________________
૨૬૪
રાજહૃદય ભાગ-૧૧ ઉત્પન્ન થાય છે, અને તે પ્રમાણે નિર્બળ, મંદ, મ્યાન, ઉષ્ણ, શીત આદિ શરીરચેષ્ટા થાય છે.’ એટલે એના કારણે શરીર નિર્બળ થાય, મંદ થાય, મ્લાન થઈ જાય, ઉષ્ણ એટલે તાવ આવે, શીત એટલે શરદી થાય એ બધું થાય. ગરમી-શરદી બધી લાગે. એ થાય છે. વિશેષ રોગના ઉદયથી....
એમાં તો ત્યાં સુધી પણ વિષય આવે છે, કે કોઈ જીવ એક રોગ સાથે લઈને જાય. જન્મે ત્યારથી રોગ હોય. વેદનીયનો ઉદય છે એમાં એ ૫૨માણુ રહી જાય. કારણ કે કાર્મણવર્ગણા તો સાથે જાય છે ને ? જન્મે ત્યારથી રોગ ચાલુ થઈ જાય. એટલે ઉદય ચાલુ થઈ જાય. વચ્ચે થોડો કાળ ઉદય નથી. શરીર નથી એટલે. બાકી તરત જ ચાલુ થઈ જાય છે. તો કહે, કેમ ? હજી તો જન્મ્યો અને કયારે કર્મ બાંધ્યા ? તો કહે પૂર્વે બાંધેલા છે. તે હજી ચાલુ જ છે. આગળની મુડી વપરાય છે. એ પ્રમાણે શરીરની અવસ્થા-ચેષ્ટા એટલે અહીંયાં અવસ્થા થાય છે એમ લેવું.
વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદ બળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, મ્યાન થાય,... એટલે નિસ્તેજ થાય, મંદ થાય,...’ એટલે ઇન્દ્રિયો કામ કરતી ઓછી થઈ જાય, રૌદ્ર લાગે....’ કોઈ વખત તો રૌદ્રતા પણ ધારણ કરે. બિહામણું લાગે એવું. એકદમ આંખો ઓલી થઈ ગઈ હોય, એવી રીતે બહા૨માં રૌદ્ર લાગે, તેને ભ્રમાદિનો ઉદય...' વર્તે. ભ્રમમાં એ લેવો. બાહ્ય વિભ્રમ. ઉપર જે શબ્દો લીધો છે ને ? એમાં બાહ્ય શબ્દ લગાડવો. અહીંયા લીધું ને ? ભ્રમાદિનો ઉદય પણ વર્તે..’ એટલે બાહ્ય વિભ્રમ લેવો. બે શબ્દ વાપર્યા છે. પત્રાંક ૫૬૭) બાહ્ય વિભ્રમ અને.... બે ગ્યાએ બાહ્ય બાહ્ય શબ્દ જ લીધો છે. મંદપણું, બાહ્ય વિભ્રમ આદિ દષ્ટિપણું થાય, નિર્બળ થાય અંત૨ોગના પરિણામને વેદે છે. બાહ્ય લીધું.
મુમુક્ષુ ઃ– બાહ્ય સ્થિતિ ઉન્મત્ત.
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. બાહ્ય સ્થિતિ ઉન્મત્ત થાય છે એમ લીધું છે. બાહ્ય સ્થિતિ ઉન્મત્ત. નીચેની લીટીમાં છે. બાહ્ય વિભ્રમ એક લીટી છોડીને પછી બાહ્ય સ્થિતિ ઉન્મત્ત જોવામાં આવે...’ એ બંનેમાં બાહ્ય શબ્દ ઉપર લગાડ્યો છે. અહીંયાં નથી લગાડ્યો. ઓલો પત્ર ન મળ્યો હોય તો અહીંયાં શંકા કરે કે જ્ઞાનીને વિભ્રમ થાય ? જ્ઞાનીને ભ્રમ થાય તો પછી આત્મજ્ઞાન કેવી રીતે રહે ? પણ એ બાહ્ય વિભ્રમની વાત છે. આત્માના સંબંધમાં વિભ્રમ થવાની વાત અહીંયાં નથી. આવું બને છે. અધ્ધરથી કોઈ વાત હાથમાં આવી જાય ને. બાહ્ય વિભ્રમ આદિ... આ તો ક્રમથી વાંચીએ છીએ. પણ સીધો આ પત્ર વાંચ્યો હોય અને વાંચનારને ઓલા પત્રનો ખ્યાલ ન હોય તો એને એમ થાય કે અહીંયાં