________________
૩૦૫
પત્રાંક-૫૬૯
મુમુક્ષુ-એટલા દુર્ધરતપ કર્યા પણ ભાવનામાં નથી આવ્યો?
પૂજ્ય ભાઈશ્રી:- એમાં એવું છે કે બે પ્રકારે થાય છે. જે કોઈ અંતઃકરણથી એ કરે છે. શુદ્ધ અંતઃકરણથી અને ભાવનાથી-શુદ્ધ ભાવનાથી કરે છે એ તો પાર પામી જ જાય છે. એ તો એટલું ન કરે તો પણ પાર પામી જાય છે. એટલું કરે એને તો ક્યાં વાત જ રહી? અને એ વગર પણ જીવો કરે છે. અત્યારે આ જીવ અહીંયાં છે એ એમ સાબિત કરે છે કે અત્યાર સુધી એ બધું કર્યું છે પણ ઉપર ઉપરથી કર્યું છે. એટલી વાત નક્કી થઈ જાય છે. નક્કી કરવાની જરૂર નથી. કેમકે અત્યારે (આ) જીવનમાં ઉપર ઉપરથી ચાલ્યો છે કે નહિ ? અત્યારે ચોંટ લાગી એ બીજી વાત છે. પણ એ પહેલાનો ભૂતકાળ જોઈએ તો અત્યારે જેટલા ભૂતકાળમાં ધર્મસાધન કર્યા, ધર્મના ક્ષેત્રમાં ગયો છે, કુળ ધર્મે પણ ગયો છે કે નહિ? ઉપર ઉપરથી કર્યા છે એ વાત નક્કી થાય છે. વર્તમાન ભવ તો યાદદાસ્તમાં છે. બીજો ભવ યાદદાસ્તમાં નથી. એમ જ કર્યું છે.
એટલે અહીંયાં એ વાત કરી છે કે કોઈપણ એવી યોગ્યતાને પામીને જીવ જો અંતર્ભેદજાગૃતિમાં આવે તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. આ સમ્યગ્દર્શન ન થાય તો પણ યોગ્યતા પામે. યોગ્યતામાં તો આવ એમ કહે છે. પાત્રતામાં તો આવ. આ પાત્રતા છે એ તને છેક મોક્ષ સુધી લઈ જશે. સમ્યગ્દર્શન સુધી નહિ પણ મોક્ષ સુધી લઈ જશે. એતારું ધ્યેય છે ત્યાં સુધી લઈ જશે. | મુમુક્ષુ - માતાજી કહે છે, થોડા માટે અટક્યો એ અંતર્ભેદજાગૃતિ માટે અટક્યો છે?
પૂજ્ય ભાઈશ્રી – હા, એ થોડા માટે અટક્યો છે. અંતર્ભેદજાગૃતિ આવી નહિ). છેવટે થોડો પુરુષાર્થ શરૂ કરે છે તોપણ એ પુરુષાર્થની અલ્પતાને લઈને અટકયો છે એમ ત્યાં સુધી વાત લીધી છે. પણ યથાર્થ પ્રકારે પોતાનું ધ્યેય બાંધીને એ અનુસાર જે ઉપાડ આવવો જોઈએ એ રીતે ઉપાડ નથી આવ્યો. એટલે પછી આગળ વધવાની અંદર ક્યાંયને ક્યાંય ગડબડ થઈ અને વળી પાછો પાછો ચાલ્યો. આ તો જીવ શું થાય છે કે થોડોક આગળ વધે છે તેથી વધારે એ પાછો જાય છે. આમ ને આમ એનું સંસાર ચક્કર છે એ ચાલુ ને ચાલુ રહે છે.
મુમુક્ષુ -પ્રકારમાં ભૂલ છે?
પૂજ્ય ભાઈશ્રી – હા. પ્રકારમાં ફેર છે. ચોક્કસ ફેર છે. જે નિયત પ્રકાર છે, ચોક્કસ પ્રકાર છે એ પ્રકારમાં આવે તો એમાંથી પાછા ફરવાનું નહિ થાય. નહિતર પાછા ફરવાનું થાય છે. કેમકે પ્રકાર જખોટો છે. ક્યાંકને ક્યાંક તો એ અટવાવાનો અને