SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય a ઉપયોગ કાંડ કે જ્ઞાનકાંડ સ્વરૂપ દ્વિતીયકાંડનો પ્રારંભ કરતાં પ્રથમ ગાથામાં દ્રવ્યાસ્તિકનયના વિષયરૂપ દર્શનનું (સામાન્યબોધનું) તથા પર્યાયાસ્તિકનયના વિષયરૂપ જ્ઞાનનું વિશેષબોધનું) સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. આ દર્શન અને જ્ઞાન બંને પરસ્પર સાપેક્ષ છે, તેમ જણાવી ઉપયોગવાદની ચર્ચાનો પ્રારંભ કર્યો છે. મતભેદ વગરના છદ્મસ્થના ઉપયોગનું નિરૂપણ કરી, મતભેદવાળા કેવલીના ઉપયોગમાં પ્રચલિત ત્રણ વાદો જણાવ્યા છે. ૧-પૂ.આ.શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનો ક્રમવાદ, ર-પૂ.આ.શ્રી મલ્લવાદિસૂરિજી મહારાજાનો સહવાદ અને ૩-સ્વમાન્ય અભેદવાદ. તે પૈકી સૌ પ્રથમ ગાથા ૪ થી ૮ માં સહવાદિપક્ષ દ્વારા ક્રમવાદિપક્ષનું અનુમાન, આગમ અને તર્ક દ્વારા ખંડન કરવામાં આવ્યું છે ત્યાર બાદ ગાથા ૯ થી ૧૪માં ભિન્ન ભિન્ન તર્કો દ્વારા સહવાદનું ખંડન કરી અભેદોપયોગવાદનું સ્થાપન કરવામાં આવ્યું છે. ફરી ક્રમવાદિના પ્રશ્નને ઉપસ્થિત કરીને તેનો ઉત્તર આપી તર્કસિદ્ધ જે અર્થ છે તે મુજબ જ સૂત્રની વ્યાખ્યા કરવાથી આગમ વિરોધ પણ નહિ આવે તેમ સ્પષ્ટ રીતે જણાવ્યું છે. આ રીતે અભેદ ઉપયોગ સિદ્ધ થવા છતાં કેવલજ્ઞાનથી કેવલદર્શનના ભિન્ન ઉલ્લેખનું કારણ શું? તેનું સમાધાન આપીને અમેદવારને સિદ્ધ કર્યો છે. ત્યાર બાદ એકદેશી મત મુજબ દર્શન અને જ્ઞાનના સ્વરૂપમાં આવતા દોષો જણાવી ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન શબ્દનો અર્થ જણાવ્યો છે. આ રીતે કરેલ ‘દર્શન’ શબ્દની વ્યાખ્યા મુજબ મન:પર્યાયજ્ઞાનમાં દર્શન માનવાની આપત્તિનું નિરાકરણ, શ્રુતજ્ઞાનમાં “દર્શન’ શબ્દનો અસંભવ, અવધિજ્ઞાન તથા કેવલજ્ઞાનમાં “દર્શન’ શબ્દની ઘટમાનતા કરી નિષ્કર્ષ જણાવ્યો છે કે, “એક જ કેવલોપયોગ બંને સ્વરૂપે છે' આ જ સ્વસિદ્ધાંત છે અને અન્ય ‘ક્રમિક ઉત્પત્તિ” કે “સહવાદએ પરસિદ્ધાંત છે. આ રીતે કેવલીના ઉપયોગ અંગેના વાદની સ્પષ્ટતા કરી “શ્રદ્ધા અર્થમાં વપરાતા સમ્યગ્દર્શન શબ્દને પણ સ્પષ્ટ કરી તેને સમ્યજ્ઞાન સ્વરૂપે જ સ્વીકાર્યો છે. ત્યારબાદ “કેવલજ્ઞાન સાદિ-અનંત છે” આ સૂત્રનું સ્પષ્ટીકરણ કરી જીવ અને જ્ઞાનરૂપ જીવના પર્યાયો પરસ્પર ભિન્ન છે એવા એકાંતપક્ષનું દૃષ્ટાંતપૂર્વક ખંડન કરી “દ્રવ્ય એ પર્યાયોથી એકાંતે ભિન્ન નથી” આ વાતનું સ્પષ્ટીકરણ કર્યું છે અને છેલ્લે આત્મદ્રવ્યનું સ્વાભાવિક અને વૈભાવિક પર્યાયો વડે એકપણા - અનેકપણાનું વર્ણન કરી અનેકાંતવાદની સ્થાપના કરીને આ કાંડનું પણ સમાપન કરવામાં આવ્યું છે. શેયરૂપ ત્રીજા કાંડની શરૂઆતમાં જ સામાન્ય અને વિશેષ પરસ્પર સાપેક્ષ જ છે અને તે બંનેને નિરપેક્ષપણે રજૂ કરવાથી શું પ્રાપ્ત થાય તેની સ્પષ્ટતા કરી છે. ત્યારબાદ આપ્તવચનનું સ્વરૂપ રજૂ કરાયું છે. તે પછી કોઈપણ પર્યાયને એકાંતે માનવામાં આપત્તિ આવે છે માટે અનેકાંતથી જ કોઈપણ પર્યાયને સ્વીકાર કરવો જોઈએ તે જણાવી દ્રવ્ય અને ગુણ વચ્ચે એકાંતે ભેદ માનનાર પૂર્વપક્ષનું એકાંતે અભેદ માનનાર પક્ષ દ્વારા ખંડન કરાવી તેનું પણ ખંડન તર્કબદ્ધ રીતે કરવામાં આવ્યું છે. ત્યાર બાદ એકાંતે ભેદ તથા એકાંતે અભેદ માનવા સંબંધી પ્રસ્તુત ચર્ચાનો ઉપસંહાર કરતાં જણાવ્યું છે કે, જૈન Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy