________________
પત્રાંક-૫૬૯
૩૦૧
આ એવી વાત છે કે જેને સાંભળતા અંદ૨માંથી જીવને મોક્ષના ભણકારા વાગે, તમે તો સાંભળ્યું હશે. પહેલા એ વ્યાખ્યાનમાં બહુ આવતું હતું, શરૂ શરૂમાં. આપણા પ્રવેશ પહેલાની વાત છે. એવી વાત છે. એ પાત્રતામાં પણ એ વાત છે. કે જ્યારે જીવને સત્પાત્રતા આવે છે, ત્યારે એને એમ પણ લાગે છે કે આ માર્ગ સુગમ છે, સ૨ળ છે અને સર્વત્ર એની પ્રાપ્તિ થાય છે. એ વાત એમણે બહુ શરૂમાં લીધી છે ને ?
મુમુક્ષુઃ- ૨૦૭, ૨૧૧, ૨૧૮. ૨૭૩ પાને પહેલી લીટી.
પૂજ્ય ભાઈશ્રી :– ૨૭૩. પત્રાંક-૨૧૮. એ ‘સોભાગભાઈ’ ઉ૫૨નો છે. પહેલું જ વચન છે.
“સત્ સત્ છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે.’ આ સત્પાત્રતામાં પહેલુંવહેલું લાગે છે. એને પોતાને એવું ભાસે છે કે “સત્’ સત્ છે, સ૨ળ છે, સુગમ છે,..’ અને કોઈ પણ મારા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં મને એની પ્રાપ્તિ સંભવિત છે. અમુક દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ હોય તો જ હું સત્ની પ્રાપ્તિ કરી શકું અને નહિતર ન કરી શકું, એ (વાત) પાત્રતાવાળાને નથી. આ પાત્રતામાંથી નીકળેલી વાત છે. ૨૪મું વર્ષ ચાલે છે ને ? ‘સોભાગભાઈ’ને પત્ર લખે છે.
મુમુક્ષુ :– ૨૦૭ પત્રમાં કહે છે કે સત્ત્ને બતાવનાર જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી :– હા. પણ અહીંયાં તો શું લેવું છે કે પાત્રતા હોય એને સત્ બતાવવાળા સત્પુરુષની ઓળખાણ થાય. પણ એને પોતાને અંદરથી એમ ભાસે છે કે આ માર્ગ સરળ છે, સુગમ છે અને મારા કોઈપણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ હોય સર્વત્ર હું એની પ્રાપ્તિ કરી શકું. એવું આ સુગમ અને સરળ છે. એ સત્પાત્રતાનું લક્ષણ છે. એવું જો પોતાને ભાસે તો. જ્યાં સુધી એને કઠણ છે એવું લાગે, ત્યાં સુધી પાત્રતા જે પ્રકારે આવવી જોઈએ એ પ્રકારે હજી આવી નથી એમ સમજવા યોગ્ય છે. કેમકે અરુચિએ કઠણ છે. પાત્રતાવાળાને રુચિ થઈ છે એટલે અરુચિએ કઠણ લાગે છે અને રુચિએ સુગમ લાગે છે. બસ. આ રુચિની પ્રધાનતાથી એ જ વાત છે. રુચિ કહો પાત્રતા કહો બધું સાથે હોય છે.
મુમુક્ષુ :– ૨૧૧ પત્રમાં ‘અંબાલાલભાઈ’ ૫૨ એવો જ ખુલાસો...
=
પૂજ્ય ભાઈશ્રી ઃ– પત્ર-૨૧૧, નીચે છે. “સત્' જે કંઈ છે, તે સત્’ છે; સરળ છે; સુગમ છે; અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ જેને ભાંતિરૂપ આવરણતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય ?” વિશેષ અંધકારમાં ઊભો છે એને એ વાત કઠણ લાગે છે. પણ એ છે એ સ૨ળ અને સુગમ. મથાળું એ બાંધ્યું છે. “સત્’ એ કાંઈ દૂર નથી, પણ