________________
૩૫૪
રાજહૃદય ભાગ-૧૧
પ્રસંગની નિવૃત્તિ, બીજો પ્રકાર વિચારથી કરી તેનું તુચ્છપણું સમજાવું.
વિચારથી કરી તુચ્છપણું સમજાવા માટે પ્રથમ તે પંચવિષયાદિના સાધનની નિવૃત્તિ કરવી વધારે યોગ્ય છે, કેમકે તેથી વિચારનો અવકાશ પ્રાપ્ત થાય છે.
તે પંચવિષયાદિ સાધનની નિવૃત્તિ સર્વથા કરવાનું જીવનું બળન ચાલતું હોય ત્યારે, ક્રમે ક્રમે, દેશે દેશે તેનો ત્યાગ કરવો ઘટે; પરિગ્રહ તથા ભોગોપભોગના પદાર્થનો અલ્પ પરિચય કરવો ઘટે. એમ કરવાથી અનુક્રમે તે દોષ મોળા પડે, અને આશ્રયભક્તિ દઢ થાય; તથા જ્ઞાનીનાં વચનોનું આત્મામાં પરિણામ થઈ તીવજ્ઞાનદશા પ્રગટી જીવન્મુક્ત થાય.
જીવ કોઈક વાર આવી વાતનો વિચાર કરે, તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે, પણ દિનદિન પ્રત્યે પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિ પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે, તો અનાદિ અભ્યાસનું બળ ઘટી, અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એવો આશ્રયભક્તિમાર્ગ સિદ્ધ થાય. એ જવિનંતી.
આ. સ્વ. પ્રણામ.
પત્ર ૫૭૨. આ પત્ર “અંબાલાલભાઈ ઉપરનો છે. આ પત્ર પણ બહુ સારો પત્ર છે. પહેલા Paragraph માં જ્ઞાનદશા, જ્ઞાનની દશા ઉપર વાત કરી છે. બીજા Paragraph માં મુમુક્ષુની પાત્રતાની વાત કરી છે.
“સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને તીવ્રજ્ઞાનદશા કહી છે. જ્ઞાનદશામાં તીવ્ર જ્ઞાનદશાની આ પરિભાષા છે. “સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે....” સહેજે સહેજે વિકલ્પથી ખસીને નિર્વિકલ્પદશામાં આવે એ વાત છે. શુદ્ધોપયોગમાં, તીવ્ર જ્ઞાનદશામાં આવે ત્યારે તેને સહજ પર્યાય સહજપણે આવે. કૃત્રિમતા તો થઈ શકતી નથી. વિકલ્પથી તો એ વાત બનતી નથી. તેને શ્રી જિને તીવ્રજ્ઞાનદશા કહી છે. અને ખાસ કરીને શ્રેણીની અંદર મુનિરાજને આ દશા ઉત્પન્ન થાય છે. વિશેષ કરીને લઈએ તો સહજપણે અત્યંત શુદ્ધ નિજપર્યાયને ભજી એટલે શુક્લધ્યાનની શ્રેણીમાં આવે છે. પછી ધર્મધ્યાનથી આગળ વધી શુક્લધ્યાનની શ્રેણીમાં આવે છે ત્યારે કેવળજ્ઞાન દશામાં આવેલા છે.