SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૫૭૨ ૩૬૫ રહેવું. પોતે નિરસ પરિણામે જે રીતે પોતાનું પરિણમન અને જીવન ચાલે એ રીતે જીવવું અને એનાથી ઉદાસીન રહેવું. દૂર રહેવું એટલે ઉદાસીન રહેવું. અને પ્રાપ્તસાધનમાં પણ...” એટલે પ્રાપ્ત નિમિત્તોમાં પણ. એ વાત લીધી છે. પ્રાપ્ત નિમિત્તોમાં પણ ઉદાસીનતા રાખવી. ન હોય અને ઉદાસીન રહે છે એ વાત નથી. હોય અને ઉદાસીન રહે છે. મને એમાં રસ નથી. મને અનુકૂળતાઓમાં રસ નથી. પંચેન્દ્રિયના વિષયો પ્રાપ્ત છે પણ મને એમાં રસ નથી. મારું ચિત્ત કાંઈક બીજું શોધે છે. આ અનંત વાર મળી ચૂક્યું છે). “સકલ જગત એઠવતુ.” જ્ઞાનીદશાની વાત કરીને. એટલે એમાં મને રસ નથી. એંઠમાં મને રસ નથી. મારું મન છે તે બીજી જગ્યાએ લાગેલું છે. એવી જગ્યાએ લાગેલું છે કે એ બાજુથી આ બાજુ આવવાનું મને જરાપણ ઠીક લાગતું નથી. પ્રાપ્તસાધનમાં પણ ઉદાસીનતા રાખવી, અથવા તે તે સાધનોમાંથી અહબુદ્ધિ છોડી દઈ, મારું છે, મને પ્રાપ્ત થયું છે, મારા સંયોગો છે, એ મારાપણું જે પોતાપણું થાય છે એ પોતાપણું છોડી દઈ એટલે કે ભિન્નપણું કરવું. રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે.” જેટલા પરિણામ જાય છે, છતાં મુમુક્ષુ છે, સર્વથા રાગાદિ ભાવ નહિ થાય એ તો બનવાનું નથી. પરિણામ તો થવાના. રોગ છે, એ જીવનો એક રોગ છે એમ જાણીને પ્રવર્તવું ઘટે છે. આ એનાથી ઉદાસ થવાનો, નિરસ થવાનો પ્રકાર લીધો છે. અનાદિ દોષનો એવા પ્રસંગમાં વિશેષ ઉદય થાય છે. અને જ્યારે આ જીવ પાછો હટવા માગે છે ત્યારે વળી વધારે પુણ્યનો ઉદય સામે છે. જોર કરે છે. વધારે વધારે અનુકૂળતાઓ થવા માંડે. તો કહે છે કે “એવા પ્રસંગમાં વિશેષ ઉદય થાય છે.' એટલે કે જીવને પ્રલોભન થાય એવી પરિસ્થિતિ ઊભી થાય, તોપણ જાગૃત રહેવું, એમ કહેવું છે. તોપણ આત્માને વિષે જાગૃત રહેવું. કેમકે આત્મા તે દોષને દવા પોતાની સન્મુખ લાવે છે. તે દોષને છેદવા. છેદવા છે એટલે સ્થિતિ સંક્રમણ પામીને, અપકર્ષણ થઈને પણ એ કર્મનો ઉદય આવશે અને વળી પરિસ્થિતિ ઊભી થશે. પણ એ ભલે સામે આવે. સ્વરૂપાંતર કરીને બીજા વર્ષે આવે. એક વેષ નહિ ને બીજા વર્ષે આવે. પહેલા પોતે એ પ્રવૃત્તિ કરીને અનુકૂળતાઓ સાધતો હતો. એને એમ લાગતું હતું કે હું મારી બુદ્ધિથી, કાર્યશક્તિથી અને મહેનતથી આ બધું મેળવું છું. પછી વળી એમ થાય કે પોતે તો પ્રવૃત્તિ કરતો નથી. નિવૃત્તિ લીધી. ચાલો આપણે ઉદાસ છીએ. બીજાઓ અનુકૂળતા એને આપવા માંડે. સ્વરૂપાંતર કરીને અનુકૂળતાઓ સામે આવે. રૂપ બદલીને છેતરવા આવે. “સ્વરૂપાંતર કરી તેને આકર્ષે કેતને ઠીકપણું કેવુંક લાગે
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy