________________
૩૩૪
રાજહૃદય ભાગ-૧૧ ગણવી.” જુઓ! વિવેકજ્ઞાન નાખ્યું. ઓલા જૈન નથી ને ? એટલે પહેલા એક શબ્દ નાખ્યો, સમ્યગ્દર્શન પહેલા. સમ્યગ્દર્શનના સામે સામે જ્ઞાનનો પર્યાય નાખી દીધો. શ્રદ્ધાની સામે. તેને વિવેકજ્ઞાન અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે....” એવું જિનેન્દ્ર પરમાત્માએ જિનેશ્વરે એવું નક્કી કરેલું છે. પેલા ભલે અન્યમતિ હતા છતાં ભગવાનનું નામ લીધું છે, કે આ રીતે જૈન પરમેશ્વર આવી વાત કરે છે. તમને કાંઈ જો ચોંટ લાગે કે જૈન પરમેશ્વર વાત કરનારા કોઈ બીજી જાતની વાતો કરે છે, તો એમના આગમમાં માથું મારો, વિચારો. એકદમ એટલા બધા જૈન તત્ત્વજ્ઞાનથી અન્યમતિઓ અજાણ્યા છે, કે આટલો મોટો સમાજ આજુબાજુ હોવા છતાં એ જૈન સમાજ પોતે તત્ત્વજ્ઞાનથી અજાણ્યો હોવાથી, અન્ય સમાજ સાવ અજાણ્યો છે. નહિતર આવું સર્વોત્કૃષ્ટ જગતનું ઊંચામાં ઊંચી Quality નું જે એથી ઊંચી Quality નું જગતમાં કોઈ તત્ત્વજ્ઞાન નથી. આખો જૈનસમાજ જ અજાણ્યો છે. અન્યમતિઓ તો સાવ અજાણ્યા. એને તો એ ખબર જ નથી કે જૈનતત્ત્વ શું છે, જૈન પરમેશ્વરે શું કીધું છે?
પહેલું વહેલું આ (શ્રીમદ્ રાજચંદ્ર) વાંચ્યું ત્યારે એમ થયું કે આની અંદર તો ગજબની વાતો છે ! આપણને તો ખબર નથી, જૈનમાં આવું હશે. “મુંબઈમાં એક જૈન દેરાસર છે. માધવબાગ છોડીને આ બાજુ પાંજરાપોળ બાજુ આવો તો વચ્ચે એક જૈન દેરાસર આવે છે. સી.પી.ટેન્કથી દાખલ થઈને આવે ને. માધવબાગના કમ્પાઉન્ડ પાસે છે. દાખલ થાવ અને સી.પી.ટેન્ક જાઓ તો વચ્ચે એક જૈન દેરાસર આવે છે. મારે રોજ ત્યાંથી ચાલવાનું રહેતું ૧૯-૨૦વર્ષની ઉંમર. ત્યાં રોજ સવારમાં ધમાલ ચાલતી હોય. સવારમાં આઠ વાગે ત્યાંથી લગભગ મારે રોજનીકળવાનું થાય. એ વખતે વખતે ગીતા અને વેદાંતના તત્ત્વજ્ઞાનનો થોડો પરિચય થયો હતો. મને એમ વિચાર આવ્યો કે આ લોકો આવી ધમાલ કરવામાં જ સમજતા હશે? આ લોકોને કાંઈ તત્ત્વજ્ઞાન નહિ હોય? એમ વિચાર આવતો. સવારમાં ધમાલ કરે છે. માણસો અંદર ઘણા ભેગા થતા હતા. વાજિંત્રો અને જોર જોરથી ગાતા હોય. એ વિચાર અવારનવાર આવે. ૩૬૦ દિવસ ત્યાંથી નીકળવાનું. આ લોકોને કાંઈ ખબર જ નહિ પડતી હોય? બસ! આ ધમાધમ કરવી એટલો જ એનો ધર્મ હશે ? ઓલું તત્ત્વજ્ઞાન સારું. વેદાંતમાં આવી વાત કરે છે. આ વાંચ્યું ત્યારે એમ થયું કે આ તો ગજબ વાત છે!આમાં તો બહુ મોટી ખાણ ભરી છે. જેનશાસ્ત્રોમાં તો તત્ત્વજ્ઞાનની મોટી ખાણ ભરી છે. પણ જૈનસમાજ જ અજાણ્યો હોય તો બીજાને શું ખબર હોય? એને ખબર જ નથી. જગતને આ ગુપ્ત