________________
૧૫૦
રાજહૃદય ભાગ-૧૧ નહિ, ઇચ્છા પ્રમાણે વર્તીએ નહિ. એને એમ થાય કે આને તો વાત્સલ્ય નથી. શું વિરોધ આવે ? જ્ઞાની હોય તો વાત્સલ્યવાળા હોય, જ્ઞાનીને તો વાત્સલ્ય થવું જોઈએ. આને તો વાત્સલ્ય દેખાતું નથી. એ એની રીતે રહે છે. એના દૃષ્ટિકોણથી વિચારશે. અમારો દૃષ્ટિકોણ બીજો છે. એટલે પૂર્વાપર વિરોદ્ધબુદ્ધિ થાય.
અથવા પરમાર્થ પૂજ્યભાવના ટળી જાય....” અમારા પ્રત્યે પૂજ્યબુદ્ધિ થવાને બદલે એને અભકિત થઈ જશે એને પૂજ્યભાવ જ ટળી જશે, કેમકે એને દોષ દેખાશે. આમનામાં વાત્સલ્ય નથી. કહેવાય છે જ્ઞાની, પણ વાત્સલ્ય તો દેખાતું નથી. એટલે પૂજ્યભાવના ટળી જશે. “એવું જે જોયું હતું, તે વર્તમાનમાં ન થાય.. એવો જે ખ્યાલ આવ્યો હતો, એવો જે તે વર્તમાનમાં ન થાય તે વિશેષ ઉપયોગ થવા સહેજ લખ્યું છે તમારું ધ્યાન વધારે ખેંચાવા માટે આ વાત લખી છે. તમે સાવધાન થાવ, આમાં સાવધાની રાખો. સામાન્ય વાત નથી. અહીં બહુ લાંબી વાત છે. વિષયની કેટલી ગંભીરતા છે અને તમે સમજો. નહિતર નુકસાન તમને થશે, બીજાને પણ ઘણું નુકસાન થઈ જશે.
મુમુક્ષુ-ખરું વાત્સલ્ય “શ્રીમદ્જી'ને છે આ પત્રની અંદર. પૂજ્ય ભાઈશ્રી:- ખરેખર એમને વાત્સલ્ય છે. વાત્સલ્ય તો કેવું છે એમને ! એમને છેલ્લે છેલ્લે ક્યાંના ક્યાં ઈડર’ લઈ ગયા છે. ૨૮મું વર્ષ ચાલે છે. ૨૩માં વર્ષે ઈડર લઈ ગયા છે. દોઢ વર્ષ પછી જેઠ મહિનામાં. ૧૯૫૩ના જેઠ મહિનામાં લઈ ગયા છે. આ ૧૯૫૧નો પોષ મહિનો ચાલે છે.
પૂર્વાપર આ વાતનું માહાત્ય સમજાય અને અન્ય જીવોને ઉપકાર થાય તેમ વિશેષ લક્ષ રાખશો.’ આવિષયની મહત્તા શું છે?ગંભીરતા શું છે? એ તમને સમજાય. બીજા જીવોને પણ આનાથી શું ઉપકાર કે અપકાર થાય, એ બધા પડખાથી વિચાર કરી અને તમે લક્ષ રાખશો. ધ્યાન ખેંચીએ છીએ તમારું. ઉપરથી કાઢી નાખવા જેવી વાત નથી. એ પપરમો પત્ર પૂરો) થયો.
પત્રક-પપ૩
મુંબઈ, પોષ સુદ ૧, શુક, ૧૯૫૧ પત્ર ૧ પ્રાપ્ત થયું છે. અત્રેથી નીકળતાં હજુ આશરે એક મહિનો થશે એમ લાગે છે. અહીંથી નીકળ્યા પછી સમાગમ સંબધી વિચાર રહે છે અને શ્રી કઠોરમાં તે વાતની અનુકૂળતા આવવાનો વધારે સંભવ રહે છે, કેમકે તેમાં