________________
૨૬૮
કયા પ્રયોગથી આશા કરવાની હોય ? એ બધી વાત ફીફા ખાંડવાની છે. મુમુક્ષુ :– ‘સોભાગભાઈ’ને ઊંચી વાત પૂછે છે.
પૂજ્ય ભાઈશ્રી : હા. આવે છે બધું. વિશેષ વિશેષ વાત આવતી જશે. ઘણી વાતો વિશેષ કરી. એમાં પણ આત્મજાગૃતિના જે બનારસીદાસજી’ના પદ લખ્યા છે એ બહુ સુંદર પદો લખ્યા છે. છેવટે એમણે પદ લખીને મોકલ્યા છે. ૩૦મા વર્ષમાં છે. પત્રાંક)
૭૭૯.
રાજહૃદય ભાગ-૧૧
‘ચિત્રસારી ન્યારી, પરર્જક ન્યારી, સેજ ન્યારી, ચાદર ભી ન્યારી, ઇહાં ઝૂઠી મેરી થપના;’ ‘બનારસીદાસજી’ના પદ છે. આ બધું જ્યાં સૂતો છું એ તો એક સેજ એટલે પથારી છે. પથારીમાં સૂતો છું. પથારી અને હું બે એક થઈ ગયા ? એના જેવી વાત છે. એની ચાદર જુદી છે, પથારી જુદી છે, ... ખાટલા ઉ૫૨ એના જે આપણે કહે ને ? પાયા ને ઇસ ને એ બધું જુદું જુદું છે. ‘ઝૂઠી મેરી થપના;..’ હું અહીંયાં છું એ સ્થાપ્યું છે એ સ્થાપના જુદી છે.
અતીત અવસ્થા સૈન, નિદ્રાવાહિ કોઉ હૈ ન, વિદ્યાવાન પલક ન, યામૈં અબ છપના; સ્વાસ ઔ સુપન દોઉં,...' શ્વાસ પણ એક સ્વપ્ન છે. શ્વાસ ઉચ્છવાસ છે એ સપનું છે, માલા છે એ સપનું છે. નિદ્રાકી અલંગ બૂઝે, સૂત્રૈ સબ અંગ ખિ, આતમ દરપના; ત્યાગી ભૌ ચેતન, અચેતનતા ભાવ ત્યાગિ, ભાલૈ દૃષ્ટિ ખોલિકૈ, સંભાલૈ રૂપ અપના.’ પોતાનું સ્વરૂપ સંભાળે છે. જેઠ મહિનામાં આ પદ લખ્યા છે. પછી અનુભવ દશા લીધી છે.
જૈસો નિરભેદરૂપ, નિહઐ અતીત હતી, તૈસૌ નિરભેદ અબ, ભેદકી ન ગઢંગી ! દીસૌ કર્મરહિત સહિત સુખ સમાધાન, પાૌ નિજથાન ફિર બાહિર ન બહૈગૌ; કબહૂં કદાપિ અપનૌ સુભાવ ત્યાગિ કરિ, રાગ રસ રચિૐ ન પરવસ્તુ ગઢંગી; અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભર્યો, યાહિ ભાંતિ આગમ અનંતકાલ રહેગૌ.’
એ અનુભવદશા સ્વરૂપ સ્થિરતાની, વસ્તુસ્થિતિની દશા ને એ બધા પદ છેલ્લે છેલ્લે જે લખ્યા છે. એ દેહાંત પહેલાની બધી (વાતો છે). એટલે દેહની જે અનિત્યતા છે એની ચર્ચા એમણે આ પત્રમાં પણ કરી છે. અહીં સુધી રાખીએ....