________________
૧૯૪
રાજહૃદય ભાગ-૧૧ કરી દઉં. પછી જમતી વખતે કાંઈ ભાન રહેવાનું નથી. પછી ભિન્ન રહેવાનું કાંઈ ભાન રહેવાનું નથી. પછી તો ફકાફક માંડે ખાવા, એકાકાર થઈને કેટલા કર્મ બાંધે છે એની ખબર પડે નહિ. એમાં અશાતાવેદનીય બાંધે છે. એ જ રસથી ખાય છે ત્યારે અશાતા વેદનીય બાંધે છે. પછી એમાંથી જ્યારે કાંઈક થાય ત્યારે કહે ઓય-ઓયને હાય-હાય મને આમ થઈ ગયું. પણ તેં અશાતાવેદની બાંધી ત્યારે તો કાંઈ વિચાર કર્યો નથી, જાગૃતિ રાખી નથી. હવે ભોગવતી વખતે હાય-હાય કરે છે એનો શું અર્થ છે? એનો કાંઈ અર્થ નથી.
મુમુક્ષુ –શરીર જમારું નથી, ત્યાંથી ભિન્ન પડવું.
પૂજ્ય ભાઈશ્રી:-ત્યાંથી જ. શરીર મારું નથી અને શરીર પ્રત્યેના પરિણામ છે એ પણ મારા સ્વરૂપમાં નથી, મારા સ્વરૂપની જાતિના નથી. બેયને ધક્કો મારવાનો છે. બેય નિષેધ્ય જે છે, નિષેધનો વિષય છે.
પોતે શું કહે છે કે ત્રણ વર્ષથી જે ધંધામાં જોડાઈ ગયા છીએ એમાં આત્મદશાને, જરૂર આત્મદશાને ભૂલાવી દે. એમ. કેવા ઉદય આવ્યા છે ? કે જરૂર આત્મદશાને ભૂલાવે એવો સંભવ રહે તેવો ઉદય પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે વેદ્યો છે; જોકે તે દવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું. ભાવના કેવી છે કે આ બધો સંગ મને છૂટી જાય તો સારું. એમ સૂઝયાં કર્યું છે. એવા પરિણામ થયા કર્યા છે કે વેપાર, ધંધા,પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ જે સમપરિણામે વેચવાનો પુરુષાર્થ હું ઉદયમાં કરું છું, તો ઉદય સાથે થોડી તરજોડ થાય છે, એના બદલે હું એકલું મારા આત્માના સ્વરૂપમાં લીન થાઉં એવો સ્વરૂપલીનતાનો એક બાજુનો પુરુષાર્થ કરું. બીજી બાજુ મારે કાંઈ તરજોડ કરવાનો કોઈ શક્તિનો વ્યય ન કરવો પડે એટલા માટે એમ સૂઝયા કર્યું છે... કે સર્વસંગનિવૃત્તિ હોય તો સારું.
તોપણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે તો અલ્પ કાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ નિવૃત્તિ એટલે નિર્જરા થાય. પ્રવૃત્તિમાં વિશેષ નિર્જરી થાય. કેમકે એ વખતે તો દુશમન ચડી આવ્યો છે. એ વખતે એને વિશેષ નિર્જરા થાય. એટલે બેય ખ્યાલ છે પાછો. એકાંત નિવૃત્તિને ઇચ્છે છે એમ નથી. પ્રવૃત્તિ છે તો પ્રવૃત્તિ વખતે વિશેષ નિર્જરા કરી શકાય છે એ પોતાને ખ્યાલમાં છે. તોપણ સર્વસંગનિવૃત્તિએ જેદશા રહેવી જોઈએ... પુરુષાર્થની, આત્માની તેવી આત્માની “દશા ઉદયમાં રહે, તો અલ્પકાળમાં થોડા કાળની અંદર વિશેષ... એટલે ઘણા કર્મની નિર્જરા થાય એમ જાણી.” એવો ખ્યાલ છે, એવું જાણીને જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે.”