________________
પત્રાંક-પ૬૭
૨૫૩
તા. ૨૪-૧૧-૧૯૯૦, પત્રાંક – ૫૬૭, ૧૬૮
પ્રવચન ન. ૨૫૯
શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃત, પત્ર-પ૬ ૭, પાનું-૪૫૦. આ પત્રમાં દશાના વિષયમાં અપૂર્વલખાણ રહી ગયું છે.
જે આત્માનો અંતવ્યપાર (અંતર્પરિણામની ધારા) તે, બંધ અને મોક્ષની (કર્મથી આત્માનું બંધાવું અને તેથી આત્માનું છૂટવું) વ્યવસ્થાનો હેતુ છે...જીવને બંધ અને મોક્ષનું કારણ શું છે? હેતુ એટલે કારણ પરિણામની જેધારા છે, અંદરમાં આત્મામાં જે પરિણામ થાય છે એ એને બંધનું કારણ થાય છે અથવા મોક્ષનું કારણ થાય છે. એટલે પરિણામે બંધ છે અને પરિણામે મોક્ષ છે. શરીરની ક્રિયાથી કે નિમિત્તના કારણથી બંધ કેમોક્ષ નથી.
માત્ર શરીરચેષ્ટા બંધમોક્ષની વ્યવસ્થાનો હેતુ નથી.” પછી એ પરિણામ અનુસાર શરીર હોય, પરિણામ અનુસાર શરીરચેષ્ટા ન હોય પણ માત્ર શરીરની) પરિણામચેષ્ટા તે બંધનો કે મોક્ષનો હેતુ નથી. બંધ અને મોક્ષની વ્યવસ્થા એવો શબ્દ અહીંયાં લીધો. વ્યવસ્થા એટલે એક વિજ્ઞાન છે, વ્યવસ્થિત વિજ્ઞાન છે, એના સિદ્ધાંતો છે, એના નિયમો છે એ પ્રમાણે એ કાર્ય થાય છે. ગમે તેમ થતું નથી.
વિશેષ રોગાદિ યોગે જ્ઞાનીપુરુષના દેહને વિષે પણ નિર્બળપણું, મંદપણું, પ્લાનતા, કપ, સ્વેદ, મૂચ્છ, બાહ્ય વિભ્રમાદિ દષ્ટ થાય છે; તથાપિ જેટલું જ્ઞાન કરીને, બોધ કરીને, વૈરાગ્યે કરીને આત્માનું નિર્મળપણું થયું છે, તેટલા નિર્મળપણાએ કરી તે રોગને અંતર્પરિણામે જ્ઞાની વેદે છે.” શું કહે છે કે જ્ઞાનીને શરીરનો રોગ ઉત્પન્ન થાય છે. પૂર્વકર્મના કારણે શરીરમાં રોગનો ઉદય થાય ત્યારે દેહનિર્બળ થઈ જાય. જ્ઞાનીનો દેહ છે એ કૃશ થઈ જાય. એમને છેલ્લે એ પરિસ્થિતિ હતી ને. શરીર નિર્બળ થાય એટલે શરીરની નિર્બળતા અશક્તિ ઘણી આવે. “મંદપણું,” આવે. જોવામાં, સાંભળવામાં એકદમ મંદતા આવી જાય. ઓછું સંભળાય, ઓછું દેખાય. “જ્ઞાનતા,” આવી જાય. એટલે એવું શરીર લાગે કે જાણે કાંઈ શરીરમાં રહ્યું નથી. ખોખલું થઈ ગયું હોય. પ્લાન એટલે નિસ્તેજ શરીર થઈ ગયું હોય એવું લાગે. કંપ...” કંપવા લાગે. હાથ કંપે, ડોકી