________________
૩૩૩
પત્રાંક-૫૭૦. અમારે કાંઈ લેવા-દેવા નથી.
મુમુક્ષુઃ- સકળ જગત છે એઠવતું.
પૂજ્ય ભાઈશ્રી:- હા. એઠવત્ છે. એંઠ ઉપર કેટલી પ્રીતિ ઊપજે ? ઊલટી થઈ હોય, ભલે બાસુંદી અને દૂધપાક ખાધો હોય. ઊલટી થઈ હોય તો કેટલી પ્રીતિ ઊપજે ? એકાદ આંગળીથી ચાટી લે કે ન ચાટી લે? સ્વાદફેર થયો છે કે નહિ? એ વોમિટ કરી નાખ્યું છે. જ્ઞાનીઓએ આખા જગતને વોમિટ કરી નાખ્યું છે.
મુમુક્ષુ -ચાટવાનું તો દૂર, જોતા જ નથી.
પૂજ્ય ભાઈશ્રી:- જોવું ગમતું નથી. ચાટવાનો તો પ્રશ્ન નથી. જોવું ગમે નહિ, સામું જોવું ગમે નહિ. એવું છે. એ જગતની સ્થિતિ છે.
શું કહે છે? આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે, તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહિ.” આ વોમિટ થયેલી ચીજ છે ને ? વૈરાગ્ય આવ્યા વિના રહે નહિ. કેમકે માત્ર અવિચાર કરીને તેમાં મોહબુદ્ધિ રહે છે. આ જીવનો મોહ છે, એટલું આ જીવનું અવિચારીપણું છે. વિચારવાનપણું નથી પણ અવિચારીપણું છે. કેમકે પોતે નુકસાન કરે છે. પોતાની શાંતિનું ખૂન પોતે કરે છે. એ અવિચારીપણું તો નહિ હાથે કરીને કોઈ પોતાના ઉપર કુહાડો મારે એને શું કહેવું ? કે અવિચારીપણું છે. અવિચારીપણું એ... શબ્દ છે. કઠોર શબ્દ એ છે કે એ એક નંબરની પોતાની મૂર્ખતા છે. પોતાની શાંતિનું પોતે ખૂન કરે તો એ પોતાની જમૂર્ખતા છે કે બીજા કોઈની છે? એ પોતાની જ મૂર્ખતા છે. અણસમજણે અશાંતિ છે અને સમજણે શાંતિ છે. આ સીધી સાદિ વાત છે. માત્ર અવિચાર કરીને તેમાં મોહબુદ્ધિ રહે છે.
“આત્મા છે',...” હવે છ પદ કહ્યા છે. ગાંધીજીને છ પદ કહ્યા છે. યોગ્યતા હોત તો કોઈ બીજી જLine ગાંધીજીએ પકડી હોત. વાત તો બધી ઠેઠ સુધીની કરી નાખી છે. “આત્મા છે, “આત્મા નિત્ય છે.... પણ આત્મા નિત્ય છે. સદાય છે. “આત્મા કર્મનો કર્યા છે... જે એવિભાવ પરિણામ કરે છે એના નિમિત્તે એને કર્મો કરવાનું થાય છે. તે તે કર્મોના ફળનો એ ભોક્તા પણ છે. એ દુઃખને સંસારમાં ભોગવતો જોવામાં આવે છે. તેથી તે નિવૃત્ત થઈ શકે છે, અને એ કર્મના કર્તા ભોક્તાપણાથી એ નિવૃત્ત થઈ શકે છે, મુક્ત થઈ શકે છે. “અને નિવૃત્ત થઈ શકવાના સાધન છેઆ જગતમાં. છ પદની અંદર બધી વાત આવરી લીધી.
એ છ કારણો જેને વિચાર કરીને સિદ્ધ થાય,...” સિદ્ધ થાય એટલે સંમત થાય, સિદ્ધ થાય એટલે અંગીકાર થાય અને તેને વિવેકશાન અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ