________________
૩૧૨
ચજહૃદય ભાગ-૧૧ વાત છે. કેટલાક અમારા જેવાનો તો જન્મ પણ નહિથયો હોય. ૬૬૫ વર્ષ પહેલા.એ જમાનામાં આટલો વિવેક એમણે કર્યો છે. વાત કરી હતી. એમણે કહ્યું), સત્સંગ અહીંયાં નથી. કરાંચીમાં સત્સંગ નથી. આ દેશમાં સત્સંગ નથી. આપણી બાજુ સત્સંગમળે છે, આ બાજુ સત્સંગ નથી. કોણ મળશે ? કેવો મળશે? કાંઈ નક્કી નહોતું. અહીંતો નક્કી હોય તો પણ હજી માણસને બીજા કામ આડે ફુરસદનથી મળતી. નક્કી નહોતું કાંઈ કે કોનો સત્સંગ કરશું અને કયાં જશું? પણ અહીંયાં નથીને ત્યાં છે એટલો ખ્યાલ નિશ્ચિત હતો. એટલી કિંમત હતી. એ ચીજની એટલી કિમત હતી. આજે વર્ષોથી સાંભળનારને હજી ખ્યાલ નથી કે સત્સંગ શું ચીજ છે, એની શું કિમત છે. શાસ્ત્ર સાંભળતા હોય, શાસ્ત્ર વાંચતા હોય પણ હજી આ વિષયનો યથાતથ્ય જે નિર્ણય કરવો જોઈએ, એની જે કિમત આવીને નિર્ણય હોવો જોઈએ એ નિર્ણય લગભગ જોવામાં આવતો નથી. આપણા મુમુક્ષુ સમાજમાં નથી, બીજે ક્યાં આશા રાખવી ? આ પરિસ્થિતિ છે.
મુમુક્ષુ કિમત આપ્યા વગર...
પૂજ્ય ભાઈશ્રી – મફતમાં માલ મળી ગયો છે એટલે એને મફતમાં ને મફતમાં બધું ચાલ્યું જાય છે. કાંઈ હાથમાં આવતું નથી. એમ છે, ખરી વાત તો એમ છે.
મુમુક્ષુ – આ ઉમરે ખ્યાલ નથી આવતો તો શું કહેવું?
પૂજ્ય ભાઈશ્રી - કેટલું છેટે છે? એ વિચારવા યોગ્ય છે. આખી જિંદગીને હોડમાં મૂકી. એક સત્સંગ ખાતર આખા જીવનનો પલટો માર્યો જિંદગીની બદલી નાખી. આખી જિંદગી એક ત્રાજવામાં મૂકી દીધી. કે આ બાજુ સત્સંગનું ત્રાજવું ન બેસે. જિંદગીનું નહિ જિંદગી જેમ જીવાશે એમ જીવાશે. સત્સંગ જોઈએ તે જોઈએ. આટલો વિવેક કર્યો. કાંઈ મફતમાં સમ્યગ્દર્શન આવ્યું નથી. પહેલેથી જ આવા નિર્ણય હોય છે. જેને સમ્યગ્દર્શન થાય છે અને પહેલેથી આવા અતુલનિર્ણય હોય છે. એને ક્યાંય તોળી ન શકાય.
મુમુક્ષુ :- “કૃપાળુદેવ સત્સંગની બાબતમાં સત્તર વર્ષની ઉંમરમાં લખી ગયા, આજે પણ ખ્યાલ નથી આવતો.
પૂજ્ય ભાઈશ્રી –મોક્ષમાળામાં સત્સંગના પાઠ લખ્યા છે. કેટલું મહત્ત્વ છે એ વાત લખી છે. વાંચ્યું હતું એકદિવસ. | (સત્સંગનો) આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થયોગ્ય થઈ એટલે આત્મજોગ પામી એ “વિચારદશાને પામે.” સુવિચારણાને પામે. પ્રથમમાં પ્રથમ જે પ્રકારે