________________
૧૪૬
રાજહૃદય ભાગ-૧૧ અને એ વાત એને અંગીકાર કરવી જોઈએ એના બદલે એમ ને એમ અધ્ધરથી ચાલ્યો જાય છે, ઉપર ઉપરથી ચાલ્યો જાય છે. કેવી ભૂલ કરે છે!
મુમુક્ષુ - ઊંડાણથી નસ પકડીછે.
પૂજ્ય ભાઈશ્રી - બહુ વિચક્ષણ પુરુષ છે ને! એટલે એક એક વાતને એવી ઝીણી ઝીણી વાતો પકડી છે, કે... અને એ ભૂલના ફળમાં એનું કેટલું લાંબું પરિભ્રમણ છે એને ખ્યાલ આવતો નથી.
મુમુક્ષની ભૂમિકામાં યથાર્થ ક્રમથી યથાર્થ પ્રકારે દર્શનમોહનો રસ/અનુભાગ ઘટવાથી જ્યારે યથાર્થ નિર્મળતા આવે છે, ત્યારે સુખના નિશ્ચયપૂર્વક જે સુખાનુભવ સુખાભાસ)તે ભૂલ પકડાય છે. જેથી સુખબુદ્ધિ અને પરની આધારબુદ્ધિ મટે છે અને જ્ઞાનનું સુખરૂપપણું પોતાને જ્ઞાનમાં ભાસે છે. જે આત્મસ્વરૂપનું બીજજ્ઞાન છે.
(અનુભવ સંજીવની-૧૯૭૧)
સત્-શાસ્ત્ર, સત્સંગ અને સિદ્ધાંત, જે સન્માર્ગ પ્રાપ્તિ માટે ઉપલબ્ધ હોવા છતાં, જે જીવ ધ્યાનાદિ માટે અન્યમતીને અનુસરે છે, તે મૂળ મુક્તિમાર્ગને છોડીને ઉન્માર્ગેમાર્ગની શોધ કરે છે.
અનુભવ સંજીવની–૧૭૭૨)