________________
૩૧૧
પત્રાંક-૫૬૯ બુદ્ધિશાળી માણસોએ એ વાત સ્વીકારી છે કે સત્સંગનું મહત્ત્વ જે આવવું જોઈએ એ અત્યાર સુધી આવ્યું નથી). બુદ્ધિશાળી માણસોએ આ એકરાર કરેલો છે. પછી આટલી લાંબીચોડી બુદ્ધિ કામની શું? કે કામની પણ) રખડવામાં. આટલી ખબર ન પડી?કે મારે પ્રથમમાં પ્રથમ મારી ભૂમિકામાં સત્સંગ જ હોવો જોઈએ, એ મારો નિર્ણય હોવો જોઈએ અને એ નિર્ણયની અંદર કાંઈ ફેરફાર કરવાનું કોઈપણ કારણ હોઈ શકે નહિ. બધા કારણ એથી હઠ છે. કેમકે મારા હિતનું પહેલું એ સાધન છે. એટલો પણ જે નિર્ણય નથી કરી શકતા એને પોતાની હિતબુદ્ધિ ઉપર મીંડું મૂકાઈ ગયું છે, શુન્ય થઈ ગયું છે એ.
મુમુક્ષુ - લૌકિકમાં ખ્યાલ આવે છે કે પ્રોફેસર બી.કોમ. ભણેલ છે. આ લાઈન... કોમર્સનો જાણકાર...
પૂજ્ય ભાઈશ્રી :- ત્યાં Science નો વિદ્યાર્થી હોય તો Science ની કોલેજમાં જાય, Arts નો વિદ્યાર્થી હોય તો Arts ની કોલેજમાં જાય. ત્યાં તો બધું પહેલેથી જ નિશાળમાં ભણતો હોય ત્યાંથી વિચાર કરે. કયો વિષય આને વધારે ફાવે છે અને કઈ કોલેજમાં આને જાવાનું છે.
મુમુક્ષ –એવી બુદ્ધિ તો ચાલે છે.
પૂજ્ય ભાઈશ્રી :- કેમકે જરૂરિયાત દેખાણી છે, કેમકે જરૂરિયાત દેખાણી છે. (અહીંયાં) જરૂરિયાત ભાસી નથી. મારું આત્મહિત કરવું છે એવી જરૂરિયાત ભાસી નથી એ વાત નક્કી છે. તેથી ખરેખર તો આત્મહિતની બુદ્ધિ જ હણાઈ ગઈ છે. એમ કહીએ તો ચાલે કે આત્મહિતની બુદ્ધિ હણાઈ ગઈ છે. એટલોહીનસત્ત્વ થયો છે કે બુદ્ધિ હણાઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં જીવ આવી ગયો છે.
મુમુક્ષુઃ-માતાજીએ ૧૪ વર્ષની ઉંમરમાં સત્સંગનો વિવેક કર્યો.
પૂજ્ય ભાઈશ્રી - ૧૩વર્ષની ઉંમરે પૂજ્ય બહેનશ્રીને વિવેક આવ્યો હતો. ૧૩ વર્ષની ઉંમરે, ૧૪ વર્ષની ઉંમરે “કરાંચી છોડી દીધું. નહિતર એ તો બંધનમાં આવી ગયા હતા. સંસારના બંધનમાં આવી ગયા હતા. તોપણ વિવેકબળ કેટલું ! પૂછ્યું હતું, સીધું પૂછ્યું હતું કે એટલું એવું શું લાગ્યું કે આટલું મોટું કડક પગલું ભર્યું અથવા હિમ્મતવાળું પગલું ભર્યું ? એ જમાનામાં નાની ઉંમરમાં ઘર છોડવું અને ઘરેથી ભાગવું એટલે હજારોમાં કોક જ એવો કિસ્સો બને.
મુમુક્ષુ –એમાં પણ સ્ત્રીપર્યાયમાં. પૂજ્ય ભાઈશ્રી :- હા, એટલે જ ને. આજથી લગભગ ૬૬ ૫ વર્ષ પહેલાની