SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-५ १६७ છયા : અવ. કયા પર્યાયોથી ઘટ વગેરે પદાર્થનું અસ્તિત્વ છે અને કયા પર્યાયોથી ઘટ વગેરે પદાર્થનું નાસ્તિત્વ છે તેનું વર્ણન કરતાં જણાવે છે – કથા : परपज्जवेहिं असरिसगमेहिं णियमेण णिच्चमवि नत्थि । सरिसेहिं पि वंजणओ अस्थि ण पुणऽत्थपज्जाए ।।५।। परपर्यायैरसदृशगमैनियमेन नित्यमपि नास्ति । सदृशैरपि व्यञ्जनतोऽस्ति न पुनरर्थपर्यायैः ।।५।। અન્યથાર્થ : રિસાર્દિ = (વસ્તુ) વિજાતીયજ્ઞાનથી ગ્રાહ્ય એવા પરપન્ન વેદિં = પરપર્યાયો વડે ઉખાય = નિચ્ચે ક્રિમવિ = હંમેશાં પણ ન0િ = નથી. સરિસેટિં પિ = સદશ એવા પર્યાયો વડે પણ વિંગUTગ = વ્યંજનપર્યાયથી ત્નિ = તે વસ્તુ છે, પુન = પણ ન સ્થપના = અર્થપર્યાયથી નથી. ગાથાર્થ : કોઈપણ વસ્તુ અસદુશ અર્થાત્ વિજાતીય જ્ઞાનથી ગ્રાહ્ય એવા પરપર્યાયો વડે નિયમથી હંમેશાં પણ નથી. તથા સદશ અર્થાત્ સજાતીય એવા પર્યાયોમાં પણ વ્યંજનપર્યાયથી તે વસ્તુ છે, પણ અર્થપર્યાયથી નથી જ. (૫) તાત્પર્યાર્થ: કોઈપણ વસ્તુ વ્યવહારનો વિષય બને છે, તે તેના પ્રતિનિયત સ્વરૂપને લીધે જ. પ્રતિનિયત સ્વરૂપ એટલે ચોક્કસ સ્વરૂપ અર્થાત્ વસ્તુ અમુક સ્વરૂપે છે અને અમુક સ્વરૂપે નથી. કોઈપણ વસ્તુ પરપર્યાયરૂપે અવશ્ય નથી અને સ્વપર્યાયરૂપે છે. જે પર્યાયો વિજાતીય હોય અર્થાત્ વિલક્ષણબુદ્ધિ ઉત્પન્ન કરનાર હોય, તે પરપર્યાય જ છે; અને જે સજાતીય અર્થાત્ સદશબુદ્ધિ ઉત્પન્ન કરનાર હોય તે સ્વપર્યાયરૂપે છે, તેમાં વ્યંજનપર્યાય અને અર્થપર્યાય એ બેનો સમાવેશ થાય છે. પદાર્થમાં સમાનતાની બુદ્ધિને ઉત્પન્ન કરનારા, લાંબા કાળ સુધી રહેનારા અને શબ્દોથી બોલી શકાય તેવા પર્યાયને વ્યંજનપર્યાય કહેવાય છે અને પદાર્થમાં શબ્દોથી ન કહી શકાય તેવો એક સમય માત્ર વર્તતો એવો જે પર્યાય તે અર્થપર્યાય કહેવાય છે. તેમાંથી વ્યંજનપર્યાયરૂપે વસ્તુ છે અને અર્થપર્યાયરૂપે વસ્તુ નથી. આ વ્યવસ્થા એક દાખલા દ્વારા સ્પષ્ટ કરીએ. કુંડલ નામની વસ્તુ એ પૂર્વવર્તી કડા અને ઉત્તરવર્તી હારસ્વરૂપ પરપર્યાયરૂપે નથી, તેમ જ ઘટ પટ આદિ સમકાલીન પરપર્યાયરૂપે પણ નથી જ; અર્થાત્ તે બધા વિજાતીય પર્યાયોથી કંડલનો આકાર ભિન્ન જ છે. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy