________________
૧૯૩
પત્રક-૫૬૦. નથી. બીજા કાર્ય માટે તો એને ક્યાંક જાવું પડે, બીજા સાધનો પણ જોઈએ. પૈસાની જરૂર પડે તો વેપાર કરવો પડે, વેપાર કરવા માટે દુકાન લેવી પડે, દુકાન લેવા માટે પૈસાની વ્યવસ્થા કરવી પડે. કોઈ એમ કહે છે કમાણી થાય પછી હું દુકાન લઈશ, પછી હું વેપાર કરીશ એમ કહે ? ત્યાં તો વ્યવસ્થા ન હોય તો ગમે તેમ વ્યવસ્થા કરીને કરે છે કે નહિ?
મુમુક્ષુદ-દીનપણું કરીને કરે.
પૂજ્ય ભાઈશ્રી – દીનપણું કરે, કે ભાઈ ! તમારી દુકાને જરા બેસવા દેજો ને. તમારી Line બીજી છે, મારી બીજી Line છે, હું મારું થોડું કર્યા કરીશ. ખરીદવાની જગ્યા ન હોય, પાઘડી દેવાની જગ્યા ન હોય તો ભાડે લે, પેટા ભાગેલે. દોઢુ-બમણું ભાડુ આપે. કાંઈને કાંઈ ઘાટ ઉતારે છે કે નહિ? કેમકે જરૂર લાગી છે. અને જ્યાં સુધી ન મળે ત્યાં સુધી પરિણામ ત્યાં ને ત્યાં આંટા મારે, ચકરાવો ખાય. જે કામ કરવું છે એ ન થાય તો પરિણતિ ત્યાં જ ચકરાવોખાશે.
અહીંયાં તારી પરિણતિ ચકરાવો નથી ખાતી એ શું બતાવે છે કે તારે કામ કરવું નથી. સ્વાધ્યાય વખતે વિચાર કરે કે આ તો કરવા જેવું છે. આમાં આત્માનું હિત છે. વળી ઉદયમાં જાય એટલે થઈ રહ્યું. જાણે સાંભળ્યું જ નહોતું. પણ કામ તો ઉદય વખતે કરવાનું છે. આ તો સમજવાનો વખત છે, ઓલો કામ કરવાનો વખત છે. સમજવાના વખતે સમજે અને કામ કરવાના વખતે છોડી દે કે દિ એનું કામ થાય?
મુમુક્ષુ -બાર વાગે સુધાવેદનીય જાગે એટલે ખાવા જાય.
પૂજ્ય ભાઈશ્રી - સુધા વેદની જ્યારે ઉત્પન ત્યારે વિચારવું કે આ માત્ર જ્ઞાનનું શેય છે, મારામાં નથી. આ પરમાણુની, જઠરાગ્નિની પર્યાય છે. પછી ડૉક્ટરી ભાષામાં એમ કહે છે, કે હોજરીની અંદર એસીડની ઉત્પત્તિ થાય છે અને એસીડ ગરમ છે એટલે ગરમી લાગે છે એને જઠરાગ્નિ કહે છે.વૈદો જઠરાગ્નિ કહે છે, ડૉક્ટરો એને એસિડ છૂટે છે એમ કહે છે. એ જે હોય તે, પણ છે પરમાણુની પર્યાય. માને છે કે આત્માની પર્યાય છે. કેવી રીતે વેદે છે?મને ભૂખ લાગી. આત્માને ભૂખ લાગી છે? આત્માને એનું જ્ઞાન થયું છે. એ ગરમ અવસ્થાનું આત્માને જ્ઞાન થયું છે. મને જ્ઞાન થયું છે એમ ત્યાં કેમ ન અનુભવ કર્યો ? જૂઠો અનુભવ કર્યો કે મને ભૂખ લાગી છે. મને તો જ્ઞાન થયું છે એમ અનુભવ કરવો જોઈતો હતો. પછી આહાર કરવા બેસે તોપણ એને એ આહાર કરવાના પરિણામ બોજો લાગશે. પહેલા શું લાગશે? બોજો લાગશે. અને જો એમ નહિ કર્યું હોય તો ખાવા માટે તલપાપડ થાશે કે ભૂખ લાગી છે હવે પીરસે એટલે જલ્દી જમવાનું શરૂ