________________
પત્રાંક-૫૬૫
૨૧૭
અહીંયાં પણ પોતાને એ વિચારવાનું છે. સમાજમાં, સગા-સંબંધીમાં કે મુમુક્ષુ સમાજમાં પરિચય વધારવો, ઘણાને મળવું એ કાંઈ આત્માને લાભનું કારણ નથી. લાભનું કારણ નથી પણ નુકસાનનું જ કારણ છે. જેટલો પિરચય વધારે એટલું નુકસાનનું કારણ છે. લૌકિક દૃષ્ટિએ એમ લોકો વિચારે કે જેટલો સંબંધ હોય એટલું આપણે લાભનું કારણ છે. આપણે તો ઘણા સંબંધી, આપણે તો મોટો સંબંધ, બહુ ઝાઝો સંબંધ, બીજા કરતા આપણો સંબંધ વધારે. જ્ઞાની કહે છે કે બીજા કરતા વધારે દુ:ખી થઈશ. એ બધા તારા દુઃખી થવાના લક્ષણ છે, સુખી થવાના કોઈ લક્ષણ નથી.
મુમુક્ષુ :– ઓળખાણ એ ખાણ છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– ઓળખાણ એ ખાણ છે એમ કહે. લૌકિકમાં તો બધી એવી જ કહેવત હોય ને. આ તો અલૌકિક માર્ગ છે. અહીંયાં કહે છે તું પરિચય ઘટાડી નાખ. જેટલા બને એટલા ઓછાને મળજે. મળવાનું ઓછું કરી નાખજે. હળવા મળવાનું તું ઓછું રાખજે. ‘લલ્લુજી’ને નથી કહેતા, કોઈપણ મુમુક્ષુને એ વાત લાગુ પડે છે. મુમુક્ષુઃ– એ ઓળખાણ ખાણ તો પ્રસંગ પડે ત્યારે ખબર પડે.
પૂજ્ય ભાઈશ્રી :– હા. ઉદય પ્રમાણે બને છે. પણ ઉદયની ચિંતા હોય એને ને ? ઉદયની ચિંતા જેને કરવી નથી. કોઈ એમ કહે કે ભાઈ ! ઓળખાણ ન હોય અને પછી આપણે કાંઈક તકલીફ પડી હોય તો ઓળખાણ હોય તો કામ આવે ને. તો કહે પણ એ તકલીફ પડી હોય તો ભલે તકલીફ પડી. તકલીફ પડો તો પડો અને ન પડો તો ન પડો, પણ એક જ કામ કરવું છે. બે કામ કરવા નથી. ગાંઠ મારવી પડે છે. બે ઘોડાની સવારી ઉપર કોઈ ચડી શકતું નથી. હેઠો જ પડે, બીજું કાંઈ ન થાય.
બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરવો એ છૂટવાનો એક પ્રકાર છે. જીવ આ વાત જેટલી વિચારશે તેટલો જ્ઞાનીપુરુષનો માર્ગ સમજવાનો સમય સમીપ પ્રાપ્ત થશે.’ અઢી લીટીમાં કેવી વાત નાખી છે ! જીવ આ વાત જેટલી વિચા૨શે, કે મારે પરિચય ઘટાડતા જવો છે, એટલો એ જ્ઞાનીપુરુષનો માર્ગ સમજવા માટે નજીક આવશે. એના પરિણામમાં જ્ઞાનની અંદર એટલી નિર્મળતા વધશે. એ જ્ઞાનીપુરુષનો માર્ગ એને સમજાવાની ભાવમાં સમીપતા થાશે. નહિતર એ વાત સાંભળશે પણ સમજશે નહિ. કે આ માર્ગ શું છે ? આ કઈ જાતનો માર્ગ છે ? કઈ Line છે એ નહિ સમજી શકે. એવી પરિસ્થિતિ થશે.
મુમુક્ષુ :– ૫૨પરિચયથી મલિનતા ઉત્પન્ન થાય.
=
પૂજ્ય ભાઈશ્રી :- ૫૨પરિચયથી રાગ, દ્વેષ અને દર્શનમોહ વધે છે. એમાં