________________
૨૪
રાજહૃદય ભાગ-૧૧ લેવો જોઈએ. મારાપણું કરીને રસ આવે છે. પારકામાં કોઈને રસ છે? પાડોશીને ત્યાં લગ્ન હોય તો શું રસ હોય ? ગમે તેટલી શોભા કરી હોય, ગામના વરઘોડા જોવે તો એમાં રસ આવે છે ? દીકરાનું ફૂલેકું હોય તો ? એમ મારાપણામાં રસ છે. મારુંપણું ન કરે. મારાપણું ન કરે કેમકે એમને તો મારાપણું ભાસતું જ નથી અને લાગતું જ નથી.
મુમુક્ષુ – ૨૮મું વર્ષ છે. ચાર વર્ષથઈ ગયાને! પૂજ્ય ભાઈશ્રી -હા. ૨૮મું વર્ષ છે. ભરયુવાન અવસ્થા છે. મુમુક્ષુ:
પૂજ્ય ભાઈશ્રી :- હા, દશા બહુ સારી છે. અથવા રસનો જે વિકલ્પ આવે તોપણ નિરસપણે આવે,ભિન્નપણે રહીને આવે. અને લોકસંજ્ઞાન થાય. અમારા ઘરે પ્રસંગ છે માટે સારામાં સારું દેખાવું જોઈએ. સમાજમાં આપણી છાપ પડવી જોઈએ કે ભાઈને ત્યાં પ્રસંગ બહુ સારો રહ્યો. બધુ બહુ સારું હતું. આ સારું હતું, આ પણ સારું હતું, તે પણ સારું હતું. ફલાણું સારું હતું. આ બધી લોકસંજ્ઞા, સમાજની આબરૂ કાઢવાનો જે અભિપ્રાય છે અને એ અભિપ્રાય અનુસાર પરિણામની મન-વચન-કાયાની પ્રવૃત્તિ છે એ આત્માને ડૂબાડે છે, હંફાવે છે.
મુમુક્ષુ – આપણે કોમેન્ટ્રી તો બેચાર મિનિટની જ હોય છે. પૂજ્ય ભાઈશ્રી:- ના.
મુમુક્ષુ - કોમેન્ટ્રી જે કોઈ માણસ કરતો હોય એ તો બે-પાંચ મિનિટની હોય પણ એ કોમેન્ટ સાયકોલોજી છે.
પૂજ્ય ભાઈશ્રી:-થાય એ કરતાં એને એટલી બધી કિમત આપી દે છે કે જાણે એ સર્વસ્વ છે. કેમકે એ પોતાના આત્માનું ખૂન કરવા તૈયાર થાય છે. પોતાની શાંતિનું ખૂન કરવા તૈયાર થાય છે. અશાંતિ ગમે તેટલી વધે તોપણ) ઉપાધિ કરવી છે એને. એટલી બધી ઉપાધિ કરવી છે કે ઝીણામાં ઝીણી વસ્તુ બરાબર સારામાં સારી દેખાવી જોઈએ. અને ઝીણામાં ઝીણી બધી બરાબર થાય એના માટે અઠવાડિયા-પંદર દિવસ અગાઉ Meeting ચાલતી થઈ જાય. ચાલે છે કે નહિ ? કેટલી અશાંતિ થાય છે, એનો જીવને કાંઈ વિચાર નથી કે મને અશાંતિ કેટલી થાય છે ? અત્યારે અશાંતિ અને ભાવિની અશાંતિ. ખોદ ખોદે મોટો, ભાવી માટે તો મોટો ખોદ ખોદે, કેમ કે તીવ્ર રસ ચડ્યો છે અને એમાં આત્મા વીંટાણો છે એમાંથી) બહાર કાઢવો મુશ્કેલ પડશે.
મુમુક્ષુ –કેમકે બહારથી... પૂજ્ય ભાઈશ્રી - એ પોતાના રસ્તે ચાલે ને. આમાં કોને કોનો સાથ દેવો ? કેવી