________________
પત્રાંક-૫૬૯
૩૧૯ (કે) તને કેટલો રસ છે? આ ગ્રહણ-ત્યાગની વૃત્તિનો રસ ફિક્કો પડ્યા વિના, એ રસ ઉડ્યા વિના તને જ્ઞાન થાય એ વાતમાં કાંઈ માલ નથી. દાળનો સબડકો લેવો છે અને રસ આવે છે ત્યાં જ્ઞાન હાજર નહિ રહે. જ્ઞાન અદ્ધર થયું જાશે. અને જ્ઞાનની સાવધાનીમાં આવીશ ત્યાં રસ નહિ આવે. બેય વિરુદ્ધ રસ છે. એકસાથે બે રસ રહેતા નથી વિરુદ્ધરસ રહેતા નથી ત્યાંથી શરૂઆત કરીને છેક સુધીની વાત છે બધી. પોતાને છોડવું છે ને? પોતાને રસ નથી, વ્યાપાર-ધંધામાં રસ રહ્યો નથી. મોટી કમાણી અને પરદેશના વેપાર ચાલે છે પણ એમાં રસ રહ્યો નથી. ઝેર જાણીને છોડવું છે. એટલે આ બધા વિચારો એમને અંદરથી ફુરે છે. મુમુક્ષુને પત્ર લખતાં, “સોભાગભાઈને પત્ર લખ્યો છે, એવા વિચારો સ્ફર્યા છે.
આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્યઅધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે. અહીંથી ત્યાગની શરૂઆત થાય છે. પહેલો અધ્યાસ નિવર્તે છે. જે પરપદાર્થમાં આત્મપરિણામ થાય છે એટલે પોતાપણાની ભ્રાંતિ થાય છે, દેહમાં હુંપણું થાય છે, કોઈ અન્ય ચીજમાં પોતાપણું લાગે છે કે આ ચીજમારી છે, એ અધ્યાસ છે. એ અધ્યાસ છૂટે ત્યારે એને ત્યાગની શરૂઆત થઈ. પહેલી ત્યાગની શરૂઆત અધ્યાસના ત્યાગથી થાય છે. પછી એ ચીજનો ત્યાગ થાય છે. એ પહેલા અધ્યાસ રાખીને કોઈ ચીજનો ત્યાગ કરે છે તો એને ખરેખર ભગવાન ત્યાગ કહેતા નથી. એ વાત એમાં આવી જાય છે.
“તે તાદાસ્પઅધ્યાસ નિવરિરૂપ ત્યાગ થવા અર્થે... એ અધ્યાસ છોડવા માટે આ બાહ્ય પ્રસંગનો... એટલે બાહ્ય પદાર્થોનો ત્યાગ પણ ઉપકારી છે. એ અર્થે કરવામાં આવે તો ઉપકારી છે. એ અર્થ ન હોય, એ હેતુ ન હોય, એ પ્રયોજન ન હોય તો એ ત્યાગ ઉપકારી થતો નથી. એમ લેવું. “ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતરત્યાગ કહ્યો નથી.” બાહ્ય ત્યાગના હેતુથી અને બાહ્ય ત્યાગના પ્રયોજનથી અંદરનો ત્યાગ નથી કહ્યો, પણ અંદરના ત્યાગના પ્રયોજનથી બહારનો ત્યાગ કહેવામાં આવ્યો છે. બે વાત ઊલટસુલટી છે. ત્યાગના પ્રકરણની અંદર જગત ભૂલેલું છે. તમામ સંપ્રદાયમાં ત્યાગી પાછળ અંધશ્રદ્ધાવાન જીવો, ધમધ જીવો ત્યાગી પાછળ સમર્પણ કરે છે, ભાઈ! આ ત્યાગી છે. આપણે નથી ત્યાગી શકતા એણે ત્યાખ્યું છે. એના માટે અહીં બહુ સારી વાત કરી છે. બહુ સુંદર વાત કરી છે. ત્યાગ જોવે છો, એમ નહિ.
બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાંગ કહ્યો નથી, એમ છે, તોપણ આ જીવે