Book Title: Raj Hriday Part 11
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 382
________________ પત્રાંક-૫૭૨ ૩૬૫ રહેવું. પોતે નિરસ પરિણામે જે રીતે પોતાનું પરિણમન અને જીવન ચાલે એ રીતે જીવવું અને એનાથી ઉદાસીન રહેવું. દૂર રહેવું એટલે ઉદાસીન રહેવું. અને પ્રાપ્તસાધનમાં પણ...” એટલે પ્રાપ્ત નિમિત્તોમાં પણ. એ વાત લીધી છે. પ્રાપ્ત નિમિત્તોમાં પણ ઉદાસીનતા રાખવી. ન હોય અને ઉદાસીન રહે છે એ વાત નથી. હોય અને ઉદાસીન રહે છે. મને એમાં રસ નથી. મને અનુકૂળતાઓમાં રસ નથી. પંચેન્દ્રિયના વિષયો પ્રાપ્ત છે પણ મને એમાં રસ નથી. મારું ચિત્ત કાંઈક બીજું શોધે છે. આ અનંત વાર મળી ચૂક્યું છે). “સકલ જગત એઠવતુ.” જ્ઞાનીદશાની વાત કરીને. એટલે એમાં મને રસ નથી. એંઠમાં મને રસ નથી. મારું મન છે તે બીજી જગ્યાએ લાગેલું છે. એવી જગ્યાએ લાગેલું છે કે એ બાજુથી આ બાજુ આવવાનું મને જરાપણ ઠીક લાગતું નથી. પ્રાપ્તસાધનમાં પણ ઉદાસીનતા રાખવી, અથવા તે તે સાધનોમાંથી અહબુદ્ધિ છોડી દઈ, મારું છે, મને પ્રાપ્ત થયું છે, મારા સંયોગો છે, એ મારાપણું જે પોતાપણું થાય છે એ પોતાપણું છોડી દઈ એટલે કે ભિન્નપણું કરવું. રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે.” જેટલા પરિણામ જાય છે, છતાં મુમુક્ષુ છે, સર્વથા રાગાદિ ભાવ નહિ થાય એ તો બનવાનું નથી. પરિણામ તો થવાના. રોગ છે, એ જીવનો એક રોગ છે એમ જાણીને પ્રવર્તવું ઘટે છે. આ એનાથી ઉદાસ થવાનો, નિરસ થવાનો પ્રકાર લીધો છે. અનાદિ દોષનો એવા પ્રસંગમાં વિશેષ ઉદય થાય છે. અને જ્યારે આ જીવ પાછો હટવા માગે છે ત્યારે વળી વધારે પુણ્યનો ઉદય સામે છે. જોર કરે છે. વધારે વધારે અનુકૂળતાઓ થવા માંડે. તો કહે છે કે “એવા પ્રસંગમાં વિશેષ ઉદય થાય છે.' એટલે કે જીવને પ્રલોભન થાય એવી પરિસ્થિતિ ઊભી થાય, તોપણ જાગૃત રહેવું, એમ કહેવું છે. તોપણ આત્માને વિષે જાગૃત રહેવું. કેમકે આત્મા તે દોષને દવા પોતાની સન્મુખ લાવે છે. તે દોષને છેદવા. છેદવા છે એટલે સ્થિતિ સંક્રમણ પામીને, અપકર્ષણ થઈને પણ એ કર્મનો ઉદય આવશે અને વળી પરિસ્થિતિ ઊભી થશે. પણ એ ભલે સામે આવે. સ્વરૂપાંતર કરીને બીજા વર્ષે આવે. એક વેષ નહિ ને બીજા વર્ષે આવે. પહેલા પોતે એ પ્રવૃત્તિ કરીને અનુકૂળતાઓ સાધતો હતો. એને એમ લાગતું હતું કે હું મારી બુદ્ધિથી, કાર્યશક્તિથી અને મહેનતથી આ બધું મેળવું છું. પછી વળી એમ થાય કે પોતે તો પ્રવૃત્તિ કરતો નથી. નિવૃત્તિ લીધી. ચાલો આપણે ઉદાસ છીએ. બીજાઓ અનુકૂળતા એને આપવા માંડે. સ્વરૂપાંતર કરીને અનુકૂળતાઓ સામે આવે. રૂપ બદલીને છેતરવા આવે. “સ્વરૂપાંતર કરી તેને આકર્ષે કેતને ઠીકપણું કેવુંક લાગે

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418