SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-३२-३४ २११ ઉત્પાદ વિગમ (વિનાશ) પ્રયોગજનિત (સમુદાયવાદ) (અપરિશુદ્ધ) વિસા (સ્વાભાવિક) પ્રયોગજનિત (સમુદાયવાદ) (અપરિશુદ્ધ) વિત્રતા (સ્વાભાવિક) સમુદાયકૃત સમુદાયકૃત એકત્વિક (પરિશુદ્ધ) ઐકવિક (પરિશુદ્ધ) સમુદાયવિભાગ- અર્થાતરભાવમાત્ર ગમના સમુદાયવિભાગ અર્થાતરભાવમાત્ર ગમન અહીં એ પ્રશ્ન થાય છે કે, સંસારી તેમ જ મુક્ત આત્મામાં જે પર્યાયોનો ઉત્પાદ-વિનાશ થાય છે તેને અને છૂટાં છૂટાં સ્વતંત્ર પરમાણુઓમાં જે પર્યાયોનો ઉત્પાદ વિનાશ થાય છે, તેને પ્રાયોગિક કે વૈઋસિક ઉત્પાદ-વિનાશમાં અહીં ક્યાંય કેમ નથી મૂક્યા ? આનો ઉત્તર વિચારતાં ગ્રંથકારના બે આશય હોય તેમ લાગે છે. ઈશ્વરકતૃત્વ સામે પ્રાયોગિક અને સ્વાભાવિકની ચર્ચા હોવાથી જેમાં જેમાં ઈશ્વરકર્તુત્વ વિષેની કોઈની માન્યતા હોય, તે તે પદાર્થનો જ ઉત્પાદવિનાશ અહીં પ્રસ્તુત છે; તેથી પરમાણુ કે ચેતનદ્રવ્યને અહીં લીધાં નથી. કારણ કે, કોઈપણ ઈશ્વરકારણવાદી પરમાણુ કે ચેતન દ્રવ્યને જન્ય માનતો નથી. અવયવીમાત્રને ઈશ્વરજન્ય માનનાર વૈશેષિક આદિ છે અને આકાશને ઈશ્વરજન્ય માનનાર ઔપનિષદ્ દર્શન (વેદાંત દર્શન) છે, તેથી મૂર્ત દ્રવ્યમાંથી પરમાણુને અને અમૂર્ત દ્રવ્યમાંથી આત્માને છોડીને જ અહીં ચર્ચા કરી હોય એવો સંભવ છે. બીજો આશય એ જણાય છે કે, જે દ્રવ્ય સ્કંધરૂપ છે, તેની જ ચર્ચા પ્રસ્તુત છે. પરમાણુ તો સ્કંધ જ નથી તથા આત્મા આકાશની જેમ પ્રદેશોનો અનાદિ અંધ છે ખરો, છતાં તેના ઉત્પાદવિનાશનો જ વિચાર સાતમી ગાથામાં આવી જતો હોવાથી અહીં તેને ગ્રહણ ન કર્યો હોય. તે પોતે જ પોતાની અવસ્થાનો કર્તા હોવાથી તેના પર્યાયોનો ઉત્પાદ વિનાશ તેના પ્રયત્નની અપેક્ષાએ પ્રાયોગિક જ કહી શકાય, જીવ કોઈપણ દશામાં વર્તતો કેમ ન હોય છતાં તેના પર્યાયો. તેના વીર્યજનિત હોવાથી પ્રાયોગિક જ છે; પછી તે વીર્ય અભિસંધિજ હોય કે અનભિસંધિજ. આ વિષયમાં વિશેષ તો કેવલી ભગવંતો જાણે. ગાથા-૩૩ની ટીકામાં ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણે સાવયવી છે. તે વાતની યુક્તિપૂર્વક સિદ્ધિ કરવા ઉપરાંત આગમમાં આકાશ વગેરે જે સંજ્ઞા આપવામાં આવી છે તેની પણ સિદ્ધિ કરેલ છે. (૩૨-૩૪) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy