________________
૩૨૪.
રાજહૃદય ભાગ-૧૧ કર્યો. કોઈ પદાર્થનું અસ્તિત્વ મારામાં નથી અને કોઈ પદાર્થમાં મારું અસ્તિત્વ નથી. જેમકે માણસ ગળપણ ખાય છે. આ એકદમ મલાઈની ઊંચામાં ઊંચી મીઠાઈ છે. તો પોતાના અસ્તિત્વમાં એને દાખલ કરી ધે છે. શું કરે છે? રસ લેતી વખતે જીવ શું કરે છે? પોતાના અસ્તિત્વમાં દાખલ કરી દયે છે. જ્યારે જ્ઞાનીપુરુષ એને ભિન રાખે છે. એ એનો ત્યાગ છે. જ્ઞાનનું શેય છે. મારે ને એને કાંઈ સંબંધ નથી. અત્યારે જ્ઞાનમાં શેય છે એથી વધારે કાંઈ લેવાદેવા નથી. નતો એ સારું છે, નતો એ ખરાબ છે, નતો એની સાથે મારે કાંઈ સારા કે ખરાબપણાના કોઈ સંબંધ પણ નથી. મને કામની ચીજ નથી, મને નકામીચીજ પણ નથી. કેમકે સર્વથામારાથી ભિન્ન છે.
એવો દેહથી માંડીને દેહાતીત અવસ્થાથી માંડીને વિકલ્પાતીત અવસ્થા, એ પણ અન્ય તત્ત્વ છે, વિકલ્પ પણ અન્ય તત્ત્વ છે. દેહ પણ અન્ય તત્ત્વ છે અને દેહના ભોગઉપભોગ પણ બધા અન્યતત્ત્વ છે. એ બધાથી ભિન્ન જ્ઞાનમય દશાનો અનુભવ કરે છે. એ એણે અધ્યાસનો ત્યાગ કર્યો. એટલે જગતના સર્વ અન્ય પદાર્થોનો એણે ત્યાગ કર્યો છે. એટલે એને જ્ઞાન પ્રગટ્યું છે. એ નિરાવરણ જ્ઞાન છે. સમ્યગ્દષ્ટિને જેટલું સમ્યજ્ઞાન પ્રગટ્યું છે એટલું નિરાર્વરણ જ્ઞાન પ્રગટ્યું છે.
મુમુક્ષુ -બાહ્ય વેષ ગૃહસ્થનો હોય અને અંદરમાં બધાનો ત્યાગ કર્યો? પૂજ્ય ભાઈશ્રી:- હા. બધાનો ત્યાગ થઈ ગયો છે.
આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્યઅધ્યાસ નિવર્તવો.” તાંદામ્યપણે જે અનુભવ થતો હતો, એનો આત્મપણે અનુભવ હતો). તદ્દ એટલે તે. આત્માપણે અનુભવતો હતો એ છૂટી ગયો. એટલે સંસારના બધા રસ ખલાસ થઈ ગયા. પહેલા ફિક્કા પડ્યા. મુમુક્ષુની અવસ્થામાં એ રસ બધા તદ્દન ફિક્કા પડી ગયા અને જ્ઞાન થતાં એ રસ ઊડી ગયા. ત્યારે એને જ્ઞાનદશા કહી છે અને ત્યારે એને ત્યાગ થયો એમ કહેવામાં આવે છે.
મુમુક્ષુ – મુમુક્ષુના રસ ફિક્કા પડ્યા હોય, તો જેને રસ બિલકુલ સમાપ્ત થઈ ગયા હોય એ જ્ઞાનીને ઓળખી શકે?
પૂજ્ય ભાઈશ્રી :- ઓળખી શકે. કારણ કે એનું જ્ઞાન એટલું નિર્મળ થાય છે. જેટલો વિભાવરસ ફિક્કો પડે છે તેટલું જ્ઞાન તે ભૂમિકામાં નિર્મળ થાય છે. જેટલું નિર્મળ થાય છે એટલી ઓળખવાની શક્તિ ઉત્પન્ન થાય છે. નહિતર ઓળખવાની પરિસ્થિતિ નથી. મેલા જ્ઞાનમાં જ્ઞાનીને ઓળખવાની સ્થિતિ નથી. આત્માને ઓળખવાની સ્થિતિ નથી, જ્ઞાનીને ઓળખવાની સ્થિતિ નથી. એ તો એમ જ છે. એ રીતે મુમુક્ષુને એ લાગુ