________________
૩૭૩
પત્રાંક-પ૭૨ જીવન્મુક્ત દશા સુધીનો લાભ મળશે. એમ કહેવું છે.
મુમુક્ષુ – આશ્રયભક્તિ દઢ થાય.
પૂજ્ય ભાઈશ્રી:- હા આશ્રયભક્તિની દઢતામાં અનન્ય ભાવે, તીવ્ર ભાવે અથવા અત્યંત બહુમાનથી, અત્યંત ભક્તિથી આશ્રય કરવો. આશ્રય કરવો એટલે એને પોતાને પોતાની લઘુતા તો સહેજે જ એમાં આવે છે. યોગ્યતા પ્રગટી હોય તોપણ એમાં તો પોતાની લઘુતા એને આવી જ જાય છે. એ સહજ જ બને છે.
મુમુક્ષુ - આ જોઈએ, આ જોઈએ એ ભાવને આપે દીનતા કહી.
પૂજ્ય ભાઈશ્રી:- હા, એ દીનતા છે. જે જોઈએ... જોઈએ. એ દીન પરિણામો છે. કેમકે એના વગર મને ચાલે નહિ, હું પાંગળો. એ દીનતા જ છે ને ? ખરેખર તો દીનતા શું? પોતાના સુખની પુગલ પરમાણુની પર્યાયો પાસે આ જીવ ભીખ માગે છે. તું મને સુખી કર, મને તારામાંથી સુખ મળે, તારાથી હું સુખી થાવ, એ બધા પરમાણુની પર્યાય પાસે પોતાના સુખની યાચના કરવા સિવાય બીજું કાંઈ નથી. એને દીનતા કહેવી, યાચના કહેવી. છેલ્લો Paragraph રહી જશે. વિશેષ લઈશું....
| પરલક્ષી શાસ્ત્રનાં જ્ઞાનની ધારણામાં સંતુષ્ટ થઈ, માત્ર શાસ્ત્રના અભ્યાસમાં રોકાવાથી, આત્મકલ્યાણ ગૌણ થઈ જાય છે. તે એકાંત જ્ઞાનમાર્ગ છે. અને તેવા જ્ઞાનના અમલીકરણનો પુરુષાર્થ ન થઈ શકવાથી, પ્રયોજનભૂત વિષય પર લક્ષ રહેતું નથી. પરિણામે સંભવતઃ નુકસાન આવી પડે છે; શાસ્ત્રીય અભિનિવેશ થાય છે. જેને લીધે અન્ય દોષો ઉત્પન્ન થાય છે; નિઃશંકતા ઉત્પન્ન હોતી નથી. વિકલ્પો કદી શાંત થતા નથી. જ્ઞાનની શુષ્કતા ઉત્પન્ન થઈ, ઉન્મતતા આવે છે. ઉઘાડ જ્ઞાનમાં સંતુષ્ટથવાનું બને છે.
(અનુભવ સંજીવની–૧૩૮)