________________
૨૩૨
રાજહૃદય ભાગ-૧૧
થાય. મેં ભિન્ન જાણ્યું. મારું શરીર ભિન્ન છે, આ બધા જેટલા સંયોગો છે એ ભિન્ન છે, રાગનું મારે કોઈ કારણ નથી. તદ્દન પારકા દેખાય છે. હવે એવી દશા... પ્રેમથી વિરક્ત થાય તેણે સર્વસંગથી વિરક્ત થયા વિના...' હવે સંગથી પાછી વિરક્તિ નથી થઈ. રાગ છૂટ્યો વિરક્તિ ન થઈ. શરીર લઈ લ્યો ને. શરીરથી છૂટાપણું ન થયું. શરીરનો રાગ છૂટ્યો. શરીરથી છૂટાપણું ન થયું. હવે એ પાછો વ્યવહારમાં વર્તે છે. એ સંબંધીનો વ્યવહાર ચાલુ રાખે. અને છતાં વીતરાગદશા રાખવી. વ્યવહારમાં વર્તવું અને વીતરાગદશા રાખવી. આ ભયંકર વ્રત છે.
ન
આ પોતાનું જે મંથન છે એ અહીંયાં રજુ કરે છે. ઉપર પ્રશ્ન કર્યો છે ને ? આમ તો એમ લાગે છે કે એક વખત આખું જગત સોનાનું થાય ને તો અમારે તણખલા જેવું છે. લખે છે ને ? આખું જગત સોનાનું થાય તો અમારે તૃણવત્ છે. એટલી અંદરની દશા સરસ છે અને પાછી આ પ્રવૃત્તિ કરવી પડે છે. (આ) ભયંક૨વ્રત છે.’
મુમુક્ષુ :– કેટલી ઉગ્રતા બતાવે છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– ઉગ્રતા બતાવે છે. અથવા એમ કહે છે, કે આ એક અમારા આત્મા ઉ૫૨નો જબરદસ્ત બળાત્કાર ચાલે છે. અમારો આત્મા જરાય આ ઉપાધિ સહન કરી શકે એવી પરિસ્થિતિ નથી. એવી અંદ૨માં ફાટ ફાટ પુરુષાર્થની સ્થિતિ છે અને આ પ્રવૃત્તિમાં પાછું જોડાવું પડે. ભયંકર અમારી પરિસ્થિતિ છે.
મુમુક્ષુઃ– ભયંકર વ્રત શબ્દ લીધો છે.
પૂજ્ય ભાઈશ્રી :– ૪૦૮ લ્યો. ૪૦૮માં વધારે ચિતાર એમણે આપ્યો છે. ૩૫૨ પાને નીચે છેલ્લી બે લીટી.
જે સંસારને વિષે સાક્ષી કર્તા તરીકે મનાય છે...' અમે સાક્ષી થઈ ગયા છીએ, જ્ઞાતાદૃષ્ટા થઈ ગયા છીએ. લોકો એમ સમજે છે કે આ ફલાણું આણે કર્યું અને આગે આમ ન કર્યું. આણે આમ કર્યું અને આણે આમ ન કર્યું. અમને કર્તાહર્તા તરીકે માને છે. એવા ‘તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષીરૂપે રહેવું અને કર્તા તરીકે ભાસ્યમાન થવું...' બીજા એને કર્તા તરીકે માને. સંડોવે. માને એટલે એને સંડોવે. એય..! તમે આમ કર્યું. આ તમારી ભૂલ છે. તમારી ભૂલથી આ નુકસાન થઈ ગયું. પણ હું જ્ઞાતા-દૃષ્ટા છું. અંદરથી, હોં ! બહાર કોઈને ન કહે. હું જ્ઞાતાદૃષ્ટા છું, તમે મને કચાં હેરાન કરો ? બે ધારી તલવાર ઉપર ચાલવા બરાબર છે.’
એમ છતાં પણ કોઈને ખેદ, દુઃખ, અલાભનું કારણ..’ એટલે ? દ્વેષનું નિમિત્ત. ખેદ થાય, દુઃખ થાય, અમારાથી નુકસાન થઈ ગયું એમ માને. તેનું ‘કારણ તે