________________
પત્રાંક-૫૭૨
૩પ૭ મુમુક્ષુ-પરમેશ્વરબુદ્ધિ એટલે?
પૂજ્ય ભાઈશ્રી :- પરમેશ્વરબુદ્ધિ એટલે એના પ્રત્યે પરમેશ્વરવત્ બહુમાન આવે. તીર્થકરમાં જેવું બહુમાન આવે, એવું બહુમાન એને ચોથા ગુણસ્થાનવર્તી જ્ઞાની પુરુષમાં આવે. એ “સોગાનીજી'માં આવ્યું છે. “સોગાનીજી'ની ભાષા જરા તીખી હતી ને. બહુ તીખી આવી છે કે ગુરુદેવ’ તો મારા માટે અનંત તીર્થકરથી પણ અધિક છે. એમ. તીર્થકર કરતાં વિશેષ ભક્તિ કરી છે. તીર્થકર જેટલા નથી કહ્યા પણ એનાથી પણ આગળ ગયા છે. એમણે તો Overbound-મર્યાદા છોડીને જાણે જતા હોય એવી વાત કરી છે. એ કુદરતી જ છે.
પ્રશ્ન:-..
પૂજ્ય ભાઈશ્રી :- દૃષ્ટિપ્રધાનમાં એવી તીખી વાત છે અને ભક્તિપ્રધાનમાં પણ એવી જતીખી વાત કરી છે. કોઈ વાત ..
મુમુક્ષુ – આશ્રય કરવો...
પૂજ્ય ભાઈશ્રી :- આશ્રય રાખવો, માથે રાખવો એટલે કે પૂરેપૂરા સર્વાર્પણબુદ્ધિએ .... પરમેશ્વરબુદ્ધિ. સત્સમાગમ (કરવો એ) ૨૨૩ (પત્ર અનુસાર) કહીએ તો આ કોઈ દિવ્યમૂર્તિ પરમાત્મા દિવ્યમૂર્તિદેહધારીરૂપે મારા માટે ઉત્પન્ન થયા છે એમ એને લાગવું જોઈએ. એમણે ઇશારા તો બધા કર્યા છે, સંકેત તો બધા કર્યા છે.
કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે. એ રીતે સપુરુષના સમાગમમાં કોઈ જીવ જાય તો એને જ્ઞાનદશા ઉત્પન્ન થવાની પરિસ્થિતિ ઘણી સુલભ છે અથવા એને દુર્લભબોધિપણું રહેતું નથી. એને સુલભબોધિપણું સહેજે સહેજે આવી જાય છે. કેમ કે એના દર્શનમોહની મંદતા, દર્શનમોહનો જેણે અભાવ કર્યો છે એના બહુમાનના કારણે સહેજે સહેજે ઉત્પન્ન થાય છે. સહેલાઈથી ઉત્પન્ન થઈ આવે છે. એમણે આ વાતનો ઉલ્લેખ અનેક પત્રમાં મુમુક્ષુને કર્યો છે.
નમ્રતાનું યથાર્થ સ્વરૂપ :- બીજાઓ દ્વારા અનાદર પામવા છતાં, મદનો આવેશ (ના અભાવને લીધે) ન થવાથી, અભિમાનનો અભાવ તે ખરું માર્દવ છે. વર્તમાન જાતિ આદિની મુખ્યતા માર્દવને લીધે થતી નથી.
(અનુભવ સંજીવની-૧૩૬).