SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સંતિતપ્રકર, -૨, પથા-૨ છાયા : વિના અનુયોગનું પ્રવર્તન થતું નથી. નયો દ્વારા પદાર્થની વિચારણા દ્રવ્યાનુયોગમાં કરાય છે. આમ, દ્રવ્યાનુયોગ માટે નયોનું જ્ઞાન અનિવાર્ય છે. પ્રસ્તુત પ્રકરણમાં નવો દ્વારા વસ્તુના સ્વરૂપની વિચારણા કરવામાં આવી છે. દ્રવ્યાનુયોગના આ મહાન ગ્રંથની રચના કરતાં ગ્રંથકાર મહર્ષિ સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજા સૌ પ્રથમ પ્રારંભિક મંગલ કરવા માટે “ઈષ્ટદેવની સ્તુતિ કરવા રૂપ' શિષ્ટાચારનું પરિપાલન કરવા ઈચ્છે છે. ત્રણે ભુવનના ગુરુ સમાન તથા નિર્મળ કેવલજ્ઞાનને ધારણ કરનારા તીર્થંકર પરમાત્મા દેશના સમયે શાસનની સ્તુતિ કરતાં હોવાથી ઈષ્ટદેવ તરીકે શાસન જ અતિશય સ્તવનીય છે એ પ્રમાણે નિશ્ચય કરે છે અને આ પ્રણિધાનપૂર્વક અસાધારણ ગુણોના કથન સ્વરૂપ પારમાર્થિક સ્તવના વડે શાસનની સ્તુતિ કરતાં જણાવે છે કેगाथा : सिद्धं सिद्धत्थाणं ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं सासणं जिणाणं भवजिणाणं ।। १ ।। सिद्धं सिद्धार्थानां स्थानमनुपमसुखमुपगतानाम् । कुसमयविशासनं शासनं जिनानां भवजिनानाम् ।। १ ।। અન્યથાર્થ : ગોવસુદં = અનુપમસુખ જ્યાં વિદ્યમાન છે તેવા avi = સ્થાનને અર્થાત્ મુક્તિસ્વરૂપ સ્થાનને ૩વસાવાઈ = પ્રકર્ષે પામેલા મનિVIE = રાગાદિ સ્વરૂપ સંસારને જિતનારા નિVIDi = જિનેશ્વર પરમાત્માનું શાસfi = દ્વાદશાંગરૂપ શાસન સિદ્ધ = પ્રતિષ્ઠિત છે અર્થાતુ પોતાના મહિમા વડે સ્વત: સિદ્ધ છે, સિદ્ધસ્થા = સિદ્ધ એવા પદાર્થોને જણાવનાર છે અર્થાત અન્ય પ્રમાણોથી અબાધિત એવા પદાર્થોને જણાવનાર છે તથા સમવસીસ = (પૃથ્વીના પ્રતિપાદનની જેમ પદાર્થોને વિવિધ પ્રકારે જણાવનાર અથવા) કુત્સિત (એકાંત) એવા સિદ્ધાંતોનો નાશ કરનાર, ગાથાર્થ : અનુપમ સુખ જ્યાં વિદ્યમાન છે એવા મુક્તિસ્વરૂપ સ્થાનને પ્રકર્ષે કરીને પામેલા (અથવા જાણે કાલના સામીપ્યથી પામેલા હોય તેવા અર્થાત્ અલ્પકાળમાં મુક્તિ પામનારા અને ચાર ઘાતિકર્મોનો ક્ષય કરી ભવાપગ્રાહિ ચાર અઘાતિકર્મથી યુક્ત સંસારમાં વિચરતા એવા) તથા રાગ-દ્વેષરૂપી સંસારને જિતનારા જિનેશ્વર પરમાત્માનું દ્વાદશાંગરૂપ શાસન પોતાના મહિમા વડે સ્વત: સિદ્ધ છે-૧, અન્ય Jain Education International 2010 02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy