________________
૩પર
ચજહૃદય ભાગ-૧૧ એમાં વધારેમાં વધારે સંખ્યા “શ્રીમદ્જીના વચનોની છે. વધારે સંખ્યા “શ્રીમદ્જીના વચનોની છે. જોઈલેવું, મારો એ ખ્યાલ છે.
મુમુક્ષુ-ગુરુદેવશ્રી' એ આ ગ્રંથ ઉપર વાંચન કરેલું.
પૂજ્ય ભાઈશ્રી:- એકાંતમાં સોનગઢમાં ગુરુદેવ વસ્યા, નિવાસ કર્યો, સ્થાયી થયા. અને ત્યાર પછી શરૂઆતના પ્રારંભમાં આ ગ્રંથની વાંચના જાહેરમાં કરી હતી. એટલે વ્યાખ્યાનરૂપે કરતા હતા. અને એ પહેલા પોતાના સ્વાધ્યાયમાં તો એમણે સારી રીતે આ ગ્રંથનો સ્વાધ્યાય કરેલો છે. એમનો જે પોતાના સ્વાધ્યાયનો ગ્રંથ અત્યારે પણ
ત્યાં સોનગઢમાં એમના કબાટમાં વિદ્યમાન છે. એ જોતાં એમ લાગે છે, કે એમને ઘણી મહત્ત્વની વાતોને Underlineકરેલી છે અને જુદી જુદી જાતના ચિલો કરેલા છે. ક્યાંક લાલ પેન્સિલથી, કયાંક કાળી પેન્સિલથી. મેંતો પહેલું જ એ જોયું હતું. આ વાંચીને ગયો હતો. એમના પ્રવચનોમાં તો ભાગ્યે જ કોઈ પ્રવચન ખાલી છે કે એમણે “શ્રીમદ્જીના વચનનો આધાર ન લીધો હોય. “શ્રીમદ્જીને માને છે અને સ્વીકારે છે એ વાત પાકી થઈ ગઈ. વાંચ્યું હોય તો જ આધાર લે. નહિતર મુખપાઠે એ વચનો ક્યાંથી હોય? બરાબર?પછી જોયું કે એક મુમુક્ષુને) કહ્યું કે ‘ગુરુદેવે શ્રીમદ્જીનો જે ગ્રંથ વાંચ્યો છે એ પડ્યો છે? તો કહે, આ રહ્યો. એક દિવસ એકાંતમાં બેસીને પાના ફેરવી ગયો હતો. ઘણી Underline કરી છે. અને જ્યાં જ્યાં મહત્ત્વની વાત આવી છે ત્યાં ખાસ પ્રકારની નોંધ કરી છે. એટલે એમણે બહુ સારી રીતે ઊંડાણથી (ગ્રંથનો સ્વાધ્યાય કર્યો છે એ ખ્યાલ આવ્યો).
સોગાનીજી એ કહ્યું કે, અનેકાંત પણ સમ્યફ એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ અર્થે ઉપકારી છે, એ સિવાય બીજા હેતુએ ઉપકારી નથી. આ વચન મને બહુ પ્રિય છે. કીધું ને? જ્ઞાનીઓને પ્રિય છે. લાઈટ ગઈ છે? ૪૦૮મો પત્ર છે. છેલ્લે છેલ્લે એમના હાથમાં “શ્રીમદ્ રાજચંદ્ર (ગ્રંથ) હતો. દેહાંતનો દિવસ હતો ત્યારે “શ્રીમદ્ રાજચંદ્ર : વાંચતા હતા. (એમના દીકરા) વાત કરતા હતા. સવારથી એમની તબિયત અસ્વસ્થ થયેલી. ચાર વાગે સાંજે દેહ છોડ્યો છે. એમની કેટલી તીખી પરિણતિ હતી ! ' એકભવતારી છે.”