________________
પત્રાંક-૫૭૨.
૩૭૫ જગતમાં પણ શું બને છે ? જરૂરિયાત હોય છે એમાં શું બને છે? કે જ્યાં સુધી જરૂરિયાતની પૂર્તિ ન થાય ત્યાં સુધી પરિણામ ચાલવાના. ક્યારેક જીવ વિચાર કરે છે અને પાછો છોડી દે છે એનો અર્થ એ છે કે એને ખરેખર જરૂરિયાત નથી લાગી. જરૂરિયાત તો લાગવાનો વિષય છે. સમજવાનો વિષય નથી પણ લાગવાનો વિષય છે. સમજવું એક વાત છે, લાગવું બીજી વાત છે.
એટલે દિનદિન પ્રત્યે એટલે પ્રતિદિન પ્રસંગે પ્રસંગે.... એટલે ઉદયમાં જે કાંઈ પ્રસંગો ઉત્પન થાય અને એ પ્રસંગોમાં પ્રવૃત્તિ કરવી પડે તે પ્રવૃત્તિ પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે કે આ ઉદય પ્રસંગોમાં મારો રસ કેટલો જાય છે? હું કેટલા રસથી કાર્ય કરું છું, પ્રવર્તે છું? અને મારા સ્વરૂપનું કાંઈ સ્મરણ રહે છે કે વિસ્મરણ રહે છે ? સાવધાની રહે છે કે અસાવધાની રહે છે? તેનો ફરી ફરીને વિચાર કરે. તો અનાદિ અભ્યાસનું બળ ઘટી, એમ સતત લાગ્યો રહે તો અનાદિ અભ્યાસનું બળ ઘટી, અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ.” અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એવો આશ્રયભક્તિમાર્ગસિદ્ધ થાય. એજવિનંતિ.”
આ તો હજી જ્ઞાનીપુરુષના આશ્રમમાં જવાની વાત ચાલે છે. આત્માનો આશ્રય કરવો તો બહુ દૂરની વાત છે પણ જીવને જ્ઞાની પુરુષ કોઈ હોય, મળે તો એના આશ્રમમાં રહેવું એ પણ એને બહુ રુચતું નથી, કઠણ પડે છે. એટલા માટે પણ એને આ રીતે દિનદિન પ્રત્યે પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિ પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે, તો અનાદિ અભ્યાસનું બળ ઘટી, એટલે એ રસ મંદ પડે. પરિણતિમાં પણ ફરક પડે અને અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થાય. એટલે જે માર્ગે એને અપૂર્વ માર્ગે જાવું છે એ એને વારંવાર છૂટી જાય છે, કોઈ કોઈ વાર વિચાર આવે છે એમ ન થાય. એનો અભ્યાસ સતત ચાલુ રહે અને જે આશ્રયભક્તિમાર્ગ તો સૌથી સુલભ છે. જ્ઞાનમાર્ગ અને ક્રિયામાર્ગથી પણ આશ્રયભક્તિમાર્ગ તો સૌથી સુલભ છે. એ માર્ગની સિદ્ધિ અને અવશ્ય થાય.
ખરી વાત એ છે કે આ વિષયની ઘણી કિંમત આવે છે, કિમત સમજાયછે, કિમત લાગે છે એ તો પોતાની પૂરી શક્તિથી પાછળ પડી જાય છે. ત્યારે એને ખરેખર કિમત આવી છે, મૂલ્યાંકન કર્યું છે. નહિતર ગતાનુગતે સંપ્રદાયબુદ્ધિથી જીવ જે કાંઈ પ્રવૃત્તિ કરે છે, એ અનંતવાર કરી છે. એથી કોઈ આત્માને કાર્યસિદ્ધિ થાય તેવી સંભાવના નથી. એટલે ખરેખર જેને કિંમત આવે છે એ તો પૂરી શક્તિ લગાવવા માટે તૈયાર થઈ જાય છે, કે મારી જેટલી શક્તિ છે એ સર્વ શક્તિથી હવે આ એક કામ કરવું છે. અનંત કાળે