________________
૧૦૪
રાજદય ભાગ-૧૧ આવી શકે એવી ઘણી સારી યોગ્યતા હોવા છતાં એમને જે વર્તમાન પોતાના સંયોગ ઉપરની જે પરિણામની તીવ્રતા થઈ આવતી હતી અને પ્રતિકૂળતા હટાવવા માટે એ શ્રીમદ્જીને ખુદને યાચના કરતા હતા. આ જે કંઈ ધંધો-વેપાર કરે એનો એટલો એમને વાંધો નહોતો. એમ નહોતા કહેતા કે તમારે આજીવિકાની તકલીફ છે છતાં તમે ધંધોન કરતા, વેપાર ન કરતા, કોઈ તમે વ્યવસાય ન કરતા, નોકરી ન કરતા એવું નથી કીધું. એમાં એટલું નુકસાન નથી. પણ ધાર્મિકયોગની અંદર જે અનુકૂળતા પ્રાપ્ત કરવાનો એમનો પ્રકાર હતો એ યોગ્ય નહોતો. એ એમને દર્શનમોહને તીવ્ર થવાનું કારણ હતું. કોઈપણ જીવને એ દર્શનમોહને તીવ્ર થવાનું કારણ જછે.
મુમુક્ષુ -આમાંથી એક વાત ફલિત થાય છે કે યોગ્યતાનું માપ પણ જ્ઞાની જ કાઢી શકે, અજ્ઞાની તે માપ કાઢી ન શકે.
પૂજ્ય ભાઈશ્રી:- નહિ. એમ જ છે. મુમુક્ષુ – અજ્ઞાની માપ ન કાઢી શકે. મુમુક્ષુ મુમુક્ષુની યોગ્યતાનું માપ કાઢી ન
શકે.
પૂજ્ય ભાઈશ્રી – કદાચ ઓછા-વત્તા પ્રમાણમાં જેટલી નિર્મળતા હોય એટલો ખ્યાલ આવે. જેમ કે કોઈ પોતા કરતા વિશેષ યોગ્ય હોય તો ખ્યાલમાં આવી જાય. કોઈ પોતા કરતા વિશેષ પાત્ર હોય).
મુમુક્ષુ - બહારનો ખ્યાલ આવે મંદતાનો, ઉદાસીનતાનો, એ બધો ખ્યાલ આવે યોગ્યતાનો ખ્યાલ મુમુક્ષુને આવે)?
પૂજ્ય ભાઈશ્રી:- એની જે આત્મા તરફની ભાવના હોય છે, એની જેલગની હોય છે, તાલાવેલી હોય છે એનાથી ખ્યાલ આવી જાય. ન જ આવે એવું નથી. આવે. ભલે જ્ઞાનીને આવે એટલો ખ્યાલ)ન આવે. જેટલો ખ્યાલ જ્ઞાનીને આવે એટલો ન આવે. કેમ કે એ તો એ વિષયની જ્ઞાનમાં જેટલી નિર્મળતા છે એટલું માપ આવે છે. એ મુમુક્ષુના જ્ઞાનની નિર્મળતા ઉપર આધારિત છે. જેટલી પોતાને તે ભૂમિકાની નિર્મળતા હોય એટલો ખ્યાલ આ વિષયમાં વધારે પડે છે. આ વિષય જે આત્મા સંબંધીનો, પાત્રતા સંબંધીનો, અધ્યાત્મનો જેટલો વિષય છે, એ બધામાં જ્ઞાન કેટલું કરે? કે જેટલી પોતાની નિર્મળતા હોય એટલું. બસ. આ સીધે સીધી વાત છે. એટલે મુમુક્ષુને જેટલી નિર્મળતા હોય એટલો એને ખ્યાલ આવે. જ્ઞાની જેટલો તો ન આવે એતો સ્વભાવિક છે. | મુમુક્ષુ – એની માપમાં ભૂલ પણ થવાનો સંભવ છે. મુમુક્ષુને બીજા મુમુક્ષુની યોગ્યતાના માપમાં ભૂલ થવાનો પણ સંભવ છે. જ્યારે જ્ઞાનીને યોગ્યતાનું માપ આવે છે