________________
૧૬૪
રાજહૃદય ભાગ-૧૧ બાકી સજ્જન માણસને તો માથાના ઘા જેવું થઈ પડે. જેલમાં જવું એ માથાનો ઘા છે.
મુમુક્ષુ- “સોભાગભાઈએ જવાબ લખ્યો હશે ને?
પૂજ્ય ભાઈશ્રી:-હાસ્તો. એની નોંધ કરી છે આપણે. પત્રની નોંધ થયેલી છે. આ પત્રની અંદર તો એમણે પોતાની વૃત્તિનું બયાન કરીને પોતે માર્ગદર્શન માગ્યું છે. આનું નામ સત્સમાગમ છે.
મુમુક્ષુ - આગળના પત્રમાં ઠપકો આપે છે.
પૂજ્ય ભાઈશ્રી :- ઠપકો આપે છે. છતાં શું લખે છે ? એનું વિશેષણ (પત્રાંક)પપરમાં વાંચો. ઠપકો આપ્યો છે તો.
ઉપકારશીલ શ્રી સોભાગ પ્રત્યે... એને પૂછાવાના છે. એ ઉપકારી છે. આનું નામ સત્સમાગમ છે. સત્સંગ કોને કહેવો ? કે જ્ઞાનીને પણ પોતાની જ્ઞાનદશાને યોગ્ય તો એને સમસ્યા છે કે નહિ? જ્યાં સુધી સિદ્ધ ન થાય, સિદ્ધદશા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી પોતાને વર્તમાન પરિસ્થિતિની જે સમસ્યા છે, એ વર્તમાન સ્થિતિ એમને પોસાતી નથી. જ્ઞાન થઈ ગયું હવે વાંધો નથી, સમ્યગ્દર્શન થઈ ગયું છે, એમ નથી કાંઈ. એ સ્થિતિ પણ એ ટાળવા માગે છે, જ્યાં સુધી પરિપૂર્ણ સિદ્ધપદ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી. એ ચોખ્ખું દેખાય છે આમાં. નહિતર કાંઈ પૈસાનું દુઃખ નહોતું, કુટુંબનું દુઃખ નહોતું. જેને સંસારિક દુઃખ કહે એવી કોઈ પ્રતિકૂળતા નહોતી. છતાં વર્તમાન સ્થિતિ જ એમને પોસાતી નહોતી. એ વાત નક્કી છે.
મુમુક્ષુ-પપપનો જવાબ એની નોંધ કરી છે?
પૂજ્ય ભાઈશ્રી :-કરેલી છે. કરાવ્યું જ હશે. પપરમાં. આગળ જોઈ લ્યો. કરાવ્યું તો હોવું જોઈએ. નહિતર કરી લ્યો.
પત્રાંક-પપ૬
મુંબઈ, પોષ વદ ૨, રવિ, ૧૯૫૧
પરમપુરુષને નમસ્કાર પરમ સ્નેહી શ્રી સોભાગભાઈ, શ્રી મોરબી. ગઈકાલે એકપત્ર પ્રાપ્ત થયું હતું, તથા એક પત્ર આજે પ્રાપ્ત થયું છે.
બારસ સંબંધી નડિયાદવાસી વિષે લખેલી વિગત જાણી છે; તથા સમકિતની સુગમતા શાસ્ત્રમાં અત્યંત કહી છે, તે તેમ જ હોવી જોઈએ એ વિષે