જોતાં અભિન્ન, નિત્ય અને એક છે, તેમ જ વિશેષ દૃષ્ટિએ જોતાં ભિન્ન, અનિત્ય અને અનેક પણ છે. આ પ્રમેયના વિષયમાં અનેકાંતદષ્ટિની પ્રવૃત્તિનો એક દાખલો થયો. એ જ પ્રમાણે અનેકાંતદૃષ્ટિ જ્યારે પોતાના વિષયમાં પ્રવર્તે છે, ત્યારે પોતાના સ્વરૂપ વિષે તે જણાવે છે કે, તે અનેક દૃષ્ટિઓનો સમુચ્ચય હોવાથી અનેકાંત તો છે જ, તેમ છતાં એ એક સ્વતંત્ર દૃષ્ટિ હોવાથી તેટલા પૂરતી એકાંતદૃષ્ટિ પણ છે. એ જ રીતે અનેકાંત એટલે બીજું કાંઈ નહિ, પણ જુદી જુદી દૃષ્ટિરૂપ એકમોને સાચો સરવાળો. અનેકાંત સિદ્ધાંતને જો ચોક્કસ એક નયની અપેક્ષાએ વિચારવામાં આવે તો તે એકાંત સ્વરૂપ છે અને જો પ્રમાણની અપેક્ષાએ વિચારવામાં આવે તો તે અનેકાંત સ્વરૂપ છે. આમ હોવાથી તે અનેકાંત હોવા છતાં એકાંત પણ છે જ. જો કે એમાં એટલી વિશેષતા છે કે, તેમાં સમાતું એકાંતપણું યથાર્થતાનું વિરોધી ન હોવું જોઈએ. સારાંશ એ છે કે, અનેકાંતમાં સાપેક્ષ (સમ્યક) એકાંતોને સ્થાન છે જ. જેમ અનેકાંતદૃષ્ટિ એ એકાંતદૃષ્ટિ ઉપર પ્રવર્તતા મતાંતરોના અભિનિવેશથી બચવાની શિક્ષા આપે છે, તેમ તે અનેકાંતદૃષ્ટિને નામે બંધાતા એકાંતઆગ્રહોથી બચવાની પણ શિક્ષા આપે છે. જૈન પ્રવચન અનેકાંતરૂપ છે એમ માનનારા પણ જો તેમાં આવેલા વિચારોને એકાંતરૂપે ગ્રહણ કરે, તો તે સ્થૂળ દૃષ્ટિએ અનેકાંતસેવી છતાં તાત્ત્વિકદૃષ્ટિએ એકાંતી જ બની જાય છે અને તેથી તે સમ્યગ્દષ્ટિ નથી હોતા. આ પદાર્થના સ્પષ્ટીકરણ માટે જ્ઞાન અને આચારની એક-એક બાબત અહીં લઈએ. જૈન શાસ્ત્રમાં સંસારી જીવની છ નિકાયો (જાતિઓ) બતાવેલ છે અને આચારની બાબતમાં કહેલું છે કે, હિંસા એટલે જીવઘાત અને તે અધર્મનું કારણ છે. આ બન્ને વિચારોને એકાંતરૂપે ગ્રહણ કરવામાં યથાર્થતાનો લોપ થતો હોવાથી, અનેકાંતદૃષ્ટિ રહેતી જ નથી. જીવની છ જ જાતિઓ છે અથવા છ જાતિઓ જ છે એવું એકાંત માનતાં ચૈતન્યરૂપે જીવતત્ત્વનું એકત્વ ભૂલાઈ જવાય છે અને માત્ર ભેદ જ દૃષ્ટિપથમાં આવે છે. તેથી પૃથ્વીકાય 2010_02 Page #246 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-२९ २०१ આદિ છ વિભાગોને એકાંતરૂપે ગ્રહણ ન કરતાં તેમાં ચૈતન્યરૂપે જીવતત્ત્વનું એકપણું પણ ગ્રહણ કરવું એ જ યથાર્થ છે; અને એ જ રીતે આત્મા એક છે તથા અનેક છે એવાં શાસ્ત્રીય ભિન્ન ભિન્ન વાક્યોનો સમન્વય થાય છે. તે જ પ્રમાણે જીવઘાતને એકાંત હિંસારૂપે સમજવામાં પણ યથાર્થતાનો લોપ થાય છે; કારણ કે પ્રસંગ વિશેષમાં જીવનો ઘાત હિંસારૂપ નથી પણ બનતો. જેમ કોઈ અપ્રમત્ત મુનિ સંપૂર્ણ જાગૃત રહ્યા હતાં અને સંપૂર્ણ યતના રાખવા છતાં જ્યારે જીવને નથી બચાવી શકતા, ત્યારે તેમના દ્વારા થયેલો એ ઘાત હિંસાકોટિમાં નથી આવતો. તેથી ક્યારેક જીવઘાત એ અહિંસા પણ છે. માટે જીવઘાતને એકાંતે હિંસારૂપે કે એકાંતે અહિંસારૂપે ગ્રહણ ન કરતાં સ્વરૂપ-હેતુ-અનુબંધ-દ્રવ્ય-ભાવ આદિનો યોગ્ય રીતે ઉભયસ્વરૂપ સમજવામાં જ અનેકાંતદષ્ટિ છે અને તે જ સમ્યગ્દષ્ટિ છે. તથા નહિ બળેલ અથવા અર્ધબળેલ લાકડું-તણખલું વગેરે મુદ્દગલમાં વર્તમાન સમયે અગ્નિ અથવા અગ્નિકણરૂપ પર્યાય નથી. તેવા દ્રવ્યમાં “આ પુદ્ગલ અગ્નિમય થઈ ચૂક્યા છે અથવા અગ્નિરૂપ બનશે એવી જે અભેદને જણાવનારી જ્ઞાન સ્વરૂપ શ્રદ્ધા છે તે અતાત્વિક નથી, પરંતુ તાત્વિક જ છે. આ રીતે, વર્તમાનકાળના તે પુદ્ગલદ્રવ્યમાં ભૂતકાળના તથા ભવિષ્યકાળના પર્યાયો વિદ્યમાન ન હોવા છતાં તે પર્યાયોના સ્વીકારરૂપ જે શ્રદ્ધા હોય છે તે જ શ્રદ્ધા અનેકાંતની અપેક્ષાએ તાત્ત્વિક છે અને તે જ સૂચવે છે કે અનેકાંતસિદ્ધાંત સર્વત્ર વ્યાપક છે. અનેકાંત વ્યવસ્થા, અષ્ટસહસ્ત્રીતાત્પર્ય વિવરણ વગેરે ગ્રંથોમાં આ ગાથાનો અર્થ કરતાં મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ જણાવ્યું છે કે, ષકાયને એકાંતથી શ્રદ્ધા કરતો પુરુષ ભાવથી સમ્યગ્દષ્ટિ નથી. કારણ કે, અપર્યાયમાં અર્થાતું એક પ્રકારે જીવ, બે પ્રકારે જીવ વગેરે પર્યાય ન સ્વીકારી માત્ર છ કાયમાં જ કરવામાં આવતી શ્રદ્ધા સ્યાદ્વાદના જ્ઞાનની સમાપ્તિ માટે અપૂર્ણ બને છે. કારણ કે “વિદવિવિહા...” વગેરે ગાથાઓ વડે કરવામાં આવતી પ્રરૂપણા જ સ્યાદ્વાદનું સંપૂર્ણ જ્ઞાન કરવામાં સમર્થ થઈ શકે છે. (૨૭-૨૮) गतिमदपि द्रव्यमपेक्षाविशेषेण गतिमदगतिमञ्चेति प्रदानेकान्तस्य व्यापकत्वं दर्शयन्नाह गइपरिणयं गई चेव केइ णियमेव दवियमिच्छंति । तं पि य उड्डगईयं तहा गई अनहा अगई ।।२९।। गतिपरिणतं गमनक्रियापरिणामवद् द्रव्यं गतिमदेवेति केचिनियमेनावधारणेनेच्छन्ति मन्यन्ते, तदपि च गतिक्रियापरिणतं जीवद्रव्यं सर्वतो गमनायोगादूर्ध्वगतिकमूर्खादिप्रतिनियतदिग्गतिकं स्वीकरणीयम् । एवं च तथा ऊर्ध्वादिप्रतिनियतदिग्गमनेनैव गतिमत्, अन्यथा तदा अन्यदिग्गमनेनागतिमज्ज्ञेयम् । 2010_02 Page #247 -------------------------------------------------------------------------- ________________ २०२ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-२९-३१ इदं गम्यम् - अनेकान्तस्य व्यापकतां व्यवहारेण ज्ञापयन् ग्रन्थकार आह - अस्ति किञ्चिदपि जीवद्रव्यं गतिमत्, तथापि तद् द्रव्यं प्रतिनियतदिगाश्रित्यैव गतिमन्न तु सर्वदिगाश्रित्य, अन्यथाऽभिप्रेतदेशप्राप्तिवदनभिप्रेतदेशप्राप्तिरपि संभवेत् । तत एकमेव द्रव्यमपेक्षाविशेषेण गतिमदपेक्षाविशेषेण चागतिमदपीत्यनेकान्तेनैव ज्ञायते ।।२९ ।। दहनादिषु गुणनिवर्तितसंज्ञाष्वप्यनेकान्तव्यापकतां वर्णयन्नाह - गुणणिव्वत्तियसण्णा एवं दहणादओ वि दट्ठव्वा । जं तु जहा पडिसिद्धं दब्वमदव्वं तहा होइ ।।३०।। गुणनिवर्तितसंज्ञा गुणेन दहनादिना निर्वर्तितोत्पादिता संज्ञाऽभिधानं येषां ते दहनादयोऽपि दहन-पवनादयोऽप्येवमनेकान्तात्मका एव द्रष्टव्याः कथञ्चिद् दहनादहनोभयात्मका अभ्युपगन्तव्याः । यद् द्रव्यं तु यथा दहनरूपतया प्रतिषिद्धं तद् द्रव्यं तथा भजनाप्रकारेण अद्रव्यमदहनादिरूपं भवति - स्याद् दहनः स्याददहन इति भावः । इदं निरूप्यम् - दहन-पवन-पचनादिगुणनिष्पन्नसंज्ञाष्वप्यनेकान्तो युज्यते । यथा - दाहपरिणामयोग्यतृणाद्यपेक्षया दहनो दाहपरिणामायोग्यऽऽकाशादीनाश्रित्य त्वदहनः, पाकपरिणामयोग्यौदनाद्यपेक्षया पचनः, तत्परिणामायोग्यापेक्षया चातथारूप इति सर्वत्र योज्यम् । यथा दहने तथाऽदहनेऽप्यनेकान्तः । तथाहि - यदुदकद्रव्यमदहनरूपं तदपि न सर्वथाऽदहनरूपम्, अदहनरुपपृथिव्यादिभिन्नत्वात् । अन्यथा दहनव्यतिरिक्तानामेकत्वप्रसङ्ग इत्यनेकान्त एव सर्वत्र विजयते ।।३०।। जीवस्य कथञ्चिद् जीवाजीवोभयात्मकत्वादनेकान्तात्मकत्वं घटयन्नाह - कुंभो ण जीवदवियं जीवो वि ण होइ कुंभदवियं ति । तम्हा दो वि अदवियं अण्णोण्णविसेसिया होंति ।।३१।। कुम्भो घटो न जीवद्रव्यं, जीवोऽपि न कुम्भद्रव्यं भवतीति । तस्माद् द्वावपि जीवकुम्भावन्योन्यविशेषितौ परस्पराभावात्मकावद्रव्यं भवतः । ___ 2010_02 Page #248 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-२९-३१ २०३ छाया : अयमभिप्रायः- घटाद्यजीवद्रव्यं जीवाद्भिन्नम्, जीवद्रव्यमपि घटाद्यजीवद्रव्याद्भिन्नम्, अन्यथा सर्वस्य सर्वात्मकत्वं स्यात् । तथा जीवः स्वरूपापेक्षया जीवद्रव्यम, घटाद्यजीवद्रव्यापेक्षया तु न जीवद्रव्यम्, तेनैव प्रकारेण घटः स्वरूपापेक्षयाऽजीवद्रव्यम्, जीवापेक्षया तु नाजीवद्रव्यमिति वस्तुमात्रस्याऽऽपेक्षिकतदतत्स्वभावात्मकत्वात् सर्वमनेकान्तात्मकमिति व्यवस्थितम् ।।३१ ।। અવગતિયુક્ત દ્રવ્ય પણ અપેક્ષાવિશેષથી ગતિયુક્ત પણ છે અને ગતિરહિત પણ છે' વગેરે કેટલાક દૃષ્ટાંતો વડે અનેકાંતવાદને વ્યાપક જણાવતાં કહે છે – गाथा : गइपरिणयं गई चेव केइ णियमेण दवियमिच्छंति । तं पि य उड्ढगईयं तहा गई अनहा अगई ।।२९।। गतिपरिगतं गति एव केचिद् नियमेन द्रव्यमिच्छन्ति । तदपि च ऊर्ध्वगतिकं तथा गति अन्यथा अगतिः ।।२९।। अन्वयार्थ : गइपरिणयं = ति३५ याना परिमाणु दवियं = द्रव्य णियमेण = निश्ये गई चेव = गतिaaj ४, मेम केइ = 2403 इच्छंति = भाने छ. तं पि य = अने ते ५५u (तिया द्रव्य) उड्डगईयं = @१३ मिश्यित शिम तिवाणु भान भोई. तहा = ते शत अर्थात् मिश्यित हिमi old 43 गई = (द्रव्य) तिवाणु, अनहा = अन्यथा (अन्य हिशाने आश्रया) अगई = [तिडित. गाथा: गुणणिव्वत्तियसण्णा एवं दहणादओ वि दट्ठव्वा । जं तु जहा पडिसिद्धं दब्वमदव्वं तहा होइ ।।३०।। गुणनिर्वर्तितसंज्ञा एवं दहनादयोऽपि द्रष्टव्याः । यत्तु यथा प्रतिषिद्धं द्रव्यमद्रव्यं तथा भवति ।।३० ।। अन्वयार्थ : गुणणिवत्तियसण्णा = शुनिष्पननामो स्१३५ दहणादओ वि = 'डन' वगैरे हो एवं = ॥ प्रभायो (मने id:१३५) दट्ठव्वा = ५॥ योग्य छे. जं तु दव्वं = ॥२९॥ द्रव्य छाया: 2010_02 Page #249 -------------------------------------------------------------------------- ________________ २०४ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-२९-३१ નદી = જે પ્રકારે પસિદ્ધ = નિષિદ્ધ હોય તe = (તે દ્રવ્ય) તે પ્રકારે = અદ્રવ્ય હો; = થાય છે. JIથા : कंभो ण जीवदवियं जीवो वि ण होड कंभदवियं ति । तम्हा दो वि अदवियं अण्णोण्णविसेसिया होति ।।३१।। છાયા : कुम्भो न जीवद्रव्यं जीवोऽपि न भवति कुम्भद्रव्यमिति । तस्माद् द्वावपि अद्रव्यमन्योन्यविशेषितौ भवतः ।।३१।। સન્વાર્થ : મો = ઘટ એ નવવિવું = જીવદ્રવ્ય = નથી, નવો વિ = (અને) જીવ પણ મદ્રવિતિ = ઘટદ્રવ્ય રોફ = નથી. તણા = તેથી, ગotvorવિસેસિયા = પરસ્પરના અભાવસ્વરૂપ રો વિ = ઘટ અને જીવ એ બંને પણ વિયં = અદ્રવ્યસ્વરૂપ દૉતિ = છે. ગાથાર્થઃ ગતિભાવે પરિણામ પામેલ દ્રવ્ય નિચ્ચે ગતિવાળું જ છે, એવું કેટલાક માને છે. (પરંતુ) તે ગતિક્રિયાપરિણામવાળું દ્રવ્ય પણ ઊર્ધ્વ વગેરે એક ચોક્કસ દિશામાં જ ગતિવાળું માનવું જોઈએ. તે રીતે અર્થાતુ નિશ્ચિત દિશામાં ગતિ વડે તે દ્રવ્ય ગતિવાળું છે અને અન્ય દિશાને આશ્રયીને ગતિરહિત છે. (૨૯) એ રીતે પોતાના ગુણને કારણે જે સંજ્ઞા સિદ્ધ થઈ છે, તેવા ગુણનિષ્પન્ન નામો સ્વરૂપ “દહન' વગેરે શબ્દો પણ અનેકાંતસ્વરૂપ સમજવા. કારણ કે જે દ્રવ્ય જે પ્રકારે નિષિદ્ધ હોય, તે દ્રવ્ય પણ તે પ્રકારે અર્થાત્ ભજનાથી અદ્રવ્યસ્વરૂપ થાય છે. (૩૦) ઘટ એ જીવદ્રવ્ય નથી અને જીવ પણ ઘટદ્રવ્ય નથી. તેથી પરસ્પરના અભાવ સ્વરૂપ ઘટ અને જીવ એ બન્ને પણ તે તે રૂપે અદ્રવ્ય છે. (૩૧) તાત્પર્ધાર્થ : જેમાં અનેકાંતદૃષ્ટિ લાગુ કરવી હોય તેનું સ્વરૂપ બહુ સૂક્ષ્મતાથી તપાસવું જોઈએ. તેમ કરવાથી ભૂલદૃષ્ટિએ દેખાતા કેટલાક વિરોધો આપોઆપ દૂર થાય છે અને વિચારણીય વસ્તુનું તાત્ત્વિક સ્વરૂપ ચોક્કસ રીતે ધ્યાનમાં આવે છે. આ વસ્તુસ્થિતિ સ્પષ્ટ કરવા ગ્રંથકાર અહીં ગતિયુક્ત દ્રવ્યનો, દહન-પવન વગેરે સંજ્ઞાઓનો અને જીવ-ઘટ વગેરેની ભાવાત્મકતાનો એમ ત્રણ દૃષ્ટાંતો અનુક્રમે લે છે. (૧) કોઈપણ સ્થૂલદૃષ્ટિએ વિચારનાર વ્યક્તિ જ્યારે અમુક વસ્તુને ગતિવાળી જુએ, ત્યારે તે એમ જ માને અને કહે કે આ વસ્તુ ગતિવાળી જ છે અને તેમાં ગતિનો અભાવ નથી. આ માન્યતા કેટલે અંશે સાચી છે તે તપાસવા જરા ઊંડા ઊતરતાં જણાય છે કે તણખલું જ્યારે ગતિમાં હોય છે ત્યારે પણ તે પૂર્વ - પશ્ચિમ - ઊંચે – નીચે વગેરે બધી દિશા - વિદિશાઓમાં 2010_02 Page #250 -------------------------------------------------------------------------- ________________ સંમતિતપ્રકરણે, ક્રાહુ-૩, થા-૨૬-૩૨ ૨૦૫ ગતિ કરતું નથી. જો એ ઊંચે ઊડતું હોય તો તે નીચી દિશામાં ગતિ નથી જ કરતું; જો તે પૂર્વદિશામાં જતું હોય છે, તો પશ્ચિમ દિશામાં તેની ગતિ નથી જ. એ જ રીતે કોઈપણ એક જ દિશામાં એક કાળે ગતિ સંભવતી હોવાથી તે વખતે તે વસ્તુમાં બીજી દિશાઓની અપેક્ષાએ ગતિ નથી જ. આ પ્રમાણે સૂક્ષ્મદ્રષ્ટિથી દેખાયેલા સાપેક્ષ ગતિ અને તેના અભાવને લીધે સ્થૂલદષ્ટિએ એક જ વસ્તુમાં દેખાતો ગતિ-અગતિનો વિરોધ આપોઆપ દૂર થઈ જાય છે, અને એ વસ્તુ એક જ કાળમાં કઈ રીતે ગતિવાળી અને કઈ રીતે ગતિ વિનાની છે, એ સ્વરૂપ અનેકાંતદૃષ્ટિએ નક્કી થઈ જાય છે. (૨) લાકડાં વગેરેને બાળે છે માટે અગ્નિ એ દહન છે અને કચરાને ઉડાડી અનાજને સૂપડાની જેમ સાફ કરે છે માટે વાયુ એ પવન છે. દહન-પવન વગેરે શબ્દોની વ્યુત્પત્તિ જાણનાર જો પૂલદૃષ્ટિવાળો હોય, તો દહનને અદહન અને પવનને અપવન કહેતા કોઈને સાંભળી જરૂર વિરોધ કરે અને કહે કે, એમ કહેવું તે ખોટું છે. આ સ્થળે શું સત્ય છે તે જાણવું હોય, તો થોડા પ્રશ્નો જ કરવા જરૂરી છે. અગ્નિ બાળે છે માટે જ દહન કહેવાય છે ને ? જો એમ હોય તો તે ઘાસ વગેરે બળવા લાયક વસ્તુઓને બાળે છે, પણ આકાશ-આત્મા-વજઅણ વગેરે વસ્તઓને કેમ બાળતો નથી ? એટલે તે બળવા યોગ્ય વસ્તુઓની અપેક્ષાએ દહન હોવા છતાં અદાહ્ય વસ્તુઓની અપેક્ષાએ દહન નથી. આ રીતે જોતાં દહન એ યૌગિક નામ હોવાથી જ્યાં દાહ ન કરી શકે ત્યાં તે એ નામ ધારણ ન જ કરી શકે. એટલે એક જ અગ્નિમાં દહનપણું અને અદહનપણું સાપેક્ષ રીતે છે જ; તેમાં કશો જ વિરોધ નથી. આ જ યુક્તિ પવનમાં લાગુ પડે છે. આ પ્રમાણે અનેકાંતષ્ટિથી જે દ્રવ્ય જે ક્રિયા કરવા સમર્થ હોય છે, તે દ્રવ્ય તે ક્રિયાની અપેક્ષાએ તે તે નામ ધરાવે છે. તે જ પ્રમાણે જે દ્રવ્ય જે પ્રકારે નિષેધ કરાયું હોય અર્થાત્ જે ક્રિયા કરવા અસમર્થ હોય, તે દ્રવ્ય તે ક્રિયાની અપેક્ષાએ અદ્રવ્યરૂપ જ છે. આ કથન જ અનેકાંત દૃષ્ટિની વ્યાપકતાને સૂચવે છે. અહીં અદ્રવ્ય પણ ભજનાથી - વિકલ્પ જાણવું. અર્થાત્ જે બાળે તે દહન અને ન બાળે તે અદહન, પાણીદ્રવ્ય બાળતું ન હોવાથી તેને અદહન કહેવાય છે. અહીં પણ ભજના જાણવી. કારણ કે પાણી અદહનરૂપ છે તે જ રીતે પૃથ્વી વગેરે પણ અદહનરૂપ છે. તે અદહન પૃથ્વી વગેરેથી ભિન્ન હોવાથી પાણી અદહનરૂપ (પૃથ્વી વગેરે સ્વરૂપ) નથી. નહિતર બધા અદહન દ્રવ્યો એકરૂપ જ બની જાય અર્થાત્ અદહનરૂપ પૃથ્વીની અપેક્ષાએ પાણી અદહનરૂપ નથી. (૩) જીવ એ એક સ્વતંત્ર દ્રવ્ય હોવાથી ભાવાત્મક વસ્તુ છે, એ જ રીતે ઘટ વગેરે પુદ્ગલ પણ સ્વતંત્ર દ્રવ્ય હોવાથી ભાવાત્મક વસ્તુ છે. એ બન્ને દ્રવ્યોને કોઈ અભાવાત્મક કહે તો સ્થૂળ દૃષ્ટિવાળાને વિરોધ જ દેખાય; અને તે એમ કહે કે જો જીવ એ દ્રવ્ય છે, તો અભાવાત્મક કેમ હોઈ શકે ? એ જ રીતે ઘટ પણ પુદ્ગલદ્રવ્ય હોવાથી અભાવાત્મક કેમ હોઈ શકે ? તેને દેખાતો આ વિરોધ કેટલે અંશે ઠીક છે તે જોવા એ બન્ને દ્રવ્યોની સરખામણી કરવી પડશે. જીવ દ્રવ્ય છે અને ઘટ પણ દ્રવ્ય છે એ ખરું; પણ શું બન્ને દ્રવ્યો સર્જાશે સમાન જ છે ? જો વિચારતાં એમ જણાય કે એ બન્નેમાં તફાવત પણ છે અને તે એ કે એકમાં ચૈતન્ય છે ને બીજામાં નથી, 2010_02 Page #251 -------------------------------------------------------------------------- ________________ २०६ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-३२-३३ અને બીજામાં રૂપ આદિ મૂર્ત ગુણો છે તે પહેલામાં નથી; તેથી એ કથનનો અર્થ એ જ થાય છે કે, જીવ એ ચૈતન્યરૂપે છે અને રૂપ આદિ ગુણસ્વરૂપે નથી. એ પ્રમાણે ઘટ એ રૂપ વગેરે પૌદ્ગલિક ધર્મસ્વરૂપ છે અને ચૈતન્યરૂપે નથી. આ સર્વ જોતાં જે પહેલાં ભાવાત્મક અને અભાવાત્મકપણા વચ્ચે વિરોધ દેખાતો હતો, તે રહેતો નથી અને એ બન્ને અંશો સાપેક્ષપણે ગોઠવાઈ જાય છે અને નક્કી થાય છે કે, જીવદ્રવ્ય ચૈતન્યસ્વરૂપે ભાવાત્મક હોવા છતાં જે પૌલિકસ્વરૂપે નથી તે સ્વરૂપે તે અભાવાત્મક પણ છે. એ જ ન્યાય ઘટ વગેરે પૌદ્ગલિક દ્રવ્યોમાં પણ લાગુ પડે છે. આ રીતે સર્વ વસ્તુઓનું વાસ્તવિક અને સંપૂર્ણ સ્વરૂપ અનેકાંતદૃષ્ટિથી જ સ્પષ્ટ થાય છે અને તે જ સૂચવે છે કે અનેકાંતવાદ એક સર્વવ્યાપક સિદ્ધાંત છે. (૨૯-૩૧) अनेकान्तेन वस्तुमात्रस्य स्वरूपं दर्शयित्वाऽधुना 'उत्पन्नमिदम्' इति धीसाक्षिकधर्मरूपस्योत्पादस्य भेदान् दर्शयन्नाह - उप्पाओ दुवियप्पो पओगजणिओ य वीससा चेव । तत्थ उ पयोगजणिओ समुदयवायो अपरिसुद्धो ।।३२।। उत्पादो द्विविकल्पो द्विभेदः, आद्यः प्रयोगजनितष्टा यः प्रयोगेण प्रयत्नेन जनित उत्पन्नः स पुरुपव्यापारजनितरूपः, अपरप्टा वीस्रसा च स्वाभाविकोत्पादरूपः । तत्र तु द्विप्रकारकोत्पादमध्ये प्रयोगजनित उत्पादः समुदयवादरूपो मूर्तिमद्रव्यारब्धावयवकृतत्वात् । तत एवाऽसावपरिशुद्धः, अत्राऽपरिशुद्धत्वं स्वाश्रययावदवयवोत्पादापेक्षया पूर्णस्वभावत्वम् । इदं शब्दनीयम् - कानिचिद् द्रव्याणि नित्यानि कानिचित्त्वनित्यानि । द्रव्येषु यः ‘इदमुत्पन्नमि'त्यादिव्यवहारः स उत्पादः । स च द्विविधः - प्रयोगजनितो वीनसा च । प्रयोगजनितोत्पादः समुदायवादरूपः, रुप्यवयवसमूहादुत्पन्नत्वात् । तथा यावदवयवद्रव्योत्पादादनु एवावयवीद्रव्यस्य पूर्णत्वादसावपरिशुद्ध इति गीयते । द्वितीयोत्पादस्य स्वरूपमनन्तरगाथायां वक्ष्यते ।।३२ ।। वित्रसाजनितोत्पादस्य स्वरूपं दर्शयन्नाह - साभाविओ वि समुदयकओ ब्व एगत्तिओ व्व होज्जाहि । आगासाईआणं तिण्हं परपञ्चओऽणियमा ।।३३।। 2010_02 Page #252 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-३२-३४ २०७ स्वाभाविकोऽप्युत्पादो द्विविधः । एकः समुदयकृतो वा जीवप्रयत्नमन्तरेण विस्रसा-. परिणतपुद्गलसमुदायेन जनितोऽभ्रादिवत्, द्वितीय ऐकत्विको वाऽनुत्पादिताऽमूर्तिमद्द्रव्यारब्ध आकाशादिद्रव्यवद्भवेत् । आकाशादीनामाकाश-धर्माऽधर्मास्तिकायादीनां त्रयाणां द्रव्याणां परप्रत्ययः परद्रव्यनिमित्त उत्पादोऽनियमादनेकान्ताद्भवेत् । इदं भाव्यम् - विस्रसाजन्योत्पादो द्विप्रकारकः (१) समुदायकृतः - अभ्रादीनामुत्पादरूपः, असौ च जीवप्रयत्नमन्तरेणैव जनितः । (२) ऐकत्विकः - स्वतन्त्रैकैकद्रव्यरूपे आकाशादित्रितये भवदुत्पादः, तस्य च स्कन्धाश्रितत्वस्याभावात् परिशुद्ध इति गीयते । तथाऽऽकाशादिपु त्रिपु द्रव्येषु भवतोऽवगाहन-गति-स्थितिरूपक्रियोत्पादस्यावगाहक-गन्तृ स्थातृघटादिपरद्रव्यनिमित्तत्वेन क्वचिद्भवति क्वचिञ्च न भवति ।।३३ ।। उत्पादवद्विगमोऽपि तथाविध एवेति दर्शयन्नाह - विगमस्स वि एस विही समुदयजणियम्मि सो उ दुवियप्पो । समुदयविभागमेत्तं अत्यंतरभावगमणं च ।।३४।। विगमस्यापि नाशस्यापि एष विधिः प्रयोगजनितष्टा विस्त्रसा चेति द्वौ भेद्वौ । द्वयोरपि भेदयोः समुदयजनिते यो विनाशः स तु द्विविकल्पो द्विप्रकारकः । एकः समुदयविभागमात्रं यथा पटादेः कार्यस्य तत्कारणपृथक्करणम्, द्वितीयस्त्वर्थान्तरभावगमनं च यथा मृत्पिण्डस्य घटार्थान्तरभावः । अयं गम्यम् - उत्पादवद्विनाशोऽपि द्विविधः (१) प्रयोगजनितः (२) स्वाभाविकः । उभयत्रापि समुदायजनितविनाशो द्विभेदः (१) समुदायविभागमात्रम्, (२) अर्थान्तरभावगमनं च । आद्यः कार्यस्य कारणानां पृथक्करणरूपः - यथा पटकार्यस्य तत्कारणपृथक्करणे तन्तुविभागमात्रम्, द्वितीयोऽर्थान्तरभावोत्पादरूपः - यथा मृत्पिण्डस्य घटार्थान्तरभावोत्पादरूपो विनाशः । आद्ये स्वरूपनाशरूपविनाशः, अपरे तु तज्जन्यान्यस्वरूपोत्पादरूपविनाश इति भावार्थः ।।३४ ।। ___ 2010_02 Page #253 -------------------------------------------------------------------------- ________________ २०८ અવ. દ્રવ્યગત ઉત્પાદ અને નાશના પ્રકારો જણાવતાં કહે છે गाथा : छाया : गाथा : छाया : अन्वयार्थ : उप्पाओ = उत्पाह दुवियप्पो = मे प्रहारनो पओगजणिओ य = प्रयत्नन्य अने वीससा चेव = स्वाभाविड. तत्थ उ = त्यां वणी, पओगजणिओ = प्रयत्न४न्य उत्पाद से समुदयवायो = समुहाय वडे थनार छे, अपरिसुद्धो = अपरिशुद्ध छे. गाथा : संमतितर्कप्रकरणे, काण्ड - ३, छाया : उप्पाओ दुवियप्पो पओगजणिओ य वीससा चेव । तत्थ उपओगजणिओ समुदयवायो अपरिसुद्धो ||३२|| उत्पादो द्विविकल्पः प्रयोगजनितश्च विस्रसा चैव । तत्र तु प्रयोगजनितः समुदायवादोऽपरिशुद्धः ।। ३२ ।। 2010_02 अन्वयार्थ : साभाविओ वि = स्वाभावि उत्पाद या समुदयकओ व्व = सहायकृत ने एगत्तिओ व्व = विस्व३५ होज्जाहि छे. आगासाईआणं = खाडाश वगेरे तिन्हं = ए| द्रव्यमां (डविड उत्पा६) परपचओ परद्रव्य निमित्ते होवाथी अणियमा अनियमथी (अनेडांतथी हेपाय छे ) . गाथा-३२-३४ साभाविओ वि समुदयकओ व्व एगत्तिओ व्व होज्जाहि । आगासाई आणं तिहं परपच्चओऽणियमा ||३३|| स्वाभाविकोऽपि समुदयकृतो वा ऐकत्विकश्च भवेत् । आकाशादीनां त्रयाणां परप्रत्ययोऽनियमात् ।। ३३ ।। = विगमस्यापि एष विधिः समुदयजनिते स तु द्विविकल्पः । समुदयविभागमात्रमर्थान्तरभावगमनं च ।। ३४ ।। = विगमस्स वि एस विही समुदयजणियम्मि सो उ दुवियप्पो । समुदयविभागमेत्तं अत्यंतरभावगमणं च ।।३४।। = = अन्वयार्थ : विगमस्स वि विनाशना । एस विही = २४ (जे) प्रार. उ = वणी, समुदयजणियम्मि = समुहायकृत उत्पादमां सो = ते विनाश Page #254 -------------------------------------------------------------------------- ________________ સંમતિતપ્રજર), વાજુ-૩, TIથા-રૂ૨-૩૪ २०९ સુવિMો = બે પ્રકારનો, સમુદામાન્ત = સમુદાયના વિભાગ માત્ર સ્વરૂપ (૧) અત્યંતરમાવામvi = = અને અન્ય સ્વરૂપને પામવા રૂપ (૨). ગાથાર્થ : ઉત્પાદ બે પ્રકારનો છે. (૧) પ્રયત્નજન્ય અને (૨) વૈઋસિક (સ્વાભાવિક). તે પૈકી પ્રયત્નજન્ય ઉત્પાદ એ સમુદાયવાદસ્વરૂપ છે અને તે અપરિશુદ્ધ છે. (૩૨) સ્વાભાવિક (વૈઋસિક) ઉત્પાદ બે પ્રકારનો છે. (૧) સમુદાયકૃત અને (૨) ઐકત્વિક. આકાશ વગેરે ત્રણ દ્રવ્યોમાં પરનિમિત્તજન્યરૂપે એકત્વિક ઉત્પાદ અનિયમથી (અનેકાંતથી) દેખાય છે. (૩) વિનાશના પણ એ જ પ્રકાર છે અર્થાત્ સ્વાભાવિક તથા પ્રયત્નજનિત એમ બે પ્રકાર છે. સમુદાયકૃત ઉત્પાદમાં (એટલે પ્રયત્નજનિત અને સ્વાભાવિક એ બન્ને પ્રકારના સમુદાયકૃત ઉત્પાદમાં) તે વિનાશ બબ્બે પ્રકારનો છે. (૧) સમુદાયના વિભાગ માત્ર રૂપ અને (૨) અર્થાતરપણાની પ્રાપ્તિરૂપ. (૩૪) તાત્પર્યાર્થ : ઈશ્વરકારણવાદી દર્શનોના મત પ્રમાણે પ્રાણીના પ્રયત્નથી દેખાતા અને પ્રાણીના પ્રયત્ન વિના જ દેખાતા દરેક જન્ય પદાર્થનો ઉત્પાદ અને વિનાશ ઈશ્વરાધીન હોવાથી ઈશ્વરપ્રયત્નજનિત છે. એ મત જૈનદર્શનને માન્ય નથી એ બતાવવા ગ્રંથકારશ્રી કહે છે કે, સઘળા પદાર્થોનો ઉત્પાદ અને વિનાશ કોઈના પ્રયત્નથી થાય છે તેવું નથી અને તેમ માનવામાં ઈશ્વર કર્તુત્વ માનવું પડે. પણ ઘણા દૃષ્ટિકોણો તથા હેતુઓથી વિચારતાં ઈશ્વરનું કર્તૃત્વ સંભવતું જ નથી; તેથી અનુભવ પ્રમાણે જ્યાં કોઈપણ પ્રાણીનો પ્રયત્ન હોય, ત્યાં ઉત્પાદ અને વિનાશ પ્રયત્નજન્ય માનવા અને જ્યાં કોઈનો પ્રયત્ન ન હોય ત્યાં ઉત્પાદ અને વિનાશ અપ્રયત્નજન્ય માનવા એ જ યોગ્ય છે. એટલે જન્ય પદાર્થના ઉત્પાદ અને વિનાશ બન્ને પ્રાયોગિક (પ્રયત્નજન્ય) અને વૈસિક (અપ્રયત્નજન્ય કે સ્વાભાવિક) એમ બબ્બે પ્રકારના છે, એ જ ફલિત થાય છે. તેને વૈશેષિક આદિ દર્શનોની જેમ માત્ર પ્રાયોગિક માનવા એ અનુભવવિરુદ્ધ છે. ઉત્પાદ અને વિનાશનું વિશેષ સ્વરૂપ સામુવિ - છૂટા છૂટા રહેલા અવયવોના મળવાથી સમુદાયરૂપે પદાર્થનો જે ઉત્પાદ થાય છે, તે સામુદાયિક ઉત્પાદ કહેવાય છે. તેને જ જૈનદર્શનમાં સ્કંધ અને ન્યાય વગેરે દર્શનોમાં અવયવી કહે છે. એ ઉત્પાદ કોઈ એક જ દ્રવ્યને આશ્રિત ન હોવાથી અપરિશુદ્ધ પણ કહેવાય છે. એ જ પ્રમાણે સમુદાય અંધ કે અવયવીરૂપે ઉત્પન્ન થયેલ પદાર્થનો જે નાશ થાય છે, તે સામુદાયિક નાશ છે. સામુદાયિક ઉત્પાદ કે સામુદાયિક વિનાશ બન્ને જન્યસ્કંધસાપેક્ષ હોવાથી અને તેવો સ્કંધ પુદ્ગલદ્રવ્યમાં જ સંભવતો હોવાથી, એ બન્ને મૂર્તદ્રવ્યમાં જ ઘટી શકે, અમૂર્તમાં નહિ. કારણ કે અમૂર્તદ્રવ્યનો જ સ્કંધ સંભવતો જ નથી. 2010_02 Page #255 -------------------------------------------------------------------------- ________________ २१० संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-३२-३४ સામુદાયિક ઉત્પાદ અને સામુદાયિક વિનાશ બન્ને પ્રાયોગિક તેમ જ સ્વાભાવિક એમ બબ્બે પ્રકારના છે. ઘટ-પટ આદિ જે કંધો કોઈ ને કોઈના પ્રયત્નથી બને છે તેમ જ નાશ પામે છે, તે સામુદાયિક ઉત્પાદ અને સામુદાયિક વિનાશ પ્રાયોગિક છે; અને વાદળાં, પહાડ આદિ સ્કંધો જે કોઈના પ્રયત્ન વિના જ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, તે સામુદાયિક ઉત્પાદ અને સામુદાયિક વિનાશ સ્વાભાવિક છે. ત્વિવ - કોઈ બીજા દ્રવ્ય સાથે મળી સ્કંધત્વનું રૂપ ધારણ કર્યા વિના જ રહેલ અર્થાત્ સ્વતંત્ર એક-એક દ્રવ્ય વ્યક્તિમાં જે ઉત્પાદ અને વિનાશ સંભવે છે, તે એકત્વિક ઉત્પાદ અને વિનાશ છે. એ ઉત્પાદ અને વિનાશ સ્કંધ આશ્રિત ન હોવાથી પરિશુદ્ધ પણ કહેવાય છે. આવા ઉત્પાદ અને વિનાશનો વિષય અમૂર્ત દ્રવ્ય અને તેમાં પણ જે અમૂર્ત દ્રવ્ય માત્ર એક એક વ્યક્તિરૂપ છે તે જ હોઈ શકે છે. તેથી જ આકાશ, ધર્મ અને અધર્મ એ ત્રણ અસ્તિકામાં ઐકત્વિક ઉત્પાદ અને ઐકત્વિક વિનાશ કહેવામાં આવ્યો છે. આ ઉત્પાદ અને વિનાશ માત્ર સ્વાભાવિક હોય છે, પ્રાયોગિક હોતો નથી. કારણ કે આકાશ વગેરે ત્રણે દ્રવ્યો પરિણામી હોવા છતાં ગતિક્રિયા વિનાનાં હોવાથી તેમાં પુદ્ગલની જેમ પ્રયત્નને અવકાશ જ નથી. ક્રિયાશીલ પુદ્ગલ અને જીવની અવગાહનક્રિયા, ગતિક્રિયા અને સ્થિતિક્રિયામાં દેશભેદે અને કાળભેદે તટસ્થ નિમિત્ત બનવું કે ન બનવું એ જ આકાશ વગેરે ત્રણે દ્રવ્યોનો ઉત્પાદ અને વિનાશ છે, જે માત્ર પરસાપેક્ષ હોવાથી અનિયત છે. વિનાશ વિષે ખાસ જાણવાની બાબત એ છે કે પ્રાયોગિક અને સ્વાભાવિક બન્ને પ્રકારનો સામુદાયિક વિનાશ (૧) સમુદાયવિભાગમાત્ર અને (૨) અર્થાતરભાવપ્રાપ્તિ એમ બે પ્રકારનો છે. તે પૈકી (૧) સમુદાયનો ભંગ થવાથી અવયવોનું છૂટા પડી જવું અને સ્કંધપણું ત્યજી દેવું એ સમુદાયવિભાગમાત્રરૂપ નાશ કહેવાય છે. એનો પ્રાયોગિક દાખલો પ્રયત્નથી મકાન તૂટવાને લીધે ઈંટ વગેરે અવયવોનું છૂટા પડવું તે છે; અને સ્વાભાવિક દાખલો પ્રયત્ન વિના જ વાદળું વિખરાવાથી કે પહાડ તૂટવાથી તેના અવયવોને જુદા પડવું તે છે. (૨) અવયવોનો વિભાગ થયા વગર જ સ્કંધદ્રવ્યનું પૂર્વ આકાર છોડી બીજા આકારમાં બદલાઈ જવું તે અર્થાતરભાવપ્રાપ્તિરૂપ વિનાશ છે. આનો પ્રાયોગિક દાખલો કડાનું કુંડલ બનાવવું તે છે; અને વૈઋસિક દાખલો બરફનું પાણી અને પાણીનું હવારૂપમાં ભૌતિક સંયોગો કે ઋતુના પ્રભાવ વગેરેથી બદલાઈ જવું તે છે. 2010_02 Page #256 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-३२-३४ २११ ઉત્પાદ વિગમ (વિનાશ) પ્રયોગજનિત (સમુદાયવાદ) (અપરિશુદ્ધ) વિસા (સ્વાભાવિક) પ્રયોગજનિત (સમુદાયવાદ) (અપરિશુદ્ધ) વિત્રતા (સ્વાભાવિક) સમુદાયકૃત સમુદાયકૃત એકત્વિક (પરિશુદ્ધ) ઐકવિક (પરિશુદ્ધ) સમુદાયવિભાગ- અર્થાતરભાવમાત્ર ગમના સમુદાયવિભાગ અર્થાતરભાવમાત્ર ગમન અહીં એ પ્રશ્ન થાય છે કે, સંસારી તેમ જ મુક્ત આત્મામાં જે પર્યાયોનો ઉત્પાદ-વિનાશ થાય છે તેને અને છૂટાં છૂટાં સ્વતંત્ર પરમાણુઓમાં જે પર્યાયોનો ઉત્પાદ વિનાશ થાય છે, તેને પ્રાયોગિક કે વૈઋસિક ઉત્પાદ-વિનાશમાં અહીં ક્યાંય કેમ નથી મૂક્યા ? આનો ઉત્તર વિચારતાં ગ્રંથકારના બે આશય હોય તેમ લાગે છે. ઈશ્વરકતૃત્વ સામે પ્રાયોગિક અને સ્વાભાવિકની ચર્ચા હોવાથી જેમાં જેમાં ઈશ્વરકર્તુત્વ વિષેની કોઈની માન્યતા હોય, તે તે પદાર્થનો જ ઉત્પાદવિનાશ અહીં પ્રસ્તુત છે; તેથી પરમાણુ કે ચેતનદ્રવ્યને અહીં લીધાં નથી. કારણ કે, કોઈપણ ઈશ્વરકારણવાદી પરમાણુ કે ચેતન દ્રવ્યને જન્ય માનતો નથી. અવયવીમાત્રને ઈશ્વરજન્ય માનનાર વૈશેષિક આદિ છે અને આકાશને ઈશ્વરજન્ય માનનાર ઔપનિષદ્ દર્શન (વેદાંત દર્શન) છે, તેથી મૂર્ત દ્રવ્યમાંથી પરમાણુને અને અમૂર્ત દ્રવ્યમાંથી આત્માને છોડીને જ અહીં ચર્ચા કરી હોય એવો સંભવ છે. બીજો આશય એ જણાય છે કે, જે દ્રવ્ય સ્કંધરૂપ છે, તેની જ ચર્ચા પ્રસ્તુત છે. પરમાણુ તો સ્કંધ જ નથી તથા આત્મા આકાશની જેમ પ્રદેશોનો અનાદિ અંધ છે ખરો, છતાં તેના ઉત્પાદવિનાશનો જ વિચાર સાતમી ગાથામાં આવી જતો હોવાથી અહીં તેને ગ્રહણ ન કર્યો હોય. તે પોતે જ પોતાની અવસ્થાનો કર્તા હોવાથી તેના પર્યાયોનો ઉત્પાદ વિનાશ તેના પ્રયત્નની અપેક્ષાએ પ્રાયોગિક જ કહી શકાય, જીવ કોઈપણ દશામાં વર્તતો કેમ ન હોય છતાં તેના પર્યાયો. તેના વીર્યજનિત હોવાથી પ્રાયોગિક જ છે; પછી તે વીર્ય અભિસંધિજ હોય કે અનભિસંધિજ. આ વિષયમાં વિશેષ તો કેવલી ભગવંતો જાણે. ગાથા-૩૩ની ટીકામાં ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણે સાવયવી છે. તે વાતની યુક્તિપૂર્વક સિદ્ધિ કરવા ઉપરાંત આગમમાં આકાશ વગેરે જે સંજ્ઞા આપવામાં આવી છે તેની પણ સિદ્ધિ કરેલ છે. (૩૨-૩૪) 2010_02 Page #257 -------------------------------------------------------------------------- ________________ २१२ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-३५-३६ उत्पाद-विनाश-स्थितीनां भिन्नाभिन्नकालत्वस्यार्थान्तरानर्थान्तरत्वस्य कथनमाह - तिण्णि वि उप्पायाई अभिण्णकाला य भिण्णकाला य । अत्यंतरं अणत्थंतरं च दवियाहि णायव्वा ।।३५।। त्रयोऽप्युत्पादादय उत्पाद-विनाश-स्थितिस्वभावाः परस्परतो द्रव्येष्वभिन्नकालाप्टा समकालीना भिन्नकालाष्टा विभिन्नकालीनाप्टा । तथा ते चोत्पादादयो द्रव्यादर्थान्तरं भिन्नरूपा अनर्थान्तरं चाभिन्नरूपाप्टा ज्ञातव्याः । इदं ज्ञेयम् - वस्तुमात्रं द्रव्य-पर्यायोभयरूपम् । पर्यायेषु केचित् क्रमवर्तिनः, तथा केचित् सहवर्तिनः । क्रमवर्त्तिद्विपर्यायानाश्रित्योत्पादविनाशौ समकालिनौ, पूर्वपर्यायविनाशकालस्यैवात्तरपर्यायोत्पादकालत्वात् । किन्तु क्रमवत्यैकपर्यायानाश्रित्योत्पादविनाशौ भिन्नकालीनौ तस्योत्पादकालविनाशकालयोभिन्नत्वात । तथाऽनेकपर्यायानङ्गीकृत्योत्पादयस्त्रयोऽपि समकालीनाः, पूर्वपर्यायनिवृत्ति-उत्तरपर्यायोत्पत्तिसामान्यरूपस्थितीनामेककालीनत्वात् । तथा चैकपर्यायं स्वीकृत्योत्पादादयो भिन्नकालीनाः, क्रमवर्त्तित्वात् । तथोत्पादादयस्त्रयोऽपि धर्मिणो धर्मरूपत्वाद्भिन्नाप्टाभिन्नाटा । यतो द्रव्यस्यांशभूतास्ततो भिन्नाः, तथा अंशभूतत्वेऽपि धर्मीरूपास्ततोऽभिन्नाः - न तेषामस्तित्वं धर्मिणो भिन्नम् ।।३५ ।। अस्मिन्नेवार्थे प्रत्यक्षसिद्धोदाहरणमाह - जो आउंचणकालो सो चेव पसारियस्स वि ण जुत्तो । तेसिं पुण पडिवत्ती-विगमे कालंतरं णत्थि ।।३६।। अङ्गुल्यादेव्यस्य य आकुञ्चनकालः संकोचनकाल: स एव प्रसारितस्यापि अङ्गुलेर्न युक्तः, आकुञ्चन-प्रसारणयोर्भिन्नकालतया प्रतीतेर्तयोर्भेदः । तयोः प्रसारणा-ऽऽकुञ्चनयोः पुनः प्रतिपत्तिविगमे प्रसारणात्मकोत्तरपर्यायस्योत्पत्तौ आकुञ्चनात्मकपूर्वपर्यायस्य नाशे च कालान्तरं भिन्नकालत्व-मङ्गुलिद्रव्यस्य नास्ति । अत उत्पादादीनां त्रयानामभिन्नकालता ज्ञायते । 2010_02 Page #258 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-३५-३७ २१३ इदं ज्ञेयम् - अस्यैवार्थोऽङ्गुलिद्रव्यद्वारेण ज्ञायते । तथाहि-यदैवाङ्गुलिद्रव्यमाकुच्यते न तदैव प्रसार्यते, यदैव च तत् प्रसार्यते न तदैवाकुच्यते, किन्तु भिन्नकाल एव, अत आकुञ्चनप्रसारणपर्याययोस्तद्विशिष्टद्रव्यस्य च भिन्नकालत्वमत एव भिन्नत्वम् । अधुनाऽभिन्नकालतामभिन्नरूपतां च दर्शयन्नाह - आकुञ्चनात्मकपूर्वपर्यायनाश-प्रसारणात्मकोत्तरपर्यायोत्पत्तिअङ्गलिद्रव्यस्थितीनामभिन्नकालता प्रतीयते, एकस्मिन्नेव समये अङ्गलिद्रव्यस्य विद्यमानत्वे सति तस्य पूर्वपर्यायनाशोत्तरपर्यापोत्पत्तिर्ज्ञायते, न तत्र समयभेदः, अत एवाभिन्नरूपत्वम् ।।३६।। यथोत्पादादीनां प्रत्येकमेकैकं रूपं त्र्यात्मकं तथा भूत-वर्त्तमान-भविष्यद्भिरप्येकैकं रूपं त्रिकालतामाप्नोतीत्येतदेवाह - उप्पज्जमाणकालं उप्पण्णं ति विगयं विगच्छंतं । दवियं पण्णवयंतो तिकालविसयं विसेसेइ ।।३७।। उत्पद्यमानकालमित्यनेनाद्यसमयादारभ्योत्पत्त्यन्तसमयं यावदुत्पद्यमानत्वस्येष्टत्वाद्वर्तमानभविष्यकालविषयं द्रव्यमुक्तम्, उत्पन्नमित्यनेन त्वतीतकालविषयम्, एवं विगतं विगच्छदित्यनेनापीति, ततप्टोत्पद्यमानादि प्रज्ञापयन् स भगवान् द्रव्यं त्रिकालविषयं यथा भवति तथा विशेषयति । इदं कथनीयम् - यद् द्रव्यं यदैवोत्पद्यते तत् तदैवोत्पन्नमुत्पत्स्यते च, यद् यदैवोत्पन्नं तत् तदैवोत्पद्यते उत्पत्स्यते च, यद् यदैवोत्पत्स्यते तद् तदैवोत्पद्यते उत्पन्नं च । तथा यद् द्रव्यं यदैवोत्पन्नं तद् तदैव विगतं विगच्छद् विगमिष्यञ्च, यद् यदैवोत्पद्यते तद् तदैव विगतं विगच्छद् विगमिष्यञ्च, यद् यदैवोत्पत्स्यते तद् तदैव विगतं विगच्छद् विगमिष्यञ्च । एवं विगमोऽपि त्रिकाल उत्पादादिना दर्शनीयः, तथा स्थित्याऽपि त्रिकाल एव सप्रपञ्चः प्रदर्शनीयः । एवं स्थितिरपि उत्पाद-विनाशाभ्यां सप्रपञ्चाभ्यामेकैकाभ्यां त्रिकाला प्रदर्शनीयेति द्रव्यमन्योन्यात्मकतथाभूतकालत्रयात्मकोत्पाद-विनाश-स्थित्यात्मकं ज्ञेयम् ।।३७ ।। 2010_02 Page #259 -------------------------------------------------------------------------- ________________ २१४ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-३५-३७ छाया: गाथा: અવ. ઉત્પાદ, નાશ અને સ્થિતિનો કાળભેદથી ભેદભેદ જણાવતાં કહે છે– गाथा : तिण्णि वि उप्पायाई अभिण्णकाला य भिण्णकाला य । अत्यंतरं अणत्थंतरं च दवियाहि णायव्वा ।।३५।। त्रयोऽपि उत्पादादयोऽभिन्नकालाश्च भिन्नकालाश्च । अर्थान्तरमनन्तरं च द्रव्याज्ज्ञातव्याः ।।३५ ।। अन्वयार्थ : उप्पायाई = Gr4u ३ तिण्णि वि = (द्रव्यमां) अभिण्णकाला य = समानmi २२॥२॥ ५४॥ छ भने भिण्णकाला य = भिन्न भिन्न अणमा २3ना२॥ ५९॥ छ. उप्पायाई = उत्पाद वगैरे त्रो धो दवियाहि = द्रव्यथी अत्यंतरं = भिन्न अणत्थंतरं च = अने अभिन्न णायव्वा = Mein. जो आउंचणकालो सो चेव पसारियस्स वि ण जुत्तो । तेसिं पुण पडिवत्ती-विगमे कालंतरं णत्थि ।।३६।। यः आकुञ्चनकालः स एव प्रसारितस्यापि न युक्तः । तयोः पुनः प्रतिपत्ति-विगमे कालान्तरं नास्ति ।।३६।। अन्वयार्थ : जो = (शुलि वगैरे द्रव्यन) d आउंचणकालो = संयना सो चेव = ते ४ पसारियस्स वि = प्रस२४ानो ५५॥ ण जुत्तो = मानवो योग्य नथी. पुण = वणी, तेसिं = तेन। पडिवत्ती-विगमे = उत्पत्ति भने ॥शन समये कालंतरं = (अंगुखिद्रव्यमां) आगनुं अंतर णत्थि = घटतुं नथी. उप्पज्जमाणकालं उप्पण्णं ति विगयं विगच्छंतं । दवियं पण्णवयंतो तिकालविसयं विसेसेइ ।।३७।। उत्पद्यमानकालमुत्पन्नमिति विगतं विगच्छद् । द्रव्यं प्रज्ञापयन् त्रिकालविषयं विशेषयति ।।३७।। अन्वयार्थ : उप्पज्जमाणकालं = उत्पन थत समये दवियं = द्रव्य उप्पण्णं = उत्पन्न थयु, विगच्छंतं = नाश पामत समये दवियं = द्रव्य छाया: गाथा: छाया: 2010_02 Page #260 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-३५-३७ २१५ વિષાર્થ = નાશ પામ્યું તિ = એ પ્રમાણે પUUવવંતો = પ્રરૂપણા કરતો પુરુષ રવિવું = દ્રવ્યને તિલાવિયં = ત્રણે કાળના વિષય વડે વિસેલેડુ = વિશિષ્ટ બનાવે છે. ગાથાર્થ ઉત્પાદ વગેરે ત્રણે ધર્મો દ્રવ્યમાં એક સાથે રહેનારા પણ છે અને ભિન્ન-ભિન્નકાળમાં રહેનારા પણ છે. તથા આ ઉત્પાદ વગેરે ત્રણે ધર્મો દ્રવ્યથી ભિન્ન પણ જાણવા તેમજ અભિન્ન પણ જાણવા. (૩૫) અંગુલિ વગેરે દ્રવ્યના જે સંકોચનકાળ છે તે જ તેનો પ્રસરણકાળ છે, તેવું માનવું યુક્ત નથી. વળી, તે ઉત્પત્તિ તથા વિનાશના સમયે અંગુલિદ્રવ્યનું ભિન્નકાળપણું નથી અર્થાત્ પૂર્વપર્યાયનાશ, ઉત્તરપર્યાયઉત્પત્તિ અને અંગુલિદ્રવ્યની સ્થિતિ ત્રણે સમકાળે છે. (૩૬) ઉત્પન્ન થતાં સમયે દ્રવ્ય “ઉત્પન્ન થયું છે અને ઉત્પન્ન થનાર છે તેમ જ નાશ પામતાં સમયે દ્રવ્ય “નાશ પામ્યું છે અને નાશ પામનાર છે' એ રીતે પ્રરૂપણા કરતો પુરુષ તે દ્રવ્યને ત્રણે કાળના વિષયથી વિશિષ્ટ બનાવે છે. (૩૭) તાત્પર્યાર્થઃ ‘ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યયુક્ત સત્' આ પ્રમાણોનું તત્વાર્થસૂત્રનું વચન હોવાથી સસ્તુનું (વિદ્યમાન પદાર્થનું) લક્ષણ ઉત્પાદ, નાશ અને સ્થિતિ એવું કરવામાં આવ્યું છે. તેનું વિશેષ સ્પષ્ટીકરણ કરતાં ગ્રંથકાર જણાવે છે કે, લક્ષણભૂત ઉત્પાદ આદિ ત્રણે અંશોનો કાળ એકબીજાથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે; તેમ જ એ લક્ષણસ્વરૂપ ઉત્પાદ વગેરે ત્રણે લક્ષ્યભૂત દ્રવ્યથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. દરેક વસ્તુ દ્રવ્ય અને પર્યાય ઉભયરૂપ હોવાથી તેનું સંપૂર્ણ સ્વરૂપ તે ઉભયમાં જ સમાય છે. પર્યાયો કેટલાક પરસ્પર વિરોધી હોવાથી ક્રમવર્તી હોય છે તો કેટલાક અવિરોધી હોવાથી સહવર્તી પણ હોય છે. ક્રમવર્તી બે પર્યાયોને લઈ તેના ઉત્પાદ અને વિનાશના સમયનો વિચાર કરીએ, તો તે સમકાલીન છે એમ કહેવું જોઈએ. કારણ કે અનંતર પૂર્વપર્યાયની અંતિમ કાલસીમાં તે જ ઉત્તરપર્યાયની આદિ કાલસીમા હોય છે, પરંતુ કોઈપણ એક પર્યાયને લઈ તેના ઉત્પાદ-વિનાશના સમયનો વિચાર કરીએ, તો જણાશે કે તે બન્ને ભિન્નકાલીન છે. કારણ કે, એક પર્યાયના કાળની આદિસીમા અને અંતિમસીમા જુદી જુદી હોય છે. પૂર્વ પર્યાયની નિવૃત્તિ અને ઉત્તર પર્યાયની ઉત્પત્તિ જે સમયમાં થતી હોય છે, તે જ સમયમાં તે વસ્તુ અમુક સામાન્યરૂપે સ્થિર પણ હોય છે. તેથી એ રીતે જોતાં ઉત્પાદ, વિનાશ અને સ્થિતિ એ ત્રણે સમકાલીન છે. પરંતુ કોઈ એક જ પર્યાયને લઈ સ્થિતિનો વિચાર કરીએ, તો તેના ઉત્પાદ અને વિનાશની જેમ તેની સ્થિતિનો કાળ ભિન્ન છે એમ લાગશે; અર્થાત્ તેનો ઉત્પાદ એટલે પ્રારંભ સમય અને વિનાશ એટલે તેનો નિવૃત્તિ સમય અને સ્થિતિ એટલે, પ્રારંભથી નિવૃત્તિ સુધી સામાન્યરૂપે રહેવાનો તેનો બધો સમય એ ત્રણે ભિન્ન છે. ગ્રંથકાર આ બાબતને એક આંગળીના દાખલાથી વધારે સ્પષ્ટ કરે છે. 2010_02 Page #261 -------------------------------------------------------------------------- ________________ २१६ સંતિતÉપ્રકર, 10-રૂ, થા-રૂપ-રૂ૭ આંગળી એ એક વસ્તુ છે; તે જ્યારે વાંકી હોય ત્યારે સીધી રહી શકતી નથી અને જ્યારે સીધી હોય ત્યારે વાંકી રહી શકતી નથી. વક્રતા અને સરળતા એક જ વસ્તુમાં એક કાળે સંભવતાં ન હોવાથી ક્રમવર્તી છે. વળી, આંગળીમાં વક્રતાપર્યાયના વિનાશ અને સરળતાપર્યાયના ઉત્પાદ વચ્ચે સમયભેદ નથી જ. એ બન્ને એક જ સમયમાં એક જ ક્રિયાનાં થતાં બે પરિણામો છે. એ જ સમયે આંગળી તો આંગળીરૂપે સ્થિર હોય છે જ, તેથી આંગળીરૂપ એક વસ્તુમાં એક જ સમયે ઉત્પાદ, વિનાશ અને સ્થિતિ ઘટી જાય છે; તેથી ઊલટું તેના એક જ વક્રતા કે સરળતા પર્યાયને લઈએ તો તેમાં ઉત્પાદ, વિનાશ અને સ્થિતિનો કાળભેદ ઘટે છે. આંગળી વાંકી મટી સીધી થઈ તે તેના સરળતાપર્યાયનો ઉત્પાદસમય, અમુક વખત સીધી રહી પાછી વાંકી થાય ત્યારે તે તેના સરળતાપર્યાયનો વિનાશસમય અને સીધી થવાના ક્ષણથી માંડી સીધી મટી જવાના ક્ષણ સુધીનો વચલો એકરૂપ સીધી રહેવાનો ગાળો તે સરળતાપર્યાયનો સ્થિતિસમય એ કાળભેદ થયો. ઉક્ત ભિન્નકાલીન કે સમકાલીન ઉત્પાદ, નાશ અને સ્થિતિએ ત્રણે એક સત્-ધર્મીદ્રવ્યના ધર્મો હોવાથી તેનાથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. ભિન્ન એટલા માટે કે તે તેના અંશ છે અને અભિન્ન એટલા માટે કે તે અંશ હોવા છતાં પોતાના ધર્મીભૂત લક્ષ્યમાં જ સમાઈ જાય છે, તેનાથી જુદું અસ્તિત્વ ધરાવતા નથી. વળી, કોઈ એક દ્રવ્યને ત્રિકાલવર્તીત્વરૂપ વિશેષથી અંકિત કરવું હોય - સમજવું હોય, તો આ પ્રમાણે સમજવું જોઈએ. મકાનરૂપ એક દ્રવ્ય પર્યાય લઈ વિચારીએ કે જ્યારે તે બનતું હોય છે ત્યારે એક સળંગ આખા મકાનરૂપે બની રહ્યું છે, તેમાં જેટજેટલો ભાગ બન્યો હોય તેટલા ભાગરૂપે એ બનતું જ મકાન બની ગયું છે; અને જે ભાગ હજી બનવાનો બાકી છે. તેની અપેક્ષાએ તે મકાન બનનાર છે. આ રીતે કોઈપણ ઉત્પન્ન થતું દ્રવ્ય ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયું છે અને ઉત્પન્ન થશે – એમ ત્રણે કાળના વિષયને સ્પર્શનારૂં બને છે. તેમ જ ઉત્પાદાદિ વડે નાશ પણ નૈકાલિક છે. જેમ તે ઉત્પન્ન થતા મકાનમાં ઈંટ આદિ અવયવો પોતપોતાની સ્વતંત્ર અવસ્થા છોડતા હોવાથી અવયવરૂપે એ નાશ પામી રહ્યું છે અને જેટલો ભાગ બન્યો હોય તેટલામાં અવયવોની સ્વતંત્ર અવસ્થા નાશ પામેલી હોવાથી તે ભાગમાં તે નાશ પામેલું છે; તેમજ જે ભાગ બનવાનો બાકી હોય, તેમાં અવયવોનું સ્વતંત્રપણું જવાનું હોવાથી તે ભાગમાં તે નાશ પામનાર છે. એ જ પ્રમાણે એ મકાનમાં સ્થિતિ પણ સૈકાલિક ઘટાવી શકાય. આથી ઊંડા ઊતરી વિશેષ વિચાર કરનાર એકેક ઉત્પદ્યમાન, ઉત્પન્ન અને ઉત્પસ્યમાન પદાર્થમાં સૈકાલિક વિગમ અને તેવા પ્રત્યેક વિગમમાં સૈકાલિક સ્થિતિ પણ ઘટાવી શકે. જે એક સામાન્ય બાબત અહીં ધ્યાનમાં રાખવાની છે તે એ છે કે, સૈકાલિક ઉત્પાદ, નાશ અને સ્થિતિ એક આધારમાં ઘટાવવા માટે કાં તો કોઈ એક દ્રવ્યપર્યાય લેવો અને કાં તો કોઈ એક ગુણપર્યાય લેવો. કારણ કે કેવળદ્રવ્ય કે કેવળગુણમાં એ ઘટવાનો સંભવ નથી અને જ્યારે કોઈ દ્રવ્યપર્યાય કે ગુણપર્યાય લઈ, એ ઉક્ત વિકલ્પો ઘટાવવામાં આવે છે, ત્યારે તે પર્યાય બીજા બધા સજાતીય-વિજાતીય પર્યાયોથી ભિન્નરૂપે જ ગ્રહણ થાય છે. આ વિચાર વસ્તુને વિશેષરૂપે ગ્રહણ કરવાનો ઉપાયમાત્ર છે. (૩૫-૩૭). 2010_02 Page #262 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-३८-४२ २१७ विभागजन्योत्पादमनिच्छतां केपांचिदुत्पादार्थानभिज्ञत्वं दर्शयन्नाह - दव्वंतरसंजोगाहि केचि दवियस्स बेंति उप्पायं । उप्पायत्थाऽकुसला विभागजायं ण इच्छंति ।।३८।। केचन वैशेषिकाद्याः द्रव्यान्तरसंयोगाद् द्रव्यस्योत्पादं ब्रुवते । उत्पादार्थाकुशलाप्टा उत्पादपदस्यार्थस्यानभिज्ञास्ते विभागजातमुत्पादं नेच्छन्ति न जानन्ति । इदं ज्ञेयम् - ‘अर्थान्तरगमनलक्षणविनाशस्य विभागजोत्पादस्य चासंभवात्, तद्द्वयाभावे स्थितेरप्यभावाद् द्रव्यस्य त्रैकाल्यमसंभवी ति मन्यमाना वैशेषिकाद्या उत्पादस्य वास्तविकस्वरूपं नैव जानन्ति । ते च केवलं द्रव्यान्तरसंयोगादेव द्रव्योत्पत्तिं मन्यन्ते, न तु विभागजातोत्पत्तिम् । तस्मात् ते उत्पादार्थानभिज्ञा एव ।।३८ ।। येन कारणेन ते वैशेषिकाद्या उत्पादार्थानभिज्ञास्तत् दर्शयन्नाह - अणु दुअणुएहिं दब्वे आरद्धे 'तिअणुयं' ति ववएसो । तत्तो य पुण विभत्तो अणु त्ति जाओ अणू होइ ।।३९।। यथा द्वाभ्यामणुभ्यामारब्धे द्रव्ये कार्यद्रव्ये अणुरिति व्यपदेशो द्वयणुक इति भावः, त्रिभिईयणुकैरारब्धे कार्यद्रव्ये त्र्यणुकमिति व्यपदेशो भवति । पुनः ततष्टा तस्मादेकपरिमाणाद् द्रव्याद् विभक्तः विभागात्मकत्वेनोत्पन्नः अणुरिति अणुपरिमाण इति कृत्वा अणुर्जातः परमाणुरुत्पन्न इति व्यपदेशो भवति । इदं भाव्यम् - यथा परमाणुद्वयारब्धस्य द्वयणुकस्याणुपरिमाणत्वाद् द्वाभ्यामणुभ्यामारब्धे द्रव्ये 'अणुरिति विवक्षा संभवति, व्यणुकत्रयगतबहुत्वसङ्ख्यया महत्परिमाणस्योत्पन्नत्वात् त्रिभियणुकैरारब्धे द्रव्ये ‘त्र्यणुक' इति व्यपदेशो भवति । तथैव महत्परिमाणवतो द्रव्याद् विभक्ते उत्पन्नद्रव्ये अयमणुर्जात इति व्यवहारोऽपि कथं न घटते ? ततो विभागजः उत्पादोऽपि संभवत्येव ।।३९ ।। 2010_02 Page #263 -------------------------------------------------------------------------- ________________ २१८ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-३८-४२ प्रस्तुतमेवाक्षेपद्वारेणोपसंहरन्नाह - बहुयाण एगसद्दे जइ संजोगाहि होइ उप्पाओ । णणु एगविभागम्मि वि जुज्जइ बहुयाण उप्पाओ ।।४०।। यदि बहूनां व्यणुकादीनां संयोगे सति एकशब्द एकशब्दव्यपदेशनिदानं त्र्यणुकस्योत्पादो भवति । ननु आक्षेपे एकविभागेऽपि त्र्यणुकादेरेककार्यद्रव्यस्य विनाशेऽपि बहूनां कारणद्रव्यरूपावयवानामुत्पादो युज्यते एव । इदमायोज्यम् - प्रस्तुतवार्तामुपसंहरनाचार्यः प्राह - यदि व्यणुकादीनामनेकद्रव्यानां संयोगे सति त्र्यणुकादेरेककार्यद्रव्यस्योत्पादो मन्यते, तर्हि तेषामेव त्र्यणुकादिकार्यद्रव्यानां विनाशे सति बहुनां द्रव्यानामुत्पादः कथं न युज्यते ? युज्यते एव, तेनैव कारणेन ‘घटविनाशाद् बहूनि कपालान्युत्पन्नानी'त्यनेकाभिधानप्रत्ययव्यवहारो युक्तः । तस्माद् विभागजातोत्पादः सिद्ध एव ।।४०।। एकद्रव्यस्यैकसमये भवतोऽनन्तपर्यायान् घटयन्नाह - एगसमयम्मि एगदवियस्स बहुया वि होंति उप्पाया । उप्पायसमा विगमा ठिई उ उस्सग्गओ णियमा ।।४१।। एकसमये एकद्रव्यस्य बहवोऽपि उत्पादा भवन्ति, उत्पादसमा विगमा उत्पादसमानसंख्या विनाशा अपि विनाशमन्तरेणोत्पादस्यासंभवात्, स्थितिस्तु तुशब्दस्याप्यर्थकत्वात् स्थितिरपि उत्सर्गतः सामान्यरूपतया तथैव नियताः स्थितिरहितस्योत्पादस्याभावात् । इदं भाव्यम् - अनन्तकालवर्तित्वेन परिणामित्वेन चानन्तकालमाश्रित्य षड्द्रव्येष्वनन्तोत्पादनाश-स्थितयो भवन्ति एव । तथैव एकैकद्रव्ये एकैकसमयेऽप्यनन्तोत्पादादयो भवन्ति । तथाहि - एकद्रव्ये समकमनन्तपर्याया उत्पद्यन्ते, विनाशं विनोत्पादासंभवात् तदैवानन्तविनाशा अपि संभवन्ति तथा स्थितिरहितस्योत्पादस्याभावात्तदैवानन्तस्थितयोऽपि नियताः । एवमेकस्मिन्नेव समयेऽनन्तोत्पादादिसंभवादेकमेव द्रव्यमनन्तपर्याययुक्तं भवति ।।४१ ।। 2010_02 Page #264 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-३८-४२ २१९ एतदेव दृष्टान्तद्वारेण समर्थयन्नाह - काय-मण-वयण-किरिया-रूवाइ-गईविसेसओ वावि । संजोयभेयओ जाणणा य दवियस्स उप्पाओ ।।४२।। काय-मनो-वचन-क्रिया-रूपादि-गतिविशेषतः कायादीनपेक्ष्य संयोगभेदतः संयोगविभागापेक्षया ज्ञानविषयत्वापेक्षया च द्रव्यस्योत्पादोऽनेकधा भवति, तस्माद् द्रव्यमनन्तपर्यायात्मकं सिद्धम् । इदं ध्येयम् - यदैव अनन्तानन्तौदारिकवर्गणापुद्गलपरिणतकायद्रव्यस्योत्पत्तिः तदैव अनन्तानन्तपरमाणूपचितमनोवर्गणापरिणतिप्रतिलभ्य मनस उत्पादोऽपि, तदैव तत्प्रकारकस्य वचनस्यापि, तदैव क्रियायाः, तदैव च प्रतिक्षणोत्पत्तिविनश्वराणां रूपादीनामपि, तदैव च मिथ्यात्वादिसमुत्पादितकर्मबन्धनिमित्ताऽऽगामिगतिविशेषाणामपि, तदैव चोत्सृज्यमानोपादीयमानानन्तानन्तपरमाण्वापादिततत्प्रमाणसंयोग-विभागानामपि, तदैव च तत्तज्ज्ञान विषयत्वादीनामप्युत्पत्तिर्भवति । एवं कायादिभिर्द्रव्यस्योत्पादोऽनेकप्रकारको भवति । तेन द्रव्यमनन्तपर्यायात्मकं संघटते ।।४२ ।। અવ. “અર્થાતરગમનસ્વરૂપ વિનાશનો અસંભવ હોવાથી વિભાગજન્ય ઉત્પાદનો પણ અસંભવ છે અને આ વિનાશ તથા ઉત્પાદના અસંભવથી સ્થિતિનો પણ અભાવ છે, માટે પદાર્થની ત્રિકાળ અવસ્થા ઘટી શકતી નથી.” આવું માનનારા વૈશિષિકોના મતને રજૂ કરવા પૂર્વક ખંડન કરતાં જણાવે છે, गाथा : दव्वंतरसंजोगाहि केचि दवियस्स बेंति उप्पायं । उप्पायत्थाऽकुसला विभागजायं ण इच्छंति ।।३८।। द्रव्यान्तरसंयोगात् केचिद् द्रव्यस्य ब्रुवते उत्पादम्। उत्पादार्थाऽकुशला विभागजातं न इच्छन्ति ।।३८ ।। अन्वयार्थ : केचि = 3203 शनारी दव्वंतरसंजोगाहि = अन्य द्रव्य साथे संयोग थवाथी दवियस्स = द्रव्यनी उप्पायं = उत्पत्ति बेंति = ४ छ. उप्पायत्थाऽकुसला = (५९.) त्याद्रव्य अर्थमा महेश मेवा छाया: 2010_02 Page #265 -------------------------------------------------------------------------- ________________ २२० संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-३८-४२ गाथा: छाया: तमो विभागजायं = विभागयी थन॥२ उप्पायं = उत्पत्तिने ण इच्छंति = मानता नथी. अणु दुअणुएहि दब्बे आरद्धे 'तिअणुयं' ति ववएसो । तत्तो य पुण विभत्तो अणु त्ति जाओ अणू होइ ।।३९।। अणुः द्वि-अणुभ्यां द्रव्ये आरब्धे त्र्यणुकमिति व्यपदेशः । ततश्च पुनर्विभक्तोऽणुरिति जातोऽणुर्भवति ।।३९ ।। अन्वयार्थ : दुअणुएहि = (म) ले ५२मा 43 आरखे - Gत्पन्न थये। दव्वे = द्रव्यमा अणु = 'मास' ति ववएसो = में प्रभाो व्यवहार, तिअणुयं ति = (ar यशु 43 उत्पन्न थयेन द्रव्यमा) 20 व्य' ति ववएसो = मे प्रमाण व्यवst२. य = अने पुण = qणी, तत्तो = (तम) ते में परिभा द्रव्यमांथी विभत्तो = विमा पामेल अणु त्ति = अपरिभावाj sोपाथी अणू जाओ = 'मा आ उत्पन्न थयो' ति ववएसो होइ = से प्रमाणो व्यवहार थाय छे. बहूयाण एगसद्दे जइ संजोगाहि होइ उप्पाओ । णणु एगविभागम्मि वि जुज्जइ बहुयाण उप्पाओ ।।४०।। बहूनामेकशब्दो यदि संयोगे भवति उत्पादः । ननु एकविभागेऽपि युज्यते बहूनामुत्पादः ।।४०।। अन्वयार्थ : जइ = को बहुयाण = 4u द्रव्योन। संजोगाहि = संयो। थथे छते एगसद्दे = में थी पाय उप्पाओ = 640 होइ = भानामां आवे तो णणु = ५३५२, एगविभागम्मि वि = में द्रव्यनो विमा ये छते ५। बहुयाण = घu द्रव्योनो उप्पाओ = GANE जुज्जइ = घटीश छे. एगसमयम्मि एगदवियस्स बहुया वि होंति उप्पाया । उप्पायसमा विगमा ठिई उ उस्सग्गओ णियमा ।।४१।। गाथा: छाया: गाथा: 2010_02 Page #266 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-३८-४२ २२१ છાયા : छाया: एकसमा एकद्रव्यस्य बहवोऽपि भवन्ति उत्पादाः । उत्पादसमा विगमाः स्थितिस्तु उत्सर्गतो नियताः ।।४१।। અન્યથાર્થ : સમMિ = એક સમયમાં વિદ્યાસ = એક દ્રવ્યના વહુવા વિ = ઘણા પણ ૩Mાયા = ઉત્પાદો હાંતિ = થાય છે. ૩Mાસમા = ઉત્પાદ સમાન વિમા = વિનાશો (અને) = સ્થિતિઓ પણ સગો = સામાન્યથી નિયમ = (તેટલી જ) નિયત. ITથા : -aur-વૈય-શિરિયા-વીરૂ-વિસગો વાવ ! संजोयभेयओ जाणणा य दवियस्स उप्पाओ ।।४२।। ય-મનો-વન-ક્રિયા-પરિત્તિ વિશેષતો ચાર | संयोगभेदतो ज्ञानं च द्रव्यस्य उत्पाद: ।।४२।। અન્વયાર્થ : ય = શરીરપર્યાય, જળ = મનપર્યાય, વUT = વચનપર્યાય, વિકરિ = ક્રિયાપર્યાય, ફ = રૂપ વગેરે પર્યાય, વિલેજ = ગતિવિશેષપર્યાય વાવિ = અને સંનો મેમો = સંયોગ અને વિભાગપર્યાય ના ય = અને જ્ઞાનપર્યાયની અપેક્ષાએ વિયરસ = દ્રવ્યની ૩પ્પા = ઉત્પત્તિ અનેક પ્રકારે થાય છે. ગાથાર્થ કેટલાક દર્શનકારો, એક દ્રવ્યનો બીજા દ્રવ્ય સાથે સંયોગ થવાથી દ્રવ્યનો ઉત્પાદ થાય છે એમ માને છે, પણ ઉત્પાદદ્રવ્યના અર્થમાં અકુશળ એવા તેઓ દ્રવ્યના વિભાગથી થનારા ઉત્પાદન માનતા નથી. (જેમ) બે પરમાણુઓના મળવાથી ઉત્પન્ન થયેલા કયણુક દ્રવ્યમાં (તેનું અણુ પરિમાણ હોવાથી) “આ અણુ છે' એવો વ્યવહાર થાય છે અને અનેક તણુકના મળવાથી ઉત્પન્ન થયેલા દ્રવ્યમાં ‘આ ત્રણુક છે' એવો વ્યવહાર થાય છે. તેમ, તે એક પરિમાણવાળા દ્રવ્યથી વિભક્ત થયેલ અણુપરિમાણવાળા દ્રવ્યને આ અણુ ઉત્પન્ન થયો’ એમ વ્યવહાર કરાય છે. (૩૮-૩૯). ઘણા દ્રવ્યોનો સંયોગ થયે છતે જો એકશબ્દથી વાચ્ય પદાર્થનો ઉત્પાદ માનવામાં આવે, તો ખરેખર એકના વિભાગમાંથી બહુદ્રવ્યની ઉત્પત્તિ પણ ઘટી શકે છે. (૪૦) એક સમયમાં એક દ્રવ્યમાં ઘણા પણ ઉત્પાદ હોય છે, વિનાશ પણ ઉત્પાદ જેટલા હોય છે અને સ્થિતિઓ પણ તેટલી જ સામાન્યરૂપે નિયત છે. (૪૧) 2010_02 Page #267 -------------------------------------------------------------------------- ________________ २२२ સંતિત®પ્રજર, ડુ-૩, થા-રૂ૮-૪૨ શરીરપર્યાય, મનપર્યાય, વચનપર્યાય, ક્રિયાપર્યાય, રૂપ આદિ પર્યાય, ગતિવિશેષ પર્યાય, સંયોગપર્યાય, વિભાગપર્યાય અને જ્ઞાનપર્યાયની અપેક્ષાએ દ્રવ્યની ઉત્પત્તિ અનેક પ્રકારે થાય છે. (૪૨) તાત્પર્યાર્થ : જન્ય દ્રવ્યની ઉત્પત્તિની બાબતમાં પરિણામવાદ, સમૂહવાદ અને આરંભવાદ એવી મુખ્ય ત્રણ પ્રક્રિયાઓ છે. સાંખ્ય આદિ પરિણામવાદી છે, કારણ કે, તેઓ કાર્યદ્રવ્યને કારણનો માત્ર પરિણામ એટલે માત્ર રૂપાન્તર માને છે. બૌદ્ધ આદિ સમૂહવાદી છે, કારણ કે તેઓ સ્થૂળ દેખાતા દ્રવ્યને સૂક્ષ્મ અવયવોનો સમૂહ માત્ર માને છે. તેઓ નથી માનતા અવયવદ્રવ્યોનું કોઈ રૂપાન્તર કે નથી માનતા તે ઉપરથી અપૂર્વ અવયવી દ્રવ્યની ઉત્પત્તિ. વૈશેષિક આદિ આરંભવાદી કહેવાય છે, કારણ કે, તેઓ કાર્યદ્રવ્યને કારણનો માત્ર પરિણામ કે માત્ર સમૂહ ન માનતાં કારણો ઉપરથી બનેલ એક અપૂર્વ અવયવી દ્રવ્ય જ માને છે. જૈન દર્શન આ ત્રણે પક્ષોને પોતાની અનેકાંતષ્ટિથી સ્વીકારે છે, તેમ છતાં તેને વૈશેષિક આદિના આરંભવાદ સામે કાંઈક કહેવાનું છે અને તે જ આ સ્થળે ગ્રંથકારે બતાવ્યું છે. આરંભ એટલે અપૂર્વ કાર્યદ્રવ્યની ઉત્પત્તિ. આવી ઉત્પત્તિ વૈશેષિક આદિ દર્શનોમાં સંયોગજનિત જ માનવામાં આવે છે. તેઓ કહે છે કે, જ્યારે કોઈ નાનું કે મોટું દ્રવ્ય નવું બને છે ત્યારે તે અનેક અવયવભૂત દ્રવ્યોના સંયોગથી જ બને છે પણ વિભાગથી કોઈ દ્રવ્ય નથી બનતું. ઘટ જેવું એક દ્રવ્ય ફૂટવાથી જે ટૂકડા દેખાય છે, તે તેમને મતે ઘટના વિભાગમાંથી સીધાં ઉત્પન્ન થયેલ નવાં દ્રવ્યો નથી, પણ મૂળ આરંભક પરમાણુઓના વિભાગ દ્વારા લયણુક આદિના નાશને ક્રમે ઘટનો નાશ થઈ શેષ રહેલ પરમાણુઓ ઉપરથી ફરી કયણુક આદિની સૃષ્ટિ દ્વારા અનુક્રમે સંયોગથી બનેલા એ નવા ટૂકડા છે. આ મતનો નિરાસ કરતાં ગ્રંથકારશ્રી એ મતવાદીઓને ઉત્પત્તિના સ્વરૂપથી અનભિજ્ઞ કહી વાસ્તવિકતા સ્થાપિત કરવા માટે કહે છે કે જેમ અવયવોના સંયોગથી કાર્ય દ્રવ્યનો આરંભ દેખાય છે, તેમ કાર્યરૂપ દ્રવ્યમાંથી અવયવો છૂટાં પડવાને લીધે પણ નવું દ્રવ્ય બને છે. અર્થાત્ અવયવોના સંયોગની જેમ વિભાગમાંથી પણ કાર્ય દ્રવ્યનો આરંભ અનુભવસિદ્ધ છે, તો પછી માત્ર સંયોગજન્ય દ્રવ્યોત્પાદ માનવાનો શો અર્થ ? બે પરમાણુઓના સંયોગથી આરંભાયેલા દ્રવ્યમાં ‘આ કચણુક થયું’ એ પ્રકારનો વ્યવહાર કેમ થાય છે, અથવા ત્રણ યyકોના સંયોગથી આરંભાયેલા દ્રવ્યમાં ‘આ ત્રણુક ઉત્પન્ન થયું’ એ પ્રકારનો વ્યવહાર કેમ થાય છે, તેમ ચણુક કે બીજા કોઈ મોટા દ્રવ્યસ્કંધમાંથી વિભાગ પામેલા – છૂટા પડેલા નાના ખંડોમાં પણ ‘આ અણુ થયા,' એવો વ્યવહાર થાય છે જ, તેથી સંયોગ અને વિભાગ ઉભયજન્ય દ્રવ્યોત્પત્તિ માનવી એ જ યુક્ત છે. કદાચ પૂર્વપક્ષી એવી દલીલ કરે કે, ઘણા તંતુઓમાં દશાવિશેષે એક કપડું છે એવી એકાકાર પ્રતીતિ અને એક કપડાશબ્દનો પ્રયોગ દેખાય છે, તેથી અનેક અવયવોના સંયોગથી એક દ્રવ્યની ઉત્પત્તિ માનવાને ટેકો મળે છે; એવો ટેકો વિભાગથી દ્રવ્યોત્પત્તિ માનવામાં કયાં 2010_02 Page #268 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-३८-४२ २२३ છે ? તો તેને ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, વિભાગજન્ય દ્રવ્યોત્પત્તિ માનવામાં પણ એવો ટેકો છે જ, કારણ કે, કોઈ એક સ્કંધદ્રવ્ય તૂટતાં તેના વિભાગમાંથી અનેક દ્રવ્યનો ઉત્પાદ પણ પ્રતીતિ અને વ્યવહારસિદ્ધ છે; એક ઘટ ફૂટતાં ઘણા કકડાની ઉત્પત્તિ દેખાય છે, અને ઘટના ભેદની પ્રતીતિ અને ઘટના ભેદનો વ્યવહાર સિદ્ધ જ છે, તેથી દ્રવ્યોત્પત્તિને સંયોગજન્ય કે વિભાગજન્ય માનવામાં સરખી જ દલીલ છે. કોઈપણ એક દ્રવ્યમાં દર સમયે એક ઉત્પાદ, એક નાશ અને એક સ્થિતિ સંભવતાં હોવાથી અનંતકાળના અનંત સમયો લઈ વિચારતાં તેમાં અનંત ઉત્પાદ, અનંત નાશ અને અનંત સ્થિતિઓ ઘટી શકે ખરી; પણ એક જ સમયમાં તેમાં અનંત ઉત્પાદ વગેરે માનવામાં આવે છે તે કેવી રીતે ઘટે ? એ પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, એક સમયમાં પણ એક દ્રવ્યમાં અનંત ઉત્પાદ આદિ ઘટે જ છે. કારણ કે કોઈપણ એક વિવક્ષિત દ્રવ્ય વિવક્ષિત એક જ સમયમાં સહભાવી અનંત પર્યાયરૂપે પરિણમે છે ત્યારે એક જ સાથે પૂર્વવર્તી અનંત પર્યાયોના અનંત નાશો અને ઉત્તરવર્તી અનંત પર્યાયોના અનંત ઉત્પાદો તેમાં હોય છે જ, એ જ રીતે તે તે વિશેષરૂપે પરિણામ પામતું તે દ્રવ્ય અનંત સામાન્યરૂપે સ્થિર હોવાથી અનંત સ્થિતિઓ પણ ધારણ કરે છે જ. તેથી એક જ સમયમાં એક જ દ્રવ્યમાં ઉત્પાદ આદિ ત્રણે અનંત હોવામાં કશો જ બાધ નથી. આ મુદ્દો એક જીવદ્રવ્ય લઈ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. સંસારી જીવ એટલે દેહધારી આત્મા. એના પર્યાયો એટલે કેવલ પુદ્ગલાશ્રિત કે કેવલ ચેતનાશ્રિત પર્યાયો નહિ પણ યથાસંભવ ઉભયાશ્રિત સમજવાના છે. મન, વચન અને કાયા વગેરે સ્વરૂપ વિવિધ પરિણતિ પૌલિક હોવા છતાં તે કાષાયિક પરિણામ અને વીર્યવિશેષના દૂર કે નજીકના સંબંધ વિના સંભવતી ન હોવાથી, ચેતનાશ્રિત પણ છે. એ જ રીતે જ્ઞાન અને વીર્ય વિશેષ આદિ પરિણતિ ચેતનાશ્રિત હોવા છતાં કર્મપુદ્ગલસાપેક્ષ હોવાથી પુદ્ગલાશ્રિત પણ છે જ. એક સંસારી જીવદ્રવ્યમાં જે સમયે સૂક્ષ્મ કે સ્થૂળ દેહરૂપે પુદ્ગલ પરિણમે છે, તે જ સમયે મનોવર્ગણાના પુદ્ગલો મનરૂપે અને વચનવર્ગણાના પુદ્ગલો વચનરૂપે પરિણમે છે, તે જ સમયે શરીર અને આત્માના પારસ્પરિક સંબંધથી અસંખ્ય આત્મપ્રદેશોમાં કાયિક વગેરે ક્રિયાઓ થાય છે, તે જ સમયે રૂપ વગેરે અનેક પર્યાયો પણ તરતમભાવે પરિણમન પામતા હોય છે, તે જ સમયે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય વગેરેથી થયેલ કર્મબંધના કારણે ભાવિ એવી ગતિવિશેષની ઉત્પત્તિ થાય છે, તે જ સમયે ગ્રહણ કરાતા અનંતાનંત પરમાણુઓના નવા નવા સંયોગો ઉત્પન્ન થતા હોય છે અને છૂટા પડતા પૂર્વ સંયુક્ત પરમાણુઓના વિભાગ થતા હોય છે, તે જ વખતે તરતમભાવથી વિવિધવિષયક જ્ઞાન આદિ પર્યાયોનો અને સ્વપરજ્ઞાનવિષયત્વરૂપ શેયત્વ વગેરે પર્યાયો પ્રગટ થતા હોય છે. આ અને આના જેવા બીજા અનંત સહવર્તી નવીન પર્યાયોના ઉત્પાદો, પૂર્વ પર્યાયોના વિનાશો અને પૂર્વોત્તર પર્યાયમાં અનુગત સામાન્યરૂપે સ્થિતિઓ એ બધું એક જ સમયમાં સંભવતું હોવાથી, એક સંસારી જીવદ્રવ્ય કોઈપણ એક જ જન્મદિના સમયમાં અનંત ઉત્પાદ, અનંત વિનાશ તથા અનંત સ્થિતિયુક્ત ઘટી શકે છે. (૩૮-૪૨) 2010_02 Page #269 -------------------------------------------------------------------------- ________________ २२४ संमतितकंप्रकरणे, काण्ड-३, गाथा-४३-४४ आगमस्य हेतुवादाहेतुवादाभ्यां द्वैविध्येन विभजनं दर्शयन्नाह - दुविहो धम्मावाओ अहेउवाओ य हेउवाओ य । तत्थ उ अहेउवाओ भवियाऽभवियादओ भावा ।।४३।। धर्मावादोऽस्तित्वादीनां वस्तुधर्माणामासमन्ताद्वादस्तत्प्रतिपादक आगमो द्विविधः, अहेतुवादष्टा हेतुवादष्टा । तत्र त्वहेतुवादो भव्याभव्यादयो भावा भव्याभव्यस्वरूपप्रतिपादक आगम इत्यर्थः । हेतुवादप्टौतद्विपरीतो युक्तिगम्य इत्यर्थः । एतद भाव्यम् - वस्तुधर्माणां संपूर्णतया प्रतिपादक आगम धर्मावाद उच्यते । स द्विविधः (१) अहेतुवादः - प्रमाणान्तरानवगतवस्तुप्रतिपादक आगमरूपः, (२) हेतुवादः - तद्विपरीतस्वरूपः । अहेतुवादागमष्टा भव्याऽभव्यस्वरूपप्रतिपादकागमरूपः 'अयं भव्यः, अयं त्वभव्यः' इत्यत्रागममन्तरेण न प्रमाणान्तरप्रवृत्तिसंभवो मतिश्रुतज्ञानावलम्व्यपेक्षया । हेतुवादागमस्य लक्षणं तूत्तरगाथायां वक्ष्यते ।।४३ ।। हेतुवादरूपधर्मावादस्य लक्षणं दर्शयन्नाह - भविओ सम्मइंसण-णाण-चरित्तपडिवत्तिसंपन्नो । णियमा दुक्खंतकडो त्ति लक्खणं हेउवायस्स ।।४४।। सम्यग्दर्शन-ज्ञान-चारित्रप्रतिपत्तिसंपन्नो रत्नत्रयीसंपूर्णो भव्यजीवो नियमाद् दुःखान्तकृदिति संसारदुःखस्यान्तं करिष्यत्यर्थात् कर्मव्याधेरात्यन्तिकं विनाशमनुभविष्यतीति हेतुवादरूपागमस्य लक्षणम् ।। अयं भावार्थः - हिनोति गमयत्यर्थमिति हेतुस्तत्परिच्छिन्नोऽर्थोऽपि हेतुः, तं वदति य आगमः स हेतुवादः । स च प्रायो दृष्टिवादः, तस्य द्रव्यानुयोगत्वात्, “सम्यग्दर्शन-ज्ञानचारित्राणि मोक्षमार्गः” [तत्त्वार्थ सूत्र-१-१] इत्याद्यनुमानादिगम्यार्थस्य तत्र प्रतिपादनात् । ततोऽनुमानादिगम्यार्थस्य वर्णनं यत्र क्रियते स हेतुवादागमः । तथाहि - अयं भव्यो नियमात संसारदुःखान्तं करिष्यति, सम्यग्दर्शन-ज्ञान-चारित्रप्राप्तिपरिपूर्णत्वात् । तथाऽयं पुद्गलो निर्जीवः, जीवलक्षणस्याविद्यमानत्वात् । इत्यादीनि दृष्टान्तानि हेतुवादागमस्य विषयभूतानि ज्ञेयानि ।।४४ ।। 2010_02 Page #270 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-४३-४५ २२५ हेतुवादाहेतुवादागमप्ररूपणाद्वारेण सिद्धान्ताराधक-विराधकयोः स्वरूपं दर्शयन्नाह - जो हेउवायपक्खम्मि हेउओ आगमे य आगमिओ । सो ससमयपण्णवओ सिद्धंतविराहओ अन्नो ।।४५।। यः प्ररूपको हेतुवादपक्षे जीवकर्मादौ युक्तिमार्गसहे वस्तुनि हेतुको युक्तिप्रणयनप्रवीणः, आगमे च देवलोक-निगोदसंख्याद्यागममात्रगम्यार्थे आगमिकः आगममात्रप्रज्ञापनाप्रवीणः, स स्वसमयप्रज्ञापकः स्वसिद्धान्तस्य द्वादशाङ्गस्य प्रतिपादनकुशल: । अन्यः प्रागुक्तविशेषणविकल: प्रज्ञापकः सिद्धान्तविराधकः सर्वज्ञप्रणीतागमस्य निस्सारताप्रदर्शनात् तत्प्रत्यनीको भवतीति यावत् । इदं पश्यम् - द्विविधं पदार्थम् - हेतुगम्यमागमगम्यं च । यो वक्ता हेतुगम्यार्थं हेतुत आगमगम्यार्थं चागमतः प्ररूपयति स सिद्धान्ताराधको भवति, अन्यथा परमार्थतस्तदर्थस्य प्रतिपादयितुमशक्यत्वात् । उक्तप्रकारादन्यथाप्ररूपको जिनवचनानुयोगविनाशको भवति । तथाहि-युक्तिमार्गसहेष्वपि पदार्थेष्वागमगम्यत्वमेव पुरस्कुर्वता तेन नास्तिकादिप्रणीतकुयुक्तिनिराकरणाभावान्न श्रोतृणां द्रढप्रतीतिः कारयितुं पार्यते, आगमगम्येषु तु युक्तिपधातीतेषु युक्तिं योजयन् विफलारम्भत्वेन स्वयं वैलक्ष्यं भजते श्रोतुष्टानादेयवचनो भवतीति न विपरीतव्यवहारिणा तेन सम्यक्सिद्धान्त आराधितो भवति ।।४५ ।। અવ. હેતુવાદ અને અહેતુવાદ સ્વરૂપ આગમનું પૃથક્કરણ કરતાં જણાવે છે– गाथा : दुविहो धम्मावाओ अहेउवाओ य हेउवाओ य । तत्थ उ अहेउवाओ भवियाऽभवियादओ भावा ।।४३।। द्विविधो धर्मावादोऽहेतुवादश्च हेतुवादश्च । तत्र तु अहेतुवादो भव्याभव्यादयो भावाः ।।४३।। अन्वयार्थ : धम्मावाओ = धर्मावाह-वस्तुना याने संपूर्ण शते ४५॥वना२ ॥राम दुविहो = २-. अहेउवाओ य = (१) अतुवा य = अने हेउवाओ = (२) उतुवाह. तत्थ उ = वणी, तेथे पैड़ी अहेउवाओ छाया: 2010_02 Page #271 -------------------------------------------------------------------------- ________________ २२६ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-४३-४५ गाथा: छाया: = अतुपा राम भवियाऽभवियादओ = भव्य, अभिव्य वगेरे भावा = (मायो २१३५ छ अर्थात् भव्य-मभव्य वगैरेने ४५॥वनार આગમસ્વરૂપ છે. भविओ सम्मइंसण-णाण-चरित्तपडिवत्तिसंपन्नो । णियमा दुक्खंतकडो त्ति लक्खणं हेउवायस्स ।।४४।। भव्यः सम्यग्दर्शन-ज्ञान-चारित्रप्रतिपत्तिसम्पन्नः । नियमाद् दुःखान्तकृदिति लक्षणं हेतुवादस्य ।।४४ ।। अन्वयार्थ : सम्मइंसण-णाण-चरित्तपडिवत्तिसंपन्नो = 'सभ्यर्शन-- याश्विनी प्राप्तिथी परिपू[ मेवो भविओ = (भव्य णियमा = निश्ये दुक्खंतकडो = सं॥२३पी :मनो अंत ४२॥२ थशे.' त्ति = 0 प्रमाणे हेउवायस्स = हेतुवा स्व३५ मनुं लक्खणं = सक्षL. गाथा: जो हेउवायपक्खम्मि हेउओ आगमे य आगमिओ । सो ससमयपण्णवओ सिद्धंतविराहओ अन्नो ।।४५।। छाया : यो हेतुवादपक्षे हेतुक आगमे च आगमिकः । स स्वसमयप्रज्ञापकः सिद्धान्तविराधकोऽन्यः ।।४५ ।। अन्वयार्थ : जो = d astu हेउवायपक्खम्मि = उतुवान विषयने हेउओ = प्रम उतुथी २४ ४२पामा शछे य = भने आगमे = आरामवनविषयने आगमिओ = ॥राम 43 ४५uqali दुशण छ सो = ते ॥ ससमयपण्णवओ = स्वसिद्धांतने ४५uni दुशण छ, अन्नो = अन्य-अन्यथा ४१॥२ सिद्धंतविराहओ = सिद्धांतनो विराधs. ગાથાર્થ : વસ્તુના ધર્મોને પરિપૂર્ણ રીતે જણાવનાર આગમરૂપ ધર્માવાદ બે પ્રકારનો છે. (૧) અહેતુવાદ અને (૨) હેતુવાદ. તે પૈકી ભવ્યત્વ, અભવ્યત્વ વગેરે ભાવોને જણાવનાર આગમ એ सतुवा१३५ छे. (४3) 2010_02 Page #272 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-४३-४५ २२७ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની પ્રાપ્તિથી પરિપૂર્ણ એવો ભવ્યજીવ નિચ્ચે સંસારરૂપી દુઃખોનો નાશ કરનાર થશે.” આ હેતુવાદસ્વરૂપ આગમનું લક્ષણ છે. (૪૪) જે હેતુવાદસ્વરૂપ આગમના વિષયને પ્રબળ હેતુથી રજૂ કરવામાં કુશળ છે અને આગમવાદસ્વરૂપ આગમના વિષયને આગમથી જણાવવામાં કુશળ છે, તે સ્વસમયના અર્થાતું જૈન દર્શનના સિદ્ધાંતોને જણાવવામાં કુશળ છે અને બીજો અર્થાત્ સિદ્ધાંતને અન્યથા પ્રતિપાદન કરનારો સિદ્ધાંતનો વિરાધક થાય છે. (૪૫) તાત્પર્યાર્થઃ મનુષ્યના સ્વભાવમાં શ્રદ્ધા અને બુદ્ધિ એ બન્ને તત્ત્વો છે, પણ કોઈમાં શ્રદ્ધા મુખ્ય ભાગ ભજવે છે તો કોઈમાં બુદ્ધિ. વ્યક્તિની જેમ સમૂહમાં પણ ક્યારેક શ્રદ્ધાના તો ક્યારેક બુદ્ધિના ઉદ્રકનો યુગ આવે છે. શ્રદ્ધાયુગના માણસો બુદ્ધિ અને તર્કની સામે થઈ તેની પ્રવૃત્તિનો વિરોધ કરે છે; અને બુદ્ધિયુગનાં માણસો શ્રદ્ધાની પ્રવૃત્તિનો વિરોધ કરે છે. આ પ્રમાણે શ્રદ્ધા અને બુદ્ધિનું ચક્ર ઉપર નીચે થયા કરે છે. માત્ર શ્રદ્ધાજીવી થવું કે માત્ર બુદ્ધિજીવી થવું એ બન્ને પરસ્પર વિરોધી એવા અપૂર્વ છેડાઓ છે. માત્ર બુદ્ધિજીવી થવામાં અપૂર્ણતામાં પૂર્ણતા માની લેવાનું અગર તો પોતાનાથી ચડિયાતી શક્તિનો ઈન્કાર કરવાનું અભિમાન આવતું હોવાથી ઘણી સારી બાબતો છૂટી જવાનો દોષ ખુલ્લો છે; અને માત્ર શ્રદ્ધાજીવી થવામાં તદ્દન પરાશ્રયીપણું તેમજ પોતાનાથી સાધી શકાય તેટલા બુદ્ધિવિકાસનો પણ નાશ સંભવતો હોવાથી તેમાં અસત્ય વસ્તુઓના સ્વીકારનો દો ખુલ્લો છે. આમ હોવાથી સત્યનું સમતોલપણું સાચવવા ગ્રંથકારશ્રી અનેકાંતષ્ટિનો આશ્રય લઈ શ્રદ્ધા અને બુદ્ધિ બન્નેનો આદર કરે છે અને આપણા જેવા સાધારણ મનુષ્યો માટે શ્રદ્ધાનું ક્ષેત્ર કયું અને બુદ્ધિનું ક્ષેત્ર કયું એ પૃથક્કરણ બતાવી, શ્રદ્ધા અને બુદ્ધિ બન્નેના વાસ્તવિક ઉપયોગનો માર્ગ દર્શાવે છે, અને તેમ કરી શ્રદ્ધાયુગ અને બુદ્ધિયુગના વિરોધને ટાળી, બન્ને યુગનો જીવનમાં સમન્વય કરવાનું સૂચવે છે. ગ્રંથકારશ્રી કહે છે કે, શાસ્ત્રમાં કેટલોક ભાગ અહેતુવાદસ્વરૂપ છે, તો બીજો કેટલોક ભાગ હેતુવાદસ્વરૂપ છે. જે વિષયોમાં આપણા જેવા સાધારણ મનુષ્યોના પ્રત્યક્ષ કે અનુમાનજ્ઞાનને અવકાશ જ નથી અને જે માત્ર આગમકથિત હોવાથી આગમ ઉપર વિશ્વાસ કેળવીને જ માનવા યોગ્ય છે, તેવા પદાર્થોનું નિરૂપણ કરનાર શાસ્ત્ર તે અહેતુવાદ; અને જે પદાર્થોને આપણા જેવા સાધારણ મનુષ્યો પ્રત્યક્ષથી જાણી શકે કે અનુમાનથી સાધી શકે, અગર તો જેને સ્વીકારવામાં આગમ ઉપર વિશ્વાસ કેળવવાની જરૂર નથી રહેતી, તેવા પદાર્થનું નિરૂપણ કરનાર શાસ્ત્ર તે હેતુવાદ છે. અહેતુવાદ શાસ્ત્રને શ્રદ્ધાથી જ સ્વીકારી તેમાં કહેલ બાબતો શ્રદ્ધાથી જ માની લેવી અને જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી તેવી બાબતો ઉપર બુદ્ધિ કે તકનો પ્રયોગ ન કરવો; અને હેતુવાદ શાસ્ત્ર હોય ત્યાં તેમાં કહેલી બાબતો પ્રત્યક્ષ અને અનુમાનથી તપાસી ખાતરી કરવી અને પછી જ તેના ઉપર શ્રદ્ધા કેળવવી. આમ, અપૂર્ણ સાધકે એક બાજુ શ્રદ્ધા અને બીજી બાજુ બુદ્ધિ બન્નેનો વિકાસ કરતા જવું અને એ રીતે ક્રમે ક્રમે બન્નેના વિષયનું અંતર તોડી, શ્રદ્ધા અને બુદ્ધિનો અભેદ સાધવો. 2010_02 Page #273 -------------------------------------------------------------------------- ________________ २२८ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-४३-४५ અહેતુવાદ અને હેતુવાદનું પૃથક્કરણ કરી તેને સમજાવવા બન્નેના દાખલાઓ આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે, શાસ્ત્રમાં જે ભવ્ય અને અભિવ્ય એવા બે વિભાગ કરી જીવની બે સ્વત:સિદ્ધ જાતો દર્શાવવામાં આવી છે, તે અહેતુવાદનો વિષય છે. કારણ કે, બધા જીવ ભવ્ય જ કે બધા જીવ અભવ્ય જ કેમ નહિ ? એ પ્રશ્નનો ઉત્તર કોઈપણ તર્કથી આપી શકાતો નથી. ભવ્ય અને અભવ્ય એવી બે જીવની જાતો સ્વીકારવામાં આગમનું પ્રામાણ્ય અને તેના વક્તાનું આપ્તત્વ માની લેવું એ એક જ ઉપાય છે. ભવ્ય-અભવ્યની જાતના વિભાગનું કારણ બુદ્ધિથી શોધી શકાય તેમ જ નથી. એને માનવામાં “જીવોનો એવો સ્વભાવ છે અને સ્વભાવ સર્વજ્ઞગમ્ય છે' એવો વિશ્વાસ રાખવો એ એક જ ઉપાય છે, તેથી ભવ્ય-અભવ્યની જાતિનો વિભાગ દર્શાવનાર શાસ્ત્રીય વચનોને અહેતુવાદ સમજવાં. એ જ રીતે સાધારણ વનસ્પતિમાં અનંત જીવો છે અને પ્રત્યેકમાં એક જીવ છે એવું શાસ્ત્રીય કથન તે પણ અહેતુવાદ છે. ભવ્ય-અભવ્યનો જાતિવિભાગ અને તેનાં શાસ્ત્રોક્ત લક્ષણો માની લીધા પછી જ્યારે એ સમ્યગ્દર્શન આદિ લક્ષણો કોઈમાં દેખાય, ત્યારે તે જોઈ એમ અનુમાન કરવું કે, આ જીવ સમ્યગ્દર્શન આદિ ગુણવાળો હોવાથી ભવ્ય છે, અને તે ક્યારેક ખાતરીથી સંસારનો અંત કરશે; તે હેતુવાદ છે. એ જ રીતે જ્યાં જીવનું લક્ષણ ન દેખાય ત્યાં અજીવપણાનું અનુમાન કરી તે પુગલ આદિ પદાર્થોને અજીવ માનવા, તે હેતુવાદની મર્યાદા છે. અહેતુવાદ અને હેતુવાદની વિષયમર્યાદા જાણી લઈ, જે હેતુવાદના વિષયમાં જ હેતુ, તર્ક કે યુક્તિનો પ્રયોગ કરે અને આગમના વિષયમાં માત્ર આગમનો આધાર લે, પણ તેમાં હેતુનો પ્રયોગ ન કરે, તે જ વક્તા જૈન સિદ્ધાંતની પ્રરૂપણાનો અધિકારી છે અને તે જ જૈનવચનનો સાચો આરાધક છે. તેથી ઊલટું, જે વક્તા અહેતુવાદના વિષયમાં હેતુનો પ્રયોગ કરે અને હેતુવાદના વિષયમાં માત્ર આગમ ઉપર આધાર રાખે, તે અનેકાંતશાસ્ત્રની પ્રરૂપણાનો અધિકારી ન હોવાથી, તેની પ્રરૂપણા કરવા જતાં તે તેનો વિરાધક બને છે એમ સમજવું. દાખલા તરીકે જીવ અજીવ આદિ નવ તત્ત્વોમાં જીવતત્ત્વ યુક્તિથી સિદ્ધ થઈ શકે, પણ તેના સ્વરૂપ અને પ્રકારની બાબતમાં સર્વત્ર યુક્તિવાદ ન ચાલી શકે. “જીવના અસંખ્યાત પ્રદેશો છે, તે પ્રત્યેક પ્રદેશનું અમુક સ્વરૂપ છે, કર્મ અને જીવનો સંબંધ અનાદિ છે, અનંત નૈગોદિક જીવો એક જ શરીરમાં રહે છે,' વગેરે બાબતો કેવળ આગમવાદ ઉપર અવલંબિત છે. એ જ રીતે અજીવ તત્ત્વની બાબતમાં ધર્માસ્તિકાય આદિનું અસ્તિત્વ યુક્તિથી સિદ્ધ થઈ શકે છતાં તેનું સ્વરૂપ તો છેવટે આગમવાદ ઉપર જ અવલંબિત છે. આસવ આદિ તત્ત્વોમાં પણ અમુક અંશ યુક્તિસાધ્ય હોવા છતાં બીજો કેટલોક ભાગ આગમવાદનો જ વિષય હોય છે, તેથી એ બન્ને વાદની વિષયમર્યાદા સમજીને જ પ્રત્યેક તત્ત્વનું નિરૂપણ કરવા માટે તે તે વાદનો આશ્રય કરવામાં આવે, તો જ શ્રોતાઓને જૈન પ્રવચન ઉપર આદરશીલ કરી શકાય; નહિ તો ઊલટા તેઓ અસંભવ-અસંગતિ આદિ દોષો જોઈ શાસ્ત્ર ઉપરની શ્રદ્ધા ગુમાવી બેસે. (૪૩-૪૫) 2010_02 Page #274 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-४६ २२९ यो हेतुसाध्यमर्थं हेतुनाऽऽगमसिद्धं चागमेन साधयति तस्य नयवादः परिशुद्धः नान्यस्येति निरूपयन्नाह - परिसुद्धो नयवाओ आगममेत्तत्थसाहओ होइ । सो चेव दुण्णिगिण्णो दोण्णि वि पक्खे विधम्मेइ ।।४६।। परिशुद्धः स्वेतररूपसापेक्षतयैकरूपप्रतिपादको नयवाद आगममात्रार्थसाधक आगममात्रोक्तसर्वभावानां साधको भवति । स एव नयवाद इतररूपनिरपेक्षैकरूपप्रतिपादकत्वेन यदा दुनिक्षिप्तः प्रमाणविरुद्धार्थप्रतिपादकत्वेनाऽवतारितस्तदा द्वावपि पक्षौ विधर्मयति द्वितीयधर्मनिरपेक्षस्य प्रतिपाद्यधर्मस्याऽप्यभावतोऽप्रतिपादनादपरिशुद्धो भवति । इदं प्रतिपाद्यम् - वस्तुधर्मप्रतिपादक आगमो द्विविधः - हेतुवादरूपोऽहेतुवादरूपष्टा । तयोईयोरपि भेदयो” द्वौ नयौ लगतः । यदा च नयवादरूपौ तौ स्वेतरनयसापेक्षतया निरूप्येते तदा परिशुद्धौ, यदा च तौ स्वेतरनयनिरपेक्षतया निरूप्येते तदाऽपरिशुद्धौ । तथा यो नयवादो हेतुसाध्यार्थं हेतुना, आगमसिद्धं चार्थमागमेन निरूपयित्वाऽऽगमोक्तार्थं साधयति स एव परिशुद्धोऽन्यः सर्वो नयवादोऽपरिशुद्धः ।।४६ ।। અવ. જે વ્યક્તિ હેતુસાધ્ય અર્થને હેતુ વડે અને આગમસિદ્ધ અર્થને આગમ વડે સિદ્ધ કરે છે તેનો જ નયવાદ પરિશુદ્ધ હોય છે અન્યનો નહિ તે વાત જણાવતાં કહે છે - गाथा : परिसुद्धो नयवाओ आगममेत्तत्थसाहओ होइ । सो चेव दुण्णिगिण्णो दोण्णि वि पक्खे विधम्मेइ ।।४६।। परिशुद्धो नयवाद आगममात्रार्थसाधको भवति । स एव दुनिक्षिप्तो द्वावपि पक्षौ विधर्मयति ।।४६।। अन्वयार्थ : परिसुद्धो = परिशुद्ध नयवाओ = नया में आगममेत्तत्थ साहओ = (प्रमाथी शुद्ध) आममा वाये॥ अर्थमात्रनो सा५४ होइ = थाय छे. सो चेव = ते ४ नयवाह दुणिगिण्णो = निरपेक्ष रीत २४ ७२रायेलो दोण्णि वि = बने ५॥ पक्खे = पक्षोनो विधम्मेइ = નાશ કરે છે. छाया: 2010_02 Page #275 -------------------------------------------------------------------------- ________________ સંમતિતÓપ્રર્ળે, વ્હાઇડ-રૂ, ગા-૪૭ : ગાથાર્થ : પરિશુદ્ધ નયવાદ એ પ્રમાણથી પરિશુદ્ધ આગમમાં કહેવાયેલા અર્થમાત્રનો સાધક બને છે; વળી તે જ નયવાદ જો ખોટી રીતે (નિરપેક્ષ રીતે) ૨જૂ ક૨વામાં આવે, તો બન્ને પક્ષોનો ઘાત કરે છે. (અર્થાત્ તે અપરિશુદ્ધ બને છે.) (૪૬) २३० તાત્પર્યાર્થ : પ્રમાણથી દરેક વસ્તુ અનેકધર્માત્મક સિદ્ધ છે; તેનું કોઈપણ એક વિવક્ષિત અંશરૂપે પ્રતિપાદન ક૨વાનો અભિપ્રાય તે નયવાદ છે. જો એ અભિપ્રાય એકાંશસ્પર્શી હોવા છતાં તે વસ્તુના બીજા અવિવક્ષિત અંશપરત્વે માત્ર ઉદાસીન હોય અર્થાત્ તે અંશનું ખંડન કરવાનો આગ્રહ ન ધરાવતો હોય, અને પોતાના વક્તવ્ય પ્રદેશમાં જ પ્રવર્ત્તતો હોય, તો તે પરિશુદ્ધ નયવાદ છે. તેથી ઊલટું, જે અભિપ્રાય પોતાના વક્તવ્ય એક અંશને જ સંપૂર્ણ માની તેનું પ્રતિપાદન કરવા સાથે જ બીજા અંશોનું ખંડન કરે, તે અપરિશુદ્ધ નયવાદ છે. પરિશુદ્ધ નયવાદ એક અંશનો પ્રતિપાદક હોવા છતાં ઇતર અંશોનું ખંડન ન કરતો હોવાથી તેને બીજા નયવાદો સાથે વિરોધ નથી હોતો; એટલે છેવટે તે શ્રુતપ્રમાણના અખંડ વિષયનો જ સાધક બન્ને છે; અર્થાત્ નયવાદ જો કે હોય છે અંશગામી, પણ જો તે પરિશુદ્ધ એટલે ઇતર સાપેક્ષ હોય, તો તેના વડે છેવટે પ્રમાણસિદ્ધ અનેક ધર્માત્મક આખી વસ્તુનું જ સમર્થન થાય છે. સારાંશ એ છે કે, બધા જ પરિશુદ્ધ નયવાદો પોતપોતાના અંશભૂત વક્તવ્ય દ્વારા એકંદરે સમગ્ર વસ્તુનું જ પ્રતિપાદન કરે છે; એ જ પરિશુદ્ધ નયવાદનું ફળ છે. તેથી ઊલટું અપરિશુદ્ધ નયવાદ માત્ર પોતાથી જુદા પડતા બીજા પક્ષનું જ નહિ પણ સ્વપક્ષનું પણ ખંડન કરે છે. કારણ કે, તે જે બીજા અંશને અવગણી પોતાના વક્તવ્યને કહેવા માગે છે, તે બીજા અંશનું અસ્તિત્વ સ્વીકાર્યા વિના પોતાને માન્ય એવા અંશનું અસ્તિત્વ પણ સંભવી શકતું જ નથી, તેથી બીજા અંશનું ખંડન કરવા જતાં તે પોતાના વક્તવ્ય અંશનું પણ ખંડન કરી જ બેસે છે. વસ્તુનું સમગ્રસ્વરૂપ અનેક સાપેક્ષ અંશોથી ઘડાયેલું છે એટલે જ્યારે એ સાપેક્ષ અંશોને એકબીજાથી તદ્દન છૂટા પાડી દેવામાં આવે, ત્યારે તેમાંથી એકે સિદ્ધ થઈ શકતો નથી. તેથી જ એમ કહ્યું છે કે, અપરિશુદ્ધ એટલે બીજાની પરવા ન કરતો નયવાદ પોતાના અને બીજાના એમ બન્ને પક્ષનાં મૂળ ઉખાડે છે. (૪૬) अपरिशुद्धनयवादः परसमयरूपः, तस्य भेदान् वर्णयन्नाह - जावइया वयणवहा तावइया चेव होंति णयवाया । जावइया णयवाया तावइया चेव परसमया ।। ४७ ।। यावन्तो वचनमार्गा वक्तृविकल्पहेतवोऽध्यवसायविशेषाः, तावन्ता एव नयवादाः तज्जनितवक्तृविकल्पाः शब्दात्मकाः भवन्ति । यावन्तो नयवादास्तावन्त एव परसमया अन्यतीर्थिक सिद्धान्ता भवन्ति । 2010_02 Page #276 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-४७ २३१ छाया: इदं भाव्यम् - अनन्तधर्मात्मकस्य वस्तुनो य एकदेशस्तस्य यदवधारणं स नयः । स एव । च वचनमार्ग उच्यते । यावन्तप्टा वचनमार्गास्तावन्त एव नयवादाः उच्यन्ते । तत्र यावन्ता वचनमार्गा इतरांशसापेक्षास्तावन्तः परिशुद्धनयवादरूपास्तावन्त एव स्वसमयरूपा यावत्, यावन्तष्टा वचनमार्गा इतरांशनिरपेक्षास्तावन्तोऽपरिशुद्धनयवादरूपाः, यावन्तष्टा तादृश नयवादास्तावन्त एव परतीर्थिकाः, यतस्तेषां स्वेच्छाप्रकल्पितविकल्पनिबन्धनत्वात् परिमितिर्न विद्यते ।।४७।। અવ. પરસમસ્વરૂપ અપરિશુદ્ધ નયવાદ કેટલા ભેદવાળો છે ? તે જણાવતાં કહે છેगाथा: जावइया वयणपहा तावइया चेव होंति णयवाया । जावइया णयवाया तावइया चेव परसमया ।।४७।। यावन्तो वचनपथास्तावन्तः एव भवन्ति नयवादाः । यावन्तो नयवादास्तावन्त एव परसमयाः ।।४७।। अन्वयार्थ : जावइया = 20 वयणपहा = क्यनन भागा तावइया = 20 चेव = ४ णयवाया = नयाहो होंति = थाय छ. जावइया = 20 णयवाया = नयाहो तावइया चेव = ते ४ परसमया = ५२६शनी. ગાથાર્થ : જેટલા વચનોના માર્ગો છે તેટલા જ નયવાદો છે અને જેટલા નયવાદો છે તેટલા જ ५२समयोजन्यमता छे. (४७) તાત્પર્યાર્થઃ વચનનો આધાર વક્તાના અભિપ્રાય ઉપર છે; તેથી કોઈપણ એક વસ્તુ પરત્વે જેટલા વચનપ્રકારો મળી આવે અગર તો સંભવી શકે, તેટલા જ તે વસ્તુ પરત્વે બંધાયેલા જુદા જુદા અભિપ્રાયો છે, એમ સમજવું જોઈએ. અભિપ્રાયો એટલે નયવાદો. વચનના પ્રકારો જેટલા જ નયવાદો સમજવા. એ બધા જ નયવાદો અંદરોઅંદર એકબીજાથી નિરપેક્ષ હોય, તો તે જ પરસમયો એટલે અન્યમતો છે. તેથી પરસ્પર વિરોધ કરતા કે અંદરોઅંદર નિરપેક્ષપણે પક્ષપ્રતિપક્ષપણું ધારણ કરતા જેટલા નયો હોય, તેટલા જ વાસ્તવિક રીતે પરસમયો છે; અર્થાત્ એકબીજાનું ખંડન કરતી જેટલી વિચારસરણીઓ સંભવે, તેટલાં જ તે वस्तु ५२त्व अन्यमतो सभ४वा. (४७) ____ 2010_02 Page #277 -------------------------------------------------------------------------- ________________ २३२ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-४८ कं नयमाश्रित्य कः परसमयः प्रवृत्तः ? इति प्रदर्शयन्नाह - जं काविलं दरिसणं एयं दव्वट्ठियस्स वत्तव्यं । सुद्धोअणतणअस्स उ परिसुद्धो पज्जवविअप्यो ।।४८।। यत् कापिलं दर्शनं साङ्ख्यमतमेतद् द्रव्यास्तिकनयस्य वक्तव्यम् । शुद्धोदनतनयस्य दर्शनं तु परिशुद्धः पर्यायविकल्पः परिशुद्धपर्यायास्तिकनयविशेषविषयं तदुत्थापितं च सौगतमतमित्यभिप्रायः । इदमभिप्रेयम् - द्रव्यास्तिकनयमाश्रित्य प्रवृत्तः साङ्ख्यमतः आत्मादीन् तत्त्वान् नित्यं मनुते । तथा परिशुद्धपर्यायास्तिकनयमाश्रित्य प्रवृत्तो वौद्धमतः सर्वमनित्यं स्वीकरोति । परस्परनिरपेक्षतयैकान्ततत्त्वस्वीकरणेन च द्वावपि तौ मतौ परसमयरूपौ, मिथ्यारूपौ च ।।४८।। અવ. કયા નયને આશ્રયી કયો અન્ય મત પ્રવૃત્ત થયો છે? અથવા કયો નય કોનો વિષય છે ? તે જણાવતાં કહે છે કે – गाथा : जं काविलं दरिसणं एयं दब्बट्ठियस्स वत्तव्वं । सुद्धोअणतणअस्स उ परिसुद्धो पज्जवविअप्पो ।।४८।। यत् कापिलं दर्शनमेतद् द्रव्यास्तिकस्य वक्तव्यम् । शुद्धोदनतनयस्य तु परिशुद्धः पर्यवविकल्पः ।।४८।। अन्वयार्थ : जं = ४ काविलं = पिकषितुं दरिसणं = हर्शन (सांध्यशन) एयं = से दवट्ठियस्स = द्रव्यास्तिनयनुं वत्तव् = 4+teय. सुद्धोअणतणअस्स उ = qul, शुद्धोहनना पुत्रनु (बुद्धनु) हर्शन परिसुद्धो = परिशुद्ध पज्जवविअप्पो = पर्यायास्तिनय विशेष२५३५. ગાથાર્થ ઃ જે કપિલદર્શન અર્થાત્ કપિલઋષિનું સાંખ્યદર્શન છે એ દ્રવ્યાસ્તિકનયના વક્તવ્યસ્વરૂપ છે. વળી, શુદ્ધોદનના પુત્ર અર્થાત્ ગૌતમ બુદ્ધનું દર્શન તો પરિશુદ્ધ પર્યાયનયના વક્તવ્યસ્વરૂપ છે. (૪૮) તાત્પર્ધાર્થ : સાંખ્યદર્શન આત્મા આદિ તત્ત્વો પરત્વે નિત્યત્વવાદી અને બૌદ્ધદર્શન અનિત્યત્વવાદી છે. એ બન્ને દૃષ્ટિઓ પરસમય છે; કારણ કે તેઓ એકબીજાને અવગણે છે. छाया: ___ 2010_02 Page #278 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड - ३, गाथा- ४९ એ બન્ને દૃષ્ટિઓને અનેકાંતદૃષ્ટિથી રજૂ કરતાં જૈનદર્શન કહે છે કે, આત્મા આદિ તત્ત્વોમાં નિત્યત્વ છે પણ તે દ્રવ્યાસ્તિક દૃષ્ટિએ; અને આત્મામાં અનિત્યત્વ પણ છે પરંતુ તે પર્યાયાસ્તિક દૃષ્ટિએ. જૈનદર્શને દરેક પદાર્થોને દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક સ્વરૂપ બંને દૃષ્ટિએ રજૂ કર્યા છે. તે પૈકી માત્ર એક જ દ્રષ્ટિકોણથી પદાર્થને એકાંતે એક જ સ્વરૂપ માનવું તે મિથ્યાત્વ છે અને ४ पर समय छे. (४८) द्रव्यार्थिक-पर्यायार्थिकनयद्वयावलम्बिनो वैशेषिकमतस्यापि येन कारणेन मिथ्यात्वं तन्निरूपयन्नाह - दोहि वि एहि णीअं सत्थमुलूएण तह विमिच्छत्तं । जं सविसअप्पहाणत्तणेण अण्णोण्णनिरवेक्खा ।।४९ ।। उलूकेन वैशेषिकशास्त्रप्रणेत्रा कणादर्षिना द्वाभ्यामपि द्रव्यार्थिक-पर्यायार्थिकनयाभ्यां शास्त्रं नीतं रचितम्, तथापि तद् शास्त्रं मिथ्यात्वम्, यद् यस्माद् द्वावपि नयौ स्वविषयप्रधानत्वेन स्वेतरनयविषयनिरपेक्षस्वविषयज्ञापकतयाऽन्योन्यनिरपेक्षौ परस्परनिरपेक्षौ । इदं निरीक्ष्यम् - यथा परस्परनिरपेक्षैकैकनयावलम्बिनोः साङ्ख्य-सौगतमतयोर्मिथ्या-त्वम् तथा स्वस्वविषयप्रधानत्वेन परस्परनिरपेक्षोभयनयं गृह्णतो वैशेषिकनयस्यापि मिथ्यात्वमेव । एकनयं गृह्णातूभयनयं वा गृह्णातु किन्तु यदि निरपेक्षतया तर्हि तन्मिथ्यारूपमेव ।।४९ ।। અવ. પરસ્પર નિરપેક્ષ એકનયને અનુસરનારા સાંખ્યમત અને બુદ્ધમત ભલે મિથ્યારૂપ થાઓ પણ બંને નયને અનુસરનારા વૈશેષિકમત મિથ્યા કઈ રીતે ? તે જણાવતાં કહે છે गाथा : छाया : २३३ 2010_02 - दोहि वि एहि णीअं सत्थमुलूएण तह वि मिच्छत्तं । जं सविसअप्पहाणत्तणेण अण्णोण्णनिरवेक्खा ।।४९ ।। द्वाभ्यापि नयाभ्यां नीतं शास्त्रमुलूकेन तथापि मिथ्यात्वम् । यत् स्वविषयप्रधानत्वेन अन्योन्यनिरपेक्षौ ।। ४९ ।। अन्वयार्थ : उलूएण (भे 3) शाहऋषि वडे दोहि वि = ने पए। एहि नयो वडे सत्थं = शास्त्री णीअं = २थना राई, तहवि = तो पा मिच्छत्तं = ( ते शास्त्र) भिथ्यास्व३५ छे. जं = अरए } सविसअप्प - = Page #279 -------------------------------------------------------------------------- ________________ २३४ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-४९ VIRોન = પોતપોતાના વિષયને પ્રધાનતા આપતા હોવાથી ૩voોઇનિરવેરા = (બંને નયો) પરસ્પર નિરપેક્ષ છે. ગાથાર્થ જો કે ઉલૂકે અર્થાત્ કણાદઋષિએ દ્રવ્યાસ્તિકનય તથા પર્યાયાસ્તિકનય એમ બંને નયોથી પોતાનું શાસ્ત્ર બનાવ્યું, છતાં પણ તે મિથ્યાભૂત છે. કારણ કે, તે બંને નયો પોતપોતાના વિષયને જ પ્રધાનતા આપનારા હોવાથી પરસ્પર નિરપેક્ષ છે. (૪૯) તાત્પર્યાર્થ : અહીં પ્રશ્ન થાય છે કે, એક જ વસ્તુ પરત્વે નિત્યત્વ, અનિત્યત્વ આદિ વિરોધી ધર્મોના સમન્વયમાં જ જો જૈનદૃષ્ટિ કહેવાતી હોય, તો વૈશેષિકદર્શનને પણ જૈનદર્શન કહેવું પડશે; કારણ કે એ દર્શન પણ માત્ર નિત્યત્વ કે માત્ર અનિયત્વ ન સ્વીકારતાં નિત્યત્વ અને અનિયત્વ બન્ને સ્વીકારે છે. તેનો ઉત્તર એ છે કે, વૈશેષિકદર્શનમાં નિત્ય અને અનિત્યત્વ એ વિરોધી બે અંશોનું પ્રતિપાદન હોવાથી એમાં દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક બન્ને નયોને સ્થાન છે ખરું; પણ એ બન્ને નયો પોતપોતાના વિષયનું સ્વતંત્રપણે જ પ્રતિપાદન કરે છે. કારણ કે વૈશેષિકદર્શન એમ માને છે કે, જે પરમાણુ, આત્મા આદિ પદાર્થો નિત્ય છે તે નિત્ય જ છે; અને જે ઘટ, પટ આદિ પદાર્થો અનિત્ય છે તે અનિત્ય જ છે; એટલે નિત્ય મનાયેલ પદાર્થમાં અનિત્યત્વને અને અનિત્ય મનાયેલ પદાર્થોમાં નિયત્વને સ્થાન જ નથી. સમગ્ર દર્શનને આશ્રયી નિત્યત્વઅનિયત્વ બન્નેનો સ્વીકાર હોવા છતાં, વસ્તુપરત્વે એ બન્ને ધર્મો એકબીજાથી છૂટા અને સ્વતંત્રપણે જ સ્વીકારાયેલા છે. તેથી એ દર્શનમાં ઉપલક દૃષ્ટિએ નિત્યત્વ અને અનિત્યત્વગામી બન્ને નયો દેખાવા છતાં, તાત્ત્વિક રીતે તેમાં સમન્વય પામેલા નથી; માટે જ વૈશેષિકદર્શન એ જૈનદર્શન નથી. જૈનદર્શન કોઈપણ એક જ વસ્તુ પરત્વે એ વિરોધી દેખાતા ધર્મોનો સમન્વય અપેક્ષાવિશેષથી કરે છે; અને વૈશેષિકદર્શન વસ્તુ“દે વિરોધી ધર્મોનો ભેદ સ્વીકારે છે. આ જ બન્નેમાં તફાવત છે. એ જ પ્રમાણે સામાન્ય અને વિશેષની બાબતમાં પણ ખુલાસો છે. વૈશેષિકદર્શન વસ્તુમાં થતા સામાન્ય અને વિશેષ વ્યવહારના નિયામક તરીકે એ વસ્તુમાં એકબીજાથી નિરાળાં એવાં સામાન્ય અને વિશેષ બે સ્વતંત્ર તત્ત્વો સ્વીકારે છે; જ્યારે જૈનદર્શન એ જ વ્યવહારના નિયામક તરીકે વસ્તુમાત્રને સામાન્ય-વિશેષ ઉભયસ્વરૂપ સ્વીકારી લે છે અને કહે છે કે તદ્દન સ્વતંત્ર એવા સામાન્ય-વિશેષ જુદા ધર્મો કોઈપણ વસ્તુમાં સંભવી જ ન શકે. આ રીતે વૈશેષિકદર્શનમાં કહેવાયેલા પદાર્થો અપ્રમાણભૂત હોવાથી તથા પ્રમાણથી બાધિત હોવાથી તે પદાર્થોને રજૂ કરનાર વૈશેષિકદર્શનના શાસ્ત્રો પણ મિથ્યા છે - અપ્રમાણભૂત છે. ગાથા૪૯ની ટીકામાં ટીકાકાર મહર્ષિએ વૈશેષિકદર્શનમાન્ય દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય, અભાવસ્વરૂપ સાતે પદાર્થો રજૂ કરી તેમની પદાર્થ વ્યવસ્થા કઈ રીતે અસંગત છે તેનું તર્કબદ્ધ રીતે સુંદર નિરૂપણ કરેલ છે. (૪૯) 2010_02 Page #280 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-५० २३५ अन्योन्यनिरपेक्षनयाश्रितस्य मिथ्यात्वाविनाभूतमेवेति कथयन्नाह -- जे संतवायदोसे सक्कोलूया भणंति संखाणं । संखा य असव्वाए तेसिं सव्वे वि ते सञ्चा ।।५०।। शाक्यौलूक्या बौद्ध-वैशेषिकाः साङ्ख्यानामेकान्तसद्वादपक्षे यान् दोषान् भणन्ति ते सर्वेऽपि दोषास्तेषां बौद्ध-वैशेषिकानां सत्या एव । साङ्ख्याप्टा बौद्ध-वैशेषिकानामेकान्तासद्वादपक्षे यान् दोषान् भणन्ति ते सर्वेऽपि दोषास्तेषां साङ्ख्यानां सत्या एव । इदं स्वीकार्यम् - बौद्ध-वैशेषिकाः साङ्ख्यानां सद्वादं दूषयन्तो वदन्ति - यदि कार्योत्पत्तेः प्राग् कारणे कार्यं सत् तर्हि व्यर्थं कार्योत्त्पत्त्यै प्रयत्नम्, दृश्यं स्यात् कारणेऽपि कार्यं भाव्यं च कार्योत्पत्तेः प्राग कार्यसापेक्षक्रियाव्यवहाराः । साङ्ख्या अपि तेषामसद्वादं दूषयन्तो निरूपयन्ति - यदि कारणेऽविद्यमानकार्यस्योत्पत्तिर्भवेत् तर्हि मृदः पटोत्पत्तिः, तन्तोः घटोत्पत्तिः, नरशृङ्गोत्पत्तिरित्यादयोरपि कथं न स्यात् ? तस्मात् ते सर्वेऽपि दोषास्तेषामुभयानां स्वस्वापेक्षया सत्या एव । ततः परस्परनिरपेक्षाभ्यामुभयनयाभ्यां व्यवस्थापितं वस्तु असत्यमिति तत्प्रतिपादकं शास्त्रमपि मिथ्या एव ।।५०।। અવ. પરસ્પર નિરપેક્ષ એવા નયોને આશ્રિત એવા મતોમાં મિથ્યાત્વ અવિનાભાવે રહેલ છે તે ४॥ai छ - गाथा : जे संतवायदोसे सक्कोल्या भणंति संखाणं । संखा य असव्वाए तेसिं सब्वे वि ते सच्चा ।।५०।। यान् सद्वाददोषान् शाक्यौलूक्या भणन्ति साङ्ख्यानाम् । साङ्ख्याश्च असद्वादे तेषां सर्वेऽपि ते सत्याः ।।५० ।। अन्वयार्थ : सक्कोलूया = eleो भने वैशेषिो संखाणं = सध्योनजे = 0 संतवायदोसे = siत सत्वाइन होपान भणन्ति = 93 छ, ते = ते सव्वेऽपि = सर्व पोषो तेसिं = तमोन सञ्चा = साया संखा य = अने सांज्यो जे = 8 असव्वाए = (बौद्धो भने वैशेषिोना) असत्वपक्षन होषोने भणंति = हे छ ते = ते. सव्वेऽपि = सर्व पोषो तेसिं = तमोन सञ्चा = साया. छाया: ___ 2010_02 Page #281 -------------------------------------------------------------------------- ________________ २३६ સંતતÉપ્રરો , [Uડું-૩, માથા-૧૨ ગાથાર્થ : શાક્યો અર્થાત્ બૌદ્ધી અને ઔલૂક્યો અર્થાત્ વૈશેષિકો, સાંખ્યોના એકાંત સદ્વાદપક્ષમાં જે દોષો કહે છે, તે સર્વે પણ દોષો તેઓના (બૌદ્ધ અને વૈશેષિકોએ રજૂ કરેલા) સાચા જ છે અને તે સાંખ્યો, બૌદ્ધના અને વૈશેષિકના એકાંત અસદ્ધાદપક્ષમાં જે દોષો કહે છે, તે સર્વે પણ દોષો તેઓના (સાંખ્યો એ રજૂ કરેલા) સાચા છે. (૫૦) તાત્પર્યાર્થ : કાર્ય અને કારણના ભેદભેદ વિષે અનેક દૃષ્ટિઓ પ્રવર્તે છે. બૌદ્ધદર્શન અને વૈશેષિકદર્શન ભેદવાદી હોવાથી કારણ અને કાર્ય ભિન્ન ભિન્ન છે એમ માને છે; તેથી જ તેઓ અસત્કાર્યવાદ માને છે અર્થાત્ અસતું એટલે ઉત્પત્તિ પહેલાં કારણમાં વિદ્યમાન ન હોય એવા અપૂર્વ જ કાર્યની ઉત્પત્તિ સ્વીકારે છે. તેથી ઊલટું, સાંખ્યો અભેદવાદી હોવાથી કારણ અને કાર્ય અભિન્ન છે એમ માને છે અને તેથી જ તેઓ સત્કાર્યવાદ માને છે અર્થાત્ સત્ એટલે ઉત્પત્તિ પહેલાં પણ કારણમાં વિદ્યમાન એવા કાર્યની ઉત્પત્તિ વર્ણવે છે. બૌદ્ધ અને વૈશેષિક પોતાના પક્ષનું સ્થાપન કરતાં સાંખોના સત્કાર્યવાદને દૂષિત કરવા કહે છે કે, જો કારણમાં ઉત્પત્તિ પહેલાં પણ કાર્ય સત્-વિદ્યમાન હોય, તો ઉત્પત્તિ માટે પ્રયત્ન નકામો છે; તેમજ ઉત્પત્તિ પહેલાં પણ સત્ હોવાથી કારણમાં કાર્ય દેખાવું જોઈએ અને કાર્યસાપેક્ષ બધી ક્રિયાઓ અને બધા વ્યવહારો કાર્યની ઉત્પત્તિ પહેલાં પણ થવા જોઈએ, વગેરે. એ જ રીતે સાંખ્યો પોતાના પક્ષનું સ્થાપન કરતાં બૌદ્ધ અને વૈશેષિકોના અસત્કાર્યવાદને દૂષિત કરવા કહે છે કે, જો અસત્ કાર્યની ઉત્પત્તિ થતી હોય, તો ગમે તે કારણમાંથી ગમે તે કાર્ય કેમ ઉત્પન્ન થતું નથી ? માટીમાંથી ઘટ જ અને સૂતરમાંથી કપડું જ થાય છે એવો નિયમ શા માટે ? તેમ જ જો અસત્ વસ્તુની ઉત્પત્તિ થતી હોય, તો માણસને શીંગડાં કેમ ન આવે ? વગેરે. આ બન્ને દૃષ્ટિઓ એક બીજાને જે દોષ આપે છે, તે બધા જ સાચા છે, કારણ કે, એ દૃષ્ટિઓ એકાંગી હોઈ બીજી બાજુ જોતી જ નથી. એ ઊણપને લીધે સ્વાભાવિક રીતે જ તેમાં દોષો આવી જાય છે. આ ગાથાની ટીકામાં સત્કાર્યવાદ અને અસત્કાર્યવાદ એ બંને માન્યતાઓ રજૂ કરી બંનેમાં આવતાં દોષોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. (૫૦) परस्परसापेक्षतयोपनीतौ तौ द्वौ नयावेव भवदुःखनाशे समर्थाविति दर्शयन्नाह - ते उ भयणोवणीया सम्मइंसणमणुत्तरं होति । जं भवदुक्वविमोक्खं दो वि न पूरेति पाडिक्कं ।।५१।। तु पुनः तौ द्रव्यास्तिक-पर्यायास्तिकनयौ भजनोपनीतावनेकान्तदृष्ट्योपयोजितावनुत्तरं सर्वोत्कृष्टं सम्यग्दर्शनरूपं भवतः । यद् यस्माद् द्वावपि तौ प्रत्येकं पृथक् पृथग् 2010_02 Page #282 -------------------------------------------------------------------------- ________________ સંમતિતર્જર, ગ્રાહુ-૩, થા-૧૭ २३७ છાયા : भवदुःखविमोक्षं संसारभाविजन्म-जरा-रोगादिदुःखानामात्यन्तिकविश्लेषं न पूरयतो कर्तुं न . સમ | इदं भाष्यम् - यदा द्रव्यास्तिक-पर्याप्यास्तिकनयौ परस्परसापेक्षतया प्रयुज्यते तदा परस्परदोषप्रसङ्गाभावतया परिपूर्णसम्यग्दर्शनरूपौ भवतः, तत्स्वरूपावेव तौ संसारदुःखनाशाय समर्थो, न तु परस्परनिरपेक्षतया पृथक् पृथग् नियोजितौ ।।५१ ।। અવ. આ જ વાતને અવય-વ્યતિરેક વડે દઢ કરતાં જણાવે છે - IITથા : ते उ भयणोवणीया सम्मइंसणमणुत्तरं होति । जं भवदुक्खविमोक्खं दो वि न परेंति पाडिक्कं ।।५१।। तौ तु भजनोपनीतौ सम्यग्दर्शनमनुत्तरं भवतः । यद् भवदुःखविमोक्षं द्वावपि न पूरयतः प्रत्येकम् ।।५१।। અન્યથાર્થ : ૩ = વળી, મોવીયા = અનેકાંતદષ્ટિ વડે યોજાયેલા તે = તે દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય મજુત્તર = સર્વોત્તમ સમ્પહંસા = સમ્યગ્દર્શનરૂપ દાંતિ = થાય છે. = = કારણ કે પારિવવં = પ્રત્યેક એવા રો વિ = બંને પણ નયો મવલ્વોવાળું = સંસારના દુઃખથી છૂટકારો ન પૂતિ = આપી શકતા નથી. ગાથાર્થ : તે દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય અનેકાંતદષ્ટિએ ગોઠવાય ત્યારે જ સર્વોત્તમ સમ્યગ્દર્શનરૂપ બને છે; કારણ કે પરસ્પર નિરપેક્ષ એવા તે બંને પણ નયો સંસારના દુઃખથી છૂટકારો આપી શકવા સમર્થ નથી. (૫૧) તાત્પર્યાર્થ: પૂર્વની ગાથામાં જણાવેલ એ બન્ને દૃષ્ટિઓ અનેકાંતદષ્ટિથી સમન્વયપૂર્વક ગોઠવવામાં આવે, તો એકબીજાની ઊણપ ટળી જાય છે અને તે પૂર્ણ બને છે, એટલે તે દોષોને ઉભા રહેવાની જગ્યા જ રહેતી નથી. જેમ કે, કાર્ય અને કારણ એ ભિન્ન છે છતાં અભિન્ન પણ છે. ભિન્ન હોવાથી ઉત્પત્તિ પહેલાં કાર્ય અસત્ છે, અભિન્ન હોવાથી સસ્તું પણ છે. સતું છે તે શક્તિની અપેક્ષાએ; એટલે ઉત્પત્તિ માટે પ્રયત્નની અપેક્ષા રહે જ; અને તેથી જ ઉત્પત્તિ પહેલાં અવ્યક્તદશામાં વ્યક્ત કાર્યસાપેક્ષ વ્યવહારો સંભવતા નથી. એ જ રીતે અસત્ છે તે ઉત્પત્તિની અપેક્ષાએ; શક્તિની અપેક્ષાએ તો કાર્ય સત્ જ છે; તેથી જ દરેક કારણમાંથી દરેક કાર્યની ઉત્પત્તિને અથવા મનુષ્યશૃંગ જેવી અત્યંત અસતું વસ્તુની ઉત્પત્તિને અવકાશ જ નથી. 2010_02 Page #283 -------------------------------------------------------------------------- ________________ २३८ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-५२ જે કારણમાં જે કાર્ય પ્રગટાવવાની શક્તિ હોય, તેમાંથી પ્રયત્ન થયા પછી તે કાર્ય પ્રગટે, બીજું નહિ. આ રીતે સત્ય અને અસતુવાદનો સમન્વય થતાં જ દૃષ્ટિ પૂર્ણ અને શુદ્ધ થતી હોવાથી તેમાંથી દોષો દૂર થાય છે. એક એક છૂટો વાદ ગમે તેટલો પ્રબળ દેખાતો હોય, છતાં તે એકદેશીય માન્યતા ઉપર બંધાયેલો હોવાથી યથાર્થજ્ઞાન પૂરું પાડી શકતો નથી અને તેટલી ખામીને લીધે પરંપરાએ તે પોતાનામાં બદ્ધ થનારને ક્લેશમુક્ત પણ કરી શકતો નથી. જ્યારે અનેકાંતદૃષ્ટિપૂર્વકનો સમન્વય એ, દૃષ્ટિની વિશાળતા ઉપર રચાયેલો હોવાથી યથાર્થજ્ઞાન પૂરું પાડે છે અને વાસ્તવિકતાનો બોધ કરાવે છે. અર્થાત્ દરેક પદાર્થોમાં હેય-શૈય અને ઉપાદેયતાનો વિવેક પ્રગટ કરાવે છે. જેના દ્વારા સાધક હેયનો ત્યાગ કરી ઉપાદેયને આચરી કર્મરૂપી ક્લેશથી મુક્ત થાય છે. (૫૧) अमुमेवार्थं दृष्टान्तद्वारेणोपसंहरन्नाह - नत्थि पुढवीविसिट्ठो 'घडो'त्ति जं तेण जुज्जइ अणण्णो । जं पुण घडो'त्ति पुव्वं ण आसि पुढवी तओ अण्णो ।।५२।। यद् यस्मात् कारणाद् ‘घटः' इति पृथिवीविश्लिष्टः पृथिव्या भिन्नो नास्ति तेनानन्यः 'अभिन्नः' इति कथयितुं युज्यते । पुनर्यद् यतः पूर्वं घटकार्यात् प्राक् पृथिवी ‘घटः' इति नासीत् ततोऽन्यो भिन्नः । इदं फलितम् - अनेकान्तदृष्ट्या घटरूपकार्यं कारणरूपपृथिव्या भिन्नाभिन्नम् । यतो मृद्रूपपृथिवी एव घटरूपं धारयति न त्वन्यत् किञ्चित् ततोऽभिन्नम्, तथा मृद्रूपपृथिव्यवस्थायां घट नासीत् ततो भिन्नोऽपि स्वीकार्यः । तस्मात् कारणं न कार्यादेकान्तेन भिन्नं न वाऽभिन्नम्, किन्तु भिन्नाभिन्नरूपमेव ।।५२ ।। અવ. આ જ અર્થનો ઉપસંહાર દષ્ટાંત વડે કરતાં જણાવે છે – गाथा : नत्थि पुढवीविसिट्ठो ‘घडो' त्ति जं तेण जुज्जइ अणण्णो । जं पुण ‘घडो' त्ति पुव्वं ण आसि पुढवी तओ अण्णो ।।५२।। नास्ति पृथ्वीविशिष्टो घट इति तेन युज्यतेऽनन्यः । यत्पुनः ‘घटः' इति पूर्वं न आसीत् पृथ्वी ततोऽन्यः ।।५२।। अन्वयार्थ : जं = 8 ॥२९॥थी 'घडो'त्ति = 42 में पृढवीविसिट्ठो = पृथ्वीथी भिन्न नत्थि = नथी, तेण = तथी, अणण्णो = अमिन डे छाया: 2010_02 Page #284 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-५३ जुज्जइ = घटे छ. जं पुण = qणी हे ॥२५॥थी पुढवी = पृथ्वी पुव्वं = पूर्वमा 'घडो'त्ति = 'घ2' में प्रमाणो ण आसि = न ती, तओ = तेथी, अण्णो = भिन्न डेवु जुज्जइ = घटे छ. ગાથાર્થ ઃ જે કારણે ઘટ એ પૃથ્વીથી ભિન્ન નથી, તેથી ઘટ પૃથ્વીથી ‘અભિન્ન છે” એમ કહેવું ઘટે છે; વળી, જે કારણે પૃથ્વી એ પહેલાં ઘટસ્વરૂપે ન હતી, તેથી ઘટ પૃથ્વીથી ભિન્ન છે. (પ) તાત્પર્યાર્થઃ અનેકાંતદૃષ્ટિ પ્રમાણે ઘટરૂપ કાર્ય એ પૃથ્વીરૂપ કારણથી અભિન્ન અને ભિન્ન ફલિત થાય છે. અભિન્ન એટલા માટે કે માટીમાં ઘડો જન્માવવાની શક્તિ છે અને ઘડો બને છે ત્યારે પણ એ માટી વિનાનો હોતો નથી. ભિન્ન એટલા માટે કે ઉત્પત્તિ પહેલાં માટી જ હતી અને ઘડો નજરે પડતો ન હતો અને તેથી જ ઘડાથી થનારાં કાર્યો પણ થતાં ન હતાં. આ રીતે, આ ગાળામાં અનેકાંતદષ્ટિથી ફલિત વસ્તુનું સ્વરૂપ રજૂ કરવામાં આવ્યું છે. (૧૨) कालादिवादानामेकान्तेन मिथ्यात्वमनेकान्तेन च सम्यक्त्वं वर्णयन्नाह - कालो सहाव णियई पुवकयं पुरिसकारणेगंता । मिच्छत्तं ते चेव समासओ होंति सम्मत्तं ।।५३।। काल-स्वभाव-नियति-पूर्वकृत-पुरुषकारणरूपा एकान्ताः ‘एते कालादयः एकका एव कारणं विश्वस्ये'त्येवम्भूता मिथ्यात्वम्, ते चैव समासतः परस्पराजहद्वृत्तयः समुदिताः सम्यक्त्वं भवन्ति सम्यक्त्वरूपतां प्रतिपद्यन्ते । अत्र पूर्वकृतशब्देन कर्मोच्यते । इदं प्रतिपाद्यम् - यथा एकान्तसद्वाद एकान्तासद्वादप्टा मिथ्यात्वरूपतां प्रतिपद्येते तथा काल एव कारणम्, स्वभाव एव कारणमित्यादि एकान्तवादोऽपि मिथ्यात्वरूपतामाप्नोति । यदा च तानि पञ्चापि कारणानि परस्परसापेक्षतया समुदितानि भवन्ति तदा सम्यक्त्वरूपतामाप्नुवन्ति, तत्तद्सापेक्षताप्रतिपादकवादप्टा मोक्षमार्ग दर्शयितुं समर्थो भवति ।।५३ ।। અવ. કાલ વગેરે કારણવિષયક વાદોનું એકાંતને લીધે મિથ્યાપણું અને અનેકાંતને લીધે સમ્યક્ષનું ४५uqi छ - कालो सहाव णियई पुवकयं पुरिसकारणेगंता । मिच्छत्तं ते चेव समासओ होंति सम्मत्तं ।।५३।। गाथा: 2010_02 Page #285 -------------------------------------------------------------------------- ________________ २४० संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-५३ છયા : कालः स्वभावो नियतिः पूर्वकृतं पुरुषकारणैकान्ताः । मिथ्यात्वं ते चैव समासतो भवन्ति सम्यक्त्वम् ।।५३।। અન્વયર્થ : વત્રો = કાળ, સદવિ = સ્વભાવ, પિયરું = ભાગ્ય, પુત્રેવયં = કર્મ અને પુરિવાર તા = પુરુષરૂપ કારણો સંબંધી એકાંતવાદો મિચ્છત્ત = મિથ્યાત્વરૂપ છે. તે વેવ = અને તે જ વાદો સમાસો = સાપેક્ષપણે મળવાથી સમ્પન્ન = સમ્યકત્વરૂપ દતિ = થાય છે. ગથાર્થઃ કાલ, સ્વભાવ, નિયતિ (ભાગ્ય), વકૃત (કર્મ) અને પુરુષરૂપ કારણ વિષેના એકાંતવાદો મિથ્યાત્વરૂપ છે; અને તે જ વાદો સમાસથી અર્થાત્ પરસ્પર સાપેક્ષપણે મળવાથી સમ્યકત્વરૂપ બને છે. (૫૩) તાત્પર્યાર્થ: કાર્યની ઉત્પત્તિ કારણને આભારી છે. કારણ વિષે પણ અનેક મતો છે. તેમાંથી આ ગાથાની ટીકામાં એકાંતવાદી પાંચે કારણવાદોનું નિરૂપણ કરી ખંડન કરવામાં આવ્યું છે. કોઈ કાલવાદી છે; જેઓ ફક્ત કાલને જ કારણ માની તેની પુષ્ટિમાં કહે છે કે, જુદાં જુદં ફળો, વરસાદ, શરદી, ગરમી વગેરે બધું ઋતુભેદને જ આભારી છે અને ઋતુભેદ એટલે કાળવિશેષ. આથી, વસ્તુની ઉત્પત્તિમાં “કાળ' કારણભૂત છે. કોઈ સ્વભાવવાદી છે; જેઓ ફક્ત સ્વભાવને જ કાર્યમાત્રનું કારણ માની તેના સમર્થનમાં કહે છે કે, પશુઓનું સ્થળગામીપણું, પક્ષીઓનું ગગનગામીપણું અને ફળનું કોમળપણું તેમજ કાંટાનું અણીદારપણું એ બધું પ્રયત્ન કે કોઈ બીજા કારણથી નહિ પણ વસ્તુગત સ્વભાવથી જ સિદ્ધ છે. આથી વસ્તુ સ્વભાવજન્ય જ છે. કોઈ નિયતિવાદી છે; તે નિયતિ સિવાય બીજા કશાને કારણ ' માતા પોતાના પક્ષની પુષ્ટિમાં કહે છે કે, જે સાંપડવાનું હોય તે સારું કે નરસું સાંપડે જ છે, ન થવાનું થતું નથી અને થવાનું મટતું નથી; તેથી તે બધું નિયતિને આભારી છે, એમાં કાળ, સ્વભાવ કે બીજા એક કારણને સ્થાન નથી. કોઈ અદષ્ટવાદી અષ્ટને જ કારણ માની તેની પુષ્ટિમાં કહે છે કે, બધા માણસો પૂર્વસંચિત કર્મયુક્ત જન્મે છે અને પછી તેઓ પોતે ધાર્યું ન હોય તેવી રીતે સંચિત કર્મના પ્રવાહમાં તણાય છે. માણસની બુદ્ધિ સ્વાધીન નથી, પૂર્વાર્જિત સંસ્કાર પ્રમાણે જ તે પ્રવર્તે છે; માટે અદૃષ્ટ જ બધાં કાર્યોનું કારણ છે. કોઈ પુરુષવાદી પુરુષને ફક્ત કારણ માની તેની પુષ્ટિમાં કહે છે કે, જેમ કરોળિયો બધા તાંતણા સરજે છે, જેમ ઝાડ બધા ફણગાઓ પ્રગટાવે છે, તેમ ઈશ્વર જ જગતના સર્જન, પ્રલય અને સ્થિતિનો કર્તા છે. ઈશ્વર સિવાય બીજું કશું જ કારણ નથી. જે કારણરૂપે બીજું દેખાય છે, તે પણ ઈશ્વરને જ આધીન છે; તેથી બધું જ ફક્ત ઈશ્વરતંત્ર છે. 2010_02 Page #286 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड - ३, गाथा - ५४-५५ આ પાંચે વાદો યથાર્થ નથી, કારણ કે તે દરેક કારણવાદો પોતાનાથી અન્ય કારણવાદોનું નિરસન કરી પોતાના મતનું સ્થાપન કરતા હોવાથી પારસ્પરિક વિરોધોથી જ હણાય છે. પણ જ્યારે એ પાંચે વાદો પરસ્પર વિરોધીપણું છોડી એક જ સમન્વયની ભૂમિકા ઉપર આવી ઊભા રહે છે, ત્યારે તેઓમાં પૂર્ણતા આવે છે અને પારસ્પરિક વિરોધ જતો રહે છે; એટલે તે યથાર્થ બને છે. એ સ્થિતિમાં કાળ, સ્વભાવ વગેરે કહેવાયેલા પાંચે કા૨ણોનું કાર્યજનક સામર્થ્ય જે પ્રમાણસિદ્ધ છે, તે સ્વીકારાય છે અને એકે પ્રમાણસિદ્ધ કારણનો અપલાપ થતો नथी. ( 43 ) कालादिवादानामिवैकान्तगृहीतानि 'आत्मा नास्तीत्यादीन्यपि मिथ्यात्वस्थानभूतानि इति प्ररूपयन्नाह - णत्थि ण णो ण कुणइ कयं ण वेएइ णत्थि णिव्वाणं । णत्थि य मोक्खोवाओ छम्मिच्छत्तस्स ठाणाई ।। ५४ ।। आत्मा एकान्ततो नास्ति - १, अस्ति आत्मा किन्तु प्रतिक्षणविशरारुतया चित्तसन्ततेर्न नित्यः - २, आत्मा नित्यो भोक्ता चास्ति तथापि न किञ्चित् करोति - ३, चित्तसंततेः क्षणिकत्वात् कृतं न वेदयते - ४ । रागादीनामात्मस्वरूपाविनाभावित्वात् तदक्षये तेषामप्यक्षयान्नास्ति निर्वाणम्-५, स्वाभाव्यादेव मुच्यते न मुक्तौ स्वाभावादन्यः कोऽपि हेतुरिति नास्ति च मोक्षोपायः-६ | इति एतानि षड् मिथ्यात्वस्य स्थानानि षण्णामप्येषां पक्षाणां मिथ्यात्वाधारतया व्यवस्थितेः । २४१ " इदं निर्धार्यम् - एकान्तवाद-मिथ्यात्वयोरविनाभावसम्बन्धाद् यत्र यत्रैकान्तस्य प्रवेशस्तत्र तत्र मिथ्यात्वमाविर्भवत्येव । तस्मादात्मतत्वविचारणायामपि 'आत्मा नास्ति' इत्यादीनि मतानि मिथ्यात्वं भजन्ते । । ५४ ।। ‘नास्ति' इत्यादिवद् ‘अस्ति' इत्यादिन्यप्येकान्तवादेन मिथ्यात्वम नुत इति दर्शयन्नाह - अस्थि अविणासधम्मी करेइ वेएइ अत्थि णिव्वाणं । अथ य मोक्खोवाओ छम्मिच्छत्तस्स ठाणाई ।। ५५ ।। 2010_02 एकान्तत आत्मा अस्ति - १, स चाविनाशधर्मी -२, करोति वेदयते इति कर्तृ-भोक्तृस्वभावोऽसौ-३, ४, अस्ति निर्वाणमस्ति च मोक्षोपायः - ५, ६ इति एते चाभ्युपगमा एकान्त Page #287 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा- ५४-५५ रूपत्वेन षड् मिथ्यात्वस्य स्थानानि । गाथायाष्टातुर्थपादं तु केचिदन्यथा पठन्ति 'छस्सम्मत्तस्स ठाणाइं’ति । अत्र पाठे इतरधर्मसापेक्षतया प्रवर्त्तमाना एते षट् सम्यक्त्वस्य स्थानानि भवन्ति, अत्र तु 'स्यादस्ति, स्यादविनाशधर्मी' इत्यादिरूपेण योजना कार्या । २४२ इदमायोज्यम् - आत्मनोऽस्तित्वादीनां स्वीकारोऽपि यद्येकान्ततः क्रियते तर्हि तेऽपि पक्षा मिथ्यात्वस्यैव स्थानानि भवन्ति । यदा च सापेक्षतया स्वीक्रियन्ते तदा ते पक्षा इतरधर्मानिराकरणतया सम्यग्रूपतां नयन्ति ।। ५५ ।। અવ. કાળ વગેરે કારણોની જેમ આત્માને વિષે પણ એકાંતે સ્વીકારેલ અસ્તિત્વ વગેરે છ પક્ષો અને નાસ્તિત્વ વગેરે છ પક્ષોનું મિથ્યાપણું જણાવતાં કહે છે – गाथा : छाया : अन्वयार्थ गाथा : छाया : अन्वयार्थ 2010_02 : : णत्थि ण णिच्चो ण कुणइ कयं ण वेएइ णत्थि णिव्वाणं । णत्थि य मोक्खोवाओ छम्मिच्छत्तस्स ठाणाई ।। ५४ ।। नास्ति न नित्यो न करोति कृतं न वेदयति नास्ति निर्वाणम् । नास्ति च मोक्षोपायः षग्मिथ्यात्वस्य स्थानानि ॥ ५४ ॥ णत्थि = नथी, ण णिचो = नित्य नथी, ण कुणइ डरतो नथी, આ कयं ण वेएइ = रेसुं अनुभवतो नथी, णत्थि णिव्वाणं = भोक्षं नथी, णत्थि य मोक्खोवाओ = भने भोक्षना उपायो नथी छम्मिच्छत्तस्स = छ भिथ्यात्वना ठाणाई = स्थानो. अस्थि अविणासधम्मी करेइ वेएइ अत्थि णिव्वाणं । अस्थि य मोक्खोवाओ छम्मिच्छत्तस्स ठाणाई ।। ५५ ।। अस्ति अविनाशधर्मी करोति वेदयति अस्ति निर्वाणम् । अस्ति च मोक्षोपायः षण्मिथ्यात्वस्य स्थानानि ।। ५५ ।। = छे. अविणासम्म अत्थि अविनाशी छे, करेइ = ४२ छे, वेएई = भोगवे छे, अत्थि णिव्वाणं = भोक्ष छे अत्थि य मोक्खोवाओ = અને મોક્ષનો ઉપાય છે ॥ छम्मिच्छत्तस्स = = मिथ्यात्वना छ ठाणाई = स्थानो. - - = Page #288 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-५८ २४७ हेतुविषयोपनीतं हेतुविषयतया - हेतुज्ञानजन्यानुमितिविधेयतयोपनीतम्-उपन्यस्तं साध्यधर्मिलक्षणं वस्तु पूर्वपक्षवादिना यथा वचनीयमितरधर्मनिरपेक्षतया प्रतिपाद्यं परो प्रतिपक्षवादी निवर्तयति दूषयति । किन्तु यदि पुरिल्ल: पूर्वपक्षवादी तत् साध्यधर्मिलक्षणं वस्तु तथा द्वितीयधर्मसापेक्षतया अदर्शयिष्यत ततोऽसौ केन वादिनाऽजेष्यत, न केनापीत्यर्थः । इदं दृश्यम् - यदि वादी हेतुसाध्यविषयमेकान्ततया योजयेत् तर्हि प्रतिवादी तद्दोषानुक्त्वा साध्यं दूषयति, तस्मात् पराजयो भवेत् । किन्तु यदि स्वसाध्यमनेकान्ततया निरूपयेत् तदा प्रतिपादी दोषान् दर्शयितुं न समर्थः, तेन जयो भवेत् । ततो वादे वादिनाऽनेकान्तदृष्ट्यैव साध्योपन्यासः करणीयः ।।५८ ।। અવ. “એવું જ સાધ્ય સિદ્ધ કરવા ગ્રહણ કરવું કે જે સાધ્યનું અનુમાન કરતાં વાદી કોઈ દોષ આપી नश' ते ४५udi छ - गाथा : हेउविसओवणीअं जह वयणिज्जं परो नियत्तेइ । जइ तं तहा पुरिल्लो दाइंतो केण जिव्वंतो ।।५८।। हेतुविषयोपनीतं यथा वचनीयं परो निवर्त्तयति । यदि तत् तथा पुरिल्लोऽदर्शयिष्यत केन अजेष्यत ।।५८ ।। अन्वयार्थ : पूर्वपक्षी 43 जह = d शत (त थी निरपेक्ष शत) हेउविस ओवणीयं = उतुन विषय५५uथी २४ सये वयणिज्जं = विषयने परो = प्रतिपाही नियत्तेइ = दूषित जरी श छ. जइ = ५४ हो, पुरिल्लो = पूर्वपक्षी तं = ते तुन विषयने तहा = सापेक्ष शत. दाइंतो = २४ या डोत तो केण = 43 जिव्वंतो = ती શકાત? ગાથાર્થ પોતાનાથી ઈતરધર્મથી નિરપેક્ષ રીતે રજૂ કરાયેલા હેતુના વિષયને પ્રતિવાદી દૂષણ આપી શકે છે. પણ જો ઇતરધર્મને સાપેક્ષ રહીને વાદીએ રજૂઆત કરી હોત તો તે કોના વડે જીતાત? અર્થાત્ કોઈના વડે તે જીતી શકાય નહિ. (૫૮) छाया: ___JainEducation International 2010_02 Page #289 -------------------------------------------------------------------------- ________________ २४८ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-५९ તાત્પર્યાર્થ : કોઈ વાદી પોતાનો પૂર્વપક્ષ રજૂ કરતી વખતે હેતુથી સિદ્ધ કરવા ધારેલા પોતાના સાધ્યને જો એકાંતરૂપે યોજે, તો પ્રતિવાદી તેની ખામી જોઈ તેના પક્ષને તોડી પાડે છે અને પરિણામે તે હારે છે. હવે જો એ જ પૂર્વપક્ષીએ પ્રથમથી જ પોતાના પક્ષમાં ખામી ન રહે તે માટે અનેકાંતદૃષ્ટિએ સાધ્ય રજૂ કર્યું હોત, તો ગમે તેવા પ્રબલ પ્રતિવાદીથી પણ તેને હાર ખાવી ન પડત એ સ્પષ્ટ છે. માટે વાદમાં ઊતરનારે અનેકાંતદષ્ટિએ જ સાધ્યનો ઉપન્યાસ કરવો જોઈએ, જેથી તે કદી ન હારે. (૫૮) एतदेव दर्शयन्नाह - एयन्ताऽसन्भूयं सन्भूयमणिच्छियं च वयमाणो । लोइय-परिच्छियाणं वयणिज्जपहे पडइ वादी ।।५९।। आस्तां तावदेकान्तासद्भूतम् एकान्तेनासत्यम्, किन्तु सद्भूतं चानिष्टिातं संदिग्धतया वदन् वादी लौकिक-परीक्षकाणां वचनीयपथं निन्धमार्ग पतति प्राप्नोति । इदं प्राप्यम् - यथा एकान्तेन पदार्थनिरूपणं कुर्वन् वाद्यसद्भूतवादितया पराभवति तथा सद्भूतमपि संदिग्धतया ब्रुवन्नपि । ततो वादे यथा अनेकान्तदृष्ट्या कथनमावश्यकं तथाऽसंदिग्धतया कथनमप्यावश्यकम् ।।५९ ।। અવ. વાદમાં જરૂરી કુશળતા જણાવતાં કહે છે – गाथा: एयंताऽसब्भूयं सब्भूयमणिच्छियं च वयमाणो । लोइय-परिच्छियाणं वयणिज्जपहे पडइ वादी ।।५९।। एकान्ताऽसद्भूतं सद्भूतमनिश्चितं च वदन् । लौकिक-परीक्षकाणां वचनीयपथं पतति वादी ।।५९।। अन्वयार्थ : एयन्ताऽसब्भूयं = Wituguथी असत्याहने च = आने सब्भूयं = सत्यवाहने ५५अणिच्छियं = अनिश्यितो वयमाणो = मोबनार वादी = वही लोइय-परिच्छियाणं = दो अने परीक्षा वयणिज्जपहे = निंदानो विषय पडइ = पने छे. ગાથાર્થ એકાંતે અસદ્ભત અર્થાત્ અસત્યવાદને અને સદ્ભૂતવાદને પણ અનિશ્ચિતપણે બોલનાર વાદી વ્યવહારકુશળ અને શાસ્ત્રકુશળ લોકોના નિંદાનો વિષય બને છે. (૫૯). छाया : ____ 2010_02 Page #290 -------------------------------------------------------------------------- ________________ मितितर्कप्रकरणे, काण्ड-३, गाथा-६० २४९ તાત્પર્યાર્થ : એકાંતપણાને લીધે જે નિતાંત ખોટું હોય તેની તો વાત જ શી ? પણ અનેકાંતરૂપે સાચું હોવા છતાં જો તેને અનિશ્ચિત – સંદિગ્ધરૂપે વાદગોષ્ઠીમાં મૂકવામાં આવે, તો તે વાદી વ્યવહારકુશળ અને શાસ્ત્રકુશલ બધા જ સભ્યોની દૃષ્ટિમાં ઊતરી પડે છે; તેથી માત્ર અનેકાંતષ્ટિ રાખવી એટલું જ બસ નથી. પણ એ દૃષ્ટિ સાથે અસંદિગ્ધવાદીપણું પણ पाहगोष्ठीमा आवश्य: छ. (५८) सन्मार्गस्वरूपं दर्शयन्नाह - दव्वं खित्तं कालं भावं पज्जाय-देस-संजोगे । भेदं च पडुच्च समा भावाणं पण्णवणपज्जा ।।६०।। द्रव्यं क्षेत्रं कालं भावं पर्याय-देश-संयोगान् भेदं च प्रतीत्याश्रित्य भावानां जीवाजीवादिवस्तूनां भेदे सति समा समानतया तदतदात्मकत्वेन प्रज्ञापनपर्या प्रज्ञापनायाःसर्ववस्तुविषयायाः स्याद्वादरूपायाः प्ररूपणायाः पर्या-मार्गः संभवति, स एव हि मार्गः सन्मार्गो ज्ञेयः । इदं प्ररूप्यम् - कस्यचिदपि पदार्थस्य यथार्थनिरूपणाय तस्य स्वरूपं द्रव्य-क्षेत्राद्यष्टभावानाश्रित्य ज्ञातव्यम्, तेनैव स्याद्वादप्ररूपणा संभवति । तत्र द्रव्यं-जीवाजीवादि, क्षेत्रंस्वाश्रयभूताकाशादिरूपम्, कालं वर्तनात्मकम्, भावं-परिणामरूपम्, पर्यायः रूपादिस्वभावः, देशो-यथा पृथिव्यां मूलाङ्कुरादिक्रमभाविविभागः, संयोगः-परिस्थितिः, भेदं-प्रतिक्षणविवर्तात्मकम् । इयं प्रकारिकैव प्ररूपणा यथार्थतत्त्वनिरूपणेन सन्मार्गरूपा भवति ।।६० ।। અવ. તત્ત્વપ્રરૂપણાની યોગ્ય રીતનું કથન કરતાં જણાવે છે - गाथा : दव्वं खित्तं कालं भावं पज्जाय-देस-संजोगे । भेदं च पडुच्च समा भावाणं पण्णवणपज्जा ।।६०।। छाया : द्रव्यं क्षेत्रं कालं भावं पर्याय-देश-संयोगान् । ६ च प्रतीत्य समा भावानां प्रज्ञापनपर्या ।।६०।। अन्वयार्थ : दव्वं = द्रव्य खित्तं = क्षेत्र कालं = ण भावं = मा पज्जाय देस-संजोगे = ५याय, हेश, संयोगो भेदं च = अने मे २१३५ (06 (भावान) पडुञ्च = आश्रयीने भावाणं = वस्तुनो (मेह थये ७४) 2010_02 Page #291 -------------------------------------------------------------------------- ________________ २५० संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-६१ સમ = સમાનપણાથી પUUવિUITMા = સ્યાદ્વાદરૂપ પ્રરૂપણાનો માર્ગ છે. ગાથાર્થ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, પર્યાય, દેશ, સંજોગ અને ભેદરૂપ આઠ ભાવોને આશ્રયીને જીવઅજીવ વગેરે દ્રવ્યોનો ભેદ થયે છતે જ સમાનપણાથી સર્વવસ્તુ વિષયક સ્યાદ્વાદરૂપ પ્રરૂપણાનો માર્ગ છે. અર્થાત્ એ જ સન્માર્ગ છે. (૧૦) તાત્પર્યાર્થ : પદાર્થોની અનેકાંતદૃષ્ટિપ્રધાન પ્રરૂપણા યોગ્ય રીતે કરવી હોય, તો જે જે બાબતો તરફ ધ્યાન અવશ્ય રાખવું જોઈએ તે બાબતોનો અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે. એવી બાબતો આઠ છે. પૃથ્વી દ્રવ્ય ખ્યાલમાં રાખી આ મુજબ જણાવી શકાય કે - ૧. દ્રવ્ય-પૃથ્વી વગેરે પદાર્થની મૂળજાતિ; ૨. ક્ષેત્ર - દ્રવ્યના જનક અવયવ અથવા દ્રવ્યનો આધાર આકાશ; ૩. કાલ ‘વર્તના પર્યાય સ્વરૂપ, સમય વગેરે; ૪. ભાવ - મૂલ, અંકુરો વગેરે સ્વરૂપ; ૫. પર્યાયરૂપ વગેરે સ્વભાવ; ૬. દેશ – મૂળ, પછી અંકુરો, પત્ર, થડ વગેરે ક્રમિક વિભાગ; ૭. સંજોગ - ભૂમિ, પાણી વગેરેનો સમૂહ જે દ્રવ્ય અને પર્યાય ઉભયસ્વરૂપ છે અને ૮. ભેદ – પ્રતિસમય થવાવાળા વિવાઁ. આ જ રીતે ધ્યાન, ત્યાગ વગેરે કોઈ ચારિત્રાશના અધિકારનું નિરૂપણ કરવું હોય અથવા આત્મતત્ત્વનું સ્વરૂપ બતાવવું હોય, તો ઓછામાં ઓછું ઉપરની આઠ બાબતો ઉપર બરાબર લક્ષ્ય રાખવાથી જ તે વિશદ રીતે અને અભ્રાંત રીતે નિરૂપણ થઈ શકશે. (૬૦) अविवेचितागमज्ञानमज्ञतासूचकमिति ख्यापयन्नाह - पाडेक्कनयपहगयं सुत्तं सुत्तहरसहसंतुट्ठा । अविकोवियसामत्था जहागमविभत्तपडिवत्ती ॥६१।। प्रत्येकनयपथगतं सूत्रम् एकैकसङ्ग्रहादितत्तन्नयेभ्यः प्रसृतं तत्तत्परवाद्यागमगतं सूत्रमधीत्य सूत्रधरशब्दसंतुष्टा ‘वयं सूत्रधरा' इति शब्दमात्रण गर्ववन्तः, यथागमाविभक्तप्रतिपत्तय आगममनतिक्राम्येति यथागमं यथाश्रुतमविभक्ता नयविवेकरहिता प्रतिपत्तिः स्वीकारो येषां ते तथा, अत एव ते पण्डितमानिनः अविकोविदसामर्थ्या अविकोविदमज्ञं सामर्थ्य येषां ते तथा, इतरजनवदज्ञा इति भावः । अथवा स्वयूथ्याः साधव एकनयदर्शनेन सापेक्षसूत्राणि निरपेक्षतयाऽधीत्य ‘वयं सूत्रधराः, वयं गीतार्थाः' इति गर्विता यथावस्थितान्यनय-सापेक्षसूत्रार्थापरिज्ञानादज्ञातात्मविद्वत्स्वरूपा ज्ञेयाः । 2010_02 Page #292 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-६१-६२ २५१ इदं ज्ञातव्यम् - परयूथ्या भवेयुर्वा स्वयूथ्याः किन्तु ते यदि एकैकनयप्रसृतागमं पठित्वा 'वयं सूत्रधराः, वयं गीतार्थाः' इति मन्यन्ते शास्त्रोक्तविवेकरहितं च पदार्थं स्वीकृर्वन्ते तर्हि ते शास्त्रानध्येतृवदज्ञानिन एव । तेनानेकान्तदृष्ट्या शास्त्रज्ञानप्राप्त्यर्थं प्रयत्नः करणीयः ।।६१ ।। एकनयदर्शनेन प्रवृत्तानां पूर्वोक्तगाथोक्तानां यो दोषस्तदुद्भावयन्नाह - सम्मइंसणमिणमो सयलसमत्तवयणिज्जणिद्दोस । अत्तुक्कोसविणट्ठा सलाहमाणा विणासेंति ।।६२।। आत्मोत्कर्षविनष्टा एकनयवादिनस्त्वविषये सूत्राभिप्रायस्य व्यवस्थापनेनात्मोत्कर्षण विनष्टाः स्याद्वादाभिगमं प्रति अनाद्रियमाणा ‘वयं सूत्रधरा' इत्यात्मानं श्लाघमानाः सकलसमाप्तवचनीयनिर्दोषं 'स्यान्नित्यः' इत्यादिसमस्तधर्मव्यापिनिरूपणेन निर्दोषमेतत् परस्परविषयाऽपरित्यागप्रवृत्तानेकनयात्मकं सम्यग्दर्शनं विनाशयन्ति । इदं नेयम् - ये एकनयविषये सूत्रार्थं व्यवस्थाप्य स्याद्वादमपलपन्ति तथा 'वयं ज्ञानिनः' इत्यादि स्वप्रशंसां कुर्वन्ति, नूनं ते स्याद्वादमयस्य सम्यग्दर्शनस्य विनाशं कुर्वन्ति अर्थात् सम्यग्ग्दर्शनयोग्यां स्वपरिणतिं नाशयन्ति ।।६२ ।। અવ. વિવેક વગરનો આગમબોધ અજ્ઞતાનો સૂચક છે એ પ્રમાણે જણાવતાં કહે છેगाथा : पाडेक्कनयपहगयं सुत्तं सुत्तहरसद्दसंतुट्ठा । अविकोवियसामत्था जहागमविभत्तपडिवत्ती ।।१।। प्रत्येकनयपथगतं सूत्रं सूत्रधरशब्दसंतुष्टाः । अविकोविदसामर्थ्या यथागमाविभक्तप्रतिपत्तयः ।।६१।। अन्वयार्थ : पाडेक्कनयपहगयं = प्रत्येॐ (8-8) नयमान अनुस२नार सुत्तं = सूत्रने (मान) सुत्तहरसद्दसंतुट्ठा = 'सूत्र५२' शमां संतुष्ट थये।, जहागमविभत्तपडिवत्ती = आम मु४५ विवेsपूर्ण ५४ार्थन स्वी॥२ न. ४२॥२॥ (मने तेथी तो) अविकोवियसामत्था = शस्त्रना અર્થને નહિ જાણનારા (હોવાથી અજ્ઞાની છે). छाया : 2010_02 Page #293 -------------------------------------------------------------------------- ________________ २५२ ગાથા : છાયા : સંમતિતઋપ્રો, જાવુ-૩, ગાથા-૬-૬૨ सम्मदंसणमिणमो सयलसमत्तवयणिज्जणिद्दोसं । अत्तुक्कोसविणट्ठा सलाहमाणा विणासेंति ।। ६२ ।। सम्यग्दर्शनमेतद् सकलसमाप्तवचनीयनिर्दोषम् । आत्मोत्कर्षविनष्टाः श्लाघमाना विनाशयन्ति ।। ६२ ।। અન્વયાર્થ : અત્તોસવિઠ્ઠા = જાત બડાઈ વડે (અનેકાંતવાદનો) અનાદર કરનારા અને સહાદમાળા = જાતની પ્રશંસા કરનારા લોકો સયસમત્તવયणिज्जणिद्दोसं સઘળાયે ધર્મમાં વ્યાપી નિરૂપણ વડે નિર્દોષ એવા इमो = આ સમ્મદંસળું = સમ્યગ્દર્શનનો વિસંતિ = નાશ કરે છે. = 0:0 ગાથાર્થ : એક એક નયમાર્ગને અનુસરનાર એવા સૂત્રને ભણી જેઓ ‘અમે સૂત્રધર’ એ પ્રમાણે શબ્દમાત્રમાં સંતુષ્ટ થયેલા છે તથા શાસ્ત્રમાં કહેવાયેલા અર્થને નયના વિવેક વગર સ્વીકાર કરનારા, અને તેથી તેઓ અજ્ઞ છે અર્થાત્ સૂત્રનો વિષયવિભાગ સમજવામાં અસમર્થ હોવાથી અજ્ઞાની છે. અથવા જૈનદર્શનને માનનારા પણ એક નયના સ્વીકારપૂર્વક કેટલાક સૂત્રોને ભણીને ‘અમે ગીતાર્થ’ એ પ્રમાણે જેઓ અભિમાન કરે છે અને અન્ય નયથી સાપેક્ષ એવા સૂત્રોના અર્થને જેઓ જાણતા નથી, તેઓ વાસ્તવમાં વિદ્વાન નથી. (૬૧) 2010_02 પોતાના ઉત્કર્ષને ગાવા વડે અનેકાંતવાદનો અનાદર કરનારા તથા ‘અમે સૂત્રધર છીએ' એ રીતે પોતાની પ્રશંસા કરતાં લોકો સઘળાયે ધર્મમાં વ્યાપી નિરૂપણ વડે નિર્દોષ એવા આ સમ્યગ્દર્શનનો નાશ કરે છે. (૬૨) તાત્પર્યાર્થ : કોઈપણ એક વસ્તુને આશ્રયી જેઓ બધી દૃષ્ટિઓનો વિચાર કર્યા વિના એકાદ દૃષ્ટિને પકડી લે છે, અને તે દૃષ્ટિના સમર્થક સૂત્રનો અભ્યાસ કરી પોતાને સૂત્રધર મનાવી તેટલામાં જ સંતુષ્ટ થઈ જાય છે, તેવા પોતાની જાતને પઽિતમન્યાઃ = પંડિત માનનારા જૈન દર્શનને માનતા હોય કે અજૈન દર્શનને માનતા હોય છતાં તેઓમાં અનેકાંતદૃષ્ટિયોગ્ય વિદ્વત્તાનું સામર્થ્ય નથી જ આવતું અને તેથી તેઓનું જ્ઞાન માત્ર શબ્દપાઠ પૂરતું વિશદ હોય છે; પણ સ્વતંત્રપ્રજ્ઞાજન્ય વિશદતા તેમનામાં આવી શકતી નથી. એટલે તેઓ થોડામાં ઘણું માની ફુલાઈ જાય છે અને પોતાની બડાઈ હાંક્યાં અનેકાંતદૃષ્ટિનો અનાદર કરે છે. આ રીતે તેઓ સમ્યગ્દર્શનનો અર્થાત્ અનેકાંતદૃષ્ટિનો નાશ જ કરે છે અર્થાત્ પોતાના આત્મામાં સમ્યગ્દર્શનની ભૂમિકાનો નાશ કરી બેસે છે. (૧-૬૨) Page #294 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड - ३, गाथा- ६३ शास्त्रप्ररूपणायां न केवलायाः शासनभक्त्या आंशिकज्ञानस्य वाऽपेक्षाऽति दर्शयन्नाह - ण हु सासणभत्तीमेत्तएण सिद्धंतजाणओ होइ । ण विजाणओ विणियमा पण्णवणाणिच्छिओ णामं ।। ६३ ॥ हु खलु शासनभक्तिमात्रेण सिद्धांतज्ञको द्वादशाङ्गमयजैनप्रवचनस्य ज्ञाता न भवति, विज्ञकोऽपि जीवादितत्त्वैकदेशज्ञाताऽपि नियमात् प्रज्ञापनानिष्टिशतो नाम नामेति कोमलामन्त्रणे, अनेकात्मकवस्तुस्वरूपप्ररूपणायां समर्थो न भवतीत्यर्थः । इदं धार्यम् यदीष्टं सिद्धान्तज्ञातृत्वं तत्प्ररूपकत्वं च तर्हि न केवल : शासनानुरागोऽपेक्ष्यः, किन्तु तेन सह स्याद्वादसिद्धान्तस्य परिपूर्णं ज्ञानमप्यावश्यकम् । स्याद्वादसिद्धान्तस्य पूर्णबोधं विनोत्सर्गापवादयोः, निष्टायव्यवहारयोः, ज्ञानक्रियानययोः सूत्रार्थयोर्ज्ञानाभावात् ससूत्रप्ररूपणाया असम्भव एव ।। ६३ ।। અવ. ‘શાસનની ભક્તિમાત્રથી કે શાસનના આંશિક જ્ઞાનમાત્રથી શાસનની પ્રરૂપણામાં કુશળ બની શકાતું નથી’ તે જણાવતાં કહે છે - गाथा : छाया : हु सासणभत्तीमेत्तएण सिद्धंतजाणओ होइ । ण विजाणओ विणियमा पण्णवणाणिच्छिओ णामं ।। ६३ । न हु शासनभक्तिमात्रेण सिद्धान्तज्ञको भवति । न विज्ञकोऽपि नियमात् प्रज्ञापनानिश्चितो नाम ।। ६३ ।। २५३ अन्वयार्थ : हु = परेजर सासणभत्तीमेत्तएण शासननी भक्तिभात्रथी (ओई) सिद्धांतनो भएाडार न होइ सिद्धंतजाणओ = थतो नथी. विजाणओ वि सिद्धांतनो शिद्ध भएर पए। पण्णवणाणिच्छिओ णामं = ४३५शानो अधिडारी णियमा = निश्ये न = नथी. = ગાથાર્થ ઃ ખરેખર શાસનની ભક્તિમાત્રથી કોઈ સિદ્ધાંતનો જ્ઞાતા થઈ શકતો નથી. તેમજ સિદ્ધાંતનો આંશિક જ્ઞાતા પણ કાંઈ નિયમથી પ્રરૂપણાનો અધિકારી બની શકતો નથી. (૬૩) 2010_02 = = તાત્પર્યાર્થ : કોઈ વ્યક્તિ માત્ર પોતાની શાસ્ત્રભક્તિથી પ્રેરાઈ પોતાને શાસ્ત્રોનો જ્ઞાતા માને છે; અને કોઈ થોડું જ્ઞાન થયું એટલે પોતાને તેની પ્રરૂપણાનો અધિકા૨ી માને છે. તે Page #295 -------------------------------------------------------------------------- ________________ २५४ संमतितर्कप्रकरणे, काण्ड - ३, गाथा - ६४ બન્નેને લક્ષી ગ્રંથકાર કહે છે કે, શાસ્ત્રની યથાવત્ પ્રરૂપણાનો અધિકાર મેળવવા માટે તત્ત્વોનું પૂર્ણ અને નિશ્ચિત જ્ઞાન જોઈએ. એ કાંઈ માત્ર શાસ્ત્રની ભક્તિથી કે તેના થોડા ઘણા જ્ઞાનથી સિદ્ધ નથી થતું; કારણ કે ભક્તિ છતાં ઘણામાં શાસ્ત્રનું જ્ઞાન નથી હોતું અને શાસ્ત્રનું જ્ઞાન ધરાવનાર બધા જ કાંઈ નિયમથી પ્રરૂપણા કરવાની લાયકાત ધરાવતા નથી. એવી લાયકાત શાસ્ત્રજ્ઞોમાં પણ વિરલને જ હોય છે કે જેઓ શાસ્ત્રોનું સાંગોપાંગ જ્ઞાન મેળવીને અનેકાંતદષ્ટિને સ્પર્શનારા હોય છે. આથી, શાસ્ત્રમાં કહેવાયેલા જીવ વગેરે સાત તત્ત્વોને સંપૂર્ણપણે અને નિશ્ચિતપણે જાણવા જરૂરી છે. તો જ તે વ્યક્તિ પારમાર્થિક સિદ્ધાંતનો જ્ઞાતા તથા સિદ્ધાંતની પ્રરૂપણાનો અધિકારી બની શકે છે. આ ગાથાની ટીકામાં જીવ વગેરે સાત તત્ત્વોનું પ્રમાણપૂર્વક નિરૂપણ કરવામાં આવ્યું છે. તેની સાથે અન્ય દર્શનકારોએ માનેલ પદાર્થોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું છે. બંધ તત્ત્વનું નિરૂપણ કરતી વખતે તેના કારણભૂત શુભ અશુભ અધ્યવસાયો અને તે અધ્યવસાયો ઉપર આધારિત આર્ટ, રૌદ્ર, ધર્મ તથા શુક્લધ્યાનનું પણ સંક્ષેપમાં વિશદ વર્ણન ४२वामां आवे छे. (५३) नयवादस्य ज्ञानेनैव यथावस्थितस्य सूत्रार्थस्य बोधः संभवेदिति दर्शयन्नाह सुत्तं अत्थनिमेणं न सुत्तमेत्तेण अत्थपडिवत्ती । अत्थगई उण णयवायगहणलीणा दुरभिगम्मा ।।६४।। - सूत्रमनेकार्थराशिसूचनाद् अर्थनिमेणं साक्षात् सूत्रस्याभिधेयः अर्थस्तस्य स्थानम्, सूत्रार्थस्य निर्युक्त्याद्यपेक्षत्वान्न सूत्रमात्रेणैव अर्थप्रतिपत्तिः पौर्वापर्येणाविरुद्धस्यार्थस्य वोधः । अर्थगतिः पुनर्यथाव्यवस्थितस्य अर्थस्य प्राप्तिस्तु नयवादगहनलीना शतशतप्रभेदविशिष्टैकैकनैगमादिनयभेदविशिष्टद्रव्यार्थिकपर्यायार्थिकलक्षणौ नयवादावेव गहनं दुर्गमारण्यं तत्र लीना तथा दुरधिगम्या दुरवबोधा । इदं बोध्यम् सूत्रमर्थस्याधारभूतम्, किन्तु केवलसूत्रपाठेनार्थस्य पूर्णविशदज्ञानस्यासंभवः, सूत्रेण सह नियुक्ति - भाष्य- - चूर्णि-वृत्त्यादेर्ज्ञानमप्यावश्यकम्, तज्ज्ञानं तु गहननयवादाधारि । यदा च नयवादज्ञानं यथोचितं प्राप्यते तदैव यथाव्यवस्थितार्थस्य बोधं भवेत् । ततो नयवादज्ञाने विशेषप्रयत्नः करणीयः । । ६४ ।। 2010_02 - Page #296 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-६४-६५ अर्थसंपादने प्रयत्नाभावे शासनविडम्वनेति दर्शयन्नाह - तम्हा अहिगयसुत्तेण अत्थसंपायणम्मि जइयव् । आयरियधीरहत्था हंदि महाणं विलंबेन्ति ॥६५ ।। तस्माद् अधिगतसूत्रेण अधीतमशेषं सूत्रं येन स तेन अर्थसम्पादने तत्सूत्रविषयकप्रमाणनयस्वरूपावधारणे यतितव्यम् । अन्यथा आचार्यधीरहस्ता अशिक्षितशास्त्रार्थाऽपि शास्त्रविवेचने धृष्टतया व्याप्रियते येषां हस्तस्ते धीरहस्ता अशिक्षितधृष्टा इत्यर्थस्ते आचार्या महाज्ञां जैनशासनं विडम्बयन्ति विगोपयन्ति । इदमवधार्यम् - यः तत्त्वानां पूर्णविशदज्ञानप्राप्तुमिच्छुकः तेन सूत्राध्ययनं पटाद् नयज्ञानपूर्वकं पौर्वापर्येणाविरुद्धार्थबोधाय सततं यत्नः करणीयः । ये चाचार्याः पदार्थवाक्यार्थ-महावाक्याथै दम्पर्यार्थस्वरूपशास्त्रार्थवोधाभावे सत्यपि प्ररूपणां प्रवृत्तिं च कुर्वन्ति ते खलु जैनशासनमसत्प्ररूपणया विगोपयन्ति ।।६५ ।। અવ. તત્ત્વોનું પૂર્ણ અને નિશ્ચિત જ્ઞાન માટે શું કરવું તે જણાવતાં કહે છે – गाथा : सुत्तं अत्थनिमेणं न सुत्तमेत्तेण अत्थपडिवत्ती । अस्थगई उण णयवायगहणलीणा दुरभिगम्मा ।।६४।। सूत्रम् अर्थनिमेणं न सूत्रमात्रेण अर्थप्रतिपत्तिः ।। अर्थगतिः पुर्नयवादगहनलीना दुरभिगम्या ।।६४।। अन्वयार्थ : सुत्तं = सूत्र में अत्थनिमेणं = अर्थ- स्थान. सुत्तमेत्तेण = सूत्रमारथी अत्थपडिवत्ती = अर्थबोध न = थतो नथी. उण = qणी, अत्थगई = अथर्नु न णयवायगहणलीणा = नय4६३पी दुर्गम मां दीन छ भने दुरभिगम्मा = हुम छ. तम्हा अहिगयसुत्तेण अत्थसंपायणम्मि जइयव्वं । आयरियधीरहत्था हंदि महाणं विलंबेन्ति ।।६५।। तस्माद् अधिगतसूत्रेण अर्थसंपादने यतितव्यम् । आचार्यधीरहस्ता हन्दि महाज्ञां विडम्बयन्ति ।।६५ ।। छाया: गाथा: छाया : 2010_02 Page #297 -------------------------------------------------------------------------- ________________ २५६ સંમતિતÁપ્રરણે, ાવુ-૩, ગાથા-૬૬ અન્નવાર્થ : તદ્દા = તેથી, અહિયસુત્તેળ = સૂત્રના જ્ઞાતા વડે અત્યસંપાયમ્મિ અર્થપ્રાપ્તિમાં નયનં = પ્રયત્ન કરવા યોગ્ય છે. દૈવિ = (અન્યથા) ખરેખર, આયરિયધી હત્યા = શાસ્ત્રના અર્થને નહિ પામેલા અને આચારમાર્ગને નહિ શીખેલા હોવા છતાં પણ ધૃષ્ટપણા વડે પ્રવૃત્તિ કરનારા આચાર્યો મહાળ = આપ્તપુરુષના શાસનની વિãત્તિ વિડંબના કરે છે. = ગાથાર્થ ઃ સૂત્ર એ અર્થનું સ્થાન છે. પણ માત્ર સૂત્રથી અર્થનો બોધ થતો નથી. ખરેખર, અર્થનું જ્ઞાન નયવાદરૂપી દુર્ગમ જંગલમાં રહેલું છે અને દુર્લભ છે. (૬૪) તેથી સૂત્રના જ્ઞાતા વડે અર્થ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ, અન્યથા શાસ્ત્રના અર્થને નહિ જાણનારા અને આચારમાર્ગને અભ્યસ્ત ન કરવા છતાં પણ ધૃષ્ટતાથી પ્રવૃત્તિ કરનારા આચાર્યો આપ્તપુરુષના શાસનની વિડંબના કરે છે. (૩૫) = તાત્પર્યાર્થ : કોઈ સૂત્રપાઠના અભ્યાસમાત્રથી તત્ત્વજ્ઞતાનો દાવો કરે, તો તેને ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, સૂત્રપાઠ એ અર્થનું પ્રતિપાદક હોવાથી તેનો આધાર છે ખરો; પરંતુ માત્ર સૂત્રપાઠથી અર્થનું પૂર્ણ અને વિશદ જ્ઞાન થઈ શકતું નથી. એવું જ્ઞાન ગહન નયવાદ ઉપર આધાર રાખતું હોવાથી, તેને મેળવવું કઠણ છે. જો નયવાદમાં બરાબર પ્રવેશ થાય, તો જ એવું જ્ઞાન સુલભ થાય. તેથી, જે તત્ત્વોનું પૂર્ણ અને વિશદ જ્ઞાન મેળવવા ઇચ્છે, તેણે સૂત્રપાઠ શીખી લીધા પછી પણ તેનો નયસાપેક્ષ પૂર્વાપર અવિરુદ્ધ અર્થ જાણવા માટે સતત પ્રયત્ન કરવો જ જોઈએ; અને તે માટે તેણે નયવાદમાં પ્રવેશ ક૨વો જ જોઈએ. જેઓ એમ નથી કરતા અને અકુશલ છતાં ધૃષ્ટ થઈ શાસ્ત્રપ્રરૂપણા અને પ્રવૃત્તિ કરે છે, તેઓ પ્રવચનને અર્થાત્ જૈનશાસનને ડૂબાડવાનું કામ કરે છે. આ ગાથાની ટીકામાં પૂર્વપક્ષ તરીકે દિંગબરમતનું સ્થાપન કરી તેમની ‘સાધુપણામાં વસ્ત્ર બાધક છે’, ‘સ્ત્રીની મુક્તિ ન થઈ શકે' વગેરે માન્યતાઓનું યુક્તિ અને આગમ પાઠોપૂર્વક ખંડન કરી તેઓ કઈ રીતે જૈનશાસનને ડૂબાડી રહ્યા છે તે રજૂ કરેલ છે. (૬૪-૬૫) शास्त्रपर्यालोचनाभावे बाह्याडम्बरे आगच्छतो दोषान् कथयन्नाह 2010_02 - जह जह बहुस्सुओ संमओ य सिस्सगणसंपरिवुडो य । अविणिच्छिओ य समए तह तह सिद्धंतपडिणीओ ।। ६६ ।। यथा यथा बहुश्रुतः सम्यगपरिभावितार्थानेकशास्त्रश्रवणमात्रेण श्रुतपल्लवग्राहितया Page #298 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-६६-६७ २५७ बहुश्रुतत्वख्यातिमान्, संमतष्टा संसाराभिनन्दिनां गतानुगतिकप्रवाहपतितानामविदितशास्त्राभिप्रायजनानां शास्त्रज्ञत्वेन बहुमतः, अत एव शिष्यगणसंपरिवृतष्टा श्रुतविशेषानभिज्ञैः शिष्यगणैः समन्तात् परिवृत्तः, अविनिष्टिीतष्टा समये सिद्धान्तपर्यालोचनेऽनादृतत्वात् सम्यगपरिणतः, तथा तथा सिद्धान्तप्रत्यनीकः सिद्धान्तविनाशको निस्सारप्ररूपणया अन्यागमेभ्योऽपि भगवदागममधःकरोतीति यावत् । इदं प्ररूप्यम् - शास्त्राणां सम्यग्पर्यालोचनाभावे सम्यगपरिणतो यो यथा यथा विशेषतो बहुश्रुतः, बहुजनसंमतः, बहुशिष्यपरिवृत्तष्टा भवति तथा तथा स जैनशासनस्य महाप्रत्यनीको भवति । ततः सूत्राध्ययनं पप्टाात्तदर्थपर्यालोचने निष्टायतः प्रयत्नः करणीयः ।।६६ ।। अनेकान्तात्मकतत्त्वज्ञानाभावात् क्रियायोगस्य निष्फलतां कथयन्नाह - चरण-करणप्पहाणा ससमय-परसमयमुक्कवावारा । चरण-करणस्स सारं णिच्छयसुद्धं ण याणंति ।।६७।। चरण-करणप्रधानाप्टारणं व्रतश्रमणधर्मादि: करणं पिण्डविशुद्धयादिः, एतयोप्टारणकरणयोः प्रधानास्तदनुष्ठानतत्परा अपि साधवो यदि स्वसमय-परसमयमुक्तव्यापारा अनेकान्तात्मकवस्तुप्ररूपणादयं स्वसमयः, केवलनयाभिप्रायप्रतिपादनाञ्चायं परसमयः इत्येतस्मिन् परिज्ञाने प्रवृत्तिरहितास्तर्हि निष्टायशुद्धं निष्कलङ्कं चरणकरणस्य चारित्रधर्मानुष्ठानस्य सारं फलं न जानन्ति नानुभवन्ति अथवा चरणकरणयोस्सारं निष्टायेन शुद्धं सम्यग्दर्शनं ते न जानन्ति । इदं सारम् - ये केवलं क्रियायोग एव तत्परा न तु ज्ञानयोगे, ते खलु क्रियायोगस्य फलमनुभवितुं न समर्थाः । क्रियायोगयुक्तेन ज्ञानयोगेनैव स्वसमय-परसमयतात्पर्यार्थावगमो भवति, तेन च यथावस्थितवस्तुतत्त्वावबोधः, ततष्टा निष्टायेन शुद्धसम्यग्दर्शनमाविर्भवति । तस्मात् साधुना सततं स्वसमय-परसमयतात्पर्यार्थकारणरूपस्यानेकान्तवादस्य ज्ञानार्थं गुर्वाज्ञया यत्नः करणीयः ।।६७।। _ 2010_02 Page #299 -------------------------------------------------------------------------- ________________ २५८ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-६६-६७ छाया: અવ. શાસ્ત્રના પર્યાલોચના વગરના બાહ્ય આડંબરમાં આવતા દોષોનું કથન કરતાં જણાવે છે गाथा : जह जह बहुस्सुओ सम्मओ य सिस्सगणसंपरिवुडो य । अविणिच्छिओ य समए तह तह सिद्धंतपडिणीओ ।।६६।। यथा यथा बहुश्रुतः संमतश्च शिष्यगणसंपरिवृत्तश्च । अविनिश्चितश्च समये तथा तथा सिद्धान्तप्रत्यनीकः ।।६६।। अन्वयार्थ : जह = डेभ. जह = हेम बहुस्सुओ = ॥स्त्रना श्रव।माथी पश्रुत डोय, य = अने संमओ = २॥२१॥ ५२मार्थथी Audio 43 संभाननीय डोय, य = अने सिस्सगणसंपरिवुडो य = श्रुतविशेषने नडि एन२॥ शिष्यो 43 वीटायेलो डीय समए = (५५) शस्त्रन। अविणिच्छिओ = निश्ययने अर्थात् मैपायने पामेलो न लोय तह तह = तेम तेम (त) सिद्धंतपडिणीओ = छैन सननो शत्रु (nai). गाथा: चरण-करणप्पहाणा ससमय-परसमयमुक्कवावारा । चरण-करणस्स सारं णिच्छयसुद्धं ण याणंति ।।६७।। छाया: चरणकरणप्रधानाः स्वसमय-परसमयमुक्तव्यापाराः । चरणकरणस्य सारं निश्चयशुद्धं न जानन्ति ।।६७।। अन्वयार्थ : चरणकरणप्पहाणा = ५२४ासित्तरी भने १२४सित्तरीन सनमा तत्५२ डोवा छत ५९॥ ससमयपरसमयमुक्कवावारा = ' સ્વસિદ્ધાંત છે” અને “આ પરસિદ્ધાંત છે' એવા પ્રકારની વિચારણામાં अना६२४॥ साधुओ णिच्छयसुद्धं = निश्ययष्टिथी शुद्ध मेवा चरणकरणस्स = २२५ सित्तरी अने ४२४ासित्तरीन। सारं = [ने ण याणंति = अनुभवता नथी. ગાથાર્થ : જેમ જેમ, કોઈ વ્યક્તિ અર્થનું ભાવન કર્યા વિના જ અનેક શાસ્ત્રોના શ્રવણમાત્રથી બહુશ્રુત હોય, શાસ્ત્રોના પરમાર્થને નહિ જાણનારા લોકો વડે સન્માનનીય હોય અને શ્રુત વિશેષને નહિ જાણનારા શિષ્યોના સમૂહો વડે વીંટળાયેલો હોય, પણ જો શાસ્ત્રના ઔદંપર્યાયને પામેલો ન હોય તો तेम तेम ते यति हैन शासननो (भोटो) शत्रु सम४यो. (७७) 2010_02 Page #300 -------------------------------------------------------------------------- ________________ સંતિતપ્રજર, દુ-૩, થા-૬૬-૬૭ २५९ જેઓ ચરણસિત્તરી અને કરણસિત્તરીના પાલનમાં મગ્ન છે પણ સ્વસિદ્ધાંત તેમજ પરસિદ્ધાંતની વિચારણામાં અનાદરવાળા છે, તેઓ ખરેખર, નિશ્ચયદષ્ટિથી શુદ્ધ એવા ચરણસિત્તરી અને કરણસિત્તરીના ફળને અનુભવી શકતા નથી અથવા ચરણસિત્તરી અને કરણસિત્તરીના સારસ્વરૂપ નિશ્ચયથી શુદ્ધ સમ્યગ્દર્શનને જાણતા નથી. (૬૭) તાત્પર્યાર્થ : જેઓ માન-સન્માનમાં અને શિષ્ય પરિવારના મોહમાં રત છે તથા જેઓ શાસ્ત્રીય ચિંતન છોડી માત્ર ક્રિયામાં રત છે તેઓને ખ્યાલમાં રાખી ગ્રંથકારશ્રી કહે છે કે, સિદ્ધાંતના ચિંતન વિનાનો અને તેથી જ શાસ્ત્રોના ઔદંપર્યાયબોધથી અપરિણત એવો પુરુષ જેમ જેમ શાસ્ત્રાર્થને નહિ જાણનારા લોકોમાં બહુશ્રુત તરીકે માન્ય થતો જાય, શાસ્ત્રના અભિપ્રાયને નહિ જાણનારા-સંસારાભિનંદી - ગતાનુગતિક ક્રિયા કરનારા-બાહ્ય આડંબરને જોવા માત્રથી વિસ્મય પામનારા-મુગ્ધમતિવાળા ઘણા લોકો વડે સન્માનનીય બને અને બહુમૂઢ એવા જ શિષ્યોને એકત્રિત કરી તેઓનો ગુરુ થતો જાય, તેમ તેમ તે જૈન સિદ્ધાંતનો શત્રુ જ થવાનો. બહુશ્રુતપણાની છાપ, ઘણા લોકોમાં સંમાનનીય કે મોટો શિષ્ય પરિવાર એ કાંઈ સિદ્ધાંતના નિશ્ચિત જ્ઞાનનાં કારણ નથી; ઊલટું બાહ્ય આડંબર અને દંભ તેવા પારમાર્થિકજ્ઞાનના બાધક જ થાય છે. તત્ત્વચિંતનનો ત્યાગ કરી જેઓ પાંચ મહાવ્રત, દશ શ્રમણધર્મ વગેરે સ્વરૂપ ચરણસિત્તરી અને પિંડવિશુદ્ધિ, પાંચ સમિતિ વગેરે સ્વરૂપ કરણસિત્તરી વગેરે વિવિધ આચારોમાં રત રહે છે તેઓ શ્રમણાચારના ફળથી વંચિત રહી જાય છે. શ્રમણાચારનું ફળ તત્ત્વોનું યથાર્થજ્ઞાન મેળવી, તે પ્રમાણે વિશદરૂચિ કેળવી, આત્મશુદ્ધિ કરવી એ છે. હવે જો શાસ્ત્રાભ્યાસ કરી તત્ત્વચિંતન કરવામાં ન આવે તો તત્ત્વોનું સામાન્યજ્ઞાન પણ થતું નથી અને સામાન્યજ્ઞાન ન હોય તો તત્ત્વોનું વિશેષરૂપે વિશદજ્ઞાન કયાંથી જ સંભવે ? એવા વિશદજ્ઞાન વિના વાસ્તવિક તત્ત્વરૂચિ - સમ્યગ્દર્શન પણ ન જ સંભવે; અને એના વિના આત્મશુદ્ધિ પણ અટકે. તેથી આત્મશુદ્ધિના લક્ષથી વ્રત-નિયમ અંગીકાર કરનાર માટે જરૂરી છે કે તેણે તત્ત્વચિંતન કદી ન છોડવું. તે પણ અનેકાંતદષ્ટિપૂર્વક કરવું. અનેકાંતસ્વરૂપ વસ્તુની રજૂઆત કરવામાં આવે તે જ સ્વસિદ્ધાંત છે અને માત્ર એકાદ નયને આશ્રયી રજૂઆત કરવામાં આવે તે પરસિદ્ધાંત છે તેવો વિવેક કરવાપૂર્વક ચારિત્રાચારના પાલનથી જ ચારિત્રના ફળને અનુભવી શકાય છે. જેઓ સ્વતંત્રપણે તત્ત્વચિંતન કરવા અસમર્થ હોય, તેમણે પણ છેવટે યોગ્ય ગુરુ વગેરેનો આશ્રય લઈ, તત્ત્વચિંતનના વાતાવરણમાં જીવન વ્યતીત કરવું એ જ વ્રત-નિયમને સફળ બનાવવાનો રાજમાર્ગ છે. (-૩૭) 2010_02 Page #301 -------------------------------------------------------------------------- ________________ २६० संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-६८ केवलयोनिक्रिययोरशेषकर्मक्षयलक्षणफलानिवर्तकत्वं प्रदर्शयन्नाह - णाणं किरियारहियं किरियामेत्तं च दो वि एगंता । असमत्था दाएउं जम्म-मरणदुक्ख मा भाई ।।६८।। क्रियारहितं ज्ञानं ज्ञानरहितं क्रियामात्रं च द्वावपि एकान्ती, तस्माद् ‘जन्ममरणदुःखेभ्यो मा भैषीः' इति दर्शयितुमसमर्थो । इदं ध्येयम् - पूर्वगाथायां क्रियया सह ज्ञानस्यावश्यकता दर्शयित्वाऽस्यां गाथायां क्रियाज्ञानोभययोरावश्यकता दर्शयति । क्रियारहितं ज्ञानं ज्ञानरहिता वा क्रिया द्वावपि एकान्तस्वरूपौ, यावञ्च तौ द्वौ परस्परसापेक्षसमुदितपक्षरूपौ न भवेतां तावद् भवदुःखेभ्यो रक्षितुं न समर्थों, यदा चौक्तस्वरूपौ भवेतां तदैव मोक्षं दातुं समर्थौ भविष्यतः ।।६८ ।। અવ. “એકલા જ્ઞાન અને એકલી ક્રિયા મોક્ષ આપવા માટે અસમર્થ છે તે જણાવતાં કહે છે गाथा : णाणं किरियारहियं किरियामेत्तं च दो वि एगंता । असमत्था दाएउं जम्म-मरणदुक्ख मा भाई ।।६८।। ज्ञानं क्रियारहितं क्रियामात्रं च द्वावपि एकान्तौ । असमर्थो दर्शयितुं जन्म-मरणदुःखेभ्यो मा भैषीः ।।६८ ।। अन्वयार्थ : किरियारहियं = उियाति णाणं = न च = अने किरिया मेत्तं = मात्र या दो वि = घने ५४ एगंता = त३५. दाएउं = तेथी, ४un भाटे असमत्था = असमर्थ छ , जम्म मरण दुक्ख = '४न्म अने भ२४ाना पोथी मा भाई = 3२ नलि.' ગાથાર્થઃ ક્રિયા વિનાનું જ્ઞાન અને જ્ઞાનશૂન્ય માત્ર ક્રિયા એ બન્ને એકાંતસ્વરૂપ હોવાથી જીવને આ જણાવવા માટે અસમર્થ છે કે, “હે જીવ! જન્મ અને મૃત્યુના દુ:ખોથી તું ડર નહિ.' તાત્પર્યાર્થ : પાછલી ગાથામાં ક્રિયા સાથે જ્ઞાનનું આવશ્યકપણું બતાવ્યું છે અને આ ગાથામાં જ્ઞાન અને ક્રિયા બન્નેનો સમન્વય સાધવા અનેકાંતદૃષ્ટિનો ઉપયોગ કરવાની સૂચના કરવામાં આવી છે. छाया : 2010_02 Page #302 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा- ६९ આત્માની શક્તિઓનો એક સરખો વિકાસ સાધ્યા સિવાય કોઈપણ ફળ પ્રાપ્ત કરી શકાય નહિ. એની શક્તિઓ મુખ્ય બે છે. એક ચેતના અને બીજી વીર્ય. એ બન્ને શક્તિઓ અરસપરસ એવી સંકળાયેલી છે કે, એકના વિકાસ વિના બીજીનો વિકાસ અધૂરો જ રહી જાય છે. તેથી બન્ને શક્તિઓનો સાથે જ વિકાસ આવશ્યક છે. ચેતનાનો વિકાસ એટલે જ્ઞાન મેળવવું અને વીર્યનો વિકાસ એટલે એ જ્ઞાન પ્રમાણે જીવન ઘડવું. જ્ઞાન ન હોય તો જીવન યોગ્ય રીતે ઘડાય નહિ અને જ્ઞાન હોય છતાં તે પ્રમાણે વર્તવામાં ન આવે તો તેથી જીવનને લાભ થાય નહિ, એટલે જ કહેવામાં આવ્યું છે કે જ્ઞાન અને ક્રિયા એ બન્ને એકાંતો અર્થાત્ જીવનના છૂટા છૂટા છેડાઓ છે. એ બન્ને છેડાઓ યોગ્ય રીતે ગોઠવાય તો જ તે ફળસાધક બને, અન્યથા નહિ. આ બાબતમાં અંધ-પંગુન્યાય પ્રસિદ્ધ છે. (૩૮) अनेकान्तमयजैनशासनस्य कल्याणकामनापूर्वकं ग्रन्थमुपसंहरन्नाह - भद्दं मिच्छादंसणसमूहमइयस्स अमयसारस्स । जिणवयणस्स भगवओ संविग्गसुहाहिगम्मस्स ।।६९।। मिथ्यादर्शनसमूहमयस्य मिथ्यादृष्टिपुरुषसमूहविघटनसमर्थस्य यद्वा मिथ्यादर्शनसमूहा नैगमादयस्ते अवयवा यस्य तद् मिथ्यादर्शनसमूहमयं तस्य, अमृतसारस्य न विद्यते मृतं मरणं यस्मिन् सः अमृतो मोक्षस्तं सारयति गमयति प्रापयतीति वा तस्यावन्ध्यमोक्षकारणत्वाद् मोक्षप्रतिपादकत्वाच्च संविग्नसुखाधिगम्यस्य संसारोद्वेगाविर्भूतमोक्षाभिलाषैः 'इदमेव जिनवचनं तत्त्वम्' इत्येवं सुखेनावगम्यते यत् तत्तस्य संविग्नसुखाधिगम्यस्य भगवतः क्षीराश्रवाद्यनेकलब्ध्याद्यैश्वर्यादिमतो जिनवचनस्य सामायिकादि - बिन्दुसारपर्यन्तश्रुताम्भोधेः जैनेन्द्रप्रणीत शासनस्य भद्रं कल्याणं भवतु । " 2010_02 २६१ इदमन्त्यमङ्गलम् - अस्मिन् ग्रन्थे त्रिभिः काण्डैः अनेकान्तसिद्धान्तस्य स्थापना अनेकधा कृता । यावदयं सिद्धान्तो न स्वीक्रियते तावद् वस्तुनो यथार्थबोधस्यासम्भव:, तेन च विना भवदुःखमुक्ति-मोक्षसुखाप्त्योरप्यभावः । अस्यां गाथायां यत्र दर्शने एकान्तसिद्धान्तत्यागपूर्वकमनेकान्तसिद्धान्तस्यैव स्वीकारः कृतस्तस्य जैनदर्शनस्य स्वरूपफलादिद्वारेण वर्णनं कृतम्, तथा तस्य कल्याणं भवतु अर्थाद्विश्वेऽनेकान्तसिद्धान्त एव जयतु इति भावनया चरममङ्गलं कृतमस्ति । Page #303 -------------------------------------------------------------------------- ________________ २६२ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-६९ इति महावादि-महातार्किकशिरोमणिश्रीसिद्धसेनदिवाकरसूरिप्रणीतस्य संमतितर्कप्रकरणस्य प्रथमकाण्डस्य व्याख्यानवाचस्पति-आगमाद्यनेकविधशास्त्रमर्मज्ञ-परिणतस्वपरदर्शनबोधपूज्यपादाचार्यदेवश्रीमद्-विजयरामचन्द्रसूरीश्वराणां शिष्यरत्नानां वर्धमानतपोनिधिगुरुचरणसमर्पितजीवनलक्ष्मी-पूज्यपादाचार्यदेव-श्रीमद्-विजयगुणयशसूरीश्वराणां चरणभृङ्गायमान-आचार्यविजयकीर्तियशसूरिणा विरचिता पार्श्वप्रभा टीका समाप्तिमगमत् । -: अथ प्रशस्ति :द्रव्यानुयोगमूलानि, गणभृगौतमादयः । कर्त्तारो द्वादशाङ्गिना, जयन्तु जैनशासने ।।१।। मन्दानामुपकाराया-नुयोगस्य विभाजकाः । आर्यरक्षितसूरीशाः, जयन्तु जैनशासने ।।२।। संमतितर्ककर्तारं, दार्शनिकदिवाकरम् । सिद्धसेनं महाबुद्धं, श्रये तर्कशिरोमणिम् ।।३।। चान्द्रकुलस्य चन्द्रेण, अभयाङ्कितसूरिणा । संमतौ कीर्तिता येन, वृत्तिर्वादमहार्णवा ।।४।। श्रुयन्ते मल्लवाद्यादि-रचिता बुद्धिवैभवात् । वृत्तयो नैव दृश्यन्ते, किन्तु कालादिकारणात् ।।५।। नव्यन्यायेन शास्त्राणां, सारतत्त्वप्रदायिने । तर्कार्काय नमस्तेभ्यो, यशस्कायाय योगिने ।।६।। विजयानन्दसूरीशे मूर्तिमण्डनकारिणि । न्यायाम्भोनिधिनाथे च, नतिर्मतिस्तु मे सदा ।।७।। श्रीमत्कमलगच्छेशः, यः सद्धर्मसुरक्षकः । निःस्पृहत्वे शिरोमौली, नमस्कारोऽस्तु मौलिना ।।८।। दीक्षा-शिक्षासुदानेन, सद्गुरुं प्रेम-रामयोः । आगमाब्धिसुवेत्तारं, वन्दे सद्दानसूरिणम् ।।९।। 2010_02 Page #304 -------------------------------------------------------------------------- ________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-६९ २६३ छाया: कर्ममर्मसुवेत्तारं, कर्तारं ग्रन्थश्रेणिनम् । सद्गच्छस्य प्रणेतारं, प्रेम्णा प्रेमगुरुं श्रये ।।१०।। रामचन्द्राय धीर्मेऽस्तु, शुद्धभाषेकसूरिणे । कराले कलिकालेऽपि, कृता शुद्धा प्ररूपणा ।।११।। रामचन्द्रगुरोः पादौ, सुधृतो येन स्वहृदि । गुणैर्यशोभिधानाय, सूरीशाय नमोऽस्तु ते ।।१२।। तयोः पादरजःपूत-सूरिकीर्तियशोभवा । शरलेश्याखनेत्राब्दे, जियाद् वृत्तिः सुखावहा ।।१३।। અવ. ઉપસંહારમાં જિનવચનની કલ્યાણકામના કરતાં જણાવે છે – गाथा : भदं मिच्छादसणसमूहमइयस्स अमयसारस्स । जिणवयणस्स भगवओ संविग्गसुहाहिगम्मस्स ।।६९।। भद्रं मिथ्यादर्शनसमूहमयस्य अमृतसारस्य । जिनवचनस्य भगवतः संविग्नसुखाभिगम्यस्य ।।६९।। अन्वयार्थ : मिच्छादसणसमूहमइयस्स = मिथ्याशनोन। समू४३५, अमय सारस्स = भोक्षने प्राप्त रावना२, संविग्गसुहाहिगम्मस्स = संविन ®वो वडे साडेसाथी सम शाय तेव। सने भगवओ = पूथ्य सेवा जिणवयणस्स = निवयन- भदं = स्या। थामओ. ગાથાર્થઃ મિથ્યાદર્શનોના સમૂહરૂપ, અમૃત અર્થાત્ મોક્ષને આપનાર અને સંવિગ્ન જીવો વડે “આ જિનવચન જ તત્ત્વરૂપ છે' એમ સહેલાઈથી સમજી શકાય એવા પૂજ્યશ્રીજિનવચનનું અર્થાત્ निशासननु स्याए। थो. (७८) તાત્પર્યાર્થ : અહીં શ્રી જિનશાસનની કલ્યાણ કામના કરતાં ગ્રંથકારશ્રીએ તેના ત્રણ વિશેષણો આપ્યાં છે. ૧. મિથ્યાદર્શનોના સમૂહમય આ વિશેષણથી એમ સૂચવ્યું છે કે, જૈનદર્શનની ખૂબી કે વિશેષતાએ છે કે, તે છૂટી છૂટી અને એકબીજીને અવગણતી હોવાથી ખોટી ઠરતી એવી અનેક વિચારસરણીઓને યોગ્ય રીતે ગોઠવી આપે છે તથા એકબીજાની અપેક્ષાવાળી આ માન્યતાઓ સત્ય પણ છે તેમ સમજાવે છે. ૨. અમૃતસાર આ વિશેષણથી 2010_02 Page #305 -------------------------------------------------------------------------- ________________ २६४ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-६९ એમ સૂચવ્યું છે કે, મૃત=મરણ, જ્યાં મરણ નથી તે અમૃત અર્થાત્ મોક્ષ, મોક્ષને જે પમાડે તે અર્થાત્ મોક્ષનું અવંધ્ય કારણ હોવાથી તથા મોક્ષને જણાવનાર હોવાથી શ્રી જિનશાસનને “અમૃતસાર' કહ્યું છે. અથવા સમયસાયમ્સ અર્થાત્ અમૃતની જેમ જ આસ્વાદન કરાય છે – અમૃત તુલ્ય જે છે તેવા શ્રી જિનશાસનનું કલ્યાણ હો. ૩. સંવિગ્નસુખાધિગમ્ય આ વિશેષણથી એમ સૂચવ્યું છે કે, જૈનદર્શન એ અનેક પરસ્પર વિરોધી દૃષ્ટિઓનો સમુચિત સરવાળો હોવાથી ગમે તેટલું જટિલ હોવા છતાં પણ એ સંસારના ભયથી ઉદ્વેગ પામનારા અને મોક્ષની ઇચ્છાવાળા જીવો કે જેના રાગ-દ્વેષ વગેરે દોષ મંદતાને પામ્યા છે તેવા સંવિગ્નો જીવો માટે સહેલાઈથી સમજી શકાય તેવું છે કે, “આ જિનવચન જ તત્ત્વરૂપ છે. સંસારથી પાર ઉતરવા અને મોક્ષે પહોંચવા માટે જિનવચન સિવાય અન્ય કોઈ વચન સમર્થ નથી. આ ત્રણે વિશેષણોને લીધે જ શ્રીસામાયિક સૂત્રથી શરૂ કરી ચૌદમાપૂર્વ શ્રીબિંદુસાર સુધીના શ્રુતસમુદ્રની પૂજ્યતા છે. અહીં પૂજ્યતાસૂચક માવો શબ્દ વડે ક્ષીરાશ્રવ વગેરે અનેક લબ્ધિ અને ઐશ્વર્યવાળાપણું બતાવવામાં આવ્યું છે. આવા શ્રી જિનવચનનું અર્થાત્ જૈન શાસનનું કલ્યાણ થાઓ. આમ કહી અંત્યમંગલ કરવા માટે શ્રી જિનશાસનની વિશિષ્ટ સ્તુતિપૂર્વક ગ્રંથની પૂર્ણતા કરવામાં આવી છે. (૬૯). આ પ્રમાણે પ્રવચનને જાણકાર-મહાદાર્શનિક-શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજાએ રચેલા શ્રીસંમતિતર્ક પ્રકરણના પ્રથમ કાંડનું વ્યાખ્યાનવાચસ્પતિ, પરિણત એવી સ્વ-પરદર્શનની બુદ્ધિવાળા તપાગચ્છાધિપતિ, પૂજ્યપાદ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યત્વને શોભાવનારા વર્ધમાનતપ આદિ અનેક તપ પ્રભાવક, આજીવન ગુરુચરણ સેવી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય આચાર્ય વિજય કીર્તિયશસૂરિએ કરેલ ભાષાંતર સંપૂર્ણ થયું. 2010_02 Page #306 -------------------------------------------------------------------------- ________________ पू.आ.श्रीविजयरामचन्द्रसूरिस्मृतिसंस्कृतप्राकृतग्रन्थमालाक्रमाङ्क 26 Chillione ISBN-978-81-87163-59-6 Elutionerationals 2005