________________
૧૬૬
ચજહૃદય ભાગ-૧૧ મહાપુરુષને આમ હોવું જોઈએ... મહાપુરુષને આમ હોવું જોઈએ... મહાપુરુષ તો આવા હોય એવું જે એકચિત્ર...કેમકે એ તો ઓળખાણમાં હતાને? “સોભાગભાઈ તો સપુરુષને ઓળખી શકતા હતા. એવી એમની યોગ્યતા હતી. એટલે એમણે એમના વિચારો દર્શાવ્યા છે. એ વાંચીને એમણે સંતોષ વ્યક્ત કર્યો છે, કે તમારી વાત વાંચીને અમને સંતોષ થયો છે. એવી એક જાતની વિશિષ્ટ યોગ્યતા ધારક મુમુક્ષુ હતા. એમને જે પ્રશ્ન એવા પૂછે છે. પોતાની દશાના પ્રશ્ન એમને જ પૂછે છે. બીજા કોઈને નથી પૂછતા. લલ્લુજીને નથી પૂછતા અને “અંબાલાલભાઈને પણ નથી પૂછતા. નહિતર એ બે પાત્ર ત્યારપછી ગણી શકાય એવા છે. તોપણ એ બેમાંથી કોઈને નથી પૂછતા. એક સોભાગભાઈને જ પૂછે છે.
મુમુક્ષુ -બધામાં આ એક જ વધારે પાત્ર હતા.
પૂજ્ય ભાઈશ્રી – વિશેષ પાત્ર એ છે. એ તો સ્પષ્ટ વાત છે, એમાં કોઈ સવાલ નથી. એ તો એમણે જે છેલ્લો એમના કુટુંબ ઉપરનો જે પત્ર લખ્યો છે, કે એમણે જે દેહત્યાગ કર્યો છે એ પહેલા એમની કેવી સરસ દશા હતી, એ વાત તો ક્યાંય જોવા મળે એવું નથી. એમાં તો સ્પષ્ટ સંકેત છે કે એમને જ્ઞાનદશાની પ્રાપ્તિ થઈને આત્મહિત કરીને એ ચાલ્યા ગયા છે, આત્માનું હિત સાધીને એ ગયા છે, એ વાત એમણે સ્પષ્ટ કરી છે. એના ઉપરથી તો વિચાર આવ્યો. છેલ્લા પત્ર ઉપરથી જ વિચાર આવ્યો.
મુમુક્ષુ-મોટા મહાત્માઓને જ્ઞાની પુરુષોને... પૂજ્ય ભાઈશ્રી:- હા. એ શબ્દ વાપર્યો છે. ૩૦મા વર્ષે ૬૦૬ પાને.
શ્રી સોભાગે જેઠ વદ ૧૦ ગુરુવારે સવારે દશ ને પચાસ મિનિટે દેહ મૂક્યાના સમાચાર વાંચી ઘણો ખેદ થયો છે. જેમ જેમ તેમના અદ્દભુત ગુણો પ્રત્યે દૃષ્ટિ જાય છે, તેમ તેમ અધિક અધિક ખેદ થાય છે. કેમકે એમને સત્સંગનો વિયોગ થયો છે ને? એટલે પોતાને પણ ખેદ થયો છે. તેમના ગુણોનું જે જે અદ્ભુતપણું તમને ભાસ્યું હોય તેને વારંવાર સંભારી, પછી નીચે બીજો પત્ર છે. ૭૮૩માં.
મુમુક્ષુ -બીજા Paragraph માં... (પત્રાંક ૭૮૨)
પૂજ્ય ભાઈશ્રી :- હા. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં. બરાબર છે. બીજા Paragraph માં છેલ્લી લીટી. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ...” એટલે સંપ્રદાયમાં જે મોટા મુનિ કહેવાય છે એ. ભાવલિંગીની વાત નથી. અત્યારે જે આબરૂ-કીર્તિવાળા મોટા મોટા મુનિઓ કહેવાય છે એવા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને...” આ ધ્યાન ખેંચવા જેવા