________________
૩૬૬
રાજહૃદય ભાગ-૧૧
છે ? અનુકૂળતાઓ મળે છે એમાં કેવું ઠીકપણું લાગે છે ? તેને આકર્ષે છે, અને જાગૃતિમાં શિથિલ કરી નાંખી પોતાને વિષે એકાગ્રબુદ્ધિ કરાવી દે છે.’ જાણે કે એ એને કરાવી દે છે. પોતે જાગૃતિ છોડી દે છે. એટલે ઉપચાર કરવામાં આવે છે કે એ સંયોગોએ એને તન્મય કરાવી દીધો, એકાગ્ર કરાવી દીધો.
એમ કહે છે કે ધ્યાન રાખજે તું. રૂપ બદલી બદલીને તને છેતરવા આવશે. અનુકૂળતાના સંયોગો તને છેતરવા નવા નવા રૂપ લઈને આવશે. પહેલા જે રૂપે આવ્યા હતા એ રૂપે નહિ આવે, પાછી તને ઘડ બેસી ગઈ હોય કે આમાં આમ કરવું, આમાં આમ કરવું એમ નહિ. ક્યાંય પણ તારી આત્મજાગૃતિમાં શિથિલતા આવી તો ભૂલમાં પડતા વાર લાગશે નહિ.
મુમુક્ષુ :– નવા નવા રૂપે એક દૃષ્ટાંત આપ્યું કે બીજાઓ આને અનુકૂળતા આપે. એવી રીતે બીજી કઈ વાત છે ?
પૂજ્ય ભાઈશ્રી :– એ તો શું છે કે સહેજે શ૨ી૨ ...
એવી રીતે પુણ્યના ઉદયમાં કાંઈક પોતાની બુદ્ધિ, શક્તિ, વિચાર લગાવતો હતો. હવે એમ જાણ્યું કે નહિ, આ બધું તો ખોટું છે અને આ માથાકૂટમાં પડવા જેવું નથી. જે હોય એ પરિસ્થિતિમાં આપણે ચલાવવું છે. એમાં અનુકૂળતાઓ કુદરતી બીજી રીતે વધવા માંડે. કુદરતી પ્રકારે, કોઈને કોઈ પ્રકારે. તોપણ એમાં ઠીકપણું લાગે છે તો એમાં એ પોતે છેતરાય છે. અહીંયાં એમ કહેવું છે કે એને ભિન્ન ભિન્ન રીતે ભૂલાવામાં પડવાના પ્રકારો ઊભા થાય છે.
હવે એ એ વખતે શું વિચાર કરે છે ? તે એકાગ્રબુદ્ધિ એવા પ્રકારની હોય છે કે... જુઓ ! બહુ સૂક્ષ્મ પરિણામો પકડ્યા છે. મને આ પ્રવૃત્તિથી તેવો વિશેષ બાધ નહીં થાય,’...’ પહેલા તો દુકાને જઈને બેસતો હતો, હવે તો ઘરે બેઠા બેઠા થોડુંક આટલું કામ કરી લઉં છું. એમાં કાંઈ બહુ વાંધો નહિ. પણ આપણી અનુકૂળતાઓ બધી સચવાઈ રહે છે. પહેલા ઘણી મહેનત કરતા જે અનુકૂળતાઓ મેળવવી પડતી હતી. હવે તો નિવૃત્તિકાળે થોડું કરીએ છીએ અને આટલી પ્રવૃત્તિમાં આપણને કાંઈ વાંધો નહિ આવે. એ પ્રવૃત્તિનું Volume ભલે ઘટ્યું હોય, પ્રવૃત્તિનું કદ ઘટ્યું હોય પણ પ્રવૃત્તિનો રસ ઘટ્યો છે કે નહિ ? આ સવાલ છે. જે દિ' દુકાનના થડે બેસતો હતો, એ જ રસથી એટલી પ્રવૃત્તિ ઓછી પ્રવૃત્તિ છે ઇ થાય છે કે કાંઈ ઓછાવત્તા પ્રમાણમાં એ પ્રવૃત્તિ થાય છે ? રસનું શું પ્રમાણ છે ? આ અવલોકન વગર, ... અવલોકન વગ૨ પોતાના રસની ખબર પડે એવું નથી. કેમકે કષાયની મંદતા છે ને ? ઓલા વખતે