________________
પત્રાંક-૫૬૦
૨૦૫
મુમુક્ષુ :- મુમુક્ષુને પણ આ રીતે જ ચાલવું જોઈએ.
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. એ રીતે જ ચાલવું જોઈએ. મુમુક્ષુએ આમ જ કરવું જોઈએ. એને જ્ઞાની કરે એનાથી બીજી રીતે કરે તો શું ફાયદો છે ? એ તો એનો માર્ગ ચાતરવા જેવી વાત છે, માર્ગ બદલવા જેવી વાત છે. એ સ્વચ્છંદ છે બીજું કાંઈ નથી. જ્ઞાનીના માર્ગે ચાલે તો સ્વચ્છંદ નથી અને પોતાની કલ્પનાએ ચાલે તો સ્વચ્છંદ છે. એ સ્પષ્ટ વાત છે.
જ્ઞાનીની સામાન્યપણે બધા જ જ્ઞાનીની આવી રીત હોય છે એમ કહે છે. અને એવી રીતનો આશ્રય કરતાં એટલે એવી રીતે પ્રવર્તતા હાલ ત્રણ વર્ષ થયા વિશેષ તેમ કર્યું છે.' ત્રણ વર્ષથી મુંબઈમાં ધંધાર્થે રહેવાનું થયું છે ત્યારે એ જ અંતરંગમાં પુરુષાર્થ ચાલુ રાખીને બાહ્ય પ્રવૃત્તિમાં પણ પ્રતિબંધ ન થાય એવી રીતે વર્ત્યા છે, એમ જ કર્યું છે.
....
‘અને તેમાં જરૂર...’ અને એમ વર્તતાં ‘તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એવો સંભવ રહે.’ ઉદયમાં એવા પ્રસંગો પણ આવ્યા છે, કે જેમાં આત્મદશાથી ચ્યુતિ થઈ જાય. ‘તેવો ઉદય પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે વેદ્યો છે.' અને એમાં પણ જેટલો પુરુષાર્થ હતો એ પુરુષાર્થ અનુસાર સમપરિણામથી વેદ્યો છે. ચારિત્રમોહના કેટલાક વિષમ પરિણામ થયા છે પણ આખો આત્મા પ્રતિબંધમાં આવી જાય એવી રીતે વર્ચ્યા નથી. જેટલું બની શકે એટલું અમારા પુરુષાર્થથી ભિન્નપણું રાખ્યું છે. સમ્યક્ પ્રકારે વેદ્યો છે. ઇષ્ટ-અનિષ્ટપણાનો ત્યાગ કરીને અનુભવ કર્યો છે. ઇષ્ટ-અનિષ્ટપણું જોયું નથી, જાણ્યું નથી, માન્યું પણ નથી.
જોકે તે વેદવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું એમ સૂઝ્યાં કરે છે;...’ અને એ પ્રવૃત્તિના કાળમાં પ્રવૃત્તિની અરુચિ હોવાને લીધે તમામ પ્રકારના પ્રસંગથી કોઈપણ રીતે નિવૃત્તિ થઈ જાય તો સારું તેમ લાગ્યા કર્યું છે. સૂઝ્યું છે એટલે એવું લાગ્યા કર્યું છે, કે આ પ્રવૃત્તિ કાંઈ અમને સારી તો લાગતી નથી, જરૂરી પણ નથી, ઇચ્છતા પણ નથી, તો આથી નિવૃત્ત થવાય તો સારું. એમ લાગ્યા કર્યું છે.
"
તોપણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે... પ્રવૃત્તિના કાળમાં પણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ, એવી દશા જો અમને ઉદય થાય, એટલો પુરુષાર્થ વધી જાય ‘તો અલ્પ કાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય...’ એ ‘સોગાનીજી’ના પત્રમાં આવે છે. બલવાન કો સબ સાથ દેતે હૈં.’ એટલે શું ? જો આત્મા તીવ્ર પુરુષાર્થ કરે, આત્મા અત્યંત બળવાન પુરુષાર્થ કરે, તો કર્મના ૫૨માણુ