________________
૩૧૪
રાજહૃદય ભાગ-૧૧ હવે પણ આ ભાડુતી જગ્યાને ભાડું દેવું એમાં નોટ થોડી નબળી હોય કે સબળી હોય, તને શું ફેર પડે છે? નથી લેનારને ફેર પડતો, નથી દેનારને ફેર પડતો. કોઈ એક નોટ સારી હોય તો ચાર આના વધારે આપે છે? કે ભાઈ આ નવી નોટ છે દસના સવા દસ આપશું એમ કહે છે? કે એકસો રૂપિયાના એક સો રૂપિયા અને ચાર આના બીજા આપશું તમને એમ કોઈ કહે છે? અને સહેજ જૂની હોય તો? તો પણ એની એટલી જ કિમત છે. હવે થોડા પુગલ સો બસ્સો ગ્રામ થોડાક આ પર્યાયવાળા હોય કે આ પર્યાયવાળા હોય, ભાડું દેનારને તારે શું ફરક પડે છે? એવા ચીકણા પરિણામ (કરે, પ્રસંગે-પ્રસંગે એવા ચીકણા પરિણામ કરે કે આખો આત્મા ત્યાં ને ત્યાંથી પછી નીકળી શકે નહિ. પછી આ બાજુના પરિણામ કરવા હોય તો ચાલે નહિ. કેમકે હીનસત્ત્વ થઈ ગયો છે. મારો પુરુષાર્થ ઉપડતો નથી. પણ તારો પુરુષાર્થ ઉપડે કયાંથી? તેં પુરુષાર્થને એવી જગ્યાએ ખર્ચી નાખ્યો છે કે પછી અહીંયાં ખર્ચવાની તારી પાસે જગ્યા રહી નહિ. આ પરિસ્થિતિ છે. એટલે પુરુષાર્થની દરિદ્રતા પોતાને દેખાય આવે એ પરિસ્થિતિ છે. આત્મવિચારતો ત્યાંથી શરૂ થાય છે.
હવે પોતાની વાત કરે છે, કે હવે આ ઉપાધિકાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આર્તિ થયા કરે છે...” પોતે તો જ્ઞાનદશામાં આવી ગયા છે તોપણ કહે છે, “આ ઉપાધિકાર્યથી... એટલે વ્યવસાયકાર્યથી છૂટવા માટે વધુને વધુ વિશેષ વિશેષ આર્તિ થયા કરે છે,” તીવ્ર ઇચ્છા રહ્યા કરે છે. નિવૃત્તિ લઈ લેવી છે. જેમ બને તેમ જલ્દી, નિવૃત્તિ લઈ લેવી છે. જેને સમયની) કિંમત નથી એ સમય બગાડતા હોય છે. આ પોતે ઝંખે છે, નિવૃત્તિને ઝંખે છે. આવા મહાપુરુષ છે એને નિવૃત્તિની ઝંખના થાય છે. ત્યારે જેને સહેજે નિવૃત્તિ પૂર્વપુણ્યના ઉદયે છે એ સમયને વેડફે છે. એને કાંઈ ખબર નથી કે મારો કિમતી સમય હું ક્યાં બગાડું છું.
અને છૂટવા વિના જે કંઈ પણ કાળ જાય છે તે, આ જીવનું શિથિલપણું જ છે, એમ લાગે છે, અથવા એવો નિશ્ચય રહે છે. મારો દોષ છે. મારી શિથિલતા છે એટલે હું અહીંયાં બેઠો છું. જ્ઞાનદશા છે તો એવી રીતે પોતાનો દોષ વિચારે છે. નહિતર કેમ ન છૂટે આ? મહાપુરુષોએ, મારા કરતા પરાક્રમી પુરુષોએ, તીર્થકરાદિએ છોડ્યું છે. મારે કેમ છૂટતું નથી? મારી જશિથિલતા છે એ) નક્કી વાત છે. એવો નિશ્ચય છે, નિશ્ચય રહે
જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. આ વાત એમણે બહુ સરસ કરી છે. મુમુક્ષુજીવ