________________
પત્રાંક-૫૬૬
૨૨૭ ઠીક... આમ થાય તો ઠીક... આમ હોય તો ઠીક પરિણામ સંયોગિક પદાર્થ પાછળ, ભમ્યા કરે છે અને જીવ મૂંઝાયા કરે છે. જરાય એને આત્મવિચારનો અવકાશ રહેતો નથી.
એ તો કોઈ દલીલ કરે કે આત્મવિચારનો અવકાશ કરવા માટે તો આ સ્વાધ્યાય કરીએ છીએ. અને રોજ એક કલાકનો અવકાશ તો લઈએ છીએ. એટલી દલીલ કરે. કહે છે, આત્મવિચાર થાય એવા યોગે-આ બહારનો યોગ છે. એમાં સાસ્ત્ર છે, સપુરુષ છે એવો કોઈ યોગ મળતા તે બંધનના કારણથી આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી,...” એવું ઓલાપણે Attachment છે, પક્કડ છે કે પોતાનો પુરુષાર્થ પ્રવર્તી શકતો નથી. પુરુષાર્થમાં એનિષ્ફળ જાય છે.
મુમુક્ષુ -ઉદય જોરદાર છે.
પૂજ્ય ભાઈશ્રી:-પોતાના પરિણામ, ઉદય બાજુના પરિણામ એટલા બળવાન છે, કે આત્મહિત બાજુ એનો પુરુષાર્થ પ્રવર્તી શકતો જ નથી, અંતર્મુખ થઈ શકતો નથી. એટલે એટલો પોતે હિનસત્ત્વ થઈ ગયો છે. જેમ કોઈ માણસ નબળો પડે, શરીરથી પણ નબળો પડે, તો કોઈ શારીરિક શક્તિનું કાર્ય ન કરી શકે ભાઈ!આ વજન તમે ઉપાડો. હું નહિ ઉપાડી શકું. મારી એટલી શક્તિ નથી. એ પોતે પોતાની શક્તિ પરિણામની અંદર જે હોવી જોઈએ એ શક્તિથી એટલો હિનવીર્ય થયો છે, હિનસત્ત્વ થયો છે, કે પોતાના પરિણામને પોતે અંતરમાં વાળવા ઇચ્છા કરે તો પણ એના પરિણામ અંદરમાં વળતા નથી. આ પરિસ્થિતિ એક ઊભી થઈ ગઈ છે.
નિજ વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થતો નથી, અથવા થાય એવા યોગે.” એવા યોગ છે. એવા સપુરુષ, એવા સાસ્ત્ર, એવી વિચારણા, એવી યોજના, એ સંબંધીનું ઘણું જાણપણું, એનું વિજ્ઞાન, બધું સામે સમજવા મળે છે. સમજવા મળે છે નહિ, એને સમજાય છે, એને એમ લાગે છે કે વાત તો ન્યાયસંગત છે, બરાબર છે, યોગ્ય છે. આમાં કાંઈ બીજું કહેવાની જગ્યા નથી. તોપણ પોતાના બંધનના કારણથી, પોતાના રાગની ચીકાશ, એટલી ચીકાશથી ચોટલો છે કે આત્મવીર્ય પોતાનું હિત કરવામાં પ્રવર્તી શકતું નથી.
અને તે સૌ પ્રમાદનો હેતુ છે, અને તેથી એમને એમ કાળ ચાલ્યો જાય.પ્રમાદ એટલે શું ? કે પછી એ સંયોગો પાછળ પરિણામ કરતાં અને પ્રવૃત્તિ કરતાં કાળ ચાલ્યો જાય અને આત્મહિત કરવામાં જરાપણ પોતે જાગૃતિમાં ન આવી શકે એને પ્રમાદ કહ્યો. છે. એનું નામ અહીં પ્રમાદ છે. એ પ્રમાદનું કારણ બને છે. અને તેવા પ્રમાદે અને એ રીતે